Book Title: Lekh Sangraha Part 08
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti
View full book text
________________
[ ૨૮૮ ].
શ્રી કપૂરવિજયજી ૯૮ હાથની ખરી શોભા, સુવિવેકથી સત્પાત્રને દાન દેવાથી થાય છે.
૯ ભુજબળે (પુરુષાર્થથી) ભવજળ તરાય તેથી પુરુષાર્થશાળીની ભુજાશોભા સમજો.
૧૦૦ નિર્મળ નવપદનું સ્થિર શ્રદ્ધાથી ધ્યાન ધરતા હૃદયશેભા લેખે.
૧૦૧ પ્રભુના અમૂલ્ય ગુણરત્નને કઠે ધારી, કંઠની ભારે શોભા કરી જાણે. - ૧૦૨ સદગુરુના ચરણની રજ શિર પર ધારી, એ રીતે ભાલશોભા કરીએ.
૧૦૩ અતિભારે મોહમળને સમ્યગ્રજ્ઞાન-ક્રિયાયોગે તેડી અક્ષયપદ વરીએ.
૧૦૪ દુનિયામાં સઘળા પાપનું મૂળ લેભ સમજી સંતોષવડે તેને જીતો.
૧૦૫ સઘળા રેગ રસવિકારથી થતા જાણ રસવૃદ્ધિલંપટતા તજવી.
૧૦૬ સકળ દુ:ખનું કારણ નેહ-રાગને સમજી, તેનાથી અળગા રહે તેની બલિહારી.
૧૦૭ નિજ કાયાને અશુચિભરી જાણ તેની મમતા તજવી.
૧૦૮ માયા-મમતા વર્જિત સરલ સ્વભાવી ભદ્રક પરિણામીને પવિત્ર લેખ.

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332