________________
*
બે ઇંદ્રિય વિગેરે વિકસેન્દ્રિયનીકાળ સ્થિતિ સંખ્યાતા હજાર વર્ષની છે. પંચેન્દ્રિય, તિર્યંચ, તથા મનુષ્યની કાયસ્થિતિ સાત આઠ ભવ છે.. - પણ તે બધાની ભાવસ્થિતિ નીચે મુજબ છે –
પૃથ્વીની બાવીસ હજાર પાણીની સાત હજાર, વાયુની ત્રણે હોર, વનરપતિની દશ હજાર વર્ષની ઉષ્ટિ સ્થિતિ છે. અગ્નિકાયની ત્રણ રાત્રીદિવસ છે બે ઇન્દ્રિય શંખ વિગેરેની, બાર વર્ષની છે, ત્રણ ઈન્દ્રિય કી વિગેરેની સ્થિતિ ઓગણપચાસ દિવસની છે, ચાર ઈષિ ભમરા વિગેરેની છ માસની છે. પાંચ ઈન્દ્રિય તિર્યંચ, તથા મનુષ્યની ત્રણ પલ્યોપમની છે, દેવ, તથા નારકીની સ્થિતિ ભવસંબંધી તેત્રીસ સાગરોપમની છે, અને એકવાર ત્યાં ઉત્પન્ન થયા પછી લાગલગાટ ઉત્પત્તિ નથી; માટે કાયસ્થિતિ એકજ ભવની ગણાય. આ ઉપર જે સ્થિતિ બતાવી છે, તે કાયસંબંધી, તથા ભવસંબંધી અને પ્રકારે ઉત્કૃણ જાણવી જઘન્યથી તે બધાઓની સ્થિતિ અંતમુહર્તાની છે, પણ નારકી દેવતાની ભવસ્થિતિ દશ હજાર વર્ષની છે. આ બધું કાળને આશ્રયી કહ્યું; અથવા અધાસ્થાન તે સમય આવલિકા, સહસ અહેરાત, પક્ષ, માસ, ઋતુ, અયન સંવત્સર, યુગ, પલ્પેપિમ, સાગરોપમ, ઉત્સપિણી, અસપણ, પુજળપરાવર્તન, અતીત, અનાગત, એમ બધા કાળરૂપે જાણવું.
કે
*
*** *