SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ રાજદ્રોહની ગ ધ બહેનભાઈઓ આવ્યાં હતાં. રથયાત્રાને વરઘોડે બહુ જ ઠાઠમાઠથી નીકળે હતો. સરકારી બેંડ, જુદા જુદા શહેરની ભજનમંડળીઓ વગેરેથી નગર આખું શેભી રહ્યું હતું. હજારો માણસ જલ્સ જેવા આસપાસનાં ગામેથી આવ્યાં હતાં. ભગવાનની પાલખીને નગરજને વધાવતાં હતાં અને ભાવિકજને રૂપિયા ને નારિયેળ ચડાવતાં હતાં. આ ઉદ્યાપન પ્રસંગે લગભગ પંજાબને શ્રીસંઘ સમસ્ત પ્રસંગે આવ્યું હતું. આગેવાનો પણ હાજર હતા. તે મહારાજશ્રીએ વ્યાખ્યાન આપ્યું તે આજે પણ પ્રત્યેક પંજાબી ભાઈબહેનના હૃદયમાં ગુંજે છે. “પંજાબ શ્રી સંઘના સમસ્ત ભાઈબહેને, યુવકે અને હિતચિંતકો, સમાજપ્રેમી અને શિક્ષણપ્રેમી સજજનો ! યાદ છે ગુરુવર્યની પ્રતિજ્ઞા ! યાદ છે ગુરુકુળની યેજના ! ગુરુમહારાજને પંજાબ માટે કે અસીમ પ્રેમ છે તે જાણે છે? તેમના ત્યાગની વાતો તમે સાંભળી છે? આખા યે પંજાબની સૂરત બદલવાન એ મહર્ષિના કોડ છે તે ખ્યાલમાં છે? ગુરુકુળ દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાના ગુરુદેવના અભિલાષ હું અને મારે આત્મા જ જાણે છે. સ્વર્ગવાસી ગુરુદેવ શ્રી આત્મારામજી મહારાજની અંતિમ ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવાની ગુરુવર્યની ઈચ્છા છે. પંજાબ શ્રી સંઘ શું જવાબ આપે છે? પંજાબના ભાઈબહેને પિતાના આ પરમ પ્રિય ગુરુકુળ માટે કયારે દાન વર્ષા વરસાવે છે? સાંભળે, બરાબર સાંભળે ! આજથી મારે પણ છ વિગયને ત્યાગ છે અને આહારમાં માત્ર પાંચ દ્રવ્ય જ રાખીશ.
SR No.022907
Book TitleDharmvir Upadhyay Sohanvijayji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1942
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy