________________
નવયુગને જૈન
•..•••••••••~
~
~~~~
~
~
જૈન સાહિત્ય એના વિસ્તૃત આકારમાં જરા પણ અતિશક્તિ વગર એનું સાચું સાહિત્યસ્થાન લે અને તે વિશ્વને ગળે બંધાય એવી જનાથી એને વિસ્તાર કરવામાં આવશે અને તે સર્વ કાર્ય જ્ઞાનખાતાંમાંથી થશે. જ્ઞાનખાતામાંથી સાહિત્ય અભિવૃદ્ધિ માટે ભાષણે ગોઠવાશે, નિબંધે મંગાવાશે અને હરિફાઈઓ કરાવવામાં આવશે. જ્ઞાનખાતાના દ્રવ્યને મૂળ આશય શું છે જોઈએ તે શોધી તેને અનુરૂપ આખી યેજના કરવામાં આવશે.
સાત ક્ષેત્ર-સામાન્ય આ રીતે સાત ક્ષેત્રની યોજના નવયુગ કરશે. તેમાં તે સર્વથી વધારે ધ્યાન શ્રાવકશ્રાવિકા ક્ષેત્રને અંગે આપશે. સર્વ ક્ષેત્રને પોષક હોય તેની પિષણ કરવામાં બાકીના સર્વનું પિષણ થાય છે એમ તે માનશે. જે કાળે જે ક્ષેત્ર પાછું પડતું હોય, પરિભાષામાં કહીએ તે સીદાતું હોય, તેને પ્રથમ વિવું જોઈએ એવા શાસ્ત્રાદેશને પ્રાચીને એ અવગણે છે તે અવગણના નવયુગ સુધારી લેશે. એમ કરવું તે તેને સ્વાભાવિક જ લાગશે. આથી જેને માટે અભ્યાસહાદિ અનેક યોજના કરશે અને તેની રાજદ્વારી, વ્યાવહારિક, નૈતિક, ધાર્મિક પ્રગતિ થાય તેવા અનેક માર્ગો લેશે, અનેક સંસ્થાઓ સ્થાપશે અને અનેક કેળવણપોષક સ સ્થાપશે.
સાધુસાધ્વીને તે વર્ગમાં દાખલ કરવા પહેલાં પ્રાથમિક તૈયારી કરવા માટે સંસ્થાઓ શહેરના સંબંધમાં, પણ તેનાથી દૂર બાંધવામાં આવશે. ત્યાં યોગ્ય શિક્ષણ આપી સાધુસાધ્વી તરીકે રહી શકે તે ત્યાગ, વૈરાગ્ય અને અભ્યાસ જે બતાવશે તેને પ્રમાણપત્ર તે સંસ્થાઓ આપશે અને એવાં પ્રમાણપત્ર ધરાવનારને જ સાધુસાધ્વી બનાવવાનો ઠરાવ કરવામાં આવશે. સોળ વર્ષની અંદરના બાળકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com