SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મવીર ઉપાધ્યાય ચાતુર્માસની સમાપ્તિ થયા પછી મુનિશ્રી સમુદ્રવિજયજી અને શ્રી. સાગરવિજયજી અને શિષ્યાને સાથે લઇને મુ.બઇથી વિહાર કર્યાં.મુંબઇથી અગાસ, વલસાડ, બિલીમેારા અને સૂરત વગેરે નગરેામાં પ્રચાર કરતા કરતા તે પાલેજ પધાર્યા. ૪૬ અહીં સ્ત્રીશિક્ષાના વિષય પર મહત્વપૂર્ણ વ્યાખ્યાન આપ્યાં. લેાકેા પર સારે પ્રભાવ પડયો. આ ઉપરાંત તેઓશ્રીના ઉપદેશથી અહીંના શ્રી સંઘ તરફથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સારી રકમની સહાયતા મળી. અહીથી વિહાર કરી મીયાંગામ, પાદરા, દરાપુરા વગેરે ગામામાં વિચરતા વિચરતા શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજ તથા પ. શ્રી સપવિજયજી મહારાજના દનાથે મુજપુરમાં આવ્યા. અહીથી વડેદરા આવ્યા. ગુરુદેવ મુંબઈથી આવવાના હેાવાથી તેમની સેવામાં પાલેજ સુધી ગયા અને ત્યાંથી જુદાજુદા ગામનગરેશમાં વિચરતા માતરમાં સાચા દેવ શ્રી સુમતિનાથ સ્વામીની યાત્રા કરી અમદાવાદમાં આવી પહેાંચ્યા. અહી મુંબઇનિવાસી શેઠ ચાંપસીભાઈના સુપુત્ર શ્રી. લાલચને શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજશ્રીની અધ્યક્ષતામાં ગુરુ મહારાજના શુભ હસ્તે દીક્ષાસંસ્કાર થયા અને રિવિજય નામ રાખવામાં આવ્યુ. તેમને તેઓશ્રીના શિષ્ય બનાવવામાં આવ્યા. આ દીક્ષામહાત્સવ વિ. સ. ૧૯૭૪ના વૈશાખ શુદ ૬ના દિવસે થયેા. ગુરુદેવની આજ્ઞા થઈ કે ઉદયપુરના શ્રીસંઘની વિનતિ
SR No.022907
Book TitleDharmvir Upadhyay Sohanvijayji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1942
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy