________________
૬૬ ] રાગ અને દ્વેષની વચ્ચેની જગા તેનું નામ સમ (સમતા) કષ્ટ આપી ધર્મલાભ કહીને બીજા કેઈના ઘરે ઊભે રહીશ. એક ઘરે નહિ, અનેક ઘરે જઈશ, ચાલી ચાલીને..ફરી ફરીને તારા પગ ભરાઈ જશે પણ તારા પાત્ર ખાલી રહેશે ત્યારે મન મર્યાદા મૂકી વિચારવા લાગશે. તારા મનમાં શું વિચારે આવશે કહું? હું કહીશ ત્યારે તું મને કહીશ, “ શું હું આટલે દુષ્ટ છું? મને આવા વિચારો આવે એવી તમે કલ્પના કરે છે?”
ના “તું દુછ નહિ, તું સાધુ”...પરિષહથી થાકેલું, અનુકૂળતા ચાહતું મન, તારી પાસે આવા પાપ વિચાર કરાવે. તેથી જ તને કહું છું, મનની વિચિત્રતા સમજી લે. તોફાની નદી ઉપર બંધ બાંધી શકાય? સમુદ્ર ઉપર પુલ બાંધી શકાય? પ્રકૃતિને કાબુમાં રાખી શકાય તે મનને કેમ નાથી ના શકાય !!! હું તને જે કહું છું તે હતાશ કરવા નહિ, નિરાશ કરવા નહિ, પણ્ બમણી શક્તિ મેળવવા. તારા ઉત્સાહની ઉપાલંભ દ્વારા વૃદ્ધિ કરવા, મારે તે તેને એક જ મંત્ર ભણાવે છે, અલાભે તે ન તજએ.” અલાભ સાધુને કદી પીડે નહિ પણ અલાભના સમયે શું શું વિચાર આવે છે? આ વિચાર ઉપર વિજય મેળવવા તારે સજજ રહેવું પડશે તે જ વિજયી બનીશ. આ જ મારે સમજાવવું છે તું સગ્ય છે માટે હિતશિક્ષા આપું છું.
ગણધર ભગવંત હું સુગ્ય છું કે નહિ તે મને ખબર નથી પણ એક વાત મારા હૃદયમંદિરમાં સુવર્ણાક્ષરે મંડિત છે, કેતરાયેલી છે, આલેખાયેલી છે, આપની હિતશિક્ષા મને જરૂર સુગ્ય બનાવશે, આપે કૃપા કરી અને શિષ્ય બનાવ્યા હવે સુશિષ્ય બનવા હિતશિક્ષા ફરમાવે. .
સાધક! સાધન પ્રાપ્તિથી સિદ્ધિ સહુ કરે પણ સાધનની અપ્રાપ્તિથી સિદ્ધિ કરવાનું તે વીતરાગના શાસનમાં જ મળે.