SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫ મું નવયુગમાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા નવયુગમાં ધર્મક્ષેત્રને અંગે સાધુસાધ્વી અને શ્રાવકશ્રાવિકાની શી સ્થિતિ રહેશે તેનું સંક્ષિપ્ત નિવેદન નવયુગ નીચે પ્રમાણે રજૂ કરે છે: સાધુ: બે પ્રકાર નવયુગને સાધુ: એના બે પ્રકાર રહેશે. એક આત્મસાક્ષાત્કાર કરવા પાછળ લાગેલા યેગી જેવા. તેનું નામ આત્મપરિણતિમત અને તેને પરિચય જંગલ સાથે વિશેષ. તે આહાર માટે વસ્તીમાં આવશે, પણ જનતા સાથે તે બહુ અલ્પ સંબંધ રાખશે. એની આસપાસ શાંતિનું વાતાવરણ જામશે અને તે બહુધા મૌન રહેશે. પ્રસંગે ઉપદેશ આપશે તે આત્મજ્ઞાન સંબંધી. એને અંતરાત્મા સાથે વધારે સંબંધ રહેશે. એ યોગને પુનરુદ્ધાર કરશે, પિતાના તપ અને ત્યાગના દષ્ટાંતથી જગતને પવિત્ર કરશે અને આશ્ચર્યચકિત કરશે. એને ધૂન ધ્યાનની, જપની, અંતરલયની લાગશે અને દુનિયાની નજરે તે અવધૂત જણાશે. આવા પ્રકારના સાધુ વિરલ થશે, પણ થશે ખરા. થશે ત્યારે જનતાને ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy