________________
(૨૪૨) ઉત્તર–સુખને અર્થિ તે વારંવાર અયુક્ત બોલે છે, અને કાયાથી દડવા-કુદવાની ક્રિયા કરે છે, અને પૈસે પદા કરવા ઉપાયેને મનથી ચિંતવે છે, તે કહે છે. ખેતી વિગેરે કરીને પૃથ્વીને આરંભ કરે છે, સ્નાન માટે પાણીને, તાપવા માટે અગ્નિને, ગરમી દૂર કરવા હવાને ( પંખાવડે ) તથા ખાવાને માટે વનસ્પતિ અથવા પશુ હત્યા વિગેરેને આરંભ કરે છે, આ પાપ કરનાર ગૃહસ્થ અથવા વેષધારી સાધુ રસને રસીઓ બનીને સચિત્ત લવણ વનસ્પતિ ફળ વિગેરેને ગ્રહણ કરે છે, તથા બીજી વસ્તુ પણ વાપરે છે, તે સમજી લેવું. - આ પ્રમાણે જે વધારે બેલના હય, તે પાપ કમથી બીજા નવા જન્મના દુઃખ રૂપી ઝાડનું કર્મ બીજ પણ વાવે છે, અને તેથી દુઃખના ઝાડનું કાર્ય પ્રકટ થશે, તે તેણે અહીં કર્યું. માટે આત્મીય (પિતાનું) કર્યું. અને તે પાપ કર્મના વિપાકને ઉદય થતાં મૂઢ માણસ પરમાર્થને ન જાણવાથી, ધર્મ કરવાને બદલે સુખને મેળવવા પ્રાણીને દુખ આપવાનાં કૃત્ય કરે છે, અર્થાત સુખને બદલે ભવિષ્યમાં પણ દુઃખજ પામશે. કહ્યું છે કે – "दुःखद्विद सुखलिप्सु, मोहान्यत्वाद दृष्ट गुणदोषः यां यां करोति चेष्टां तया तया दुःखमादत्ते ॥१॥"
દુખને દ્વેષી, સુખને ચાહક, માહથી આંધળે થવાથી