________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૧૩ ] ૪ જૂદા જૂદા ધમનુયાયીઓમાં અરસપરસ દેખાતા ધર્મ દ્વષ દૂર થાઓ, ભ્રાતૃભાવ સ્થાપિત થાઓ, સલાહ-સંપ કાયમ રહે અને દુર્ગણે દૂર થઈ સગુણને સંચાર થાઓ, એ અમારી ચોથી ભાવના છે.
૫ દુનિયાભરમાં આલસ્યને નાશ થાઓ, ઉદ્યમની વૃદ્ધિ થાઓ, વિદ્યાને વિકાસ થાઓ, સત્યને પ્રકાશ થાઓ અને એ રીતે ધર્મનો જય થાઓ. એ અમારી પાંચમી ભાવના છે. - ૬ ભવિષ્યની પ્રજા આપણું કરતાં આગળ વધો, આપણું કરતાં વધુ જ્ઞાન મેળવે, આપણા કરતાં વધુ સત્ય શેાધન કરે, િવદુના? આપણા કરતાં બળ, બુદ્ધિ, વિદ્યા, કળા, વિજ્ઞાન, વૈભવ, સુખ-સંપત્તિ, રંગ, રૂપ, હોંશ, હિંમત વિગેરે તમામ રૂડી બાબતમાં આગળ વધીને આપણા કરતાં વધુ આયુષ્ય ભેગો અને આપણા મૂકેલાં અધૂરાં કામેને પરિપૂર્ણ કરે તથા આપણે સ્વને પણ નહિ જોયેલી અજબ શોધ કરીને જગવિખ્યાત થાઓ, એ અમારી છઠ્ઠી અથવા છેલ્લી ભાવના છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૭ ]
સમકિત-રત્નની પ્રાપ્તિ દુર્લભ છે. ૧ ક્રોધાદિક કષાયનું ઝેર ટાળવા સમર્થ ઉપશમ–અમૃતનું સેવન કરવાની રુચિવાળા જીવને સમકિત-રત્ન ભાભી શકે છે. - ૨ ક્રોધાદિક કષાયની ભયંકરતા યથાર્થ સમજાતાં એવી ઉત્તમ રુચિ પ્રગટ થાય છે અને મિથ્યાત્વનું ઝેર દૂર થતાં જ