SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગના જૈન પ્રવર્તીમાન યુગમાં સમાજ સેવા માગતા થઈ ગયા છે, પણ જાહેર પુરુષો પાતાના નિર્વાહ ક્રમ કરતા હશે તેના વિચાર બહુ ઘેાડા કરે છે. સમાજમાં અસાધારણ સેવા કરનાર નિઃસ્વાર્થ ભાવે કામ કરનારને કેટલીક વખત રેલવેની ટીકીટના પૈસાના સાંસા પડે છે એવા અનુભવ સંભળાય છે, એવી મુસાફરી સમાજના કાર્ય માટે હાય તે પણ અત્યારે જાણે એ પૈસા લેવા એ પણ ગેરવ્યાજખી ગણાય છે. જો નવયુગને આખા વખત સેવા કરનારા જોઈતા હશે તે આ ખ્યાલ છેાડી દેવા પડશે. આખા વખત સેવા કરનારા મળશે, સાદા જીવનના સાષ્યવાળા મળશે, સેવા ખાતર લગભગ સંન્યાસી જેવા થઈ ગયેલા વિશુદ્ધ આત્માઓ પણ મળશે, પણ એવા સેવાભાવીને ખાસ જરૂરી ખર્ચ માટે ચિંતામાં રહેવું પડે એ ન પાલવે એવી વાત છે, સમાજે એમને માટે યાગ્ય વ્યવસ્થા કરવી જ રહી. આ મુદ્દાની વાત નવયુગ બરાબર સમજશે અને આખા વખત સેવાભાવી મહાન સત્ત્વાને તે પૈસાના સંબંધમાં સર્વ પ્રકારે નિશ્ચિંત કરશે એટલું જ નહિ પણ થાડા વખત સેવા કરનાર પણ ખીજી રીતે પોતાના ખર્ચ આદિ માટે વ્યવસ્થા કરી શકે તેમ નહિ હાય તા અથવા સેવાના સામાન્ય બદલા લેવાની તેની ચ્છા હોય તા કાઈ પણ જાતની ટીકા કે ગણગણાટ વગર ચાગ્ય બદલા ખુશીથી આપશે અને લેનાર વગર સંક્રાચે તેના સ્વીકાર કરશે. કાર્યમા ૩૧૨ સામાજિક કે ધાર્મિક કાઈ પણ કાર્ય કરનારને પેાતાની અંગત ચિંતા ન જ રહેવી જોઈએ અને તેની હિલચાલ અપ્રતિબદ્ધ ચાલુ રહેવી જોઈએ. એટલેા બદલા લેવા આપવાના વમાન ખ્યાલમાં અને નવયુગના તે સંબંધી વનમાં મારું અંતર પડી જશે, નવયુગ આ સંબંધી મનુષ્યના માનસિક હલનચલનના અભ્યાસી અને વ્યવહારૂ થઈ જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy