Book Title: Lekh Sangraha Part 08
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 302
________________ લેખ સંગ્રહ : ૮ : [ ર૯૧ ] સર્વજ્ઞકથિત યથાસ્થિત તત્વ(વસ્તસ્વરૂપ)ને જે અવબોધ છે તેને સમ્યગ (યથાર્થ ) જ્ઞાન કહેવામાં આવે છે. તત્વ પદાર્થો તીર્થકર દેવોએ સાત કહેલા છે, તે આ રીતે –જીવ, અજીવ, આશ્રવ ૩ બંધ, સંવર, નિજરે અને મોક્ષ. જીવતત્ત્વ નિરૂપણ નામા પ્રથમ અધ્યાયઃ તેમાં જીવ બે પ્રકારના છે. ૧ સિદ્ધ અને ૨ સંસારી. ૧ સુખ દુ:ખ ઉપગ લક્ષણવંત છવ. ૨ તેથી વિપરીત લક્ષણવંત અજવ. ૩ જે વડે કર્મ આવે તે શુભાશુભ કર્મ ઉપાદાન હતુક હિસા; અસત્યાદિક આશ્રવ. ૪ જીવ કર્મને અત્યંત સંબંધ તે બંધ. ૫ સમિતિ ગુપ્તિવડે આશ્રવનિરાધ તે સંવર. ૬ સ્થિતિ પરિપાકથી કે તપથકી કર્મોનું અંશાતઃ ખપવું તે નિરા. ૭ સકળ કર્મ ક્ષયથકી સ્વ આત્મામાં અવસ્થાન તે મોક્ષ. ( ટીકા ઉપરથી.) + કૃતકૃત્ય થયેલા અથવા અપુનર્ણાવે કાચ પદ પામેલા અથવા બાંધેલા આઠે કર્મનો સર્વથા ક્ષય જેમણે કરેલું છે તે સિદ્ધ-પરમાત્મા કહેવાય છે. ૧ ચતુવિધ શ્રમણ સંધ ઉત્પન્ન થયે છતે જે સિદ્ધ થયા તે તીર્થસિદ્ધ અને ૨ તેના અભાવે સુવિધિનાથ પ્રમુખ તીર્થકરોના આંતરે ધર્મ વ્યવચ્છેદ થયે જાતિસ્મરણ દિવડે જેમને મોક્ષમાર્ગ પ્રાપ્ત થયે તે અતીર્થસિદ્ધ. ૩ તીર્થકર પદવી પામીને સિદ્ધ થયા તે તીર્થંકરસિદ્ધ અને ૪ તે પદવી પામ્યા વગર સામાન્ય કેવળી થઈને મોક્ષપદ પામ્યા તે અતીર્થકર સિદ્ધ. ૫ ગુરુના ઉપદેશ વગર સ્વયં બંધ પામીને સિદ્ધ થયા તે સ્વયંબુદ્ધ સિદ્ધ.

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332