SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ડીઆરા સારા નામ જ શા 7 ત્યાં થી જ ૧૮ ધર્મવીર ઉપાધ્યાય પિતાના જીવનદાતાને આભાર માની સહનવિજય ઉપાશ્રય તરફ ચાલ્યા. માત્ર ચોળપટ્ટો પહેરેલે અને બે દિવસની ખાડાની હવા ! ખાવાનું તે નામ જ શાનું ! પાણી પણ મળેલું નહિ. કઠીઆરા સાથે શહેર તરફ આવતા હતા ત્યાં શ્રી સંપતવિજયજી મહારાજશ્રીએ દૂરથી જોયા અને ઉપાશ્રયે દેડી આવ્યા. આ સમાચાર સાંભળી સૌને જીવમાં જીવ આવ્યો. શ્રી લલિતવિજયજી કપડાં વગેરે લઈને ઉપડ્યા અને તેમને ક્ષેમકુશળ જેને ભેટી પડ્યા. ઉપાશ્રયે આવ્યા ને બધા સાધુઓ તેમને જોઈને આનંદાશ્રુથી ભેટી પડ્યા. સંસારકૂપના પ્રતીક સમા પોતાના આ સામાન્ય કૂપની વીતક કથા કહી સંભળાવી. પિતે સમુદાયને જોઈને હર્ષિત થયા. દરબારમાં તથા શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીમાં આ વાતની ખબર પડી એટલે ભાટ લેકે પ્રત્યે તિરસ્કાર ઉત્પન્ન થયે. જૈન સમાજમાં એક જાતના મોટા વિરોધની હવા પ્રસરી; પણ શાંતમૂતિ શ્રી હંસવિજયજી તથા શ્રી લલિતવિજયજીએ શાન્તિપૂર્વક આખા પ્રકરણને સમેટાવી દીધું. વિક્રમનું એ ૧૯૬૧નું વર્ષ હતું. દીક્ષા પછી મહેસાણા અભ્યાસની વ્યવસ્થા ન થઈ શકવાથી, પાલીતાણા આવી અભ્યાસ કરવાની ઈચ્છા હેવાથી શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજ પાસે પાલીતાણું આવ્યા હતા, પણ આ ઉપસર્ગ બન્યા. ભાવી અવશ્ય બન્યા વિના રહેતું નથી. પણ કટી થવાની હોય ત્યારે એક રીતે થતી નથી.
SR No.022907
Book TitleDharmvir Upadhyay Sohanvijayji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1942
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy