________________
(૨૭) હે બંધુ ! સર્વ સાધુઓને જળનું જ્ઞાન છે. તે કામ (સ્ત્રીને અભિલાષ) તેનું એક અંગ છે. તેથી નિષેધ કર્યો છે તે સાંભળો – '" स्नानं मद दर्पकरं, कामाङ्गप्रथमं स्मृतम् । तस्मात्कामं परित्यज्य, नैव स्नान्ति दमे रताः ॥१॥" - સ્નાન મદને દર્પ કરાવનાર છે, તથા કામનું પહેલું અંગ છે. માટે કામને છેડનારા બ્રહ્મચારી, અને દમનમાં રક્ત થયેલા છે તેઓ સ્નાન કરતા નથી. આ પ્રમાણે સ્વ અને પરસિદ્ધાંતને જાણનારે પરને ઉત્તર આપવામાં કુશળ હોય છે, તથા ભાવણ એટલે, ચિત્તના અભિપ્રાયને જાણ નારે છે કે, આ “દાન આપનાર કે, વ્યાખ્યાન સાંભળનારને આવે અભિપ્રાય છે. વળી પરિગ્રહ તે, સંયમમાં જોઈતાં ઉપકરણથી વધારે છે, તે ન લે, અને લેવાની પણ મનમાં ઈચ્છા ન રાખે; તેવા સાધુ કાળg, બળજ્ઞ, માત્રા, ક્ષેત્રજ્ઞ, ખેદજ્ઞ, ક્ષણશ, વિનયજ્ઞ, સમયજ્ઞ, ભાવઝ હોય તે પરિગ્રહને ગ્રહણ ન કરોગ્ય સમયે યેગ્યક્રિયાને કરનારે બને છે. .
. શંકા–પૂર્વે “કાળજ્ઞ' શબ્દમાં તે વાત આવી છે, અને અહીં ફરીથી કેમ કહે છે? - ઉત્તર–ત્યાં પરિઝાવડે જણવાનું છે, અને અહીંયાં કર્તવ્ય કરવાનું છે.