SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ------ --- પ્રકરણ ૧૭ મું २०६ શ્રીમાળીની જ્ઞાતિમાં અત્યારે માત્ર ગુજરાત કાઠિયાવાડમાં ચૌદ અલગ વિભાગે છે તે પ્રથમ જોડાશે. ત્યાર પછી દશાવીશાને ભેદ ટળશે. પછી ઓશવાળ, શ્રીમાળી, પિરવાડ સર્વને ભેદ જઈ વણિક જૈન કન્યા આપતા લેતા થશે. ધીમે ધીમે સુધારા કરનારાઓને આ મત છે. આ હિસાબે કન્યાના છૂટથી લગ્ન થવામાં ઓછામાં ઓછા સે વર્ષ લાગે, અને સો વર્ષની આખરે વાણિયાઓમાં પરસ્પર લગ્ન વ્યવહાર થઈ શકે એવી સ્થિતિ કપી શકાય. વધારે માનસશાસ્ત્રના અભ્યાસી અને પશ્ચિમના સંસ્કારને સમજનાર અને પચાવનાર વિચારકેને મત એ છે કે નવયુગમાં એક સપાટે હલ્લે થશે. સુધારાઓ ભાઈ બાપુ કરીને થતા નથી. એમ કરતાં તે જમાનામાં પસાર થઈ જાય અને દરમ્યાન અનેક નિર્દોષના ભોગ અપાઈ જાય. સુધારા બળવાથી જ થાય છે. અને જ્યારે વાત મૂળથી બેટી લાગે છે અને દીકરીને જન્મ જ સુધારે છે તે પછી અર્થ વગરની મર્યાદા શા માટે ઘડીભર પણ ચલાવવી જોઈએ? એક વસ્તુને ત્યાજ્ય જાણ્યા પછી તે તે ખાતર સહન કરવું પડે તે થોડી અગવડ વેઠીને પણ વાતને ફેરવી નાખવી ઘટે અને નવયુગમાં જ્યારે જવા આવવાનાં સાધને માત્ર રગશિયાં ગાડાં નહિ પણ રેલવે મોટર અને વાયુયાન થયાં છે તેવા વખતમાં સોળમી સદીના સ–મુસલમાન યુગના રિવાજે કેમ ચલાવી લેવાય? અને કેમ ચલાવવા દેવાય? ટૂંકામાં આ વર્ગને નિર્ણય કન્યાને ગમે તે જૈન ધર્મ માનનારને આપી શકાય તેવો રહેશે. એને ધર્મ માટે જરૂર ગૌરવ રહેશે, એ પિતાની કન્યાને અન્ય ધર્મી સાથે લગ્ન કરતી ઇચ્છશે નહિ, પણ સરકારી માનવયસ્કને આ બાબતમાં પૂરતી છૂટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy