________________
[ ૯૬ ]
શ્રી કપૂરવિજયજી
ઉપદેશમાળામાંના હૈયે ધરવા યાગ્ય અમૃતવચન,
૧ ઉપગાર કરવામાં જેની મતિ છે અથવા ઉપગાર જેને વિસરતા નથી—એવા એ જતા પૃથ્વીને ધારે છે અથવા એમના આધારે પૃથ્વી ટકી રહી છે.
૨ મહાન્ પુરુષાનાં હૃદય વા કરતાં કઠણ અને કમળ કરતાં કામળ હાય છે. સત્ય-નિપુણ પ્રતિજ્ઞા પાલનમાં મહુ મજબૂત છતાં દયા બહુ હાય છે.
૩ પાછલી અવસ્થામાં પણ વૈરાગ્યરગિત થઇ, ચારિત્ર ધર્મ આદરી તેનુ અખંડ પાલન કરે છે તે મહાનુભાવા શીઘ્ર ભવસાગરને તરે છે.
૪ જેમ ચક્રવર્તી ક્ષણવાર વિશાળ રાજયઋદ્ધિ તજી દે છે, તેમ અત્યંત દુ:ખિત છતાં માહાન્ધ ભિખારી ભિક્ષા માગવાનુ એક તુચ્છ ખપ્પર પણ તજી શકતા નથી.
પ નિષ્પાપ મનવાળા કેાઈને કશી પ્રતિકૂળતા ઉપજાવતા જ નથી.
૬ કેમકે તે પાપકર્મના કટુંક વિપાકને સારી રીતે સમજી શકે છે.
૭ સ્વાધીનપણે તપસયમવડે આત્માને ક્રમવા સારા, કેમકે એથી વધળ ધનાદિકવડે પરવશપણે દમાવું ન પડે, એટલું જ નહીં પણ આ લાકમાં અને પરલેાકમાં સુખશાન્તિ પમાય.
૮ જે અમૂલ્ય મહાત્રતાને તજી વિષયસુખને ઇચ્છે છે તે કમનશીબ સાધુ કેટિમૂલ્ય રત્ન વેચીને તુચ્છ કાકણી ખરીદી લે છે.