SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ મું કાળે છે, પ્રાચીન તરફ માનની હાનિ ન થાય તેવી નરમ ભાષામાં નવયુગ એ આખી પદ્ધતિ સામે સખ્ત બળ કરશે અને નવવિચારકને ફાંસીની સજા થાય તેમાં જૈનદર્શનના મૂળ મુદ્દાને ક્ષતિ અને પ્રગતિને પ્રત્યક્ષ વિરોધ જોશે. આખા જૈનશાસનનું બંધારણ તપાસી તેની સમાચારી અને તત્ત્વના મુદ્દા જતાં નવયુગ કઈ પણ પ્રાણુને તરવાનો માર્ગ છીનવી લેવાનું ધર્મસિદ્ધાન્તના મૂળ મુદ્દાને અને તેના અંતર આશયને પ્રતિકૂળ માનશે. ટૂંકામાં સંધબહારની સજા કોઈને થઈ શકે નહિ એવો નિર્ણય બહુ ચર્ચાને પરિણામે નવયુગ કરશે અને તે નિર્ણય સશાસ્ત્ર છે એમ બતાવવા માટે આધારે રજૂ કરશે. સંગઠનને પરિણામે માત્ર મંદિર વેતાંબર દિગંબરનાં અલગ રહેશે, પણ તેમાં ઘુરકાધુરકી જેવું કાંઈ નહિ થાય. પરસ્પર પ્રેમ જળવાઈ રહે તે રીતે અરસ્પર એકબીજાના મંદિરમાં મહાપૂજાદિ પ્રસંગે પ્રેમપૂર્વક જવાઆવવાનું થશે અને બંધુભાવે મંદિરો પડખોપડખ રહેશે. એકબીજાનાં મંદિરને મસીદ અને મંદિર જેવાં માનવામાં નહિ આવે અને ધર્મના નામે આંખો વઢતી આળસી જશે. આ સિવાય (મંદિર સિવાય) સર્વ જૈન સંસ્થાઓ સર્વ જૈનને માટે ખુલ્લી થશે. નવયુગની કોઈ પણ સંસ્થા શ્વેતાંબર કે દિગંબર નામ નીચે ચલાવવામાં નહિ આવે. જૈન એટલે જૈન એક જ અર્થ થશે અને સર્વ ભેદભાવ વગર વિલંબે તૂટી જશે. નિર્વેર સાહિત્યની રચના સાહિત્ય અરસ્પરસ ફિરકાનું હશે તે ખુશીથી વાંચવામાં આવશે. નવીન સાહિત્ય તત્ત્વજ્ઞાન અને નીતિ વિષયક ખૂબ નીકળશે અને તે સર્વ સામાન્ય થઈ પડશે. માત્ર માન્યતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy