Page #1
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાધ્યાય
શ્રી સોહનવિજયજી
HQC152
Page #2
--------------------------------------------------------------------------
________________
{{{{*(P1) |
* Bi (v) to 1/ SHIPPI -
#$}} {{ v !{} be fus!•• •
...
| | | | | | | |
સંદેશ
યાદ છે સમાધિમંદિરની સભા ! યાદ છે એ ગમગીન દિન! યાદ છે એ ક્રમ વીરનાં સ્મરણેા ! ચાદ છે એ ગુરુવર્ય ની ભાવનાઓ અને કાર્યો !
ચાદ છે ગુરુદેવ શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વજીએ ઉચ્ચારેલાં વચના
“આજે આપણી વચ્ચેથી એક સિતારા અદ્રશ્ય થયા. તેમણે પુજાબ ગુરુજ્જુળની સમુન્નતિ અને જાતિ સંગઠન—આ બે કાર્ય સમાજને ચરણે ધર્યાં છે. એ બહાદુર વીરે એકલાએ આટલી હિંમત આંધી આટલું કામ કરી બતાવ્યું. શું આપણે બધા મળી સમાજના કલ્યાણનાં એ એ કામ નહિ કરીએ.”
Page #3
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાધ્યાય
[ સ્વ. ઉપાધ્યાય શ્રી સેહનવિજયજી,
મહારાજની જીવનરેખા ]
: પ્રયોજક , ફુલચંદ હરિચંદ દોશી
મહુવાકર
પ્રકાશક : મંત્રીઓ: શ્રી. આમાનંદ જૈન સભા,
મુંબઈ. મૂલ્ય : સદુપયોગ
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૦૦
૧૦૧
ܙܙ
૧૧
પા
૧૦૦
૧૦૩
tat
સહાયકા
રોડ કેરાવલાલ નાન ૢ ધરમશી મુકાદમ મુંબઈ લાલા હંસરાજજી સૂરતરામજી જૈન સાઢારા
( લઘુખ' લા. દીપચંદના લગ્નની ખુશાલીમાં ) લાલા રતનચંદજી રીખભદાસજી ગદહીપા હુશિયારપુર
( લઘુમ લા. સાગરચદ્રજીના લગ્નની ખુશાલીમાં) લાલા મુન્શીરામજી તિલકચ’દજી જૈન મુન્હાણી ગુજરાનવાલા લાલા ધનપતરામજી વિલાયતીરામજી લુધિયાના ( લા. વલ્લભદાસના વિવાહ (સગાઇ)ની ખુશાલીમાં ) લાલા સુંદરદાસજી મહેરચંટ્ટજી ખરડ ગુજરાનવાલા એ ગૃહસ્થ–પાલેજ : આચાર્યશ્રી વિજયલલિતસૂરિજીના
સદુપદેશથી શ્રાવિકાસ'ધ : પ્રતિની-સાધ્વીજી શ્રીદેવશ્રીજીના સદુપદેશથી શ્રી શેડ રતિલાલ વર્ધમાન, વઢવાણ કેમ્પ
વીર સ. ૨૪૬
આત્મ સ. ૪૬
પ્રકાશક : શ્રી હીરાભાઈ રાયચ'દ મલબારી
વિક્રમ સ, ૧૯૯૮ ઈસ્વી સન ૧૯૪૨
શ્રી વાડીલાલ જેઠાલાલ સાહ ઃ મ`ત્રીઓ. શ્રી આત્માનઃ જૈન સભા ગાડીની ચાલ, પાયની, મુબઈ ર ભાવનગર
મુદ્રક : મણિલાલ કલ્યાણદાસ પટેલ, શ્રી સૂર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસ પાંચકુવા દરવાજા અમદાવાદ
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
॥ श्री मोज पलमरिना शिष्य ।
पन्यास कति विजयजी महाराज ॥
મરુભૂમિઉદ્ધારક, પ્રખર શિક્ષાપ્રચારક આચાર્યશ્રી વિજયલલિતસૂરીશ્વરજી.
Page #7
--------------------------------------------------------------------------
________________
સમર્પણ
પંજાબ કેસરી, શાશનશિરોમણી સમાજઉદ્ધારક, શિક્ષણ સંસ્થાઓના સંસ્થાપક આચાર્યશ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજી
શિષ્યરત્ન મભૂમિઉદ્ધારક, શિક્ષા પ્રચારક
ગુરુભકત, શાસનસેવક શ્રી વિજયલલિત સુરીશ્વરજી ના કરકમળમાં
તેમનાજ. આત્મપ્રિય લઘુબંધુ ધર્મવીર ઉપાધ્યાય શ્રી સેહનવિજયજીની જીવનગાથા
સમ સમર્પિત
Page #8
--------------------------------------------------------------------------
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
14
ન્યાયભેાનિધિ જૈનાચાય ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદ સુરીશ્વર આત્મારામજી ’મહારાજ,
"
Page #11
--------------------------------------------------------------------------
________________
એ બાલ
આત્માનઃ જૈન ગુરુકુળ માટે યાજના અને કાયને વિચાર કરવા હું. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી પાસે ગુજરાનવાલા ગયે ત્યારે ચરિત્રનાયક બિમાર હતા. અને ગુરુકુળની શરૂઆત વખતે તે એ ધર્માવીર સ્વર્ગે સંચરેલા. તેમનાં કાર્યો અને ગુરુકુળ માટેની ઝંખના વિષે ગુરુકુળમાં વાતે ચાલતી. ગુજરાનવાલાના ભાઈ એ અને પંજા
ને શ્રીસવ ઉપાધ્યાયજીને પ્રસંગે પ્રસંગે યાદ કરતા હતા. પણ હુ છ વર્ષ ગુરુકુળમાં રહ્યો તે દરમિયાન ઉપાધ્યાયજીના સંકલિત જીવનચરિત્ર વિષે કશું થઈ શકયું નહિ. પણ પાંચ વર્ષ પહેલાં તેમનું હિન્દી જીવનચરિત્ર વાંચી એ કર્મવીર માટે ભારે સન્માન થયેલું. તેમના જીવનના પ્રસંગે। રામાંચ જેવા લાગ્યા અને તેમની જીવનગાથા ગુજરાતીમાં નવીન દ્રષ્ટિએ આલેખવાની મને સ્વયંભૂ ઈચ્છા થઈ આવી.
ગુરુભક્ત પં. શ્રી સમુદ્રવિજયજી મહારાજશ્રી તે। ગુરુના પગલે ચાલનારા અને સમાજ તથા ધર્માંની ઉન્નતિ માટે દિવસ રાત પરિશ્રમ કરનાર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના ચરણમાં અવિરત સેવાભાવે રહેનારા હેાવાથી આચાર્ય શ્રીની અનુજ્ઞા મેળવી મને જીવનચરિત્ર માલેખવા જણાવ્યું.
[
Page #12
--------------------------------------------------------------------------
________________
ગૃહપતિના જવાબદારી ભર્યા કાર્યમાં તે વખત મળે જ કયાંથી ! પણ રજામાં તેમજ બીજે છેડે થોડો સમય મેળવી ગૂજરાતી જનતા સમક્ષ “ધર્મવીર ઉપાધ્યાય” ધરવા ભાગ્યશાળી થયો છું.
પણ આ પ્રકાશનને યશ તે એ ગુરુભક્ત પંન્યાસજી મહારાજશ્રી સમુદ્રવિજયજીનેજ ઘટે છે. જીવનચરિત્ર તૈયાર થયું પણ છપાવવા માટેની ચિંતા થઈ. તે માટે તેમણે ઉપદેશ આપ્યો અને કેટલાક ગૃહસ્થાએ તે માટે સહાયતા કરી. તે બધા પણ હાદિક ધન્યવાદને પાત્ર છે.
આ પુસ્તકના પ્રકાશનમાં મારા લઘુબંધુ સમા ભાઈશ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ (જ્યભિખુ) ને ઘણા સારે ફાળો છે. સુશોભન તથા મુફ વગેરે માટે હું તેમને ઋણી છું.
આ ચરિત્રનાયક ખરેખર પ્રખર સેવાભાવી અને ધર્મધુરંધર હતા. આજે તેવા ત્યાગીઓની જૈન સમાજને બેટ છે.
સાધુ સમાજના સ્થભ જૈન સમાજની આજની દુર્દશા, અજ્ઞાનતા, કુસંપમય વાતાવરણ અને દરિદ્રતા ક્યારે વિચારશે ! સમાજના કલ્યાણ અને ઉદય વિના કોઈ ધર્મ વિકાસ પામ્યો જામ્યો છે! ધર્મનાં કલ્યાણમય કામો સમાજના વિકાસની દષ્ટિએ થવાં જરૂરી છે.
શેઠ ચીમનલાલ નગીનદાસ
વિદ્યા વિહાર એલિસબ્રિજ, અમદાવાદ જ્ઞાનપંચમી, સંવત ૧૯૯૮
ફુલચંદ હરિચંદ દોશી
૪]
Page #13
--------------------------------------------------------------------------
________________
ચરિત્રનાયક ધર્મવીર ઉપાધ્યાય
શ્રી સેહનવિજયજી
Page #14
--------------------------------------------------------------------------
Page #15
--------------------------------------------------------------------------
________________
નિવેદન
આનંદને વિષય છે કે આજ ચાર વર્ષ પછી મારી અને આદર્શ ઉપાધ્યાયના ભક્તગણ તથા પાઠકગણની ભાવના સફળ થઈ.
ચાર વર્ષ પહેલાં જ્યારે હિન્દી ભાષામાં “સાવ જurn' પુસ્તક પ્રકાશિત થયું ત્યારે મને આનંદ થયે હતે. પણ ગૂજરાતી જનતા અને ગુજરાતના ભાઈબહેનને માટે ગૂજરાતી ભાષામાં પુસ્તક પ્રકાશિત કરવા મારી ઈચ્છા ઘણા સમયથી હતી. ગુજરાતમાં આવ્યા ત્યારે તે તે માટે ઘણા ભાઈબહેને એ માટે અનુરોધ કર્યો અને આજે તે પ્રકાશિત થતું જોઈને કેને આનંદ નહિ થાય!
ચરિત્ર વાંચવાથી જોઈ શકાશે કે ઉપાધ્યાયજી મહારાજ ખરેખર એક આદર્શ ઉપાધ્યાય હતા. તેઓશ્રીએ જૈનધર્મની ઉન્નતિ માટે, જૈનધર્મના ગૌરવને માટે અને જૈનધર્મના સિદ્ધાન્તના પ્રચારને માટે નથી ઈરાત કે નથી જે
[સાઈ
Page #16
--------------------------------------------------------------------------
________________
દિવસ, નથી ગરમીના વિચાર કર્યા કે નથી શરદીની પરવા કરી, નથી ભૂખની પરવા કરી કે નથી આરામની પરવા કરી. કેવળ ધહિતના કાÜમાં મગ્ન રહેતા હતા.
હિન્દુ કે મુસલમાન, બ્રાહ્મણ કે ક્ષત્રિય, રાજા કે રક કાઈપણ એક વખત તેમના સમાગમમાં આવતા, તેમનાં પ્રભાવશાળી વ્યાખ્યાન સાંભળતા, તે તરતજ તેમના ભક્ત બની જતા. હિન્દુ-મુસલમાન બધાએ મળીને તેમના ગુણુ ગાયા; કસાઈ ભાઈ એ પણ બહુ જ આદરભાવપૂર્વક માનપત્ર સમર્પણ કરીને શ્રદ્ધાના ફૂલેાથી તેમનું સન્માન કર્યું.
ઉપાધ્યાયજી મહારાજના સ્વર્ગવાસથી કેવળ જૈનસમાજને હાનિ થઈ છે એમ નથી, પણ અજૈન સમાજને પણ ભારે ખેાટ પડી છે. આજસુધી તે બધા ભાઈ એ ‘સાહનબાબાકી કયા ખાત કરની ?' આ પ્રમાણે કહીને પેાતાના ખેદ દર્શાવે છે.
'
સ્વસ્થ ઉપાધ્યાયજી મહારાજમાં વિશેષ ઉલ્લેખ કરવા ચેાગ્ય ગુણ તે એ હતા કે તે અનન્ય ગુરુભક્ત હતા. ગુરુભક્તિમાં તે કદી પાછા નથી હત્યા. ગુરુ—આજ્ઞાં શિરાધાય કરવામાં તેઓ સદૈવ તત્પર રહેતા હતા. ગુરુ કાને માટે તેઓ કષ્ટોની પણ પરવા નહાતા કરતા.
ગુરુદેવ ઉપાધ્યાયજી મહારાજની અંત સુધી અરિચિત અનાય દેશમાં પણ પવિત્ર જૈનધમ'ના પ્રચારની અને ત્યાંના લેાકેામાં ધમ ભાવના જાગૃત કરવાની સુંદર ભાવના હતી. જ્યારે ગુજરાનવાલામાં શ્રી આત્માનંદ જૈન મહાસભા
STS ]
Page #17
--------------------------------------------------------------------------
________________
પંજાબનું અધિવેશન થયું ત્યારે પંજાબભરના લોકે તેમાં ભાગ લેવા આવ્યા હતા. તેમાં મુસલમાન ભાઈએ પણું હતા. તેઓએ ઉપાધ્યાયજી મહારાજને મુલતાન પધારવાની જોરદાર પ્રાર્થના કરી. આ વખતે તેઓ નવપદજી આરાધના નિમિત્ત મૌન રાખતા હતા, પણ તેમણે પત્ર પર લખીને પિતાના વિચારો પ્રગટ કર્યા તે આજે પણ યાદ આવે છે.
“ભાઈઓ! તમારી પ્રાર્થના મને શિરોધાર્ય છે. હું તે મુસાફર છું. મારે કામ કરવું છે સમાજ ઉત્થાનનું રાષ્ટ્રની જાગૃતિ અને અહિંસા ધર્મનું. કરાંચીથી ઘણું વખતથી આમંત્રણ આવ્યા કરે છે. તે પ્રદેશમાં સાધુઓને વિચરવાની અત્યંત આવશ્યકતા છે. કારણ કે ત્યાં લોકો અધિક સંખ્યામાં માંસાહારી છે. તે લોકોને માટે તો જીવને વધ કરે તે શાકભાજી સમારવા બરાબર છે. આજ કારણે તે પ્રદેશના લકે માં અહિંસા ધર્મને પ્રચાર કરવાની અને તે લોકોના કઠોર, નિર્દય હૃદયમાં દયાના ભાવ પૂરેપુરા ભરવાની અત્યંત જરૂર છે. આથી મારો ઇરાદે તે તરફ છે. તે તરફ જતાં હું મુલતાન આવીશ.”
આ ઉપરથી જાણી શકાય છે કે ઉપાધ્યાયજી મહારાજની કેવી ઉચ્ચ ભાવના હતી.
અહિંસાને પ્રચાર, અનાર્ય દેશોમાં વિહાર, દયાભાવ ફેલાવવાની તમન્ના અને ધર્મની જાગૃતિ માટેની કેવી ધૂન હતી એ આ ઉપરથી જોઈ શકાય છે. પણ દુઃખ-મહા દુઃખ થાય છે કે કુદરતને તેમના જેવા મહાત્માના જલદી જરૂ૪
नव
Page #18
--------------------------------------------------------------------------
________________
પડી હશે સ્વર્ગમાં પ્રચાર કરવા તેમને તે ઉપાડી ગઈ અને સમાજને ઉદાસીન બનાવી દીધે.
ગુરુમહારાજનું આયુષ્ય દીધ હેત તે જરૂર ગુરુદેવ અનાર્ય દેશમાં ધર્મપ્રચાર કરી શક્યા હતા. શ્રી ઉપાધ્યાયજી મહારાજની સરળતા પણ વિશિષ્ટ પ્રકારની હતી. કઈ કઈ વખત કેઈની સાથે બોલચાલ થઈ હોય, મન દુઃખ થયું હોય, કેઈને ઊંચે સાદે કહેવાઈ ગયું હોય, પિતાના શિષ્ય પ્રતિ પણ કદી કંઈ આકરાં વચને કહેવાયાં હોય તે પિતે બહુ ખિન્નતા પામતા અને તરત ક્ષમાપ્રાર્થના કરી લેતા.
અંત સમય પહેલાં જ્યારે તેમને લાગ્યું કે હવે જવાની તૈયારી છે ત્યારે બધાને બોલાવી પિતે ખમતખામણાં કર્યો, એટલું જ નહિ પણ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય કમલસૂરિજી સાહેબ, પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજી મહારાજ, શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજ આદિ મુનિ મહાત્માઓને પિતાની તરફથી ખમતખામણના પત્રો ગુરુદેવ મારફત લખાવ્યા.
તેઓશ્રીના શુદ્ધ હૃદય તથા ભદ્રિકતાના પ્રતાપથી ગ્રહસ્થ તે શું પણ ઘણાય મુનિ મહાત્માઓ પણ ગુણાનુરાગી બની જતા. વિ. સં. ૧૯૬–ા વર્ષમાં શ્રી ગુરુદેવની આજ્ઞાથી ઉપાધ્યાયજી મહારાજશ્રી સિદ્ધાચળજી તીર્થની યાત્રા કરવા જઈ રહ્યા હતા. ત્યારે કાઠીઆવાડના રાણપુર નામના ગામમાં ગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગરસૂરિજીના પટધર
Page #19
--------------------------------------------------------------------------
________________
આચાય શ્રીમદ્ અજિતસાગરસૂરિ સાથે તેઓના મેળાપ થા. માત્ર એક જ દિવસ સાથે રહેવાના પ્રસંગ મળ્યા હતા, પરંતુ ઉપાધ્યાયજી સાથે ધાર્મિક વાર્તાલાપ કરીને તેમને બહુજ આનંદ થયા હતા અને તેઓ ઉપાધ્યાયજીના ગુણા નુરાગી બની ગયા હતા. પછી તા કેાઈ વખત મળ્યાના પ્રસ`ગ નહાતા આવ્યા પણ તેઓને ઘનિષ્ઠ સંબંધ જળવાઇ રહ્યો હતા. જ્યારે ઉપાધ્યાયજીના સ્વર્ગવાસના સમાચાર તેમણે સાંભળ્યા ત્યારે તેમને ભારે ખેદ થયેા. પેાતાના Àાક પ્રગટ કરવાને માટે તેમણે ગુરુમહારાજની એ સ્તુતિ ખનાવીને ‘આત્માનંદ પ્રકાશ' માં પ્રકાશિત કરાવી હતી.
પ્રાન્તે આ સુંદર પુસ્તક જનતાના હાથમાં સેાંપાય છે. આ પુસ્તકના પૃષ્ઠ પૃષ્ઠ માંથી ગુંજી રહેલા અવાજ સહુ સાંભળે અને જાગ્રત અને !
પંજાબને પ્રાર્થના
યાદ છે સમાધિમંદિરની સભા ! યાદ છે એ ગમગીન દિન ! યાદ છે એ કમ વીરના સ્મરણેા ! યાદ છે એ ગુરુવર્ય ની ભાવનાઓ અને કાર્યો !
યાદ છે ગુરુદેવ શ્રીમદ્ વિજયવલ્લભસૂરિશ્વરજીએ ઉચ્ચારેલાં વચના—
“ આજે આપણી વચ્ચેથી એક સિતારા અદ્રશ્ય થયા. તેમણે પંજાબ ગુરુકુળની સમુન્નતિ અને જાતિ સંગઠન-આ એ કાર્ય સમાજને ચરણે ધર્યા છે. એ બહાદુર વીરે એકલાએ આટલી હિં‘મત ગાંધી આટલું કામ કરી બતાવ્યું. શું આપણે [ अगियार
Page #20
--------------------------------------------------------------------------
________________
બધા મળી સમાજના કલ્યાણનાં એ કામેા નહિ કરીએ. !’’
મહાનુભાવે ! આ વચને યાદ કરી. હૃદયપટ પર સાનેરી અક્ષરેએ લખીને કટિબદ્ધ થઇ જાએ. મેદાનમાં કૂદી પડો અને કાર્ય કરી બતાવેા. હું પણ તમને સહુયેાગ આપવા તૈયાર છું. ‘હિમ્મતે મર્દા તે મદદે ખુદા' યાદ કરા. પંજાબીવીર ! ચાલે! ગુરુદેવના સંદેશને પૂરા કરે. પુજામદ્વારા આખાએ જૈનસમાજની ઉન્નતિ સાધવાની ભાવનાથી જ્યાતિ જગાવા, સમાજનું કલ્યાણુ સાધવા સકલ્પ કરે. સેવાની મશાલ ધરા. અને આપણે ઋણમુક્ત થઇએ.
C
વયેાગી શિષ્ય સમુદ્રવિજય
Page #21
--------------------------------------------------------------------------
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રમ વિંય
પંજાબ કેસરી શાસનશિરોમણિ આચાર્યશ્રી
વિજયવલ્લભસૂરીશ્વરજી
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રી. આત્માન૬ જૈન સભા મુંબઈ
પૂજ્યપાદ આચાર્ય ૧૦૦૮ શ્રી. વિજયાનંદસૂરીશ્વરજી ( શ્રી. આત્મારામજી) મહારાજના નામથી ભાગ્યે જ કાઈ અજાણ હશે. આ ગુરુદેવના ઉપકાર જૈન સમાજમાં અનહદ છે. પંજાબમાં તેઓશ્રીના ઉપકાર તે મહાન છે. આવા મહાન ઉપકારી મહાત્માના નામથી પૂજાબમાં ઠેરઠેર સંસ્થાએ છે. કાઇ સ્થળે શ્રી આત્માનંદ જૈન સભા તે ફ્રાઈ સ્થળે શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ, તા કાઈ ઠેકાણે શ્રી આત્માનંદ જૈન લાયબ્રેરી. અને વળી કાઈ ઠેકાણે શ્રી વિજયાનંદસૂરિ જૈન મંડળ, નામની સંસ્થાએ છે તેવીજ રીતે શ્રી જૈન આત્માનંદ સભા ભાવનગરમાં પણ છે.
મુંબઈ જેવા મેાટા શહેરમાં ગુરુદેવના નામની પુણ્યસ્મૃતિ કાયમ રહે તે માટે તેઓશ્રીના ભક્તોદ્દારા ગત ચૈત્ર સુદ ૧ના શુભ દિવસે—ગુરુદેવના જન્મદિનના પવિત્ર દિવસે—( શતાબ્દિ દિને ) આ સંસ્થાની સ્થાપના પાયની ઉપર આવેલા જૈન ઉપાશ્રયમાં પુન્ય મુનિરાજશ્રી બુદ્ધિમુનિજી ગણીવના શુભ હસ્તે કરવામાં આવી છે. ઉદ્દેશા
(૧) સામાજિક, ધાર્મિ ક તેમજ ઐતિહાસિક ઉપયાગી સાહિત્ય પ્રકાશન. (૨) ધામિઁક, સામાજિક તેમજ ઐતિહાસિક સાહિત્યને સહાય અને ઉત્તેજન.
[ શેર
Page #24
--------------------------------------------------------------------------
________________
(૩) જૈન ધર્મના પ્રચાર માટે ભાષણ, પુસ્તિકા ચેાજના. (૪) જૈન જનતાને સંપર્ક સાધવા અને ભાઈચારા વધે તેવા પ્રયાસેા કરવા. (૫) જૈન તત્ત્વ, ક્રિયા કે જૈન ઈતિહાસ સંબધી ગેરસમજુતી અટકાવવા માટે પ્રયત્ન કરવા અને તે માટે ચેાગ્ય પ્રચાર કરવે. (૬) જૈન સેવાભાવી કાર્ય કર્તાએ તૈયાર કરવા અને તેમને ઉત્તેજન આપવું. સભ્યાના પ્રકાર
સંસ્થામાં ત્રણ પ્રકારના સભ્યા નીચે મુજબ ગણાશે. પેટ્રન, આજીવન સભ્યા, અને સામાન્ય સભ્યા.
પેટ્રનઃ
સંસ્થાને ૫૦૧) રૂા. એકી વખતે આપનાર.
આજીવન સભ્ય
પ્રથમ વર્ગના આજીવન સભ્ય એકી વખતે ૨૦૧) રૂા. આપનાર બીજા વર્ગના આજીવન સભ્ય એકી વખતે ૧૦૧) રૂા. આપનાર સામાન્ય સભ્ય
:
પ્રથમ વના દર વરસે ૬) રૂ।. અને બીજા વ ના દર વરસે ૩) રૂા. આપનાર.
ચાલુ વર્ષ ની વ્યવસ્થાપક સમિતિ.
શેઠ સકરચંદ મેાતીલાલ મુળજી શેઠ રણછોડભાઈ રાયચંદ ઝવેરી શેઠ ફુલચંદભાઈ શામજી
શ્રી હીરાભાઈ રાયચંદ મલબારી શ્રી વાડીલાલ જેઠાલાલ શાહ શેઠ કાંતિલાલ શ્વિરલાલ જે. પી. શ્રી મેાતીચંદ ગિરધરલાલ કાપડીયા
શ્રી શાંતિલાલ મગનલાલ શાહ શ્રી મેાહનલાલ દીપચંદ ચાકસી
શ્રી નરેાતમદાસ ભગવાનદાસ શા શ્રી મનસુખલાલ હીરાલાલ લાલન
શૌય ]
પ્રમુખ
ઉપપ્રમુખ
ખજાનચી
મ`ત્રીએ
સભ્યા
99
29
,,
در
,,
Page #25
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
૮૦
પૃષ્ઠ અબ મોહે તારે ગુરુજી! ૩ વતન ને વંશ મનની મુરાદ ફળી સાધુતાની કસોટી પત્થર કે મોતી ધન્ય જીવન પંન્યાસ બન્યા કલ્યાણકારી કાર્યો વધતી જતી સુવાસ લોકપ્રેમ ' ' વીરના પુત્રને જ્ઞાનદાન શ્રીરામ જયંતિ દાવાનળની શાંતિ જૈન મહાસભાની સ્થાપના ૬૯ અહિંસાને પ્રચાર
પૃષ્ઠ રાજદ્રોહની ગંધ સાધુતાના સંદેશ અદ્દભુત જાદુગર શાન્તિ અને જયન્તિ ૧૦૩ કુરાને શરીફનું ફરમાન ૧૧૨ આર્યસમાજ પંડિતનું
આકર્ષણ ૧૧૮ ભાઈભાઈ અને પિતાપુત્રમાં
શાંતિ ૧૨૩ પદવીદાન સમારંભ ૧૩૨ દીપક બુઝાય પરિશિષ્ટ અંત સમયના પત્રો નેહાંજલિ
૧૩૮
૧૪૫–૧૬૦
૧ ૬૫
અંત સમયના પત્રો પહેલે પત્ર આચાર્યશ્રી વિજય વલ્લભસૂરિજીએ ઉપાધ્યાયજી મહારાજના પરમપ્રેમી આત્મ પ્રિયબંધુશ્રી લલિત વિજ્યજી મહારાજ પર લખેલે છે. બીજા બે પત્રો ઉપા
ધ્યાયજી મહારાજશ્રી સહનવિજયજી મહારાજે પોતે પોતાના પ્રિયઆત્મબંધુશ્રીલલિતવિજયજી મહારાજશ્રીને લખ્યા છે.
[
Page #26
--------------------------------------------------------------------------
________________
અજ્ ઝકાવી
યુદ્ધ
ઝૂકાવી
આભને
આભન
ખારૂ
રૂ
પાલી
વાલી
મુનિશ્રી મુનિશ્રી લલિત વિજયજી, મુનિશ્રી ઉમંગ વિજયજી
તથા
મુરી
મુકી મકાનમિાં મકાનઆદિ રહે નિંદ રાખે નહિ
મિદા
મિંદરા
સોઇ ]
શુદ્વિપત્રક
ક
૫
७
૪૦
પર
અશુદ્ધ
કતરપુર
અકાળી
ખડેલવાળા
કહું છે
વિદય
ફેલાવા
અગરમલ
સિખે
શુદ્ધ
કૌરપુર
અકાલી
હાટ
૭૧ લાકા
ખંડેલવાળ
કહું છું
વિદાય
ve
७२
૭૮
આ ગ્રંથ આત્માન જૈન સભા, ભાવનગરથી પણ પ્રાસ થઇ શકશે.
02
૨૦
ફરમાવા
મગરમલ 21
૫૪
૬૧
સિખ ૧૧ કીલાસેામાસિ હકલાસેાભાસિંહ૧૩૫ ૬૩ માગશર્દી૧૪ કા ધ્રુવદી૧૪ ૧૪૦
૧૪૬
હાર લોકાએ
૧૫૯
૧૦૦
૧૧૫
માંધ પાખી તથા ગૂજરાતી તિથિમાં ફેરફાર હેાવાથી શરતચૂકથી ભૂલ રહી ગઈ હેાય તા ક્ષતવ્ય.
Page #27
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાધ્યાય ( શ્રી સોહનવિજયજી મ. ની જીવનરેખા ]
Page #28
--------------------------------------------------------------------------
Page #29
--------------------------------------------------------------------------
________________
[૧] અબ મોહે તારો ગુરુજી !”
ઉષાનાં ગુલાબી કિરણએ સરેવરનાં પુષ્પોને હજી ચુખ્યાં ય નહોતાં, ને એક કુમાર ગુરુચરણમાં આવી નમ્યા. એણે આર્ત સ્વરે વિનંતી કરી. એ સ્વરમાં સંસાર તરફની મૂંઝવણસ્પષ્ટ રણકાર કરતી હતી.
ગુરુદેવ! આપને ચરણકિંકર બનાવે. મને દીક્ષા આપે. મને આત્મશાન્તિ જોઈએ છે.”
વત્સ, શાન્ત થા ! આત્મશાન્તિ માટે તત્ત્વશ્રદ્ધા જરૂરી છે. ભાવના હશે ને ભાગ્યોદય પ્રબળ હશે, તે બધું આવી મળશે.” ગુરુદેવના શબ્દોમાં સ્વસ્થતા હતી.
Page #30
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાધ્યાય ગુરુમહારાજ, એ તત્ત્વશ્રદ્ધાને કાજે તે એક અંચળો ( સ્થા. સાધુને) ફગાવીને આપને ચરણે આવ્યો છું. સાધુ તે બન્યો હતો પણ શાન્તિ લાધતી નહતી. જ્ઞાન તે મેળવી રહ્યો હતેપણ વિરતિને કોઈ અંશ સૂઝતે નહેતો. એક ઘેરે અંધકાર મારા આત્માને વીંટી વળે છે. આજે પ્રકાશ ઝંખુ છું. મારી શ્રદ્ધા છે, કે એ પ્રકાશ મને આપ દ્વારા મળશે.”
“મહાનુભાવ, એ પ્રકાશ મેળવવા માટેને સંયમમાર્ગ અત્યંત દુષ્કર છે. અસ્થિર મનવાળા જુવાને બંને બાજુનું ખુએ છે. ઘેર જાઓ, શાન્ત થાઓ ! દીક્ષા લેવી એ નાના બાળકના ખેલ નથી. ખાંડાની ધાર પર ખેલવું પડશે. એટલી તૈયારી, એટલે ત્યાગ, એટલી દઢ મનોભાવના છે? આ બધાને સરવાળે કરી ફરી વળી સ્વસ્થ ચિત્તે મળજે.”
“આજે તે પાછો જ વળું?” “અવશ્ય, મહાનુભાવ ! ધર્મલાભ.”
નિરાશ યુવાન પાછો વળે. એણે ઉપાશ્રય છે, પણ દિલ ત્યાં જ હતું. એ શાંત મુદ્રા, કરુણાભર્યો એ નયને, અમીરસ ઝરતી એ જબાન અને એ ઉદાર હૃદયઃ સ્મૃતિમાંથી ખસે જ નહિ. એ બીજે અનેક સ્થળે ફર્યો પણ દિલને શાન્તિ ન લાધી તે ન જ લાધી.
ફરીથી એકવાર યુવાન ગુરુચરણમાં પહોંચી ગયો. એ જ પ્રાર્થના, એ જ આજીજી અને સામેથી પણ એ જ પ્રેમભર્યો આવકાર, એ જ નિખાલસ જવાબ અને એ જ ઉપદેશભર્યા અમૃતવચને.
Page #31
--------------------------------------------------------------------------
________________
અબ મોહે તારે ગુરુજી
યુવાન પુનઃ પાછો ફર્યો. પણ એના પાછા ફર્યો છું થાય? દિલ તો પાછું ફરતું જ નહોતું !
તે ફરીથી એ ગુરુચરણે સ્પર્શવાં?
ફરીથી પ્રાર્થના કરવી? એના દિલમાં મને મંથન જાગ્યું. શા માટે નહિ? યુવાને આત્મિક તૈયારીઓ આદરી. વાસના અને નિર્બલતાને ફગાવી દીધાં. અસ્થિરતાને દેશવટો આપે. મન મક્કમ બનાવ્યું.
એક દહાડે, આટલી તૈયારી સાથે ગુરુચરણમાં એણે ઝકાવી દીધું. એણે ગદગદ કંઠે વિનંતી કરીઃ
ગુરુજી, અબ મેહે તારે !”
સૌમ્યમૂતિ ગુરુદેવના ચહેરા પર હાસ્ય ફરક્યું. બબે વખત પાછો વાળ્યા છતાં યુવાનને આશાદર હજી અણત્રુટ રહ્યો છે. એમને લાગ્યું, કે આવા મુમુક્ષુ માટે કંઈ કરવું ઘટે. એની પિપાસા સાચી છે. એના આર્તનાદમાં સ્મશાન વૈરાગ્ય નહિ, પણ શાશ્વત શાંતિ તરફને મેહ છે. સંયમની સાચી આગ જલી રહી છે.
“વસંતામલ!” ગુરુદેવે પ્રેમભીના સ્વરે કહ્યું. “ગુરુદેવ ! ” યુવાન ચરણકમલમાં મૂકેલે જ હતો. “ગૂજરાત જઈશ?”
મારી ભાવના ફળતી હોય તો ગગનમંડળ ભેદીને પણ કહે ત્યાં જાઉં.”
વસંતામલ, ગૂજરાત તારા માટે અનુકૂલ થશે, એમ મને લાગે છે. સગાંસ્નેહીના મેહપાશથી દૂર રહેવાશે,
Page #32
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાધ્યાય ગુજરાતનાં મહામૂલાં તીર્થો પણ જેવાશે, અને કેટલાય મુનિરાજેનાં દર્શન થશે.”
“આપની આજ્ઞા શિરોધાર્ય છે. ”
ગુરુદેવે એક પત્ર લખી આપે,–પંજાબની ભૂમિથી દરર ગૂજરાતમાં વિચરી રહેલ મુનિરાજ શ્રી લલિતવિજયજી પર.
એ પત્ર લઈને બહાર નીકળતા વસંતામલને હૃદયાનંદ અપૂર્વ હતું. એને એ પત્રમાં નવજીવન મળ્યાને આનંદ હતે.
એ કરુણામૂતિ ગુરુદેવ એટલે પંજાબ કેસરી આચાર્યવર્ય શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ.
Page #33
--------------------------------------------------------------------------
________________
TTT TTipatr
[૨] વતન ને વંશ
સાદર્ય અને સરસ્વતીનું ધામ કાશ્મીર પૃથ્વીના સ્વર્ગ તરીકે વિખ્યાત છે. હિમથી આચ્છાદિત ગિરિમાળાઓ, કમળપત્રોથી ભરચક્ક સરેવર, નિર્મળ ઝરણાંઓ, મઘમઘતાં પુષ્પવને અને ખુશનુમા હવાવાળે આ પ્રદેશ છે. કઈ એને નંદનવન કહે છે. બાદશાહ જહાંગીર એને ફિરદોશે જમીનસ્ત” પૃથ્વીનું સ્વર્ગ કહેતે. | કિંવદન્તી કહે છે, તેમ કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અહીં જ સરસ્વતીની સાધના કરેલી. મહાકવિ કાલિદાસે પણ અહીં વિદ્યોપાસના આદરેલી. અનેક વિદ્વાનોએ પણ કાશ્મીર-જમ્મુની પાઠશાળામાં ભણી દિગવિજય સાધેલ.
આભને સ્પર્શવા ઉન્નત બનેલી ગિરિરાજ હિમાલયની હારમાળાઓની વચ્ચે આ પ્રદેશ, પંજાબની ઉત્તરે
Page #34
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાધ્યાય આવે છે. એની પશ્ચિમ તરફ અફઘાનિસ્તાન, પૂર્વ તરફ અદ્ભુત પ્રદેશ તિબેટ, અને ઉત્તરમાં કારાકોરમના ગગનચુંબી પહાડે વિસ્તરે છે.
આ કાશ્મીરની રાજધાની જમ્મુ શહેર સુવિખ્યાત છે. દીક્ષાના ઉત્કટ અભિલાષી, ચરિત્રનાયક વસંતામલનો જન્મ આ વીરભૂમિ ને વિદ્યાભૂમિમાં થયો હતો. કાશ્મીરના બારદા નિહાલચંદને ઘેર ઉત્તમદેવીની કુક્ષીથી વિ. સં. ૧૯૩૮માં આ નરરત્નને જન્મ થયે. દુગડ એમનું ગોત્ર, વીસા ઓસવાલ એમની જાતિ.
પિતા નિહાલચન્દ પુત્રના જન્મના સમાચાર સાંભળી આનંદિત થયા. પુત્રનાં લક્ષણ પારણામાંથી તે કહેવત પ્રમાણે બાળ વસંતમલના લલાટની રેખાઓ, તેનું તેજસ્વી સ્વરૂપ, સુંદર આકૃતિ, મધુરું હાસ્ય અને તેના મનેહર હાવભાવ ભવિષ્યની ચાતુર્યતા, પ્રતિભા અને વીરતાની આગાહી આપતાં હતાં.
બાલ્યાવસ્થામાં તીવ્ર બુદ્ધિશક્તિથી સારો એવો વિદ્યાભ્યાસ કર્યો. પ્રત્યેક નાનામોટા કાર્યમાં વસંતામલની ચાતુરીનાં દર્શન થતાં હતાં. લકે બાળક વસંતમાલની હોશિયારી અને પ્રતિભા જોઈ ચકિત થતાં. આવા વીર બાલકના માતાપિતા થવા માટે તેઓ પિતાને ધન્ય માનવા લાગ્યાં. બાલકના મુખારવિંદ સામું જોઈ જોઈ તેઓ ફૂલ્યાં નહોતાં સમાતાં. ને પણ આ સુખ વિધિને મંજૂર નહેતું. એક દિવસ ભવિવ્યની આશાઓ અને સ્વનો બધાં સરી પડ્યાં. માતા-પિતા
Page #35
--------------------------------------------------------------------------
________________
વતન તે વશ
અને વસતામલને બાલ્યવયમાં જ વિધિના આશ્રયે છેાડી ચાલ્યાં ગયાં. વસતામલ નિરાધાર થઇ પડ્યો. માતાપિતાના સ્વર્ગગમન પછી તેમનાં માટાં બહેન વસન્તીદેવી પેાતાના ભાઈને પોતાને ગામ જડિયાલાગુરૂ લઇ ગયાં.
નાનપણમાં વસતામલને એક જીવલેણ પ્રસંગ ઘટયો. નાની ઉંમર હતી. એક દહાડો અચાનક વાવાઝોડું શરૂ થયું. વટાળી પણ ખરાખર ચડયો ને મૂશળધાર વરસાદની એલી જામી. છાપરાં ઊડવા લાગ્યાં. ઝાડા પડવા લાગ્યાં. એકાએક તેમના મકાનને કરેા ધસી પડયો. ચાર જીવ મકાનમાં રહેતાં હતાં. એ નાસી છૂટ્યા. એ દબાઇ ગયાં. વસતામલને માટે પાડપડેાશી મચાવા બચાવાની ભૂમેા મારવા લાગ્યા. જુવાન માણસો દોડ્યા, કરાની માટી ખેંચવા લાગ્યા અને ભાઇ વસતામલ તેા તળાઇએની નીચે સુરક્ષિત માલૂમ પડ્યા. તે ખચી ગયા. વિધિના ચમત્કાર !
વસતામલના બનેવી ગોકુલચંદ્રજી સ્ટેશન માસ્તર હતા. તેમની પાસે રહી અંગ્રેજીના અભ્યાસ શરૂ કર્યો. તેમને હિન્દી–ઉર્દુનું જ્ઞાન તે। હતુ ં જ. બહુ જ થોડા સમચમાં પ્રખળ યાદશક્તિના કારણે ત્રણે ભાષાને સારા રિચય મેળળ્યેા. તાર માસ્તરનું કામ મળી ગયુ. થાડા સમય કામ કર્યું ન કર્યું ત્યાં જીવનસ ંગ્રામ શરૂ થયા.
બહેન અને બનેવી વસતામલનાં લગ્ન માટે વિચાર કરવા લાગ્યાં. પિતાના ઘરનું બારણું ઉઘાડું થશે, એ કલ્પનાએ બેનને ભાઇની શાદીના ઉમંગ હતા અને ભાભીનુ માતુ જોવાની ઇચ્છા પૂરી થવાના દિવસે પણ આવી લાગ્યા.
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૦
ધર્મવાર ઉપાધ્યાય વસંતામલે આ વાત જાણું. કેણ જાણે શા અગમ્ય કારણથી તે દુનિયાની જંજાળ અને આળપંપાળથી નાસતે હતો. તેણે બહેનને નિરાશ કરી, બનેવીને નમ્રતાથી પિતાની શાદી ન કરવા પ્રાર્થના કરી.
અને તે પછીના દિવસે દોહ્યલા હતા. કામ કરતાં દિલ ચુંટતું નહિ. સંસાર પરથી મન ઊઠી ગયું હતું. આઠે પ્રહર ઉદાસીનતા છવાઈ રહેતી હતી.
પૂર્વજન્મના પુણ્યકમને પ્રભાવ જાગે અને વસનામલને ૨૨ વર્ષની યુવાન અવસ્થાએ જ સંસાર પર વિરક્તિ થઈ, ગૃહસ્થાશ્રમમાં રહેવું ગમ્યું નહિ. - એ ગયે ગુરુચરણનો સાથ શેધવા. ગુરુ મળી ગયા. પટિયાલા રાજ્યના “સામાના” શહેરમાં સંવત ૧લ્પ૯ ભાદ્રપદ શુક્લા ૧૩ ના દિવસે વસંતમાલની દીક્ષા ધામધૂમથી થઈ. સ્થાનકવાસી સંપ્રદાયના સાધુ શ્રી ડેરાયના શિષ્ય બન્યા.
દિક્ષાને હજી તે ચાર માસ પૂરા થયા નહોતા, ત્યાં તે સાધુને અંચળે ભારે પડ્યો. મન મૂંઝાવા લાગ્યું. અશાંતિ થવા લાગી. ક્રિયાકાંડ નીરસ લાગ્યાં. આત્માની અશાંતિ વધારે ને વધારે ઉગ્ર થવા લાગી. અભ્યાસમાં ચિત્ત ન લાગ્યું. સંપ્રદાયમાં કોઈ પણ સાધુ તેમને માર્ગદશક ન થઈ શક્યા. બેચેની વધી પડી. અસ્થિરતા વધવા લાગી. દિવસ અને રાત્રિ યંત્રવત ઘરેડ ચાલવા લાગી.. બંધને ભારે પડ્યાં.
આખરે એક દિવસ એ અંચળો ફગાવી નાસી છૂટયા.
Page #37
--------------------------------------------------------------------------
________________
| [૩] મનની મુરાદ ફળી
* કયાંથી આવે છે, મહાનુભાવ !” વંદણા કરી સામે બેસનાર આગન્તુકને શ્રી લલિતવિજયજીએ પૂછ્યું.
મહારાજશ્રી ! હું દૂર દૂરથી આવું છું. પહેલાં તે પાટણ ગયો. ત્યાં શ્રદ્ધેય શ્રી પ્રવર્તકજી મહારાજ કાંતિવિજયજીનાં દર્શન કર્યા. ત્યાંનાં ભવ્ય મંદિરનાં દર્શન કરી હું કૃતાર્થ થયે. મારા ચંચળ અને વિહવળ મનને જરા શાતા વળી; પણ આપશ્રી તે અહીં જોયણી હતા તેથી, અહીં આવ્યો છું.”
“બહુ સારું! પણ તમારા આગમનનું પ્રયોજન શું છે? તમારી જન્મભૂમિ ?”
Page #38
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાધ્યાય
“ સ્વામીજી, મારું પ્રયેાજન આપ ગુરુ મહારાજોના ચરણોની સેવા. આપની જન્મભૂમિ તે મારી જન્મભૂમિ. ” “શું તમે પંજાબ જેટલે દૂરથી આવે છે? ત્યારે તા ગુરુદેવે જ તમને મેાકલ્યા છે તેમ જ કહાને–ત્યારે શું બેાલતા નથી ? ”
ર
(ર
હા જી ! હું ગુરુદેવની આજ્ઞાથી આવ્યો છું, પણ મારી કથા વિચિત્ર છે.”
“ ગુરુદેવની આજ્ઞા મારે શિરાધાય છે, તમે નિશ્ચિંત રહેા. ગુરુદેવ કૃપાનિધાન છે. તેમના હૃદયમાં ગમે તેવા . પાપીને પણ સ્થાન છે, તેા પછી તમારી તેા વાત જ શી ! હા, પણ તમારી કથા તા કહેા. જુઓ, આ શાંતમૂર્તિ શ્રી હુ...સવિજયજી મહારાજશ્રી પધારે છે. તેમને તમારી વાત કહેશે। તે તમને માદન મળી રહેશે.”
“ ગુરુવ ! આપના જેવા પરમ ઉપકારી શાંતમૂર્તિના દર્શનથી હું પવિત્ર થયા. હું મારી જાતને ધન્ય માનું છું, કે મને પાટણમાં શ્રદ્ધેય પ્રવત કશ્રી કાન્તિવિજયજી મહારાજશ્રીની કૃપાથી મનહર મદિરાનાં અને ભવ્ય પ્રાચીન મૂર્તિએનાં દર્શન થયાં. આજે શ્રી ભાયણીજી તીમાં શ્રી મલ્લીનાથજીનાં દર્શનથી હું વિશેષ કૃતા થયા છે.’
પૂજ્યપાદ ! આ મહાનુભાવ પંજાખથી આવે છે. ગુણમહેાધિ શ્રી ગુરુદેવે તેમને અહીં મેાકલ્યા છે. આપની સેવામાં રહેવાની તેમની અભિલાષા છે.” શ્રી લલિતવિજયજીએ શાંતમૂર્તિશ્રી હંસવિજયજી મહારાજશ્રીને સએધીને કહ્યું.
,,
((
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૩.
મનની મુરાદ ફળી
“તમે પંજાબી લાગે છે!શાંતમૂતિએ પરીક્ષા કરી.
જી હા, ગુરુવર્ય! હું જમ્મુને રહીશ એસવાળ છું. બાવીસ વર્ષની વયે મેં સ્થાનકવાસી ગુરુ પાસે દીક્ષા લીધી હતી, પણ ચાર મહિનામાં કંટાળી ગયે.”
શું ચાર જ મહિનામાં તમે દીક્ષા છેડી દીધી? ”
શું કરું, ગુરુવર્ય ! ત્યાં મારા આત્માને શાંતિ જ ન વળી. હું મૂંઝાઈ ગયે. બંધનમાંથી છૂટી ન શકું તે બંધી થઈ ગયું હતું.” * “પછી?”
“પછી મને ગુરુવર્યનાં દર્શન થયાં. તેમણે મારી પૂરી પરીક્ષા કરી–ત્રણ ત્રણ વખત મને નિરાશ કર્યો–પણ મારી મક્કમતા જોઈ તેઓ પ્રસન્ન થયા. મારી આશા ફળી અને આપનાં ચરણોમાં આવી પડ્યો.”
ચિંતા નહિ, તમે હવે સ્થિરતાથી રહે. શ્રી લલિતવિજયજી વિદ્વાન છે, પ્રેમી છે. તેમની પાસે વિદ્યાભ્યાસ કરે, તેમના સહવાસથી તમારું ચિત્ત આનંદિત રહેશે.”
પણ ગુરુવર્ય, મારા ભાવ દીક્ષાના છે તેનું શું ? ”
ઉતાવળ શું છે? યોગ્ય અવસરે જોઈ લેવાશે. તમે મન શાંત કરી શાસ્ત્રઅભ્યાસમાં લાગી જાઓ.” | વસંતમિલને અભ્યાસ ચાલવા લાગ્યું. મુનિશ્રી લલિતવિજયજી તેમને માટે ખૂબ પરિશ્રમ લેવા લાગ્યા. જીવવિચાર, નવતત્વ, દંડક, પ્રકરણ વગેરે અભ્યાસ શરૂ થયે. સ્મરણશક્તિ એવી તે સતેજ હતી કે થોડા જ સમયમાં
Page #40
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાધ્યાય તમામ અભ્યાસ કરી લીધું. માત્ર જોડાક્ષરના ઉચ્ચારમાં ભારે મુશ્કેલી પડતી. જોડાક્ષરની આદત નહિ અને વ્યાકરણમાં તે જેડાક્ષર આવે જ. પણ તેથી નિરાશ થવાની જરૂર નહતી. શિક્ષક અને શિષ્ય બંને ઉત્સાહી હતા. આ માટે તે મુનિમહારાજ શ્રી લલિતવિજયજી પંદર પંદર દિવસ સુધી મહેનત લેતા અને વારંવાર કંટાળ્યા સિવાય જોડાક્ષર શીખવતા.
ભોયણીથી વિહાર કરી મહારાજશ્રી શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી વગેરે માંડલ પધાર્યા. માંડલના શ્રી સંઘે મહારાજશ્રીની ભક્તિ કરી.
વસંતામલે એક દિવસ શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજશ્રીને પ્રાર્થના કરીઃ “ગુરુવર્ય ! હવે મારી કસોટી ન કરે. હું અકળાઉં છું. મને દીક્ષા આપી કૃતકૃત્ય કરે.”
માંડલના શ્રી સંઘ પાસે વાત મૂકવામાં આવી. માંડલના સંઘે દીક્ષાના ઉત્સવ માટેની બધી જવાબદારી ઊઠાવી લીધી અને આવા માંગલિક પ્રસંગ માટે તત્પરતા બતાવી. | શ્રી લલિતવિજયજી મહારાજશ્રીએ શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજશ્રીને બે વિનતિ કરી. એક તે ગુરુ મહારાજ શ્રી શુભવિજયજી મહારાજશ્રીનાં દર્શન કરી આવવાની અને ત્યાંથી આવ્યા પછી દીક્ષા વિષે તૈયારી કરવાની.
મહારાજશ્રીએ ખુશીથી આજ્ઞા આપી. દસાડાને શ્રી સંઘને શ્રી લલિતવિજયજીના આગમનથી હર્ષ થયે અને જ્યારે વસંતમલની દીક્ષાને વિચાર અને માંડલને શ્રી
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૫
મનની મુરાદ ફળી સંઘને તે માટે ઉત્સવનો અભિલાષ જણાવ્યો, ત્યારે તે દસાડાના શ્રી સંઘે મહારાજશ્રી શુભવિજયજી મહારાજને સપ્રેમ અનુરોધ કર્યો કે આ દીક્ષાના ઉત્સવનો લાભ અમને મળવો જોઈએ. અમે શ્રી લલિતવિજયજી મહારાજશ્રીને અહીંથી જવાની રજા જ નથી આપવાના. અમારાં સૌભાગ્ય કે અહીં દીક્ષાઉત્સવ થાય !
શ્રી શુભવિજયજી મહારાજશ્રીએ પણ આ પ્રસ્તાવની અનમેદના કરી અને શાંતમૂતિ શ્રી હંસવિજયજી મહારાજશ્રીને પૂછાવ્યું કે દસાડા શ્રી સંઘની આ પ્રેમભરી માગણે અવગણી શકાય તેમ નથી. માંડલના શ્રી સંઘે છેવટે તે માટે સંમતિ આપી અને ધૂમધામપૂર્વક સં. ૧૯૬૦ ના વૈશાખ સુદિ ૧૦ ના દિવસે દીક્ષા મહોત્સવ થયો.
ગુરુદેવ શ્રી વલ્લભવિજયજી મહારાજશ્રીએ તો શ્રી લલિતવિજયજીના નામની દીક્ષા આપવા જણાવેલું, પણ શ્રી લલિતવિજયજીએ નમ્રભાવે ગુરુદેવના નામની દીક્ષા આપી અને પિતાના “બંધુ” તરીકે તેમને અપનાવી લેવામાં આનંદ માન્યો. દસાડામાં આ ઉત્સવ વીસ દિવસ ચાલ્યો. નગરજને પણ પ્રેમ અને ઉત્સાહથી કેવી અનુપમ ગુરુભક્તિ અને સંઘભક્તિ કરી જાણે છે, તેનું આ જીવંત દ્રષ્ટાંત ગણાય. વસંતામલ હવે શ્રી સેહનવિજય થયા. તેમના હર્ષની સીમા ન રહી. પિતાના આવા નવીન અને પ્રેરણુજનક નામને શોભાવવાની દઢ પ્રતિજ્ઞા કરી પિતાને ધન્ય ધન્ય માનવા લાગ્યા.
Page #42
--------------------------------------------------------------------------
________________
DAR:
[૪ ]
સાધુતાની કસાટી
(ર
એજ! એજ, નુમ બરાબર લાગ આવ્યા છે
જ
હા ! જરા આઘેરા જવા દઈ એ. તમે છૂપાઇને પાછળ પાછળ ચાલ્યા આવા. ગમે તે થાય પણ એનું વેર તે વાળ્યે છૂટકા. હેાશિયાર રહેજો. ”
“ અરે ! હા! એ જ સાધુ-અને એ ન હાય તા એના ભાઈ સહી ! આપણે શું! ખેા જ ભૂલાવી દો. આપણા લાગે! અધ કરવાનો અધિકાર તેને શેના? લેાકેા ચોખા ચઢાવે તે તે અમારા જ ગણાય. વર્ષોથી તે ધારા ચાલ્યું આવે છે. તે મધ થઈ શકે જ નહિ. હવે તે બદલા લીધા સિવાય છેડશું નહિ. ’
Page #43
--------------------------------------------------------------------------
________________
श्रीजगाचार्य श्रीमदविजयवलनसूरीश्वरजी महाराजा शिव्यस्त
मानामावलीमा
३- मुनि सागर विजयजी -मुनिरवि विजयजी,
महा माया भीमद गाहविजय जामहारराम सहमिय આચાર્ય શ્રી વિજયવલભસૂરિજી મહારાજ
શિષ્યરત્ના
Page #44
--------------------------------------------------------------------------
Page #45
--------------------------------------------------------------------------
________________
૧૭
સાધુતાની કસોટી
“એ ય સાધુડા ઊભે રહે! તું જાણે છે અમે કેશુ? કોણ? અમે તો શેત્રુજાના માલિક. અમારા બાપદાદાએ તો માથાં આપ્યાં છે માથાં. આજકાલના સાધુ તમે અમારા લાગા બંધ કરવા આવ્યા છે, તે લેતા જાઓ.”
ભાઈ! તમે મને ઓળખે છે? હું તો નવો સાધુ છું. તમારી તકરાર પણ હું જાણતા નથી. તમે મને હેરાન કરશે તે તમારું શું કલ્યાણ થશે ? અને છતાં તમારે મારા ઉપર જ હુમલો કરે હોય તે હું તૈયાર છું. આમ હું તમને બે ચારને ભારે પડી જાઉં એ પંજાબી છું સમજ્યા, પણ મારો સાધુને તે ધર્મ નથી.”
શત્રુંજય પર્વતના બારેટેએ કશી દરકાર કર્યા વગર તેમના પર હુમલો કર્યો. તેમને પકડી, બાંધી ને દૂરના એક ઊંડા ખાડામાં નાંખી દીધા.
અહીં સ્થડિલ ગયેલ “સંહનવિય ” મોડા સુધી ન આવવાથી શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી તથા શ્રી લલિતવિજ્યજીને ભારે ચિંતા થઈ. ખૂબ ખૂબ તપાસ કરાવી. આસપાસની વાડીઓ, ઝાડીઓ જેવરાવી. પાસેના કૂવા પણ તપાસરાવ્યા છતાં પત્તો મળે નહિ. આ સમુદાય ચિંતિત થઈ ગયો. કેઈએ ગોચરી-પાણ ન કર્યા.
બીજે દિવસે એક કઠીઆર ત્યાંથી નીકળ્યો. તેણે તે જ ખાડા પાસે ભારી ઉતારી, થાક ખાવા કાંઠે બેઠે. ત્યાં અંદરથી ધીમો ધીમો અવાજ આવતે સાંભળી ચકિત થયે. પહેલાં તો ભૂત-પ્રેત કલપી ડરી ગયે, પણ પછી જોયું કે આ તે કોઈ માણસને અવાજ છે, એટલે તેમને બહાર કાઢવામાં આવ્યા.
Page #46
--------------------------------------------------------------------------
________________
ડીઆરા સારા નામ જ શા
7 ત્યાં થી જ
૧૮
ધર્મવીર ઉપાધ્યાય પિતાના જીવનદાતાને આભાર માની સહનવિજય ઉપાશ્રય તરફ ચાલ્યા. માત્ર ચોળપટ્ટો પહેરેલે અને બે દિવસની ખાડાની હવા ! ખાવાનું તે નામ જ શાનું ! પાણી પણ મળેલું નહિ. કઠીઆરા સાથે શહેર તરફ આવતા હતા ત્યાં શ્રી સંપતવિજયજી મહારાજશ્રીએ દૂરથી જોયા અને ઉપાશ્રયે દેડી આવ્યા. આ સમાચાર સાંભળી સૌને જીવમાં જીવ આવ્યો. શ્રી લલિતવિજયજી કપડાં વગેરે લઈને ઉપડ્યા અને તેમને ક્ષેમકુશળ જેને ભેટી પડ્યા. ઉપાશ્રયે આવ્યા ને બધા સાધુઓ તેમને જોઈને આનંદાશ્રુથી ભેટી પડ્યા. સંસારકૂપના પ્રતીક સમા પોતાના આ સામાન્ય કૂપની વીતક કથા કહી સંભળાવી. પિતે સમુદાયને જોઈને હર્ષિત થયા.
દરબારમાં તથા શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીમાં આ વાતની ખબર પડી એટલે ભાટ લેકે પ્રત્યે તિરસ્કાર ઉત્પન્ન થયે. જૈન સમાજમાં એક જાતના મોટા વિરોધની હવા પ્રસરી; પણ શાંતમૂતિ શ્રી હંસવિજયજી તથા શ્રી લલિતવિજયજીએ શાન્તિપૂર્વક આખા પ્રકરણને સમેટાવી દીધું. વિક્રમનું એ ૧૯૬૧નું વર્ષ હતું.
દીક્ષા પછી મહેસાણા અભ્યાસની વ્યવસ્થા ન થઈ શકવાથી, પાલીતાણા આવી અભ્યાસ કરવાની ઈચ્છા હેવાથી શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજ પાસે પાલીતાણું આવ્યા હતા, પણ આ ઉપસર્ગ બન્યા. ભાવી અવશ્ય બન્યા વિના રહેતું નથી.
પણ કટી થવાની હોય ત્યારે એક રીતે થતી નથી.
Page #47
--------------------------------------------------------------------------
________________
સાધુતાની કસેાટી
૧૯
અનેક વિજ્ઞો, અનેક ઉપાધિઓ, બહુવિધ દુઃખદર્દો એમાં સાથ આપે છે. આપણા ચરિત્રનાયકને પણ એમ જ બન્યું. થોડા દિવસ પછીની આ ઘટના છે.
“ અરે કાઇ સાંભળેા છે કે નહિ ? કમરામાં કાઇ પીડાતુ' જણાય છે. તમે તે બધા એવા વાતામાં અને ચર્ચામાં પડ્યા છે કે કાઇનું સંભળાયે નહિ. ” એક મુનિરાજે ઉપાશ્રયના એક માજીના ખંડમાં દભર્યો અવાજ આવતા સાંભળી ખૂમ પાડી.
૮૮
હું તો કમરાથી બહુ દૂર છે, તેથી ન સાંભળી શકયા; પણ છે શું ? કહે તો ખરા. ” શ્રી લલિતવિજયજી એલી ઊઠ્યા.
“ ભાઇ, જલદી જાએ. મને લાગે છે કે સાહનાંવજયના અવાજ છે. મેં તેમને સવારે જ કહ્યુ હતુ કે ગુરુદેવ કહેતા હતા કે પારણાના દિવસે દૂધ અને દહીં બન્ને સાથે ન લેવાય. ” શાંતમૂર્તિ શ્રી હંસવિજયજીએ સૂચના કરી.
“ અરે હા ! એ જ ભૂલ થઇ લાગે છે. સવારે પારણામાં દૂધ હતુ અને સાંજે ગેાચરીમાં શીખંડ આવેલે; પણ ગેાચરી વખતે તે યાદ ન રહ્યું. ” એક મુનિએ જણાવ્યું.
“ ગુરુમહારાજ ! હું તેમની પાસે જઇ આવ્યેા. અહુ જ પીડાય છે. પેટમાં સખત પીડા થાય છે. ખેાલી પણ શકાતુ નથી. મારું મન તે મૂંઝાઇ રહ્યું છે. શું થવા એન્ડ્રુ છે? હજી એક વેદના તેા શમી નથી ત્યાં બીજી. ” શ્રી લલિતવિજયજી અંદર જઇ આવી ખેલ્યા.
Page #48
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાગ્યાય
66
‘ પણ હવે વિલંબ ન કરો. જુએ નીચે શ્રી આણુંદજી કલ્યાણજીના દવાખાનામાં તપાસ કરી ને વૈદરાજને ખેલાવી લાવે. ” શ્રી `વિજયજીએ ઉપાય બતાવ્યેા.
૨૦
વૈદરાજ આવ્યા અને તે વખતે તે। દવાથી જરા શાંતિ થઇ, પણ સવારે પાછી એ જ હાલત. ફરી દવા લેવામાં આવી. દિવસે જરા શાતા રહી.
રાત્રે વળી વેદના વધી પડી. શ્રી લલિતવિજયજી મહારાજ તેમને પેાતાના ખેાળામાં સૂવાડી ચિંતાતુર બેઠા છે, ત્યાં શાંતમૂર્તિ અને બીજા સાધુએ પ્રતિક્રમણ કરી આવ્યા; એટલે આ દશા જોઇ બધા ગમગીન થઈ ગયા. પેશાબ અટકી ગયા. બેશુદ્ધિ થઇ ગઇ અને અ ંતિમ સમય નજીક જાયે.
શ્રી લલિતવિજયજી સજળ નેત્રે મેલ્યા “ હું ગુરુદેવ! મારા પ્રિયબંધુ સાહનને શાંતિ આપે. તેમનું દુઃખ નથી જોવાતુ. ” બધા સાધુ મુનિરાજોની આંખમાંથી આંસુએ સરી પડ્યાં અને જાણે ગુરુદેવે પ્રાથના સાંભળી હોય તેમ શ્રી સાહનવિજયજીએ આંખ ઉઘાડી. બધાને શાકાતુર જોઇને પોતે દુઃખી થયા. સાશ્રપૂણ નેત્રે માંડમાંડ બેલ્યા.
66
મારા ધર્મ બંધુએ ! તમને બધાને ચિંતાતુર જોઈ મને દુ:ખ થાય છે. તમે તે! મારા માટે કેટલું કેટલું કરા છે? આ મારા વડીલ બંધુશ્રી લલિતવિજયજી તા. મારી સેવાસુશ્રુષા એવી કરે છે, કે મારાં કુટુબીજના પણ આ મલમૂત્ર ન ઉપાડે! પણ હું લાચાર છું. પંજાબ છેડયું, સંસાર છેડયા; પણ કાંઇ કમ છેડે છે! છતાં મને શાન્તિ
Page #49
--------------------------------------------------------------------------
________________
૧
સાધુતાની કસોટી છે. સામે શત્રુંજય છે. પૂજ્યવર્ગ પાસે છે. અહોનિશ ધર્મશ્રવણ થાય છે. આવી વેળાએ કંઈ થાય તો મને લાભ જ છે. આજ તો મારાં પુણ્ય ફળ્યાં. શત્રુંજયની છાયામાં.....” | બધાની આંખો ભરાઈ આવી. શ્રી લલિતાવજયજી તો મોટેથી રોઈ પડયા. શાંતમૂતિએ બધાને સાંત્વન આપ્યું.
શાસનદેવની કૃપાથી તે જ રાત્રિથી તેમની પીડા ઓછી થઈ ગઈ. ધીમે ધીમે આરામ આવી ગયો.
Page #50
--------------------------------------------------------------------------
________________
( ૫ ) પત્થર કે મેાતી
''
અને ન્યુય ! તમારી ભાવના તે પૂરી થઇ
ગઇને ! આ મારી વડી દીક્ષા પણ આનંદપૂર્વક થઇ અને પન્યાસજી મહારાજશ્રી સ’પવિજયજીના હસ્તે થવાથી તે મને ભારે હર્ષી થયા. પણ હવે ગુરુદેવના ચરણકમળની સેવા કરવાના ઉત્કટ અભિલાષ જાગ્યા છે. અન્ધુવય, હવે ક્યાં સુધી આમ ને આમ-ગુરુદેવથી વિડેલે મને રાખશે ? ” સાહવિજયજીએ એક દિવસ પેાતાના ગુરુઅન્ધુ શ્રી લલિતવિજયજીને કહ્યુ .
“ પ્રિય ! સે!હવિજય ! મારી ઇચ્છા પણ ગુરુદેવનાં દર્શન
Page #51
--------------------------------------------------------------------------
________________
પત્થર કે મોતી માટે થઈ છે. આપણે અહીંથી સીધા પંજાબ જઈએ. પણ ક્યાં કાઠીઆવાડ અને ક્યાં પંજાબ? કેટલું દૂર! કયારે પહોંચાશે? ”
“મહારાજશ્રી, આપણે ઝપાટાબંધ પહોંચી જઈશું. આપણે જુવાનોને તે વળી લાંબા વિહારે નડતા હશે? ગુરુકૃપાએ જલદી જઈ પહોંચીએ. મને તે ગુરુદેવનાં દશેનની એવી પિપાસા જાગી છે કે હવે જરાએ ચેન નથી પડતું. સ્વપ્નાં પણ ગુરુદેવનાં આવે છે.” સોહનવિજયજીએ પિતાની ઈચ્છા વ્યક્ત કરી.
૧૯૬૧ના કારતક વદ ૬ ના તો પાલીતાણામાં વડી દીક્ષા થઈ અને તરત જ બન્ને ગુરુભાઈ ચાલી નીકળ્યા. ટાઢ ને તડકે, સુખ-દુઃખ, લૂખું–સૂકું કશાને વિચાર કર્યા વિના જોતજોતામાં બન્ને જીરા (પંજાબ) ગામે ગુરુદેવની સમીપ પહોંચી ગયા.
ગુરુદેવના ચરણમાં સાનંદનયને વંદણુ કરી. ગુરુદેવે પણ પિતાના પ્રિય શિષ્યોની ભક્તિ જોઈ સજળ નયને બન્નેને પ્રેમ અને વહાલથી ઉઠાડ્યા અને પ્રફુલ્લ મનથી તેમની ભક્તિ માટે ધન્યવાદ આપ્યા.
તમારી ગુરુભક્તિ આદશ છે, લલિતવિજય! આ સેહનને તે તે કથીરનું સોનું બનાવી દીધું. કાચમાંથી આવું રત્ન તે બનાવ્યું શી રીતે ! આ તે મહાન તેજસ્વી અને પ્રતિભાશાલી જણાય છે. ચાલે, બહુ આનંદ થયો. મારાં
ડાં કાર્યો સહન કરશે તેમ લાગે છે.” ગુરુદેવે પિતાના શિષ્યની પ્રભા જોઈ ભવિષ્ય ભાખ્યું.
Page #52
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાધ્યાય
“ ગુરુદેવ ! આપે સે। સે। . પરીક્ષા કરીને તે મેાતી મેાકલ્યું, તે પાણીદાર જ હોય ને ! આપની કૃપાદૃષ્ટિ અમારા સૌ પર છે. આપના આશીર્વાદથી મધું સુલભ ખની જાય છે. ” શ્રી લલિતવિજયજીએ નમ્રતાથી કહ્યું.
૨૪
ચાર મહિનાના ટૂંકા ગાળામાં દૂર દૂરથી વિહાર કરી આવી પહોંચેલ ગુરુભાઈ આનું સંઘ અને સાધુઓએ બહુમાન કર્યું.
ગુરુદેવના ચરણમાં આવી રહેવાના અને ગુરુદેવની સેવામાં રહી વિદ્યાભ્યાસ કરવાના અમૂલ્ય લાભ શ્રી સાહન વિજયજીએ મેળવ્યેા. ૧૯૬૧નું ચાતુર્માસ જીરા (પંજાબ)માં; ૧૯૬૨નું ચાતુર્માસ લુધિયાનામાં, ૧૯૬૩નું ચાતુર્માસ અમૃતસર અને ૧૯૬૪નું ચાતુર્માસ ગુજરાનવાલામાં કર્યું.
Page #53
--------------------------------------------------------------------------
________________
ધન્ય જીવન
વરુદેવ ! આજે આપના મુખારવિંદ પર અશાંતિ અને મૂંઝવણ કેમ દેખાય છે? કોઈ પ્રસંગ એવો બન્ય છે કે સેવકથી કઈ અવિનય થયો છે? કોઈ પત્રે ચિંતા ઉપજાવી છે કે શરીર અસ્વસ્થ છે? ગુરુદેવ, જે હોય તે જણાવો. હું આપનું મનદુઃખ નથી જોઈ શકતે.” ગોચરી લઈને આવેલ મુનિજીએ ચિંતાતુર બેઠેલા ગુરુદેવને પૂછયું.
સોહનતારી વાત સાચી છે. બીજું તે કંઈ જ નથી, પણ ગુજરાનવાલાથી આજે એક પત્ર છે, અને તેણે મને ભારે મૂંઝવણમાં મૂકી દીધો છે.” ગુરુદેવે કહ્યું.
શું સમાધિમંદિર બાબત કાંઈ છે કે જૈન બિરાદરીમાં જ આપસ આપસની લડાઈ સળગી છે?” શ્રી સેહનવિજયજીએ અટકળ કરી.
વાત એમ છે કે સનાતની લોકેએ જૈન ધર્મ પર અસત્ય આક્ષેપ કરવા શરૂ કર્યા છે, એટલું જ નહિ પણ જગપૂજ્ય સર્વશાસ્ત્રનિષ્ણાત પંજાબદેશદ્ધારક ગુરુદેવના
Page #54
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાધ્યાય અજ્ઞાનતિમિરભાસ્કર” અને “શ્રી જૈનતજ્યાદશ” બન્નેને અસત્ય ઠરાવવા અને જૈન ધર્મની અવહેલના થાય એમ કરવા પ્રયાસ શરૂ કર્યો છે.” ગુરુદેવે સ્પષ્ટતા કરી.
પણ ત્યાં તે આચાર્ય મહારાજ શ્રી વિજયકમળસૂરિજી છે અને ઉપાધ્યાયજી મહારાજ શ્રી વીરવિજયજી મહારાજ પણ છે. તેઓ આ માટે પ્રયત્નશીલ હશે જ.”
તેઓ તે પૂરો પ્રયત્ન કરે છે પણ તેઓશ્રીની અને શ્રી સંઘની ઈચ્છા છે કે આપણે ત્યાં હાજર હોઈએ તે સારો પ્રભાવ પડે અને જડબાતોડ જવાબ આપી શકાય.” આચાર્યશ્રીએ જણાવ્યું.
“પણ ગુરુદેવ કયાં ગુજરાનવાલા અને કયાં ખવાઈ? ૪૫૦ માઈલ જેટલે દૂરથી કેમ પહોંચાશે ! વળી આ આગ વરસતી ગરમી ! કેઈ વિદ્વાનને મોકલીએ અથવા આપણે અહીંથી પૂરતા પ્રમાણે લખી મોકલીએ.” મુનિજીએ પિતાનો વિચાર પ્રગટ કર્યો.
ભાઈ ! આ.કાંઈ બચ્ચાના ખેલ નથી. શાસ્ત્રાર્થ કરવા સહેલા હેય પણ વાદવિવાદમાં તે અનેક જાતની શક્તિ જોઈએ. ચર્ચા કરવાની તાકાત હોવી જોઈએ. મને તે લાગે છે; ગમે તે ભેગે આપણે પહોંચી જઈએ. હા. પણ મને લાગે છે કે તું આટલી મજલ નહિ કાપી શકે. હમણાં શરીર બરાબર નથી રહેતું, તેથી મને ચિંતા થયા કરે છે.” ગુરુદેવે ચિંતા વ્યક્ત કરી.
ગુરુદેવ! એ ચિંતા ન કરે. શરીરને કાંઈ થવાનું નથી. અને કાંઈ થયું તે મને આપની ભક્તિ કર્યાને આત્મ
Page #55
--------------------------------------------------------------------------
________________
ધન્ય જીવન
સતાષ રહેશે. ” મુનિએ તૈયારી બતાવી.
“ તા તૈયારી કરે. આવતી કાલે સવારે જ મગળ મુહૂતે વિહાર કરવા છે. ૨૦ માઈલ સવારે ને ૧૦ માઈલ સાંજે. આજે પત્ર લખી દઉં છું જેથી સંઘને શાંતિ રહે.
૨૭
""
“ ધર્મલાભ ! આહા ! લાલા જગન્નાથજી કે !” વંદન કરતા પ્રચંડ પંજાબી આગેવાનને કહ્યું. “અરે, તમારી જ વાત કરતા હતા. ગુરુદેવ તે તમારા પત્ર આવતાં જ ભારે મૂંઝવણ અનુભવતા હતા, પણ હમણાં જ ત્યાં આવવાના નિય કરી ગુરુદેવ બહાર ગયા. ’”
“મહારાજશ્રી ! ધન્ય ધન્ય એ ગુરુદેવને. અમે તે બધા વિમાસણમાં પડચા છીએ. ત્યાં શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી તથા શ્રી ઉ. વીરવિજયજી તેા છે, પણ અમારા પ્યારા વલ્લભ વિના કાંઈ બેડા પાર થઇ શકે છે ! આમ તેઓ પણ કહે છે; અને શ્રી સંઘ તે આપની માળા જપી રહ્યો છે.” ગુજરાનવાલાથી આવેલા લાલા જગન્નાથજીએ ખુલાસા કર્યાં. ગુરુદેવ ! અહી` જ પધારાને. હમણાં જ લાલા જગન્નાથજી આવ્યા ને મેં તેમને આપણા નિણૅય જણાવ્યેા. તે તે નિરાશ થઇ ગયા હતા અને આટલે બધે દૂરથી કેમ પહેાંચાશે, તેમજ ચિંતા કરે છે. ” મુનિજીએ નિવેદન કર્યું.
''
“ આવે ! આવે ! લાલાજી ! તમે હવે નિશ્ચિત થઈ જાએ. મેં પત્ર લખી દીધેા છે. તમે પણ કુશળ સીધાવે, અમે આવતી કાલે વિહાર કરીએ છીએ અને જુએ તા ખરા ૧૫ દિવસ તેા થવાના પણ નથી ને ગુજરાનવાલાની બજારમાં, શાસ્ત્રાર્થીની એ પ્રચંડ વિજયઘાષણા ગુરુદેવના
Page #56
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાધ્યાય
પ્રતાપે કરીશું.” આચાર્યશ્રીએ ભવિષ્ય ભાખ્યું.
લાલા જગન્નાથજી ને ખીંવાઇન સંઘના લકે તે આ પ્રતાપી પુરુષની વાણી અને દઢતા જોઈ દિંગ થઈ ગયા. હર્ષાશ્રુથી બધાએ આ પવિત્ર મહારથીને વંદન કર્યા.
સાચે જ એ ઉગ્ર વિહાર હતો. સવાર ને સાંજની મજલ પર મજલ ચાલતી. આરામના સમયનો વિચાર નહોતે. જેઠ મહિને હતે. પંજાબ દેશની અગ્નિ વર્ષાવતી ગરમી, જાણે આકાશમાંથી અંગારા વરસતા ન હોય. માત્ર ધર્મને માટે, ગુરુભક્તિ માટે ક્ષુધાપિપાસા અને કન્ટેની પરવા કર્યા વિના લાંબાલાંબા વિહાર કાપે જાય છે, ગુરુ અને શિષ્ય.
અધૂરામાં પૂરું તેઓશ્રીની આંખો આવી, પગ સૂજી ગયા, પગમાંથી લોહી ટપકવા લાગ્યું, પણ એ વીર
દ્ધા પાછા ન પડયા. ગુરુદેવને કંઈ જણાવા ન દીધું. બરાબર ૧૪ દિવસની મજલ પછી પંદરમે દિવસે ભારે ધામધૂમથી પ્રવેશ કર્યો. ગુજરાનવાલાના આબાલવૃદ્ધોમાં આ ગુરુના ફિરસ્તા માટે ભારે સન્માન ઉત્પન્ન થયું. ધન્ય ધન્ય ગુરુ-શિષ્ય ! ધન્ય ધન્ય ગુરુપ્રેમ, ધર્મપ્રેમ, શાસનપ્રેમ.
અહીં શાસ્ત્રાર્થ વગેરેનું કામ પતાવી મુનિજી પાછા ગુરુદેવ સાથે ગુજરાતમાં આવ્યા અને પાલનપુરના માસામાં ફરી પાછા સખત બિમાર થઈ ગયા; પણ અહીં થોડા દિવસમાં આરામ થયો. ચોમાસા પછી વડેદરાનિવાસી એક યુવક શ્રી નાથાલાલભાઈને દીક્ષા આપવામાં આવી અને તે શ્રી સેહનવિજયજીના શિષ્ય થયા. તેમનું નામ શ્રી મિત્રવિજયજી રાખવામાં આવ્યું.
Page #57
--------------------------------------------------------------------------
________________
ધન્ય જીવન
૨૯
દીક્ષા મહોત્સવ પછી રાધનપુરથી સુપ્રસિદ્ધ શેઠ મેતીલાલ મુળજીને શ્રી સિદ્ધાચળને સંઘ નીકળે, તેમાં ગુરુદેવની સાથે પાલીતાણા ગયા અને તીર્થાધિરાજનાં દર્શન કર્યા. પાલીતાણામાં ફરી પાછી તબિયત લથડી. તે પણ હિંમત કરી ગુરુદેવ સાથે ભાવનગર ગયા. ત્યાં ગુરુકૃપાથી એક અનુભવી વૈદ્ય મળી ગયા અને રોગ મૂળથી ગયે.
અહીં પૂજ્યપાદ ગણિ શ્રી મુક્તિવિજયજી (શ્રી મૂલચંદ મહારાજ) મહારાજના પટધર આચાર્ય શ્રી વિજયકમલસૂરિજી મહારાજના હસ્તકમલથી શ્રી ગુરુદેવની સમક્ષ મુનિ શ્રી મિત્રવિજયજીની વડી દીક્ષા થઈ
અહીંથી વિહાર કરી ગુરુદેવની પવિત્ર જન્મભૂમિ વીરક્ષેત્ર વડેદરામાં આવ્યા અને ૧૯પનું ચેમાસુ ગુરુદેવની પવિત્ર સેવામાં વ્યતીત થયું. વડેદરાના ચોમાસામાં ગુરુ મહારાજના ગુરુભાઈ મુનિશ્રી મેતીવિજયજીની પાસે મહારાજશ્રીએ ઉત્તરાધ્યયન અને આચારાંગસૂત્ર વગેરેના યેગનું વહન કર્યું.
ચાતુર્માસ પછી ગુરુમહારાજના ગૃહસ્થાશ્રમના વડીલબંધુ શ્રી શેઠ ખીમચંદ દીપચંદે કાવી ગન્ધાર તીર્થન સંઘ કાઢયે. તેમાં ગુરુમહારાજ સાથે જવાનો લાભ મળે. તીર્થયાત્રા કરી ભરૂચમાં મુનિસુવ્રતસ્વામીનાં દર્શન કરી શ્રી જગડીયા તીર્થની યાત્રા કરી ગુરુમહારાજની સાથે સૂરતમાં આવ્યા.
સૂરતમાં પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ, શાન્તભૂતિશ્રી હંસવિજયજી મહારાજ આદિ ૪૦ મુનિરાજોના
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૦
ધર્મવીર ઉપાધ્યાય દર્શનને લાભ મળે.
પાલી (મારવાડ)ના રહીશ ને વેપારાર્થે વડેદરા શહેરમાં રહેતા શ્રીમાન શેઠ સૌભાગ્યચંદ્રજી વાગરેચા મુતાના સુપુત્ર શા. સુખરાજજી છેડા સમયથી મહારાજશ્રી પાસે રહી અભ્યાસ કરતા હતા. તેમણે પિતાની દીક્ષા લેવાની ભાવના પ્રગટ કરી અને ૧૯૬૭ના મહા વદી ને રવિવારના મહેત્સવપૂર્વક શ્રદ્ધેય મુનિપુંગવ પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજશ્રી આદિ ૫૦ મુનિરાજની સમક્ષ શ્રી સુખરાજજીને દીક્ષા આપવામાં આવી. તેમનું નામ મુનિ સમુદ્રવિજય રાખવામાં આવ્યું. દીક્ષા મહોત્સવને તમામ ખર્ચ શ્રી સુખરાજજીના વડીલબંધુ શા. પુખરાજજી વાગરેચા મુતાએ આપ્યો અને સમારેહ બહુ જ શાંતિપૂર્વક અને આનંદપૂર્વક ધૂમધામથી કરવામાં આવ્યો.
ગુરુમહારાજની આજ્ઞાથી સૂરતથી મુનિશ્રી મોતીવિજયજીની સાથે ભરૂચ તરફ વિહાર કર્યો અને શ્રી સમુદ્રવિજ્યજીના ચેગ પ્રારંભ થઈ ગયા. ભરૂચમાં બિરાજમાન આચાર્યવર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજના હસ્તકમલથી શ્રી સમુદ્રવિજયજીને ફાગણ સુદ પના દિવસે વડી દીક્ષા આપવામાં આવી. ૧૯૬૭નું ચાતુર્માસ પણ આચાર્યવર્ય શ્રી સિદ્ધિસૂરીશ્વરજીની સેવામાં સમાપ્ત થયું. અહીં તેમની પાસે શ્રી મહાનિશીથ આદિ સૂત્રનું વહન શરૂ કર્યું તેમજ પંડિતની પાસે ન્યાયને અભ્યાસ કરતા રહ્યા. પછી ડાઈ થઈ વડેદરા મુનિ સંમેલનના પ્રસંગે ગુરુદેવ સાથે પોતે પણ હાજર રહ્યા.
Page #59
--------------------------------------------------------------------------
________________
ધન્ય જીવન
૩૧
સં ૧૯૬૮નું ચાતુર્માસ ગુરુવર્યની સાથે ડભોઈમાં કર્યું. ચાતુર્માસમાં વિદ્યાભ્યાસની સાથે ચાતુર્માસિક તપ કર્યું, અને તે ઉપરાંત મુનિશ્રી ઉમંગવિજયજી, શ્રી વિબુધવિજયજી, શ્રી વિદ્યાવિયજી, શ્રી વિચારવિજ્યજી, શ્રી મિત્રવિજ્યજી, શ્રી કપૂરવિજયજી અને શ્રી સમુદ્રવિજયજી આદિ સાધુઓને શ્રી મહાનિશીથ, કલ્પસૂત્ર, શ્રી આચારાંગ અને ઉત્તરાધ્યયન વગેરે સૂત્રનું વહન કરાવ્યું.
ડભેઈનું માસું પૂર્ણ કરી ગુરુ મહારાજની આજ્ઞા લઈ શ્રી સહનવિજયજી મહારાજ પિતાના બન્ને શિવે શ્રી મિત્રવિજયજી અને શ્રી સમુદ્રવિજયજી સાથે સિદ્ધાચલજી યાત્રા માટે ગયા. યાત્રા આનંદપૂર્વક કરી અને ત્યાં પાલી મારવાડનિવાસી શેઠ સૌભાગ્યચંદજીના સુપુત્ર અને શ્રી સમુદ્રવિજયજીના ગૃહસ્થાશ્રમના મોટાભાઈ શ્રી મુળરાજજીએ ૧૯૬૮ ના ફાગણ સુદ ૨ ના દીક્ષા ગ્રહણ કરી અને તેમનું નામ “ સાગરવિજય” રાખવામાં આવ્યું. અહીંથી વિહાર કરી અમદાવાદ આવ્યા. અહીં શાંતમૂતિ શ્રી હંસવિજયજી મહારાજશ્રીના શિષ્યરત્ન પંન્યાસશ્રી સંપતવિજયજીના શુભહસ્તે શ્રી સાગરવિજયજી મહારાજને ચિત્ર વદ ત્રીજના રોજ વડી દીક્ષા આપવામાં આવી.
અમદાવાદથી વિહાર કરી વડેદરા, સૂરત આદિ નગરમાં ધર્મપ્રચાર કરતા કરતા તેઓશ્રી પોતાના પૂજ્ય ગુરુદેવની સાથે મુંબઈ આવી પહોંચ્યા. અહીં શ્રીમતી સરસ્વતી બહેન તરફથી ઉપધાન તપની આરાધના પણ થઈ. શ્રી ગુરુદેવની અધ્યક્ષતામાં આપે ઉપધાનનાં વિધિવિધાન કરાવ્યાં.
Page #60
--------------------------------------------------------------------------
________________
[ 9 ] પન્યાસ બન્યા
મું
બઇમાં ૧૯૬૯ નું ચાતુર્માસ ગુરુમહારાજની સાથે કર્યું અને ત્યાંથી ગુરુદેવની આજ્ઞા લઇ માળવાની તરફે વિહાર કર્યાં. રતલામમાં શાંતમૂર્તિ શ્રી સવિજયજી મહારાજ તથા પન્યાસજી શ્રી સંપત્તિવજયજી મહારાજની પાસે થાડા દિવસ રહી સેલાણા શ્રી સંઘની વિનંતિથી સેલાણા પધાર્યાં.
અહીં શ્રી ઋષભદેવ ભગવાનનું ભવ્ય મંદિર છે. મંદિર ઉપર ધ્વજાદંડ ચઢાવવાના હતા. તે પ્રસંગે ઉત્સવ કરવામાં આબ્યા હતા. સેલાણાનરેશે . આ પ્રસંગે ખાસ હાજરી આપી. તેમને જૈનધર્મ પર પ્રેમ છે અને તેને શ્રી ઋષભદેવ પર શ્રદ્ધા છે. મદિરને માટે તેમના તરફથી જાગીર પણ આપેલી છે. ત્યાંથી વિહાર કરી સ. ૧૯૭૦ નું ચેામાસું રતલામમાં કર્યું. ૫. શ્રી. સંપવિજયજી ભગવતીસૂત્રના ચેાગેાન્દ્વહન કર્યાં.
મહારાજની પાસે
Page #61
--------------------------------------------------------------------------
________________
સન્યાસ મન્યા
ચાતુર્માસ પૂરું થતાં શ્રી સવિજયજી મહારાજની અધ્યક્ષતામાં ૫. શ્રી સંપતવિજયજી મહારાજશ્રીના શુભ હસ્તે તેમને ‘ ગણી ’ પદવી આપવામાં આવી, અને તેમના જ મંગલ હસ્તે મહાશુદ પાંચમ ( સં ૧૯૭૧ ) ના દિવસે હજારો મનુષ્યેાની વચ્ચે સમારાહપૂર્વક તેમને પન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા.
૩૩
ચેાગે દ્વહન વિધિવિધાનમાં શ્રી
સમુદ્રવિજયજી ઘણા જ સહાયક થયા. રતલામથી ધમણેાદ, સમિલયાતીની યાત્રા કરી પન્યાસજી વડનગર પધાર્યા. વડનગરથી માંડવગઢના સંઘ તેઓશ્રીની અધ્યક્ષતામાં નીકળ્યે, તેમાં ૧૫૦૦ લગભગ સ્ત્રીપુરુષ હતાં.
માંડવગઢ એક વખત વૈભવશાળી સમૃદ્ધ નગર હતું. પેથડકુમાર અને મત્રી સગ્રામસેાની જેવા ધનાઢય પુરુષો માંડવગઢનાં રહ્ના હતાં.
આજે તે! માંડવગઢના ગગનચુમ્મી મહેલાના ખંડેરો અવશેષરૂપ દેખાય છે.
માંડવગઢથી વિહાર કરી દીઠાન થઇ મહુ આવી પહેાંચ્યા. મહુના લેાકેાની ધાર્મિક ભાવના જાગી ઊઠી. શ્રી મહાવીર જયન્તીના ઉત્સવ ઉજવવામાં આવ્યું.
ઈન્દોર શ્રી સંઘ વિનંતિ કરવા આબ્યા, અને મહારાજશ્રીએ ધૂમધામપૂર્વક ઇન્દોરમાં પ્રવેશ કર્યાં. અહીં ખરતર અને તપગચ્છના ભાઇઓમાં કેટલાક સમયથી વેમનસ્ય ચાલી રહ્યું હતું. પન્યાસજીની અમૃત વાણીથી જાદુ થયું અને બધા મળીને ધકા કરવા લાગ્યા.
Page #62
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાધ્યાય
કેવું મનહર દશ્ય ! જીવનમાં આવું દૃશ્ય આજે જ જોયુ. હારા સાધુએ આવી ગયા પણ આ મિલન અપૂવ જ ગણાય. હર્ષાશ્રુ ભર્યાં નયને એક વૃદ્ધ જન ખેાલી ઊઠયા. “ કાકાસાહેબ ! ઈન્દોરનું સૌભાગ્ય કે આવા સંતસમાગમ થ્યા. શ્વેતાંબર સ્થાનકવાસીને મેળ જ શાના હાય ? એક મૂર્તિપૂજા પાછળ ગાંડા બન્યા હોય ત્યારે બીજો સ્થાનકને જ મહત્ત્વ આપતા હેાય. આજે જન્મ જન્માંતરમાં નહિ જોયેલું આ આખાએ જોયુ.” બીજા મહાનુભાવે પેાતાના ભાવ જણાવ્યા અને ખરેખર એ દૃશ્ય મનહર હતું જ.
૩૪
સ્થાનકવાસી સ'પ્રદાયનો ઉપાશ્રય, શ્રી પ્રસન્નચંદ્રજી મહારાજ ત્યાં હાજર હતા. ઉપાશ્રયના વ્યાખ્યાન હાલ સ્ત્રી-પુરુષો, બાળક, અધિકારી વર્ગ, શ્વેતાંબરો, દિગમ્બર અને સ્થાનકવાસી શ્રાવકા ઉપરાંત અન્ય સપ્રદાયના સજનાથી ઉભરાઇ ગયા હતા. ભારે ઠંડુ જામેલી. પાટની એક ખાજી શ્રી પ્રસન્નચંદ્રજી મહારાજ, બીજી તરફ પં. શ્રી સાહનવિજયજી મહારાજ, માંગલાચરણ શરૂ થયુ' ને આખીએ સભા મંત્રમુગ્ધ થઈ ગઈ.
પ્રવચન શરૂ થયું. જૈન ધર્મની વિશાળતા, જૈન ધર્મના તત્વોની સામ્યતા, સિદ્ધાંતાની ઉત્તમતા અને સામ્પ્રદાયિક વ્યામાહના ત્યાગની ઉપદેશધારા જ્યાં અલી ત્યાં વૃદ્ધ જનાની આંખેામાં આંસુ છલકાઇ ગયાં. સહુ મહારાજશ્રીની ભુરિ ભૂર પ્રશંસા કરવા લાગ્યા.
ઈન્દોરના જૈનસમાજ હર્ષથી નાચી રહ્યા. ઘેરેઘેર
Page #63
--------------------------------------------------------------------------
________________
પંન્યાસ બન્યા
૩૫
આનંદઉત્સવ થઈ રહે.
ઈન્દોરના ઈતિહાસમાં આજ દિવસ સુવર્ણાક્ષરે લખાઈ ગયે. ધમની પ્રભાવના વધી. એક સંગીતમંડલીની સ્થાપના થઈ.
ઈન્દોરથી વિહાર કરી શ્રી મક્ષી તીર્થની યાત્રા કરી ઉજજૈન થઈવડનગરમાં પ્રવેશ કર્યો. શેઠ માનાજી કસ્તૂરચંદએ શ્રી નવપદજીનું ઉદ્યાપન કર્યું. વડનગરમાં ચાતુમસ નક્કી થયું; આથી નવયુવકે અને સંઘ સમસ્તને આનંદ થયે. પણ વિધિના નિર્માણ કાંઈ જુદાં જ હતાં. ચોમાસાને થોડો સમય હતો તેથી પંન્યાસજી મહારાજ વડનગરથી બદનાવર પધાર્યા. અહીં ઓસવાળનાં ૧૦૦ ઘર છે. બે પ્રાચીન મંદિર છે. મોટા મંદિરના ભંયરામાં સંપ્રતિ રાજાની ભરાવેલી શ્રી રાષભદેવ ભગવાનની અલૌકિક અને ચમત્કારી મૂર્તિ છે. આઠ દિવસમાં તે ૧૫-૨૦ મૂર્તિપૂજક જેનોને બદલે જૈનેનાં બધાં ઘરે અને જૈનેતર લેક તથા અધિકારી વર્ગ પણ તેઓના વ્યાખ્યાનથી બહુ જ આકર્ષિત થયા.
જેઠ સુદ અષ્ટમીના દિવસે સ્વગય ન્યાયામ્બેનિધિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર મહારાજને જયન્તી મહત્સવ સમારંભ પૂર્વક થયો. આ પ્રસંગથી જાગૃતિ આવી. વડનગર, કાનયન, રતલામ, મુલથાન વગેરેના લોકો અન્ય પ્રસંગે આવ્યા. શ્રી નવપદજીની પૂજા ભણાવવામાં આવી તથા સાધમી વાત્સલ્ય થયું. આપના સતત ઉપદેશથી બદનાવરની જનતા પર ખૂબ પ્રભાવ પડ્યો. શ્રી સંઘે નિશ્ચય
Page #64
--------------------------------------------------------------------------
________________
૩૬
ધર્મવીર ઉપાધ્યાય
કર્યો કે ગમે તે થાય પણ મહારાજશ્રીનું ચામાસું તે
અહીં જ કરાવવુ.
વ્યાખ્યાનના સમય હતેા. ઉપદેશવર્ષા ચાલુ હતી. જનતા મત્રમુગ્ધ બની હતી. એકાએક સંઘના આગેવાન ભાઈ આ ઊભા થયાઃ ગુરુવર્યાં, અમારી પ્રાથના સ્વીકારો. અમારું ગામ આપ જેવા મહાત્માના દર્શનથી પવિત્ર થયું છે. કદી સંતસમાગમ થયા નથી. જૈન શાસનના પ્રભાવ અમે આજે જ જાણ્યા. જો અમારાં જીવન સફળ કરવાં હાય, જૈન ધર્મમાં અમારે પ્રેમ દૃઢ કરવા હાય, અમારામાંથી ભૂલેલા કેટલાકને ભગવાન મહાવીરના ધમાં લાવવા હાય તા અમારી હાર્દિક પ્રાર્થના સ્વીકારા ! ચાતુર્માસ અત્રે જ થવું જોઈ એ. શ્રી સંઘની,-અહીં બેઠેલા સવે બહેનભાઈ એની આ વિનતિ માન્ય કરે. ”
(6
કહેતાં કહેતાં સ્ત્રીપુરુષાનાં નેત્રામાંથી અશ્રુધારા વહેવા લાગી. ગુરુવની આંખેા પણ ભરાઈ આવી.
પન્યાસજીએ બધાને શાંત કર્યા. “ મહાનુભાવે ! તમારી ગુરુભક્તિ અદ્વિતીય છે. હું તમને નિરાશ કરવા નથી ઈચ્છતા, પણ તમે જાણો છેઃ હું વડનગરમાં બંધાઈ ચૂકયા છું. છતાં એક માર્ગ છે. તમે ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરિજી પાસે જા. તેમની આજ્ઞા મારે શિરોધાય છે. ”
પહેલાં તે બદનાવરના સંઘમાંથી શ્રીયુત નન્દરામજી ચાપડા, શ્રી નંદરામજી લેાઢા, શ્રી રીખભદાસજી પારખ આદિ ચાર સજ્જને વડનગર ગયા. ત્યાં સંઘ સમસ્તને એકત્ર કરી પેાતાની ભાવના રજૂ કરી. આ વાત સાંભળી બધા
Page #65
--------------------------------------------------------------------------
________________
પંન્યાસ બન્યા
૩૭
ચકિત થયા. ચોમાસા માટેની તૈયારી થઈ ગઈ હતી. નવયુવકે તો રચનાત્મક કાર્ય માટે તલસી રહ્યા હતા. ગુરુવર્યની સુધાવાણી સાંભળી કૃતાર્થ થવાની ભાવના બધા સેવી રહ્યા હતા. ૨૪ વર્ષ પછી અહીં એક મહાત્માનું ચોમાસું થતું હતું. ધાર્મિક કૃત્ય માટે પણ રોજના થઈ ગઈ હતી. હવે શું થાય! આ વાત સાંભળી બધાનાં મન દુઃખી થયાં. નવયુવકે તે બહુ જ નારાજ થયા. સ્ત્રીઓ તે આંસુ સારવા લાગી. પણ વૃદ્ધ જનેએ વિચાર કર્યો કે બદનાવરમાં વિશેષ લાભ થતો હોય તો આપણે આગ્રહ ન રાખીએ. વૃદ્ધ જનેએ કહ્યું: “તમે ગુરુદેવની આજ્ઞા લાવો. બધાં સારાં વાનાં થઈ રહેશે.’
આ સાંભળી ચારે સજજને સૂરત આચાર્યશ્રી વિજય વલ્લભસૂરિજી પાસે ગયા. આચાર્યશ્રીને વસ્તુસ્થિતિ સમજાવી અને બદનાવર માટે આજ્ઞા આપવા પ્રાર્થના કરી. બદનાવરના લોકોની ભાવના જણાવી અને આવા વિરલ પ્રસંગને લાભ અમને મળવું જોઈએ તેમ અનુરોધ કર્યો. આચાર્ય મહારાજશ્રીએ લાભાલાભને વિચાર કરી બદનાવર માટે આજ્ઞા આપી. બસ ! પછી તે પૂછવું જ શું! આ ભાઈઓના આનંદનો પાર ન રહ્યો. બદનાવર તારથી ખબર આપી. સંઘ સમસ્તને ભારે હર્ષ થયે. પિતાના ભાગ્યને ધન્ય માનવા લાગ્યા.
પણ મહારાજશ્રી તે આ વખતે વડનગરમાં હતા. ગુરુ મહારાજને આજ્ઞાપત્ર લઈને બદનાવરવાળા ભાઇઓ આવી પહોંચ્યા. મહારાજશ્રી પણ આજ્ઞાપત્ર જોઈ ચકિત
વશ્વભરૂરિજી માટે આજ્ઞા અને આવા વિ
Page #66
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાધ્યાય
૬૮
થયા. વડનગરના સંધને કેટલું દુઃખ થશે તે વિચારથી પ્લાનિ થઇ. વડનગરના સંઘ સમસ્તને આ સાંભળી ખેદ થયા. ગુરુ મહારાજે સંઘને પ્રેમભર્યા શબ્દોમાં કહ્યુંઃ
“ સજ્જને ! આપ સૌના પ્રેમ, શ્રદ્ધા, ભકિત અને ઉત્સાહમાં કોઇપણ જાતની કમી નથી. આપ સૌના પ્રેમભાવથી વશ થઈ ધાર્મિક કાર્યની આશાએ મેં અહીં ચાતુર્માસ કરવાનું સ્વીકાર્યું, પણ ભાવિભાવ કાણુ જાણી શકે છે ! બદનાવરના સંઘ પણ આપણા જ સંઘ છે. ત્યાં વર્ષોથી કોઈ મુનિરાજનું ચાતુર્માસ થયું નથી. ત્યાં પણ ધર્મલાભ છે. તેમને પણ તમારાજેટલા જ આગ્રહ છે. વળી ગુરુદેવની આજ્ઞા પણ છે. હવે તમે દુઃખ ન લગાડશે. નિરાશ ન થશેા. તમને બે વખત આવીને મે' લાભ આપ્યું છે. પ્રસન્ન ચિત્તથી મને રજા આપેા. ’
હર્ષાશ્રુ વચ્ચે શ્રીસંઘે રજા આપી.
Page #67
--------------------------------------------------------------------------
________________
કલ્યાણકારી કાર્યો
૧૯૭૧નું ચોમાસું બદનાવરમાં થયું. આ બદનાવર એક વખત જૈન ધર્મનું કેન્દ્રસ્થાન હતું. જૈન ખંડેરે ને મૂર્તિઓ આજે પણ મળી આવે છે.
બદનાવરનું ચાતુર્માસ આનંદપૂર્વક થયું. પ્રતિદિન વ્યાખ્યાનમાં સેંકડો સ્ત્રીપુરુષોની ભીડ રહેતી. પર્યુષણ પર્વનું આરાધન ઉત્સાહ અને મહાન સમારેહપૂર્વક થયું. રથયાત્રા બડી ધૂમધામથી નીકળી. રતલામથી હાથી, વડનગરથી પાલખી, ડંકાનિશાન વગેરે લાવવામાં આવ્યાં. રતલામ, વડનગર, કાનયન, મુલથાન વગેરેના લકે મોટી
Page #68
--------------------------------------------------------------------------
________________
૪
ધર્મવીર ઉપાધ્યાય
સંખ્યામાં આવ્યા. આ રીતે રથયાત્રાને મહાત્સવ અપૂર્વ થયા. વળી ગુરુ મહારાજના ઉપદેશથી અહીનાં મદિરાના જીર્ણોદ્ધારનુ પણ કામ થયુ. સ્વર્ગવાસી ગુરુદેવ ન્યાયાંભાનિધિ જૈનાચાય ૧૦૦૮ શ્રીમદ્વિજયાન દસૂરીશ્વરજી ( આત્મારામજી ) મહારાજની મૂર્તિ હાથીને હદે લાવવામાં આવી. આ રીતે બદનાવરનું ચાતુર્માસ ચિરસ્મરણીય ગણાય.
બદનાવરથી વિહાર કરી મુલથાન થઈ ને તેઓ વડનગર પધાર્યા. વડનગર આઠ દસ દિવસ રહીને તે રતલામ આવ્યા. રતલામમાં અંદર અંદરના કલેશના કારણે જૈન પાઠશાલા અંધ હતી. મહારાજશ્રીના પ્રયાસથી કુસ’પ દૂર થયેા અને પાઠશાલા પુનઃ શરૂ થઈ. રતલામથી વિહાર કરી કરમદી, દાહોદ અને ગોધરા થઈ નાનામેટા ગામેામાં વિહાર કરતા કરતા કાઠીઆવાડના ખેારૂ ગામમાં પ્રાતઃ સ્મરણીય ગુરુદેવ શ્રી. વિજયવલ્લભસૂરિજી મહારાજના ચરણેામાં આવી પહેોંચ્યા.
શ્રી ગુરુમહારાજની સાથે તેઓ ધેાલેરા આવ્યા. સાધ્વી ચન્દ્રશ્રીને યોગાહન કરાવ્યા અને ગુરુદેવની અધ્યક્ષતામાં વડી દીક્ષા આપી ત્યાંથી વિહાર કરી સિદ્ધાચલ આવ્યા. સિદ્ધાચલનાં દર્શન કરી ગિરનારજીમાં શ્રી નેમીનાથ ભગવાનનાં દર્શન કર્યાં. જૂનાગઢમાં થોડા દિવસ રહી શ્રી સંઘની વિનતિથી પારખ ંદર તરફ વિહાર કર્યાં. ગુરુમહારાજની સાથે સાથે વથલી આવ્યા. અહી દાનવીર શેઠ દેવકરણ મુળજી તરફ્થી અંધાવેલુ એક વિશાળ જૈન મંદિર છે, અને એક જૈન ધર્મશાળા તથા ઉપાશ્રય છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
કલ્યાણકારી કાર્યો શેઠ શ્રી દેવકરણભાઈની ઉજ્જવલ કીતિના ચિરસ્થાયી સ્તંભ સમા આ ત્રણે સ્થાને આજે પણ વંથલીને શાભાવી રહ્યા છે. ગુરુમહારાજે તેઓશ્રીને પોરબંદર તરફ વિહાર કરવા આજ્ઞા કરી અને સાથે મુનિશ્રી મિત્રવિજયજી, સમુદ્રવિજયજી, વસન્તવિજયજી, પ્રભાવિજયજી, આદિ પાંચ સાધુઓને મેકલ્યા. પોરબંદરમાં ધૂમધામ પૂર્વક સ્વાગત થયું. અહીં સૂરતનિવાસી શ્રીમતી સરસ્વતી બહેને તેઓશ્રી પાસે બાર વ્રત ગ્રહણ કર્યા અને પ્રભાવના કરી.
ગુરુ મહારાજને કઈ કારણસર ફરી જૂનાગઢ જવું. પડયું. આથી તેઓ પણ જૂનાગઢ આવ્યા. શ્રી વેરાવળ સંઘને વિશેષ આગ્રહ હોવાથી ગુરુમહારાજે તેમને મુનિ શ્રી. વિદ્યાવિજયજી, વિચારવિજયજી તથા સમુદ્રવિજયજી સાથે વેરાવળ ચાતુર્માસ માટે આજ્ઞા આપી. વેરાવળના સંઘે આપનું ખૂબ સ્વાગત કર્યું. ધાર્મિક કૃત્યેની સુંદર પ્રભાવના થઈ. તેઓશ્રીના ઉપદેશથી વેરાવળમાં શ્રી આત્માનંદ જન લાઈબ્રેરી, શ્રી આત્માનંદ જૈન કન્યા પાઠશાળા: બન્ને સંસ્થાઓની સ્થાપના થઈ. આ કાર્ય વેરાવળના ઉત્કર્ષ માટે મહત્ત્વનું ગણાય. આજે પણ બન્ને સંસ્થાઓ સુંદર રીતે ચાલી રહી છે.
ચાતુર્માસ બાદ શેઠ પાનાચંદ વાલજીના વિશેષ અનુરોધથી તેમના મકાન પર ચોમાસું બદલ્યું. આ ખુશીમાં શેઠજીએ રૂ. ૨૦૧) લાઈબ્રેરીને દાન આપ્યું. ઉપરાંત તેઓશ્રીના ઉપદેશથી શેઠશ્રી પાનાચંદભાઈએ રૂ. ૧૫૦૦) શ્રી મહાવીર જૈન વિદ્યાલયને આપ્યા. લોકોને પણ આ
Page #70
--------------------------------------------------------------------------
________________
૮૨
ધર્મવીર ઉપાધ્યાય દાનથી આશ્ચર્ય થયું, કારણકે દ્રવ્ય તો હતું પણ ઉદારતા તે મહારાજશ્રીના ઉપદેશનું જ પરિણામ હતું.
ઉપરાંત શેઠ છગનલાલભાઈની તરફથી ઉપધાન તપની આજના વિશાળ રૂપમાં થઈ, તેમાં લગભગ રૂ. ૧૦૦૦) ખર્ચ થયું
ઉપધાન તપના અન્તમાં માલાપણને સમયે વેરાવળ સંઘની પ્રાર્થનાથી પૂજ્યપાદું ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરિજી જૂનાગઢથી અહીં પધાર્યા. . તેઓશ્રીના પ્રવેશ વખતે વેરાવળ સંઘે શ્રદ્ધાભક્તિથી
જે ઉત્સાહ દર્શાવ્યું તે પ્રશંસનીય હતે. શેઠ છગનલાલ ભાઈએ સાચા મેતી અને મહેરોથી ગુરુદેવને વધાવ્યા. માલાપણના દિવસને ઉત્સાહ વેરાવળના ઈતિહાસમાં અપૂર્વ હતો. ગુરુદેવના શુભ હસ્તે ઉપરની બન્ને સંસ્થાઓની સ્થાપના થઈ. ઉપરાંત શેઠ ગુલાબચંદજી કલ્યાણજી ખુશાલના સ્મરણાર્થે “શ્રી આત્માનંદ જન ઔષધાલય” નું ઉદ્ઘાટન થયું. આ કાર્ય માટે શેઠજી તરફથી રૂા. ૩૦૦૦૦) અને શેઠ સુંદરજી કલ્યાણજી ખુશાલની માતુશ્રી તરફથી રૂ. ૫૦૦૦) તેમજ અન્ય સગૃહસ્થાની તરફથી રૂા. ૨૫૦૦૦) નું ફંડ થયું. આજે ઔષધાલય ઉન્નતિ પર છે. જેન, અજૈન બધા તેને લાભ લઈ રહ્યા છે.
જ્યાં જ્યાં મહારાજશ્રી ગયા, જ્યાં જ્યાં ક્ષેત્રની સ્પના થઈ, જ્યાં જ્યાં ઉપદેશને પ્રસંગ આવ્યા ત્યાં ત્યાં આપણા ચરિત્રનાયક શ્રી સેહનવિજયજી મહારાજશ્રીએ
Page #71
--------------------------------------------------------------------------
________________
કલ્યાણકારી કાર્યો
૪૩
સંઘ સમસ્તના અને તે દ્વારા જેન સમાજના કલ્યાણના કાર્યો કર્યા.
કુસંપ હોય ત્યાં સંપ કરાવ્ય, નાનાં નાનાં ગામોમાં જૈન ધર્મની પ્રતિષ્ઠા વધારી, સ્થાનકવાસી સંપ્રદાયની સાથે પણ પ્રેમભાવ રાખે, સમાજના કુરિવાજો વિષે ખુલ્લે ખુલ્લા નીડરતાથી વ્યાખ્યાન આપ્યાં. સંસ્થાઓ સ્થાપન કરવા સ્થળે સ્થળે પ્રયાસ કર્યા. જૈન જૈનેતરને પોતાના વિચારોથી મુગ્ધ કર્યા. સમાજની જાગૃતિ અને ઉત્થાનના સ્વપ્ન સેવનાર, તે માટે અહોનિશ પ્રયત્ન કરનાર એ વિરલ આત્માને ધન્ય છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
વધતી જતી સુવાસ
રાવળથી ઉનાની પંચતીથી ના સંઘ કાઢવામાં આવ્યેા. તેમાં ઉનાદેલવાડા, અારા, દિવદર અને કોડીનારની યાત્રા કરી મહુવા, દાઠા અને તળાજા થઈ ગુરુદેવની સાથે તેઓ શ્રી સિદ્ધાચળમાં પધાર્યા. તી રાજની યાત્રા કરી શિહાર, ભાવનગર થઈ વળા આવ્યા. અહીં ગુરુ મહારાજની આજ્ઞાથી દેવશ્રીજીનાં શિષ્યા સાધ્વી ચરણુશ્રી, ચિત્તશ્રી અને ચ'પકશ્રીને યોગેન્દ્વહન કરાવી વડી દીક્ષા આપી. અહીંથી ગ્રામાનુગામ વિહાર કરતા કરતા ખંભાત પધાર્યાં. ખંભાત એક પ્રાચીન તીથ છે. શ્રી સ્તંભનપાર્શ્વનાથજીની અતિ પ્રાચીન અને પ્રભાવશાળી પ્રતિમા છે. અહી` શ્રી મહાવીર જયંતિને ઉત્સવ આનંદપૂર્વક
Page #73
--------------------------------------------------------------------------
________________
વધતી જતી સુવાસ ઉજવવામાં આવ્યો. ભગવાન મહાવીર સ્વામીના જીવન પર એક સુંદર મનનીય નિબંધ આપે લખી આપે, જે રાત્રિની સભામાં માસ્તર દીપચંદભાઈએ વાંચી સંભળાવ્યો.
અહીંથી વિહાર કરી વડોદરા સૂરત આદિ નગરો તથા ગામમાં વિચરતા ગુરુદેવ તથા પૂજ્ય પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજની સાથે આપ ભારતના સુપ્રસિદ્ધ નગર મુંબઈમાં આવી પહોંચ્યા. | મુંબઈ નગરીને આ પ્રવેશ અપૂર્વ હતે. ૩પ તો બેન્ડવાજા, સેંકડો મોટો અને ઘોડાગાડીઓ. બજારે અને રસ્તાઓ હજારે મનુષ્યથી ભરેલા. જૈન સમાજના હર્ષ પાર નહોતો. આ પ્રવેશ મહોત્સવ મુંબઈના ઈતિહાસમાં યાદગાર હતો.
ગુરુદેવ અને પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજનું ચાતુર્માસ મુંબઈમાં શ્રી ગોડીજીમહારાજના ઉપાશ્રયે થયું અને શ્રાવક સમુદાયની વિનતિ અને ગુરુ મહારાજની આજ્ઞાથી તેઓશ્રીનું મારું કેટના ઉપાશ્રયમાં થયું. આ ચાતુર્માસમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મકાન માટે ફંડ એકત્રિત થયું, ત્યારે શ્રી. પંન્યાસજી મહારાજના સદુપદેશથી કોટના શ્રી. સંઘ તરફથી રૂ. ૨૫૦૦૦) આપવામાં આવ્યા. આ ઉપરાંત આ ચોમાસામાં સૌથી વધારે શ્રેષ્ઠ કામ એ થયું કે અહીં માંગરોળનિવાસી ભાઈઓ વચ્ચે કેટલાક સમયથી જે કલેશ ચાલ્યો આવતો હતો તે તેઓશ્રીના સદુપદેશથી શમી ગયે અને બધા પ્રેમભાવથી રહેવા લાગ્યા.
Page #74
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાધ્યાય
ચાતુર્માસની સમાપ્તિ થયા પછી મુનિશ્રી સમુદ્રવિજયજી અને શ્રી. સાગરવિજયજી અને શિષ્યાને સાથે લઇને મુ.બઇથી વિહાર કર્યાં.મુંબઇથી અગાસ, વલસાડ, બિલીમેારા અને સૂરત વગેરે નગરેામાં પ્રચાર કરતા કરતા તે પાલેજ પધાર્યા.
૪૬
અહીં સ્ત્રીશિક્ષાના વિષય પર મહત્વપૂર્ણ વ્યાખ્યાન આપ્યાં. લેાકેા પર સારે પ્રભાવ પડયો. આ ઉપરાંત તેઓશ્રીના ઉપદેશથી અહીંના શ્રી સંઘ તરફથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સારી રકમની સહાયતા મળી.
અહીથી વિહાર કરી મીયાંગામ, પાદરા, દરાપુરા વગેરે ગામામાં વિચરતા વિચરતા શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજ તથા પ. શ્રી સપવિજયજી મહારાજના દનાથે મુજપુરમાં આવ્યા. અહીથી વડેદરા આવ્યા. ગુરુદેવ મુંબઈથી આવવાના હેાવાથી તેમની સેવામાં પાલેજ સુધી ગયા અને ત્યાંથી જુદાજુદા ગામનગરેશમાં વિચરતા માતરમાં સાચા દેવ શ્રી સુમતિનાથ સ્વામીની યાત્રા કરી અમદાવાદમાં આવી પહેાંચ્યા. અહી મુંબઇનિવાસી શેઠ ચાંપસીભાઈના સુપુત્ર શ્રી. લાલચને શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં ગુરુ મહારાજના શુભ હસ્તે દીક્ષાસંસ્કાર થયા અને રિવિજય નામ રાખવામાં આવ્યુ. તેમને તેઓશ્રીના શિષ્ય બનાવવામાં આવ્યા. આ દીક્ષામહાત્સવ વિ. સ. ૧૯૭૪ના વૈશાખ શુદ ૬ના દિવસે થયેા.
ગુરુદેવની આજ્ઞા થઈ કે ઉદયપુરના શ્રીસંઘની વિનતિ
Page #75
--------------------------------------------------------------------------
________________
વધતી જતી સુવાસ આવી છે. ઉદયપુરમાં ધર્મકાર્ય થવાની સારી સંભાવના છે, વળી શ્રી કેશરિયાજી આદિ તીર્થની યાત્રાને લાભ છે તો તે તરફ વિહાર કરવો જોઈએ. પંન્યાસજી મહારાજે આજ્ઞા શિરોધાર્ય કરી અને પિતાના શિષ્ય શ્રી. સમુદ્રવિજયજી, શ્રી સાગરવિજયજી, શ્રી રવિવિજયજી આદિ સમુદાય સાથે વલાદ, હિમતનગર, અહમદગઢ અને પ્રાંતીજ થઈ ઈડરગઢ પધાર્યા. અહીંથી અનેક જગાએ ધર્મોપદેશ દેતા દેતા ભારતવર્ષના સુવિખ્યાત તીર્થ શ્રી કેશરિયાનાથજી પધાર્યા.
આ તીર્થ અનુપમ ગણાય છે. શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા વિશાળ અને ભવ્ય છે. આ પ્રતિમાની પ્રાચીનતા વિષે એમ કહેવાય છે કે આ મૂતિ રાવણની ભરાવેલી છે. શ્રી કેશરિયાજી તીર્થની યાત્રા કરી આપ ઉદયપુરમાં પધાર્યા. નગરપ્રવેશની શોભા અપૂર્વ હતી. ૧૯૭૪નું ચોમાસું અહીં થયું. આ ચોમાસામાં ઉદયપુરમાં પ્રશંસનીય કામે થયાં.
1 વિવાહ પ્રસંગે વેશ્યાનૃત્યનો કુરિવાજ બંધ કરવામાં આવ્યો.
૨ બાળવિવાહની પ્રથાને પ્રતિબંધ કરવામાં આવ્યો.
આ ઉપરાંત અહીં વૃદ્ધ કે યુવાન ગમે તેના મરણ પાછળ જમણ થતું. જુવાન પુત્રની વિધવા સ્ત્રી ઘરમાં દુઃખી દુઃખી થઈ રહી હોય, ત્યારે પણ બધા લોકો જમણ જમતા. આ ત્રાસજનક રિવાજને બંધ કરવા મહારાજશ્રીએ નીડરતાથી ઉપદેશ આપ્યો અને તે રિવાજ
Page #76
--------------------------------------------------------------------------
________________
૪
ધર્મવીર ઉપાધ્યાય
કેટલેક અશે અધ થયા. તેમજ અહી સ્વયંસેવક મ`ડળની સ્થાપના પણ થઈ.
ચાતુર્માસમાં અઠ્ઠાઈ મહાત્સવ, પૂજા, પ્રભાવનાદિ કાય. આનંદથી થયાં. એક સમય ઉપદેશને માટે આપ રાજમહેલમાં ગયા અને (વમાન મહારાણા) રાજકુમાર શ્રી ભૂપાળસિંહજીને ઉપદેશ આપ્યા. આપની પ્રશંસા સાંભળી ઉદયપુર મહારાણાના જ્યેષ્ઠ બંધુ શ્રીયુત સૂરતસિ’હજી આપના દર્શનાર્થે ઉપાશ્રયમાં પધાર્યાં. એક કલાક વાતચીત થઈ અને પરસ્પર ધ ચર્ચા કરતા રહ્યા. મહારાણા સાહેઅના બંધુ આપશ્રીને મળીને બહુ જ પ્રસન્ન થયા.
ચાતુર્માસની સમાપ્તિ બાદ વિહાર કરીને નગરમહાર એક ધમ શાળામાં આપ શિષ્યપરિવાર સાથે પધાર્યા. ત્યાં જૈન ધર્મમાં અહિંસાતત્ત્વ ” એ વિષય પર પ્રભાવશાળી વ્યાખ્યાન આપ્યું. મહારાણાજીના જ્યેષ્ઠ બંધુ પણ આ સમયે હાજર હતા. તેમને આ વ્યાખ્યાનથી મહુ જ આનંદ થયા. તે પ્રસંગે તેમણે મહારાજશ્રીના ઉપદેશની પ્રશ ંસા કરી. અહીં આવતી ચેાવીશીના શ્રી પદ્મનાભ પ્રભુનું વિશાળ મદિર છે. તેમાં પૂજા ભણાવવામાં આવી. સાધર્મિક વાત્સલ્ય થયું. અહીંથી વિહાર કરી આપ દેવાલી પધાર્યા. અહીંથી આપ ભુવાણા પધાર્યા. અહીં ઉદયપુરથી હજારો સ્ત્રીપુરુષા આપનાં દર્શનાર્થે આવ્યાં. અહીં શેઠ શ્રી રાશનલાલજી ચતુર આદિ તરફથી પૂજા, સામિક વાત્સલ્ય થયું. અહીથી 'આપ એકલિંગ ગામમાં શ્રી શાંતિનાથ પ્રભુના દર્શનાર્થે પધાર્યાં. આ સ્થાન બહુ જ પ્રાચીન ગણાય છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
વધતી જતી સુવાસ
૪૯
અહી ૩૫૦ જૈન મંદિરે। હતાં. આજે તે ખડેરે પણ દેખાતાં નથી. માત્ર એક જ જનમદિર છે, જેના જીર્ણોદ્ધાર હમણાં થયા છે.
અહીથી વિહાર કરી આપ દેલવાડામાં આવ્યા. અહી ચાર સુંદર મંદિર છે. મદિરામાં સેંકડા પ્રતિમાઓ છે. અહીં ૨૦-૨૫ ઘર મહાત્માઓનાં છે, જે યતિઓમાંથી ગ્રહસ્થી બન્યા છે; અને જૈન ધર્મનું પાલન કરે છે.
દેલવાડાથી વિહાર કરી કરેડા તીથ માં પધાર્યા. કરેડામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું માટુ વિશાળ અને પ્રાચીન મંદિર છે. યાત્રાળુઓને રહેવા માટે શાળા પણ છે. અહી ઉદયપુરથી ૩૦૦ થી ૪૦૦ શ્રાવકશ્રાવિકા દશનાર્થે આવ્યાં હતાં. આપના ઉપદેશથી તીર્થાંની વ્યવસ્થા માટે ‘ મેવાડ તી કમીટી ’ની સ્થાપના થઈ. તેમાં આન્ગે! કે મેવાડ પ્રાન્તના તીર્થોના ઉદ્ધારને માટે શ્રી કરેડા તીની આવકમાંથી અડધા ભાગ મેવાડ પ્રાન્તના જીણુ મંદિરાના ઉદ્ધાર અર્થે ખચવા.
એવા ઠરાવ કરવામાં
અહી થી વિહાર કરી કપાસણ ગામે પધાર્યા. અહીંથી રાસી ગામે આવ્યા. અહી ઉપદેશ સાંભળવા અહીંના કિમ સાહેબ પણ આવતા હતા. અહીં ઉદયપુરનરેશના જયેષ્ઠ બંધુ શ્રી. સૂરતસિંહજીના પત્ર મળ્યા કે કરેડા તીથ માં આપ આવ્યા છે તે જાણી મને ખૂબ આનંદ થયા છે. આપ કૃપા કરી ત્યાં ઘેાડી સ્થિરતા કરશે અને જનતામાં અહિંસાના પ્રચાર કરશેા. તે પ્રમાણે થેાડા દિવસ આસપાસના પ્રદેશમાં વિહાર કર્યો અને પેાતાની મિષ્ટ વાણીથી આમ જનતાને અહિં સાના સદેશ સભળાવ્યેા.
Page #78
--------------------------------------------------------------------------
________________
લેાકપ્રેમ
< હીકિમ સાહેબ ! ધન્ય છે એ વીર દયાળશાહને જે એક શૂરવીર, ધર્મવીર અને કમવીર હતા. જૈન ધર્મના ઉદ્યોતને માટે એ વીર નરે ઘણાં ધમકાર્ય કર્યાં છે. તમારી વાત સાચી છે કે એક કરડ રૂપીઆના ખર્ચે વીર દયાળશાહે આ અનુપમ મંદિર બનાવ્યું છે. અને મહારાણા રાજસિંહે એટલા જ રૂપીઆ ખચી આ વિશાળ સરાવર અધાવ્યું છે: અન્ને અમર થઈ ગયા.
¢¢
77
મહારાજ સાહેખ ! આપ ત। મહાજ્ઞાની છે અને આપનું વચન પ્રમાણ છે, પણ આ પ્રદેશમાં જૈન લેાકા ઓછા થતા જાય છે અને દેવાલયેાની સ્થિતિ ભારે ખરાખ થતી જાય છે. ” હાકિમ સાહેબે પન્યાસજી મહારાજને જણાવ્યું.
Page #79
--------------------------------------------------------------------------
________________
પ૧
લોકપ્રિમ
બરાબર છે. ધર્મના નેતાઓનું કર્તવ્ય આજે ભૂલાઈ રહ્યું છે. આવા પ્રદેશમાં સમય સમય પર વિચરી ધર્મની જાગૃતિ રાખવી જોઈએ, તે અમારાથી ન બની શક્યું; પછી શું થાય ! લોકે તો બિચારા સરળ છે, અને અજ્ઞાન છે. જે તરફ દોરી જાઓ તે તરફ જાય.” મહારાજશ્રીએ સમાધાન કર્યું.
ગુરુવર્ય! અમને તે આપના ઉપદેશથી બહુ જ આનંદ થયે. અમે જે કે વૈષ્ણવ ધર્માનુયાયી છીએ, છતાં આપના સર્વધર્મ સમભાવના વિચારો તથા જૈન ધર્મની વિશાળતા સાંભળી અમને અત્યંત હર્ષ થયે છે. આવા અનેક ગામમાં આપ વિચરી રહ્યા છે તેથી જનતાને ધર્મને બંધ થયો. અમારા લેકોના નસીબમાં આપ જેવા જૈન સાધુઓનાં દર્શન જ કયાંથી હોય ! ”
વીર દયાળશાહના રાજનગરમાં મહારાજશ્રી આઠેક દિવસ રહ્યા અને ધર્મની પ્રભાવના સારી રીતે થઈ.
અહીંથી દેસૂરી, સુમેર, ઘાણેરાવ અને મૂછાળા મહાવીર પ્રભુની યાત્રા કરીને આપ સાદડી આવ્યા.
ગુરુદેવની આજ્ઞાથી સાદડીથી વિહાર કરી આપ નાડલાઈ નાડેલ અને વરકાણ તીર્થની યાત્રા કરી અને રાણી આવી પહોંચ્યા. આસપાસના ગામમાં ધર્મોપદેશ દેતાં દેતાં આપ પાલી આવ્યા. પાલીમાં નવલખા પાર્શ્વનાથજીનું ધામ ગણાય છે. અહીં આપ પંદર દિવસ રહ્યા અને ધર્મોપદેશ સંભળાવ્યું.
આપના દર્શનાર્થ પંજાબના ૫૦-૬૦ ભાઈબેને અહીં
Page #80
--------------------------------------------------------------------------
________________
પર
ધર્મવીર ઉપાધ્યાય આવ્યાં હતાં. પાલીના શ્રાવકોએ તેમની ખૂબ સેવાભક્તિ કરી.
અહીંથી જોધપુરની તરફ વિહાર કર્યો. ત્યાંથી ચાર કોસ દૂર એક ગામમાં મહારાજશ્રી આવ્યા. ગોચરી કરીને ઊઠયા હતા, ત્યાં એક ભાઈએ આવીને સમાચાર આપ્યાઃ “ગુરુદેવ અમદાવાદથી વિહાર કરી પાલી તરફ આવતા હતા ત્યાં લૂટારાઓએ તેઓને લૂંટી લીધા. વસ્ત્રો અને પુસ્તકે પણ લઈ લીધાં.” - આ સાંભળતાં જ ત્યાંથી તરત જ વિહાર કર્યો અને પાલીમાં આવી પહોંચ્યા. ત્યાંથી ગુરુદેવની સુખશાતા પૂછવા આગેવાન ગૃહ વિજાપુર ગયા. મુનિરાજશ્રી લલિતવિજયજી, તપસ્વી ગુણવિજયજી અને મુનિ વિચારવિજયજી તે પાલીમાં આવી ગયા. ગુરુદેવ અને લૂટારાઓને પ્રસંગ સાંભળી તેઓ કંપી ઊઠયા. અશુની ધારા ચાલી, પણ ગુરુદેવની નીડરતા, અને નિર્ભયતા, વીરતા અને શાન્તિ જોઈ તથા બધાની સુખશાતા સાંભળી સાંત્વન થયું. ગુરુ મહારાજ તે પાલીમાં પધાર્યા.
સાદડીના શ્રી સંઘે ગુરુ મહારાજને સાદડીમાં પધારવાની પ્રાર્થના કરી અને ગુરુ મહારાજ સાદડીમાં પધાર્યા. સાદડિમાં ચાર દિવસ રહી ગોલવાડની અજ્ઞાન સ્થિતિ વિષે ગુરુ મહારાજે ઉપદેશ આપ્યા. લેક પરિસ્થિતિ સમજતા થયા. ગુરુદેવે તે પાંચમે દિવસે વિહારની તૈયારી કરી. સાધુ સમુદાય તૈયાર થઈ ગયે. સંઘનાં સ્ત્રી-પુરુષો તથા આગેવાને આવી પહોંચ્યા. બધાએ પ્રાર્થના કરીઃ “ગુરુદેવ 'ચાર જ દિવસમાં આપ ચાલ્યા જશે? અમને જગાડીને હવે
Page #81
--------------------------------------------------------------------------
________________
લોકપ્રેમ
૫૩ ક્યાં જશે? પ્રભુ, અમારી પ્રાર્થના સાંભળે. થોડા દિવસની સ્થિરતા કરો !”
તમારી પ્રાર્થના કરી પ્રાર્થના હોય તે તે રહીને શું કરું ! તમે જાણે છે, મારો સમય બહુ કીમતી છે. હા. કાંઈ કામ થાય તેવું હોય તે રહેવા તૈયાર છું. છે તેયાર ?” ગુરુ મહારાજે ચોખું સંભળાવી દીધું.
ગુરુદેવ ! અમે જરૂર કોઈક કાર્ય કરીશું. આપશ્રીની પ્રેરણ હશે તે જરૂર શુભ કાર્ય થશે. આપ અમારી પ્રાર્થના સ્વીકારે !” આગેવાનોએ વચન આપ્યું.
અને ગુરુમહારાજે તે જ સમયે ગેલવાડની વર્તમાન પરિસ્થિતિનું દિગદર્શન કરાવ્યું. ગેલવાડના સુધારાને માટે એક વિદ્યાલય સ્થાપીત કરવાની આવશ્યકતા જણાવી અને ચમત્કાર તો એ થયો કે એ જ સમયે, ઉપદેશને ભારે પ્રભાવ પડશે. તે જ સમયે પ૦ હજાર રૂપિયાનાં વચન મળી ગયાં, અને બીજાની આશા અપાઈ. ગુરુદેવે ચાતુર્માસ કરવાની ઈચ્છા પ્રકટ કરી.
આ શુભ સમાચાર શ્રી સોહનવિજયજીને પાલીમાં પહોંચાડવામાં આવ્યા અને સાદડીમાં આવી વિદ્યાલયના કાર્યને આગળ વધારવા આજ્ઞા થઈ તેથી મુનિજી પણ પાછો સાદડી શ્રી ગુરુદેવની સેવામાં આવી પહોંચ્યા.
સાદડીમાં આપે કચવત્તા તથા શ્રાદ્ધગુણ વિવરણનું હિન્દી ભાષાંતર કર્યું.
બાલીના શ્રી સંઘની વિનતિથી પન્યાસજીને બાલી
*
વા,
Page #82
--------------------------------------------------------------------------
________________
૫૪.
ધર્મવીર ઉપાધ્યાય ચોમાસાની આજ્ઞા થઈ અને ૧૯૭૫નું ચાતુર્માસ બાલીમાં થયું. અહીં “નવયુવક મંડળની સ્થાપના થઈ. મુનિશ્રી વિદ્યાવિજયજીને ભગવતી સૂત્રનું વહન કરાવ્યું અને તેમને કારતક વદિ ૫ ને રેજ ધૂમધામપૂર્વક ગણું અને પંન્યાસ પદવી આપવામાં આવી.
આ ઉપરાંત શા પ્રેમચંદ ગેમરાજ, શા પ્રેમચંદ જોધાજી, શા લખમાજી ખુશાલજી અને નવલાજી મતીજીની તરફથી ઉપધાન તપનું અનુષ્ઠાન થયું. હજારે સ્ત્રી-પુરુષોએ આ ધાર્મિક કૃત્યમાં ભાગ લીધો. આનંદની વાત એ હતી કે ગુરુદેવ સાદડીથી આ મહોત્સવ પ્રસંગે ખાસ પધાર્યા અને તેમની છત્રછાયામાં બે ભાવિકેની દીક્ષાઓ-પદવીઓ અને આ તપ પરિપૂર્ણ થયું.
કેન્ફરન્સ
સાદડીમાં બીજું પણ એક ઉત્તમ કાર્ય થયું. ગુરુદેવની ઉપસ્થિતિ હતી જ. ગોડવાડની જાગૃતિને પ્રયાસ થતો હતો, ત્યાં શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું ૧૨મું અધિવેશન નિશ્ચિત થયું. હેશિયારપુર (પંજાબ) ના ઓસવાળ કુળભૂષણ શ્રીયુત લાલા દેલતરામજીના પ્રમુખપણા નીચે કોન્ફરન્સનું અધિવેશન ઉત્તમતાથી સફળ થયું. જૈન સમાજમાં જાગૃતિનું આંદોલન ફેલાયું.
અહીંથી આપ પ્રાચીન તીર્થ શ્રી રાણકપુરજીની યાત્રાએ ગુરુદેવની સાથે પધાર્યા. રાણકપુરજી સાદડીથી ત્રણ ચાર કેશ દૂર એક જંગલમાં છે. આ મંદિર ભારતવર્ષની
Page #83
--------------------------------------------------------------------------
________________
લેાકપ્રેમ
૫
પ્રાચીન શિલ્પકલાનું જીવંત ઉદ્યાહરણ છે. એક મંદિર તે। નલિનીગુલ્મ વિમાનના આકારનું છે, જેના ૧૪૪૪ સ્થભા છે. તે મંદિરની રચના અપૂર્વ છે. શેઠ ધન્નાશાહ પારવાલે તે અધાવ્યું છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
વીરના પુત્રોને જ્ઞાનદાન
દે
વગ’જથી શેઠ ગેામરાજ તેહચંદે શ્રી કેસરીયાજીના સંઘ કાઢવ્યો. સંઘમાં ગુરુદેવની સાથે તેઓ પણ પધાર્યાં. યાત્રા કરી વરકાણા થઈ ધમૂર્તિ શેઠ શ્રી સુમેરમલજી સુરાણાના આગ્રહથી તથા ગુરુદેવની આજ્ઞાથી શ્રી સમુદ્રવિજયજી તથા શ્રી સાગરવિજયજી મહારાજ સાથે બિકાનેર તરફ વિહાર કર્યાં.
ગ્રામાનુગામ વિચરતા વિચરતા આપ સેાજત, મેડતા, લાદી, નાગેાર વગેરે જગાએ ધર્મોપદેશ કરતા કરતા ભિન્નાસર આવી પહેાંચ્યા. ભિન્નાસર બીકાનેરથી ત્રણ માઇલ છે. બીકાનેરથી ઘણાં સ્રીપુરુષા મહારાજશ્રીના દને આવ્યા. અત્રે શેઠ શ્રીયુત સુમેરમલજી સુરાણા તથા કાચરે તરફથી બે ત્રણ દિવસ પૂજા અને સામિક વાત્સલ્યે
Page #85
--------------------------------------------------------------------------
________________
૧૭
વીરના પુત્રાને જ્ઞાનદાન
થયા અને જેઠ શુદ સાતમના દિવસે બીકાનેરમાં ધામધૂમથી પ્રવેશ કર્યા.
આજે મીકાનેરમાં આનંદ આનંદ હતા. મહાન પ પર્યુષણાના પવિત્ર દિવસેા હતા. પંન્યાસજી જેવા સમયધમ-પ્રકાશકની અમી વર્ષા થઈ રહી હતી. ઘેર ઘેર ઉત્સવનાં મંગલ કાર્ય થઈ રહ્યાં હતાં. પ્રાતઃક્રિયાથી પરવારી ભાવિક સ્ત્રીપુરુષા ઉપાશ્રયમાં આવી રહ્યાં હતાં. યુવકે અને બાળકો, વૃદ્ધજના અને જૈનેતરા, તપગચ્છના ભાઈ બહેનો કે ખરતર ગચ્છના શ્રાવક-શ્રાવિકા ઉપાશ્રયમાં
ઊભરાઈ રહ્યાં હતાં.
કલ્પસૂત્રની વાચના ચાલતી હતી. મહારાજશ્રીએ ભગવાન મહાવીરના જીવનની વિશિષ્ટતા સમજાવી. પેારસીના સમય થયેા. મધુર કંઠે ગુરુવર્યના ઉપદેશની મહત્તા બતાવતી ગડુંલી શરૂ થઈ. મહારાજશ્રીએ સભાના ખૂણે ખૂણામાં પેાતાની વેધક દૃષ્ટિ દોડાવી, અને કલ્પસૂત્રની વાચનાને બદલે ઉપદેશધારા ચલાવી.
“મહાનુભાવા ! આ જૈન ધર્મના ઉદ્યોતના દિવસે છે. આ દિવસેામાં કરાતા ધર્મ કાર્યની ઘણીઘણી વિશેષતા છે. ભગવાન મહાવીરના જ્ઞાનબળની આપણે કેટકેટલી પ્રશંસા કરીએ છીએ? પણ એ પ્રશંસા માત્ર વાહ વાહમાં જ રહેશે કે ? ભગવાન મહાવીરના પુત્રોના ઉદ્ધારના વિચાર સરખા કર્યાં છે? જે ભગવાન અનંત જ્ઞાની હતા, તે વીર પુત્રો આજે અજ્ઞાનતામાં સમડે છે—જીએ આ સમાજ ! કેટલી કેટલી સંસ્થાએ ચાલે છે ! અને જૈન સમાજમાં કૉલેજ તે શું પણ એકાદ
Page #86
--------------------------------------------------------------------------
________________
૧૮
ધર્મવીર ઉપાધ્યાય
હાઈસ્કૂલ પણ છે? ગુરુકુલે કેટલાં છે? કન્યા વિદ્યાલયેા કયાં છે? શું જૈન સમાજને વિદ્યાની જરૂર નથી ? શું જૈન સમાજ પાસે પૈસા નથી ? શું જૈન સમાજની સમૃદ્ધિ, સ'પત્તિની આ જ સફળતા છે? કે આ વેપારી સમાજને કેવળ પૈસાની જ ઝંખના છે !
,,
બીકાનેર જેવા શહેરમાં એક એક ગૃહસ્થ એક એક સંસ્થા ચલાવી શકે તેમ છે. જ્યાં ધમ ધુરંધર શ્રી સુમેરમલજીસુરાણા છે, જ્યાં ધર્મપ્રેમી શેઠ કાલુરામજી લક્ષ્મીચંદજી છે, જ્યાં શેઠ રામપુરીયા જેવા ઉત્સાહી સજ્જન છે ત્યાં એક સંસ્થા પણ નહિ !
ઃઃ
મહાનુભાવા ! મારી હાર્દિક ઈચ્છા છે કે આ શુભ મંગળમય દિવસે એક હાઈસ્કૂલને માટે મારી ભિક્ષાં દેહિ છે. એ ઝેાળી ભરી આપે. તમારા બાળકાના કલ્યાણ માટે --જૈન સમાજના ઉદ્દાત માટે, ખીકાનેરની ઉન્નતિ માટે આ સંસ્થા એક ભૂષણ બની રહેશે.”
((
આખી સભા માંત્રમુગ્ધ થઇ ગઇ. ગૃહસ્થા પણ વિચારમાં પડી ગયા. નવયુવકના હૃદય હલમલી ઊઠ્યાં. ધર્મમૂર્તિ સુરાણાજી તા ગળગળા થઈ ગયા. નાનામોટા બધાના હૃદયમાં ઝણઝણાટ થવા લાગ્યા.
છેવટે શ્રી સુરાણાજી ઊભા થયા! સભા ઉત્સુકતાથી જોઈ રહી. “ ગુરુદેવ, અમારાં ધનભાગ્ય કે આપશ્રી પધાર્યાં, હાઈસ્કૂલના ફંડ માટેની આપની વાંછના પ્રશંસનીય છે. અમારા માળકાના કલ્યાણની એ વાત છે. હું તે ફૅ ડમાં રૂપિયા એકવીશ હજાર મારા તરફથી આપું છું.”
Page #87
--------------------------------------------------------------------------
________________
૫૯
વીરના પુત્રને જ્ઞાનદાન
આખી સભાએ હર્ષનાદ વચ્ચે સુરાણાજીને વધાવી લીધા, અને ધર્મપ્રેમી શેઠ કાલુરામજી લક્ષ્મીચંદજી કોચરે રૂપિયા એકવીશ હજાર તથા શેઠ શ્રી જાવતમલજી રામપુરીયાએ રૂપિયા એકવીશ જાહેર કર્યા. અને આશ્ચર્ય તો એ થયું કે તે જ સમયે શેઠ હજરીમલજી કોચરે પિતાની ત્રીસ હજારની કોઠી સ્કૂલને અર્પણ કરી. શ્રીયુત નેમચંદજી અભાણીની ધર્મપત્ની ધર્મનિષ્ઠ ધામુબાઈએ પણ દશ હજારનું પિતાનું મકાન અર્પણ કર્યું.
* ૧ણ ઉચુ બીકાનેરે ગુરુદેવ શ્રીમદ્ આત્મારામજી મહારાજની જયંતી તો આનંદપૂર્વક મનાવી હતી, પણ પર્યુષણના દિવસે તે બીકાનેરના ઈતિહાસમાં યાદગાર રહેશે. વિવિધ પ્રકારની તપશ્ચર્યા અને નાના પ્રકારના મહોત્સવ પણ થયા.
ધર્મભૂતિ સેઠ શ્રી સુરાણાજીએ આ ચાતુર્માસમાં પિતાની લક્ષ્મીને સદુપયોગ કર્યો. અનેક જાતના ખર્ચમાં ઉદારતાથી પિતાને હાથ લંબાવ્યું અને સહુને એ ધર્મપ્રાણ, નિરભિમાની, શાંતિપ્રિય શેઠની ઉદારતાને પરિચય થયો. ૧૭૬નું ચેમાસું બીકાનેરમાં સાનંદ સમાપ્ત થયું.
બીકાનેરથી વિહાર કરી તેઓશ્રી સુજાનગઢ પધાર્યા. મંદિરનાં દર્શન કરી પ્રસન્નતા થઈ, પરંતુ મંદિર પાસક જૈન શોધતાં એક પણ ન જડ્યો–બધા તેરાપંથી ! ત્યાંથી સરદાર શહેરમાં આવ્યા. સરદાર શહેર બીકાનેર રાજ્યમાં એક ધનાઢ્ય શહેર ગણાય છે. અહીં તેરસે ઘર ઓસવાળાનાં છે. બધા તેરાપંથી ધર્મ પાળે છે. અહીં તેરાપંથીના ગુરુ પૂજ્ય કાલુરામજીનો પાટોત્સવ હતો. ૮૦-૯૦ સાધુઓ હતા.
Page #88
--------------------------------------------------------------------------
________________
૬૦
ધર્મવીર ઉપાધ્યાય
શ્વેતાંબર સાધુને કોઈ ઓળખતું પણ નહિ. મહારાજશ્રીને જોઈ બધાને આશ્ચય થવા લાગ્યું.
લેાકેામાં હલચલ મચી ગઈ. લેાકેા તર્કવિતર્ક કરવા લાગ્યા. આ પ્રસંગે બીકાનેરથી ધપ્રેમી શેઠ સુમેરમલજી સુરાણા, શ્રી જેઠમલજી સુરાણા, શેઠ પુનમચંદ્રજી સાવણસુખા, શેઠ કર્મચંદ્રજી શેઠીયા, શેઠ સેાહનલાલજી કચર તથા શ્રી ફૂલચંદજી ઝાખક અને પંડિતશ્રી હંસરાજજી આવી પહોંચ્યા.
પ્રવેશ બહુ જ ધૂમધામથી થયા. વ્યાખ્યાનમાં હજારા સ્ત્રીપુરુષા આવવા લાગ્યાં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર તથા મુસલમાન ભાઈ એ પણ વ્યાખ્યાનમાં આવીને મહારાજશ્રીના ઉપદેશ સાંભળવા લાગ્યા. અનેક પ્રશ્નો પૂછી પોતાની શંકાઓનું સમાધાન કરવા લાગ્યા.
પંડિત હંસરાજજીનાં પણ ૩-૪ વ્યાખ્યાને થયાં. જૈન ધની વિશાળતાથી લેાકેા સુપરિચિત થયા. લેકે જૈન ધર્મની ભૂરિ ભૂરિ પ્રશંસા કરવા લાગ્યા. આવા ઉચ્ચ આદર્શવાળા વિશાળ જૈનધર્મને જાણી તથા જૈન સાધુએની સર્વધર્મ સમભાવની ભાવના જોઇ અનેકાને ખૂબ આનંદ થયા. ઘણા ભાઈ એ તેરાપ'થી ધને છેડી વેતામ્બર ધર્મ સ્વીકારવાની ભાવનાવાળા થયા.
અહીથી વિહાર કરી ગ્રામાનુગામ વિચરતા તે સૂરતગઢ, મંડી, ડભવાળી થઇ ખડગલા ફાજલકા પધાર્યા. અહીંના શેઠ સુગનચંદજી, જેઠમલજી આદિએ મહારાજશ્રીનું સ્વાગત કર્યું. ડાખાવાલીમંડીના શેઠ ચાંદમલજીના લઘુ
Page #89
--------------------------------------------------------------------------
________________
વીરના પુત્રાને જ્ઞાનદાન
૬૧
મધુ શેઠ વૃદ્ધિચંદ્રજીને ધાર્મિક ભાવ જરા ડામાડાળ હતા. આપના સદુપદેશથા તેઓને ધર્મ પર શ્રદ્ધા જાગી અને વાસક્ષેપ લીધેા. અહીથી ફ્રીદકાટ; મુદરી, લહેરા થઇને આપ જીરામાં પધાર્યા. પંજાબમાં પ્રવેશ કર્યો.
જીરામાં આપનું અપૂર્વ સ્વાગત થયું. વ્યાખ્યાનમાં દરેક જાતિના લેાકેા આવવા લાગ્યા. જૈન ધર્મને ન સમજનારા આજે જૈન ધર્મના સિદ્ધાંત સાંભળી વાહ વાહ પે!કારવા લાગ્યા.
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રી રામયંતી
“લાલાજી! ધન્ય છે જૈન ગુરુમહારાજને. આપણે તે એમ જ સમજતા હતા કે જૈન ધર્મ નાસ્તિક ધર્મ છે, પણ આ મહારાજે તે આપણે સનાતન ધર્મ વિષે પણ કેવું સુંદર વિવેચન કર્યું !” એક ગૃહસ્થ સભામાં બીજા સજજનને જણાવ્યું.
“બાબુજી! એ તે ઠીક, પણ વિશેષમાં આપણું આમંત્રણને માન આપી શ્રીરામ-જયન્તીમાં વ્યાખ્યાન આપવા આવીને એ મહાત્માએ તે કમાલ કરી.” બીજા સજને જવાબ આપે.
“અરે ભાઈ, શ્રી રામચંદ્રજીના જીવન વિષે આવી રહસ્યભરી વાતે તે આજે જ સાંભળી.” ત્રીજા ગૃહસ્થ બોલી ઊઠયા.
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રીરામ જયંતી
સનાતન ધર્માવલંબી સજ્જનેાના આગ્રહથી મહારાજશ્રી જીરામાં ઘેાડા વખત રાકાયા. શ્રી રામચંદ્ર જયંતીમાં બ્યાખ્યાન માટે આમંત્રણ મળ્યુ અને રામચંદ્રજીના જીવનના એવા સુંદર ચિતાર રજૂ કર્યાં કે સભા મુગ્ધ થઈ ગઈ. ગુરુમહારાજ ! આપને ધન્ય છે. આપના આગમનથી અમને ખૂબખૂબ આનંદ થયા છે. શ્રી રામચંદ્રજીના જીવન વિષે આપની પાસેથી અમને ઘણું જાણવાનું મળ્યું છે. અમારી સભાના ચેાજકાએ આપશ્રીની સેવામાં એક ભેટ આપવાનુ નક્કી કર્યું છે. ”
rr
૬૩
tr
“ શાની ભેટ ? અમારે સાધુને વળી ભેટ શી ! ” ગુરુમહારાજ ! આપે આટલા બધા શ્રમ લીધે, અમને અનુગ્રહિત કર્યા; તે! આટલું સ્વીકારો, ” એમ કહી માનપત્ર અને મલમલના તાકા તથા રૂપીઆની એક થેલી મહારાજશ્રીના ચરણમાં સમર્પણ કરવામાં આવી.
“ભાઈ આ ! હું તમારા આભાર માનું છું. મારા પ્રત્યે આપ સૌને જે પ્રેમ છે, તે ખસ છે. અમારે સાધુને ભેટ લેવાય નહિ. અને લાલાજી તમે તે જાણતા હશે. પૂછે અમારા જૈન ભાઈઓને ! અમારે સાધુને એક પાઈ પણ ન રખાય, ન કોઇ જાતના પરિગ્રહ રખાય. અમારે તા ભિક્ષા માગીને રાટી લેવાની. કપડાં જરૂર પડતાં પણ કાઈ ગૃહસ્થ પાસેથી માગી લેવાનાં; બાકી કશું ન ખપે.
""
“ અરે ! શું કહેા છે, મહાત્માજી ! અમને તેા ખ્યાલ જ નહિ કે જૈન સાધુ મકાન આદિમાં રહે નહિ, પૈસાને સ્પર્શ પણ ન કરે, સ્ત્રીને પણ સ્પર્શ ન કરે તથા પગે ચાલીને
Page #92
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાધ્યાય ભિક્ષા માગી ખાય. ધન્ય મહાત્મા ધન્ય! જૈન સાધુઓની ઉચ્ચતા આજે જ જાણી.”
“તમે મને પ્રેમથી જીરામાં રેડ્યો, તો તેનું સાર્થક થયું.”
પણ મહારાજ ! સન્માન પત્ર તે આપ અવશ્ય સ્વીકારે! અમ રંકની એ પુષ્પપાંખડી છે. અમારી ઊર્મિઓની એ ભેટ છે.”
માનપત્ર સ્વીકાર્યું. સભા હર્ષનાદથી પૂરી થઈ. જેના ધર્મની પ્રશંસા થવા લાગી.
શ્રી રામ જયન્તીની પછી શ્રી વીર જયન્તી આવી. રામ જયન્તીના મંડપમાં જૈન-જૈનેતર ભાઈઓની મોટી માનવમેદની વચ્ચે વીર જયન્તી ઉત્સવ શરૂ થશે. પ્રાર્થના અને મંગલાચરણ પછી મહારાજશ્રીએ વ્યાખ્યાન આપ્યું.
ભગવાન મહાવીરે જગતને અહિંસાની ભેટ આપી. એ અહિંસા માત્ર કીડીમકેડીને પાળવા પૂરતી નથી, પણ જગતના તમામ જીવોને પ્રેમભરી ભાવનાથી જોવાની દૃષ્ટિ છે. ભગવાન મહાવીરે જે જે ઉપસર્ગો સહન કર્યા છે તે આત્મશુદ્ધિની ઉચ્ચતા બતાવે છે.
ભગવાન મહાવીરે પિતાના આપ્તજને કે શિષ્ય તરફ રાગ નથી બતાવ્યો, ઉપસર્ગો કરનાર કે દુઃખ દેનાર તરફ દ્વેષ નથી બતાવ્યું એ જ એમની વીરતા.
“ભગવાનનું જીવન પ્રત્યેક મોક્ષમાર્ગને માટે માર્ગદર્શન કરાવનારું છે. - “મહાવીર જૈન ધર્મવાળાઓના જ છે, તેમ નથી.બધાને
Page #93
--------------------------------------------------------------------------
________________
ચરિત્રનાયક તથા શ્રી સ્વાલ કેટ-પંજાબ
જૈન સંધ
Page #94
--------------------------------------------------------------------------
Page #95
--------------------------------------------------------------------------
________________
-
-
શ્રીરામ જયંતી મહાવીર છે, કારણ કે મહાવીરે સત્ય ધર્મ દર્શાવ્યો તેનું પાલન બ્રાહ્મણ અને ચંડાળ પણ કરી શકે. જે પાળે તેને ધર્મ. “મહારાજશ્રીના આ ઉદાર અને સમદષ્ટિ વક્તવ્યની ભારે અસર પડી. જૈન-જૈનેતર, સનાતની ભાઈઓ બધા મહારાજશ્રીની રોલીની ભારે પ્રશંસા કરવા લાગ્યા.
જીરાથી આપ પટ્ટીના શ્રી સંઘની વિનતિથી પટ્ટી પધાર્યા. પટ્ટીને પ્રવેશ બહુ જ શાનથી થયે. આપના ઉપદેશમાં સેંકડો સ્ત્રીપુરુષ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય બધી જાતિના લેકે આવતા હતાં. લાંલા જીવામલ મુકંદીલાલ તથા લાલા ફકીરચંદની ધર્મપત્નીએ જ્ઞાનપંચમીનું ઉઘાપન કરાવ્યું. આ પ્રસંગે અંબાલા તથા જડિયાલાથી ભજન મંડળીઓ આવી હતી. બહાર મંડીમાં આપનું સાર્વજનિક વ્યાખ્યાન થયું, જેમાં હિન્દુ સજજન ઉપરાંત ઘણા મુસલમાન ભાઈએ પણ હાજર હતા. અહીં ધમની પ્રભાવના સારી રીતે થઈ.
પટ્ટીથી વિહાર કરી સરિહાલી પધાર્યા. આપના ઉપદેશથી ઘણા લેકેએ માંસમદિરાને ત્યાગ કર્યો. એક સેવા સમિતિની પણ સ્થાપના થઈ. અહીંથી તરણતારણ થઈને આપ જંડિયાલાગુરુ પધાર્યા.
Page #96
--------------------------------------------------------------------------
________________
દાવાનળની શાંતિ
ડિયાલાગુરુનું આપનું આગમન કેઈ સુભગ ક્ષણે થયું હોવું જોઈએ. અહીંના કાર્યમાં જે મહત્ત્વનું કાર્ય થયું તે મહારાજશ્રીના જીવનમાં એક ચમત્કારિક કામ કહેવાય. આજ પહેલાં ઘણાય સાધુમુનિરાજે અને આચાર્યો પણ આવી ગયેલા, પણ જે કામ આપણા પંન્યાસજી મહારાજે સિદ્ધ કર્યું તે કઈ નહોતું કરી શક્યું. વચનમાં પણ કેટલી શક્તિ હોય છે ! ભાવના અને જીવનની તપશ્ચર્યા પણ ભારે બલપ્રદ હોય છે.
લગભગ દોઢસો-બસો વર્ષથી પટ્ટી અને જડિયાલા ગુરુના જન ભાઈઓમાં દૈવવશાત્ એક એવો વિરોધ થઈ ગયો હતે, કે આપણને બધે વ્યવહાર બંધ થઈ ગયું હતું.
Page #97
--------------------------------------------------------------------------
________________
દાવાનળની શાંતિ
૬૭
આજે વ્યાખ્યાનને માટે ભારે ભીડ થઈ હતી. પટ્ટીના કેટલાક સંભાવિત લોકા દર્શને આવ્યા હતા. આખી સભા મહારાજશ્રીનાં અમૃતવચન સાંભળી રહી હતી. મહારાજશ્રી હ્રદયના ભાવથી સમાજ અને ધર્માંની પરિસ્થિતિનુ ચિત્ર રજૂ કરી રહ્યા હતા. તેમણે કહ્યું:
“ મહાનુભાવે ! જગતમાંથી શું લઈ જવાનુ છે ? કલેશ અને કંકાસ, આધિ અને વ્યાધિ લઈ ને આપણે જવું છે શું? શા માટે વર્ષોથી કલેશ ચાલ્યું આવે ? શુ ભાઈ ભાઈમાં પણ આવે! કલહ સભવે ખરા ? તમે એકબીજાને ત્યાં જઈ ન શકેા ? જમી ન શકે! ? સારાનરસા પ્રસંગે સુખદુઃખમાં ભાગ ન લઈ શકે ? કેવી વિષમ પરિસ્થિતિ ! જૈનધમ અને વીરની ક્ષમાના આ અર્થ કે ? વીર ભગવાનનાં સતાના કેવાં ક્ષમાશીલ અને કેવાં શૂરવીર હાવાં જોઈએ ? હું તે। આ તમારી પરિસ્થિતિ જોઈ દુ:ખી દુ:ખી થઈ રહ્યો છું. મારી તપશ્ચર્યાથી એ કલેશની જ્વાળા હું ઠારવાના નિર્ણય કરું છું.”
આ શબ્દોએ જાદુ કર્યું. નાનામેાટા બધાની આંખેામાં આંસુ છલકાઈ ગયાં. આગેવાને ઊભા થઈ ગયા અને મહારાજશ્રી જે રીતે હુકમ કરે તે રીતે સમાધાન કરવા પ્રતિજ્ઞા કરી.
ખસે વર્ષના કલેશના દાવાનળ શાંત થયા. પટ્ટી-ફ્રિયાલાના ખચાખચ્ચામાં આનદલહરી ફેલાઈ ગઈ. આજે પણ આ સમય અને આ મહાન ઉપકારી ગુરુ મહારાજને અન્ને ગામના એનભાઇએ નથી ભૂલ્યાં.
Page #98
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાધ્યાય
અહીંથી વિહાર કરી આપ અમૃતસર પધાર્યા. અહીથી લાહાર થઈ ગુરુદેવના સ્વર્ગીય ધામ ગુજરાવાલામાં પધાર્યા.
ટ
પ્રથમ આપે સ્વર્ગીય જૈનાચાય શ્રીમદ્ વિજયાનન્તસૂરિ આત્મારામજી મહારાજના પવિત્ર સમાધિમદિરના દર્શન કર્યાં. ત્યારબાદ વયે વૃદ્ધ, ચારિત્રવૃદ્ધ, સ્વામી શ્રી સુમતિવિજયજીના દર્શનને લાભ લીધે.
ગુજરાવાલા શ્રી સંઘે આપના સ્વાગતમાં ભારે ઉત્સાહ અતાન્યેા. સેકડા સ્ત્રીપુરુષાએ જલૂસમાં ભાગ લીધા.
ગુરુ જયન્તી તે દર સાલ થતી હતી, પણ આ વર્ષની જયન્તીના હાટ ઔર જ હતા. બહારથી કેટલીય ભજનમંડળીઓ આવી હતી. હારા સ્ત્રીપુરુષા પણ આવ્યાં હતાં. ઉત્સવનું નગરકીન ખૂબ ધૂમધામથી થયું. સભા મંડપમાં સ્વ. આચાર્યશ્રી શ્રીમદ્ વિજ્યાનન્તસૂરિજીની સ્મૃતિમાં અનેક ઉત્તમાત્તમ ભજન જુદી જુદી ભજનમંડનીઓએ ગાયાં. મુનિશ્રી વિષ્ણુધવિજયજી તથા મુનિશ્રી વિચક્ષણવિજયજી તથા મુનિશ્રી સમુદ્રવિજયજીનાં વ્યાખ્યાને થયાં. છેવટે પન્યાસજી મહારાજે એક મનનીય વ્યાખ્યાન આપ્યુ. સં. ૧૯૭૭નું આપનું ચામાસુ ગુજરાવાલામાં થયું.
Page #99
--------------------------------------------------------------------------
________________
===
=
જૈન મહાસભાની સ્થાપના
અજાબ ગુરુદેવને મનહર ગુલશન હતું. એ બગીચાને સુરમ્ય બનાવવા ગુરુદેવે ભારે પરિશ્રમ વેઠવ્યો હતે. જન સમાજની ઉન્નતિ અને પ્રગતિ માટે ગુરુદેવ પંજાબભરમાં વિચરી ઉપદેશામૃતથી સિંચન કરતા હતા. હજારે ભાવિક જનોને સત્ય ધમ તરફ વાળવા ગામેગામ ફરી ફરીને પંજાબને પ્રેરણાનાં પાન કરાવી રહ્યા હતા.
ગુરુદેવના શિષ્ય પરિવારને પણ પંજાબ તરફ ભારે મમત્વ હતું અને પંજાબને જૈન સમાજ ઉન્નતિના પંથે વિચરે, સમાજના અજ્ઞાનનો નાશ થાય, સમાજના કુરિવાજે દૂર થવા પામે, સમાજમાં શિક્ષણનો પ્રચાર થાય, સમાજના અંગેઅંગમાં પ્રાણ આવે, સમાજમાં નવચેતન અને જાગૃતિ
Page #100
--------------------------------------------------------------------------
________________
ge
ધમ વીર ઉપાધ્યાય
આવે; એ ગુરુદેવના સ્વગમન પછી તેમના શિષ્યાનું કબ્ય હતું.
આપણા સાહનવિજયજી પણ ગુરુદેવના કાર્યની જ્યાત ચમકતી રાખવાના અભિલાષી હતા. તેમણે સમાજના પુનઃનવ ધાન અને સમાજના કલ્યાણની મહાન ભાવનાથી ગુજરાંવાલામાં શ્રી આત્માનંદ જૈન મહાસભા પંજાબની સ્થાપના કરી. સમાજની પરિસ્થિતિનું હૂબહૂ ચિત્ર મહારાજશ્રીએ સમાજના આગેવાના પાસે રજૂ કર્યું. મહાસભાની કા દિશા સમજાવી અને સમાજના સર્વતામુખી વિકાસ માટે આ એક જ સંસ્થા વટવૃક્ષની જેમ ફૂલીફાલી પંજાબના ઘરઘરને, ગ્રામગ્રામને, શહેરશહેરને, અને મદિરે મંદિરને નવપલ્લવતા આપશે તેમ એલાન કર્યું.
આજે પણ ગુરુદેવની એ સંસ્થા પજાબના જૈન સમાજનું અનેકવિધ કલ્યાણ સાધી રહી છે. પંજાબના બાળકા જ્ઞાનની ગંગા પી રહ્યા છે. પંજાબના યુવાના કર્તવ્યશીલ છે, પામની બહેનોમાં જાગૃતિ છે, પંજાબની સંસ્થાએ પ્રગતિશીલ પ્રગતિ સાધી રહી છે. પંજાબના સંઘ સુધારાને અપનાવી રહ્યા છે અને પજામનાં સમાજમાં સગઠનની એકવાક્યતા જોઈ શકાય છે.
મહાસભાના અધિવેશના થઈ રહ્યાં છે, અને મહાસભાના આદ્ય સંસ્થાપક શ્રી ગુરુમહારાજની ભાવના આ બધા કાર્યોમાં પ્રત્યક્ષ જોઈ શકાય છે.
મહાસભા આજે તે યુવાવસ્થામાં પ્રવેશી છે. અનેક સુઘારા મહાસભાએ અપનાવ્યા છે. મહાસભાએ એસવાલ
Page #101
--------------------------------------------------------------------------
________________
જૈન મહાસભાની સ્થાપના ખંડેલવાલના ભેદભાવ કાઢી નાખ્યા છે. લગ્નના ખર્ચને રિવાજે ઓછા કર્યા છે. અનેક નકામા ખર્ચ કાઢી નાખ્યા છે. મહાસભા દિન પ્રતિ દિન પંજાબના શ્રી સંઘની શ્રેયસાધક સંસ્થા બની રહી છે. તે બધે પૂણ્ય–પ્રભાવ શ્રી સેહનવિજયજી મહારાજને જ છે.
અહીંથી વિહાર કરી ૫૫નાખા, કિલાટીદારસિંહ તથા રામનગર અને ખાનગાહ ડોગરાં વગેરેમાં ધર્મોપદેશ દેતા આપશ્રી લાહોરમાં આવ્યા.
આ બધા ગામમાં મહારાજશ્રીને પધારવાથી બહુ લાભ થયે. સેંકડે જન અને જેનેતર લોકેએ આપના ઉપદેશથી માંસાહાર છે, મંદિરાનો ત્યાગ કર્યો. રામનગરમાં શ્રી ચિન્તામણિ–પાર્શ્વનાથની યાત્રા કરી.
રામનગર અને ખાનગાહ ડોગરા વચ્ચે હાફિઝાબાદ નામનું એક ગામ છે. અહીં એક જ જન ગૃહસ્થનું ઘર છે. અહીં તે સાધુમુનિરાજ ભાગ્યે જ આવે. લોકો તે મુનિના આચારને પણ સમજે નહિ. અહીં મહારાજશ્રી આવ્યા અને લેક તો આશ્ચર્યમાં પડી ગયા. આ કોણ આવ્યું? લોકે માંહોમાંહે ચકિત થઈ એક બીજાને પૂછવા લાગ્યા.
કેટલાક લોકો મહારાજશ્રીને પૂછવા લાગ્યા, “તમે કયા દેશના છે ? આપ કયાંથી આવ્યા છે ? અહીં આપ કેમ આવ્યા છે ?
તર્પણ જોઈને વિસ્મિત થઈને બોલ્યાઃ “આ વાસણ ત્યાંથી લાવ્યા ? આવાં વાસણ કયાં બને છે?”
મહારાજશ્રીએ શાંતિપૂર્વક બધા ભાઈબહેનને જન
Page #102
--------------------------------------------------------------------------
________________
૭૨
ધર્મવીર ઉપાધ્યાય
સાધુ અને જૈન ધર્મની વાત સમજાવી. બધા લેકે આ સાધુને વંદન કરવા લાગ્યા. લેાકેાને આન થયા.
પછી તે અહી બજારમાં એ જાહેર વ્યાખ્યાના થયાં. લાકાએ સારા લાભ ઉઠાવ્યે. અહીથી ખાનગાહ ડાગરાં આવ્યા. અહીં પણ વ્યાખ્યાને થયાં. અહીથી લાહાર પધાર્યાં. લાહેારમાં સામાજિક સુધારા વિષે ઠીક ઠીક પ્રચાર થા.
લાહારથી વિહાર કરી મહારાજશ્રી અમૃતસર, જડિચાલા, જાલંધર-કરિપુર આદિ નગરામાં ધર્મોપદેશ આપતા આપતા આદમપુર આવી પહાચ્યા.
બીકાનેરથી વિહાર કરીને પૂજ્ય ગુરુદેવ, ૫. શ્રી લલિતવિજયજી તથા ૫. શ્રી વિદ્યાવિજયજી, તપસ્વી ગુણવિજયજી, શ્રી વિચારવિજયજી, શ્રી ઉપેદ્રવિજયજી, શ્રી પ્રભાવિજયજી વગેરે પરિવાર અહી આવ્યેા હતા. વરકાણા પછી ગુરુદેવનાં અહી દન કરતાં શ્રી સાહનવિજયજીને અપૂર્વ આનદ થયા. ૫ જામના શ્રી સંઘના ઉત્સાહ અજબ હતા. ૧૨-૧૩ વર્ષ આદ્ય ગુરુદેવ શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી મહારાજ પંજાબમાં પધાર્યા હતા. ગુરુદેવના પ્રથમ પ્રવેશ હોશિયારપુરમાં કરાવવા માટે શ્રી. લાલા દોલતરામજી ખૂબ પ્રયાસ કરતા હતા, અને પંજાબનાં હજારા સ્રીપુરુષા હાશિયારપુર ખાતે ગુરુદેવનાં દન માટે ઉભરાઈ રહ્યાં હતાં.
હાશિયારપુરના ગુરુદેવના પ્રવેશ ભવ્ય હતા. પંજાખના નાનાંમેટાં તમામ સ્ત્રીપુરુષા હશિયારપુરમાં શુદ્ધ સ્વદેશી
Page #103
--------------------------------------------------------------------------
________________
જૈન મહાસભાની સ્થાપના
૭૩
વસ્ત્રમાં સજજ થઈ સફેદ સાગર સમાં શેભી રહ્યાં હતાં. એક પણ બાળક એવું ન હતું, જેણે શુદ્ધ સ્વદેશી વસ્ત્ર ન પહેર્યું હોય. ગુરુદેવના ખાદીપ્રેમના પ્રભાવ રૂપ આ દશ્ય અનેપ્યું હતું. એવું દશ્ય હવે તે ભૂતકાળનું સ્વમ બની ગયું. ગુરુદેવના ચરણોમાં છેડે સમય રહી મહારાજશ્રીએ ગુરુદેવની આજ્ઞાથી તેઓશ્રીની જન્મભૂમિ જમ્મુની તરફ વિહાર કર્યો.
Page #104
--------------------------------------------------------------------------
________________
*l[{}} {{{{{}}} {{c
|| je v\t imp મ
/f+ $****
| | | | | |
અહિંસાને પ્રચાર
(હોશિયારપુરથી વિહાર કરી ઉડમુંડામાં જાહેર ઉપદેશ
આપી આપ ટાંડા પધાર્યા. અહી ૪૦ ઘર સ્થાનકવાસી ભાઈ એનાં છે. અહી સાવજનિક વ્યાખ્યાન આપી આપ મિયાણી પધાર્યા. અહીં ત્રણ જાહેર વ્યાખ્યાના થયાં. ત્રેતા રણ પર સારા પ્રભાવ પડયો. કેટલાક લેાકેાએ વિદેશી માંડના ત્યાગ કર્યો. અહીથી આપસનખતરા આવ્યા. સનખતરામાં આપના પ્રવેશ ખૂબ ધૂમધામથી થયા. પ્રવેશમાં જૈના ઉપરાંત હિન્દુ મુસલમાન ભાઈ એ પણ સારી સંખ્યામાં હતા. ભગવાન મહાવીર સ્વામીની જય'તીના વ્યાખ્યાને હિન્દુમુસલમાન જનતા પર ખરેખર જાદુ કર્યું. બધાના ઉત્સાહ અપૂર્વ હતા. લાલા ગુરુદિત્તામલ ક્રુડની ધર્મ પત્ની ધનદેવીએ જ્ઞાનપંચમીનું ઉદ્યાપન ઉત્સાહપૂર્વક કર્યું. આ પ્રસંગે
Page #105
--------------------------------------------------------------------------
________________
અહિંસાના પ્રચાર
૭૫ નારોવાલ, ગુજરાંવાલા અને ચાલકોટ આદિ શહેરના હજારે ભાઈબહેનો આવ્યાં હતાં.
રથયાત્રા ભારે સમારેહપૂર્વક નીકળી. ભજન મંડબીઓએ પણ લોકોને મુગ્ધ કર્યા. મહારાજશ્રીએ બજારમાં ધર્મના શુદ્ધ સ્વરૂપ ઉપર પ્રભાવશાળી વ્યાખ્યાન આપ્યું. લોકોને જમઘટ કીક જાયે હતે.
સખતરાની જનતાએ મહારાજશ્રીને ખૂબ સરસ લાભ લીધો. હિન્દુ અને મુસલમાન ભાઈઓએ મહારાજશ્રીને માનપત્ર આપ્યું અને તે પ્રસંગ જૈન સમાજના ઈતિહાસમાં અદ્વિતીય પ્રસંગ ગણાય.
ગૂજરાત-કાઠિયાવાડ તો સાધુ મુનિરાજેથી ભરપૂર છે. ગામે ગામ મુનિમહારાજને ઉપદેશ ચાલે છે. તે ધર્મભૂમિ પણ ગણાય છે, પણ ત્યાંના મુસલમાનો પર આટલો પ્રભાવ કેઈ મુનિમહારાજે પાડ્યો હોય તે જાણમાં નથી. પંજાબ જેવા દેશમાં કસાઈભાઈઓ પર આ પ્રભાવ ભારે પ્રશંસનીય ગણાય.
માનપત્રનો જવાબ આપતાં ગુરુમહારાજે પિતાને વાણી પ્રવાહ ખુલ્લું મૂક્યો. હૃદય હલી ઊઠય. ગુરુમહારાજે ગંભીર નાદથી કહ્યું:
મારા હિંદુ-મુસલમાન ભાઈઓ ! સંસારમાં સુખદુઃખ સર્વ પ્રાણુને સમાન છે. કીડી કે કુંજર, રાજા કે રંક, ધનિક કે ગરીબ, સાધુ કે ફકીર બધામાં એક જ આત્મા છે. કેઈ પણ જીવની હિંસા કરવામાં આપણા પિતાના આત્માની હિંસા કરવાં જેટલું જ પાપ થાય છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાધ્યાય
“મહાનુભાવ, આપણે સંસારમાં પુણ્ય કમાવા આવ્યા છીએ. આ સંસાર એક જીવનને ધન્ય બનાવવાનું સાધન છે, તેને વિચાર કરે! અકબરના જમાનામાં અમારા જગગુરુ શ્રી હીરવિજયસૂરિજીએ અહિંસાને ઉપદેશ કર્યો હતે. જીવહિંસા બંધ કરવામાં આવી હતી. મારા મુસલમાન ભાઈઓને મારી વિનતિ છે કે તેઓ પણ હિંસાનું કામ છોડી જીવન સફળ કરે. જગતમાં ખુદાએ એવી એવી સુંદર અને મિષ્ટ વસ્તુઓ બનાવી છે, જેના પર જીવનનિર્વાહ ચલાવી શકાય છે, તેથી તંદુરસ્તી પણ રહે છે. જગતના જીવે બધા સમાન છે.” . આ વ્યાખ્યાનની જાદુઈ અસર થઈ. કસાઈઓના નેતા મિયાં ફજલઉદ્દીને પિતાના કસાઈમને ત્યાગ કરી દીધે. આ પુણ્ય પ્રતિજ્ઞાની જનતા પર ભારે અસર થઈ
લોકોએ તેના ઉપર રૂપીઆ વારીને ગરીબોને વહેંચ્યા. લોકો ધન્ય ધન્ય કહેવા લાગ્યા. કસાઈભાઈઓએ મળીને વરસમાં ચાર દિવસ પિતાની દુકાને બંધ રાખવા પ્રતિજ્ઞા કરી અને તે પ્રતિજ્ઞાપત્ર પર સહી કરી મહારાજશ્રીને આપવામાં આવ્યું. ચાર દિવસ નીચે પ્રમાણે રાખવામાં આવ્યા. ૧ સ્વર્ગવાસી આચાર્યશ્રી ૧૦૦૮ વિજયાદસૂરિ મહારાજની - સ્વર્ગતિથિ જેઠ સુદ ૮ ૨ કાર્તિક શુદ૫ ૩ શ્રાવણ વદ ૧૨ પયુષણ ૪ ભાદરવા સુદ ૪ સંવત્સરી
Page #107
--------------------------------------------------------------------------
________________
અહિંસાના પ્રચાર
સનખતરાથી આપે વિહાર કર્યાં અને નગરવાસીઓએ ચાતુર્માસ માટે પ્રાના કરી. મહારાજશ્રીએ કહ્યું: “ તમારી વિનતિ હું ગુરુમહારાજ પાસે રજૂ કરીશ અને લાભકારી હશે તે જરૂર તમારી સેવામાં આવી પહોંચીશ.”
૭૭
નારાવાલ જતાં સનખતરાથી હિંદુમુસલમાન ભાઈ એ અને બહેનોના માટા સમૂહુ મહારાજશ્રી સાથે ચાલ્યા. અમૃતસરનિવાસી લાલા હરિચન્દ્રજી આ દ્રશ્ય જોઇ પ્રસન્ન થયા અને તેમણે જણાવ્યું કે આપશ્રી સનખતરા ચાતુર્માસ માટે પધારો તે હું પણુ સનખતરામાં ચાતુર્માસ કરીશ; સાધમિવાત્સલ્ય કરીશ અને પ્રભુપૂજા ભણાવીશ. તેથી લેાકેાનાં મન ર્જન થયાં.
નારાવાલમાં ધામધૂમથી પ્રવેશ થયેા. ખુલ્લા મેદાનમાં વ્યાખ્યાન થયું. હિન્દુ-મુસલમાન, શિખ, ઈસાઈ વગેરે લેકે ઉપદેશમાં સમ્મિલિત થયા હતા.
હમેશાં જે શુદ અષ્ટમીના દિવસે સ્વગીય આચાર્ય શ્રી વિજયાન ંદસૂરિ મહારાજના જયન્તી મહાત્સવ થાય છે. આ ખતે પાંચમીથી ઉત્સવ શરૂ થયા. નારાવાળમાં ભારે તૈયારી ચાલી. લેાકેાના ઉત્સાહ તે અપૂર્વ હતેા. ગુજરાનવાલાથી ભજનમંડળી વગેરે ઘણા ભાઈ આ આવ્યા. સનખતરાથી તે હિન્દુ અને મુસલમાન ભાઈ એ પણ આવી પહોંચ્યા. બહારથી ૧૫૦૦ જેટલા લેાકેા આવ્યા હતા. આસપાસના હજારે લેાકેા પણ ઉત્સવના વરઘેાડા જેવા આવી પહોંચ્યા.
જસમાં આ સમાજની ભજનમ`ડળી, અકાલી
Page #108
--------------------------------------------------------------------------
________________
૭૮
ધર્મવીર ઉપાધ્યાય સિખોની ભજનમંડળી, સનખતરાની હિન્દુ ભજનમંડળી, અને ગુજરાનવાલાની ભજનમંડળી આદિ ભજનમંડળીઓએ ખૂબ આનન્દ ફેલાવ્યો. હજારે લેકમાં ઉત્સાહ ફેલાઈ ગયે. છઠના દિવસે વિરાટ સભા થઈ અને ગુરુમહારાજના પરમભક્ત વૃદ્ધ શ્રાવક લાલા અનન્તરામજી સનખતરાનિવાસીએ સભાપતિનું સ્થાન લીધું.
ભજનમંડળીઓએ લોકોને મુગ્ધ કરી દીધા. ગુરુમહારાજે ઓજસ્વિની ભાષામાં ગુરુદેવના સ્મરણે અને જીવન વિષે પ્રકાશ ફેંક્યો. શ્રેતાઓ પર ભારે અસર થઈ
નારીવાલના ઉપદેશની કેવી સુંદર અસર થઈ, એ નીચેના દ્રષ્ટાંતથી જણાશે.
એક અકાળી સિખભાઈને ત્યાં લગ્નને પ્રસંગ હતા. વિવાહમાં જાનને માટે કેટલાંક બકરાં રાખવામાં આવેલાં. આ ભાઈ હમેશાં વ્યાખ્યાનમાં આવતા. મહારાજશ્રીને વ્યાખ્યાનની તેમના ઉપર ભારે અસર થઈ. તેમણે પોતાની જાતિના લોકો અને સંબંધીઓને બોલાવી કહ્યું
ભાઈ, મારાથી આ કામ નહિ થાય. મારા હૃદયમાં એ કઠોરતા નથી. આવા નિરપરાધી ને જીભના સ્વાદ ખાતર વધ નહિ કરી શકું. તે મારાથી બનશે જ નહિ. તમે બીજી વસ્તુઓ મીઠાઈ વગેરેથી બધાનું સ્વાગત કરી શકે છે. તમને દુઃખ લાગે તે હું લાચાર છું, પણ મારાથી એ પાપકૃત્ય હવે નહિ જ થાય.”
બસ. પછી શું પૂછવું? જેને અભયદાન મળી ગયું.
Page #109
--------------------------------------------------------------------------
________________
અહિંસાનો પ્રચાર
આ ઉપરાંત ઘણુએ વિદેશી ખાંડને ત્યાગ કર્યો. શુદ્ધ સ્વદેશી વસ્ત્રનું વ્રત ઘણાએ લીધું, ઘણાએ મદિરાત્યાગ કર્યો, ઘણાએ આજીવન માંસાહાર છોડ્યો.
ગુરુદેવ વિજયવલ્લભસૂરિજી અંબાલામાં બિરાજ્યા હતા. સનખતરાના હિન્દુ-મુસલમાન ભાઈએ આવી પહોંચ્યા ગુરુદેવ પાસે મહારાજશ્રીના ચાતુર્માસ માટે પ્રાર્થના કરી. ગુરુદેવે આનંદપૂર્વક આજ્ઞા આપી અને બધા ભાઈઓ ખુશી ખુશી થઈ ગયા.
તે પ્રમાણે મહારાજશ્રીએ વિહાર કર્યો. નારાવાળથી કિલા સભાસિંહ આવ્યા. અહીં લાલા સદાનંદજીના પરિશ્રમના સ્મરણરૂપ એક જિનમન્દિર છે. સ્વાલકેટનિવાસી લાલા પન્નાલાલજીના ઉદ્યોગથી જાહેર વ્યાખ્યાન થયું. દરેક જાતિના લોકો વ્યાખ્યાનમાં આવ્યા હતા. અહીંથી વિહાર કરીને આપ નુણાન ગામ આવ્યા. અહીં પણ દરેક જાતિના લોકો વ્યાખ્યાનમાં આવતા હતા.
Page #110
--------------------------------------------------------------------------
________________
રાજદ્રોહની ગંધ
અહીંથી વિહાર કરી આપ સનખતરા પધાર્યા. સનખતરાના લકે તે પોતાની ભાવના સફળ થયેલી જોઈને આનંદિત થયા. તેઓને પ્રવેશ ખૂબ ધૂમધામથી કરાવ્યો. પ્રત્યેક સંપ્રદાયના લોકેએ હાર્દિક સ્વાગત કર્યું. સેંકડે લકે વ્યાખ્યાનમાં આવવા લાગ્યા. ચાતુર્માસમાં ધર્મની પ્રભાવના થઈ. જૈન સમાજમાં તથા અન્ય સંપ્રદાયમાં જાગૃતિ આવી.
પ્રવેશના દિવસે લાલા હરિશ્ચન્દ્રજી લક્ષ્મણદાસજી અમૃતસરનિવાસી પણ પ્રતિજ્ઞા પ્રમાણે આવી પહોંચ્યા. ભગવદ્ભક્તિ, પ્રભાવના અને સાધમીવાત્સલ્ય ઉત્સાહપૂર્વક કર્યું.
સાધમી વાત્સલ્યમાં હિન્દુ-મુસલમાન ભાઈઓને પણ પ્રીતિભેજન કરાવ્યું તથા આખા નગરમાં ૫-૫ લાડુ ઘર
Page #111
--------------------------------------------------------------------------
________________
ચરિત્રનાયક
તથા જૈન શ્વેતાંબર વિજયાનંદ કમીટી “ગુજરાનવાલા ”
Page #112
--------------------------------------------------------------------------
Page #113
--------------------------------------------------------------------------
________________
રાજદ્રોહની ગંધ
૧
દીઠ વહેંચ્યા. આખા નગરમાં કાઈ પણુ ભગી—ચમાર બાકી ન રહ્યા. બધા દેવસ્થાનામાં એકએક રૂપિયા ભેટ ધર્યું. આનંદમંગળ થઈ રહ્યો. હુની લહેર આવી ગઈ.
ચાતુર્માસમાં તેઓશ્રીના વ્યાખ્યાનમાં હજારો લોકો જમા થતા હતા. હિન્દુ, મુસલમાન, શીખ બધા ભાઇએ આવતા હતા. કેાઈ શુદ્ધ ખાદીનું વ્રત લેતા હતા, કેાઇ મદ્ય છેડતા હતા, કાઈ માંસ છેાડતા હતા, કાઈ બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરતા હતા, કાઈ કસાઇનું કામ છેડતા હતા. મહારાજશ્રીના ઉપદેશ પ્રત્યેક સપ્રદાયના લેાકેાને રૂચિકર અને પ્રિય થઈ પડયો હતા.
એ વખતે રાજકીય આંદોલન પણ ઠીક ચાલી રહ્યુ હતું. રાજદ્રોહના ભય અધિકારીઓને હેરાન કરી રહ્યા હતા. કેઈ દુષ્ટ આદમીએ થાણેદારને ખબર આપ્યા કે જૈન સાધુ રાજદ્રોહનાં વ્યાખ્યાના કરે છે . અને હરી લેાકા તેના વ્યાખ્યાનામાં જાય છે.
સમાચાર પહેાંચતાં જ એક ગુપ્તચરને વ્યાખ્યાનમાં મેકલવામાં આવ્યેા. ગુપ્તચર આઠ દિવસ આવતે રહ્યો અને વ્યાખ્યાનની નોંધ લખતા લખતા બિચારા થાકી ગયા. વ્યાખ્યાનમાં અહિંસા, ધર્મ, શુદ્ધ વ્યવહાર, શુદ્ધ ખાદીમાં અહિંસા, જીવ પ્રત્યે પ્રેમભાવ, હિન્દુ-મુસલમાન શીખ બધાની ઐક્યતા તથા પવિત્ર જીવનની વાતે સાંભળી પેલે ગુપ્તચર પણ દિંગ થઈ ગયેા.
તે બિચારે પણ મનુષ્ય હતા. પત્થર પણ પીગળે એવી વાણી જ્યાં ચાલતી હૈાય ત્યાં મનુષ્યનું શું ગજું !
ૐ
Page #114
--------------------------------------------------------------------------
________________
૮૨
ધર્મવાર ઉપાધ્યાય સભામાં જ તે એકાએક ઊભું થઈ ગયું. લેકને આશ્ચર્ય થયું કે જરૂર મહારાજશ્રીને આ ગુપ્તચર જે જણાતે માણસ રાજદ્રોહી ભાષણને બહાને હેરાન કરવાને મનાઈહુકમ લઈ ઊભે થયા હશે. કેમાં જરા ઉશ્કેરણું આવી ગઈ પણ મહારાજશ્રીએ બધાને શાંતિ રાખવા કહ્યું અને પેલા ગુપ્તચરને કહ્યું: “કહો, મહાનુભાવ શું કહેવું છે ! મારા વ્યાખ્યાનમાં રાજદ્રોહની ગંધ આવે છે ખરી ! અને તમારી શાણી સરકારને એમ લાગતું હોય તો ચાલે તૈયાર છું.”
ગુપ્તચર તો બિચારો આભો બની ગયે. બોલ્યો, “કૃપનિધાન, તમે તે મારા પરમ ઉપકારી ગુરુ છે. ધન્ય આપને! આપના ઉપદેશામૃતનું પાન કરીને હું તે ધન્ય ધન્ય થઈ ગયો. કલ્યાણ થજે તે ભાઈનું જેણે આપના વિરુદ્ધ થાણામાં ખબર મેકલી! એમ ન થયું હોત તે આ પાપીનું કલ્યાણ ક્યાંથી થાત! આપના દર્શન અને આપના ઉપદેશને લાભ ક્યાંથી મળત! મારા જેવા પાપીનો ઉદ્ધાર કરે.”
મુસલમાન ભાઈઓ, પીર સાહેબના શિષ્યો અને ત્યાં બેઠેલા જેનજનેતર ભાઈઓ તો દિંગ બની ગયા, આશ્ચર્ય ચકિત થઈ ગયા અને મહારાજશ્રીના પ્રભાવની ભૂરિ ભૂરિ પ્રશંસા કરવા લાગ્યા. - આ ચાતુર્માસમાં જે જે પુણ્યકાર્યો થયાં, તે પ્રશંસનીય ગણાય.માંસ-મદિરાનો ત્યાગ, સ્વદેશી વસ્ત્રની પ્રતિજ્ઞા વગેરે કાર્યથી આનંદ આનંદ વતી રહ્યો.
કાર્તિક સુદ ૧૫ ના દિવસે અહીંથી વિહાર કર્યો.
Page #115
--------------------------------------------------------------------------
________________
રાજદ્રોહના ગધ
૮૩
ગામની બહાર સરકારી શાળામાં મુકામ રાખ્યા. એકમને દિવસે અહીં મેટે મેળે! ભરાયેા. ૨૦-૨૫ હજાર મનુષ્યા એકત્રિત થયા હતા. શીખ લેાકેા અહીં ઠીક ઠીક પ્રચાર કરે છે. મહારાજશ્રીને પણ સભામાં આવવા વિનંતિ કરવામાં આવી. મહારાજશ્રીએ હજારે લેાકેા સમક્ષ આત્માપરમાત્માના સ્વરૂપનું વિવેચન કર્યું. જનતા પર ખૂબ પ્રભાવ પડયો. અકાલી–શીખના જલસામાં પણ તેએ ગયા અને ત્યાં પણ ઉપદેશ આપ્યા.
માગશર શુદ બીજના દિવસે આપશ્રીએ જમ્મુની તરફ વિહાર કર્યો. જફરવાલ આવ્યા. અહીં જેનેાનુ એક પણ ઘર નથી, પણ લેાકેાએ જાણ્યું કે સનખતરાના મહાત્મા પધાર્યા છે, એટલે લેાકેા દાના દોડી આવ્યા. લેાકેાને મહારાજશ્રીએ ઉપદેશ આપ્યા અને અહિંસા ધર્મને દૃષ્ટાંતે આપીને સમજાવ્યા. એક વૃદ્ધ પુરુષ બેાલી ઊઠેચાઃ
મહારાજ, ઘણાં વર્ષો પહેલાં આપના ગુરુ મહારાજ શ્રી વલ્લભવિજયજી મહારાજની વાણી સાંભળીને મને શાંતિ થઈ હતી, તેવી આજે તમારાં વચને સાંભળી થઈ. ધન્ય છે. આપને ! અમને જૈન ધમ પર પ્રેમ થયેા છે અને જૈન સાધુ તરફ આદર ભાવ થયેા છે.
27
અહી થી ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા, ધર્મોપદેશ શ્વેતા દેતા મહારાજશ્રી કાશ્મીરની રાજધાની જમ્મુમાં પદ્માર્યા. જમ્મુ તે તેમની જન્મભૂમિ. અહીં એક જૈન મંદિર છે તથા ૮-૧૦ શ્ર!વધુનાં ઘર છે. સ્થાનકવાસી ભાઈઓનાં ઘર ૧૫૦ લગભગ છે. અહીના રહીશ લાલા સાંઈદાસ
''
Page #116
--------------------------------------------------------------------------
________________
૮૪
ધર્મવીર ઉપાધ્યાય
પૂર્ણ ચન્દ્ર અને લા. વધાવામલજીને નવપદજીનું ઉદ્યાપન કરવું હતું, તે માટે સનખતરામાં મહારાજશ્રીને વિન ંતિ કરી હતી. મહારાજશ્રી અહી દોઢ મહિના રહ્યા. તેઓની પાસે સ્થાનકવાસી ભાઈ એ પણ આવતા હતા. કાઈ પ્રેમથી, કેાઈ આકર્ષણથી, કેાઈ વિદ્વતાની પરીક્ષા કરવા, કાઈ જૂના સ્નેહસંબંધને લઈને, કોઈ ગુણાનુરાગને લઈને પણ લગભગ જમ્મુની જનતાના મોટા ભાગ મહારાજશ્રીની વાણી સાંભળવા આવતા હતા.
મન્દિરના વિશાળ ચેાકમાં ‘જૈનધમ અને આપણું કબ્જે ’ એ વિષય ઉપર મહારાજશ્રીએ-તાવ આવેલે છતાં બે કલાક વ્યાખ્યાન આપ્યુ. લેાકેા તા મુગ્ધ થઈ ગયા. તેએ તે કહેવા લાગ્યા કે જૈનધમ વિષે અમને તે આવા ખ્યાલ જ નહેાતા. મહારાજશ્રીએ જૈનધમ ને બદલે સત્યધમ, મનુષ્યધમ અને દયાભાવ વિષે એવું સ્પષ્ટ વ્યાખ્યાન આપ્યું અને વિદેશી ખાંડ, માંસ, મદિરા, વિદેશી વસ્ત્ર વિષે એવી રસીલી ભાષામાં ઉપદેશ આપ્યા કે લેાકા તા ચકિત થઇ ગયા. ઘણાએ માંસ–મદિરાને ત્યાગ કર્યાં. કેાઈએ વિદેશી ખાંડ અને ઘણાએ વિદેશી કપડાં છેડયાં.
પેાષ વદમાં લાલા સાંઈાસ પૂર્ણ ચન્દ્ર તથા લાલા વધાવામલે પ્રેમપૂર્વક નવપદજીનુ ઉદ્યાપન કર્યું.
ઉદ્યાન પ્રસંગે ગુજરાનવાલાથી ૫. શ્રીવિદ્યાવિજયજી અને શ્રી વિચારવિજયજી આવ્યા હતા. તેમજ કસૂર, લાહેાર, પટ્ટી, નારાવાલ, સનખતરા, ગુજરાનવાલા, હેાશિચારપુર અને રામનગર આદિ શહેરથી ૭૦૦-૮૦૦
Page #117
--------------------------------------------------------------------------
________________
રાજદ્રોહની ગ ધ બહેનભાઈઓ આવ્યાં હતાં. રથયાત્રાને વરઘોડે બહુ જ ઠાઠમાઠથી નીકળે હતો. સરકારી બેંડ, જુદા જુદા શહેરની ભજનમંડળીઓ વગેરેથી નગર આખું શેભી રહ્યું હતું. હજારો માણસ જલ્સ જેવા આસપાસનાં ગામેથી આવ્યાં હતાં. ભગવાનની પાલખીને નગરજને વધાવતાં હતાં અને ભાવિકજને રૂપિયા ને નારિયેળ ચડાવતાં હતાં.
આ ઉદ્યાપન પ્રસંગે લગભગ પંજાબને શ્રીસંઘ સમસ્ત પ્રસંગે આવ્યું હતું. આગેવાનો પણ હાજર હતા. તે મહારાજશ્રીએ વ્યાખ્યાન આપ્યું તે આજે પણ પ્રત્યેક પંજાબી ભાઈબહેનના હૃદયમાં ગુંજે છે.
“પંજાબ શ્રી સંઘના સમસ્ત ભાઈબહેને, યુવકે અને હિતચિંતકો, સમાજપ્રેમી અને શિક્ષણપ્રેમી સજજનો ! યાદ છે ગુરુવર્યની પ્રતિજ્ઞા ! યાદ છે ગુરુકુળની યેજના ! ગુરુમહારાજને પંજાબ માટે કે અસીમ પ્રેમ છે તે જાણે છે? તેમના ત્યાગની વાતો તમે સાંભળી છે? આખા યે પંજાબની સૂરત બદલવાન એ મહર્ષિના કોડ છે તે ખ્યાલમાં છે? ગુરુકુળ દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાના ગુરુદેવના અભિલાષ હું અને મારે આત્મા જ જાણે છે. સ્વર્ગવાસી ગુરુદેવ શ્રી આત્મારામજી મહારાજની અંતિમ ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવાની ગુરુવર્યની ઈચ્છા છે. પંજાબ શ્રી સંઘ શું જવાબ આપે છે? પંજાબના ભાઈબહેને પિતાના આ પરમ પ્રિય ગુરુકુળ માટે કયારે દાન વર્ષા વરસાવે છે? સાંભળે, બરાબર સાંભળે ! આજથી મારે પણ છ વિગયને ત્યાગ છે અને આહારમાં માત્ર પાંચ દ્રવ્ય જ રાખીશ.
Page #118
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાધ્યાય ગુરુકુળ મારા જીવનનું મહદ્ કાર્ય છે. તેની ખાતર થાય તેટલી તપશ્ચર્યા કરવાની તમન્ના જાગી છે.”
શ્રી સંઘના સર્વ ભાઈબહેને ગદગદિત થઈ ગયાં. હર્ષાશ્રુની ધારા વહી નીકળી. મહારાજશ્રીના ત્યાગની ભૂરિભૂરિ પ્રશંસા થવા લાગી. શ્રી સંઘ પણ પ્રતિજ્ઞા સાંભળી વિચારમાં પડી ગયે. કાંઈક કરવું જોઈએ તેવા પવિત્ર વિચારે લઈ ને સભા વિસર્જન થઈ.
Page #119
--------------------------------------------------------------------------
________________
સાધુતાના સંદેશ
""
મહારાજ નમસ્કાર! ” થાણેદાર લાલા લેખરાજજી તથા મ્યુનિસિપલ કમીટીના પ્રધાન લાલા અમીચંદજી ખ'ડેળવાળા મહારાજશ્રીની પાસે આવ્યા અને નમસ્કાર કર્યો.
''
“ ધર્મલાભ ! આજે ફુરસદ મળી ગઈ. સારું થયું. અહીં વ્યાખ્યાનમાં ઠીક માણસા આવતા જાય છે. લેાકેાને ધમ પર સારા પ્રેમ જાગ્યા છે.” મહારાજશ્રીએ જણાવ્યું, મહારાજશ્રી, આપ શુદ્ધ સ્વદેશીને પણ ઉપદેશ કરે છે કે ” થાણેદારે પૂછ્યું.
66
(C
જરૂર, એ તે અમારા ધમ છે. વિલાયતી કપડામાં કેટલી બધી હિંસા થાય છે, અને હિંસાથી બનેલાં કપડાં
Page #120
--------------------------------------------------------------------------
________________
૮૮
ધર્મવીર ઉપાધ્યાય અમારા જેનોથી કેમ વપરાય? આ ઉપદેશ તે જરૂરી છે.” મહારાજશ્રીએ સ્પષ્ટતા કરી.
“પણ મહારાજ, તમે બીજે પણ ઉપદેશ કરે છે?”
“હા! હા! અમારે તે ધંધે જ છે ઉપદેશ કરવાને. માંસમદિરાથી આત્મા કલુષિત થાય છે, જીવન શુદ્ધ નથી થઈ શકતું. જ્યારે કુદરતે હજારે મેવા-મીઠાઈ, ધનધાન્ય, ફળફૂલ આપ્યાં છે તે પછી જીવતાં પ્રાણીઓની હિંસા શા માટે કરવી જોઈએ ! આપણામાં જે જીવતત્વ છે તે જ જીવતત્ત્વ પ્રાણીઓમાં છે!” મહારાજે અહિંસાની વ્યાખ્યા કરી.
“ક્ષમા કરે કૃપાનિધાન! મને ક્ષમા કરે. હું તે આવ્યું હતું તપાસ કરવા કે અહીં રાજદ્રોહને શો ઉપદેશ ચાલે છે, પણ આજે તે હું આપની વાણી સાંભળી પવિત્ર થયો. મને તે આજે પરમ શાંતિ થઈ. મને જ આપ આપને શિષ્ય માને ને માંસાહારની પ્રતિજ્ઞા આપે.” થાણેદાર ગળગળા થઈ ગયા.
“મને પણ ચામડાના જેડા ન પહેરવાની પ્રતિજ્ઞા આપ! ” લાલા અમીચંદજી બેલ્યા.
“ધન્યવાદ ! તમે ભદ્ર પુરુષે છે. તમારું કલ્યાણ થશે.” મહારાજશ્રીએ આશીર્વાદ આપે. બને નમસ્કાર કરીને ગયા અને પરમ શાંતિ અનુભવવા લાગ્યા.
એક દહાડે એક પીર સાહેબ આવ્યા. એમને જોઈ તેઓ બોલી ઊઠયા :
“પધારો પીર સાહેબ ! આપ આનંદમાં કે ! અહીં
તેરા માલી
વાર સ:હેમ
Page #121
--------------------------------------------------------------------------
________________
સાધુતાના સ`દેશ
૨૯
અમારે દ્વાર આપ ભૂલા તેા નથી પડ્યા ને?” મહારાજશ્રીએ પીર સાહેબનું સ્વાગત કર્યું.
::
‘હું અહીં તકિયામાં આવ્યેા છું. મુસલમાન બિરાદરાને ત્યાં ભાજન માટે આવ્યેા હતા. આપની પ્રશંસા સાંભળી શિષ્યા સાથે વાર્તાલાપ માટે આવ્યે છુ, ” પીર સાહેબે આવવાનું કારણ જણાવ્યું.
બહુ જ આનદ થયા. આપ પણ ખુદાના મંદા છે અને અમે પણ ખુદાના અંદા છીએ, લેાકેાને જીવનબતાવવા એ અમારું-તમારું કાય છે. ” મહારાજશ્રીએ જણાવ્યું.
મા
વાત તે ખરાખર છે, તમારા ત્યાગની વાત સાંભળી મને તમને મળવાની ઇચ્છા થઈ આવી. મને આનંદ થયે.” ૮ પીર સાહેબ! જ્યારે આપ મિત્રભાવે પધાર્યાં છે.
તે હું પણ મિત્રભાવે આપને કહીશ. હું કાંઈ એવે ત્યાગી નથી, અમારા ભગવાન તેા મહા ત્યાગી હતા. મારે તા ખાવા, પીવા, પહેરવા જોઇએ છે, પણ અમારા ધ પ્રમાણે અમારાથી બનતું કરીએ છીએ. ” મહારાજશ્રીએ પેાતાના ધર્મની વિગત જણાવી.
??
r
“ તમે મિત્રભાવે જે કહેશે તે હુ' સાંભળીશ અને તેમાંથી જરૂરી ગ્રહણ કરીશ, તમે વિના સંકોચે કહા.” “ પીર સાહેબ ! મને માફ કરશેા કે ! હુ તે આપને જ ઉદ્દેશીને કહીશ. આ કપડાં આપે પહેયી છે તે વિદેશી જ છે, તેમાં પશુની ચરબી વપરાય છે. આપ તે પીર સાહેબ છે,
ખેાટુ ન લગાડશેા.
Page #122
--------------------------------------------------------------------------
________________
૯૦
ધર્મવીર ઉપાધ્યાય દ્વેષ બુદ્ધિથી નહિ, માત્ર પ્રેમભાવે જ કહું છું. હજારો લેકે આપની આજ્ઞામાં છે. આપ જો ત્યાજ્ય વસ્તુઓ છેડે તે અનુયાયીઓ તે જરૂર છેડે. વિદેશી ખાંડ પણ ત્યાજ્ય થાય છે. વળી એક વાત રહી જાય છે. જે કપડા પર એક ખૂનને ડાઘ પડે તો તે કપડાથી કરેલી નમાજ ખુદાને મંજૂર નથી થતી. હું તે સાચી વાત કહેવામાં શરમ નથી માનતે. આપ ખુદાના સાચા પીર થવા માગે છે, નમ્ર છે, સરલ છો, અને શાણું છે, તેથી જ આટલું કહે છે. વળી મારી જીદ પણ નથી. તમને જે રૂચે તે ગ્રહણ કરે, બાકી મારી પાસે છેડી જશે. માફ કરશે, આપને તકલીફ થઈ હોય તો!” મહારાજશ્રીએ સાફ સાફ શબ્દોમાં મિણ ઉપદેશ આપ્યો.
તમારી વાત મંજૂર છે. મને ખૂબ આનંદ થયે. આજથી ત્યાજ્ય વસ્તુઓનો ત્યાગ કરીશ.”
જમ્મમાં સ્થાનકવાસી સમાજ અને મૂર્તિપૂજક સમાજમાં કલેશ હતે. એક દિવસ સ્થાનકવાસી સમાજના આગેવાને માજી દીવાન લા. વિષ્ણુદાસજી તથા લા. કાશીરામજી મહારાજશ્રીની પાસે આવ્યા. વંદણા કરી તેઓએ જણાવ્યું, “મહારાજશ્રી, અમારા વચ્ચે આ કલેશ મટે જોઈએ, અમને એથી દુઃખ થાય છે.”
મહારાજશ્રીએ જણાવ્યું : “તમારા જેવા આગેવાનેને દુઃખ થવું જ જોઈએ, પણ માત્ર વાતોથી કલેશ ન મટી શકે. તે માટે બને સમાજના ભાઈઓએ પ્રયત્ન કરવું જોઈએ.” .
Page #123
--------------------------------------------------------------------------
________________
સાધુતાના સંદેશ
તેઓએ કહ્યું : “મહારાજશ્રી, આપ જેવા મહાત્મા અમારા શહેરમાં પધાર્યા એ અમારું સૌભાગ્ય છે. અને હવે કલેશ રહે તે ઠીક નહિ.” મહારાજશ્રીએ જણાવ્યું;
મારી તે એજ ઈચ્છા છે. તમે ખાતરી રાખે ! હું તે કઈ પણ જગ્યાએ કુસંપ જોઈ જ શકતું નથી. મારે અંતરાત્મા તેનાથી વલેવાઈ જાય છે. તમે નહિ હું જ તે માટે શરૂઆત કરવા તૈયાર છું. સાંભળે! દેશ, જાતિ અને સમાજને ઉન્નત બનાવવામાં મિલાપની પૂરી આવશ્યક્તા છે, પણ અભિલાષાને કાર્યરૂપમાં લાવવા પ્રયત્ન કરવો જોઈએ.”
બન્નેએ કહ્યું “ગુરુદેવ! અમારી પણ એ જ ઈચ્છા છે. જ્યારે હિન્દુ-મુસલમાન આપસમાં મળી રહ્યા છે તો વીર પ્રભુના ભકતો અમે કેમ ન મળીએ!”
મહારાજશ્રીએ કહ્યું: “ત્યારે હું જ શરૂઆત કરું છું. કાલે જ તમારા સાધુ મહારાજ શ્રી. મોતીલાલજી સ્વાલકેટથી આવે છે. હું મારા શ્રાવકેને કહું છું કે તેઓ તેમનું સ્વાગત કરવા જશે, તેમનું વ્યાખ્યાન સાંભળશે, તેમને આહારપાણી વહોરાવશે અને તેમને વિદાય પણ આપશે. આ રીતે કોઈ પણ સાધુ-સાધ્વી આવે તે તે પ્રમાણે વ્યવહાર કરશે, પછી મેળ થતાં વાર કેટલી! હું તે સ્થાનમાં આવીને પણ ઉપદેશ આપી શકું છું. મનુષ્ય માત્રને ઉપદેશ કરે અને સન્માનદશક થવું એ અમારું પ્રથમ કર્તવ્ય છે. બેલે, શું વિચાર કરે છે! ”
બન્ને આગેવાને મહારાજશ્રીના આ વચનો સાંભળી ચૂપ થઈ ગયા. શું બોલે ! છેવટે ધીમેથી બોલ્યા, “મહારાજ આપનું કહેવું તે યથાર્થ છે.”
Page #124
--------------------------------------------------------------------------
________________
K
ધર્મવીર ઉપાધ્યાય
tr
આ વાતને થાડાએક દિવસે વીત્યા.
લાલાજી, મે' સાંભળ્યું છે કે તમારા સ્થાનકમાં શ્રી મેાતીલાલજી મહારાજનુ આખ્યાન છે. તે માટે દીવલપત્રો પણ નીકળ્યાં છે, તે પછી મારી ઈચ્છા પણ ત્યાં ગાવવાની છે. સ્થાનકમાં સાનિક વ્યાખ્યાન હોય તો ૩૨૮ ૨ જે પ્રાંતેબધ ન હવે જોઈએ. તમે પૂછી તા જુઓ. તમારા આગેવાના અને મહારાજશ્રી શું કહે છે?” મહારાજશ્રીએ સ્થાનકવાસી આગેવાન લાલા કમચંદજી તથા લાલા મેઘામલજીને ખેલાવીને કહ્યું.
“ મહારાજશ્રી ! તે માટે અમારે ત્યાં કાી ચર્ચા થઇ ચૂકી છે. અમને તે તેમાં કશે। વિરોધ નથી, પણ અમારા કેટલાક ભાઈ એ તેમાં ધમની હાનિ માને છે. આગેવાનાએ સ'કાચ સહિત જવાબ આપ્યા.
,,
“ ભાગ્યશાળી ! હું તે જાણું છું કે આપણે ભગવાન મહાવીરના પુત્ર! હાવાના દાવા કરનારા જ પેાતાના એક જ ધગુરુને પણ સાંભળી નથી શકતા ! મને દુઃખ એટલા જ માટે થાય છે કે તમારામાં કેઇને તમારા મુનિમહારાજને સ્પષ્ટ કહેવાની હિંમત નથી. ” ઉપાધ્યાયજીએ રેાકડું પરખાવી દીધું.
જમ્મુથી વિહાર કરી આપ સ્પાલકાટમાં પધાર્યા. અહીં તે સ્થાનકવાસી ભાઈએ જ રહે છે—અહી સ્થાનક
Page #125
--------------------------------------------------------------------------
________________
સાધુતાના સંદેશ વાસી શ્રાવક લહેંશાહના મકાનમાં મહારાજશ્રી ઊતર્યા. આ સમયે પ્લેગ ચાલતો હતો. લોકે બહારગામ ગયેલા, પણ મહારાજશ્રીના વ્યાખ્યાનમાં સારી ભીડ રહેતી. કોંગ્રેસ કમીટીના મંત્રીના આગ્રહથી રામતલઈ જ્યાં દેશના મહાન નેતાઓ વ્યાખ્યાન આપે છે ત્યાં બે સાર્વજનિક વ્યાખ્યાનો થયાં.
અહી ઘણા વખતથી સ્થાનક્વાસી સાધુશ્રી બાલચંદજી સ્થાના પતિના રૂપમાં રહેતા હતા–મહારાજશ્રીને ઈરાદે હતું કે તે સ્થાનકમાં વ્યાખ્યાન આપે. લા. પાલામાલને મહારાજશ્રીએ શ્રી લાલચંદજી મહારાજ તથા આગેવાનોને પોતાની ભાવના જણાવવા કહ્યું પણ સંપ્રદાયના વ્યાહના કારણે મહારાજશ્રીની ઉદાર ભાવના તેઓ ન સમજી શક્યા.
અહીંથી વિહાર કરી વઝીરાબાદ, ગુજરાત વગેરે શહેરોમાં વિચરતા વિચરતા જહેલમના શ્રીસંઘના આગ્રહથી મહારાજશ્રી જહલમ પધાર્યા. સંઘે મહારાજશ્રીનું સુંદર સ્વાગત કર્યું. નગરના દરેક જાતિના લોકોએ પ્રવેશ સમયે ભાગ લીધે. વ્યાખ્યાનોમાં શહેરના દરેક જાતિના લોકે આવવા લાગ્યા. કેટલાક ભાઈઓ પ્રશ્નો પૂછી સમાધાન મેળવવા લાગ્યા. અહીં વસન્ત પંચમીએ મટે મેળો ભરાય છે–તેમાં મહારાજશ્રીને આગ્રહપૂર્વક લોકે બોલાવી ગયા અને ત્યાં મેળામાં હજારો લોકોને સાદી સીધી ભાષામાં ઉપદેશ આપ્યો. જૈન સાધુને મેળામાં વ્યાખ્યાન આપતા જોઈને બીજા સાધુબાવાઓ વગેરે દિંગ થઈ ગયા. અઢારે વર્ણના લેકે મહારાજશ્રીની મધુર મીઠી વાણી સાંભળી મુગ્ધ થઈ ગયા.
Page #126
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાધ્યાય
અહીં સાથે રહેલા શ્રી સમુદ્રવિજયજીએ સ્થાનકવાસી સાધુશ્રી લક્ષ્મીચંદજી મહારાજને મળતાં સુખશાતા પૂછી.
“જી હા! આ૫, ગુરુવર્ય સુખશાતામાં કે !” શ્રી લક્ષ્મીચંદજી મહારાજે વિનય કર્યો.
“આપે જાણ્યું હશે કે આજે ગુરુમહારાજ જહેલમ નદીના તટ પર જાહેર વ્યાખ્યાન આપવાના છે. અને આ
ચર્યની વાત તો એ છે કે તેના સભાપતિનું સ્થાન આર્ય સમાજ નેતા લા. ઠાકુરદાસજી લેવાના છે.” સમુદ્રવિજયજી મહારાજે જણાવ્યું.
શું કહો છે ! સાચી વાત છે !” લહમીચંદ્રજીએ આશ્ચર્ય જણાવ્યું.
હા ! હાતદ્દન સાચી વાત–અને મારી તે વિનતિ છે કે તમે તમારા ગુરુશ્રી સાથે ત્યાં પધારે. આનંદ થશે, ધર્મની પ્રભાવના થશે.” સમુદ્રવિજયજીએ આમંત્રણ આપ્યું.
“આપની વાત તો સારી છે, પણ હું મારા ગુરુશ્રીને વાત કરીશ અને આજ્ઞા મળશે તે જરૂર આવીશું.”
જહેલમ નદીના તટ પર ભારે ગીરદી જામી હતી. હજારે લેકે વહેલાં વહેલાં આવી બેસી ગયાં છે. સ્વયંસેવકે વ્યવસ્થા જાળવી રહ્યા હતા. લા. ઠાકુરદાસજી મિત્રમંડળી સાથે આવ્યા છે. જૈન શું કે આર્યસમાજ શું! સિખ શું કે હિન્દુ શું! બધા આવ્યા છે અને વચ્ચે મહારાજશ્રી શેભી રહ્યા છે.
મહારાજશ્રીએ “જૈન ધર્મે સંસારને શું આપ્યું તે વિષય પર જોશીલી ભાષામાં વ્યાખ્યાન આપ્યું.
Page #127
--------------------------------------------------------------------------
________________
સાધુતાના સંદેશ
“જૈન ધર્મ એ સત્ય ધર્મને શબ્દાર્થ છે. જ્યારે જગતમાં હિંસાનું સામ્રાજ્ય હતું ત્યારે અહિંસાને ગગનભેદી સંદેશ સંસારની શેરીએ શેરીએ અને ગામેગામ ભગવાન મહાવીરે ફેલા. દુઃખી જગતને શાંતિ પાઠ આગે અને આ જગતના જીવન-કલહમાંથી છૂટવાનો એક માત્ર માર્ગ (નિવૃત્તિપરાયણ જીવન) ની ભેટ આપી. આ શરીર તે એક ભાડૂતી ઘર છે. તેને છોડીને બધાને ચાલ્યા જવાનું છે. આત્મા પોતપોતાના કર્મને ભક્તા છે. ઊંચાં કર્મ વાળે ઉચ્ચ ગતિ મેળવશે, નીચ કર્મવાળો નીચ ગતિ મેળવશે. સંસારના બધા જ સમાન છે. જૈન ધર્મનો સંદેશ અહિંસા, સમાનતા, દયા અને શાંતિમાં આવી જાય છે. પ્રાણીમાત્રનું કલ્યાણ એ મહાન સૂત્ર જગતને જૈન ધર્મો આપ્યું છે.”
આ પ્રમાણે વિવિધ દુષ્ટતેથી લોકોને પ્રભાવિત કરી દીધા.લોકેએ તાળીઓના ગડગડાટથી મહારાજશ્રીની વાણીને વધાવી લીધી.
પ્રમુખ શ્રી લા. ઠાકુરદાસજીએ સમાલોચના કરતાં જણાવ્યું –
મહારાજશ્રીના આ ઉદાર વિચારથી તથા તેમની મધુર વ્યાખ્યાન શૈલીથી હું મુગ્ધ થયો છું. મહારાજશ્રીએ અનેક દૃષ્ટાંત આપી આપણને બધાને પોતાના બનાવી દીધા છે.
“જે કે હું આર્યસમાજી છું અને વૈદિક ધર્મ પર વિશ્વાસ કરવાવાળો છું; તથાપિ જૈનધર્મ પર મને બહુ પ્રેમ
Page #128
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાધ્યાય છે. મેં જૈન ધર્મનાં પુસ્તક વાંચ્યાં છે. જૈન ધર્મ ભારત વર્ષના મુખ્ય ધર્મોમાંનું એક છે. જે ભારતવર્ષમાં જૈન ધર્મને અધિક પ્રચાર ન હોત તે અહિંસાનું નામનિશાન મટી જાત. જૈન ધર્મના સાધુ પવિત્ર, સદાચારી તેમજ કંચન અને કામિનીના ત્યાગી હોય છે.
મેં જૈનાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિનું જીવનચરિત્ર વાંચ્યું છે. તે અદ્વિતીય વિદ્વાન હતા. તેમની ધારણાશક્તિ કેટલી બધી ઉચ્ચ અને તેજ હતી તે કહેવું મુશ્કેલ છે. તેમણે પોતાના સ્વલ્પ જીવનમાં સાડાત્રણ કરેડ ગ્લૅક વિવિધ વિષય પર બનાવ્યા છે.
'“સંસ્કૃત સાહિત્યમાં એ કઈ વિષય બાકી નથી જે વિષય ઉપર તેમણે પુસ્તક ન લખ્યું હોય.”
આ પછી સભા વિસર્જન થઈ. સ્થાનકવાસી મહારા જથી તે આવ્યા નહિ અને જ્યારે પૂછાવ્યું ત્યારે જવાબ મળે કે અમારા ગુરુની આજ્ઞા મંગાવ્યા સિવાય અમારાથી ન અવાય.
જહેમમાં મહારાજશ્રીના પ્રયાસથી શ્રી આત્માનંદ જેન સભાની સ્થાપના થઈ. ઘણા ભાઈબહેનેએ વિદેશી ખાંડને પરિત્યાગ કર્યો. હેલમથી વિહાર કરી મહારાજશ્રી પિન્ડદાદનખાં પધાર્યા. પ્રત્યેક જાતિના લોકોએ પ્રવેશમાં ભાગ લીધે. આપ ત્યાંના ક્ષત્રિય બા. નાનકચંદજીના મકાનમાં ઊતર્યા.
Page #129
--------------------------------------------------------------------------
________________
અભુત જાદુગર
મહારાજશ્રી, આપ અમારા ગામમાં પધાર્યા તેથી અમને બહુ જ આનંદ થયો. આપે બજારમાં વ્યાખ્યાનો આપ્યાં, આર્યસમાજ મંદિરમાં પણ વ્યાખ્યાન આપ્યું અને ખરેખર અમારા ઉપર આપે અત્યંત ઉપકાર કર્યો, પણ મહારાજશ્રી મારી એક વિનતિ સાંભળશે?” એક યુવાને મહારાજશ્રીને પ્રશ્ન કર્યો.
અરે હા ! શા માટે નહિ! એક શું અનેક વાત સાંભળવા તૈયાર છું! જે આ કાયાથી કોઈપણ જીવનું કલ્યાણ થતું હોય તો જરૂર કરીશ.” મહારાજશ્રીએ જવાબ આપ્યો.
Page #130
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાધ્યાય ગુરુદેવ! અમારા ગામમાં આપસમાં બહુ વિદ્વેષ છે. નથી ભાઈ–ભાઈમાં મેળ, કાકા-ભત્રીજા વર્ષોથી લડે છે; અમારા બે આગેવાનોને તે ભારે વેર ચાલે છે! અરે, એટલું જ નહિ પણ ચાર છે ઘર જૈનીઓનાં છે, તેમાં પણ મેળ નથી.” યુવકે સ્પષ્ટ હકીકત કહી.
તમે આ બધું સાચું કહે છે? આ નાના ગામમાં આવે કુસંપ! ખરેખર દુઃખની વાત છે. ભાઈ હું આ વાત સાંભળીને હેરાન થઈ ગયે છું, પણ હું આ માટે પૂરો પ્રયત્ન કરીશ. તમે નિશ્ચિંત રહે.” મહારાજશ્રીએ સાંત્વન આપ્યું.
મહારાજશ્રી આખો દિવસ ઉદાસ રહ્યા. ન કર્યો - હાર, ન ગયા બહાર! વ્યાખ્યાન પણ ન આપ્યું અને વિચારમગ્ન રહ્યા. એકાંતે શાંતિપૂર્વક ઉપાય શોધવા લાગ્યા અને આશાનું કિરણ પ્રગયું.
બીજે દિવસે સવારમાં તર્પણી લઈને ગયા ભત્રીજાને ત્ય“ધર્મલાભ !”
પધારે પધારે ગુરુદેવ!”
“અરે મહારાજ પધાર્યા છે. જુઓ તો દૂધ–રાબ જે હોય તે ગુરુદેવને માટે જલદી લાવે.”
ભાઈ! હું ગોચરી નથી નીક, પણ ખાસ વિચારપૂર્વક આવ્યો છું.”
કહો કહો, ગુરુદેવ! શું હુકમ છે, આપને જે ચીજની જરૂર હોય તે આપ સુખેથી માગો. સેવક હાજર કરશે.”
“મહાનુભાવ! મારી ચીજ તે બહુ ખેંઘી છે, તે
Page #131
--------------------------------------------------------------------------
________________
અદ્ભુત જાદુગર
તમે નહિ આપી શકે !”
“ સાહેબ ! આપ શું કહેા છે? આપ જેવા ગુરુથી શું વિશેષ છે. જે જોઈ એ તે સત્વર માગી લેા, ” “ એમ કે ? કબૂલ છે કે ? તે આજે ખપેારના ઉપાશ્રયે આવશે? ત્યાં જ જણાવીશ.” મહારાજશ્રીએ રહસ્યમાં કહ્યું. જરૂર આવીશ !”
''
અને તેજ ક્ષણે ગયા કાકાજીને ત્યાં
કાકાએ પણ મહારાજશ્રીનું સ્વાગત કર્યું. દૂધ વગેરે વહેારવા પ્રાર્થના કરી પણ મહારાજશ્રીએ જણાવ્યું: “ લાલાજી ! મારે આપને ત્યાંથી ઉમદા ગોચરી લેવી છે. આપશે કે !
""
''
“ અરે ભગવાન, આપ આ શું મશ્કરી કરી છે !” હા, હા, હું સાચું જ કહું છું. આજે તે નહિ પણ કાલે ગોચરી વહારવા આવીશ, જો તમારા સાચેા ભાવ હશે તા!”
“ એમ શુ કહેા છે, સ્વામી ! તમે શું કહેા છે. તે સમજાતું નથી.”
“ આજે અપેારના ઉપાશ્રયે આવશે ? ’’
ઃઃ
,,
હા, હા, જરૂર.
“ ત્યારે મારો ઈરાદો સમજાવીશ.
તરત જ પગથિયાં ઊતરી ચાલ્યા આવ્યા ઉપાશ્રયે. અપેારના મહારાજશ્રી ટપાલ વાંચે છે ત્યાં ભત્રીજો આવ્યે . અને તેમણે મહારાજશ્રીને વંદન કર્યું અને પૂછ્યું. “ મહારાજશ્રી, શી આજ્ઞા છે આ સેવકને !
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ધર્મવીર ઉપાધ્યાય
“ધર્મલાભ ! આવ્યા કે ! બહુ જલદી આવ્યા! સારું ! બેસે.” આદરભાવપૂર્વક પાસે બેસાડીને પછી કહેવા માંડયું.
“જુઓ ભાઈ! હું તે શું સાધુ, અમારે તમારા ગૃહસ્થના કામમાં પડવું ન જોઈએ, પણ આપદ્ધર્મ પણ આવે છે. આજે મને સાંભળીને દુઃખ થાય છે કે તમે કા-ભત્રીજે વર્ષોથી લડે છે. તમારા જેવા જુવાનને તે શેભે ! હજી તો આ વાત ચાલે છે ત્યાં કાકાએ પગ મૂક્યો અને વંદન કર્યું. ભત્રીજાને મહારાજ પાસે જઈ કાકાને આશ્ચર્ય થયું અને તે બીજા મહારાજ પાસે જવા લાગ્યા.
કેમ લાલાજી! બેસે બેસે, આ તમારા ભત્રીજા કે?” લાલાજી હવે શું બેલે ! બેસવું પડ્યું.
“જુઓ લાલાજી ! મારે તમારે ત્યાંથી કાલે ગોચરી લેવાની છે ને! અને તમારા ભત્રીજાને ત્યાંથી પણ લેવાની છે. હવે ઘણાં વર્ષો થયાં. આપસમાં આ ન શોભે. મનદુખ બન્ને ભૂલી જાઓ અને આજથી એકબીજાના સુખે સુખી ને દુઃખે દુઃખી થાઓ. હું તે નિમિત્ત માત્ર છું, પણ મને આ કલેશથી દુઃખ થાય છે.” મહારાજશ્રીના શબ્દોથી બન્નેની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યાં.
“મહારાજ, આપની આજ્ઞા શિરોધાર્ય છે. અમે બન્ને આપની આજ્ઞાથી વિદ્વેષ કાઢી નાખીએ છીએ. આપ ભલે અહીં પધાર્યા.”
ચાલે આનંદ થયો. હવે તો મારે કાલે ગોચરી આવવું જ પડશે.”
બંનેને વિદાય કર્યા. બીજો દિવસ થયો.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧
અદ્ભુત જાદુગર
સભા બેઠી છે. વ્યાખ્યાન ચાલે છે. પારસી ભણાવાઇ ગઈ અને મહારાજશ્રીએ સભાને એક દ્રષ્ટિએ જોઈ લીધી. આગેવાનો આગળ બેઠા છે અને જુવાના પણ બેઠા છે. બહેનેાની સંખ્યા પણ વિશેષ છે.
મહારાજશ્રીએ કહ્યું: “ સુણા ભાઈએ ! આજે એક વાતના મારે આખરી ફેસલા કરવા છે. લાલા નાનકચન્દ્રજી મેાટા રહીશ છે. અને ઠાકુર સાહેબ તે ક્ષત્રિય વીર કહેવાય. અન્ને મહાનુભાવાને મેં ખૂબ સમજાવ્યા પણ તેઓ સમજતા નથી. મેં પણ નિર્ણય કર્યો છે કે આમ કાંસુધી ચાલવા દેવું, તેથી તેા તમારા ગામમાંથી આપસના ક્લેશ જતા નથી. તેા ભાઈ આ, આપ લેાકેા એ વાતનું પણ કરા કે જ્યાં સુધી એ બન્ને મહાનુભાવા આપસમાં એક બીજાને પ્રેમપૂર્વક મળે નહિ ત્યાં સુધી આપણે બધાએ અન્નજળના ત્યાગ કરવા.’
આ ભીષણ વાત સાંભળી સભા સ્પ્રિંગમૂઢ થઈ ગઈ. બધા એક સાથે કહેવા લાગ્યા. ઠીક છે, ઠીક છે, જરૂર, જરૂર !” પછી તે પૂછવું જ શું ! મન્ને મહાનુભાવાનાં હૃદય પીગળ્યાં. મહારાજશ્રી પાસે અન્ને ઊભા થયા અને ક્લેશ કાઢી નાંખવા માટે પ્રતિજ્ઞા લીધી અને અન્ને ભેટ્યા.
કેવુ' અપૂર્વ દ્રશ્ય ! કેવુ મિલન ! સભા આખી ચાંકેત થઈ ગઈ. હર્ષોંનાં આંસુ છલકાઈ આવ્યાં. આનંદ આનંદ છવાઈ રહ્યો.
66
એવી જ રીતે જૈન ભાઇઓના આગેવાના લા. જગન્નાથને લા. મૂલામલ, લા. ખેરાતીરામ, લા. દેશરાજને લાવીને
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ધર્મવીર ઉપાધ્યાય
તેમને સમજાવ્યા અને કાયમના મેલમિલાપ કરાવી આપ્યા, અહીંના પ્રસિદ્ધ ધનાઢ્ય લા. ઢેરામલજી, ચુસ્ત આ - સમાજી લાલા ઈશ્વરદાસજી, લાલા નાનકચંદ્રજી તથા લા, મહેરચન્દજી આદિ સજ્જને મહારાજશ્રીના પૂરા શ્રદ્ધાળુ અની ગયા.
અહીંથી એ કેાસ કલશાં ગામ છે. પરમ પૂજ્ય સ્વર્ગીય આચાર્ય શ્રી વિજયાનન્તસૂરિજી મહારાજના પૂર્વજ અહીં રહેતા હતા. હજી પણ તેમના કુટુમ્બીએ છે. ત્યાંથી લાલા હંસરાજ અને લા. ગણેશમલ આદિ ઘણા સજ્જને મહારાજશ્રીના દર્શન માટે આવ્યા કરતા હતા.
અહીં બધી રીતે ધમ પ્રચાર અને ખાસ કરીને આપ સમાં મેલમિલાપ થયેા. લાકે કહેવા લાગ્યા કે અદૂભુત જાદુગર !
Page #135
--------------------------------------------------------------------------
________________
શાન્તિ ને જયંતી
ં
(ભરા નામનું પ્રાચીન તીર્થં પાસે જ છે. મહારાજશ્રીની ભાવના એ પ્રાચીન તીના દર્શનાર્થે જવાની થઇ. તે પિન્ડદાદનખાંથી આવ્યા ભેરા. લેાકેા પણ સાથે આવ્યા. પ્રવેશે।ત્સવ થયા. જહેમલ અને ગુજરાનવાલાથી પણ લેાકેા આવ્યા. આનંદથી તી યાત્રા કરી.
મહારાજશ્રીને કોઈ સરળ લેાકેા જમવાનુ` કહેવા આવ્યા તે કાઈ ખાવાનું તૈયાર કરી મંદિરમાં આપવા આવ્યા. મહારાજશ્રીએ જૈન સાધુના આચાર અતાવ્યા અને ગેાચરી માટે નીકળશું ત્યારે તમારે ત્યાં આવીશુ તેમ જણાવ્યું.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ધર્મવીર ઉપાધ્યાય અહીંથી વિહાર કરી રામનગર આવ્યા. લા. લદ્ધશાહ તથા લા. કુલયશરાયની પ્રાર્થનાથી એક સાર્વજનિક વ્યાખ્યાન આપ્યું. અહીંથી અકાળગઢ અને પપનાખા આદિ ગામમાં ધર્મોપદેશ આપતા તેઓ ગુજરાનવાલા પધાર્યા.
અહીં શ્રી મહાવીર જયંતીનો ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવ્યું. મંદિરમાં પૂજા ભણાવવામાં આવી તેમજ ગરીબને ભેજન આપવામાં આવ્યું. બપોરના બ્રહ્મઅખાડામાં સભા-મંડપ તૈયાર કરવામાં આવ્યા હતા ત્યાં હજારો ભાઈબહેનની ઠઠ જામી. વિદ્વાન વર્ગ અને અધિકારી વગે પણ સારી હાજરી આપી. સંગીત મંડળીઓ ભજન ગાયાં અને મહારાજશ્રીએ ભગવાન મહાવીરના ચરિત્ર પર રેચક અને પ્રભાવશાળી વ્યાખ્યાન આપ્યું. જનતા પર કાફી પ્રભાવ પડ્યો. અહીંથી વિહાર કરી લાહોર થઈને મહારાજશ્રી કસૂર પધાર્યા. આપનું ખૂબ સુંદર સ્વાગત થયું. હંમેશાં વ્યાખ્યામાં જૈનનેતર ભાઈઓની મોટી ભીડ રહેતી. ચાર પાંચ અકાલી શીખ તો મહારાજશ્રીના જાણે ભક્ત બની ગયા હતા. મુસલમાન ભાઈઓ પણ આવતા હતા.
ગુરુદેવની જયંતીને ઉત્સવ આવે. તેની તૈયારી થવા લાગી.
વ્યાખ્યાન ચાલે છે. આગેવાનો બધા બેઠા છે. જેનેતર ભાઈઓ મોટી સંખ્યામાં આવ્યા છે. બહેને પણ ઘણ હાજર છે.
વ્યાખ્યાનમાં ખૂબ શાન્તિ છે. મહારાજશ્રી એકાએક
Page #137
--------------------------------------------------------------------------
________________
શાન્તિ અને જયંતી
અટકી ગયા. બધા જોઈ રહ્યા, શું થાય છે તે.
''
કસૂર શ્રીસંઘના આગેવાન મહાનુભાવા ! સાંભળે!” મહારાજશ્રી ખેાલી ઊઠયા.
૧૦૫
‘ ગુરુદેવની જયંતી આવે છે. મેાટા ઠાઠમાઠથી તે ઉજવવાની તમારી ભાવના પ્રશસનીય છે. તે માટે તમે તા ગામેગામ નિમંત્રણ મેાકલ્યાં છે અને અઠવાડીયામાં તા કસૂરની બજારમાં શ્રદ્ધાળુ ભાઈબહેનેાનાં ઝુંડના ઝુંડ ઊતરી પડશે.
ઃઃ
પણ ગૃહસ્થા, મને એક વાત ભારે મૂંઝવી રહી છે, મને સુખે નિદ્રા નથી આવતી, ગોચરી પણ હું શાંતિથી નથી લઈ શકતા.”
મહારાજશ્રી, એવી તે શું મૂંઝવણ છે.’ એક ગુરુભક્ત ખાલી ઊઠયા.
66
ભાઈ આ, શું કહું ! તમારા શ્રી સંઘને કલેશ— વર્ષોના તમારા કુસંપ મને હુ જ સાલે છે. ગુરુદેવની જયંતી આપણે કથા મેાઢે ઉજવીએ !
“ જે સમાજમાં–જે નગરમાં—જે ફામમાં-જે જ્ઞાતિમાં કે જે કુટુબમાં કુસંપ પેઠે તે તેના સર્વથા નાશ કર્યાં વિના નથી રહેતા. તેના સમાજવિકાસ રૂંધાય છે. હું જોઉં છું કે તમારા કસૂરમાંથી લક્ષ્મી રિસાઈ જવા લાગી છે, વેપાર પણ જવા બેઠા છે. તમે સપને સાધી લક્ષ્મીને મનાવી લાવેા, ધર્મના ઉદ્યોત સાધા.
‘ગુરુદેવના પુણ્ય પ્રતાપે તમે જે જનધર્મ પામ્યા તે પ્રભાવી પુરુષની જયંતી હું કુસંપમાં ન ઊજવી શકું.
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ધર્મવીર ઉપાધ્યાય
એલે, શું કહા છે ! મારે આજે જ ફ્રેંસલો જોઈ એ. ’ વાક્યે વાક્યે સભા પ્રશાંત થતી ગઈ. હૃદયનાં વાકયેાની જાદુઈ અસર થઈ. સ્ત્રીપુરુષાની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. આગેવાના ઊભા થઈ ગયા ને મેલ્યાઃ
“ ગુરુમહારાજ, આપશ્રી જે ફેસલા કરે તે અમને કબૂલમર છે. તમે બન્ને પક્ષને સાંભળીને જે ચુકાદો આપે! તે અમને શ્રીસંધને માન્ય છે. જયંતીના ઉત્સવ બધા આનંદથી ઉજવીશું. આપ નિશ્ચિંત રહેા.”
આખી સભા ખુશખુશાલ થઈ ગઈ. તાળીઓના ગડગડાટ વચ્ચે ગુરુદેવના જયની ઘેાષણા થઈ. જૈનેતર ભાઇએ આ દૈવી ફિસ્તાના મુખારિવંદનાં તેજકરણા જોઈ રહ્યા, મુગ્ધ થઈ ધન્ય ધન્ય પાકારવા લાગ્યા.
મહારાજશ્રીએ જયંતી પછી સ`ઘના પ્રશ્ન હાથ ધરવાના વિચાર દર્શાવ્યેા અને જયંતી માટે તૈયારીઓ થવા લાગી.
એક વૈષ્ણવ મંદિરના ખુલ્લા મેદાનમાં મંડપ બાંધવામાં આબ્યા. મંડપને ખૂબ સુથેાભિત કરવામાં આવ્યા અને એક ઉચ્ચ સિહાસન પર ધમ અને સમાજના નાયક સ્વર્ગીય આચાર્યાં મહારાજશ્રીની સુંદર મૂર્તિને પધરાવવામાં આવી. જીરા અને પટ્ટી આદિ શહેરની ભજન મંડળીઓ તથા અન્ય આગેવાના ઉત્સવમાં ભાગ લેવા આવી પહોંચ્યા.
અષ્ટમીના દિવસે પ્રાતઃકાળે સભામડપમાં જૈન, વૈશ્નવ, આ સમાજી, શિખ અને મુસલમાન, હરસમાજના સજ્જન સ્ત્રીપુરુષા આવવા લાગ્યાં. સભામંડપ જનતાથી ખીચાખીચ ભરાઈ ગયા. કસૂરના પ્રસિદ્ધ ગૃહસ્થના સભાપતિ
Page #139
--------------------------------------------------------------------------
________________
==
==
=
શાન્તિ અને જયંતી ત્વમાં ઉત્સવ શરૂ થયે.
પ્રારંભમાં જીરાનિવાસી બ્રહ્મચારી શંકરદાસજીએ ગુરુસ્તુતિ કરી. કસૂરનિવાસી લાલા જ્ઞાનચંદ તથા પટ્ટીનિવાસી. જૈન યુવકે એ સુંદર ભજન સંભળાવ્યાં અને જીરાનિવાસી લાલા બાબુરામજી એમ. એ. એલએલ. બી. વકીલે સ્વગીય આચાર્યશ્રીનું જીવનચરિત્ર બહુ જ મધુરભાષામાં કહી સંભળાવ્યું. ત્યાર બાદ સુંદર તથા સમાપયેગી ભજને બાદ અગિયાર વાગે સભા વિસર્જન થઈ.
- બપોરના બીજી સભાને આરંભ થયો. આ સમયે શ્રેતાઓની સંખ્યા બહુ અધિક હતી. લા. જ્ઞાનચંદજી આદિ યુવકનાં ભજન બાદ મહારાજશ્રીએ વ્યાખ્યાનની શરૂઆત કરી.
ઓજસ્વિની ભાષામાં સિંહગર્જનાની જેમ મહારાજશ્રીએ ભાષણ શરૂ કર્યું.
જયન્તી શું છે! જયન્તી શા માટે મનાવવી જોઈએ ! સ્વગીચ આચાર્ય મહારાજશ્રીના જીવનમાંથી શું બેધ જૈન સમાજને અને ધર્મને લેવાનું છે? મહારાજશ્રીએ સમાજ, ધર્મ અને દેશ ઉપર કેટલે મહાન ઉપકાર કર્યો છેઃ વગેરે તેમના જીવનની ઉલ્લેખનીય ઘટનાઓનું દિગદશન કરી ગુરુદેવના ઉપકારે ને કાર્યનું ખૂબીથી વર્ણન કર્યું.
મહારાજશ્રીને એક એક શબ્દ પ્રેતાઓના હૃદયમાં ગુજતે હતો. જે બહેન ભાઈઓએ મહારાજશ્રીનું વ્યાખ્યાન સાંભળ્યું છે તે આજે પણ યાદ કરે છે.
જેન કે હિન્દુ, શીખ કે આર્યસમાજી બધા મહા
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૦૮
રાજશ્રીના વ્યાખ્યાનથી મુગ્ધ લજી તરફથી બધાને શરમત આવ્યા.
નામના દિવસે આજ
''
ધર્મવીર ઉપાધ્યાય
થઇ ગયા. લા. પ્રભુદયાઆપવાના પ્રમ'ધ કરવામાં
""
સભામ`ડપમાં બીજી એક પ્રભાવશાળી વ્યાખ્યાન જૈનધર્મ નુ વાસ્તવિક સ્વરૂપ ઉપર થયું. આ વિષયની ચર્ચા મહારાજશ્રીએ બહુ માર્મિક રીતે કરી અને જનતાના હૃદયો પર તેની ઊંડી છાપ પડી. વ્યાખ્યાન પૂરું થતાં જૈનધર્મની જય, અહિંસા ધર્મની જય, ગુરુદેવની જય આદિ નાદોથી મડપ ગૂજી ઊઠયા.
શ્રી સંઘે ચાતુર્માસ માટે વિનંતિ કરી અને શ્રીજીનેન્દ્ર ભગવાનના મન્દિરનું નિર્માણ નિશ્ચિત થયું.
જયંતી પછી મહારાજશ્રીએ સંઘના પ્રશ્ન હાથમાં લીધા. બન્ને પક્ષેાને ખૂબ ધ્યાનથી અને શાંતિથી સાંભળ્યા. બન્ને પક્ષાને સમજાવ્યા અને વિચારયુકત ફે’સલેા આપ્યા. ॐ वन्दे वीरमानन्दम्
ફેસલા
સ. ૧૯૮૦ પ્રથમ જેષ્ઠ વદ ૫ શુક્રવાર તા.૧૧-૮-૨૩ સાહનવિજયજીની તરફથી શ્રી સંઘ કસૂરને ધર્માંલાલ પૂર્વક માલૂમ થાય કે
શ્રી સંઘ મારો ઉપદેશ સાંભળી તેને અમલમાં મૂકવા તૈયાર થયા છે તે માટે શ્રી સંધ ધન્યવાદને પાત્ર છે. ખરેખર, તમેા સાચા વીરપુત્રા તથા ગુરુભક્ત છેઃ જ્યારે જૈનધમ માં ક્ષમાની પ્રધાનતા છે તેા પછી ત્યાં લડાઈ
Page #141
--------------------------------------------------------------------------
________________
શાન્તિ અને જયંતી
૧૦૯ ઝગડા થાય જ ક્યાંથી? મને એ વાતનો આનંદ છે કે છેડા વખત પહેલાં કસૂરના શ્રી સંઘમાં કલેશના કારણે બે તડ થઈ ગયાં હતાં, તેને મિટાવી આપસમાં સુસંપ કરાવવાની જવાબદારી શ્રી સંઘે મારા પર નાંખી હતી. બન્ને પક્ષોએ આનંદપૂર્વક લખી આપ્યું છે કે અમારો આપસમાં જે ઝગડે છે, તેને અન્ત લાવવાને માટે તમે જે કાંઈ કરે તે અમને બધાને મંજૂર છે, તેમાં અમને કશે સંકોચ નહિ થાય. તેથી હું શ્રી સંઘ કસૂરને જે ઝગડે પડે છે તેને મારા હાથમાં લઉં છું. જો કે આ પ્રશ્ન દુનિયાદારીને છે, તેમાં સાધુઓનું કામ નથી પણ જમાનાની હાલત અને ધર્મકાર્યમાં વિદન આવતું જોઈને તેમજ કુસંપથી આપણા સમાજની હાનિ થતી નજરે જોતાં મારે આ મામલામાં પડવું પડયું છે, નહિ તે કશી જરૂર નહતી.
ભાઈઓ, મેં બન્ને પક્ષોની વાત સાંભળી છે તથા તેને ધ્યાનથી વિચારી છે. મારી બુદ્ધિ અનુસાર મેં તે બધી વાતો પર ઠીક ઠીક વિચાર કર્યો છે. મને લાગે છે કે અને પક્ષો પોતે પોતાની વાતે સિદ્ધ કરવા પ્રયાસ કરે છે. પણ બને પક્ષોની દલીલ નિર્બળ માલૂમ પડી છે. અને પિતાને સત્ય માને છે. ભૂલ તે બન્નેની છેડી ઘણી થઈ છે. તમે જાણે છે કે ન્યાયાધીશની પાસે જ્યારે કોઈ મુકરમો આવે છે, ત્યારે બન્નેના સાક્ષીઓ લેવાય છે. અને પોતાને સત્ય સાબીત કરવા પ્રયત્ન કરે છે, અને બન્ને પક્ષોને સાંભળી ન્યાયાધીશ વિચાર કરીને ન્યાયપૂર્ણ ફેંસલો આપે છે. હું ન્યાયાધીશ તે નથી પણ મેં બનેને ન્યાય આપવા
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ધર્મવીર ઉપાધ્યાય પ્રયત્ન કર્યો છે. મારે ઉદ્દેશ કુસંપ દૂર કરી સંપની વૃદ્ધિ કરવાને છે—મારે નિર્ણય નીચે પ્રમાણે છે. ૧ પ્રથમ પરસ્પર ખમતખામણાં કરવાં ૨ કેઈપણ ભાઈ ગઈગુજરી કેઈપણ જગાએ યાદ ન કરે. ૩ બે તડ આજથી એક ગણાશે. શ્વેતાંબર જૈન સંઘની
એક જ પાટS ગણાશે. 4 આજથી કઈ સંઘની બહાર નહિ ગણાય. ૫ લાલા અમીચન્દજી પન્નાલાલજીએ એક સાધર્મિક
વાત્સલ્ય, અષ્ટ પ્રકારી પૂજા તથા પ્રભાવના કરવી. ૬ લાલા અમીચન્દજીના પક્ષ વાલાએ નવપદજીની પૂજા
અને પ્રભાવના કરવી જોઈએ. ૭ બીજા પક્ષવાળા ભાઈઓએ સત્તર ભેદી પૂજા તથા
પ્રભાવના કરવી જોઈએ લાલા અમીચન્દજી અમૃતસરવાલાએ એક સાલ સુધી પ્રભુ પૂજા કરવી. કેઈ કારણસર ન બને તો મંદિરજીમાં જઈને એક માળા જરૂર ગણવી. પરદે
શમાં કે બિમારીના સમયમાં અપવાદ. ૯ લાલા પ્રભુદયાળજી તથા લાલા પન્નાલાલજી એક
વર્ષ સુધી પ્રભુપૂજ કરે. પરદેશમાં તથા બિમારીના સમયમાં અપવાદ. સાધમિક વાત્સલ્યમાં તથા પ્રત્યેક ધર્મકાર્યમાં બધાને શામિલ કરવા જોઈએ. ભવિષ્યમાં કુસંપ ન થાય તે માટે શ્રી જૈન શ્વેતાંબર વિજયાનંદ કમીટીની સ્થાપના કરવી.
૧૧
Page #143
--------------------------------------------------------------------------
________________
શાન્તિ અને જયંતી
૧૧૧
૧૨ શ્રી મદિરજીના હિસાબ ચૈત્ર સુદ ૧૩ પ્રભુ મહાવીરની જયંતીદિને કમીટી તપાસી તે સહી કરે તથા તારીખ લખે.
શ્રી મદિરજીના હિસાબ એક જ ઠેકાણે રહે. જે ચેાગ્ય હાય તેની પાસે રાખવાના કમીટીને અધિકાર છે. આજ સુધીમાં શ્રી મદિરજીના રૂપીઆ જેની પાસે હાય તે આઠ દિવસની અંદર અંદર જ્યાં પ્રથમ મદિર ના હિસાબ રહે છે ત્યાં જમે કરાવી દે. ૧૫ હમેશાં ચ'દા—ફંડ માટે મુશ્કેલી રહે છે, તા તેમાં ૧૬ આનાની પાંતી પ્રમાણે ભાગ પાડી રાખવા— જ્યારે જરૂર પડે ત્યારે તે પ્રમાણે ચઢ્ઢો કરી લેવા. તે માટે બે ભાઇઓની નિમણુક કરવી.
૧૩
૧૪
તા. ક. આ ફૈસલામાં જે જે ધર્મકાર્ય કરવા જણાવ્યું છે, તે આત્મસુધાર માટે છે; તેથી સંઘમાં કેાઈ કાઈ ને મેણાંટોણાં ન આપે.
મારા ફેસલામાં ભૂલ થઈ ગઈ હેાય તે હું મિચ્છામિ દુકકડ દઉં છું.
શાંતિઃ
શાંતિઃ
શાંતિઃ
।
૫ શિવમસ્તુ સર્વ જગતઃ પરહિતનિરતાભવન્તુ ભૃતગણા : દેષાઃ પ્રયાન્તુ નાશ, સર્વત્ર સુખી ભુવન્તુ લેાકા
: ઃ ।
દઃ—પન્યાસ સાહનુંજય
مان
Page #144
--------------------------------------------------------------------------
________________
કુરાનેશરીફનું ફરમાન
કસૂરથી વિહાર કરી મહારાજશ્રી પટ્ટીમાં પધાર્યા, અહીં પણ વ્યાખ્યાનમાં હિન્દુ-મુસલમાન ભાઈઓ કાફી સંખ્યામાં આવતા હતા અને પ્રેમથી વ્યાખ્યાન સાંભળતા હતા. મંડીથી પણ વ્યાખ્યાન સાંભળવા લેકે આવતા હતા.
એક દિવસ મહારાજશ્રી Úડિલ જઈને બહારથી ઉપાશ્રય તરફ આવતા હતા. રસ્તામાં એક લાંબી દાઢીવાળા મુસલમાને રસ્તે રોકી લીધા. તે વ્યાખ્યાનમાં પણ આવતા હતા. આ જોઈને લોકે પણ એકઠા થઈ ગયા.
કેમ ભાઈ!શું કામ છે ! આમ રસ્તો રોકવાનું તમારે શું કારણ છે!”
Page #145
--------------------------------------------------------------------------
________________
કુરાને શરીફનું ફરમાન
૧૧૩ “મહારાજ ! આ કુરાનેશરિફ તમે માની લે તે હું તમને ખુદા માનવા તૈયાર છું.”
લેકે તે બધા ચકિત થઈ ગયા ને લડાઈ થશે કે શું તેવું વાતાવરણ દેખાવા લાગ્યું.
ભાઈ ! હું તે દિવસરાત ખુદા બનવા માટે મહેનત કરી રહ્યો છું. પણ જ્યાં સુધી મારામાં ખુદી–સ્વાર્થ છે, ત્યાં સુધી કુરાનેશરીફ તો શું પણ વિશ્વના બધા ધર્મગ્રન્થ મને ખુદા નહી બનાવી શકે. મારામાંથી જ્યારે ખુદી સર્વથા નીકળી જશે ત્યારે હું પોતે ખુદા બની જઈશ. તે વખતે મને કોઈ નહિ રોકી શકે. વળી હું તો સત્યને પક્ષપાતી છું, જ્યાંથી સત્ય મળે ત્યાંથી લેવાને તૈયાર છું.”
લોકો તો મહારાજશ્રીની ધીરજ, શાન્તિ અને વાચાતુર્ય જે હેરાન થઈ ગયા. પેલા મુસલમાનભાઈ તે ચૂપચાપ સાંભળી જ રહ્યા.
મહારાજશ્રીએ આગળ ચલાવ્યું.
“સત્ય કઈ પણ ધર્મમાં, કઈ પણ મજહબમાં કે કોઈ સંપ્રદાયમાં હોય તો મને તેને સ્વીકાર કરવામાં કશી આપત્તિ નથી.
“ભાઈ, પણ કુરાનેશરીફ થોડું વાંચ્યું છે. જ્યાં સુધી હું સમજ્યો છું ત્યાં સુધી તેમાં ખુદાતાલાએ એજ ફરમાન કર્યું છે કે “મારા બન્દાઓ! તમે હંમેશાં પાક રહે, બધાની સાથે પ્યાર વર્તાવ કરે, બધા ઉપર પ્રેમ અને દયાભાવ રાખે. કઈ પણ જીવને સતાવે નહિ.”
આ સાંભળી તે ભાઈ તો મહારાજશ્રીને સલામ કરી
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૧૪
વીર ઉપાધ્યાય
ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. લાકેને આનંદ થયા. મહારાજશ્રી ઉપાશ્રયે આવી ગયા.
પટ્ટીથી વિહાર કરી તરણતારણ વગેરે થઈ આપ જડિયાલાગુરુ આવી પહોંચ્યા. જડિયાલાના ભાઈબહેનો મહારાજશ્રીની વર્ષોથી વાટ જોઈ રહ્યા હતા. તેમની ભાવના આજે સફળ થયેલી જાણી શ્રીસંઘમાં હર્ષી થયા.
મહારાજશ્રીએ જમ્મૂમાં પજામ શ્રી સંઘની સમક્ષ ગુરુમહારાજની ઈચ્છાનુસાર કાર્યસિદ્ધિને માટે છ વિગયના ત્યાગની પ્રતિજ્ઞા કરી હતી, ત્યારથી મહારાજશ્રી કૃશ થતા જતા હતા. થાક માલૂમ પડતા હતા અને અશક્તિ દેખાઈ આવતી હતી.
જડિયાલાના શ્રીસંઘના આગેવાનાએ પ્રાથના કરી. ગુરુમહારાજ ! આપની પ્રતિજ્ઞા તે અમે જાણીએ છીએ, પણ આપ દિવસે દિવસે દુળ ખનતા જાએ છે. ઘી, દૂધ, દહી, તેલ, ગાળ અને તળેલી વસ્તુ તમે કશું નથી લેતા. એ અમે નથી જોઈ શકતા. કૃપા કરી એ વ્રતને હવે છેડા. ”
ઃઃ
“ મહાનુભાવો, તમારી વાત તે ઠીક છે પણ ગુરુદેવની આજ્ઞા સિવાય ચાહે ગમે તે થાય, મારાથી પ્રતિજ્ઞા નહીં છેાડાય. હા, ગુરુદેવની આજ્ઞા મારે શિરાધાય છે. મહારાજશ્રીએ પેાતાના નિણૅય જણાવ્યેા.
""
ચાલ્યા
શ્રી સંઘના આગેવાનામાંથી ૪-૫ ભાઈ એ હોશિયારપુર. ત્યાં આચાય શ્રીને મળીને પ્રાર્થના કરી કે ગુરુદેવ, ઉપાધ્યાયજી મહારાજ બહુ જ કૃશ થઈ
Page #147
--------------------------------------------------------------------------
________________
કુરાને શરીફનું ફરમાન
૧૧૫ ગયા છે. આપની આજ્ઞા સિવાય તે કશું માનવા તૈયાર નથી. અમારો શ્રીસંઘ ઉપાધ્યાયજીની તબીયત માટે ચિંતાતુર છે. આપશ્રી આજ્ઞા ફેલાવે જ ઉપાધ્યાયજી માનશે. “આચાચશ્રીએ પરિસ્થિતિને વિચાર કરી આજ્ઞાપત્ર લખી આપે તથા શ્રીસંઘે પણ આગ્રહ કર્યો, ત્યારે ગુરુમહારાજની આજ્ઞા અને શ્રીસંઘના આગ્રહને માન આપ્યું.
જડિયાલામાં ચાતુર્માસ નિશ્ચિત થયા પછી આપ અમૃતસર પધાર્યા. અહીં શ્રી આત્માનંદ જૈન મહાસભા પંજાબની કાર્યકારિણી કમીટીની બેઠક હતી. આપની સમક્ષ કમીટીનું કાર્ય સારી રીતે પાર પડયું.
અમૃતસરમાં આપ આઠ દિવસ રહી ફરી જડિયાલામાં પધાર્યા. આ સમયે સંઘે સમારોહપૂર્વક સ્વાગત કર્યું. ૧૯૮૦નું ચાતુર્માસ જડિયાલામાં થયું. આ ચાતુર્માસમાં ધાર્મિક કાર્યો ઉપરાંત કેટલાંક ઉલ્લેખનીય કાર્ય થયાં.
શ્રી આત્માનંદ જૈન મહાસભાનું ત્રીજું અધિવેશન પણ અહીં થયું. લાલા અગરમલ ખેરાતીરામ લેઢાએ શ્રી નવપદજીનું ઉદ્યાપન કરાવ્યું. આ માસમાં નવપદજીની ઓળીનું મહારાજશ્રીએ ૯ દિવસ મૌન રહી આરાધન કર્યું. આપના શિષ્ય સમુદ્રવિજયજીએ ઓળીના દિવસોમાં વ્યાખ્યાન વાંચ્યું.
ચાતુર્માસમાં જપ, તપ, ધ્યાન, સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, પ્રભાવના આદિ ધર્મકાર્ય સારી રીતે થયાં. બહારથી પણ ઘણું ભાવિક ગ્રહસ્થ આવ્યા હતા. જેના પ્રદીપના સંપાદક બાબુ જ્યોતિ પ્રસાદજી પણ આપના દર્શનાર્થ આવ્યા હતા.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ધર્મવીર ઉપાધ્યાય શ્રી પર્યુષણ પર્વમાં શ્રી કલ્પસૂત્રને વરઘેડે બહુ ઠાઠમાઠથી નીકળ્યા. જ્યારે વડે બજારમાં આવે ત્યારે મહારાજશ્રીએ દઢ કલાક શ્રી પર્યુષણ પર્વ અને કલ્પસૂત્ર વિષે ઉપદેશ કર્યો. જનતા પર તેને ભારે પ્રભાવ પડે.
આ દિવસમાં જડિયાલામાં અકાલી સિની એક પ્રાંતીય કોન્ફરન્સ હતી. સિખ નેતાઓ સિવાય બીજા પણ દેશ નેતાઓ આવ્યા હતા. લગભગ દસ હજાર મનુષ્યને સમુદાય હતો. સિખે ભાઈઓના આગ્રહથી મહારાજશ્રી કોન્ફરન્સમાં પધાર્યા. સભાપતિના અનુધથી ત્યાં આપે સંગઠનના વિષય ઉપર એક મનહર અને શિક્ષાપદ ઉપદેશ આપે. આપના ઉપદેશથી શ્રેતાએનાં હૃદયકમળ એકદમ ખીલી ઊઠયાં અને ચારે તરફથી ભારત માતાની જય અને જેનધર્મની જય તથા સત શ્રી અકાલના નાદથી પેડેલ ગુંજી ઊઠયે. આપની પછી ડાકટર કિચલું આદિ દેશનેતાઓએ આપના વિષે આદરણીય શબ્દોને પ્રયોગ કરીને કહ્યું કે અમને આજે જ માલુમ પડ્યું કે જૈન સમાજમાં પણ આવાં અમૂલ્ય રત્ન ભર્યા છે.
કાર્તિક સુદ પુનમના રોજ શ્રી સિદ્ધાચળના પટના દશનાથ સમસ્ત સંધની સાથે આપ બહાર પધાર્યા. ત્યાં આપે શ્રી સિદ્ધાચળ તીર્થની મહિમાનું વર્ણન કર્યું. એ સાંભળી ઘણા લોકોએ સિદ્ધાચળ તીર્થની યાત્રા કરવાના નિયમ ગ્રહણ કર્યા. આ રીતે આપનું ચાતુર્માસ જડિયાળામાં આનંદપૂર્વક સમાપ્ત થયું.
આપનું ચાતુર્માસ લા. વિરૂમલ લોઢા અને લાલા હંસ
Page #149
--------------------------------------------------------------------------
________________
કુરાને શરીફનું ફરમાન
૧૧૭
રાજ દુગડની બેઠકે!માં થયું. વયે વૃદ્ધેલા. હરિચંદજી ચૈાધરી, પડિત લક્ષ્મણદાસજી, મરાયતી શાહે આદે મહારાજશ્રી સાથે ચર્ચા વાર્તા કરી સારા લાભ લેતા હતા.
જડિયાલાથી વિહાર કરી આપ જાલધર પધાર્યા. અહીં ગુરુભ્રાતા શ્રી. પ` શ્રી લલિતવિજયજી આપને મળ્યા. ૫. મહારાજને ગુરુદેવની આજ્ઞાથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મકાનને માટે બહુ જ જલદી મુખઈ પહોંચવાનું હતું, તે પણ ભ્રાતૃપ્રેમથી આકર્ષાઇ આપ હુંશિયારપુરથી જાલંધર પધાર્યાં. આપ પણ જ્યેષ્ઠભ્રાતા પૂ. શ્રી લલિતવિજયજીને ભેટવા જાલધર આવ્યા. અને જાલ'ધરમાં મળ્યાં. કેવું મધુર મિલન ! અને ભેટયા. પેટ ભરી ભરીને વાત કરી અને પં. શ્રી લલિતવિજયજી મહારાજશ્રીએ મુંબઈ તરફ પ્રસ્થાન કર્યું. આપ ત્યાંથી વિહાર કરી હેશિયારપુરમાં શ્રી ગુરુદેવના ચરણામાં જઈ પહોંચ્યા. અહીં આઠ દિવસ રહી ગુરુદેવની સેવા કરી.
હેાશિયારપુરથી વિહાર કરી મંગે, નવાં શહેર આદે સ્થાનેમાં ધમપ્રચાર કરતા કરતા આપ રાહોંમાં પધાર્યાં. અહીં ઉપાશ્રયમાં ઉતર્યા. અહીં જૈનોના ૪ ઘર છે. મંદિર ઉપાશ્રયમાં જ હતું, પણ સેવાભકત જોઇએ તેવી થતી નહેાતી. મહારાજશ્રી આ ઉપાશ્રયમાં ઊતર્યાં અને લેાકાને વ્યવસ્થિત પૂજાભક્તિ માટે સમજાવ્યા.
આપના પ્રવેશ બહુ જ ઠાઠમાઠ પૂર્વક થયે. બ્રાહ્મણું, ક્ષત્રિય, વૈશ્ય તથા અન્ય હિંન્દુમુસલમાન લેાક પણ આપના સ્વાગત અર્થે પ્રવેશમાં સમ્મિલિત થયા.
Page #150
--------------------------------------------------------------------------
________________
કલક *
આર્ય સમાજ પંડિતોનું આકર્ષણ.
છે આ ર્યસમાજ મન્દિરના ખુલ્લા મેદાનમાં આપશ્રીએ ૮ દિવસ સુધી વ્યાખ્યાન આપ્યાં. આ વ્યાખ્યાનમાં સનાતન, આર્યસમાજી, સિખ અને મુસલમાનભાઈએ વગેરે બધાં સ્ત્રી-પુરુષ ઉત્સાહપૂર્વક આવતાં હતાં.
મહારાજશ્રી નીડર તથા સત્યના પ્રેમી હતા. તેમણે આર્યસમાજ મંદિરમાં જૈન ધર્મ અને ઈશ્વર તથા “મૂર્તિ પૂજા તથા જનધર્મને વિશ્વને સંદેશ” જેન ધર્મની વ્યાપકતા તથા સ્વતંત્રતા આદિ વિષયો પર સુન્દરતા પૂર્વક વ્યાખ્યાને આપ્યાં. લેકેએ ઉત્સાહથી તે સાંભળ્યાં, એટલું જ નહિ પણ બપોરના કે રાત્રિએ શંકાસમાધાનને માટે ઘણા ભાઈઓ આવતા હતા; તે બધાને શાંતિપૂર્વક દલીલથી સમજાવતા અને આપના ધેર્ય, શાન્તિ અને વિદ્વતાથી બધા ભાઈઓ આનંદિત થતા હતા.
Page #151
--------------------------------------------------------------------------
________________
આર્ય સમાજ પંડિતનું આકર્ષણ
૧૧૦ હોશિયારપુરથી લા. દોલતરામજી તથા ૨૦–૨૫ ભાઈ ઓ તથા જીરાથી લા. ઈશ્વરદાસ આદિ શ્રાવકે આપના દર્શનાર્થે આવ્યા હતા.
નાના એવા ગામમાં મહારાજશ્રીએ આઠ આઠ વ્યાખ્યાન આપીને જૈન ધર્મના સિદ્ધાંતને ઠીક ઠીક પ્રચાર કર્યો.
રાત્રિનો સમય હતો. મહારાજશ્રી પ્રતિક્રમણ કરીને શિષ્યો સાથે આવતીકાલના વિહાર માટે ચર્ચા કરતા હતા. શ્રાવક ભાઈએ મહારાજશ્રીને વિટળાઈ વળી હજી થોડા દિવસ વિશેષ લાભ આપવા વિનતી કરી રહ્યા હતા :
નમસ્કારમહારાજ ? ” એકાએક પાંચ સાત ભાઈઓને અવાજ આવ્યો.
ધર્મલાભ ! ” મહારાજશ્રીએ આવેલ ભાઈઓને બેસવા સૂચવ્યું.
સ્વામીજી મહારાજ ! આપ તે એકાદ દિવસમાં જવાના છે તેમ સાંભળ્યું છે!” એક ભાઈએ પૂછ્યું.
હા, હા, હવે તો જઈશું ને ! ઘણા દિવસ તમારા રોટલા ખાધા !”
સ્વામીજી, એમ કેમ કહો છે ! આપે તે આ નાના ગામમાં ભારે આંદેલન પેદા કરી દીધું છે.” બીજા ભાઈ બેલ્યા.
“સ્વામીજી ! આપ જાણે છે ને કે અમે આર્યસમાજી છીએ. અમે મૂર્તિપૂજાના કટ્ટર વિરોધી છીએ.” ત્રીજા ભાઈએ સ્પષ્ટ કર્યું.
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૨૦
ધર્મવીર ઉપાધ્યાય હા ભાઈ! હા ! હું તે બરાબર જાણું છું, અને તેથી જ તમારા આર્યસાજ મંદિરમાં મેં મૂર્તિપૂજા” વિષે જ ઠીકઠીક ચર્ચા કરી. કેમ–હવે તમને શું લાગે છે? જે તમે તે વિષે કાંઈ કહેવા માગતા હો તે વિના સંકેચે કહેશે.” મહારાજશ્રીએ શાંતિથી જવાબ આપે.
સ્વામીજી! અમે તે આપની વ્યાખ્યાન શૈલી, આપની દલીલ, આપને સર્વધર્મ સમભાવ અને આપની શાંત ગંભીર વાણી સાંભળી મુગ્ધ થયા છીએ.” એક ભાઈ બોલ્યા.
એટલું જ નહિ ! સ્વામીજી ! અમને તે આ વિષે કલપના પણ નહિ. અહીં જે ઉપદેશકે આવે છે તે તે જેરશેરથી પિતાના ધર્મની મોટી મોટી વાત કરે છે અને બીજાના ધર્મની બુરાઈ કરવામાં જરા પણ સંકેચ રાખતા નથી.” બીજા ભાઈ બોલ્યા.
“વળી સ્વામીજી ! આપની પ્રશાંત મુખમુદ્રા તેમજ વાણીની મીઠાશ અમે તે હજુ સુધી બીજે નથી જોઈ.” ત્રીજા ભાઈ બોલ્યા.
ભાઈ! એમાં કશું વિશેષ નથી. અમારે સાધુને ધમ જ કલ્યાણભાવના છે. ”
ધન્ય ધન્ય કહી મહારાજશ્રીને નમસ્કાર કરી ફરી દર્શન માટે વિનતિ કરી આર્યસમાજી ભાઈએ વિદાય થયા. શિખ્યા અને શ્રાવકે મહારાજશ્રીની નમ્રતા, શાંતિ અને ભવ્ય કાંતિ જોઈને આનંદિત થયા.
Page #153
--------------------------------------------------------------------------
________________
આ સમાજ પડિતાનું આકષ ણ
૧૧
રાહાંથી વિહાર કરી એ ત્રણ કેસ ઉપર આવેલા એક ગામમાં રહ્યા. અહીં જૈન ભાઇએનું એક પણ ઘર નહાતું. રાત્રે એકબે આર્યસમાજી ભાઈએ આવ્યા. તે અટપટા પ્રશ્ન પૂછવા લાગ્યા. મહારાજશ્રીએ ધૈય અને શાંતિથી તેમને સમજાવ્યા. ત્યાંથી ખલાચોર પધાર્યા. અહી સ્થાનકવાસી ભાઈ એનાં ઘર છે, પણ તેમને પ્રેમ સારે છે.
રાત્રે મૂર્તિપૂજાના વિષયમાં ખૂબ ચર્ચા ચાલી. મહારાજશ્રીએ શાસ્ત્રીય પ્રમાણેા તથા અકાટચ યુક્તિઓથી મૂર્તિપૂજા અને તેની આવશ્યકતા વિષે ખૂબીથી પ્રતિપાદન કર્યું, તેની જનતા પર બહુ સારી અસર થઈ.
મહારાજશ્રીએ કાઈ પણ ભાઈને હજી પણ શકા હાય તે પ્રશ્ન પૂછવા જણાવ્યું.
“ આપની દલીલા હું તેા નથી સમજી શકા ! ’’ સ્થાનકવાસી લાલા સીતારામજી ખેાલી ઊઠચા.
લાલાજી ! તમે શાસ્ત્રીય દલીલેા નથી સમજી શકતા ને! ચાલે ત્યારે આપણે વ્યવહારિક દૃષ્ટિએ વિચાર *રીએ.” મહારાજશ્રીએ નવીન ચિાર રજૂ કર્યાં.
((
""
હા ! તે બરાબર સમજી શકાય ! લાલાજી કબુલ થયા.
“ જીઆ ભાઈ! મૂર્તિ પૂજા તમે નથી માનતા ને ! પણ હું તે કહું છું જગતનું કાઈ પણ સમજી મનુષ્ય મૂર્તિ પૂજાથી ખચી શકયું નથી. કાઈ ને કાઈ રૂપમાં બધા મૂર્તિ પૂજા તો કરે છે.” મહારાજશ્રીએ મામિ કતાથી જણાવ્યું.
cr
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩
*
આશ્ચર્યથી ખાલી ઊઠયા.
(6
સામીતી ? તમારા જ ઘરમાંથી સામીતી મળે છે.” મહારાજશ્રીએ ધડાકા કર્યાં.
ધર્મવીર ઉપાધ્યાય
અશકય ! અશકય ! સાબીતીશું ! '” લાલાજી
(C
પણ તે બતાવા ને!
લાલાજી ખેલી ઊંચા. જુએ લાલાજી ! તમારા ઘરમાં આપના પૂજ્ય સાધુ સેાહનલાલજી, શ્રી લાલચન્દ્રજી, શ્રી ઉદયચન્દ્રજી વગેરેના ફાટાએ તેા છે ને ! ” મહારાજશ્રીએ પ્રશ્ન કર્યો. “ હા ! તે શું છે! તેનાથી મૂર્તિપૂજા સાખીત થઇ ગઈ શું ! ” લાલાજી વિસ્મય પામ્યા.
* '
,,
((
“હું પૂછું છું કે આ ફાટાએ પૂજ્ય ભાવથી જ ટાંગવામાં આવ્યા છે ને ! માનેા કેાઈ અનાડી મનુષ્ય તે ફાટાઓ ઉતારી તેનું અપમાન કરે તે તમારા દલમાં ચેટ લાગશે કે નહિ ? ”
“ જરૂર ! જરૂર ! ” સભાજના બેલી ઉઠયા. “ તે હવે શું બાકી રહ્યું. આ મૂર્તિ પૂજાનેા પ્રકાર જ છે.
લાલાજી ! ”
મહારાજશ્રીએ બધાને ચકિત કરી દીધા.
લાલાજી માથુ ખંજવાળતા ચાલ્યા અને હા ના કહી ન શકયા. લેાકેા મહારાજશ્રીની દલીલેાથી તથા વ્યવહારુ દૃષ્ટિથી મુગ્ધ થઈ ગયા.
Page #155
--------------------------------------------------------------------------
________________
IS.
રો
ભાઈ-ભાઈ ને પિતા-પુત્રમાં
શાંતિ
મહારાજ સાહેબ ! આપને વિચાર તે ઘણે સારો છે, પણ તે બન્ને કોઈનાથી માને તેવા નથી.” એક વૃદ્ધજને કહ્યું.
પણ લાલાજી! આ તે કાંઈ સારું કહેવાય ! દસ ઘરની જૈન વસ્તીમાં બે સગા ભાઈઓ લડે.” મહારાજશ્રીએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું.
“અમે તો ઘણાએ વારંવાર પ્રયાસ કરીએ છીએ, પણ બેમાંથી કોઈ માને ત્યારે ને!”
એવું તે શું કારણ છે કે વર્ષોથી આમ ચાલે છે!”
“કારણ તો કૌટુંબિક કલેશ. પણ એકબીજાને અંટસ પડી ગઈ એટલે પછી મેળ થાય જ શી રીતે !”
જુઓ લાલાજી! મને તે આ સાંભળીને ભારે
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ધર્મવીર ઉપાધ્યાય
દુઃખ થયું છે. હું જ્યાં જાઉં છું ત્યાં આવું કાંઈ સાંભળુ છું ત્યારે મારાથી નથી રહેવાતું. અને ગુરુકૃપાથી મને તેમાં યશ જ મળે છે. ”
(6 મહારાજ સાહેબ! તે તે તમે જ પ્રભુ ! પણ આ કાર્ય પાર પડે તેમ અમને તેા નથી લાગતું.” “ મને તેા ખાતરી છે કે તે પાર પડશે જ.’’ “તો આપ જરૂર તે બાબત સત્વર હાથમાં લેશેા.
<<
જુઓ એક કામ કરા! તમે અહીના આગેવાન ભાઇઓને કાલે રાત્રે ખેલાવા અને હું અમ્બાલાનિવાસી લા. ગંગારામજી અને લા. જગતુમલજીને ખેલાવું છું. આ વિષે વિશેષ વાત બહાર ન પાડશેા.’
""
'
બહુ સારું! ત્યારે હું રજા લઉં છું. ''
સુખેથી જાએ.
થોડી વારે અને ગૃહસ્થા આવ્યા.
“ મહારાજશ્રી, મન્થેણ વંદામિ ” લાલા ગંગારામજી અને લા. જગતુમલજીએ વાંદણા કર્યાં.
“ ધર્મલાભ ! આવા આવા લાલાજી ! તમારી જ વાટ જોવાય છે. કાલે રાત્રે અહીના બે-ચાર ભાઈઓને મેલાવ્યા હતા.
66
77
27
“ કહેા સાહેબ! શું આજ્ઞા છે!”
''
જુઓ ! લાલાજી, આ નાના એવા ગામમાં બે ભાઈ આ વર્ષોથી લડે છે, તે બરાબર નથી. અમારા સાધુને તે
Page #157
--------------------------------------------------------------------------
________________
ભાઈ-ભાઈને પિતા-પુત્રમાં શાંતિ ધર્મ છે કે જ્યાં જ્યાં જવું ત્યાંને રોટલો હક કરે. હું આ સ્થિતિ નથી જોઈ શકતો.”
ગુરુવર્ય, આપની વાત બરાબર છે. અમે તે માટે બનતું કરીએ છીએ. બન્નેને મળીશું અને ગુરુકૃપાથી બધાં સારાં વાનાં થઈ રહેશે. આપ નિશ્ચિત રહેશે.”
મને તો તમારા જેવા ધર્મપ્રેમી અને ગુરુભક્ત આગેવાનોમાં પૂરી શ્રદ્ધા છે. તમારા કામમાં તમે સફળ
થાઓ.”
આગેવાનોને સાથે લઈ લા. ગંગારામજી બન્ને ભાઈ એને મળ્યા. મહારાજશ્રીની ચિંતા જણાવી અને બન્નેને સમજાવ્યા. બન્ને ભાઈઓને પણ આ બધી પરિસ્થિતિની અસર થઈ, હૃદય પીગળ્યાં અને સમાધાન માટે બન્ને રાજી થયા. બધા ઊઠીને ગયા ઉપાશ્રયે.
ગુરુવર્ય! આજે અમે કૃતાર્થ થયા. આપ જેવા ગુરુ તો આજે જ જોયા. આપને જે દુઃખ થયું છે તે માટે અમે ક્ષમા માગીએ છીએ.” ભાઈ દયારામજી હાથ જોડીને બોલ્યા.
“ભાઈઓ! હું તે નિમિત્ત માત્ર છું. એ ગુરુકૃપાનું ફલ છે. ધન્યવાદ તે મારે તમને આપવાનો છે અને ખાસ કરી લાલા ગંગારામજી અને લાલા જગતમલજી આ યશના ભાગીદાર છે.”
મહારાજ સાહેબ હું મારી દુકાનને ઉપરને ભાગ ઉપાશ્રય માટે શ્રી સંઘને અર્પણ કરું છું, અને મંદિરની
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ધર્મવીર ઉપાધ્યાય પ્રતિષ્ઠાને પ્રબંધ પણ આ સેવક કરશે.” બીજા ભાઈ લા. કપુરચંદજી બોલ્યા.
ધન્ય! ધન્ય!
બાલાચારથી વિહાર કરી મહારાજશ્રી રેપિડ પધાર્યા હતા. ત્યાં ૧૫ દિવસ રહી ધર્મોપદેશ આપ્યો. જૈનહિન્દુ બધા ઉપદેશને લાભ લેતા હતા. અહીં આ બે ભાઈઓનો લેશ સાંભળી તેમને દુઃખ થઈ આવ્યું અને ઉપર પ્રમાણે તે કલેશની શાંતિ પણ થઈ
મહારાજશ્રીના પ્રયત્નથી કેટલાક નેતર ભાઈઓએ માંસમદિરાને ત્યાગ કર્યો. અહીંથી વિહાર કરી અનેક ગામમાં ધર્મપ્રચાર કરતા કરતા આપ અંબાલા પધાર્યા. અંબાલાના સંઘે મહારાજશ્રીનું ખૂબ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું.
અંબાલા પંજાબ જૈન સંઘનું કેન્દ્રસ્થાન ગણાય છે. અહીં એક વિશાળ મન્દિર છે. જૈન ગૃહસ્થનાં ઘર પણ ઘણાં છે. ઉપરાંત આત્માનંદ જૈન હાઈસ્કૂલ, જૈન કન્યા પાઠશાળા, લાઈબ્રેરી, આત્માનંદ જૈન ટ્રેકટ સોસાયટી તથા આત્માનંદ જૈન મહાસભાની કચેરી વગેરે ઘણી સંસ્થાઓ અહી ચાલે છે. હમણાં જ શ્રી આત્માનંદ જૈન કોલેજ શરૂ થઈ છે, તે આનંદની વાત છે.
મહારાજશ્રીએ અહીં કેટલાક સામાજિક સુધારા કર્યા. આત્માનંદજૈન મહાસભાના લાઈફમેમ્બરે મહારાજશ્રીના ઉપદેશથી થયા. અહીંથી મહારાજશ્રી સાઢેરા પધાર્યા. અહીં
Page #159
--------------------------------------------------------------------------
________________
ભાઈ–ભાઈ ને પિતા-પુત્રમાં શાંતિ
૧૨૭ શ્વેતાંબર જૈનેનાં ઘર તો ચાર જ છે, પણ આપના સ્વાગતમાં દિગમ્બર, શ્વેતાંબર સ્થાનકવાસી અને હિન્દુ-મુસલમાન ભાઈઓએ ભાગ લીધો હતો. સ્કૂલના દોઢસો જેટલા વિદ્યાર્થીઓએ સ્વાગતમાં ભાગ લીધે હતે.
અહીં ત્રણ સાર્વજનિક વ્યાખ્યાન આપ્યાં, ખાસ કરીને જૈન ધર્મ, આપણું કર્તવ્ય, દેવપૂજા વગેરે વિષયે ઉપર ખૂબ પ્રકાશ પાડ. બધી જાતિના લોકે આ વ્યાખ્યાનને લાભ લેતા હતા. ઘણા ભાઈઓએ માંસ મદિરાને ત્યાગ કર્યો અને અન્ય વ્યસનને પરિત્યાગ પણ ઘણાઓએ કર્યો.
પંદર દિવસ રહી અહીંથી અંબાલા છાવણીમાં આવ્યા. પહેલે દિવસે આપનું વ્યાખ્યાન દિગમ્બર જૈન મંદિરમાં થયું. બીજું દિગમ્બર ભાઈ એના આગ્રહથી સાર્વજનિક વ્યાખ્યાન થયું. તેમાં જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્તનું ખૂબ સરસ નિરૂપણ કર્યું તેમજ આર્યસમાજ તરફથી જૈન ધર્મ પર થતા આક્ષેપોનું નિરાકરણ ખૂબીપૂર્વક કરવામાં આવ્યું. અંબાલા શહેરથી ઘણુભાઈએ આવ્યા હતા. પં. હંસરાજ શાસ્ત્રી આ પ્રસંગે અહીં આવી પહોં
ગ્યા અને શાસ્ત્રીજીએ “જૈન ધર્મ અને વર્તમાન આર્ય સમાજ ” પર સુંદર સમાલોચના કરી.
અહીથી મહારાજશ્રી અખાલા પધાર્યા. થોડા દિવસ રહીને રાજપુરા થઈને આપ પતિયાલા પધાર્યા. અહીં સ્થાનકવાસી ભાઈઓનો સમુદાય અધિક છે. અગ્રવાલ ભાઈએનાં ઘર ઘણાં છે, ખંડેલવાલનાં ઘરે ત્રણ ચાર જ છે.
આ પ્રસંગે લુધિયાનાના બાબુ કૃષ્ણચન્દજી શર્મા
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૨૯
ધર્મવીર ઉપાધ્યાય
વકીલ પણ અહીં હતા. માથુજી કટ્ટર આર્ય સમાજી હતા, તેમની બુદ્ધિ ચપલ હતી.
ગુરુદેવશ્રી વિજ્યાનંદ સૂરીશ્વરજી મહારાજના વખતમાં તે શાસ્ત્રાર્થ માટે આવ્યા હતા. મહારાજશ્રીએ ખૂબીથી તેમને લીલેાપૂર્વક સમજાવ્યા. મહારાજશ્રીના ઉદાર વિચાર જાણી તે જૈન ધર્મના અનુયાયી બની ગયા. તેઓ મહારાજશ્રીના વ્યાખ્યાનમાં હમેશાં હાજર રહેતા હતા.
અહી થી આપ સમાના પધાર્યા. સમાનામાં સુંદર સ્વાગત કરવામાં આવ્યું. અહીં જૈન મન્દિર તથા ઉપાશ્રય છે. જૈન ભાઈઓનાં ૨૦ ઘર છે. અહીં આત્માનંદ જૈન સભાની સ્થાપના કરવામાં આવી. સામાજિક સુધારા પણ કરવામાં આવ્યા.
શ્રી મહાવીર જયંતી ખૂબ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવી. રામલીલાના મકાનને પતાકાથી સુÀાભિત કરવામાં આવ્યું. જૈનેતર લેાક ખૂબ આવ્યાં હતાં. લા. સાગરચંદના ભજના બાદ મહારાજશ્રીએ ભગવાન મહાવીર અને મૂર્તિ પૂજા વિષે એક પ્રભાવશાળી વ્યાખ્યાન આપ્યું. લેકની અધિક પ્રાથનાથી એક વ્યાખ્યાન બજારમાં આપ્યું. લેકે એ ખૂબ લાભ લીધેા.
અહીંથી વિહાર કરી નાભા આદિ નગરામાં વિચરતા વિચરતા આપ માલેર કાટલા આવી પહેાંચ્યા. અહીં પણ સમારાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. અહીં ૪૦ ૫૦
Page #161
--------------------------------------------------------------------------
________________
ગુજરાનવાલાનિવાસી ધર્મનિષ્ઠ લાલા મુન્શીરામજી જૈન
Page #162
--------------------------------------------------------------------------
Page #163
--------------------------------------------------------------------------
________________
ભાઇ-ભાઇ મૈં પિતાપુત્રમાં શાંતિ
જૈન શ્વે. અગ્રવાળનાં ઘરા છે. છે, ઉપાશ્રય પણ છે. તથા શ્રી ની શરૂઆત થઈ છે.
અહીં મહારાજશ્રીએ જાહેર ભાષણ આપ્યું. રાતદિવસ મહારાજશ્રીના ઉપદેશના લેાકેા ઠીક લાભ લેવા લાગ્યા. બેચાર સજ્જને આવ્યા અને વંદના કરી બેઠા. મહારાજશ્રી આજે ઉદાસ જણાતા હતા. કારણ સમજાતું નહેતું. શિષ્યા પણ ચિંતાતુર હતા. વાતાવરણ પણ શાંત હતું
૧૨૯
ભગવાનનાં બે સુંદર મન્દિર આત્માનંદ જૈન હાઈસ્કુલ
“કેમ! મહારાજશ્રી ! અમે આપની સેવામાં હાજર છીએ. આપની શી આજ્ઞા છે!” ગૃહસ્થા ખેલ્યા.
“ લાલાજી ! મે કાલે રાત્રે સાંભળ્યું છે અને તે સાંભળી મારા હૃદયમાં આઘાત થયા છે. ” મહારાજશ્રી ખિન્ન વદને માલ્યા.
""
ઃઃ
હાજી! આપની વાત ખરાખર છે. પણ ગુરુદેવ ! માર માર વથી કલેશ ચાલે છે. ભલભલા અધિકારીએ તે માટે પ્રયત્ન કરી ચૂકયા અને અમે પણ હવે તે નિરાશ થઈ બેઠા છીએ. ” એક ગૃહસ્થ મેલ્યા.
“લાલા નગીનચંદજી ! તમારા જેવા અને લાલા તારાચન્દ્રજી તથા લા. કસ્તુરચંદ્રજી વગેરે સજ્જને તે માટે પ્રયત્ન કેમ કરતા નથી ! ” મહારાજશ્રીએ પૂછ્યુ.
મહારાજશ્રી ! અમે પ્રયત્ન કરવામાં ખાકી રાખી નથી, પણ શું થાય! અને પિતાપુત્ર કાઇપણ વાતે માનતા નથી.
ટ્
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ધર્મવીર ઉપાધ્યાય લા. તુલસીરામજી પિતાને પિતાની સમૃદ્ધિના સ્વામી માને છે. પુત્ર ગોકુળચંદજીમાં યુવાનીનું લેહી દડે છે. એટલે તે ગમે તે ભોગે પણ પિતાની વાત જતી કરવા તૈયાર નથી.” બીજા ગૃહસ્થ બોલ્યા. - “મારો આત્મા કહે છે કે મારે આ માટે પ્રયત્ન કરે.” મહારાજશ્રીએ આત્મભાવ જણાવ્ય.
“ઘણી ખુશીની વાત છે. પણ તેમાં સફળ ન થવાય તો આપ જેવા ગુરુની પ્રતિષ્ઠાનું શું”! એક ભાઈ બોલી ઊઠયા.
સફળતા મળશે જ, તમારે મારી સાથે પ્રયત્ન કરવાને રહેશે.” મહારાજશ્રીએ બધાને પિતાની સાથે લીધા.
“અમે તે હરેક વાતે તૈયાર છીએ.” બધા બોલી ઊઠયા.
મહારાજશ્રીએ પિતા-પુત્રને જુદા જુદા સમયે બેલાવ્યા. બન્નેની પાસે પોતાના હૃદયની આગ ઠાલવી. બન્નેને શરમાવ્યા. ભવિષ્યના જીવનને વિચાર આપ્યો. બે કડવા—મીઠા શબ્દ પણ કહ્યા અને છેવટે કહ્યું “લાલાજી! આપ તે બુઝર્ગ છે, સંપત્તિવાન છે, પુત્રના અહંભાવને તમારે વિચાર કરવાનું ન હોય. પિતા એ પિતા છે અને પુત્ર એ આખરે તે પુત્ર છે. તમે ભૂલી જાઓ.”
તેમણે પુત્રને સમજાવ્યા.
“ભાઈ ગોકુલચન્દજી! તમારી નિર્ભયતા મને ગમે છે. તમે જે વસ્તુને અન્યાય ગણે છે તે લાલાજીને મન છે જ નહિ. તમે વિચાર કરશે. બાર વર્ષમાં કેટલી પરેશાની તમારે
Page #165
--------------------------------------------------------------------------
________________
ભાઇ-ભાઈ ને પિતાપુત્રમાં શાંતિ
૧૩૧
તથા પિતાજીને ઉઠાવવી પડી છે. હવે ભૂલી જાઆ. મારા જેવા સાધુનું માનેા ! ” અન્ને પીગળ્યા—બધાની મહેનતથી રાજીનામું થઈ ગયું.
ખાર બાર વર્ષના કલેશ હંમેશને માટે મટી ગયેા. શહેરના લેાકેા. અધિકારી વર્ગ બધા ચકિત થઈ ગયા. આ પ્રસગને ચમત્કાર માનવા લાગ્યા. ઘેરેઘેર આનંદ આનંદ થઈ રહ્યો. મહારાજશ્રીના આત્માને ખૂખ શાન્તિ થઈ.
અહીથી વિહાર કરી આપ લુધિયાના પધાર્યાં. અહી પણ મહાસભાના આજીવન સભાસદો થયા. સામાજિક સુધારા થયા.
અહીથી વિહાર કરી ફ઼િલાર, મિલગા આદિ નગરામાં થઈ શકર પધાર્યા, અહી ૧૫ દિવસ રહી શિખાની ધશાળામાં ઉપદેશ થવા લાગ્યા. ધર્મકથા સાંભળી હજારે લેાકેા આવવા લાગ્યા. અહીથી વિહાર કરી નિકાદર પધાર્યા. અહી આપના ઉપદેશથી ખ ંડેલવાલ જૈન મહાસભાની સ્થા
પના થઈ.
અહીથી વિહાર કરી મહારાજશ્રી જાલંધર, જડિયાલા આદિમાં ધર્મોપદેશ દેતા દેતા અમૃતસર પધાર્યા. ગુરુદેવ આ સમયે લાહેારમાં હતા. અહીથી જલ્દી વિહાર કરી ગુરુચરણેામાં મહારાજશ્રી લાહાર પધાર્યા.
ગુરુચરણામાં ગુરુભકતે વદ્યણા કરી. અન્નુની ધારા ગુરુદેવ અને શિષ્યની આંખામાંથી ઉછળી પડી.
અહી ગુરુદેવના ચરણેામાં ચાતુર્માસ થયું. શ્રી આત્માનંદ જૈન મહાસભાનું અધિવેશન ઉત્સાહપૂર્વક થયું.
Page #166
--------------------------------------------------------------------------
________________
,
છે
જર
પદવીદાન સમારંભ
૮૮ ૦
રુદેવ! આપ સમાજનૌકાના કર્ણધાર છે. પંજાબ દેશ પરના આપના ઉપકારે તે ગણ્યા ગણાય નહિ તેટલા છે. ભારતભરમાં આપની સંસ્થાઓ પ્રગતિ સાધી રહી છે. દિશદિશ આપના પુણ્યકાર્યને ધ્વજ ફરકી રહ્યો છે. બૂઝર્ગ વાવૃદ્ધ સાધુ મુનિરાજ પણ આપના કાર્યની પ્રશંસા કરી
Page #167
--------------------------------------------------------------------------
________________
પદ્મવીદાન સમારભ
૧૩૩
રહ્યા છે. તે આપશ્રી આચાર્ય પદ સ્વીકારી અમને કૃતા કરો.” પરંજામના શ્રીસ`ઘે મહારાજશ્રી વિજયવલ્લભસૂરિજીને એક વખત વિનતિ કરી.
“ અરે ભાઈ! આચાય બનીને કરવાનું શું! હું તે સમાજના સેવક છું. ગુરુદેવ શ્રીમદ્ આત્મારામજી મહારાજના ડેલીએ છુ. મારું કામ ગુરુદેવના મિશનના પ્રચાર કરવાનુ છે. જૈન જગતમાં રચનાત્મક કાર્ય કરી સમાજનુ કલ્યાણ સાધવાને માટે મેં ગુરુદેવને વચન આપ્યું છે. હું સીધે। સાદો તમારા મુનિ રહેવા ઈચ્છું છું. આચાય પદવીથી હું કાંઇ વિશેષતા નથી માનતા. અને મારા કરતાં જ્ઞાનવૃદ્ધ, વયેાવૃદ્ધ શ્રી કાંતિવિજયજી, શ્રી હંસવિજયજી વગેરે છેને! ”
વારવાર જ્યારે જ્યારે આચાય પદ્મ માટે પ્રાર્થના કરવામાં આવી ત્યારે મહારાજશ્રીએ આ રીતે તે નકારી અને પેાતાનું કામ ચાલુ રાખ્યું. શ્રી કાંતિવિજયજી અને શ્રી હંસવિજયજી મહારાજશ્રીએ પણ કહેવરાવ્યું કે ગુરુદેવનું કા પૂરું કરવાના ઉત્સાહ અને કુનેહ તમારામાં છે, તેથી તમે જ આચાય અને ! અમારા તમને આશીર્વાદ છે. પણ વર્ષો સુધી તે તરફ તેમણે વિચાર જ ન કર્યાં.
છેવટે જ્યારે ગુજરાત-પંજાબના શ્રી સ ંઘે તેમ જ યેવૃદ્ધ ધ્યેય શ્રી પ્રવતકજી મહારાજ વગેરેએ આગ્રહ પૂર્વક અનુરોધ કર્યો ત્યારે પેાતાની મરજી ન હેાવા છતાં તેમણે હા કહી અને પંજાબના શ્રીસંઘના હને પાર ન રહ્યા. લાહેારમાં મેાટા સમારોહ કરવામાં આવ્યેા. સ.
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ધર્મવીર ઉપાધ્યાય ૧૯૮૧ના માગશર સુદ પાંચમના દિવસે સવારે ગા વાગે આચાર્યપદ આપવામાં આવ્યું. ગૂજરાત-મારવાડ-પંજાબના હજારે ભાઈબહેનેએ આ ઉત્સવમાં ભાગ લીધો અને તે જ સમયે આપણું ચરિત્રનાયક શ્રી સેહનવિજયજી મહારાજશ્રીને ઉપાધ્યાયની પદવી આપવામાં આવી.
લાહોરથી વિહાર કરી ગુરુદેવની સાથે આપ ગુજરાનવાલા પધાર્યા. આ વખતને પ્રવેશઉત્સવ જેવા જે હતે. નગરના મુખ્ય મુખ્ય બજારે ધજાપતાકાઓથી ખૂબ સુશોભિત કરવામાં આવ્યા હતા. ગુજરાનવાલામાં આ વખતે એક અદ્વિતીય કાર્ય થયું–તેમને એ કાર્ય માટે ભારે ચિંતા હતી. પંજાબભરના કલ્યાણને માટે એ કાર્ય અતિ આવશ્યક હતું-શ્રીસંઘ પંજાબ એકઠો થયે હતે. હજારે રૂપીઆ એકઠા થયા હતા. શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ પંજાબ માટેની યોજના થઈ ગઈ હતી-વ્યાખ્યાનમાં તે માટે હમેશાં સિંચન થતું હતું–બધાજ તે માટે ઉત્સુક થઈ રહ્યા હતા. આ પ્રસંગે આચાર્યશ્રી અને ઉપાધ્યાયજી તેમજ મુનિ મહારાજશ્રી લલિતવિજયજી મહારાજશ્રીને શુભ પ્રયાસથી ગુરુકુળનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું–ગુરુદેવની અંતિમ ઈચ્છા ફળીભૂત થઈ.
ગુરુમહારાજશ્રીની આજ્ઞા લઈને આપ સંખતરા, નારેવાળ અને જમ્મૂ આદિ નગરમાં ધર્મપ્રચાર માટે પધાર્યા. ગુજરાનવાલાથી વિહાર કરી પ્રથમ પસરૂર પધાર્યા. ત્યાં સ્થાનકવાસી સજજનેએ આપને સત્કાર કર્યો. અહીં સાર્વજનિક વ્યાખ્યાન થયાં અને વ્યાખ્યાન પછી ત્યાંના સૂબેદારે તેઓશ્રીને ધન્યવાદ આપ્યા.
Page #169
--------------------------------------------------------------------------
________________
પદવીદાન સમારંભ
૧૩૫ ત્યાંથી વિહાર કરી આપ કિલાસ માસિંહ થઈને સનખતરા પધાર્યા. ત્યાંથી નારોવાળ થઈ પાછા સનખતરા થઈ જન્મે આવ્યા. રસ્તામાં એક હડતાલ નામનું ગામ આવે છે. અહીં અલવરના એક રજપૂત અને મુસલમાન બન્ને રહે છે. આપે બન્નેને ઉપદેશ આપ્યો અને બન્નેએ આ
જીવન માંસ ન ખાવાની પ્રતિજ્ઞા લીધી. સનખતરા, નારોવાલ અને જમ્મુમાં ગુરુકુળને માટે ૬૦-૬૦ રૂપીઆની તિથિ નક્કી કરવામાં આવી. જમ્મુથી પાછા ફરતા આપ શ્યાલકોટ એક માસ રહ્યા, અહીં મહાવીર જયંતિ ધૂમધામથી ઉજવી. લોકોએ ઉત્સાહથી તૈયારી કરી. ગુજરાનવાલા નારેવાલ, સનખતરા આદિ શહેરોથી ઘણું ભાઈબહેને આવ્યાં હતાં. નગરમાં ઉત્સવની ઠીક ધૂમ મચી. આપે મહાવીર સ્વામીના જીવન પર સમાપયેગી વ્યાખ્યાન આપ્યું. લેકેને ખૂબ આનન્દ થયો. સનખતરાનિવાસી લાલા પરમાનન્દજી ગડ તથા નારોવાળના લાલા મંજૂશાહે લાડુઓની પ્રભાવના કરી અને ગુજરાનવાલાના સજજનેએ બદામની પ્રભાવના કરી.
ચૈત્ર શુદિ ૧૫ના રોજ નારાવાલથી શ્રી સિદ્ધાચળને પટ મંગાવીને પટની યાત્રા કરી તથા શ્રીસંઘ સાથે ચૈત્યવંદન કર્યું. અહીં એક નવીન કાર્ય પણ થયું કે અહીંના કેટલાક સ્થાનકવાસી શ્રાવકશ્રાવિકાઓએ મહારાજશ્રીના પવિત્ર હાથે વાસક્ષેપ ગ્રહણ કરવાનું સૌભાગ્ય મેળવ્યું. જેમાં લાલા નથુરામજીના સુપુત્ર લા. હરજસરાયજી, લા. લાભામલજી, લા. ખજાનચીલાલજી, લા. અમરનાથજી, લા.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ધર્મવાર ઉપાધ્યાય સરદારીલાલજી, લા. મેલામલજી ચૌધરી, લા. તિલકચંદજી, લા. મુલખરાજજી, લા. લક્ષ્મીચંદજી, લા. વિશનલાલજી, લા. દેવીદયાલજીના પુત્ર સરદારીલાલજી તથા લા. ગેપાળશાહનાં ધર્મપત્ની કેસરેદેવી, લા. લધેશાહનાં ધર્મ પત્ની અને લા. પાલામાલનાં ધર્મપત્ની વગેરે નામે ઉલ્લેખનીય છે. આ ભાઈબહેનને ચિત્યવંદન-વિધિ તથા ગુરુવન્દન-વિધિ શીખવવામાં આવી.
સ્થાનકવાસી સાધુ-સાધ્વીઓએ વિન નાંખવાની ભારે કોશીશ કરી પણ ગુરુકૃપાથી બધું વ્યર્થ ગયું. સ્થાનકવાસી સાધુ શ્રી લાલચન્દજીએ તે લાલ રામચન્દ્રજીને પિતાના મકાનમાં પૂજેરાના સાધુને રાખવા માટે ઠપકો આપ્યો પણ તેમણે તે ઉલટું એમ કહ્યું કે મહારાજ મકાન મારું છે, મહારાજશ્રી ચોમાસું રહે તેમ નથી પણ રહે તે હું તે મારા મકાનમાં તેમને ચોમાસું રાખીને મારી જાતને ભાગ્યશાળી માનીશ.
મહારાજશ્રીના વ્યાખ્યાનમાં હમેશાં પ્રત્યેક સંપ્રદાયનાં સેંકડે સ્ત્રીપુરુષે આવતાં હતાં. હિન્દુ ભાઈઓ ઉપરાંત મુસલમાન ભાઈએ પણ આવતા હતા. આ બધામાં અનાર અલીશાહ તો મહારાજશ્રીના ભક્ત બની ગયા હતા. એક દિવસ સભામાં તેમણે કહ્યું કે આ શહેરમાં એક સુન્દર જૈન મન્દિર બનેલું જોઉં અને તેમાં આ મહાત્માને બેઠેલા જેઉં તે મારા દિલમાં શાતિ થશે. જો કે મારા ઈસ્લામ ધર્મમાં મૂર્તિપૂજાને સ્થાન નથી પણ આ મહા
ભાના ઉપદેશના પ્રભાવથી મૂર્તિપૂજા પર મારી શ્રદ્ધા પાકી થઈ ગઈ છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
પદવીદાન સમાંરભ
૧૩૭
અહીંથી વિહાર કરી આપ ગુરુદેવના ચરણમાં ગુજરાનવાલા પધાર્યા. ગુરુદેવના ચરણોમાં આવી પહોંચ્યા પણ આચાર્યશ્રીને વન્દન કર્યા પહેલાં સ્વર્ગીય આચાર્યશ્રી ૧૦૦૮ વિજ્યાનન્દસૂરિ મહારાજની સમાધિનાં દર્શન કર્યા. ઉપસ્થિત જનતાને ગુરુકુળની સહાયતા માટે ઉપદેશ આપ્યું અને પછી ગુરુદેવના દર્શન કરી પોતાની જાતને કૃતકૃત્ય માની.
થોડા દિવસ પછી સં. ૧૯૮૨ના જેઠ સુદ પાંચમથી મૌન ધારણ કર્યું અને આ પવિત્ર તપશ્ચર્યાની સાથે સાથે નવપદજીનું આરાધાન શરુ કર્યું અને કાર્તિક સુદ પાંચમ સુધીમાં તે વ્રત સમાપ્ત કર્યું. આ તપશ્ચર્યામાં આપનું શરીર બહુ જ કૃશ થઈ ગયું, પરંતુ ગુરુદેવની કૃપાથી વ્રત નિવિનતાથી સંપૂર્ણ થયું.
Page #172
--------------------------------------------------------------------------
________________
TTT
દીપક બુઝાયા
ગુરુવ
! આપને અમે કેટલીવાર પ્રાથના કરીએ ! આ મહાવ્રત આપે કઠીનતાથી પૂરું કર્યું. તેમાં આપ કેટલા નંખાઈ ગયા છે ! હજી આ શરીરથી કામ લેવાનું છે, ગુરુકુળની સેવા કરવાની છે. પંજાબના ધેાત કરવાના છે. કૃપા કરી હવે ઉપવાસ પર ઉપવાસ ન કરો.” સમુદ્રવિજયજી આદિ શિષ્યેાએ પ્રાથના કરી.
“ ભાઈ! કાલની કેાને ખબર છે! જે થાય તે કરી લઉં. શરીરના શે। ભરેસે ? મનમાં તે ઘણાંએ સ્વપ્નાં ઘડી રાખ્યાં છે. પંજાબ ભરમાં ગુરુકુળના પ્રચારનું બીડું મારે જ માથે છે. ગુરુદેવને નિશ્ચિત કરવાનું પણ ધાર્યું છે અને મહાસભાદ્વારા પંજામની કાયાપલટ પણ વિચારી છે પણ શરીર થાકી ગયું છે. કેટલા દિવસ ચાલશે તે શંકાસ્પદ છે.”
Page #173
--------------------------------------------------------------------------
________________
દીપક બુઝા
૧૩૯ અને ખરેખર તેમજ બન્યું. જ્ઞાનપંચમી પછી શરીર કૃશ થતું ચાલ્યું. કાર્તિક શુદિ ૧૨થી તે તબિયત ખરાબ થવા લાગી. ચાતુર્માસિક પ્રતિક્રમણ મહા મહેનત કરી શક્યા. ભાવિકજને અને શ્રીસંઘે વૈદ્યોદ્વારા આપની ચિકિ
ત્સા કરાવી પરંતુ રોગનું જોર વધતું જ ચાલ્યું. છેવટે રેગ જીવલેણ નીકળ્યો. હાલત બહુ જ બગડતી ચાલી. આવી તબિયત હોવા છતાં શુદ્ધિ એવી ને એવી હતી. અરિહંત અરિહંત શબ્દ તે ચાલુ જ હતું. બાર વાગે એક સુપ્રસિદ્ધ ડોકટરને શ્રાવકેએ લાવ્યા. ડેકટર નાડી તપાસવા લાગ્યા
ત્યાં મહારાજશ્રીએ કહ્યું. “ડૉકટર સાહેબ, શું જુએ છે ! હવે તો તૈયારી છે ! પ્રભુનામનું સ્મરણ એજ મારું પરમ. ઔષધ છે. ”
પ્રાતઃકાળ હતે. ઘંટારવથી પ્રભુ મંદિર ગુંજી રહ્યું હતું. મધુર મધુર સુગંધ પ્રસરી રહી હતી. ઘંટને નાદ આજે તે એક જ સૂર કાઢી રહ્યો હતે-પકારી પોકારી કહી રહ્યો હતો કે હે ભાવિક ભક્તો દેવાધિદેવ વીતરાગ પરમાત્માની સાચી સેવા કરી વીતરાગ બનવા પ્રયત્ન કરો. દેહ ક્ષણભંગુર છે. કાલે નષ્ટ થઈ જશે કે આજે ઉડી જશે. આત્મ કલ્યાણ સાધી લે. મૂક્તિ પંથ શેાધી લે.
પ્રભુદશન કરીને ગુરુદેવને વંદન કરવા આવતા ભાવિક ભાઈ બહેન ગુરુદેવને જોઈને સુખશાતા પૂછતાં પૂછતાં ઉદાસીન બની જાય છે. ઉપાધ્યાયજી પોતાની નાડી તપાસી રહ્યા છે. શિષ્યો સેવા કરી રહ્યા છે. શ્રાવકો તે આઠે પહોર બેઠા જ છે, એટલામાં ગુરુદેવ બોલી ઉઠયા.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૪૦,
ધર્મવીર ઉપાધ્યાય “ભાઈ ! સાવધાન ! આજ નાડીનું ઠેકાણું નથી હો ! ભાઈએ (શિઃ સમુદ્રવિજયજી તથા સાગરવિજયજીને) તમે આજે ઉપવાસ ન કરશે. મને ચેન નથી. મને લાગે છે આજ જ મૃત્યુને ભેટવા જાઉં છું. સમુદ્ર! સાગર ! પુત્રો ! શામાટે આંસુ સારે છે ! આપણું લેણદેણ પૂરી થઈ. ભાઈ તમે મારા શિષ્ય નથી પણ પુત્ર છે! તમે તે મારી ભારે સેવા કરી છે. હું તમને કેમ ભૂલીશ ! હિંમત રાખે. તમારી સેવાની શું પ્રશંસા કરું ! તમારું કલ્યાણ થશે–જેવી તમે મારી સેવા કરી છે તેવી ભાઈઓ ગુરુદેવની-સમાજની -પંજાબની સેવા કરશે. અધિક શું કહું, તમે બન્ને સુજ્ઞ છે આનંદથી રહેશે. તમારું કલ્યાણ સાધશે.” આમ શિક્ષા આપી અરિહંતનું સ્મરણ કરવા લાગ્યા.
આજ પ્રાતઃકાળમાં આપે પોતાના શિષ્ય શ્રી સમુદ્રવિજયજી તથા શ્રી સાગરવિજયજીને ચેતાવી દીધા હતા કે ભાઈ! સંભાળજે ! આજ ચતુર્દશીને દિવસ છે. તમે ઉપવાસ ન કરશે મારી નાડી ઠેકાણે નથી. આજ અંતિમદિન છે. આમ કહી બધા ની સાથે ખમત ખામણા કર્યા અને અહંન, અહંનને જાપ કરવા લાગ્યા. ભક્તજને ને સંઘથી ઉપાશ્રય ભરાઈ ગયું. સાધુ સાધ્વી આસપાસ બેસી ગયા.
અંતિમ ઘડી આવી પહોંચી. પાસે જ ગુરુદેવના મુખારવિંદથી મેઘ ધ્વનિશા ચાર શરણના ઉચ્ચાર આપ સાંભળતાં સાંભળતાં સેવામાં બેઠેલા ગુરુદેવ, શિષ્ય તથા શ્રી સંઘને ઉદાસીનતામાં છેડીને માગશર વદી ૧૪ને રવિવારના બપોરના બરાબર ૧ વાગે આપ ૪૩ વર્ષ ૯ માસ ૨૫ દિવસનું ટૂંકું
Page #175
--------------------------------------------------------------------------
________________
દીપક બુઝાયો
૧૪૧ આયુષ્ય ભેગવી પિતાની ઉજવળ કીતિને છેડી ભક્તજનોને શિષ્યોને તથા પંજાબ શ્રી સંઘને દુઃખી છડી આપની સંસારલીલાઓનું સંવરણ કરતાં કરતાં સ્વર્ગલોકમાં સીધાવ્યા.
આપના દેહાવસાનના સમાચાર પંજાબના બધા શહેરોમાં વીજળીની જેમ ફેલાઈ ગયા. આ સમાચાર સાંભળતાં જ ગમગીની છવાઈ ગઈ. પંજાબના પ્રત્યેક શહેરમાંથી શ્રાવકે મોટી સંખ્યામાં ગુજરાનવાલા આવી પહોંચ્યા. વિમાન ધામધૂમથી કાઢવામાં આવ્યું. સ્મશાનયાત્રામાં હજારો સ્ત્રીપુરુષે જોડાયાં. દાહ સંસ્કાર સ્વગય ગુરુ મહારાજની સમાધિ સમીપ થયો. પંજાબ ભરમાં ઉપાધ્યાયજીના સ્વર્ગગમનને શેકદિન મનાયે.
ઉપાધ્યાયજી એક આદર્શ સાધુ અને સુગ્ય વિદ્વાન તથા પ્રસિદ્ધ વક્તા હતા. જૈન સમાજના અભ્યદયને માટે આપે જે પરિશ્રમ કર્યો છે તે પ્રત્યેક સાધુ નથી કરી શકતા. આપના હૃદયમાં સમાજ, દેશ અને ધર્મને માટે જેટલો પ્રેમ હતું તેની કલ્પના કરવી મુશ્કેલ છે.
આપના વિયોગથી દેશ અને સમાજમાં જે પેટ પડી છે તેની પૂતિ થવી મુશ્કેલ છે. આપે પોતાના જીવનકાળમાં ઉપદેશ કાર્ય ઉપરાંત કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે. ગુરુભક્તિ ભાવ તો અખંડ અને અખલિત હતો. અધિક તો શું કહેવું, આપના વિયોગથી જૈન સમાજમાં આજે માટી ખોટ પડી છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ધર્મવીર ઉપાધ્યાય આપને ચાર શિષ્ય હતા. શ્રી મિત્રવિજયજી, શ્રી સમુદ્રવિજયજી, શ્રી સાગરવિજયજી અને શ્રી રવિવિજયજી. શ્રી સાગરવિજયજીને દેહાંત સં. ૧૯૯૦ના અષાડ વદી ૧૪ના રેજ અમદાવાદમાં થયે. શ્રી સમુદ્રવિજયજી તે આજે પણ ગુરુદેવના ચરણમાં છે અને ઉપાધ્યાયજીના અધૂરા કાર્યને પૂરા કરવામાં ગુરુદેવને સહાયતા આપે છે, તેઓ તે અધિક પુણ્યશાળી અને સાધુવાદને પાત્ર છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
સ્નેહાંજિલ
સાહન માન સ્વર્ગમાં અદ્ય સિધાવ્યા, એવા ભવિકના મન ભાવ્યા. સાહન ટેક સ્નેહસુખાવર સાંભરી આવે, ત્યાં નયનમાં અશ્ર વહાવ્ય ઉપદેશ અમૃત આપી જગતમાં, વૈરાગ્યના ખીજ વાવ્યાં. સે. કામ અનેક કરાવ્યાં મનેાહર, જ્ઞાનમાં નાણાં ખપાવ્યાં, નિમળ આનદ ચિત્યન દેશે, કલેશનાં મૂળ કઢાવ્યાં. સાર સદ્ગુરૂવલ્લભસૂરિના ચરણે, સાહન નામ ધરાવ્યાં જૈન સમાજની ઉન્નતિ કરવા, વિદ્યાસ્થાન સ્થપાવ્યો. સા.૬ કમળ ચિત્ત સદા મુનિ અપનું, અનુભવ તરૂ ઉપજાવ્યાં, અંતરમાંહિ અનાદિના, અજ્ઞાન સૈન્ય હરાવ્યાં. સાહન.૪ ધન્ય ધન્ય ધન્ય મુનીશ્વર આપને, હેતુ જનાને હસાવ્યાં, જન્મ ધર્યાં અવની તખ ઉપર, નરકનાં સૈન્ય નસાવ્યાં. સે.પ સ્નેહની અંજલિ આપુ' નિરંતર, શમતા હસ્યાઁ સજાવ્યાં, અવળી નદીતણાં પાણી આનદે, અનુભવ ખળથી ચડાવ્યાં.સા. અજિતસૂરિ ઉચ્ચરે મુનિ આપે તે, ગાન ગુણ ગવરાવ્યાં, આશીવારિ સદા શુભ આપને, સ્થાનક ઉર્ધ્વ વસાવ્યાં. સા.
Page #178
--------------------------------------------------------------------------
________________
JAGG
ગજલ સાહની
સાહન વિજય મુનિરાજમાં, શાલન ગુણા વસતા હતા. પંજાબની ભૂમિ વિષે, બાધા સંચરતા હતા. સાહન. ૧ કીધી જીવનની સફળતા, હતી પ્રેમકેરી પ્રખળતા, સત્સ’ગ કેરી સખળતા, ધીરજ પેઠે ઢળતા હતા. સાહન ૨ એએ વિષે ઉત્તમ ગુણૈાની, વસ્તી સંપૂરણ હતી, ને આત્મજ્ઞાન તણી સુખદ, લહરી લલિત લસતી હતી. સે. ૩ ઉપકાર પરપ્રાણી તણા, કરવા બદલ કટિ બાંધતા, સાધુત્યની સુંદર સીખા, મહાત્મ જન માંઘા હતા. સા. ૪ મત્સર જગતને મેારચા, મુનિરાજ માંહી ના હતા, ભગવત ભજનમાં ભાવના, વ્યામેાહ એમાંડી હતા. સેા. પ સ્વગે સીધાવ્યા એ મહદ્, દઈ સ્નેહીને વિરહી દશા, સ્નેહી જનાના સ્નેહ શા ! પ્રેમી જનાના પ્રેમ શા. સેા. ૬ સત્સ`ગ આપી વિશ્વમાં, વાણી વિમળ વર્ષાવતી, શ્રીઅજિતસાગરસૂરિના દિલેા, આનંદ ધન પ્રગટાવતા. સા. ૭
Page #179
--------------------------------------------------------------------------
________________
મુંબઈનિવાસી ધર્મપ્રેમી શ્રી શાહ કેશવલાલ નાનચંદ મુકાદમ
Page #180
--------------------------------------------------------------------------
Page #181
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
Page #182
--------------------------------------------------------------------------
Page #183
--------------------------------------------------------------------------
________________
૫ot સ્થળે
૧ પાલીતાણા ૬ પાલણપુર ૨ છરા ' છે વડોદરા ૩ લુધિયાના ૮ ભરૂચ ૪ અમૃતસર ૯ ડાઈ ૫ ગુજાંવાલા ૧૦ મુંબઈ
૨૧ લાતર
૧૧ રતલામ ૧૨ બદનાવર ૧૭ બીકાનેર ૧૩ વેરાવળ ૧૮ ગુજરાંવાલા ૧૪ મુંબઈ - સનખતરા ૧૫ ઉદયપુર ૧૦ જડીયા ગુફ ૨૨ ગુજરવાપ,
Page #184
--------------------------------------------------------------------------
Page #185
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
सनखतरा-निवासी हिन्दुभाइओनी
तरफथी अपायेलुं संस्कृत अभिनंदनपत्रम् तुभ्यं नमस्त्रिभुवनातिहराय नाथ !
तुभ्यं नमः क्षितितलामल भूषणाय । तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय,
तुभ्यं नमो जिनभवोदधिशोषणाय ॐ स जयतु शोभनविजयो,
देवो यत्पादपङ्कजाश्रयम् । जनताऽघतमस्तरणि
र्नाशयति नृणां पापराशिम् स्वक्त्वामताभिमानं
तत्पादाब्जमधुव्रतर्जनैर्भाव्यम् । नीत्वा विविधरसांस्ते स्वजनि,
संशोध्य यान्तु भवपारम्
अथेदानी सर्वतो धर्मप्रचारप्राचुर्य्यात विकृतान्तकरणः परिणता कालःमरणात्राभावान्यायदण्डपरिपीडितसर्वसंप्रदायसमुदये सातकृपापारवश्यताऽभिप्रेतरितमनस्कैस्तत्रभवद्भिः?
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ધ વીર ઉપાધ્યાય
श्री १०८म दिभजैनोदिवन्दारुजनाभिवन्दितपादाब्जैर्जिन संप्रदाय गुरुभिरेतत्प्रान्तमपिपावितव्य मे वेतिमत्वाऽऽगतं त्रियामावसाने कमलबन्धुवज्जगद्वन्दद्बन्धुभिरुदितमिव तस्थाने "तमसालुप्यमानानां लोकेऽस्मिन् साधुवर्त्मनां प्रकाशनाय प्रभुता भानोर्व इव दृश्यते । तत आगत्य चाव्यवहितम्पापप्रचार संतापसमुच्छि तानिश्रोत्रिहृदयानिकमलानांव हरितीकृतानि प्रतिदिनं वक्तृतामृताभिषेकेण प्रत्यक्ष प्रतिभान्ति यद्बहुभिमासाद्रिदैर्यवनैर्मासादनं परित्यक्त बधिकेरपि व्रतेषु जीवहननमस्वीकृतं राजकर्मचारिभिरपि शपथैः मांसादिकं निरस्तम्। बहुभिरूपान विदेशवाणि विदेशशर्करा व परित्यक्ता अन्यान्यपि नियमानि स्त्नीभिर्बहृन्युपगृहीतानि अघटघटनारूपं सर्वसंप्रदाय संमेलनमपि संजातमद्य सेवासमितिरपि सम्यक् प्रतिष्टिता एवं बहुप्रकृतिजालेन स्वीयमेव यशः प्रख्यापितं रुच्युत्पादेकैर्वाग्जालः जनतया सर्वे विस्मृत्य कस्यचित् कवेरुक्तिः सूचिता तद्यथा ज्योत्स्ना गङ्गा परब्रह्म दुग्धधारा सुधाम्भुधिः हाराश्चापि न रोचन्ते रोचेत भगवद्यशः १ अतो भगवरिपरिमेयतया जगदुपकारपरैः श्रीमद्भिः सार्थकं नामस्वीयं पन्न्यासतः कृतं शोभनोविजयो जातः श्रीश्चाष्टाधिकशतात्मिका ? रुडाः प्रज्ञांश पदवीगाढाचैवाखिलामही । महाराजजिनादेशांच्छ्राव्यदिमः प्रतिक्षणम् अवश्यमेवं विधर्मर्यादापालकै जगदाधारभूतैः बहुकालं जीवितव्यमित्याशास्महे भगवश्चरणारविन्दद्वन्दादनिशं गीतिं च गास्यामः इत्थम् ॥ यद्वतकृतामृता स्यादसेवनाद्धौत किंस्विसा एक्ये स्थितामताः सर्वे जीवन्तु शरदः शतम् । इतिशमभीप्सिवो वयं प्रार्थयामः सनक्षत्र निवासिनः कृष्णदत्तप्रभृतयः । सं १९७९ जेठ ५ मी । ॥ समाप्तमदोऽभिनन्दनपत्रम् ॥
Page #187
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
૧૪૮
અભિનંદન પત્રને
અનુવાદ શ્રી ૧૦૮ મહારાજશ્રી સેહનવિજયજી ચિરાયુ રહો ! આપશ્રી અંધકાર સમૂહના નાશ કરવાવાળા સૂર્યની જેમ મનુષ્યની પાપરાશિને નષ્ટ કરવાવાળા છે.
જે સમયે સમસ્ત સંપ્રદાય સમુદાય અંતઃકરણની મલિનતા, અકાળ મૃત્યુ, અન્નને અભાવ અને અન્યાયથી પીડિત હતો તે સમયે આપના ચરણકમળાથી આ પ્રાંત પવિત્ર થયે. જેમ રાત્રિના અવસાન પર કમળ-બંધુ સૂર્ય ભગવાન ઉદય પામે છે, તેમ આપનું અહીંનું આગમન આલ્હાદજનક છે.
આપના પ્રતિદિનના વચનામૃતથી જનતામાં ધર્મ પ્રચાર થયો. તેના ફળ સ્વરૂપ ઘણું મુસલમાન ભાઈઓએ માંસભક્ષણને ત્યાગ કર્યો. રાજ કર્મચારીઓએ પણ વિદેશી વસ્ત્ર તથા પરદેશી ખાંડને પરિત્યાગ કર્યો. બધા સંપ્રદાયને જે આપસ આપસને મેળ થયો તે આનંદની વાત છે કારણ કે તે આજસુધી અશક્ય વાત હતી. આજે સેવા સમિતિની પણ સ્થાપના આપના પ્રયાસે થઈ. આ રીતે આપને યશ આપના ઉપકારોથી એટલે બધે ફેલાઈ ગયા કે જન સાધારણ લેક બધી વાતને ભૂલી જઈને કવિની ઉકિતને યાદ કરવા લાગ્યા કે “ચાંદની ચાંદની, ગંગા, પરબ્રહ્મ, દુધની ધારા, સુધાસાગર અને હાટ પણ પ્રિય નથી લાગતાં જેટલો ભગવાનને યશ પ્રિય લાગે છે. આ રીતે
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ધર્મવીર ઉપાધ્યાય
જગતની ભલાઈમાં આનંદ માનનાર આપે આપનું શ્રી ૧૦૮ પંન્યાસ શ્રી સેહનવિજય નામ સાર્થક કર્યું છે અને સારે પૃથ્વી પર ખાદીને પ્રચાર કર્યો છે.
અમે બધા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપ જિન-વાણીને પ્રતિક્ષણ સંભળાવતા રહીને ધર્મને મર્યાદામાં રાખીને ધર્મને ઉદ્યત કરવા માટે બહુ સમય જીવિત રહે અને અમે આપના યશને હંમેશાં ગાતા રહીશું તેમજ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમે આપની અમૃત વાણીના આસ્વાદનથી સમસ્ત પાપને દૂર કરીને એક થઈ સેંકડો વર્ષ સુધી જીવિત રહીએ.
શ્રી કૃષ્ણદત્ત વગેરે બધા સનખતરાનિવાસી ભાઈઓની આજ એક અભ્યર્થના છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ પીરસાહેબનું પ્રતિજ્ઞાપત્ર
[ સનખતરાના ચોમાસામાં પીર અહમદ શાહ ઉપાધ્યાયજીને મળ્યા હતા. પીરસાહેબે નીચેને પ્રતિજ્ઞાપત્ર મહારાજશ્રીની સેવામાં કલ્યો હતે. !
મૂળ ઉર્દૂ
અનુવાદ બિસ્મિલ્લાહ અલરહમાનુર હીમ.
જૈન સાધુ પં. સોહનવિજયજી મહારાજ. સલામ-સનખતરામાં મારા શિષ્યોને ત્યાં મારું આવવાનું થયું. આપની પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ સાંભળી મને આપને મળવાની ઈચ્છા થઈ. મળીને વાર્તાલાપ કરતાં શુદ્ધ વસ્ત્ર પહેરવાના તમારા ઉપદેશની મારા પર પ્રભાવિક અસર થઈ અને મેં શુદ્ધ વસ્ત્ર અંગિકાર કર્યો. વળી મેં સનખતરાનિવાસી મારા શિષ્યોને એક સાથે એકઠા કરીને શુદ્ધ સ્વદેશી વસ્ત્ર પરિધાન માટે ઉપદેશ આપ્યું અને તે બધાએ સ્વીકાર્યો એટલું જ નહિ પણ પ્રતિજ્ઞા કરી કે લગ્ન આદિ કાર્યોમાં તથા બીજા સાંસારિક ધાર્મિક પ્રસંગોએ અપવિત્ર ચરબીથી ખરડાએલાં, ચરબીથી ચાલતી મશીનનાં અને અમારા ધર્મને હાનિકરવાવાળાં વસ્ત્રો ઉપગમાં નહિ લાવીએ. અમે પ્રતિદિન સ્વદેશી પવિત્ર વસ્ત્ર પહેરીશું અને બીજા કાર્યોમાં પણ તેને જ ઉપયોગ કરીશું.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૫ર
ધર્મવીર ઉપાધ્યાય
આ ઉપરાંત હું જ્યાં જ્યાં જઈશ ત્યાં ત્યાં મારા શિષ્યને એ જ શિક્ષા આપીશ અને મને આશા છે કે મારા બધા શિવે મારી આજ્ઞાને માનશે અને અપવિત્ર વસ્તુઓ ખાણામાં પણ નહિ વાપરે. આ પત્ર આપની સેવામાં મેકલું છું તેને સ્વીકાર કરશે.”
૧૭ જુલાઈ ૧૯૨૨ પીર અહમદશાહ દ. પોતે
Page #191
--------------------------------------------------------------------------
________________
پیمرا کے چوا اس جی نباتات کے مہاراج کے چرنوں میں . . ک ی مہاراج . ہے نا ب... حسین را سر بر بروند، اما ۓ اور نیب مول به وسدا نمی شوند و هم به نرفت می بر زمین بی سین می تونین اپنی بہرہ نہ نہار مذکورہ وانا امیروں و میدونم که در کره ب ۔ تین دن کیر
به روی تو بی طرف به وی . اونا ہے . جبران به: .جبار شیخ سعد ما مب زراعة بزه
که در آ ب
بوهران بوشزد بره توره نوردار
هر نفر را نه زار - ا ی باران نیم بے بدی پر رسول اسلامی به مناسبی ناب بخوشی حاصرود بے زرداری کرانے میں اے ای بروز اچھی نیت به رع به ده نهمر من اتحاد و انت فی معت . ا ی
بی مباراچ.بی متن اور امید صادق پر مه به سے دونوں میادہ است۔ وہد نے مجھے امت باستم بود تا درہم کی قیمت نسرین مبا بنزین و بر نشده و سن اور مره را، ) ، واب ہم شاب سمیت (تم بث و اجاره 13 - سبزه زمان مب نہیں انفارمیش ن ہم جم نم ناب سان تمني من تعب و بد
متر مسار حرم بنخل هشت فروند نه در مه . بر خمینی - بارانم شدی پورن انی. و برت پوبون کاپو دن ا ېسي . زمینی با بنوں سے اسے ون بینم. لا نبر رقبے امید وائن نے آنجناب سر دونوں نراه های درمانی کرنے
و
رنو فتنہ ہے زوشرف . با زمنه ونیری باری در عمل نہ کرنے کی سعادت دارین حا مررنگی این مهم د ر
زمین سے بد .. بے وجہ سے پر قائم نے ب ا ین م ا بن بر خاکسازنده ماندن ترم نصاب سان سند
به بیرون امام من منهنجرا
સનખતરાના કસાઈ ભાઈઓની
તરફથી અપાયેલ માનપત્ર
Page #192
--------------------------------------------------------------------------
Page #193
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩
માનપત્ર
[સનખતરાનિવાસી મુસલમાનભાઈ એએ વિદાય વેળાએ આપેલું
અનુવાદ શ્રીગુરુ સાહનવિજયજી મહારાજની સેવામાં અલ્લાહા અકખર, વન્દેમાતરમ, વન્દે જીનવરમ, સી અકાલ !!!
ભગવન ! સંસારના ઉદ્યાનમાં અનુભવી લાકાએ પ્રતિદિન બનતા બનાવો અને વિપ્લવાથી એવા અનુભવ કર્યો છે કે સુખ-દુઃખ, આનંદ–શાક, પ્રકાશ-અંધકાર, ઉંચ-નીચ, ફુલ–કાંટા, જીવન-મરણ, મિલન-વિરહ એક પછી એક ચાલ્યા જ કરે છે.
એ દિલાને દેવ આરામથી નથી રહેવા દેતા. અમને પણ તે કેમ છેડે ! આજે અમારે એ જ કડવા ઘુંટડા ગળવા પડે છે અને જુદાઈનું દુઃખ સહેવું પડે છે. આ ઘેડા વિસામાં અમારા ઉપર પરમ ઉપકાર કરીને આપ જેવા પવિત્ર ચારિત્રશીલ ઉપદેષ્ટા, પથપ્રદર્શક અમારાથી જુદા થાય છે.
શ્રીમાન ગુરુ મહારાજ! અમને છેડી જવા પહેલાં, અને જુદાઈથી અમારા હૃદયેાને આઘાત લગાવ્યા પહેલાં અમે આશા રાખીએ છીએ કે આપ અમને અમારા ભાવે પ્રદર્શિત કરવા આજ્ઞા આપશે. એ તે ચેાકસ છે કે હૃદચના ભાવા હૃદય જ જાણે છે. શબ્દોમાં તેનું વર્ણન નથી થઈ શકતું.
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૪
ધર્મવીર ઉપાધ્યાય ગુરુજી! અમે આપને વિશ્વાસપૂર્વક જણાવીએ છીએ કે અમે માત્ર બનાવટી વાત કહેવા એકઠા થયા નથી પણ આપની સહૃદયતા, સત્યતા, મધુરવાદિતા, નિષ્પક્ષ વ્યાખ્યાનશૈલી અને સુંદર અને બહુમૂલ્ય ઉપદેશોએ અમારા હૃદયને જીતી લીધાં છે એટલે જ આજ આપની વિદાય સમયે અમે વૈર્ય નથી રાખી શકતા. એ જ કારણથી આપના પ્રેમપાશમાં બંધાઈ ગયેલાં હૃદય આ સમયે ધબકી રહ્યાં છે.
મહારાજ ! એક મહિનાનો સમય તો ડી જ ક્ષણેમાં સ્વપ્નવતું ચાલ્યો ગયો. અમારી હાર્દિક ઈરછા તે એવી છે કે આપ હજી થોડા સમય અમારી વચ્ચે રહે કારણ કે આપના આચારવિચારેએ અમારા દિલમાં સ્થાયી સ્થાન લઈ લીધું છે.
શ્રીમાન ગુરુજી મહારાજ–આ૫નું નિષ્કામ જીવન અમારે માટે આદર્શ રૂપ છે. આપને નાનો વિચાર પણ અમારા જીવનને માટે બહુમૂલ્ય સિદ્ધાંત રૂપ છે. આપની વિદ્વતા, આપનું નિર્મળ ચિત્ત, આપની પરે પકારિતા પ્રસિદ્ધ છે. એક વખત પણ આપના પરિચયમાં આવનાર આપશ્રીના આંતરિક અને બાહ્ય ગુણોથી પ્રભાવિત થયા વિના રહ્યું નથી. આપના વ્યાખ્યાનમાં આવીને અમે આયુભરની તૃપ્તિ અનુભવતા હતા. તેનાથી અમારા હૃદયમાં પણ ઉચ્ચ ધ્યેયની પ્રાપ્તિની ઈચ્છા જાગૃત થઈ છે જે માટે અમે આપના ચિરાણું રહીશું. આપના શબ્દોએ આ નગરમાં મૃત હૃદયમાં અમૃતવર્ષીનું કામ કર્યું છે વળી આપના સતત પરિશ્રમ તેમજ માનુષતાના સિદ્ધાંતે અમને ઘોર
Page #195
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩
૧૫૫ નિદ્રામાંથી જગાવી દીધા છે. આપે અમારા ઉત્થાન માટે સેવા સમિતિ કાયમ કરીને અમને જીવનદાન આપ્યું છે. અમને આપે વર્તમાન સમય અનુસાર જીવન જીવતાં શીખચું, ધર્મરક્ષાના સાધન બતાવીને, ખાદી પ્રચાર અને વિદેશી ખાંડને ત્યાગ કરાવી અમને સ્વદેશ પ્રેમની શિક્ષા આપી. અમારી પ્રાર્થના છે કે આપને આપના ઉચ ઉદેશમાં સફળતા પ્રાપ્ત થાય.
મહારાજ આપના ઉપકારોનું સવિસ્તર વર્ણન શક્ય નથી. અમે સંક્ષેપમાં આ માનપત્ર સમાપ્ત કરતાં પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન આ પરોપકાર–સરોવરને દીર્ઘ કાળ વહેતું રાખે જેન થી અમે પણ વારંવાર અમારી તૃષા છીપાવીને શાંતિ પ્રાપ્ત કરી શકીએ. તથાસ્તુ
આપના ચિરહણી સનખતરાનિવાસી મુસલમાન ભાઈએ મેહરદીન અરાઈ, મુહમ્મદ અસમાઇલદરજી, મિસ્ત્રીફજલ અહમદ, ફજલદીન, રમજાન, જલાલદીન, કાયમદીન, હાકિમગૂજર, છાંગા અરાઈ. મેહરદીન, હુકમદીન, ઈલમદીન અરાઈ વદ ઈમામ બા. જગન્નાથ બ્રાહ્મણ, ગુલામ હૈદર કમદીન કાશમીરી, હૈદરઅલી માશકી, બુદ્દા કાશમીરી, લભૂખાં, સોહને હજામ, હુસૈનશાહ ફકીર, અબદુરહેમાન વેદ કરીમ દીન, જાનમહમ્મદ અરાઈ, સરોજબેગ, બાગચૂડગર ! ઉમરદીન, મુહમ્મદદીન અરાઈ | અલ્લારખા કાશમીરી, સુલતાન, ફજલદીન દઈ, ઈલમદીન મુહમ્નદદીન લુહાર, દૂલા, ઈમામ ચિરાગદીન, કાદિરબશ, ઈમામદીન કાશ્મીરી, તાજદીન, અબદુલગની કાશમીરી, લાલદીન, દાદઅરાઈ, તાજદીન કવ્વાલ, શેખ ગુલામમુહમ્મદ કશમીરી લાલદીન, ચુડગર, મુહમ્મદદન, અબ્દુલકાદિર, ફકીરાઅરાઈ, કજલદીન કસાબ, સરાજદીન. ૧) રમજાન ૧૩૪૦ * હિ. જેઠ સં. ૧૯૭૯
Page #196
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૪ સનખતરાનિવાસી કસાઈઓની તરફથી
માનપત્ર
અનુવાદ શ્રદ્ધાના ભંડાર પંન્યાસજી મહાત્મા સેહનવિજય મહારાજના ચરણમાં–
ગુરુજી મહારાજ ! આપે એક મહિનાથી વિશેષ અમારી પાસે રહીને જે જે ઉપદેશ અમને આપ્યા છે તેમજ જે જે સિદ્ધાંત અમને શીખવ્યું છે તેનું વર્ણન કરવામાં વૃથા સમય નથી લેતા, કારણ કે આ પહેલાં અમારા જ મુસલમાન ભાઈઓએ આપની સેવામાં માનપત્ર દ્વારા તે ઉપદેશે અને સિદ્ધાંતનું વર્ણન આપ્યું છે. પરંતુ અમારાં હૃદયને આપની તરફ આકર્ષિત કરનાર તે આપને ઉપદેશ છે, જેને સાર જેમ શેખ સાદીએ પણ કહ્યું છે તેમ એ છે કે પરમાત્માએ મનુષ્યને એ માટે જ સર્યો છે કે દુઃખના સમયે એકબીજાની સહાયતા કરવી; જેમ એક અંગમાં દદ થાય તે બીજા અંગોને પણ ચેન પડતું નથી.
ગુરુજીમહારાજ ! એજ શિક્ષા અમારા સાચા પ્રવર્તક મુહમ્મદ સાહેબે પણ આપી છે. અમને એ વાતથી બહુ જ આનંદ થાય છે કે આ અંધકારના સમયમાં પણ અમારા સિદ્ધાંત અને આપને ઉપદેશ એક જ છે. અને એજ અમારા સાચા દિલેજાની પ્રેમ અને મિલાપનું ચિન્હ છે.
સ્વામીજી મહારાજ! આપને સ્નેહ અને આપની
Page #197
--------------------------------------------------------------------------
________________
ગુરુવર્યના અનન્ય ભક્ત ગુજરાવાલાનિવાસી
લાલા સુંદરદાસજી જૈન, બરડ.
Page #198
--------------------------------------------------------------------------
________________
શ્રી નીગાળા જૈન શ્વે. કાન્ફરન્સના સ્વા. ઉપ-પ્રમુખ કાન્તિ કાઢન મીલ્સવાળા વઢવાણ કેમ્પ નિવાસી શ્રીયુત રતિલાલ વર્ધમાન શાહ
Page #199
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૪
૧૫૭ સાચી મહેબત અમારા દિલમાં જવલંત છે જેથી અમે આપની સેવામાં કોઈ એવી વસ્તુ ભેટ કરવા ઈચ્છીએ છીએ જે આપશ્રીને યોગ્ય હેય.
સનખતરાનિવાસી અમે કસાઈ ભાઈઓ જેનું કામ પેઢીઓથી એક જ ચાલ્યું આવે છે તે આપની સમક્ષ પ્રતિજ્ઞા કરીએ છીએ કે અમે રાજીખુશીથી, કેઈના પણ દબાણ વિના પ્રત્યેક સાલ નીચે લખેલા ચાર દિવસ માંસ નહિ વેચીએ –
જેઠ સુદ ૮, કાર્તિક સુદ ૧૫, પર્યુષણને પહેલે અને છેલ્લો દિવસ. તેમ જ જૈનભાઈ પાસેથી આના બદલામાં પ્રત્યુપકારની આશા પણ નથી રાખતા. અમને પૂર્ણ આશા છે કે શ્રીમાનજી આ ભેટ સ્વીકારી અમને પ્રોત્સાહિત કરશે.
અમારાં સંતાન પણ આ અમારા લેખ અનુસાર આચરણ કરીને પુણ્યના ભાગીદાર બનશે કારણ કે પ્રત્યેક મુસલમાનને ધર્મ છે, કે પિતાની પ્રતિજ્ઞામાં દઢ રહે.
અમે છીએ
સનખતરાનિવાસી ફઝલદીન, અલ્લાહરકમા, મુહમ્મદલપી, ફg, મેહરદીન, ઈમામદીન, ઈમામદીન, ગુલામ મુહમ્મદ, અબ્દુખા, ફજજા.
Page #200
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૫ ગામ પિંડદાદનાંના-નિવાસીઓ તરફથી
માનપત્ર
અનુવાદ પરમ પૂજ્ય સ્વામીજી મહારાજ !
અમે પિંડદાદનમાં–નિવાસી હિંદુ જેમાં સનાતન ધમી, આર્યસમાજી, સિકખ, જૈન વગેરે ભિન્ન ભિન્ન સંપ્રદાયના લેકે સમ્મિલીત છે તે બધા આપના વિહાર સમયે અતીવ વિનય અને સાચા હૃદયથી આપને ધન્યવાદ કરવાને માટે એકત્રિત થયા છીએ. અહીં થોડા સમય રહીને પણ આપશ્રીએ કરેલા ઉપકારનું વર્ણન કરવા અમારી પાસે શબ્દ નથી.
આપના નિશ્ચયથી ધર્મોપદેશ, આપનું ચારિત્ર, આપને હિન્દુજાતિ પ્રત્યે પ્યાર તથા અન્ય ગુણેના પ્રભાવથી પિંડદાદનખાંના હિન્દુઓમાં નવીન શક્તિનો સંચાર થયો છે.
આ શહેરના હિંદુભાઈએ વિધ, ઈર્ષ્યા અને પરસ્પરની ફૂટની આગમાં બળી રહ્યા હતા. આપની ઉપદેશરૂપી વર્ષોથી તેઓને સર્વનાશમાંથી બચાવી લીધા એટલું જ નહિ પણ પરસ્પર પ્રેમ અને સહાનુભૂતિના રંગમાં રંગી દીધા અને જે કાર્ય અસંભવિત લાગતું હતું અને જેને માટે પહેલાં પણ ઘણી વખત પ્રયત્ન થઈ ચૂક્યા હતા તે તમે ચમત્કારની જેમ તરત કરી બતાવ્યું.
અમે પરમાત્માને ધન્યવાદ કરીએ છીએ કે જેમણે આપ જેવા મહાત્માને આ સમયે અમારી પાસે મોકલ્યાઃ
Page #201
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ પ
૧૫૦ આપ અહીં પધાર્યા અને આ ખારી પૃથ્વીને મીઠી જ નહિ પણ હરીભરી કરી દેખાડી, તે એ જગદીશ્વરની જ કૃપા છે. આમાં અત્યુક્તિ નથી જ, કારણકે જે લોકે એકબીજાની સામે જોવું તે શું પણ નામ લેવામાં પણ હલકાઈ માનતા હતા તે આપની સામે આવતાં જ આપના પ્રતાપથી મીણ જેવા સરળ બની ગયા અને એકબીજાને મળી ગયા, એટલું જ નહિ પણ જેમ બરફ સૂર્યના તાપથી પિતાની કઠેરતા તજીને પીગળી જાય છે, તેમ બધાએ પિતાની કુટિલતા, કઠોરતા, હઠ અને જૂઠે અહંકાર છેડી દીધા. આપને આ ઉપકાર ભૂલી જાય તેવા પિંડદાદનખાંના નિવાસીઓ કૃતકની નથી જ.
આપનું જીવન ક્રિયાશીલતાને એક નમૂને છે, જેને આજકાલ સર્વથા અભાવ જોવાય છે.
આપની કલ્યાણભાવના, ઉત્સાહ, પુરુષાર્થ, આપને મનહર ઉપદેશ, આપનું ઈંદ્રિયદમન, આપનો નિષ્કામ ભાવ અને આપની આત્મશક્તિ તેમ જ આપનું પવિત્ર સાધુજીવન એક સાચા સંન્યાસીને નમૂને છે, જેનાથી પ્રત્યેક મનુષ્ય શિક્ષા ગ્રહણ કરીને પિતાનું જીવન સુધારી શકે છે. જે જીવન સુધારને માટે હિન્દુજાતિ આજ સુધી ચોતરફથી પિકાર કરી રહી છે.
જ્યાં સુધી હિન્દુસભા રહેશે–અને તે અવશ્ય કાયમ રહેશે; કારણ કે તેને પાયે આપ જેવા નિષ્કામી અને ત્યાગી મહાત્માએ નાંખે છે.–ત્યાં સુધી આપનું નામ સદા પ્રેમ અને સન્માનથી સમરણમાં રહેશે.
Page #202
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાધ્યાય
અમને આશા છે કે આપ કી પણ આ નગરને આપના દન તથા ધૌપદેશથી કૃતાર્થ કરશે અને આપને હાથે વાવેલા આ વૃક્ષને ભૂલી ન જશે.
૧૬૦
અંતે સચ્ચિદાનંદ પ્રભુને અમારી પ્રાર્થના છે, કે આપને આપના ધ્યેયમાં——જેને માટે આપે સંસાર, વૈભવ પોતાનું કુટુંબ તથા શારીરિક સુખના ત્યાગ કરી સન્યાસ લીધા છે, સફળ કરે અને આપના પરિશ્રમ સફળ કરે. અતમાં અમે બધા આપને હાથ જોડી પ્રણામ તથા નમસ્કાર કરીએ છીએ અને આ માનપત્ર સ્વીકારે કરવા વિનતિ કરીએ છીએ.
અમે છીએ આપના સેવા પિ'ડદાદનખાંના હિન્દુભાઈએ.
Page #203
--------------------------------------------------------------------------
________________
با ما حیات کے سند ماسته اند را
ر
را
ان است
جدائی کاشتند
کے ان کی اور ان کا انتباہ کر رہا ہے کہ نوشی سے ان سات ور ان کے سات ما رال کا سامان اوان است سے نہیں کر وار کرد و این که آدم سے جینے و۔ این کار را یاری کرنی ہی ہے
هرستان
taat ( uomo ) મુસલમાન ભાઈ એની તરફથી અપાયેલ
માનપત્ર
ا سا اور
تے ہیں۔ اور ایسی برائی سے ہے اور اس میں میں یہ کہ آپ کو ا ا م ا رات کو مار مارو
بس:
وه شه :
علیہ
---------
وہ ہی ہے۔ اسی و کو ی می بستن
ری باشید
Page #204
--------------------------------------------------------------------------
Page #205
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૬ અંત સમયના પત્રો
[પૂજ્યપાદુ આચાર્યદેવ શ્રીવિજયવલ્લભસૂરિજીને કૃપાપત્ર]
ત્રદશી શનિવાર વંદનાનુવંદના સુખશાતા. અષ્ટમી, નેમ તથા દશમના ત્રણે પત્રો મળ્યા. વૃત્તાંત જાણ્યો. જવાબ શું લખવો તે આજે તો સૂઝતું નથી. ઉપાધ્યાયજીની તબિયતને ભરોસો નથી. જ્ઞાનીએ જોયું હશે અને આયુષ્ય લાંબુ હશે તે મળીશું નહિ તે આ પત્રથી વારંવાર વંદણા અને ખમત ખામણ સાથે લખાવે છે કે, “પ્રિય બંધુ! મારું અધૂરું કામ આપને પૂરું કરવાનું છે. ” તમારે એક પત્ર આવ્યો હતું, તેને જવાબ તેમણે લખી રાખ્યો હતો, પણ પછી તે બિમાર થઈ ગયા. આજ કાગળમાં મળી આવવાથી યાદગાર તરીકે મોકલું છું. હવે તે તબિયત સારી થયા પછી લખવું હશે તે લખશે. હાલ તે આ પત્રને અંતિમ પત્ર સમજી લેશે. વારંવાર હાથજોડી વંદના લખાવે છે. આરામ થયે આપને મળીશ તેમ કહે છે. હવે પત્ર નથી લખી શકાતો એટલામાં સમજી લેશે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Page #206
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર ઉપાધ્યાય
[ 2 ] [ ઉપાધ્યાયજી મહારાજને પત્ર]
વંદે વીરમાનંદમ
| ગુજરાનવાલા
વદિ ૧૦ શુક્રવાર ધર્મબન્ધ લઘુની વંદણ સ્વીકારશો. ધન્ય છે, ધન્ય છે, આપને, જે સૂરીશ્વરજીના વચનેનું પાલન કરી રહ્યા છે. મેં આ ગુણ આપનામાં ખાસ કરીને જે છે. જેવી રીતે આપ આચાર્ય ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે તેમ હ પણ કરી શકું તે મારો તો બેડો પાર થઈ જાય. શાસનદેવને એ જ પ્રાર્થના છે કે મને ભવભવ સૂરીશ્વરજીની સેવા મળે–જેવી તમે કરી રહ્યા છે. આપમાં મેં શું શું જોયું, બસ નથી કહી શકતો. કારણકે હું તે તમારી જ માળા ફેરવું છું. આપે જે કાર્ય કર્યું છે તે બીજાથી થવું દુષ્કર છે.
[૩] [ બીજો પત્ર] વંદે રિમાન્ડમ
ગુજરાનવાલા
શુદિ ૧૫ મંગળવાર સેવકની વંદણ. માળા પહોંચી ગઈ. આજ શ્રીજીને અઠમ છે. કાલે પારણું થશે. ધર્મબધુ! મારા પાપને
Page #207
--------------------------------------------------------------------------
________________
અંત સમયના પુત્રો
૧૬૩
ઉદય છે કે શ્રીજીની છત્રછાયામાં રહેતાં છતાં મારાથી કાંઈ પણ ભક્તિ નથી થઈ શકતી. પાંચ માસથી ખાંસી પાછી પડી છે. આચાર્ય ભગવાનની કૃપાથી બે દિવસથી કાંઈક ઠીક છે. સિદ્ધચક્રના પ્રતાપથી આરામ આવી જશે. શરીર પણ હવે પહેલાં જેવું નથી. આપની કૃપાથી ચિંતા જેવું નથી. આજે મારા મનેાગત ભાવે આપની સમ જણાવુ છું.
આપ દયાળુ ગુરુદેવના કાર્યોંમાં સહાયતા કરી રહ્યા છે તે માટે મારી પાસે પૂરતા શબ્દો નથી જે હું તમારી સેવામાં લખું. એટલુ જરૂર છે કે જ્યારે તમે યાદ આવે છે, આપના સ્નેહ યાદ આવે છે, તે સમયે એ અશ્રુબિંદુએ ટપકી પડે છે. સાચા ગુરુભક્ત છે તે આપ છે. હું દાવાની સાથે કહું છું કે જે જે કા` આપે કર્યાં છે તે બીજે કાઈ કરવા સમર્થ નથી. ધન્ય છે આપને.
ગુરુકુળને માટે જે મદદ પહેાંચાડી તેને બદલે હું કઇ રીતે આપી શકું ! હું તે દિન ધન્ય માનીશ જે દિવસે ગુરુદેવની ઈચ્છા સાળે સાળ આના પૂર્ણ થશે. એ ઈચ્છા સંપૂર્ણ કરવાનું પ્રથમ કતવ્ય આપણુ–સૂરીશ્વરજીના શિષ્યાનુ છે, પણ બધામાં આપ જ તેમની ઈચ્છાને સ`પૂર્ણ ન્યાય આપવા સમર્થ છે, બાકી તા ‘અહ્વા અહ્વા ખેર સહ્યા’ વાળા હિસાબ છે. મને લાગે છે ગુરુકુળને માટે આપણે એવા ભાઈબહેના તૈયાર કરવાં જોઈએ જે સાલમાં રૂા. ૬૦) આપીને એક દિવસ સાધમી વાત્સલ્ય નોંધાવે. એવી ૩૬૦ તિથિએ મળી જાય તે તે શું પૂછવું! અગર એક એક સાલ દેવા વાળા ૭૦૦૦ ભાગ્યશાળી મળી જાય તેા પણ સારું. મે
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૬૪.
ધર્મવીર ઉપાધ્યાય ધારી લીધું છે કે દેશ દેશાન્તરમાં ફરી ગુરુકુળ માટે મેટું ફંડ કરવું. જે મારા ખૂનનું ટીપું પણ માગશે તે હું આપવા તૈયાર છું, પણ ગુરુદેવે જે છોડ વાવ્યો છે તેનું મહાન વૃક્ષ બનાવી દેવુ છે. અગર જિંદગી રહી તે કાંઈ ને કાંઈ સેવા ભક્તિ કરીશ, નહિ તે ભાવિભાવ. પ્રભાવવિજયને સુખશાતા. તપસ્વીજી, સમુદ્રવિજય, સાગરવિજય, ઉપેન્દ્રવિજય વગેરેની વંદના. બાબાજી અને શ્રીજીની તરફથી સુખશાતા.
આપનો લઘુ સહન
Page #209
--------------------------------------------------------------------------
________________
સ્નેહાંજલિ
[ આચાર્યશ્રી વિજયલલિત સૂરીશ્વરજી મહારાજ ના પ્રિય બાંધવ ! આજે પણ યાદ છે તે દિવસ જે દિવસે દૂર દૂર પંજાખથી ગૂજરાતની તી ભૂમિ ભેાયણીમાં આપણે અન્ને મળ્યા. એ શાંતસ્વભાવ, વિનીતભાવ, ભદ્રિકતા અને સહનશક્તિ આજે પણ નથી ભૂલાયાં.
તારી જીવનકથા પણ કેવી વિચિત્ર છે! સાધુ થયા, સ્થાનક છેડયું અને ત્રણ ત્રણ વખત સ્થાનકમાં ગયા છતાં શાંતિ ન મળી. ગુરુદેવની પાસે તમે દોડી ગયા. એ દયાસાગરે તમારી કેવી કસોટી કરી અને ગૂજરાતની ભૂમિમાં શાંતમૂતિ શ્રી હંસવિજયજી મહારાજશ્રીની છાયામાં આપણે
મળ્યા.
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૬૬
ધર્મવીર ઉપાધ્યાય ભાઈ તમે કેણ છે? ક્યાંથી આવ્યા છે !” મેં પૂછયું ત્યારે “હું પંજાબથી આવું છું.” કે ટૂંકે જવાબ પહેલા પ્રશ્નનો જવાબ તમારી તે વખતની સ્મિત કરતી ભેળ-ભલી દર્દભરી સૂરતથી મળી ગયે. | મારા પ્રિય બધુ, હૃદયમાનસના હંસ, ભવિષ્યના પંજાબના મુનિસિંહ, તારી આત્મકથા આજે પણ યાદ છે.
હુ જમ્મુ (કાશ્મીર) ને રહીશ છું. ઓસવાળ કુટુંબમાં મારો જન્મ છે. મારું નામ વસંતામલ છે. મેં સ્થાનકવાસી સંપ્રદાયમાં સમાના(પતિયાળા)માં દીક્ષા લીધી હતી. મને ત્યાં શાંતિ ન મળી. હું તે છેડી ગુરુદેવની પાસે આવ્યા. તેમના દર્શનથી મને શાંતિ થઈ. તેમની કસેટીથી હું મુગ્ધ થયું. તેમની કૃપાથી મને આનંદ થયા. પંજાબના આગેવાન સુશ્રાવક લાલા ગંગારામ બનારસીદાસને કહીને મને ગુજરાતમાં મોકલ્યો. આજે આ તીર્થભૂમિ તથા આપના દર્શનથી હું કૃતાર્થ થયે.”
ભાઈ મારા! તારી સાદગી અને હૃદયની નિર્દોષતાથી પરમ પૂજ્ય શ્રી હંસવિજયજી મહારાજ અને હું આશ્ચર્યચકિત થયા હતા. તારે સાદે પહેરવેશ, મલમલને ઝબ, બે પૈસાની ટેપી અને છેતી તો આજે પણ સાંભરે છે. આ સાદાઈમાં સમાજની નસનસમાં પ્રાણ પ્રેરવાની તાકાત હતી તે હવે જાણ્યું.
બે દિવસ પછી તે આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ-જે તે સમયે સંસારની દૃષ્ટિએ સામાન્ય સાધુ હતા, તેમનો પત્ર આવ્યો કે ” લલિતવિજય
Page #211
--------------------------------------------------------------------------
________________
સ્નેહાંજલિ
૧૬૭ ચોગ્ય સુખશાતા અનુવંદના સાથ જણાવવાનું જે વસંતોમલને તમારી પાસે મોકલ્યા છે. તેને તમારા નામની દીક્ષા આપશે, સાથે રાખશે, ભણાવશે અને નેહથી રાખશે. એ ભવિષ્યમાં પંજાબને માટે ઉપયોગી નીવડશે.” અને ખરેખર ગુરુદેવનાં વાક્યો ભાઈ તે સાચાં પાડયાં. અંત સુધી પંજાબની સેવા કરી.
પ્રિય બધુ! પછી તો તમારે અભ્યાસ ચાલ્ય. તેમાં પણ તમારી પ્રગતિ સારી ગણાય. થોડા વખતમાં જીવવિચાર, નવતત્ત્વ વગેરે શીખી લીધું. ત્યાંથી વિહાર કરી આપણે માંડળ આવ્યા. દીક્ષાની વાત સાંભળી માંડળને શ્રીસંઘ આનંદ પામે. તેને લાભ માંડળને મળવું જોઈએ તેમ આગ્રહ થયે પણ નિમિત્ત જુદું હતું. માંડળની પાસે દસાડા ગામમાં મારા પરમ ઉપકારી, જ્ઞાનદાતા, મારા પરમપૂજ્ય ચારિત્રદાતા આચાર્યદેવથી બીજા નંબરના ઉપકારી મુનિમહારાજ શ્રી શુભવિજયજી તપસ્વીજી બીરાજમાન હતા. તેમણે મને પંજાબથી આવ્યા બાદ વર્ષો સુધી શાસ્ત્રો તથા સિદ્ધાન્તનું અધ્યયન કરાવ્યું હતું. પ્રમાનયતત્વલોકાલંકાર, લકતસ્વનિર્ણય, ત્રણુભાષ્ય, ગુણસ્થાનકમારેહ, તર્કસંગ્રહ, ષશનસમુચ્ચય, સમ્યકત્વસમતિ વગેરે અનેક ગ્રંથે કંઠસ્થ કરાવ્યા હતા. હું તેમની પાસે વંદનાથે ગયે. તેમની હાદિક ઈછા મને જણાવીઃ “લલિતવિજય! શ્રી હંસવિજયજી મહારાજશ્રીની ઈચ્છા પ્રમાણે ભલે માંડલમાં દીક્ષા થાય, પણ જે મારી હાર્દિક
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ધર્મવીર ઉપાધ્યાય ભાવના પ્રમાણે થાય તે અહીં દસાડા ગામને આ પ્રસંગને લાભ આપવો જોઈએ. માંડલને તે ઘણીવાર લાભ મળશે પણ મારી જન્મભૂમિમાં હું દીક્ષા લીધા પછી ઘણુ વર્ષે આવ્યો છું. તો આ નાના ગામના શ્રી સંઘને આ પ્રસંગ ઉજવવા માટે તક મળે તે સારું.”
હાથ જોડી ઉપકારીના ચરણમાં મસ્તક નમાવ્યું ને પ્રાર્થના કરી, “પ્રભે! હું શ્રી હંસવિજયજી મહારાજશ્રીને પૂછીને આપને જણાવીશ. તેઓ દીર્ઘદશી અને વિચારશીલ છે અને મારા પર તેમની અસીમ કૃપા છે.” - એમ જ થયું. તેમની આજ્ઞા મળી. અમે દસાડા આવ્યા. સંઘમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. ગુરુદેવે પંજાબથી મુહૂર્ત કર્યું હતું–વરઘેડા નીકળ્યા, વાજાં વાગ્યાં, સમારેહપૂર્વક દીક્ષા થઈ અને સેહનવિજયજી નામ રાખવામાં આવ્યું. પણ ગુરુદેવના નામથી દીક્ષા અપાઈ કારણકે ગુરુદેવનું નામ લબ્ધિસંપન્ન છે.
આ આનંદજનક બનાવ પછી એક ભૂલ થઈ ગઈ તે આજે પણ યાદ આવે છે. શ્રી હંસવિજયજી મહારાજશ્રીના વિનીત શિષ્યરત્ન શ્રી સંતવિજયજી મહારાજશ્રીએ મને આદેશ આપ્યું હતું, કે અમે શ્રી ભગવતીજીના એગ પૂરા કરીએ ત્યાં સુધી તમે શ્રી હંસવિજયજી મહારાજશ્રીની પાસે રહે; પણ અમને બન્ને ગુરુભાઈને મહેસાણ પાઠશાળામાં જઈને સંસ્કૃત અભ્યાસ વધારવાની ઈચ્છા થઈ આવવાથી અમે ન રહી શક્યા. તેનું આજે પણ દુઃખ રહી ગયું છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
નેહાંજલિ
૧૬૯
મહેસાણાની હવા તે દિવસેામાં સારી નહેાતી–પછી ચાણસમા ગયા અને વૃદ્ધ સાધુ ૫. શ્રી ઉમેદવિજયજી મહારાજને સદ્ભાવપૂર્વક નવીન સાધુને વડી દીક્ષાના ચેાગાદ્વહન કરવા આગ્રહ કર્યો પણ અમને તે શ્રી સવિજયજી મહારાજશ્રીના ચરણમાં રહી શાંતિ પ્રાપ્ત કરવાની ભાવના જાગી હતી. અને અમે પહેાંચ્યા સિદ્ધક્ષેત્ર પાલીતાણા-શ્રી હું...વિજયજી મહારાજ સાહેમની સેવામાં.
પ્રિય ભ્રાતા ! તમને છોડીને મારે મુબઈ જવું પડયું. મારા આત્મા જાણે છે કે તે જુદાઈ મેં કેવી રીતે સહી છે, પણ ગુરુદેવના ચરણમાં તમને જોઇને આનંદ પણ થતા હતા.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના ગુરુદેવને આભારી છે. તેમણે જૈનસમાજને એક સર્વોત્તમ ભેટ આપી છે. હજારા નવયુવાના જીવન સુધારની એ એક મહાન સંસ્થા છે. વિદ્યાલયનું ભાડાનું ખર્ચ વાર્ષિક ૧૮૦૦૦ રૂપીઆ આવતું હતું. ટ્રસ્ટી મંડળની સૂચનાથી ગુરુદેવની આજ્ઞાથી મારે મુંબઈ જવું પડયુ અને ગુરુકૃપાથી વિદ્યાલય માટે મેટુ ફંડ થઇ ગયું.
પ્રથમ જયન્તિ વિલેપારલે થઈ અને મુંબઈથી આવેલ ભાઈ આની ભકિત શ્રી મેાતીચંદ્ર ગીરધરલાલ કાપડીયા સેાલીસીટરે કરી—તે સમયે લગભગ રૂા. ૨૭૫૦૦, વિદ્યાલયને મળ્યા. બીજા ચેામાસાના પ્રારંભમાં જયન્તિ અન્ધેરી
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૭૦
ધર્મવીર ઉપાધ્યાય
શેઠ સેવ’તીલાલ નગીનદાસ કરમચંદના મંગલામાં થઈ. લગભગ ૨૭૦૦ ભાઈ એની ભકિત તેમણે કરી અને ૫૦૦૦ રૂપીઆ વિદ્યાલયને આપ્યા.
મહાવીર જૈન
શેઠ કીકાભાઇ પ્રેમચંદે પહેલા ઘેાડી રકમ આપી હતી અને વળી ઘેાડી રકમ આપી. શ્રી વિદ્યાલયના બિલ્ડીંગ માટે લગભગ રૂ. ચામાસામાં થયા.
બે લાખ બન્ને
આ બન્ને ચામાસામાં દાનવીર શેઠ વિžલદાસ ઠાકારદાસ, દાનવીર શેઠ કીકાભાઈ પ્રેમચંદ, બાપુસાહેબ શ્રી. જીવનલાલજી પન્નાલાલજી તથા દાનવીર શેઠ દેવકરણ મુળજી આદિ ગૃહસ્થાએ સારા લાભ ઉઠાવ્યેા.
વળી ભાઈ જે કામને માટે તમારી ભાવના હતી~~ મહા મહેનત હતી—તપશ્ચર્યા હતી, તે શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ પજાખને લગભગ એક લાખ રૂપીઆ પૂરા થયા, તેમાં ૫૧૦૦૦ તે। દાનવીર શેઠ વીઠ્ઠલદાસ ડાકોરદાસે
આપ્યા હતા.
શ્રી આત્માનંદ જૈન હાઈસ્કૂલ અખલા ( પંજાખ ) બિલ્ડીંગ ને માટે ૧૮૦૦૦ રૂપીઆ પણ તેમણે જ આપ્યા. પ્યારા સાહન—આ બધા કામેામાં ગુરૂદેવની પ્રતિષ્ઠા અને તારી પ્રેરણા મને પ્રેરક હતાં.
કચેાગી ! પ ંજાબના ઉત્થાન માટે, મહાસભાના
Page #215
--------------------------------------------------------------------------
________________
નેહાંજલિ
૧૭૧ સંગઠન માટે અને આત્માનંદ જૈન ગુરુકુળ પંજાબ માટે સર્વ શક્તિનું તારું સમર્પણ અદ્ભુત છે.
ગુરુદેવની હાજરીમાં ખાંસીએ તને પાંચ પાંચ મહિના સતા. આવા શરીરે મૌનવ્રત ધારણ કર્યું. આયંબિલ તપની આરાધના કરી. પણ શરીર દિવસે દિવસે બગડતું ચાલ્યું. તારી ભાવનાઓ–મહેચ્છાઓ પૂરી કરવાની જવાબદારી મારી છે તેમ હું માનવા લાગે, તારા આત્માની. શાંતિ પણ તેમાં જ હતી.
પ્રેમદ્યાન ભાઈખાલાથી વિહાર કરી માહીમ પહોંચ્યા. શ્રી મકનજી જૂઠાભાઈ બાર. એટ. લે. એ પિતાના બંગલામાં ખાર માટે નિમંત્રણ આપ્યું. અમે ત્યાં પહોંચ્યા. મુંબઈથી હજારે બહેનભાઈએ ત્યાં આવ્યાં હતાં. પૂજા તથા સ્વામી વાત્સલ્ય થયું, પણ મારો આત્મા તો ઉપાધ્યાયજીની અંતિમભાવના પૂર્ણ કરવામાં લીન હતો.
મારા જન્મ જન્માન્તરના પ્રિય સ્નેહી ! શેઠ શ્રી. વિઠ્ઠલદાસ ઠાકરદાસ સાથે પરામશ થતું હતું કે તેઓશ્રી ઉપાધ્યાયજીની ચિંતા દુર કરવા ગુજરાનવાલા તાર કરીને. જણાવે કે ગુરુકુળ પંજાબ હમેશાં તેમની પ્રિય સંસ્થા રહેશે ને દિન પ્રતિદિન વૃદ્ધિ પામશે. ખારથી વિહાર કરી શાન્તાક્રુઝ આવ્યા ત્યાં શ્રી વિઠ્ઠલદાસ શેઠ મળવાના હતા. તેઓ આવ્યા. તેમણે પિતાને ત્યાં ટેલીફોન પર માણસ બેસાડો કે શાન્તાકુઝથી હું જે સંદેશે કહેવરાવું તે ગુજરાનવાલા તારથી જલદી મેકલ. વાતચીત થઈ.
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૭૨
ધર્મવીર ઉપાધ્યાય
અને સંદેશા મેાકલવાનું નકકી કર્યું, કે ઉપાધ્યાયજીને લખી દેવું કે આત્માનંદ ગુરુકુલને આજન્મ હું સહાચતા કરીશ--પણ ભાવી તે જુદુ જ હતું. ટેલીફોન પર જે માણસને બેસાડવામાં આવ્યા હતા તે કાČવશ બહાર ગયા હતા. સાન્તાક્રુઝમાં ટેલીફોન માટે એ ચાર જગ્યાએ તપાસ કરી પણ વ્યવસ્થા થઈ શકી નહિ. છેવટે જ્યારે મુંબઈ થી ગુજરાનવાલા સમાચાર માકલ્યા ત્યાં તે પ્રિય ધર્મબંધુ ! ઉપાધ્યાયજી ! તારા હુંસ આ પિંજરને છેડી પરલોકવાસી થઈ ગયા હતા.
અહીં મારી દશા જળ વિનાના મીન જેવી હતી. રાત્રિભર ચિંતામાં રહ્યો--સવારે અનિષ્ટ સમાચાર મળ્યા. હું પાગલ જેવા થઈ ગયા. મતિ મુઝાઈ ગઈ. મારા પ્યારા આંખાના તારા ! તને યાદ કરી કરી હું અશ્રુ સારવા લાગ્યા.
પ્રિયબ! મેં' નહોતું જાણ્યું કે જાલ ધરમાં આપણે
ભેટયા--આગ્રહપૂર્વક તમે મને રોકયા. તમે જાલ'ધર આવી પહેચ્યા અને આપણે બન્નેએ પ્રેમતરુનું ખૂબ ખૂબ સિ'ચત કર્યું. આત્મા એક બની ગયા--શરીર ભિન્ન રાખ્યાં. તે છેલ્લે મિલાપ હતા. તે રાત્રિ તે સમાજ ઉત્થાનની વાતા-ગુરુદેવની ભકિતનાં ગાન-પંજાબ માટે અલિ થઈ જવાની તારી તમન્ના ! આજે બધુ યાદ આવે છે. ધર્મવીર ! તારાં કાચ——તારી સેવા-—તારી ભાવના
Page #217
--------------------------------------------------------------------------
________________
સ્નેહાંજલી
૧૭૩ --તારા મનોરથો બધું આજે પણ આંખ સામે તરવરે છે. તારી મનહર છબી આ હૃદયમાં જડેલી જણાય છે.
ધન્ય તારી ભક્તિ! ધન્ય તારું જીવન! કેણ જાણે કેટલા દિવસ સુધી હું બેચેન રહ્યો.
શ્રી ડાહ્યાભાઈ ઘેલાભાઈ એ એંસી હજાર રૂપીઆ ખરચી એક સેનીટેરીયમ માટે મકાન ખરીદ્યું હતું, પણ દાનવિધિ બાકી હતું. તેમણે વિનતિ કરી કે આપ આઠ દિવસ રહી જાઓ તે આ મકાન લેકહિતને માટે આપું––ઉત્સવ શરૂ થયે. પૂજા શરૂ થઈ, હજારે લેકે આવવા લાગ્યા. સ્વામી વાત્સલ્ય થયું અને આ ઉત્સવથી મારે ઉદ્વેગ કાંઈક શમે.
વિહારની તૈયારી કરતા હતા ત્યાં અંધેરીના શેઠ શ્રી ભેગીલાલ લહેરચંદના મકાનની વાસ્તુપૂજા માટે આગ્રહ પૂર્વક નિમંત્રણ આવ્યું અને અંધેરીમાં પૂજા વગેરે કાર્ય થયાં. ત્યાંથી સૂરત વડેદરા થઈ અમદાવાદ આવ્યા.
અમદાવાદના શ્રી શેઠ વાડીલાલ સારાભાઈ મુંબઈ મળ્યા ત્યારે તેમણે મહાવીર વિદ્યાલયને એક લાખ રૂપીઆ આપવા માટે હાર્દિક ભાવના દર્શાવેલી. અમદાવાદ આવતાં શ્રી મેતીચંદભાઈનો પત્ર મળે કે હું શ્રી. નગીનદાસ, કરમચંદના ઉદ્યાપનમાં જાઉં છું, પણ મુંબઈ અગત્યનું કામ હોવાથી શ્રી વાડીલાલભાઈને મળી શકી નથી, આપ જરૂર મળશે. તેઓ આમલી પળની ધર્મશાળામાં આવ્યા. તે પ્રસંગે ઝવેરી ભેગીલાલ તારાચંદ લસણીયા, વકીલ
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ધર્મવીર ઉપાધ્યાય
કેશવલાલ પ્રેમચંદ મેાદી, શેઠ સારાભાઈ મગનભાઈ આદિ સજ્જનાની હાજરીમાં તેએએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને રૂપીઆ એક લાખ આપવાના નિશ્ચય દર્શાવ્યેા. અમદાવાદથી પાટણ ગયા અને અનેક મુનિ મહાત્માઓનાં દશન થયાં.
આ બધાં કાર્યોથી પ્રિય આત્મન્ ! તારી સ્મૃતિ તે ન ભૂલી શકાઈ—સારાં કાર્યાથી મન જરા હલકું થયું પણ તારી એ સૌમ્ય મૂર્તિ યાદ આવતાં હૃદય આજે પણ વ્યગ્ર થઈ જાય છે.
પ્રિય સોહન ! આજે પણ તારા પ્રેમ, તારી ગુરુભક્તિ, તારે। વિનમ્ર સ્વભાવ, ૫ જામના ઉત્થાન માટેની તારી જહેમત અને તારાં કાર્યો યાદ આવ્યા કરે છે.
જુદાઈ તેરી કિસકા મજૂર હૈ, જમીન સખ્ત આસમાન દૂર
Page #219
--------------------------------------------------------------------------
________________
અંતિમ
ભાવના
“ભાઈ, કાલની કોને ખબર છે? જે થાય તે કરી લઉ. શરીરના શે ભરાસા ! મનમાં તે ઘણાંએ સ્વપ્નાં ઘડી રાખ્યાં છે. પન્નખભરમાં ગુરુદેવના પ્રચારનું ખીડું મારે જ માથે છે. ગુરુદેવને નિશ્ચિત કરવાનું પણ ધાયું છે, અને મહાસભાદ્વારા પજાઅની કાચાપલટ પણ વિચારી છે. પણુ શરીર થાકી ગયું છે. કેટલા દિવસ ચાલશે તે શકા સ્પદ છે.”
[અંતિમ સમયના ઉદ્ગારા
Page #220
--------------------------------------------------------------------------
________________ अत्ता हि अत्तनुबंधु સરળ ફ્રિ અણનો મિત્તા આચારાંગ શાત્મિા જ આત્માનો મધુ અને મિત્ર છે; સહાયક અને સલાહકાર છે. આત્મા આત્માથી જ સભર છે. એની સેવાને, એની કલ્યાણકામનાને એની સિદ્ધિરિદ્ધિને માપવા દુન્યવી માનસમાંનનાં ત્રાજવાંની જરૂર નથી. આત્મા સાથેની સહજ એવી એની તન્મયતા એને સ્વયંભૂ સેવા તરફ લઈ જાય છે. સર્વ ધ મ” સમન્વય-સર્વભૂતની સેવા એજ એને રાહે હોય છે. ત્યાં લેક્રસેવા, ધમસેવા, વણ સેવા એવા જુજવા ભેદ રહેતા નથી. જેમ તમામ સરિતાએનાં નીર આખરે તે સાગરરૂપમાં પરિણમે છે; એમ એની નાનીમોટી તમામ સેવાઓ આખરે એકજ કલ્યાણ માગની પ્રવાસી બને છે. આવી સેવાને માનપાના ગભારા ઉત્તેજી શકતા નથી. ઢોલનગારાં જાહેર કરી શકતાં નથી. એ તે આપમેળે કુરે છે. આપમેળે શોભે છે. કારણ કે ઉચ્ચ આત્માને એ સાહજિક ગુણ છે. એવા આત્માઓને વગર માગ્યાં વંદન મળે છે. જયભિખુ એ૩લાસ પ્રિટરી, અમદૃાવાદ.