SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ મું જ્ઞાનસ ઉપાશ્રયમાં અવારનવાર સાધુઓ અને સાધ્વીઓ ઉતરશે. એ ઉપરાંત ઉપાશ્રયને ઉપયોગ ભાષણગ્રહ, જૈનસંસ્કૃતિના કેંદ્રસ્થાન અને કેળવણી ગ્રહ તરીકે થશે. ત્યાં અનેક વિષયો પર જે ભરી ચર્ચાઓ થશે. ત્યાં નવયુગના બાળકે ધાર્મિક શિક્ષણનું જ્ઞાન તદ્દન નવીન પદ્ધતિએ લેશે. ત્યાંથી અનેક મૂળ તો, આદર્શો અને શોધખોળનાં પરિણામ જાહેર થશે. ત્યાં ધર્મધ્યાન કરનારા સામાયિક પૌષધ કરનારને સ્થાન મળશે, પણ નિરૂઘમી, કુથલી કરનારા અને નવરા નકામા માણસોને સ્થાન નહિ મળે. નાના ઉપાશ્રયમાં અને મેટી વિશાળ જગાઓમાં સ્થાનને અનુરૂપ નવયુગીન વ્યવસ્થા ગેઠવણપૂર્વક કરવામાં આવશે. ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીને શાસ્ત્રના આદેશ પ્રમાણે જ રહેવા દેવામાં આવશે. શેષ કાળે એક માસ અને ચાતુર્માસમાં ચાર મહિનાના કાળ મુકરર રાખવામાં આવશે. અમુક વ્યક્તિ કે શહેર તરફ સાધુ સાધ્વીને પ્રતિબંધ થઈ જાય એવા પ્રસંગે દૂર કરવામાં આવશે. અમુક ઉપાશ્રય એક્કસ સાધુ કે યતિને છે એ વાત અસંભવિત બની જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy