SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ પર નવયુગને જૈન, - - - - - - - આ સંબંધી નિયમસર પદ્ધતિસર પગલાં ભરવામાં આવશે અને રાષ્ટ્રભાવનાને પુષ્ટિ આપવા ઉપરાંત આખા વિશ્વની અનેક ગૂંચવણેને નિકાલ કરી, હિંસામય વાતાવરણ દૂર કરી, શસ્ત્ર અને વાયુયાનોની હરીફાઈ દૂર કરાવી, જગતને શાંતિના પાઠ પઢાવવામાં આવશે અને વિશ્વને વિચારવાતાવરણમાં જૈન બનાવવાના સફળ પ્રયત્ન કરવામાં આવશે. જે વસ્તુ પ્રાચીને અંદર અંદરના કલહમાં વિસરી ગયા હતા તેને અસલ સ્થાને લઈ આવવામાં આવશે અને રત્નચંદ્રસૂરિ અને હેમાચાર્યના જીવનસંદેશાને ફરી વાર જીવતા કરવામાં આવશે. પ્રત્યેક વસ્તીપત્રકમાં જૈન સંખ્યા ઘટતી જાય છે તેને બદલે કૂદકે ને ભૂસકે વધતી જશે અને નામની સંખ્યા કરતાં પણ વિચારમાં અને અંતસ્વરૂપે (સ્પિરિટમાં) જેને મોટી સંખ્યામાં વધતા જ જશે અને જૈન ધર્મને ઘંટા દિગંતમાં વાગતા જશે. જૈનેના સંખ્યાબળને પ્રશ્ન પ્રત્યેક પરિસ્થિતિમાં આવશે. ધાર્મિકમાં એ પર જરા ચર્ચા કરી છે. આગળ પણ આ જુદા જુદા રૂપમાં આવશે. મહાસભા–પરિષદ આ પ્રશ્નને ઘણું મહત્ત્વ સકારણ આપશે અને તેમ કરવામાં જનતાનાં ભવિષ્ય સુખ સગવડ શાંતિ ઉપર ખાસ નજર રાખશે. એ પ્રશ્નના નિકાલને અંગે કઈ જાતનું જેર કે જબરદસ્તી કરવામાં નહિ આવે. શાંતિથી પણ મક્કમપણે સંખ્યાબળ વધારવાના મુદ્દામ પગલાં સમસ્ત જૈન કેમ સંગઠિત થઈને લેશે. પંચાયત ફંડ-સાધારણ ભંડોળ સામાજિક પરિસ્થિતિની વિચારણામાં પંચાયત ફંડની જનાને મુખ્ય સ્થાન છે. ધર્મવિચારણામાં એ વિષય પૃ. ૧૮૩– ૮૮ માં વિચારાય છે તેથી અત્ર તેનું પુનરાવર્તન કરવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy