SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮મું અને પૂલ બનાવી દેશે કે આવકખરચના સરવાળા બાદબાકી કરવાની તેને ઘણે ભાગે જરૂર જ ઓછી રહેશે. (૧૨) વેશને વિત્ત–ધનસંપત્તિ પ્રમાણે રાખ એમ તે નહિ માને. જેમ બને તેમ સાદાઈ વધારે રાખવી એ એને જીવન આદર્શ થશે. એ ખાદીમાં ખૂબ માનશે, અતિ અલ્પ કપડાંથી નિર્વાહ કરશે અને સ્વચ્છતા સુઘડતા એવી જાળવશે કે એની તળાઈમાં માંકડ થાય નહિ અને વાળમાં જૂ થાય નહિ અને ઘરમાં મચ્છર થાય નહિ. એ ખાતર એ શેરીઓને સાફ કરાવશે-કરશે, પાયખાનાં સાફ રાખતાં જાતે શીખવશે અને આરોગ્યના નિયમ જાળવવાજળવાવવા પ્રયાસ કરશે. એ ગમે તેટલે ધનવાન હશે તે પણ ભારે મૂલ્યવાન કપડાં પહેરવામાં માનશે નહિ અને એ બાબતનું પ્રચારકાર્ય પણ એ ચાલુ રાખશે. સાદાઈ અને સ્વચ્છતા એના આદર્શ થશે અને ખાદીમાં એ ખાનદાની માનશે. એની દષ્ટિ વેશ ધારણ કરતી વખતે પિતાની મિલકત (વિત્ત) પર નહિ રહે, પણ દેશના આર્થિક સંયોગો અને રાષ્ટ્રમાં પોતાનું સ્થાન અને પિતાને ધર્મ શું છે તેની વિચારણા પર રહેશે. (૧૩) બુદ્ધિના આઠ ગુણથી યુક્ત – આને ભાગ્યે જ ગુણ કહી શકાય. બુદ્ધિની તરતમાતા પિતાની શક્તિ ઉપર આધાર રાખતી નથી. બુદ્ધિવિકાસ માટે નવયુગને સવિશેષ તક મળશે અને તે તકનો તે પૂરત લાભ લેશે. વિજ્ઞાનાદિ અનેક વિષયોમાં તર્કમાં– ચર્ચામાં ઝીણવટમાં ઉતારવામાં તે બુદ્ધિ શક્તિને એટલે ઉપયોગ કરશે કે અત્યારે તેની કલ્પના કરવી પણ અશક્ય છે. (૧૪) ધર્મશ્રવણ – ધર્મનાં વ્યાખ્યાન સાંભળવા. જે વ્યાખ્યાન અર્વાચીન પદ્ધતિએ દલીલની રીતે અપાતાં હશે તે તે હજાર કામ મૂકીને સાંભળવા જશે. બાકી “મહાવીર કહેતા હવા –જેવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy