________________
૨૯૨ ] કરેલી આરાધનાને છેદ કરે તેનું નામ ખેદ
ઉપકરણને પરિગ્રહ કહે તે પરમાત્માને વિરોધી કહેવાય. ઉપકરણનું મમત્વ તે પરિગ્રહ. મમવ સૌથી અધિક શરીર ઉપર. જગતની કેઈપણ વ્યક્તિ શરીર વગર જીવી શકે નહિ અને જીવન વગર સાધના થાય નહિ. માટે જેમ સાધના માટે જીવન જરૂરી જીવન માટે શરીર જરૂરી... શરીર માટે ઉપકરણ જરૂરી
પરમાત્માએ સાધકને ઉપકરણ ફરમાવ્યા પણ તે કેવા જોઈએ? કેટલાં જઈએ? શા માટે જોઈએ? વિધિપૂર્વક પ્રાપ્ત થયેલ ઉપકરણથી શું લાભ? અવિધિપૂર્વક મેળવેલ ઉપકરણથી શું નુકશાન? આ બધાનું વિશદ વિવેચન આગમ ગ્રંથમાં છે. તેમાં પણ આચારાંગ સૂત્રમાં ખાસ આ વિષયની સૂક્ષમતાથી ચર્ચા કરેલ છે. તે
પ્રત્યેક સાધકે પ્રભુએ કહેલ ઉપકરણનો ઉપયોગ કરવું જોઈએ. પ્રભુએ કહેલ પ્રમાણથી જૂનાધિક ઉપકરણ ન વપરાય. નહિતર આજ્ઞાભંગને દોષ લાગે.
આશા રાદ્ધ વિરાદ્ધ ચ, શિવાય ચ ભવાય ચ” સ્થવિર કલ્પી મુનિ ઉપકરણ ન રાખે તે દેવ, સ્થવિર કલ્પી મુનિ ઉપકરણ ચૂનાધિક રાખે તે દોષ સ્થવિર કલ્પી મુનિ ઉપકરણ ન સાચવે તે દેષ, સ્થવિર કલ્પી ઉપકરણને દુરૂપયોગ કરે તે દેષ, વસ્ત્ર–પાત્ર રાખવાના, પણ ફૂટે તૂટે તે વિરાધના...