SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૯ મું ૨૫૩ આવશ્યકતા નથી. માત્ર એના સ્થાનને નિર્દેશ કરી એ વિચાર તરફ અત્ર ધ્યાન ખેંચી વિરમીએ. નવયુગ આ પંચાયત ફંડને અતિ મહત્ત્વનું સ્થાન આપશે અને એને વધારવા પૂરતા પ્રયત્ન કરશે. આ ફંડમાંથી સેવાભાવી કાર્યકરને પોષણ મળશે. આજીવન કામ કરનારા હવા ઉપર જીવી શકતા નથી એ નવા યુગના ધ્યાન પર આવશે. જે સમાજ સેવા માગે તે સેવા કરનારને સાદાઈથી પણ ખાવું પીવું અને રહેવું તથા પહેરવું પડે છે અને અખંડ સેવા સાથે આજિવિકા માટે પર ઉપર આધાર રાખ પડે એ પરસ્પર વિરોધી વાત છે. પ્રાચીનમાં સેવાભાવી નીકળતા હતા, પણ ત્યાં આજીવન કામ કરનાર બહુ અલ્પ અને ઘણે ભાગે વૃદ્ધ માણસે મળી શકતા. તેઓને આજિવીકાને પ્રશ્ન નહોતે. પિતાનું સાધન તૈયાર કરી કામ કરતા. તે વખતે કામ કરવાનાં ક્ષેત્રે પણ ઘણાં જ થોડાં હતાં, નવયુગમાં તે પાર વગરનાં ક્ષેત્રે ઉઘડતાં જશે, તેને પહોંચી વળવા સેવાભાવી યુવકેની ખાસ જરૂર પડવાની અને સમાજે તેમને નિશ્ચિત કરવા જ પડે. આ સંબંધી આખી વિચારણા જુદા જ પ્રકારની થઈ જશે. સેવાને આધાર સેવા કરનાર પર છે અને સેવા કરનારની એકલીનતા નિશ્ચિતતા પર નિર્ભર રહે છે. પાર વગરનાં પ્રચારકાર્ય અને જનસેવાના વિવિધ ક્ષેત્રોને અંગે આ આખી બાબત ખૂબ વિચારવા યોગ્ય રહેશે. આ પ્રાચીનને વિચાર આવી જાહેર સેવા કરવાને બદલે લેનારને “ધર્માદા દ્રવ્ય ખાવાના દહાડા આવ્યા” ગણી તેની ટીકા કરવા તરફ હતું. આ વિચારધારા અને નિર્ણય ચાલુ રહે તે સમાજસેવક કદી પ્રાપ્ત થાય જ નહિ. વધારે પડતા બદલે ન લે એ સમજી શકાય તેવી બાબત છે, પણ જાહેર દ્રવ્ય અખંડ સેવા કરનારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy