________________
ભૂલો બચાવ બગાડે અને ભૂલને સ્વીકાર જગાડે. [ ૬૭
નૂતન મુનિ ! સાધુ જીવનમાં બાવીસ પરિષહ છે. પણ બધા રેજના મહેમાન નથી. કેટલાંક કયારેક જ દેખા દે છે પણ અલાભ પરિષહ તે રેજ દર્શન આપે છે. રાગ-દ્વેષ છે એટલે કર્મ છે. કર્મ છે એટલે જન્મ છે. જન્મ છે એટલે શરીર છે. શરીર છે એટલે તેને ઢાંકવા વસ્ત્ર અને શરીરને લીધે વળગી રહેલા પેટને શાંત કરવા આહાર જોઈએ. આહારને ગ્રહણ કરવા પાત્ર જોઈએ. સાધુને પિતાને પોતાની નાની શી સાધના કરવા પણ એક નિવાસ જોઈએ. વસતિની જરૂર પડે. કયારેક ખપ પૂરતું અન મળે તે વાપરવા સમી વસતિ ન મળે. કયારેક આહાર મળી શકે તેમ હોય તે લાવવા માટે પાત્ર ન હોય. સાધુ. માત્ર સંયમ ગુણોને જ ઉત્પાદક છે. કેઇ પણ ચીજ એ ઉત્પન્ન કરતો નથી. પખંડનો ચકવતી સાધુ પણ કાનના મેલ કાઢવા જેવી સળીની કેઈની પાસેથી યાચના કરે છે. યાચના પૂર્ણ થાય ને મળે તે લાભ. પણ યાચના પૂર્ણ થાય તેવું હંમેશ ન બને અને તેથી અલાભ પ્રગટે ...પ્રગટે ને પ્રગટે...પણ આ અલાભ તેને પીડે નહિ, ગોચરીને અલાબૂ મનમાં દીનતાનો લાવારસ પિદા કરે છે. વિષાદની માઝા- વધી જતાં સંયમની ધરા ધ્રુજી ઊઠે છે. ભયંકર ધરતીકંપ થાય છે. સંયમની પૃથ્વી ઉપર બાંધેલ ધર્યના મંદિરમાં તડ પડે છે. ક્યારેક જમીનદોસ્ત પણ થઈ જાય છે. ગોચરી ના મળી તે દીનતા શાની? તું ગોચરી લેવા ગયે તે એ વાત સાચી. પણ આહાર એકઠો કરવા ગયે હતું એ વાત ખોટી. પાત્રા ભરવા ગયા હતા તે વાત એટી. ગેચરી મળી કે ના મળી એ મહત્વની વાત નથી. કેઈએ આહાર વહોરાવ્યું કે નહીં તે તારે વિચારવાનું નથી. તારે એક જ વિચારવાનું મેં ધર્મલાભન પ્રદાન કર્યું કે નહિ?