________________
(૧૬)
તું જેતે નથી કે આ અતિદુર્લભ સંસાર સમુદ્રમાં
થએલા મનુષ્યને આગીઆના કીડાના પ્રકાશવા જેવું અથવા વિજળીના ઝબકારા જેવું સંસારી સુખ છે.
વળી શાસ્ત્રકાર કહે છે કે, શા માટે પ્રમાદ ન કરે ? સાંભળે. તારી વય ( ઉંમર ) દિવસે દિવસે વ્યતીત થાય છે. જુવાની ચાલી જાય છે. ! (મૂળ સૂત્રમાં વય અને જુવાની એક છતાં જુવાનીમાં મોહ થાય માટે તે જુદું બતાવેલું છે.) જુવાનીમાં. ધર્મ, અર્થ અને કામ ત્રણે સધાય છે. માટે, મેહમાં ન પડતાં. તેમાં ધર્મ સાધી લેગુરૂ કહે છે કે હે શિષ્ય.! તે જુવાની જલદીથી જાય છે.
કહ્યું છે કે.
"नहवेगसमं चवलं. चजीवियं जोवणं च कुसुम समी सोक्खं च अणिचं तिण्णिवि तुरमाण भोजाई॥१॥ | નદીના પૂર સમાન તારૂં જીવિત ચપળ છે. અને જુવાની કુલની સમાન. ( જલ્દી કરમાય તેવી.) છે સંસારીક સુખ અનિત્ય છે અને તે જીવિત જુવાની અને સુખ એ ત્રણે શીઘ ભોગવવાનાં છે. (જલ્દી વિતી જનાર છે).
આ પ્રમાણે માનીને સાધુએ વિચારવું કે. વિહાર કર. તે વધારે સારું છે. (જે સાધુઓ ચાલવાથી કેટલી એક જગ્યાએ પડી રહેતા હોય તેમણે ઉપરનું રહસ્ય વિચારવા જેવું છે.)