________________
દુન—સજ્જનની સાત્વિકતાને શુદ્ધ કરનાર
[ ૩૬૭
પણ, તેની સાથે ય સુખચેનથી રહી શકીશ નહિ. વન— વાટિકા બધુ ખરુ.. પણ તને કયાંય બે ઘડી આરામ નહિ ! તાફાન કરીશ તેા દેવેન્દ્રના વજાના આકરા પ્રહાર સહનકરવા પડશે ! રુદન કરી તું નંદનવનને શેકવન અનાવી દ્રુશ પણ તારી સજામાં કોઇ ફેરફાર નહિ થાય ! “ કારણ તે સાધુજીવનમાં ગુસ્સે કરેલ છે. સહુવતી સાધુને સતાવેલ છે !
સાધક ! તારા ઉપર ભાવ દયા આવે છે. તેથી તને કહું છું. તારા સમતાના સ્વભાવનું તું પ્રગટીકરણ કર ! દુસ્તર સંસારસાગર તર્યાં. સ્નેહનાં બંધન તાડ્યાં. સુકામલતા અને સુંવાળાશ છેડીને કાયિક કષ્ટ સહન કરે છે. અગ્નિને અડકતા નથી તે મનમાં ગુસ્સાની આગ શા માટે સદા પ્રજવલિત રાખે છે? ગૃહસ્થના ઘરમાં પણ ર.ત પડે અને ચૂલા શાંત થાય. આગ ઓલવાઈ જાય. તુ' સાધુ અને પ્રતિક્રમણ કરે તે આગ શાંત ન થાય ? સ્વાધ્યાય રૂપ નાગક્રમની રત્નથી પણ ગુસ્સા રૂપ સર્પ' ઝેર તારું' ના ઊતર્યું ...? ! સચારા પારિસી ભણાવી અને કષાયના કાળાતરા સાપનું ઝેર ના ઊતર્યું? સદ્ગૃહસ્થ વાસી અન્ન ન ખાય અને તું સાધુ થઈ ને ગઇકાલની વાત આજે યાદ કરીને લડે ? ના...અને...પ્રભુના સાધુ સમતાના સાધક ! મૈત્રીભાવમાં મહાલતા. મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવનાની પ્રબળ અસરમાં નહિ રહે તે, આવી ભયકર ભાવના તારી સાધુતાને ભરખી જશે ! શાસ્ત્ર અધ્યયનમાં નિરત ખન. પ્રજ્ઞાનીની સેવામાં મસ્ત અન !