SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૨ સુ ૧૯૫ લેવામાં નહિ આવે. જેટલી ખારાકની આવશ્યકતા મનાય છે તેટલી જ પ્રાથમિક શિક્ષણની જરૂર ગણવામાં આવશે. એની સાથે રસપૂર્વક પ્રાથમિક ધાર્મિક જ્ઞાન આપવાની યોજના નવયુગ કરશે. ચાવીસ તીથ "કરાનાં નામ, નવકાર, સામાયકના મહિમા, જીવસ્વરૂપ, તત્ત્વ, કર્મ અને જીવના સંબંધ—— આ મુદ્દાઓનું તદ્દન પ્રાથમિક પણ જરૂરી જ્ઞાન સરળ રીતે સરસ ભાષામાં આકર્ષક થાય તેમ આપવામાં આવશે અને તેને નાની પણ સુંદર કથાએથી પ્રિય બનાવવામાં આવશે. આ માટે જરૂરી અભ્યાસનાં પુસ્તકો નવયુગ તૈયાર કરશે. આવા પ્રયત્ન સર્વાં માતૃભાષામાં થશે. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણમાં મોટાં શહેશ અને નગરામાં પ્રબંધ કરવામાં આવશે. આ શિક્ષણની શરૂઆતમાં હિંદી ભાષાના અભ્યાસ સર્વને ખાસ કરાવવામાં આવશે. વિજ્ઞાન ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે અને માનસિક વિકાસ ક્રમસર કેમ થાય છે તેના કેળવણીકારની દૃષ્ટિએ વૈજ્ઞાનિક અભ્યાસ કરી આખા કાર્યક્રમ ગાઠવવામાં આવશે. ગોખણપટ્ટી ઓછી થાય અને મગજના વિકાસ સારી રીતે થાય તેના ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે. માધ્યમિક અભ્યાસમાં ઇતિહાસ, ભૂંગાળ, ગણિત અને સાહિત્યને મુખ્ય સ્થાન આપવામાં આવશે, વિજ્ઞાનને ખાસ મહત્ત્વનું સ્થાન આપવામાં આવશે અને સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના અભ્યાસને ખાસ ઉત્તેજન આપવામાં આવશે. માધ્યમિક અભ્યાસને અંગે જે સગવડ કરવામાં આવશે તેના લાભ જૈનેતરને જરૂર આપવામાં આવશે. અહીં ધાર્મિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy