Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
વાવણી કરતો જ જાય. જ્યાં જાય ત્યાં પ્રસન્નતા વેરતો જાય. તમે બીજાને આનંદ તો જ આપી શકો, જો જીવો પર અપાર કરુણા હોય. કરુણા-હીન હૃદયવાળાને કદી દીક્ષા ન આપી શકાય. કદાચ આપી દીધી હોય તો ૨વાનો કરવો પડે. એક માખી મારવાની આદતવાળાને પૂ. બાપજી મ.ની આજ્ઞાથી ઉત્પ્રવ્રુજિત કરવો પડેલો.
સાધુના દ્રવ્ય-ચારિત્રનું પાલન પણ લોકોને કેટલો આનંદ આપે ? દક્ષિણમાં ગયા. અજૈન પ્રજા પણ એટલી પ્રસન્નતાથી ઝૂકે કે આપણે સ્તબ્ધ બની જઈએ ! ભગવાને કેવો ધર્મ બતાવ્યો ?
આ જીવનમાં આપણે બીજાને આનંદની જગ્યાએ ઉદ્વેગ આપીએ તો ? આપણા નિમિત્તે કોઈ ધર્મની નિંદા કરે તો ? પૂ.પં.ભદ્રંકર વિ.મ. કહેતા : ‘ચારે બાજુ લીલોતરીવાળી જગ્યા હોય, રોડ પર જ લીલોતરી વગરની જગ્યા મળતી હોય તો લીલોતરી ૫૨ બેસો, પણ રોડ પર નહિ.'
આપણા નિમિત્તે કોઈને ઉદ્વેગ થાય, એવું વર્તન થઈ જ કેમ શકે ? શાસનની પ્રભાવના માટે કદાચ પુણ્ય જોઈએ, પણ અપભ્રાજના રોકવા માટે એવા પુણ્યની જરૂર નથી. એ તો બધાથી થઈ શકે. એ બધાનું કર્તવ્ય છે.
સાધના અને પ્રાર્થના
હું કોઈપણ વસ્તુને ચાહું તેના કરતાં આત્માને ચૈતન્યમાત્રને વધુ ચાહું, એવું મારું મન બનો, એ શ્રેષ્ઠ સાધના અને પ્રાથના છે.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ *