SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ધર્મવીર ઉપાધ્યાય શ્રી પર્યુષણ પર્વમાં શ્રી કલ્પસૂત્રને વરઘેડે બહુ ઠાઠમાઠથી નીકળ્યા. જ્યારે વડે બજારમાં આવે ત્યારે મહારાજશ્રીએ દઢ કલાક શ્રી પર્યુષણ પર્વ અને કલ્પસૂત્ર વિષે ઉપદેશ કર્યો. જનતા પર તેને ભારે પ્રભાવ પડે. આ દિવસમાં જડિયાલામાં અકાલી સિની એક પ્રાંતીય કોન્ફરન્સ હતી. સિખ નેતાઓ સિવાય બીજા પણ દેશ નેતાઓ આવ્યા હતા. લગભગ દસ હજાર મનુષ્યને સમુદાય હતો. સિખે ભાઈઓના આગ્રહથી મહારાજશ્રી કોન્ફરન્સમાં પધાર્યા. સભાપતિના અનુધથી ત્યાં આપે સંગઠનના વિષય ઉપર એક મનહર અને શિક્ષાપદ ઉપદેશ આપે. આપના ઉપદેશથી શ્રેતાએનાં હૃદયકમળ એકદમ ખીલી ઊઠયાં અને ચારે તરફથી ભારત માતાની જય અને જેનધર્મની જય તથા સત શ્રી અકાલના નાદથી પેડેલ ગુંજી ઊઠયે. આપની પછી ડાકટર કિચલું આદિ દેશનેતાઓએ આપના વિષે આદરણીય શબ્દોને પ્રયોગ કરીને કહ્યું કે અમને આજે જ માલુમ પડ્યું કે જૈન સમાજમાં પણ આવાં અમૂલ્ય રત્ન ભર્યા છે. કાર્તિક સુદ પુનમના રોજ શ્રી સિદ્ધાચળના પટના દશનાથ સમસ્ત સંધની સાથે આપ બહાર પધાર્યા. ત્યાં આપે શ્રી સિદ્ધાચળ તીર્થની મહિમાનું વર્ણન કર્યું. એ સાંભળી ઘણા લોકોએ સિદ્ધાચળ તીર્થની યાત્રા કરવાના નિયમ ગ્રહણ કર્યા. આ રીતે આપનું ચાતુર્માસ જડિયાળામાં આનંદપૂર્વક સમાપ્ત થયું. આપનું ચાતુર્માસ લા. વિરૂમલ લોઢા અને લાલા હંસ
SR No.022907
Book TitleDharmvir Upadhyay Sohanvijayji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1942
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy