________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૯ ] વર્તના પરિણામોદિ લક્ષણ કાળ અને જ્ઞાનદર્શન લક્ષણવાળા જીવ જાણવા.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એ ત્રણ દ્રવ્યાથતાએ (દ્રવ્ય પણે ) એક એક દ્રવ્ય છે. પુદ્ગલ, કાળના સમયે અને જીવો અનંત છે. પ્રદેશાર્થતાએ ( પ્રદેશપણે) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને એક જીવના પ્રદેશ કાકાશના પ્રદેશતુલ્ય અસંખ્યાત છે. (લોક અને અલોક) આકાશના પ્રદેશ અનંતા છે, પરમાણુ સિવાયના પુદગલ+ (કંધ)ના પ્રદેશ સંખ્યાત, અસંખ્યાત અને અનંતા હોય છે. ધમસ્તિકાય અને અધર્માસ્તિકાય આખા લેકમાં (લકાકાશપ્રમાણ ) છે. અને આકાશ લેકમાં તેમ જ અલેકમાં પણ છે.
સૂર્યચંદ્રાદિકની ગતિકિયાવડે થયેલ સમય, આવળી, મુહૂર્તાદિક કાળ મનુષ્યલેકમાં જ પ્રવર્તે છે કેમકે તેથી આગળ સૂર્ય ચંદ્રાદિક સ્થિર–નિશ્ચળ છે ). પુદ્ગલેઝ અને છ સમસ્ત કાકાશમાં
+ આ લોકમાં અનંતા પુદ્ગલેની ચાર રાશિ છે. ૧ છૂટા પરમાણુ ઓની, ૨-૩-૪ સંખ્યાત, અસંખ્યાત અને અનંતા પરમાણુવાળા કંધેની એક એક રાશિ છે. ( ટીકા ઉપરથી )
જ ઉક્ત કથનવડે વ્યવહારિક કાળાવગાહ શાસ્ત્રકારે કહેલો છે. અને ભાવ-પદાર્થોના તે તે પર્યાયનો પ્રવર્તક મુખ્ય કાળ તો લોકવ્યાપી જાણો. ( ટીકા ઉપરથી )
* પૂર્વોક્ત ચારે રાશિવાળા (૧ છૂટા છૂટા અનંત પરમાણુઓ, ૨-૩-૪ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પરમાણુનિષ્પન્ન કંધે ) અનંતા પુગલે તેમજ અનંતા જીવો સંપૂર્ણ કાકાશમાં સમજવા. કાકાશના એક અસંખ્યાતમા ભાગમાં એક જીવ રહે છે. એ રીતે બે