SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૯ સુ ૨૪૯ કોઈ પણ પ્રકારના ધાર્મિક કે વ્યાવહારિક સંક્રાચ સ્વીકારશે નહિ. એના સ્વીકારથી થયેલ અગવડ કે હ્રાસના એ ઇતિહાસ રજૂ કરશે ત્યારે જૈન સમાજની આંખા ઉધડી જશે. આ સ લગ્નના પ્રકરણમાં બતાવાઈ ગયું છે. જૈતે જૈનેતર સાથે કન્યા અને ભાજનવ્યવહાર કરશે કે નહિ તે બાબત આ લેખના વિષયની મર્યાદા બહાર જાય છે. જૈનેતર સુશિક્ષિત કન્યાને જૈન ખુશીથી પરણશે અને તેને જૈન સંસ્કારથી વાસિત કરશે. જો જૈન માલ વગરના કેળવણી વગરના સ્વમાન વગરના આવડત વગરના દક્ષતા વગરના થશે તે। જૈન કન્યા અન્ય ધર્માંમાં સ્વતઃ જશે. એમાં માબાપની પરવાનગીતા પ્રશ્ન નહિ રહે. માબાપાનું એ સંબંધમાં બહુ ચાલશે પણ નહિ, અને માબાપે પોતાની ફરજ કેળવણી આપવા પૂરતી જ ગણશે. કેવા શિક્ષણથી જૈનકન્યાએ અન્ય ધર્મોમાં જતી અટકશે તેની ચર્ચાની ભાગ્યે જ જરૂર રહે છે, પણ છતાં તેના ઉલ્લેખ કેળવણીના શિક નીચે આવશે. ભાજનવ્યવહારની બાબતમાં તો અત્યારથી જ ચિહ્નો જોવાય છે તે આંખ ઉઘાડીને જોવામાં આવે તેા દરવાજા ખુલ્લા થઇ જશે એમ સ્પષ્ટ દેખાય છે. ફક્ત તફાવત માંસ ખાનાર અને અન્નક્ળશાક ખાનાર વચ્ચે રહેશે. તેમાં પણ એક ટેબલ પર ચા વગેરે લેવામાં કાઈ પણ જાતિના મનુષ્ય સંબંધી વાંધા નહિ રહે. આ ભોજન અને કન્યાવ્યવહારનું ક્ષેત્ર જેટલું દાખી રાખવામાં આવ્યું છે તેટલા જ જોરથી સામેા ઉછાળા મારશે અને એનું પરિણામ સંખ્યાબળ ઉપર ન થવાને એક જ ઉપાય કેળવણીના પ્રસારમાં રહેશે. નવયુગ આ સંબંધમાં ખૂબ સ્પષ્ટ રીતે કામ લેશે અને તેની ગતિ પણ એટલી ઉતાવળ રહેશે કે આજના પ્રાચીનેાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy