SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૪સુ ભાવના એટલા પ્રસાર થશે કે અત્યારે એ પ્રશ્ન મુંઝવણ કરે છે તેવું નવયુગમાં કાંઈ નહિ રહે. વિધવાને પરણવું જ હોય તા તેને છૂટ આપવામાં આવશે, પણ તેવા દાખલા બહુ એછા બનશે. ૩૯ રશિયા વગેરે દેશામાં લગ્નનું બંધન નામનુ રહ્યું છે, છૂટાછેડા વધતા જાય છે અને નીતિના સવાલ લગભગ ઉડી ગયા છે. તેમાંનું હિંદમાં કાંઈ થવાનું નથી. નવયુગમાં હિંદને વિકાસ તદ્દન નવીન ધારણ પર થનાર છે. એક દેશમાં બન્યું તે અહીં પણ બનશે એમ ધારવાનું કારણ નથી. કેળવણીને પ્રસાર થયા છતાં પૂર્વ કાળના વારસા તદ્દન પ્રજાએ મૂકી શક્તી નથી એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે અને નવયુગનું ધારણ ભાંગતાડનું તેા રહેવાનું જ છે, પણ એની ભાંગતાડ અક્કલવાળી–ધારણવાળી સમજણુ પૂર્ણાંકની થવાની છે એ પણ સાથે ધ્યાનમાં રાખવું. સ્ત્રીઓના વિકાસ ખૂબ થશે તેટલે જ પુરુષને થશે તાજ જૈન કન્યાએ જૈનને પરણશે, નહિ તે ભારે વિસંવાદ ઉભા થશે. કેળવણીના પ્રચાર સાથે અંતે સમાનયશીલ અને ધર્મવાળા મળી જશે. આ સ્થિતિ અમુક ભાંગતા થયા પછી સુવ્યવસ્થિત રીતે ગેાઠવાઈ જશે. ― સ્ત્રીઓની લાગણી અને પુરુષોની સાહસવૃત્તિ, સ્ત્રીઓની નરમાશ અને પુરુષોની પ્રેરકવૃત્તિ, સ્ત્રીઓની . સ્વભાવ પારખવાની - શક્તિ અને પુરુષાની કામ પાર પાડવાની શક્તિ — આવી અનેક શક્તિઓના સહયાગથી એક તદ્દન અભિનવ બંધારણ થશે. ધરમાં સાદાઈ સ્વચ્છતા અને વ્યવસ્થા આવશે, ખર્ચમાં કરકસર આવશે, ઉદ્યોગમાં બન્નેનું જોડાણ થશે અને બન્નેનું સાષ્ય ઉત્તમ પ્રકારના વિશિષ્ટ આનંદ અનુભવવાનું રહી ધના નૈતિક તત્ત્વાના પ્રસાર વધારનાર અને દીપાવનાર નીવડશે. શરૂઆતમાં મેટા નાના પાયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy