SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ - - - નવયુગને જૈન એટલે શું રમવાનાં રમકડાં છે? કે એ તે કાંઈ બચ્ચાના ખેલ છે? અને વૃદ્ધો તે કેટલી વાર પરણે? અને ક્યાં સુધી પરણ્યા જ કરે? આ બન્ને બાબતને એકદમ છેડે આવી જશે. ચાળીશ વર્ષની વય પછી કોઈ કુમારી કન્યાને પરણી શકે નહિ અને પુરુષના લગ્ન પહેલાં ઓછામાં ઓછી તેની વય વીસ વર્ષની તે હેવી જ જોઈએ એ અત્યારના શરીરબંધારણ અને કેળવણુને અનુરૂપ બાબત ઠરાવવામાં આવશે. વિધવાશ્રમ ઉક્ત ઠરાવથી વિધવાઓની સંખ્યા ઘણી ઓછી થઈ જશે. છતાં વિધવા ન થાય એમ તે ન જ કહેવાય. યુવાન માણસો પણ અનેક મરે છે અને વિધવા પૈકી જે ભરજુવાનીમાં હોય તેને જ પ્રશ્ન આગળ આવે છે. તેમની શક્તિને રોકવા અને તેને ઉપયોગ કરવા વિધવાશ્રમે ઠામઠામ સ્થાપવામાં આવશે. એ આશ્રમોમાં વિધવાને અપૂર્ણ કે અધૂરી રહેલી કેળવણી પૂરી કરાવવામાં આવશે. ત્યાં એને જનસેવાના અનેક કાર્યો શીખવવામાં આવશેઃ બાળઉછેર, માંદાની માવજત, સ્ત્રીઓની કેળવણી, પ્રતિકાર્ય, અકસ્માત સમયે તાત્કાલિક મદદ, આરોગ્ય (સેનિટેશન) આદિ અનેક ઉપયોગી સેવાશ્રયી કાર્યનું તેને શિક્ષણ આપવામાં આવશે. આને લઈને જે વિધવા બહેનેને શક્તિ હેવા છતાં સેવાને અવકાશ ન મળતું હોય તેને અનેક દિશાઓ ખુલ્લી કરવામાં આવશે. આ તે સાધનસંપન્ન વિધવાઓને પાલવે. સાધન વગરની વિધવાઓને શીવણ, ભરત, ગૂંથણકામ, સાંચાકામ, વાંસકામ, વણાટકામ આદિ અનેક ઉદ્યોગો શીખવવામાં આવશે. દરેક ઉદ્યોગમાં એક બાબતનું ખાસ લક્ષ્ય રાખવામાં આવશે અને તે એ કે તેમાં નિષ્ણાત થયેલ વિધવા સાધનહીન હોય તે તે ઓછામાં ઓછું ઘરમાં રહીને ઉદરનિર્વાહ જેટલું રળી શકે. ગૃહ ઉદ્યોગની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy