________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૧૯ ] ૭ જ્યારે આ જીવ મોહ પામીને ઈન્દ્રિયોની ઈચ્છા મુજબ વતે છે એટલે કે ઇન્દ્રિયને છૂટી મૂકે છે ત્યારે પોતાને આત્મા જ પિતાના દુ:ખનું બંધન કરનાર શત્રુરૂપ થાય છે.
૮ ઈન્દ્રિયે નિરંતર વિષયોમાં પ્રવતેલી જ રહે છે, પરંતુ જેઓ આત્માનું હિત કરવામાં તત્પર હોય છે તેઓ જ સત્ય જ્ઞાનની ભાવનામાં આસક્ત થઈ તે ઈન્દ્રિયોને વિષયેથી નિવર્તાવે છે.
૯ કિપાક ફળના આસ્વાદનની પેરે પરિણામે મહાદ:ખદાયી અને જોગવતાં ક્ષણમાત્ર મધુર જણાતા એવા વિષયસુખને કેવળ મિથ્યા બ્રાન્તિથી મૂઢ જીવ સાચા માની તેમાં પ્રવતી રહે છે અને ભવચક્રમાં ભમ્યા કરે છે. એથી સુજ્ઞજનોએ ચેતવું જોઈએ.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૪૭ ]
શુદ્ધ ઉપદેશ ૧ અન્ય પ્રાણી ઉભાગે જો હોય તો તેને તેવા ઉન્માર્ગ થી અટકાવ એગ્ય છે તે વિષયરૂપી ઉભામાં જતાં પોતાના મનને અવશ્ય આગ્રહથી (ચીવટથી) અટકાવવું જ જોઈએ, તેમાં તો શું કહેવું?
૨ અજ્ઞાનથી કે મોહથી જે કાંઈ પણ કુત્સિત (નિઘ) કામ થઈ ગયું હોય-કરાયું હોય તો તેવા કાર્યથી મનને પાછું વાળવું જોઈએ અને ફરીને તેવા અકાર્યમાં પ્રવર્તવા દેવું ન જોઈએ, અન્યથા તેનું માઠું ફળ પણ ભેગવવું જ પડશે.
૩ જીવ પોતે કરેલા પાપકર્મને જરાક પવવા જાય છે પણ તેનું ફળ તેને ભેગવવું જ પડે છે.