________________
સમારેહના અતિથિવિશેષ શ્રીમાનું વસનજી લખમશી ઘેલાભાઈ દાન, દયા, પરોપકાર તથા સેવાલક્ષી વિવિધ પ્રવૃત્તિઓને લીધે શ્રીમાન વસનજીભાઈ માત્ર કચ્છી સમાજમાં નહિ, પણ મુંબઈના સારાયે ગુજરાતી સમાજમાં ખૂબ લોકપ્રિય બનેલા છે. કચ્છ-દુર્ગાપુરનિવાસી વીશાઓસવાલ જ્ઞાતીય પિતા લખમશીભાઈ અને માતા રતનબાઈની શીળી છાયામાં ઉછરતાં તેમને ધાર્મિક સંસ્કાર સારા. પ્રમાણમાં મળેલા છે. તેમના દાદીમા શ્રી મેઘબાઈમાતા કે જેઓ. ધર્મપરાયણ ઉચ્ચકોટિનું જીવન જીવતાં હતાં અને જેમને આશરે બે વર્ષ પહેલાં મુંબઈ–ઘાટકોપરમાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ થયો, તેમની મીઠી નજરે શ્રી વસનજીભાઈને જીવનને સુસંસ્કાર અને સેવાવૃત્તિની સૌરભથી મહેકતું કર્યું છે.
કોલેજનું બે વર્ષનું શિક્ષણ લીધા પછી શ્રી વસનજીભાઈ પિતાની પેઢી મે. લાલજી પુનશીની કુ.માં જોડાયા છે જે અનાજ, તેલ અને તેલીબીયાંના કમીશનનું કામ મોટા પ્રમાણમાં કરે છે અને ભાત બજારની એક સહુથી જૂની પ્રમાણિક પેઢીની ખ્યાતિ પામેલી છે. ઉત્સાહ, ખંત અને ડહાપણભરેલા ચોકસ નિર્ણને લીધે અહી તેઓ સારી રીતે ઝળકી ઉઠ્યા અને વ્યાપારી-વર્ગ પર સુંદર છાપ પાડી શક્યા.
અનુક્રમે તેઓ ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલ સીડસ મર્ચન્ટ એસેસીએશનના મંત્રી બનેલા છે અને તે પદ સારી રીતે શોભાવી રહેલ છે. સને ૧૯૭૦માં તેઓ ઘી બોએ ઓઈલસીસ એકસચેન્જના ડિરેકટર બન્યા, ત્યાર પછી અખિલ હિંદ સેન્ટ્રલ ઓર્ગેનિઝેશન ઓફ ઓઈલ ઇન્ડસ્ટ્રી અને ટ્રેડમી મેનેજીંગ કમીટીના સભ્ય બન્યા તથા ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ, ઈન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડની