SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય જીવન ૨૯ દીક્ષા મહોત્સવ પછી રાધનપુરથી સુપ્રસિદ્ધ શેઠ મેતીલાલ મુળજીને શ્રી સિદ્ધાચળને સંઘ નીકળે, તેમાં ગુરુદેવની સાથે પાલીતાણા ગયા અને તીર્થાધિરાજનાં દર્શન કર્યા. પાલીતાણામાં ફરી પાછી તબિયત લથડી. તે પણ હિંમત કરી ગુરુદેવ સાથે ભાવનગર ગયા. ત્યાં ગુરુકૃપાથી એક અનુભવી વૈદ્ય મળી ગયા અને રોગ મૂળથી ગયે. અહીં પૂજ્યપાદ ગણિ શ્રી મુક્તિવિજયજી (શ્રી મૂલચંદ મહારાજ) મહારાજના પટધર આચાર્ય શ્રી વિજયકમલસૂરિજી મહારાજના હસ્તકમલથી શ્રી ગુરુદેવની સમક્ષ મુનિ શ્રી મિત્રવિજયજીની વડી દીક્ષા થઈ અહીંથી વિહાર કરી ગુરુદેવની પવિત્ર જન્મભૂમિ વીરક્ષેત્ર વડેદરામાં આવ્યા અને ૧૯પનું ચેમાસુ ગુરુદેવની પવિત્ર સેવામાં વ્યતીત થયું. વડેદરાના ચોમાસામાં ગુરુ મહારાજના ગુરુભાઈ મુનિશ્રી મેતીવિજયજીની પાસે મહારાજશ્રીએ ઉત્તરાધ્યયન અને આચારાંગસૂત્ર વગેરેના યેગનું વહન કર્યું. ચાતુર્માસ પછી ગુરુમહારાજના ગૃહસ્થાશ્રમના વડીલબંધુ શ્રી શેઠ ખીમચંદ દીપચંદે કાવી ગન્ધાર તીર્થન સંઘ કાઢયે. તેમાં ગુરુમહારાજ સાથે જવાનો લાભ મળે. તીર્થયાત્રા કરી ભરૂચમાં મુનિસુવ્રતસ્વામીનાં દર્શન કરી શ્રી જગડીયા તીર્થની યાત્રા કરી ગુરુમહારાજની સાથે સૂરતમાં આવ્યા. સૂરતમાં પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ, શાન્તભૂતિશ્રી હંસવિજયજી મહારાજ આદિ ૪૦ મુનિરાજોના
SR No.022907
Book TitleDharmvir Upadhyay Sohanvijayji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1942
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy