________________
લેખ સંગ્રહ : ૮ :.
[ ૬૭ ] ૧૬. જેમ બને તેમ જિંદગીની જરુરીઆતે ઓછી કરે જેથી વધારે પૈસા મેળવવા માટે રાત્રિદિવસ પ્રયાસ ન કરવો પડે.
૧૭. બોલવામાં એટલા બધા નિયમિત થઈ જાઓ કે જેથી અન્યને દુઃખ લાગે તેવું તે બોલાય જ નહીં.
૧૮. લખવામાં પણ એટલા જ સાવચેત રહે કે જેથી કોઈને દુઃખ લાગે તેવું લખવામાં તમારી કલમ જ ચાલે નહીં.
૧૯. અન્યને શ્રીમંત જોઈને રાજી થાઓ, પણ તેવા થવાની અભિલાષા ન કરો. ૨૦. જેમ બને તેમ ગુણ મેળવવાના પ્રયાસમાં જ તત્પર રહે.
જે. ધ. પ્ર. પુ. ૫૫, પૃ. ૭૬ ]
ઉત્તમ શૌચધર્મ. શૌચ એટલે પવિત્રતા–ઉજવળતા. જે બાહાદષ્ટિ જીવ છે તે દેહની પવિત્રતા-ઉજજવળતા માટે સ્નાનાદિક કરવું તેને જ શૌચ કહે છે. સપ્ત ધાતુમય, મળમૂત્રથી ભરેલી કાયા જળથી શુદ્ધ કેમ થઈ શકે ? જે જાતે જ અશુદ્ધ છે તે શુદ્ધ શી રીતે થાય ? ન થાય. કાળા કયલાને ગમે તેટલા સાબુથી ધેઈએ તો પણ શું તે ઊજળા થાય? ન થાય, તેમ આ દેહ પણ મળમૂત્રાદિકથી ભરેલ છે તે સ્વચ્છ પાણીથી ધતાં પણ પવિત્ર થાય નહીં. તેથી સ્નાન માત્ર કર્યાથી પવિત્ર થવાય છે એવી માન્યતા ભૂલભરેલી છે. ત્યારે પવિત્ર કેમ થવાય ? તેને ઉપાય બતાવે છે. ખરી પવિત્રતા આત્માની ઉજજવળતાથી થવા પામે છે. આત્મા, લોભ, હિંસાદિક પાપવડે મલિન થઈ રહ્યો છે; તે પાપમળને નાશ થવાથી આત્મા ઉજજવળ-પવિત્ર થાય