SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૦સુ ૨૦૧ જૈનેતે ઉત્પન્ન કરવાના અને ખાસ ધશિક્ષણમાં પારંગત થયેલ બ્રહ્મચારી ઉત્પન્ન કરવાના રહેશે. સાધુને તૈયાર કરનાર સંસ્થા સ્થાપવામાં આવશે. ત્યાં ધાર્મિક જ્ઞાન તદ્દન જુદી જ પદ્ધતિએ આપવામાં આવશે. તેનું વાતાવરણ વૈરાગ્યમય બનાવવામાં આવશે. તેમાં જોડાનાર પર આડકતરી પણ ચાસ નજર રાખવામાં આવશે. તેમાં પાંચ વર્ષના અભ્યાસક્રમ યેાજાશે, એ અભ્યાસ કરનાર અને દરમિયાન વૈરાગ્ય દેખાવ નહિ પણ હૃદયભાવ ધરાવનારને દીક્ષા લેવાની યેાગ્યતાનું પ્રમાણપત્ર આપવાની ચેોજના કરવામાં આવશે. સહશિક્ષણ ક્યારે અને તે આપવું અને ક્યારે ખાળ અને બાળાને શિક્ષણ અત્રણ આપવું તેની આખી નીતિ મધ્યસ્થ કેળવણીમંડળ મુકરર કરશે. સ્થાને સ્થાને ઉપાશ્રયાને અંગે પુસ્તકાલય તે ગામની સ્થિતિ અને વસ્તીને અનુરૂપ સ્થાપવામાં આવશે અને દરેક પુસ્તકાલય સાથે વાચનગૃહ જરૂર સ્થાપવામાં આવશે. અનેક જૈન સાપ્તાહિક, માસિા અને ત્રૈમાસિકે! નીકળશે. તેમાં તત્ત્વજ્ઞાન કથા આદિ અનેક વિષયે। આવશે. એ પ્રત્યેક વિષય પર પણ ખાસ માસિક્રે બહાર પડશે. તે પૈકી અમુક અમુક માસિક્રેને રસ અને સ્થિતિ પ્રમાણે આ વાયનહેામાં સ્થાન મળશે. સામાન્ય ભાષાજ્ઞાનની માહિતીતે પણ એમાં સ્થાન રહેશે. સેવાસ ધા આ તા મુખ્ય સંસ્થાઓની વાત થઈ. એ ઉપરાંત નાની નાની તેા અનેક સંસ્થાએ બંધારણપૂર્વક નીકળશે. કાઈ પુસ્તકપ્રચારનું કામ ઉપાડી લેશે, કાઈ ગ્રંથપ્રકાશનનુ ઉપાડી લેશે, કાઈ ગ્રંથવિવેચનનું કાર્ય કરશે, કાઈ વિદ્યાર્થી સહકારી મંડળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy