SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ નવયુગને જૈન વ્રતધારી અને જ્ઞાનવૃદ્ધની પૂજ. અહીં ધોરણ તદ્દન અભિનવ રૂપ લેશે. વ્રતધારી અને અમુક વેશ પહેરનારને એ પૂજવા મંડી નહિ જાય પણ વ્રત લઈ તેને પાળતા હશે તે તેના ત્યાગ માટે તેને માન આપશે. માત્ર જ્ઞાનવૃદ્ધને એ જરા પણ માન પૂજા આપશે નહિ. ગમે તેટલા ગ્રંથ વાંચી જનાર અથવા મોટાં ભાષણ કરનારને નવયુગમાં પૂજાસ્થાન મળવું અશક્ય નહિ તે દુર્ઘટ દીસે છે. ઘણું ભણેલ અને આગમોના પાઠ કટોકટ બેલી જનાર સાધુ જે પતિત હશે તે તેને નવયુગ એક ક્ષણ વાર પણ નિભાવી નહિ લે. જ્ઞાનને એ ખપી હોવાથી જ્યાં જ્ઞાન એ દેખશે ત્યાં જિજ્ઞાસાથી જશે અને જ્ઞાનને લાભ લેવા પ્રયત્ન કરશે, પણ એ પૂજા તે ચારિત્રની જ કરશે. જ્ઞાન એની પ્રશંસા મેળવશે, એના મગજને ડોલાવશે, પણ એનું હદય ચારિત્રને જ નમશે. એ સાચા ત્યાગીને દુનિયાના ધર્મગુરુઓનાં શિખર પર બેસાડશે અને એનાં દષ્ટાંત દ્વારા જગતને ઉજજ્વળ કરશે. ત્યાગી વતી-વિરતિધારીના નામ કે દેખાવ માત્રથી એ જરા પણ અંજાઈ નહિ જાય; બાકી વર્તનની બાબતમાં સો ટચને રૂપિયે હશે અથવા ચોવીશ કેરેટનું સેનું હશે ત્યાં એ ઝૂકી પડશે, નમી પડશે –પણ—એ સિવાય ગોટા દેખશે ત્યાં તે નમશે તે નહિ જ, પણ ગોટાળાવાળાને ઉઘાડા પાડવામાં એ ધર્મને, સમાજને કે વ્યક્તિસમષ્ટિને લાભ જ માનશે. (૨૪) જે પિતાને આધારે પડેલા હેય; અજ્ઞાન બાળક, વૃદ્ધ માતપિતા, સાધ્વી સ્ત્રી વગેરે–એનું એ પણ કરશે–કુટુંબ કેને કહેવું એની આખી વ્યાખ્યા ફરી જશે. સંયુક્ત કુટુંબના આળસુને પાળવા–પિષવામાં તે ગુણહાનિ–તેજોહાનિ સમજશે. સંયુક્ત કુટુંબ ભાવના નાશ પામશે. તે કક્ષામાં કે અન્યત્ર સાચા, દીન, દુઃખી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy