SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૯મું ૨૪૭ રખડશે.” એટલી હદ સુધીની અધમ વૃત્તિ બોલવામાં પણ આવી ગઈ. અને વડીલે મોટેરાઓ અને પટેલિયાઓ પ્રત્યેકને મરણ વખતે અતિ ગંભીર ચહેરે ગળપાપડી દાબવાની અને યથાશક્તિ વરે કરવાની સલાહ આપવા લાગ્યા; સલાહમાંથી એ ફરજ થઈ અને વાત વધતાં કાંઈ મર્યાદા કે વિવેક ન રહ્યો. નવયુગ આ આખી પ્રથાને મૂળમાંથી ઉછેદી નાંખી કઈ પણ આકારમાં કોઈ પણ મરનાર માટે - પછી તે વૃદ્ધ કે યુવાન કે બાળક હોય કે તે સ્ત્રી કે પુરુષ હોય – સર્વને માટે જમણ બંધ કરી દેશે. મરણ વખતે કે મરણને ઉદ્દેશીને મીઠાઈ ઉડે એ વાતને તેમની નજરમાં વદતિ વ્યાઘાત લાગશે. આ બાબતમાં કઈ પ્રકારને અપવાદ કરવામાં આવશે નહિ અને કેઈ એને મન મનાવવા ખાતર ધાર્મિક આકાર આપવા માગશે તે પછી એને એના સાચા આકારમાં ઓળખી એમાં અક્કલમાં ઉતરે તેવો કોઈ પણ જાતને રસ્તે કરવામાં આવશે. મરણ નિમિત્તે કઈ પણ પ્રકારનાં જમણ નવયુગમાં થઈ શકશે નહિ. લાજ રીતરિવાજના પ્રશ્નો પૈકી એક સવાલ સ્ત્રીએ ઘુમટે તાણે છે એ બાબત છે. એ રિવાજનું મૂળ શું હશે તે સમજાતું નથી. અસલના કેઈ પણ ગ્રંથમાં સ્ત્રીઓ લાજ કાઢે કે બુર એાઢે એવું જોવામાં આવતું નથી. ગૂજરાતી રાસોમાં કવચિત્ એ. ભાવ આવે છે તે રાસના કર્તાના સમયની છાયા છે. મૂળ સંસ્કૃત પ્રાકૃત ચરિત્રમાં ઘુમટાની વાત આવતી આ લેખકના ધ્યાનમાં નથી. સ્ત્રીઓમાં શરમાળપણું હોય છે, પણ એ જાહેરમાં જાય ત્યારે ઘુમટ કાઢે એવું પૂર્વગ્રંથોમાં હોવાનું સ્મરણમાં નથી. જે પ્રજા સ્ત્રી જાતિની સત્કીર્તિમાં માને, જે એને અર્ધગના પદ આપે, જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034566
Book TitleNavyugno Jain
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJyoti Karyalay
Publication Year1936
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy