SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮મું બને તેમ સાદું તથા ઉચ્ચગ્રાહી રાખવાને પરિણામે તે લોકપ્રિય બહુ થશે, પણ તે કોઈ પણ કાર્ય લેકેની પ્રશંસા મેળવવાના જ ઈરાદાથી નહિ કરે. લેકપ્રશંસા કરે તે તેને તે દૂર ફેંકી નહિ દે, લોકરૂચિ સમજતાં તે શીખશે, પણ લોકોને દેરવાની કળા પણ તેનામાં આવશે. એ લેકપ્રશંસા ખાતર પિતાના પુખ્ત વિચારોને પરિણામે ઘડાયેલા નિયમોને ભગ નહિ આપે અને કઈ વાર લોકપ્રશંસા છેવાનો ભય વહોરીને પણ એના સ્વીકૃત સેવાકાર્યમાં એ પૂરતી ધગશ, સહિષ્ણુતા અને પ્રેમથી મો રહેશે. કેટલીક વાર તેને તેના યુગના લકે બરાબર ન ઓળખી–સમજી શકે એવું પણ બનશે, પણ તેથી તે ગભરાશે નહિ. તેને મુદ્દો વિશુદ્ધ રહેશે અને પોતાના સાધ્ય તરફ તે નિભયપણે આગળ ધપશે. સેવાભાવ, સાદુ જીવન અને નિર્ભયપણું એ ધીમે ધીમે એટલું ખીલવતે જશે કે એ લેકૈવણા વગર મોટા વર્ગને પિતાના વિચારના કરતે જશે. કીર્તિ–પ્રશંસાની વાત એવી છે કે તે માગનારને અને તેની પછવાડે દેડનારને ભાગ્યે જ મળે છે, જ્યારે તેની સ્પૃહા ન કરનારની પાછળ તે દેડે છે. એ પ્રશંસા સંબંધી નિરપેક્ષ તે નહિ રહે, પણ ખાસ તેની ખાતર કામ કરનાર નહિ નીવડે; તેથી ઘણું વાર તેના યુગમાં અને અસાધારણ દીર્ઘદૃષ્ટાના સંબંધમાં તેને પછીને આગામી યુગમાં ઘણી અને સાચી પ્રશંસા મેળવશે. આ તે એના સામાજિક જીવનને અંગે એની પ્રશંસા સંબંધી વાત થઈ પણ એના પિતાના વર્તનની છાપ તે એવી સુંદર પાડી શકશે કે એમાં મિનમેષ કદિ થશે નહિ, એના વિશાળ જીવનપ્રવાહમાં અનિષ્ટ તત્ત્વ દેખાશે નહિ એટલે અત્યારે વ્યવહારમાં લેપ્રશંસાનું જે લક્ષ્ય છે તેથી તે તે ઘણે આગળ નીકળી જશે અને તેના પ્રમાણિકપણે માટે, સત્યવાદી પણ માટે અને વિશ્વાસુપણું માટે તે તે ભારે નામના મેળવશે. એનું અંગત સદ્વર્તન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy