SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૮ મું ૨૩ પણ એ સર્વ બાબત ઉપરાંત એક સ્ત્રીને હયાતીમાં બીજી. સ્ત્રીને પરણવાની બાબતને તે કોઈ પણ તે બચત થઈ શકે તેમ નથી. એમાં મદારીઓએ સ્ત્રીઓને રમકડાં જે ભણેલ છે. એમાં ન્યાયાસનના સ્થાનને દુરૂપયોગ કરીને ન્યાયાધીશ તરીકે ચાલુ રહેવાને માટે પુરુષોએ પિતાને સ્વતઃ અગ્ય જાહેર કરેલ છે અને એને કોઈ પણ રીતે બચાવ ન થઈ શકે એવું ગંભીર પાતક - આજ સુધી ચાલવા દીધું છે. સ્ત્રીને છોકરાં નથી થતાં એ તે દલીલનું હાસ્ય જ છે. એક ખેતરમાં પાક ન થાય તેમાં જમીનને જ દેષ હોય એમ સમજવાનું કારણ નથી. આ સંબંધમાં વધારે દલીલ કરવા જેવી નથી. એ અર્થ વગરની દલીલ છે. એની સાથે જે ખેડૂતને ખેતરને પાક કરતાં આવડતું ન હોય તેની જમીન ખુંચવી લઈ બીજા લાયક ખેડૂતને આપવાનો ઠરાવ સામેલ હોત તે એ દલીલનું સાર્થક્ય નવયુગને જરા પણ લાગત, પણ માત્ર ભૂમિ જ ઉપર છે એમ ધારી લેવામાં માત્ર ગેરવ્યાજબી ભૂલમનું જ તત્ત્વ દેખાઈ આવે છે. પુરુષને અસાધ્ય રેગ હોય, પરણવાના દિવસથી એ વિષમ જ્વરમાં સબડતે હેય, એને સારાં પુસ્તકમાં જેનાં નામ લખવાં પણ અનુચિત ગણાય એવા રેગ હોય, છતાં તેનું સૌભાગ્ય અખંડ અને તે ગમે તેટલી વાર પરણે અને સ્ત્રીને કઈ પ્રકારની છૂટ નહિ, વિચારવાનું સ્થાન નહિ, દિલાસાની ઘડી નહિ અને ભોગાગે સામાની અશક્તિ કે ગુપ્ત રોગોથી સંતતિ ન થાય તે તેના ઉપર શક્યનું સાલ આવી પડવાની ચાલુ ચિંતામાં રહેવું પડે, એ સ્થિતિ ભયંકર, એકતરફી અને અન્યાયી છે એમ નવયુગની નજરમાં લાગશે. અને નવયુગમાં તે સ્ત્રીઓ બહાર આવી પિતાના સ્થાનને નિર્ણય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy