SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ – પ્રકરણ ૨૦ મું ૨૬s જૈન વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટ) પણ તરતમાં નવયુગ સ્થાપશે. જૈન સંસ્કૃતિને કેંદ્રિત કરવા અને દુનિયાના મહાન વારસાને જાળવી રાખવા વિશ્વવિદ્યાલયની જરૂરીયાત નવયુગ તરતમાં જોશે. તેમાં આત્મત્યાગી, સેવાભાવી, મધ્યમકક્ષાના જૈન યુવકરને અનેકદેશીય કાર્ય કરી વિશ્વને ચમત્કાર ઉપજાવશે અને કેમીયભાવના ઉત્પન્ન ન કરતાં વિશ્વબંધુત્વને વિસ્તાર આદકરીતે કરશે. શિક્ષણની અનેક શાખાઓનું ત્યાં મીલન થશે. ઇતિહાસ ભૂગોળ અને ગણિત તથા તિષ, નાટક અને છંદ, કાવ્ય અને ન્યાય આદિ અનેક વિષયોની ભારે પ્રગતિ કરવાની કેન્દ્રસંસ્થા આ વિશ્વવિદ્યાલય થશે અને તેમાં અનેક છાત્રવૃત્તિઓ, માન્યતને અને ભાષણ–શોધખોળ આદિની યેજના થશે એ સંસ્થા સર્વ ધર્મને સમન્વય કરી બતાવશે અને મુંઝાતી દુનિયાને અનેક રીતે માર્ગદર્શક થઈ શાંતિ ભ્રાતૃભાવ અને વ્યવહારૂતાને વિસ્તારશે. આ વિશ્વવિદ્યાલયને અંગે સ્થાનિક વિદ્યાલય (કેલેજો) વિગેરે સર્વ યોગ્ય વ્યવસ્થા નવા બંધારણથી અને નૂતન પદ્ધતિએ નવયુગ કરશે. એના કાર્યમાં સેવાભાવી અનેક જૈને ઉત્સાહથી ભાગ લેશે અને પરોપકારી સાધુઓ અને સેવાથી, ભાષણોથી, ઉપદેશથી અને પ્રેરણાથી નવાજશે. આ વિશ્વવિદ્યાલયના કાર્યમાં ધનવાન વર્ગ બહુ રસ લેશે, પણ એની આંતરવ્યવસ્થા તેને તોને (એકસપર્ટીને) સેપી દેશે. નવયુગના બે વિશિષ્ટ ગુણે વ્યવસ્થા અને શિસ્ત થશે. તેને ઉદ્ભવ આ વિશ્વવિદ્યાલયમાંથી થશે, તેને પિષણ કેલેન્જ આપશે અને તેને નવયુગના યુવકે અને યુવતીઓ વહન કરશે. કેળવણી મંડળ સમસ્ત જૈન કેમની કેળવણી વિષયક નીતિ મુકરર કરવા અને તેને યોગ્ય વિચાર વાતાવરણ ફેલાવવા “કેળવણી મંડળ થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy