SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ મકરણ ૧૨ મું :: ધર્મજ્ઞાનપ્રસારની વ્યવસ્થા ધર્મજ્ઞાનના પ્રસાર માટે ટૂંકામાં નીચેની વ્યવસ્થા નવયુગ કરશેઃ તત્ત્વજ્ઞાનને આકર્ષક ભાષામાં વાંચનમાળાના આકારમાં તૈયાર કરશે. નાના બાળક માટે પાઠ રૂપે, મધ્યમ માટે ભાષણ રૂપે અને વિશેષ રૂચિવાળા માટે ખૂબ વિસ્તારથી ધર્મ સાહિત્ય તૈયાર કરશે. કથા સાહિત્યને સાહિત્યના પાસા સાથે અભિનવ આકર્ષક રૂપે મૂળ કથાઓને ભાવ બગાડ્યા વગર બહાર લાવશે. નીતિ વિભાગ ઉપર વધારે ભાર મૂકવામાં આવશે. માનસારીના ગુણોથી માંડીને ભાવશ્રાવક સુધીના ગુણની દેશકાળાનુરૂપ વ્યાખ્યા આકર્ષક રીતે તૈયાર કરવામાં આવશે. વ્રતનું માહાસ્ય ખૂબ વધારવા માટે આખું નવીન તત્ત્વજ્ઞાન વ્રતની પદ્ધતિ આવશ્યકતા અને વિશિષ્ટતા પર રચાશે. ગુણસ્થાન, દષ્ટિ, વેગ આદિ પ્રત્યેક વિષય પર વૈજ્ઞાનિક પદ્ધતિએ સાહિત્યકેને હાથે નૂતન પદ્ધતિએ ઉલ્લેખે તૈયાર થશે. આત્માનું અસ્તિત્વ, પરભવ, કર્મ, મેક્ષ આદિ શાસ્ત્રીય વિષય વૈજ્ઞાનિક પદ્ધતિએ લખાશે. દર્શન અને જ્ઞાનને અંગે મેટા મોટા નિબંધે તૈયાર થશે અને સમકિતને એના શુદ્ધ સનાતન સ્થાન પર અતિ બારિકાઈથી મૂકવામાં આવશે. નીતિ (Ethics), આત્મશાસ્ત્ર (metaphysics) અને તત્ત્વજ્ઞાનને ( philosophy) અનેક દિશાએ ખૂબ ઝળકાવવામાં આવશે. તે લેકે સમજી શકે તેવી સાદી ભાષામાં અનેક આકારમાં પ્રકટ થશે. નવયુગ જ્ઞાનયુગ થશે અને સર્વ શક્તિ , આવડત અને તર્કને ઉપયોગ જ્ઞાનના પ્રકાશ માટે થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy