SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ નવયુગને જૈન * * * * * * * * - - - • • - • • દાખલા તરીકે રૂને વ્યાપાર કરનારે એની ઉત્પત્તિનાં સ્થાનોની ભૂગોળ, એ પ્રત્યેકમાં થતા રૂના પ્રકાર, એ રૂની જાતેની વિવિધતા, એની હાથપરીક્ષા, વેચવાનાં ક્ષેત્રે, તેની ભૂગોળ, તેને ખપ અને આ સર્વ સંબંધી અનેક વર્ષોના આંકડાઓ, પાક પર હવાની અસર, પાકમાં થતી જીવાત આદિ અનેકાનેક બાબતે ટૂંકામાં પણ મુદ્દામ રીતે જાણવી જોઈએ. એ ઉપરાંત ઘરાકને સમજાવવાની રીત, વ્યાપારની જુદી જુદી પદ્ધતિઓ, નાણાંની જોગવાઈને વ્યાપાર સાથે સંબંધ, આબરૂ (ક્રેડિટ) જાળવવાની–વધારવાની રીતિઓ, ગૂંચવણ વખતે - રસ્તા કરવાની બારીકીઓ અને મીઠાશથી મુદ્દાસર હસીને વાત કરવાની આવડત પર ખૂબ અભ્યાસ કરવો જોઈએ. આ પ્રમાણે એક વ્યાપારી થઈ શકે. વ્યાપારી થવું એટલે કેાઈ જાતની તૈયારી વગર ગાદી ઉપર બેસી જવાથી વ્યાપારી થવાતું નથી. આવડત અને અભ્યાસ વગર લાખની પૂજી શૈડાં વર્ષમાં બેઈ બેસવાના અનેક દાખલાઓ બની ચૂકેલા છે અને હરિફાઈના આ યુગમાં કોઈ મહેરબાની કરીને ખટાવી જશે એ આશા રાખવી નિરર્થક છે. અત્યારે તે લેકેને જોઈએ તે ચીજો પૂરી પાડવાની તાલીમ, જનસ્વભાવને અભ્યાસ અને વિજ્ઞાનનું પિતાના ધંધા પૂરતું જ્ઞાન હેય તે જ નભી શકાય તેવું છે. આ સર્વ વાત નવયુગ જોઈ જાણી વ્યાપારી કેળવણી માટે અનેક દિશાએ યોજના અને અમલ કરશે, સારા વ્યાપારી પાસે ઉમેદવારને અભ્યાસ કરવા મૂકશે, રાત્રિશાળાઓ કાઢી ત્યાં નાણવિષયક દક્ષે આર્થિક વિષયમાં ભાષણ અપાવશે, હિસાબી શાન માટે રાત્રિશાળાની દેશી અને પાશ્ચાત્ય બને રીતિને અંગે વ્યવસ્થા કરશે અને પારિભાષિક વિષયોને અંગે વ્યાપારી મહાવિદ્યાલયની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy