Book Title: Prabuddha Rauhineyam
Author(s): Rambhadramuni, Shilchandrasuri
Publisher: Jain Sahitya Academy
Catalog link: https://jainqq.org/explore/001461/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्री रामला गुनि छुवा प्रजुद्ध रौडिरोयम् ॥ ના विग्यतीतयन्द्रसूरि Page #2 -------------------------------------------------------------------------- ________________ प्रबुद्ध - रौहिणेयम् શ્રીરામભદ્ર મુનિ-રચિત સંસ્કૃત નાટકનો ગુજરાતી ભાવાનુવાદ અનુવાદક : વિજયશીલચન્દ્રસૂરિ પ્રકાશક : જન સાહિત્ય અકાદમી ગાંધીધામ ઈ. ૨૦૦૩ સં. ૨૦૫૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ PRABUDDHA ROUHINEYAM : Gujarati Translation of an ancient Sanskrit play by Rambhadramuni, Translated by Vijay Shilchandra Suri © સર્વાધિકાર સુરક્ષિત પ્રકાશક : જૈન સાહિત્ય અકાદમી C/o. કીર્તિલાલ હાલચંદ વોરા “નવનિધિ' પ્લોટ નં. ૧૭૪, સેક્ટર ૪ ગાંધીધામ (કચ્છ) ૩૭૦ ૨૦૧ • ટે.નં. (૦૨૮૩૬) ૨૩૧૯૯૧ પ્રથમ આવૃત્તિ : પ્રત : ૫૦૦ ઇ. ૨૦૦૩, વિ.સં. ૨૦૫૯ આવરણ ચિત્રઃ હરનીશ શાહ, માંડવી (કચ્છ) ટે.નં. ૨૩૩૩૨૩ મૂલ્ય : રૂ. ૬૦/ પ્રાપ્તિસ્થાન : ૧. આ. શ્રીવિજયનેમિસૂરીશ્વરજી જૈન સ્વાધ્યાય મન્દિર ૧૨, ભગતબાગ, નવા શારદામન્દિર રોડ, જૈનનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ૨. સરસ્વતી પુસ્તક ભંડાર ૧૧૨, હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ ૩. અક્ષર ભારતી ૫, રાજગુલાબ શોપિંગ સેન્ટર, વાણિયાવાડ નાકા અંદર, ભુજ – ૩૭૦૦૦૧ (કચ્છ) મુદ્રક : ક્રિષ્ના ગ્રાફિક્સ, કિરીટ હરજીભાઈ પટેલ ૯૬૬, નારણપુરા જૂના ગામ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩ • ફોન : ૦૭૯ - ૭૪૯૪૩૯૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ ડો. હરિવલ્લભ ભાયાણીને નાનુંયે મીઠડું કાર્ય થતું ક્યાંય નિહાળીને થાબડે પીઠ નિશ્ચ એ, વેરતા હાસ્ય-ફૂલડાં Page #5 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ પ્રકાશકીય સહિયારા મિત્રકર્મની નીપજ પ્રબુદ્ધૌહિણેય : પ્રશિષ્ટતાવ્યાપ્ત સંસ્કૃત નાટકનો અનુવાદ એક રસકીય અનુભવ (પ્રસ્તાવના) ભજવણીની દૃષ્ટિએ થોડુંક ઇતિહાસ અને ઉપક્રમ : પ્રબુદ્ધ રૌહિણેયના પરિપ્રેક્ષ્યમાં છન્દનાં નામો શુદ્ધિપત્ર પ્રબુદ્ધ રૌહિણેય : ભાવાનુવાદ प्रबुद्ध रौहिणेयम् (मूल संस्कृत वाचना ) મુનીશ્રી ભુવનચન્દ્રજી વિજય પંડ્યા વિજયશીલચન્દ્રસૂરિ ૫ ८ એલ.એલ.ચિનિયારા ૨૦ ૧૦ ૨૩ ૩૩ ૩૬ ૧ سے ૯૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય કચ્છ-મેરાઉના અને પછી ગાંધીધામના વતની, પરોપકારી, વિનમ્ર અને સાચા મુમુક્ષુ એવા દિવંગત શ્રેષ્ઠીવર્ય શ્રી દેવજીભાઈ ચાંપશી શાહની (શાહ ઇંજીનીયરીંગ કંપનીવાળા) પ્રેરણા અને આર્થિક અનુદાનથી ઈ.સ. ૧૯૯૧માં જૈન સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ, જેને તેઓના લઘુબંધુ શ્રી નાનજીભાઈ તરફથી પણ એટલો જ સહકાર અને સભાવ મળતા રહ્યા છે, સંશોધનાત્મક, વિચારપ્રેરક, તર્કસંગત અને ચિરંજીવી મૂલ્યવાળું જૈન સાહિત્ય પ્રકાશિત કરવું અને તે સાથે એવી અન્ય આનુષંગિક પ્રવૃત્તિઓ કરવી એ આ અકાદમીનો ઉદેશ છે. અધ્યાત્મયોગી, આધુનિક વિચારપ્રવાહોના અભ્યાસી અને નીડર ચિંતક, દિવંગત પૂજ્ય મુનિશ્રી અમરેન્દ્રવિજયજીના “ વિજ્ઞાન અને અધ્યાત્મ' નામના ગુજરાતી પુસ્તકનો અંગ્રેજીમાં “Science discovers eternal wisdomના પ્રકાશનથી અમારી યોજનાનો ઈ.સ. ૧૯૯૩માં શુભારંભ થયો. આ પુસ્તકના અનુવાદક હતા મુંબઈના ઇ.એન.ટી. સર્જન ડૉક્ટર શ્રી જે.ડી.લોડાયા અને સંપાદક હતા પૂ. મુનિશ્રી ભુવનચંદ્રજી. બંધુત્રિપુટી મુનિવરોના સહકારથી યુરોપ અને અમેરિકામાં આ પુસ્તકનો સારો પ્રચાર થઈ શક્યો. અમારું બીજું મહત્ત્વનું પ્રકાશન હતું “સમણસુત્ત' (જૈનધર્મસાર)નો ગુજરાતી ભાષામાં અનુવાદ. જૈન ધર્મનો તાત્ત્વિક પરિચય આપતા આ પુસ્તકની રચના જૈન આગમો-શાસ્ત્રોમાંથી મૂળ ગાથાઓ ચૂંટીને કરવામાં આવી છે. મહર્ષિ વિનોબા ભાવેની પ્રેરણાથી સમસ્ત જૈન સંપ્રદાયોના વિદ્વાનોની સમિતિ દ્વારા સંકલિત થયેલ આ ગ્રંથ જૈનધર્મના ઉપદેશ/સંદેશની શાસ્ત્રીય રજૂઆત કરતો એવો પ્રતિનિધિ ગ્રંથ છે. યજ્ઞ પ્રકાશન-વડોદરા દ્વારા હિન્દી-ગુજરાતી અનુવાદો સાથે આનું પ્રકાશન થયેલ. વધુ સારા અને સરળ ગુજરાતી અનુવાદની જરૂર હતી. શ્રી માવજીભાઈ સાવલાએ આ ગ્રંથનું પુનઃ પ્રકાશન કરવાનું સૂચન કર્યું. યજ્ઞપ્રકાશન-વડોદરાની સંમતિથી પૂજ્ય મુનિ શ્રીભુવનચંદ્રજી પાસેથી નવેસરથી ગુજરાતી અનુવાદ તૈયાર કરાવી અકાદમીએ ઈ.સ. ૧૯૯૫માં એનું પ્રકાશન કર્યું. શ્રી ગુલાબ દેઢિયા વગેરે મિત્રોના સહકારથી મુંબઈ ખાતે આ ગ્રંથનો વિમોચનવિધિ ભવ્ય રીતે યોજાયો હતો. મહાન શાસ્ત્રકાર, સર્વતોમુખી, પ્રભાવશાળી આચાર્યશ્રી સિદ્ધસેન Page #7 -------------------------------------------------------------------------- ________________ દિવાકરની ગંભીર કૃતિ દ્વાત્રિશત્ દ્વાઢિશિકામાંથી ચૂંટેલા ૧૦૦ શ્લોકોના વિવેચનનું પુસ્તક “સિદ્ધસેન શતક” અમે ઈ.સ. ૨૦૦૦માં પ્રસિદ્ધ કર્યું. આ ગ્રંથ અત્યંત કઠિન છે. પૂ. મુનિ ભુવનચંદ્રજીના સુદીર્ઘ પરિશ્રમના ફળરૂપે ૧૦૦ શ્લોકોનો સર્વપ્રથમ અનુવાદ-વિવેચનનું આ પુસ્તક પ્રગટ કરવાનું ગૌરવ અકાદમીને મળ્યું છે. આ પુસ્તક ચિંતકવર્ગને માટે પુષ્કળ વિચારભાથું પૂરું પાડે એવું છે. શ્રી વિ.નેમિસૂરીશ્વરજી જૈન સ્વાધ્યાય મંદિર, પાલડી-અમદાવાદના સહયોગથી, પૂજ્ય આચાર્ય શ્રી વિ. શીલચંદ્રસૂરિજીના સાંનિધ્યમાં લબ્ધપ્રતિષ્ઠિત વિદ્વાન શ્રી જયંત કોઠારીના શુભ હસ્તે તેનો વિમોચન વિધિ તા. ૩૦-૪-૨૦OOના યોજાયો હતો. અકાદમીનું એક મહત્ત્વનું પ્રકાશન છે – “નિયતિ દ્વાત્રિશિકા'. દિવાકરજીની જ આ રચના છે, જેમાં પ્રાચીન ભારતના એક દર્શનનું જૂનું સ્વરૂપ શબ્દસ્થ થઈને સચવાઈ રહ્યું છે. આ કઠિન કૃતિનું પૂ. મુનિશ્રી ભુવનચંદ્રજીએ પરિશ્રમપૂર્વક અર્થઘટન-વિવરણ આ પુસ્તકમાં મૂક્યું છે. ત્યાર પછી આજે એવી જ એક વિશિષ્ટ કૃતિનું પ્રકાશન અકાદમી દ્વારા થઈ રહ્યું છે. નૃત્ય-નાટ્ય ક્ષેત્રે જાણીતા કચ્છી કલાકાર શ્રી વસંત દેઢિયા આમાં નિમિત્ત બન્યા છે. મે-૨૦૦૧માં એક લગ્ન સમારંભમાં વસંતભાઈ માવજીભાઈને મળ્યા ત્યારે “પ્રબુદ્ધરૌહિણેય’ સંસ્કૃત નાટકનો અનુવાદ થાય એવી ઇચ્છા દર્શાવી. માવજીભાઈએ અકાદમીને ભલામણ કરી. મુનિશ્રી ભુવનચંદ્રજીએ અનુવાદકાર્ય માટે આ. શ્રીશીલચંદ્રસૂરિજીનું નામ સૂચવ્યું. અકાદમીએ વિનંતિપત્ર લખ્યો, આચાર્યશ્રીએ સહર્ષ સ્વીકાર કર્યો. તેઓશ્રી બેંગલોર ચાતુર્માસ અર્થે જવાના હતા. ગુજરાતથી બેંગલોર જેટલો લાંબો અને ઉગ્ર વિહાર છતાં આ અનુવાદ કાર્ય હાથ ધર્યું અને પાર પણ પાડ્યું. આચાર્યશ્રીની આ અમારા પર મોટી કૃપા થઈ છે, અમે તેઓશ્રીના ઋણી બન્યા છીએ. સાથોસાથ વિદ્વર્ય આચાર્યશ્રીની સાહિત્ય-સંસ્કૃતિની સેવા માટેની તત્પરતા અને એટલી જ સહજ નમ્રતા અમને જોવા મળી છે તેથી અમે ધન્ય પણ બન્યા છીએ. મુનિશ્રી ભુવનચંદ્રજીએ આ કાર્યમાં સેતુનું કામ કર્યું છે. તેઓશ્રીનો સહયોગ તો અકાદમીને પ્રથમથી જ મળતો રહ્યો છે એની નોંધ લેતાં આનંદ થાય છે. એ જ રીતે, તત્ત્વજ્ઞાનના માર્મિક અભ્યાસી અને પ્રતિષ્ઠિત લેખકચિંતક શ્રી માવજીભાઈ સાવલા આ પ્રકાશનના કેન્દ્રમાં રહેલા છે. તેમનો પરામર્શ અકાદમી માટે પ્રેરક-પોષક બળ સમાન છે અને અકાદમી યત્કિંચિત્ કાર્ય કરી શકે છે તે તેમની દોરવણી થકી જ શક્ય બન્યું છે. અમે તેમનો હાર્દિક આભાર Page #8 -------------------------------------------------------------------------- ________________ માનીએ છીએ. શ્રી વસંત દેઢિયા આ પ્રકાશનમાં નિમિત્ત બન્યા છે. એમણે તો આ નાટક-આધારિત નૃત્યનાટિકાની ભજવણી સેવાભાવી કલાકારો દ્વારા એકથી વધુ સ્થળે કરી છે. જૈન નાટકના ક્ષેત્રે તેમના આ પ્રયાસનું હાર્દિક અનુમોદન કરવા સાથે તેમનો પણ આભાર અકાદમી માને છે. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી જૈન સ્વાધ્યાય મંદિર અમદાવાદે આ પુસ્તકના વિતરણનો ભાર સંભાળવાનું સ્વીકાર્યું છે તે બદલ તેના કાર્યવાહકો તથા પ્રેરક પૂ. શીલચંદ્રસૂરિજીનો પણ આભાર માનવો રહ્યો. સ્વચ્છ-સુઘડ મુદ્રણકાર્ય માટે ક્રિષ્ના ગ્રાફિક્સ, અમદાવાદનો પણ આભાર માનીએ છીએ. જૈન સંઘો તથા જૈન કલાકારો આ અનુવાદનો લાભ ઉઠાવશે અને પ્રાચીન સાહિત્યની વિશેષતા તરફ વિદ્વાનોનું ધ્યાન ખેંચાશે એવી આશા સાથે જૈન જગત સમક્ષ આ પ્રકાશન મૂકીએ છીએ. ગાંધીધામ તા. ૧-૩-૨૦૦૩ સંપર્ક : ‘નવનિધિ' પ્લોટ નં. ૧૭૪, સેક્ટર નં. ૪ ગાંધીધામ (કચ્છ) ૩૭૦૨૦૧ ટે.નં. (૦૨૮૩૬) ૨૩૧૯૯૧ જૈન સાહિત્ય અકાદમી, ગાંધીધામ કીર્તિલાલ હાલચંદ વોરા જેઠાલાલ ઠાકરશી ગાલા Page #9 -------------------------------------------------------------------------- ________________ સહિયારા મિત્રકર્મની નીપજ પ્રશિષ્ટ સંસ્કૃત નાટક ‘પ્રબુદ્ધૌહિણેય’ એક જૈન કવિ-મુનિની રસસભર અને પ્રેરણાપ્રદ કૃતિ છે. એનો ભાવાનુવાદ એવા જ એક રસજ્ઞ-મર્મજ્ઞ જૈન આચાર્યના હસ્તે સંપન્ન થાય છે ત્યારે મારા જેવાને એક સુખદ સંયોગના સાક્ષી બનવાનો લહાવો લીધા જેવી લાગણી થાય એ દેખીતું છે. પરંતુ આમાં ‘પડદા પાછળ'ની એક બીજી મજાની વાત પણ એટલી જ સુખદ છે. એ છે આ પુસ્તકની સાથે જોડાયેલા મૈત્રીના તાણાવાણા. પાઘડીના માથે છોગાં જેવી એ આહ્લાદક વાત મારે કરવી છે. જૈન સાહિત્ય અકાદમીના ટ્રસ્ટીઓ શ્રીકીર્તિભાઈ વોરા અને શ્રી જેઠાલાલભાઈ ગાલા-એટલે એક મજાનું મિત્રયુગલ. એમણે જૈન સાહિત્ય અકાદમીનું સપનું સેવ્યું, અને એ સપનાના છોડને જળસિંચન કર્યું શ્રી માવજીભાઈ સાવલાએ. આર્થિક સહયોગરૂપી ખાતર મળ્યું બે સજ્જનો પાસેથી. પુણ્યમૂર્તિ સ્વ. શ્રી દેવજીભાઈ અને જ્ઞાનગવેષક શ્રી નાનજીભાઈના સહયોગથી અકાદમીએ આકાર લીધો. શ્રીમાવજીભાઈ મારી સાહિત્ય ઉપાસનાના પ્રથમથી જ પાલકપોષક રહ્યા છે. મૈત્રીના હક્કદાવે એમણે મને કામે લગાડ્યો ને મારાં કેટલાંક પુસ્તકો તૈયા૨ થયાં. કીર્તિભાઈ વોરાએ હોંશે હોંશે અકાદમી દ્વારા એ પ્રગટ કર્યાં. શ્રી વસંતભાઈ દેઢિયા-એક અલગારી કળા-ઉપાસક, નાટ્યકર્મી–મારા અને માવજીભાઈના સમાન મિત્ર. ‘પ્રબુદ્ધૌહિણેય' પર આધારિત એક નૃત્યનાટિકા તેમણે તૈયાર કરેલી અને દેશલપુર (કંઠી)ના જિનાલયના શતાબ્દી મહોત્સવ પ્રસંગે ગામના જ બાળકલાકારો દ્વારા તેનું સફળ મંચન તેમના દિગ્દર્શન હેઠળ થયેલું, તે મેં જોયેલું. અન્યત્ર પણ તેની રજુઆત થઈ છે. શ્રી રામભદ્રમુનિના આ નાટક ૫૨ તેઓ મુગ્ધ છે. આ નાટક ગુજરાતીમાં આવવું જોઈએ એવી તેમની ઝંખના મારી પાસે એકથી વધુ વાર એમણે વ્યક્ત કરેલી. માવજીભાઈ સાથે પણ આ અંગે વાત થઈ અને પછી તો માવજીભાઈની ‘ઉઘરાણી' ચાલુ થઈ ગઈ. મારી અશક્તિ હું જાણું. મેં મારા ધર્મસખા વિદ્વર્ય આ. શ્રી વિ.શીલચંદ્રસૂરિજીને પૂછાવ્યું. તેમણે તત્કાળ હા ભણી દીધી. વિવિધ સાહિત્યિક કામકાજ વચ્ચે અને બેંગલોર તરફના લાંબા વિહારો વચ્ચે એમણે આ રસિક કૃતિનો અનુવાદ કેવી રીતે કર્યો હશે એ પ્રશ્ન કોઈ પણ મર્મજ્ઞ માણસને થાય. Page #10 -------------------------------------------------------------------------- ________________ જો કે તેનો જવાબ તો આ મધુર-પ્રાંજલ અનુવાદ જ આપી દે છે. કાવ્ય-શાસ્ત્રસંગીતનો વિનોદ અપાર્થિવ પ્રકારનો છે, એનો રસસ્રોત ઊર્ધ્વગામી હોય છે, અને રસ પ્રાપ્ત થતો હોય એવું કોઈ પણ કાર્ય શ્રમજનક ના બને, શ્રમહારક જ બને. આમ, સહિયારા મિત્રકર્મની નીપજ સમો આ ગ્રંથ તેની સાથે જોડાયેલા મિત્રો માટે આનંદસ્રોત બન્યો છે; વાચક-ભાવક વર્ગ માટે પણ એ તેવો જ બનશે, કારણ કે તેમાં મન અને આત્માને પરિપોષક એવી મંગળ પ્રેરણાની રસધારા સમાયેલી છે. સૌજન્યમૂર્તિ, વિદ્યાવ્યાસંગી, ધર્મસખા આચાર્ય શ્રી વિ. શીલચંદ્રસૂરિજીના આ પ્રેમપરિશ્રમને વધાવું છું અને આની સાથે સંકળાયેલા સહૃદય મિત્રોના મિત્રકર્મનું હાર્દિક અભિવાદન કરું છું. ધર્મ અને સંસ્કૃતિને મિષ્ટ-મધુર રૂપરંગ સાથે જીવંત કરતા આવા નાટ્યપ્રયોગોને જૈન સંઘ દ્વારા ઉજવાતા ભવ્ય મહોત્સવોમાં સ્થાન મળશે તો વળી સવિશેષ આનંદ થશે. મોટીખાખર તા. ૨૮-૨-૨૦૦૩ મુનિ ભુવનચંદ્ર Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધરૌહિણેય પ્રશિષ્ટતાવ્યાપ્ત સંસ્કૃત નાટકનો અનુવાદ | એક રસકીય અનુભવ છે. --વિજય પંડ્યા ૧૨મી સદીમાં સંસ્કૃતમાં રચાયેલા પ્રબુદ્ધ રૌહિણેય રૂપકના કર્તા, રચનાકાળ, મંચન, તેનું નિમિત્ત ઇત્યાદિ વિશે આપણને નાટકની પ્રસ્તાવનામાંથી આટલી માહિતી મળે છે : ચાહમાન (ચૌહાણ) વંશમાં થએલા યશોવર અને અજયપાલ નામના બંધુઓએ યુગાદિદેવ શ્રી આદિનાથ ભગવાનનું ભવ્ય ચેત્ય નિર્માણ કર્યું હતું. આ પ્રસંગે શ્રીદેવસૂરિના શિષ્ય શ્રી જયપ્રભસૂરિના શિષ્ય રામભદ્રમુનિ-વિરચિત પ્રબુદ્ધરૌહિણેય નામનું, પ્રકરણ પ્રકારનું રૂપક ભજવવામાં આવ્યું હતું. આ નાટકનું મંચન ચૈત્યનિર્માણ-ઉત્સવ પ્રસંગે કરવામાં આવ્યું હતું તે રસપ્રદ વિગતના સંદર્ભમાં, ખોટા પડવાનો ડર રાખ્યા વગર એમ પણ અટકળ કરી શકાય કે ચૈત્યના પરિસરમાં ને પશ્ચાદ્ભૂમાં આ નાટક ભજવવામાં આવ્યું - હશે. ભવભૂતિનાં નાટકો કાલપ્રિયનાથની યાત્રા પ્રસંગે મંદિરના પ્રાંગણમાં ભજવવામાં આવ્યાં હતાં તે સંસ્કૃત રંગમંચના ઇતિહાસ (જ રૂપે પણ આપણને ઉપલબ્ધ થાય છે તે)ની એક ઐતિહાસિક વિગત છે. તે જ પ્રમાણે, અને ભવભૂતિની અને પ્રશિષ્ટ સંસ્કૃત નાટક અને રંગમંચની પરંપરામાં, પ્રબુદ્ધરૌહિણેય નાટક પણ ભજવવામાં આવ્યું છે. ચૈત્યનિર્માણ પ્રસંગે આ નાટકની રંગમંચ પર પ્રસ્તુતિ થઈ છે તે વિગત તેમજ આ પ્રબુદ્ધરૌહિણેય રૂપકમાં પણ નાન્દી શ્લોકથી આરંભી જૈન ધર્મના અન્ય કેટલાક સંકેતો સ્પષ્ટપણે પ્રકટ થતા હોવા છતાં નાટકની કલામયતાને કોઈ પણ પ્રકારની સાંપ્રદાયિકતા નડી નથી એ હકીકત આપણે નાટકના પરિશીલનથી પ્રીછી શકીશું. વધુમાં મુનિશ્રી શીલચન્દ્રવિજયજીમહારાજે આ સંસ્કૃત નાટકનો કરેલો રસાળ અનુવાદ મૂળ નાટકની રસાત્મકતાને વધુ ઉબુદ્ધ કરનારો છે તે ઘટના પણ ઉજવવા જેવી બની છે. નાટકનું કથાનક સંક્ષેપમાં જોઈએ તો : Page #12 -------------------------------------------------------------------------- ________________ 11 રૌહિણેય નામના ચોરને તેના મરણપથારીએ પડેલા લોહખુર પિતાએ અંતિમ ઉપદેશ આપેલો કે “બેટા, હથિયારો વાપરવામાં તે પૂરો નિષ્ણાત છો; ચોરી કરવામાં પણ તું અઠંગ બની ચૂક્યો છે. પડે તેવા દેવાની કળામાં તારો જોટો નથી (શીલચન્દ્રવિજયજીનો અનુવાદ પણ મૌલિક છે; મૂળ સંસ્કૃત છે નાહતપ્રતિપોતિ પ્રત્યુત્પન્નમતી), અવસરે પલાયન કરવું પડે તો તેમાંયે તને કોઈ આંબે તેમ નથી; એટલે તારું શું થશે એ ચિંતા હવે મને નથી કનડતી. પરંતુ જતાં જતાં એક ખાસ ભલામણ તને કરવી છે, બરાબર સાંભળજે. જો ભાઈ, તું ખરેખરો મારો દીકરો હો, અને તને તારા બાપ પ્રત્યે પૂરો અનુરાગ હોય તો દેવ, દાનવ અને માનવોની સભામાં બેસીને સરસ ધર્મનો ઉપદેશ આપનારા પેલા મહાવીર વર્ધમાનની વાણી કદી પણ તારે કાને પડવા દઈશ નહિ. ચોરી એ આપણી પરંપરાગત કુલાચાર છે. મહાવીરનું એકાદ વેણ પણ જો કાને પડશે, તો તે આ કુલાચારનો લોપ કરાવ્યા વિના નહિ રહે. માટે એમાંથી દૂર રહેજે.' પિતાના આ ઉપદેશનું પાલન પિતૃભક્ત ચોર રૌહિણેય ચુસ્તપણે કરી રહ્યો છે. નગરમાં અનેક ચોરીઓ કરીને હાહાકાર મચાવી રહ્યો છે. વધુમાં વસન્તોત્સવ દરમ્યાન ઉદ્યાનમાં પોતાના પ્રિયતમ સાથે વિહરવા આવેલી ધન સાર્થવાહની પુત્રી મદનવતીનું પણ રૌહિણેય અપહરણ કરે છે. (અંક-૧) નગરમાં સુભદ્ર શેઠના પુત્ર મનોરથનાં ધામધૂમથી લગ્ન થઈ રહ્યાં છે. આ વિવાહોત્સવમાં રૌહિણેય સ્ત્રીના વેશમાં ટોળામાં ઘૂસી જાય છે, અને નાચગાનમાં પોતાના સાથીદાર સાથે સામેલ થઈ જાય છે. શ્રેષ્ઠીપુત્રને ખભે બેસાડી નાચવા માંડે છે. પછી ભીડમાં કાપડનો બનાવટી સાપ નાખીને ફેલાયેલી અરાજકતાનો લાભ લઈ શ્રેષ્ઠીપુત્રને લઈ રૌહિણેય ભાગી જાય છે. ઘણા સમય પછી આવી પરિસ્થિતિનો ખ્યાલ આવતાં રડારોળ થઈ જાય છે અને શ્રેષ્ઠી પોતાની વ્યાકુળતાને દૂર કરી ચોરને કારાગારમાં પૂરાવી દીકરો પાછો મેળવવાનો નિર્ધાર કરે છે. (બીજો અંક) ત્રીજા અંકમાં નગરનો મહાજનવર્ગ રાજા શ્રેણિકને રૌહિણેયે વર્તાવેલા કાળા કેરની ફરિયાદ કરે છે. રાજા કુપિત થઈ ચોર રૌહિણેયને પકડવા માટે મંત્રી અભયકુમારને તાકીદ કરે છે. અભયકુમાર એક તરફ ચોરને પકડવા માટે સજ્જ થાય છે તો બીજી તરફ ત્રીજા અંકને અંતે આપણને માહિતી મળે છે કે Page #13 -------------------------------------------------------------------------- ________________ 12 ભગવાન મહાવીર સ્વામી મનોરમ ઉદ્યાનમાં સમોસર્યા છે. (ત્રીજો અંક) ચોથા અંકમાં મંત્રી નગરમાં સર્વ સ્થળોએ ફરી વળ્યા છે પણ ચોરની ક્યાંક ભાળ મળતી નથી. ચોર પકડાતો નથી. મંત્રી અભયકુમાર છેવટે એક એવો દાવ ૨મે છે કે જેમાં નગ૨માં કડક જાપ્તો કરી દીધો છે અને રાત્રે નગરજનોમાંથી કોઈ પણ બહાર નીકળે નહીં તેવી કડક સૂચના પણ આપી છે. નગ૨માં સજ્જડ ચોકી-પહેરો ભરાય છે. એક બાજુ ભગવાન વર્ધમાન મહાવીરનું વ્યાખ્યાન ચાલી રહ્યું છે. આ દરમ્યાન રૌહિણેય નગરમાં ચોરી કરવા આવ્યો છે. ભગવાન મહાવીરનું વ્યાખ્યાન જ્યાં ચાલી રહ્યું છે તે માર્ગેથી પસાર થઈ રહ્યો છે. પોતાના પિતાની અંતિમ આજ્ઞા પ્રમાણે કાનને આંગળીઓથી બંધ કરી દઈ, (જેથી ભગવાનનો ઉપદેશ કાને ન પડે) ત્યાંથી જઈ રહ્યો છે. પણ એવામાં જ પગે કાંટો ભોંકાયો અને અસહ્ય પીડા થવા લાગી. છેવટે કાન પરથી હાથ ઉપાડીને કાંટો પગમાંથી કાઢ્યો. તે ક્ષણોમાં ભગવાન મહાવીર પોતાના વ્યાખ્યાનમાં દેવોનું સ્વરૂપ વર્ણવી રહ્યા હતા, જે પ્રમાણે ‘જગતમાં અનુપમ સુર અવતાર લાખો વર્ષો સુખમાં વહેતાં, જાણે કે પળવાર ! ના પરસેવો દેવોને, તે થાકે પણ ન લગાર કરમાયે તસ ફૂલમાળ ના, નીરોગી તનુ સાર ચરણ ન ફરસે ધરતીને તસ, આંખ ન કરે પલકાર વસ્ત્રો મલિન ન થાય કદાપિ, નહિ દુર્ગંધ-પ્રસાર મનવાંછિત સહુ સિદ્ધ થતાં તસ, મન ચિંતવતાં વાર.' (અનુવાદ : શીલચન્દ્રવિજયજી. ‘ફરસે’ એ ચિત્ત્વ શબ્દપ્રયોગ બાદ કરતાં, મૂળ કંઈક કઠિન સંસ્કૃત પદ્યનો આ સરળ પ્રવાહી અનુવાદ છે અને વળી, માલકૌંસ રાગ એવી સૂચના પણ આપવામાં આવી છે તે અનુવાદકની અનુવાદમાં મૌલિકતા છે.) રૌહિણેયને આટલા શબ્દો કાને પડી જાય છે તેનો ઘણો અફસોસ થાય છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ i૦ પણ છેવટે મંત્રી અભયકુમારે ગોઠવેલા છટકામાં રૌહિણેય ફસાઈ જાય છે અને પકડાઈ જાય છે.(ચોથો અંક) પાંચમા અંકમાં ચોરના પકડાવાથી રાજા પ્રસન્ન થાય છે અને ચોરને મૃત્યુદંડ ફરમાવે છે. તો મંત્રી અભયકુમાર રાજાને ન્યાયની રીત સમજાવતાં કહે છે કે ચોર મુદ્દામાલ સાથે પકડાયો હોય તો અથવા તે પોતે પોતાના અપરાધોનો સ્વીકાર કરે તો, તેને સજા થઈ શકે. અહીંયાં ચોર મુદામાલ સાથે પકડાયો નથી. એટલે તેની પાસે કોઈ પણ રીતે પોતાના અપરાધોની કબૂલાત કરાવવી પડે. (પાંચમો અંક પૂરો) મંત્રી અભયકુમારે નાટ્યાચાર્ય ભરતની સહાયથી સ્વર્ગલોકની પ્રતિકૃતિ તૈયાર કરી દીધી છે. રૌહિણેયની આસપાસ સુંદરીઓ ગોઠવી દીધી છે. રૌહિણેયને એમ જ લાગે કે પોતે સ્વર્ગમાં આવ્યો છે અને દેવ બની ગયો છે. ચારે બાજુ દેવાંગનાઓ પોતાને વીંટળાયેલી છે. રૌહિણેયની આસપાસ સંબોધીને ગાઈ રહી છે કે આપને સ્વામી તરીકે મેળવીને અમે સૌભાગી બન્યાં છીએ, દેવાંગનાઓ આપના વિરહમાં તડપી રહી છે વગેરે. રૌહિણેય માનવા લાગે છે કે, પોતે ખરેખર દેવત્વ પ્રાપ્ત કર્યું છે અને સ્વર્ગમાં આવી પહોંચ્યો છે, અતુલનીય સુખનો ભાગી બન્યો છે. પણ પ્રતિહાર આવીને સ્વર્ગની આચારમર્યાદાના પાલનરૂપે રૌહિણેયને પૂર્વભવનાં સુકૃતો ને દુષ્કૃત્યોને જાહેર કર્યા પછી જ સ્વર્ગમાં સુખો ભોગવી શકે, તે પહેલાં નહીં એવા નિયમની જાણ કરે છે. રૌહિણેયને પોતે ખરેખર દેવ બની ગયો છે એમ થાય છે. પણ પછી ભગવાન મહાવીરનાં કાને પડેલાં વેણ યાદ આવે છે જેમાં દેવોનું વર્ણન કરવામાં આવેલું. એ વર્ણન પોતાની આસપાસની વ્યક્તિઓને લાગુ પડતું નથી એ પણ રૌહિણેયના ધ્યાનમાં આવતાં તેણે પોતે ફક્ત સુકૃતો જ આચર્યા છે એવું ભારપૂર્વક કહેતાં મંત્રી અભયકુમારની અપરાધની કબુલાત કરાવવાની આ યુક્તિ નિષ્ફળ જાય છે. રાજા તરફથી અભયવચન મળતાં રૌહિણેય સાચી હકીકત કહી દે છે, અને પોતે મંત્રીની બુદ્ધિને મહાત કરી શક્યો, પોતે સજામાંથી બચી શક્યો તેનું કારણ જિનવચનો છે તેની પોતાને પ્રતીતિ થાય છે. રૌહિણેયને અનુતાપ થાય છે કે Page #15 -------------------------------------------------------------------------- ________________ 14 ‘પિતા કેરાં જૂઠાં વચનવશ અદ્યાવિધ હું તો ચુક્યો વાણી મીઠી જિનવરતણી, ચોર જ રહ્યો ! ત્યજી મીઠા આંબા રસછલકતા, મેં મન ધર્યું, અને કાંટા ઘેર્યા કટુરસભર્યા બાવળ મહીં’ (અનુવાદ : શીલચન્દ્રવિજયજી) રૌહિણેયે પોતે જે કંઈ લૂંટેલું તે સર્વ પાછું સોંપી દે છે, અને શ્રીવીરપ્રભુની ચરણસેવામાં લાગી જઈને જન્મને સફળ બતાવવાનો નિશ્ચય કરે છે. (છઠ્ઠો અંક અને નાટક સમાપ્ત થાય છે.) આ રસપ્રદ કથાવસ્તુનું કેન્દ્રબિન્દુ ચોર રૌહિણેયનું જિનભગવાનનાં વચનોને કારણે થતું હૃદયપરિવર્તન છે. આ કથાઘટક જૈનધર્મની પરંપરામાં પ્રચલિત જણાય છે. હેમચન્દ્રાચાર્યે પોતાના યોગશાસ્ત્ર ગ્રંથમાં संबन्ध्यपि निगृह्येत चौर्यान्मण्डिकवन्नृपैः । चौरोऽपि त्यक्तचौर्यः स्यात् स्वर्गभाग् रौहिणेयवत् ॥ આ પદ્યમાં રૌહિણેય ચોરનો ઉલ્લેખ કરેલો જણાય છે. આ પ્રકારનું કથાઘટક જૈનધર્મ-પરંપરામાં પ્રચલિત હશે તેને રામભદ્રમુનિએ અતિરમણીય નાટ્યાત્મક સ્વરૂપ આપીને એક રસપ્રદ અને કલાત્મક નાટક (નાટ્યકાર તેને પ્રાણ પ્રકારનું રૂપક કહે છે) સર્જ્યું છે. સંસ્કૃત નાટ્યસાહિત્યની દીર્ઘ અને ઉજ્જવળ પરંપરાને શોભે તેવી રીતે તેની પરંપરાનાં બાહ્ય લક્ષણો તો ખરાં જ, પણ તેનો આત્મા પણ આ નાટકમાં જળવાઈ રહ્યો છે તેવું જણાશે. અમુક અંશે તો, આ પરંપરામાં પણ પોતાની ખાસ તો, કથાવસ્તુના ચુસ્ત સંવિધાનની કળાને કારણે આગવું પણ તરી આવે તેવા પ્રકારનું આ રૂપક છે. પ્રશિષ્ટોત્તર સંસ્કૃત નાટ્યસાહિત્યમાં મધ્યકાળનો ફાળો ગુણવત્તા અને ઇયત્તાની દૃષ્ટિએ જે પણ રહ્યો હોય તેમાં આ નાટકનું પ્રદાન બહુમૂલ્ય બની રહે તેવું છે. કથાવસ્તુનું અત્યંત સુશ્લિષ્ટ રીતે ગુંફન થયું છે. નાટ્યકારે નાની વિગતોમાં પણ કાળજી રાખી છે, તેનું એક ઉદાહરણ એ છે કે ચોર પોતે કદાચ પકડાઈ જાય ને ઉલટતપાસ થાય તો તેની તૈયારી રૂપે ગામમાં-શાલિગ્રામમાં એક સાથીદારને રાજાના માણસો પૂછવા આવે તો આમ કહેવું એમ સાધી રાખ્યો છે. આજની Page #16 -------------------------------------------------------------------------- ________________ 15 કાયદાની પરિભાષામાં કહીએ તો રૌહિણેયે અવેજી-alibi તૈયાર રાખી છે. પ્રશિષ્ટ સંસ્કૃત નાટકની દીર્ધ પરંપરા આ નાટકે પણ જાળવી છે. નાન્દી, વિધ્વંભક (જેનો અનુવાદકે પરિહાર કરી આધુનિક સમયના રંગમંચની તબીર પડદો' નો પ્રયોગ કર્યો છે) વગેરે યુક્તિઓનો નાટ્યકારે બહુ જ કુશળતાથી નિર્વાહ કર્યો છે. પ્રસ્તાવનામાંથી આપણે જાણ્યું છે કે ચૈત્યનિર્માણઉત્સવ પ્રસંગે આ નાટકનું મંચન થયું છે, અને તેથી નાટકમાં ચૈત્યના પરિસરને અનુરૂપ પણ દશ્યોનું આલેખન નાટ્યકારે કર્યું છે. પહેલા અંકમાં ઉદ્યાનમાં પ્રેમીઓ મળે છે અને ત્યાંથી રૌહિણેય પ્રેમિકાને અપહરી જાય છે. ચૈત્યનો પરિવેશ આ દૃશ્યને વાસ્તવિકતા અર્પતો હશે. વળી બીજા અંકના શ્રેષ્ઠીપુત્રના વિવાહોત્સવ પ્રસંગનું નાટ્યાત્મક આલેખન પ્રશિષ્ટ નાટકના રંગમંચની બદલાતી જતી (જેનો આરંભ પ્રશિષ્ટ કાળમાં, શુદ્રકને પૂર્વપ્રશિષ્ટ ગણીએ તો, ભવભૂતિથી થયો) આબોહવાનું તાદશ અને મનોહારી નિરૂપણ છે. રાજારાણીના અંતઃપુરની ખટપટોના બંધિયાર વાતાવરણને ફગાવી દઈ ઊંડા શ્વાસ લેતી રામભદ્રમુનિની નાટ્યકલા ખુલ્લી હવામાં વિહરે છે. તદુપરાંત નાટકની દુનિયાની ખટપટોથી નાટક-નિર્દેશકને સાવધાન રહેવું પડે છે તેનું પણ વાસ્તવિક ચિત્ર આપણને પ્રસ્તાવનામાંથી (ભવભૂતિની જેમ સ્તો !) પ્રાપ્ત થાય છે. સાંપ્રદાયિક વાતાવરણમાં નાટક નિખરતું હોવા છતાં સાંપ્રદાયિકતા ક્યાંક નાટ્યકારને નડી નથી. જીવનને જોવાની એક સ્વસ્થ અને તંદુરસ્ત દૃષ્ટિ નાટ્યકાર પાસે છે, તેનું આહ્લાદક નિરૂપણ બીજા અંકમાં આપણને - વિવાહોત્સવના દૃશ્યના નિર્વાહમાં મળે છે. રૌહિણેયનો સાથીદાર શબર આ ઉત્સવના ટોળામાં ભળી જાય છે અને વાસનિકા સાથેનો તેનો વાર્તાલાપ સંસ્કૃત નાટ્યસાહિત્યનું એક ચિરંજીવ દશ્ય બન્યું છે. સાંપ્રદાયિકતા ક્યાંય રમણીયતાને અળપાવી દેતી નથી તેનું આ એક ઉદાહરણ છે. મૂળ સંસ્કૃત અને સાથે અનુવાદમાં આપણે આ સંવાદો જોઈએ : वामनिका:- यत्रैतादृशाः सुरूपा नृत्यकलाकुशलास्तत्र किमस्मादृशां नर्तितुं युक्तम् । વાસનિકા :-(લટકાં સાથે કટાક્ષમાં-આ રંગ સૂચના અનુવાદકે ઉમેરી છે.) Page #17 -------------------------------------------------------------------------- ________________ ઓહો ! જ્યાં આવા રૂડા ને રૂપાળા નૃત્યકાર હાજર હોય ત્યાં અમારા જેવાં નાચે તો કેવું ભૂંડું લાગે ? ના, ના, તમે જ નાચો હોં ભાઈ ! શવર:- ૩ો થતાંઝિયા (સંસ્કૃત પર ગુજરાતી મુસ્લિમ સંસ્કૃતિની અસર !) પીયૂષvહેન સમું સૌભાગ્યમશીર્ષો ! મો રતા મુડેન सार्धं प्रतिस्पर्धा । रत्नाङ्गद, पिचुमन्दकन्दलया रसालरसस्य च कीदृशस्त्वया સંયો: મતઃ શબર :- ઓ ત્તારી, આ તો કોહવાએલી કાંજી પોતાને અમૃતના કૂપા સાથે સરખાવવા માંડી ! ખોળનો કૂચો ગોળ સાથે સ્પર્ધાએ ચડ્યો ભાઈ ! અરે, રત્નાંગદ, આ તો લીમડાની ડાળ અને (પોતાને ચીંધીને) આ આમ્રફળનો મેળ તે ભલો બેસાડવા માંડ્યો ! वामनिका :- (सरोषं) अरे अटजनीस्तनन्धय । आभवं प्रभूताविर्भूतदौर्गत्यसमशीर्षी संस्थितक्षुधान्धक ! एकं तावन्मम स्थाने नृत्यसि अन्यत्पुनर्मामपि उपहससि तत्त्वं तथा गच्छ यथा न पुनर्दृश्यसे । (इति तत्संमुखं कराङ्गुलीोटयति ।) વાસનિકા :- (ગુસ્સામાં ધમધમતી – કેટલો સ્વાભાવિક અનુવાદ છે !) અલ્યા ભીલડીના બચ્ચા ! જંગલી ! ભૂખાળવા ! એક તો મારું સ્થાન પડાવી લઈને નાચવા બેઠો છે ને પાછો મારી ઠેકડી કરે છે? જા, જ્યાંથી પાછા આવી જ ન શકાય એવી જગ્યામાં જઈને તું પડ ! (શબર સામે આંગળાં મરડે છે.). શવિર :- आः दास्याः पुत्रि ! पुरुषप्रवञ्चनैकचेष्टोपष्टम्भपुष्टे । निसर्गदौर्भाग्यदुष्टे । सौत्रिकब्राह्मणकपुत्रं मामथ (अधि) क्षिपसि तत्त्वं तत्र गच्छ यत्र मम प्रथमं कौपीनवस्त्रं गतं । શબર :- અરે દાસપુત્રી ! ધૂતારી ! અભાગણી! શ્રોત્રિય બ્રાહ્મણના દીકરાને પણ તું શાપ આપે છે? તારી આ હિંમત ? તો હવે સાંભળી લે ! તું ય ત્યાં જઈને પડજે જ્યાં મારું પહેલું બાળોતિયું ફેંકેલું. આ આખું દૃશ્ય રંગમંચ પર આવેલી તાજપભરી હવાનો નિર્દેશ કરે છે. જેમ નાટકને કોઈ સાંપ્રદાયિકતા નડી નથી તેમ અનુવાદક પણ અગ્રણી જૈનમુનિ અને પ્રબોધક છે પણ તેમને અનુવાદમાં આવી કોઈ મર્યાદા નડી નથી Page #18 -------------------------------------------------------------------------- ________________ 17 તે એક સંસ્કૃત સાહિત્યનો સુભગ અકસ્માત છે. રામભદ્ર મુનિનું સંસ્કૃત ભાષા પરનું પ્રભુત્વ તો નાટકમાં પદે પદે જણાય છે. નાટક-સમગ્ર અને સંવાદો ગૌડી શૈલીમાં પ્રયોજાયાં હોવાથી કંઈક અંશે નાટક ક્લિષ્ટ બન્યું છે. પણ ભાષાકીય રીતે આ પ્રૌઢિ આકર્ષક છે. તેની करगृहीती किन्तु महेभ्यकुलोत्पन्ना स्वैरिणी काचिदित्यनुमानतो निश्चीयते । यदि वा મિનયા પ્રસ્તુતપ્રયોગનવિMwારિથી મીમાંસા / અથવા બ્લેષ્મવિઝારા અપ સ્મારામાં માથાતિ તથે ટુર્નનાનપIઋરિણામ | અથવા વિશુદ્ધવૃદ્ધિનરોડયો નાદ્યાન્નપૂષ્ણુતસ્વનિગ્રહવાનિ ! આવાં સર્વ વાક્યો અને શૈલી આપણને પ્રશિષ્ટ નાટકોનું અને ભવભૂતિનું સ્મરણ કરાવે છે. સંસ્કૃત નાટ્યસાહિત્યમાં કાલિદાસ જો એક પરંપરા હોય તો, ભવભૂતિ પણ અપરા પરંપરા છે, જેનું અનુસરણ મધ્યકાલીન સંસ્કૃત નાટ્યકારોએ કર્યું છે. કાલિદાસીય પરંપરાનું-પ્રશિષ્ટ યુગમાં (પહેલી સહસ્રાબ્દીમાં) પૂરતું અનગમન થયું છે ને પછીના યુગમાં (બીજી સહસ્રાબ્દીમાં) ભવભૂતિનું અનુસરણ થયું હોય તો તેનું એક કારણ, વિષયવસ્તુની દૃષ્ટિએ ભવભૂતિ અનુગામી નાટ્યકારોને સમાનધર્મા જણાયા ને તેમની શૈલીનું (ભાષાપ્રભુત્વ તો સર્વ સંસ્કૃત સાહિત્યસર્જકોમાં હોય !) અનુકરણ કરવું પણ આ પંડિત-નાટ્યકારો માટે સરળ હતું. રામભક્તિનો પણ આ યુગમાં પ્રકર્ષ થયો અને તેને કારણે મધ્યકાલીન યુગમાં રામકથા આધારિત નાટકો પણ પુષ્કળ લખાયાં, જેમનો આદર્શ પણ ભવભૂતિનાં રામકથા-આધારિત રૂપકો રહ્યાં. ભાષાની પ્રૌઢિમાંથી ઉદ્ભવતી શૈલીની ક્લિષ્ટતામાંથી અનુવાદ સંપૂર્ણપણે મુક્ત છે એટલું જ નહીં પણ અનુવાદકે પોતાની સર્જનાત્મક પ્રતિભાનાં પણ સ્તુલ્લિગો ચમકાવ્યાં છે. અનુવાદ મૂળની સાથે ક્યારેક છૂટ લેતો હોવા છતાં મૂળને વધારે સુબોધ-સુગમ્ય બનાવીને મૂકે છે. અને આ રંગમંચને વધારે અનુકૂળ બને છે. સસ્કૃદં મવ7ોવાનો લોલુપ નજરે નિરખતાં કે સર્વમિવનો હરખપદૂડો થઈને, કે સરોવંનું ફૂગરાતી–જેવા અનુવાદોમાં તળભૂમિની સુગંધનો પમરાટ છે. તો ક્યારેક શીલચંદ્રવિજયજીએ અનુવાદમાં ઊંચા પ્રકારની સર્જકતા દાખવી છે, અને તે પણ ચમત્કૃતિભરી સર્જકતાનો ઉન્મેષ છે ! Page #19 -------------------------------------------------------------------------- ________________ 18 નલિની-કમળવેલ સૂર્યની આરતી ઉતારવા સજજ બને છે, તેનું ચમત્કૃતિભર્યું વર્ણન રામભદ્રમુનિએ ત્રીજા અંકમાં કર્યું છે. વિકસેલાં કમળોના થાળમાં, હિમકણોના શ્વેત અક્ષતો રાખી, અબીલ તે કમળની પરાગરજ, ભમરાઓ-દુર્વાશ્કરો, દધિ તો હંસ, કેસરસમૂહ તે થરકતી જ્યોતિવાળી દીપિકાઓ સાથે, નલિની પ્રાતઃકાળના સૂર્યની આરતી ઉતારવા તત્પર બની છે. હવે મહારાજસાહેબનો અનુવાદ જુઓ. આ સંસ્કૃત પદ્યને આરતી રૂપે જ ગુજરાતીમાં ઢાળ્યું છે. જય જય આરતી સૂર્ય દિગંદા, રન્નાદે મન પરમાણંદા વિકસિત કમલ તણો છે થાળ, હિમકણના અક્ષત સુરસાળ છે મકરંદ સુગંધિત ચંદન, લીલી ધરો તે ભૃગ સગુંજન (સગુંજન એ અનુવાદકનો ઉમેરો છે !) દધિમંગલ તે હંસ સલૂણા, દીવી કેસરપુંજ સુવર્ણ નલિની સજ્જ થઈ રહી થાળ, કરતી આરતી સૂર્યની ભાળ જય જય આરતી સૂર્ય દિગંદા, તિમિર હરી જે જયોતિ કરંદા. આ મહારાજશ્રીનો અનુવાદક તરીકેનો master-stroke - પ્રતિભાનો ઉન્મેષ છે. આ કેતકી કેવી છકી જેવું વાક્ય સ્વતંત્ર કવિતા બને છે. ક્યાંક અનુવાદક અપરિચિત કે અપ્રચલિત શબ્દપ્રયોગો પણ કરે છે. ભોંઠા પડવું કે ઝંખવાણા પડવું એ અર્થમાં વિલખા વદનેનો પ્રયોગ કે જેમનું-તેમનું અર્થમાં જસ-તસ જેવા જૂના ગુજરાતીના પ્રયોગો કે ચાટ પાડ્યો છે જેવો અસુભગ પ્રયોગ કે “ભારી' જેવા હિન્દીભાષી પ્રયોગો કે “પર્ણ શા ચર્ણ' જેવામાં પ્રાસ આણવા લીધેલી છૂટ જેવા પ્રયોગોને બાદ કરતાં મૂળ નાટકની, કવિની, આસ્વાદમાં વ્યવધાનરૂપ બનતી, ગૌડી શૈલીને બદલે, અનુવાદકની પ્રવાહી, ભાવાનુરૂપ, લયાન્વિત શૈલી નાટકના ભાવનમાં ઉદ્દીપક બને છે, અને અનુવાદ એક આલ્હાદક રસકીય અનુભવ આપનારો બની રહે છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ રસકીય અનુભવના સંદર્ભમાં, સદ્ગત શ્રીગોવર્ધન પંચાલે ઈ.સ. ૧૯૯૪માં આ સંસ્કૃત નાટકનું ઈન્ડીઅન ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેન્ટના ખુલ્લા પ્રાંગણમાં (બારમી સદીમાં ચૈત્યના પરિવેશની જેમ !) મંચન કર્યું હતું તેનું પણ આપણે અહીં સ્મરણ કરી લેવું જોઈએ. ગોવર્ધનદાદાની જીવનભર ભરતમુનિના નાટ્યશાસ્ત્ર પ્રમાણેના રંગમંચ-પ્રેક્ષકગૃહની શોધ રહી. ભરતમુનિના નાટ્યશાસ્ત્રના સંકેતો પ્રમાણે પ્રબુદ્ધરૌહિણેયનું તેમણે મંચન કર્યું અને નાટ્યરસિકોનો સમાદર પ્રાપ્ત કર્યો. બારમી સદીમાં એક મંચન પછી લગભગ સાતસો વર્ષે થએલું આ મંચન પણ એક અવિસ્મરણીય ઘટના હતી. અને સંસ્કૃત રંગમંચના ઇતિહાસની આ એક મહત્ત્વની વિગત છે. તો, આ અનુવાદ પણ સ્મરણીય અને રમણીય છે. આમ આ નાટક જૈન ધર્મની આબોહવામાં રોપાયું ને અંકુરિત ને વિકસિત થયું હોવા છતાં, ક્યાંય સાંપ્રદાયિકતાએ એની કળાને અળપાવી નથી, ને પ્રશિષ્ટ સંસ્કૃત નાટકની મહેક આ મધ્યકાલીન નાટકમાં પરિવર્તિત પરિવેશમાં પણ આમોદ પ્રસરાવી રહી છે. તેમ અનુવાદક પણ પોતે જૈનધર્મના કોઈ ચીલાચાલુ અર્થમાં ગૉડમેન-ધર્મપુરુષ નહીં પણ જૈન ધર્મના એક અગ્રણી સંતપુરુષ અને ઉપદેશક હોવા છતાં તેમના મનની મોકળાશ, સંસ્કૃત-ગુજરાતી ભાષા પરનું ડારી દેનારું પ્રભુત્વ, અને સાહિત્યિક સર્જનાત્મકતાને કારણે અનુવાદ પણ સરળ, પ્રવાહી અને સંતર્પક બન્યો છે. અને નાટકના કથાવસ્તુની ઘટનાનું રૂપક લઈને કહીએ (પૂરા આદર સાથે) તો અનુવાદ રૂપી ભવ્ય ચૈત્યનું અનુવાદકે નિર્માણ કર્યું છે, અને આપણને અનર્ગળ રસબોધ કરાવ્યો છે. આ માટે મહારાજસાહેબ, આપનો આભાર અને પ્રણામ ! Page #21 -------------------------------------------------------------------------- ________________ 20 ભજવણીની દૃષ્ટિએ થોડુંક અનાયાસે “ચરણદાસ ચોર' - ચિત્તમાં કબજો જમાવી બેઠું છે–સાથે સરખામણી થઈ જાય છે. કન્ટેન્ટ ખૂબ જ જાણીતું છે. સુંદર સુસ્પષ્ટ અક્ષરો, ઉચ્ચ ભાષા, ઊંડું જ્ઞાન, પ્રસંગોની શ્રેષ્ઠ ગોઠવણી (Construction). જૂની રંગભૂમિનાં નાટકો પ્રમાણે આ શ્રેષ્ઠ નાટ્યસ્વરૂપ લાગે છે. નાનાં દશ્યોમાં પાત્રોની સંખ્યા ઓછી છે. સારું છે. પણ ગેયતત્ત્વની ગેરહાજરી ધ્યાન બહાર રહેતી નથી. નાટકમાં આવતા જુદા જુદા પ્રસંગો જેમકે પ્રાર્થના, વિનંતી, લલકાર, પ્રણય, કોપ, દુઃખ વેર, આનંદ વિ. માટે દુહા, છંદ, હરિગીત અને વિવિધ રાગ પ્રયોજાતા હોય છે. જો નાટકમાં ગેય તત્ત્વ રાખવું હોય તો પ્રસંગોચિત રાગ પ્રયોજવાથી તે ખાસ પ્રસંગનો ઉઠાવ પ્રભાવિત બને છે. બીજા અંકમાં : પ્રથમ દૃશ્ય ખૂબ નાનું છે. બીજું દશ્ય, તેમાં છ દશ્યો સળંગ ભજવાય છે : ૧. રોહિણેય-શબરનું દૃશ્ય. ૨. શ્રેષ્ઠિપુત્રનાં લગ્ન - ગૃહપ્રવેશ પહેલાનું દશ્ય ૩. નર્તકીઓ-શબરનાં નૃત્યનું દશ્ય ૪. વાસનિકા – શબરનું દશ્ય. (નૃત્ય) ૫. સ્ત્રી (રોહિણેય સ્ત્રીરૂપે) બીજી સ્ત્રી (સાથીદાર) અનુક્રમે વર-વધૂને કાંધ પર બેસાડી નૃત્ય કરતાં કરતાં ભગાડી જાયનું દશ્ય. ૬. શ્રેષ્ઠી - રત્નાંગદના વિલાપનું દશ્ય આ છ દશ્યો શ્રેષ્ઠી-ભવનનાં પ્રાંગણમાં ભજવાય છે. અશક્ય ન કહીએ તો પણ કઠિન તો છે જ. છ અંક વધારે રૂકાવટ ઊભી કરશે. છ વખત પડદો પડે તે સિવાય પણ દશ્ય બદલવા પડદો પડે છે. વાર્તાના પ્રવાહને કારણે-પ્રસંગોને કારણે અસંખ્ય દૃશ્યબંધો રચવા પડ્યા છે. જે ગતિને અવરોધે અને બેક સ્ટેજ ટીમની કસોટી કરી લે તેવું કપરું કામ છે. નાનાં મોટાં કુલ ૩૮ પાત્રો ને સાચવવા માટે બીજા ઓછામાં ઓછા Page #22 -------------------------------------------------------------------------- ________________ 21 ૧૫ સહાયકો ડિસ-મેકપ બદલવા માટે) જોઈએ (૫૧) ૩ (Minimum) સંગીત સહાયક, ૫ મેકપ, સ્ટેજ ક્રાફટ માટે ૫ (પાંચ) = ૬૬. ૭૦ જણની ટીમ જોઈએ. (આશરે). તે સિવાય, નર્તકીઓ -૬, સાથી-૩, સ્તુતિ પાઠકો-૫, વણિકજનો-૫, ગંધર્વગણ-૫ = ૨૪ કૃતિના સાહિત્યમૂલ્યને કોટિ કોટિ વંદન. પાત્રો અંક-૧ ૧. સૂત્રધાર (ડાયરેક્ટર પોતે) ૧૯. કુંતલ ૨. પારિવાર્ષિક ૨૦. રાંધુલ ૩. સિંહલ ૨૧. ધન ૪. રવિંજલ ૨૨. કીનાશ ૫. રૌહિણેય ૨૩. વણિકજનો-(૫) ૬. યુવાન ૨૪. અભય ૭. યુવતી અંક-૪ ૮. શબર ૨૫. કપિંજલ અંક-૨ ૨૬. વંજુલ ૯. પર્વતક ૨૭. વ્યાધ્રમુખ ૧૦. રત્નાંગદ ૨૮. કર્કટાક્ષ ૧૧. શ્રેષ્ઠી ૨૯. પિંગલા ૧૨. નર્તકીઓ-(૬) અંક-૫ ૧૩. મનોરમાં ૩૦. ચારણ ૧૪. સેવક ૩૧. ચાંડાલ ૧૫. વાનિકા ૩૨. શીધ્રગતિ અંક-૩ અંક-૬ ૧૬. લલિતાંગ ૩૩. દ્વારપાલ ૧૭. સ્તુતિ પાઠકો (૫) ૩૪. ભરત ૧૮. રાજા ૩૫. પુરુષ Page #23 -------------------------------------------------------------------------- ________________ 22 به ي ૩૬. ચંદ્રલેખા ૩૭. પત્રલેખા ૩૮. જ્યોતિપ્રભા ૩૯. વિદ્યુતપ્રભા ૪૦. પ્રતીહાર ૪૧. ગંધર્વગણ (૫) નાનાં મોટાં પાત્રો - નર્તકીઓ સ્તુતિપાઠકો - સાથી વણિકજનો ગંધર્વગણ પાત્રો કુલ્લે સંગીતમેકપસ્ટેજક્રાફ્ટ ته - ૦૩ ૦૫ ૦૫. ૩૮ ૭૫ ૫ લાઇટ-માઈક, સ્ટાફ અલગ. – એલ.એલ.ચિનિયારા આદિપુર (કચ્છ) (અનુવાદકની નોંધ : અંક-૪માં ભગવાન મહાવીરની વાણી રૌહિણેયને સંભળાય છે, તે પ્રસંગમાં ભ. મહાવીરનું પાત્ર દશ્યમાં લાવવું અનિવાર્ય બને છે. આ માટે સ્ટેજ પર-પડદારૂપે સમવસરણનું-ધર્મસભાનું ચિત્ર દષ્ટિગોચર થાય, અને નેપથ્યથી માલકૌંસ રાગમાં ધીર-ગંભીર સ્વરોમાં ભ. મહાવીરનું ગાન કર્ણગોચર થાય; ગાયક ન દેખાય, તબલાં-મૃદંગનો તાલ ન હોય; માત્ર તંતુવાદ્ય કે કંઠવાદ્ય દ્વારા સૂરની પૂરવણી થતી હોય; સ્ટેજ પર કાંટો કાઢતો રૌહિણેય જ માત્ર હોય, આ રીતની યોજના કરવાથી અભિનય ખૂબ ગરિમામય બની શકે. વધુમાં, ગુજરાતી પદ્ય-ગાન કરતાં પૂર્વે જો મૂળ સંસ્કૃત પદ્યનું ગાન પણ કરી શકાય તો તે વધુ અસરકારક બની શકે.) Page #24 -------------------------------------------------------------------------- ________________ નમો નમઃ શ્રીગુરુનેમિસૂરયે ॥ ઇતિહાસ અને ઉપક્રમ ઃ પ્રબુદ્ધરૌહિણેયના પરિપ્રેક્ષ્યમાં (૧) ગુજરાત જ્યારે ગુર્જર રાષ્ટ્ર હતું ત્યારે, ચાપોત્કટ-સોલંકી-વાઘેલાકાલીન મધ્યયુગમાં, જૈન સાધુઓ અને ગૃહસ્થ વિદ્વાનોએ સંસ્કૃત સાહિત્યક્ષેત્રે અદ્ભુત સર્જનાત્મક પ્રદાન કર્યું છે. જૈન ઐતિહાસિક સંદર્ભગ્રન્થો જોવાથી આ સર્જનની વિપુલતા અને વિવિધતાનો અડસટ્ટો મળી રહે છે. મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ની સર્વપ્રથમ ટીકા ‘સંકેત' એક જૈન સાધુ-કવિની રચના છે. પ્રકાંડ નૈયાયિક ગંગેશ ઉપાધ્યાયના મહાન ગ્રન્થ ‘ચિન્તામણિ’માં આવતાં ‘સિંહ-વ્યાઘ્રલક્ષણો'નાં નામ જેમના નામથી પડ્યાં છે તે બે જૈન સાધુ-તાર્કિકો હોવાની અનુશ્રુતિ છે. વાદી દેવસૂરિના રત્નાકરરૂપ તર્ક-ગ્રન્થો હોય કે હેમચન્દ્રાચાર્યનાં પંચવિધ અનુશાસનગ્રન્થો હોય, બધાં આ યુગનાં જૈન સર્જનો છે. અને આવા મહાન સર્જકોના તત્ત્વાવધાનમાં પાંગરેલા, રામચન્દ્ર-ગુણચન્દ્ર, શ્રીપાલ, સિદ્ઘપાલ, વિજ્યપાલ, યશશ્ચન્દ્ર, અને ત્યાર પછીના આ.અમરચન્દ્ર, બાલચન્દ્રસૂરિ, વસ્તુપાલ વગેરેએ રચેલાં (કેટલાંક પ્રાપ્ત, કેટલાંક ઉલ્લેખપ્રાપ્ત) કાવ્ય-નાટક આદિ સાહિત્યનો મૂલ્યવાન ભંડાર જોવા બેસીએ ત્યારે હૃદય આનન્દ અને ગૌરવની અનુભૂતિથી તૃપ્ત થઈ જાય છે. માલવદેશની વિદ્યાના નૂતન વહેણને ગુજરાતમાં ખેંચી આણવાનું અને જીવંત-પ્રવાહિત કરવાનું-રાખવાનું શ્રેય મુખ્યત્વે આ જૈન કવિઓને ફાળે જાય છે, એમ કહીએ તો તે અત્યુક્તિ નથી. અલબત્ત, બિલ્હણ કે સોમેશ્વરદેવ જેવા અનેક અજૈન સર્જકોનું યોગદાન પણ નાનું સૂનું નથી જ; પરંતુ તેમનું પ્રેરણાબળ અને આશ્રયસ્થાન જૈન સાધુઓ તથા શ્રાવક વિદ્વાનો જ હતા તે તો સ્વીકારવું જ રહે. જૈન સાધુ-સર્જકોની આ ઉત્કૃષ્ટ પરંપરામાં ઉદ્ભવેલી એક સશક્ત સર્જકતા તે મુનિ રામભદ્ર. ગુર્જરપતિ સિદ્ધરાજ જયસિંહની રાજ્યસભામાં, શ્વેતામ્બર જૈનોના પરાભવ માટે જ ગુજરાતમાં આવેલા દિગમ્બર જૈન આચાર્ય મહાવાદી કુમુદચન્દ્રને શાસ્ત્રાર્થમાં ભવ્ય પરાજય આપનાર વાદી શ્રીદેવસૂરિના પ્રશિષ્ય તથા આ જ્યપ્રભસૂરિના શિષ્ય એવા આ રામભદ્ર મુનિનો સત્તાસમય વિક્રમનો તેરમો શતક છે. તેમણે અન્ય કેટલી તથા કઈ રચનાઓ કરી છે તેનો ઉલ્લેખ તો અપ્રાપ્ય છે, પરંતુ તેમણે રચેલું, ‘પ્રકરણ’ પ્રકારનું, એક મજાનું Page #25 -------------------------------------------------------------------------- ________________ 24 નાટક અવશ્ય ઉપલબ્ધ થાય છે – “પ્રબુદ્ધ રોહિણેય”. અભુત રચના છે આ. ભગવાન મહાવીરના સમયમાં બનેલી એક વિલક્ષણ ઘટનાની ફૂલગૂંથણી કરી આપતી રચના છે આ. એનો મૂળ ઉદેશ્ય ભગવાન મહાવીરની વાણીનો મહિમા વર્ણવવાનો ભલે છે, પરંતુ તે ઉદેશને અત્યન્ત ગર્ભિત જ રહેવા દઈને રૌહિણેયના જીવન-પ્રસંગોને જે નિપુણતાથી કવિએ ઉપસાવ્યા છે તે ભારે મનમોહક છે. નાટકનું નામ છે : પ્રબુદ્ધ રૌહિણેયમ્અર્થાત પ્રબોધ પામેલો–જાગી ઉઠેલો રૌહિણેય. (૨) આપણે ત્યાં, ગુજરાત-રાજસ્થાનમાં, જિનમન્દિરોના પ્રાંગણમાં નાટકો ભજવાતાં હોવાના અઢળક ઉલ્લેખો પ્રાપ્ત છે. વસ્તુતઃ તો નાટકોની રચના જ મન્દિરોના નિમિત્તે થતી. મન્દિરની સ્થાપના, ધ્વજારોપણ, વાર્ષિકોત્સવ કે પછી કોઈ વિશેષ નિમિત્તે વિશેષ અષ્ટાહ્નિકાદિ મહોત્સવ - આવા આવા અવસર હોય ત્યારે તેને અનુલક્ષીને નવતર નાટક પ્રસ્તુત કરવાનો આગ્રહ તે તે મન્દિરના નિર્માતા કે ઉત્સવોના પ્રણેતાઓનો રહેતો. તેમની ઉચ્ચ રસ-રુચિને અનુરૂપ નાટકની રચના, કુશળ કવિ-સાહિત્યિક દ્વારા થતી. અને છેવટે તેનું મંચન, નિપુણ નટસમૂહ દ્વારા તે તે અવસરે થતું. અને રસજ્ઞ નાગરિકોનો વિશાળ સમૂહ, મોડી રાત પર્યન્ત, તે મંચન નિરખવારસાનુભૂતિ પામવા, હમેશાં ઉપસ્થિત રહેતો. મધ્યકાળનાં “પ્રબુદ્ધ-રૌહિણેય' જેવાં અનેક નાટકોની પ્રસ્તાવના જોવાથી આ વિધાનને સમર્થન મળતું અનુભવાશે. વળી, આ રીતે જૈન મન્દિરોમાં ભજવાતાં નાટકોની કથાવસ્તુ “જૈન” એટલે કે જૈનધર્મના કોઈક વિચાર કે પ્રસંગ સાથે સંકળાયેલ જ હોય એવો પણ કોઈ નિયમ ન રહેતો. નાટકની કથાવસ્તુ જૈન સિવાયના વિષયની પણ રહેતી. અનિવાર્યતા હોય તો કેટલી જ કે તે નાટક અપૂર્વ હોવું જોઈએ, મંચનક્ષમ હોવું જોઈએ, અને વળી શ્રોતા-પ્રેક્ષકોને રસનિમગ્ન બનાવનાર હોવું જોઈએ. બિલ્ડણ કવિનું કર્ણસુન્દરી” નાટક પાટણના મહામંત્રી શાન્ત-સંપન્કર મહેતાના જિનમન્દિરના મહોત્સવ નિમિત્તે સર્જાયેલું તથા ભજવાયેલું–તેવી ઐતિહાસિક વિગત આના સમર્થનમાં ટાંકી શકાય. જિનમંદિરમાં નાટક ભજવાવાની વાત આવે તો તદ્દન અજુગતી, અપ્રસ્તુત, હાસ્યાસ્પદ અને જડ સાંપ્રદાયિકો માટે તો ડૂબી મારવા જેવી લાગે. Page #26 -------------------------------------------------------------------------- ________________ 25 પરંતુ ઇતિહાસના પાનાં ફેરવીએ તો, અને આવી નાટ્યરચનાઓ વાંચીએ તો, તરત ખ્યાલ આવે કે આપણા પૂર્વજો, મહાન જૈનાચાર્યો તેમજ મહાન શ્રાવકોસંઘોની નજર સમક્ષ જ, આપણાં ભવ્ય જિનાલયોમાં, આવાં નાટકો ભજવાતાં હતાં, અને જૈન-જૈનેતર સમગ્ર જનતા ઉપરાંત રાજાઓ અને મંત્રીઓ પણ તે જોવા ઉપસ્થિત રહેતા હતા. આપણાં દેરાસરોજિનમન્દિરોના નિર્માણ સાથે સંબંધ ધરાવતી શિલ્પશાસ્ત્રીય પરિભાષામાં બે શબ્દો બહુ ધ્યાનપાત્ર છે : ૧. રંગમંડપ, ૨. પ્રેક્ષામંડપ. ભવ્ય જિનાલયોમાં (તેમજ નાનાં ચૈત્યોમાં પણ) ગર્ભગૃહ પૂરો થાય પછી અમુક હદથી અમુક હદ સુધીના વિભાગને રંગમંડપ કે નૃત્યમંડપ તરીકે શિલ્પશાસ્ત્ર વર્ણવે છે. (આજે પણ જૈનોનો નાનો બાળક પણ “રંગમંડપ' શબ્દ જાણતો-બોલતો હોય છે.) અને તે રંગમંડપની હદ સમાપ્ત થાય કે તરત, તેની પછી આવતા મંડપને ને પ્રેક્ષામંડપ (કે ખેડામંડ૫) કહેવામાં આવે છે. આ શબ્દો જ સૂચવે છે કે રંગમંડપમાં નૃત્ય તથા નાટકનાં પ્રયોજનો રચાતાં હશે, તો પ્રેક્ષામંડપમાં જોનારા દર્શકો-ભાવકોનું સ્થાન રહેતું હશે. ભગવાનના દરબારમાં સામાન્ય જનસમૂહને આકર્ષવા માટે, પોતાના ચૈત્યનો મહિમા તથા ખ્યાતિ વધારવા માટે, ભગવાનની નૃત્ય-નાટ્યભિનય વગેરરૂપ ભક્તિના પ્રકારલેખે, સંપન્ન સગૃહસ્થો આવા ઉપક્રમો રચાવતા હોય, તેમ નિસંકોચ કલ્પી શકાય. આજે પણ આપણાં દેરાસરોમાં રાત્રે મોડા સુધી ભાવના'રૂપે ગાવા-વગાડવાનું, તેમાં રાસ, કથાગીત તથા નૃત્ય કરવાનું પ્રયોજન વ્યાપકપણે જોવા તો મળે જ છે. એ બધાંમાં જેમ કોઈને અયુક્ત કે વિરાધના નથી લાગતાં, તેમ મધ્યકાળના લોકોને આ પ્રકારના નૃત્ય-નાટ્યાભિનયાદિમાં પણ તે ન લાગતાં હોય તો તે શક્ય છે. અને હેમચન્દ્રાચાર્ય જેવા સેંકડો મહાન ધુરંધર આચાર્યોએ પણ આ પ્રથાનો નિષેધ-વિરોધ કર્યો હોય તેવું હજી સુધી તો ક્યાંય જાણવા-વાંચવા મળ્યું નથી. બલ્ક તે આચાર્યોએ કે તેમના શિષ્યોએ તો આવાં પ્રયોજનો માટે જ નાટ્યરચનાઓ કરી હોવાનું જાણવા મળે છે. પ્રસ્તુત નાટક “પ્રબુદ્ધ રૌહિણેય પણ રામભદ્રમુનિએ, ચાહમાન-ચહુઆણ કુળના શ્રીયશોવીર અને શ્રીઅજયપાલે નિર્માવેલા, જાલોરના શ્રી આદિનાથ ચૈત્યના મહોત્સવ પ્રસંગે ભજવવા માટે જ સર્યું છે, તેમ આ નાટકની પ્રસ્તાવના જોતાં જાણી શકાય છે. મદિરોમાં–ખરેખર તો જાહેરમાં- નાટકો ભજવવાની આ રસપ્રદ પરંપરા Page #27 -------------------------------------------------------------------------- ________________ 26 ક્યારથી બંધ પડી તે વિષે કોઈ સ્પષ્ટ કે અસ્પષ્ટ નિર્દેશ મળતા નથી. એવું અનુમાન થાય છે કે મૂર્તિભંજકોનાં આક્રમણો વધી ગયાં હશે ત્યારથી આ પ્રવૃત્તિ સંકેલી લેવામાં આવી હશે. કેમકે મન્દિર અને મૂર્તિનો ભંગ, સ્ત્રીજન પર અત્યાચાર અને નિર્દોષોને અકારણ હણવા-લૂંટવાની વૃત્તિ-એ બધું જ આવા જાહેર સમારંભો થતાં રહે તો વધુ વકરે; એના કરતાં એવા પ્રસંગો જ ટાળી દેવા એ વધુ શ્રેયસ્કર–આવા શાણપણથી પ્રેરાઈને તત્કાલીન સામાજિકોએ આ બધાં પ્રયોજનો બંધ કરાવી દીધાં હોય તેમ માની શકાય. અર્થાત્, આ પ્રયોજનો બંધ કરાવવા પાછળ કોઈ આશાતનાના કે આ અયોગ્ય હોવાના ખ્યાલે ભાગ ભજવ્યો નથી; પરંતુ મન્દિરથી માંડીને જીવનની સુરક્ષાની સમયોચિત અનિવાર્યતા જ તેમાં કામ કરી ગઈ છે – એમ માનવાનું વધુ સમુચિત-સુસંગત લાગે છે. આનું સીધું પરિણામ એ આવ્યું કે ચૌદમા શતક પછી જૈન વિદ્વાનો દ્વારા નાટકોની રચના થવાનું લગભગ બંધ પડી ગયું. તેમની કલમ સાહિત્યના અન્યાન્ય પ્રકારોના નિર્માણમાં, પછી, વળી અને વહેતી રહી જરૂર; પણ નાટ્યરચનાઓ મળવાનું તો બંધ જ થઈ ગયું. જલદી નજરમાં ન આવે તેવો આ સાંસ્કૃતિક હૂાસ, જો ઊંડા ઊતરીએ તો, કેટલો બધો તીવ્ર છે ! કેટલો હાનિપ્રદ બન્યો છે ! આમાં માત્ર થોડીક પ્રશિષ્ટ કે શિષ્ટ રચનાઓ ગુમાવવાની થઈ તેટલો જ સવાલ નથી; આમાં તો એક જીવંત-રસિક સમાજની આખી જીવનશૈલી કેવી રીતે અસ્ત થઈ ગઈ કે ધરમૂળથી બદલાઈ ગઈ – તે સમજવાનું જ મહત્ત્વપૂર્ણ છે. પ્રબુદ્ધ રૌહિણેયની વાત નીકળે ત્યારે બે નામ જરૂર સ્મરણમાં આવે – શ્રીગોવર્ધન પાંચાલ તથા શ્રીહરિવલ્લભ ભાયાણી. શ્રીપાંચાલની એક તીવ્ર ધખના કે ગુજરાતમાં પૂર્વે સંસ્કૃત નાટકો ભજવવાની જીવંત પરંપરા હતી, તે આજે પુનઃ જીવતી કેમ ન થાય ? કરવી જ જોઈએ; મારે તે કરી બતાવવી છે. પોતાની આ ધગશને સાકાર બનાવવા માટે તેમણે, ગુજરાતમાં બનેલું હોય, ગુજરાતમાં (પૂર્વે) ભજવાયેલું હોય, કોઈ ગુજરાતી દ્વારા રચાયેલું હોય અને વળી મંચનક્ષમ હોય, સરળ હોય, તેવા નાટકની શોધ ચલાવી. અને તેમને કહ્યું “પ્રબુદ્ધ-રૌહિણેય'. તેમને બહુ ભાવી ગયું આ નાટક. તેમણે તેનું આધુનિક મંચન કરવાનું નક્કી કરી લીધું અને તે માટે છ અંકનો પ્રસ્તાર ધરાવતા નાટકમાં અવસરોચિત સંક્ષેપ પણ કરી વાળ્યો. સાથે જ તેમાં પાત્રાભિનય કરનારા અભિનેતા ભાઈ-બહેનોનું વૃન્દ પણ તેમણે કેળવ્યું. Page #28 -------------------------------------------------------------------------- ________________ 27 આમાં તેમને એક સ્થાને પ્રશ્ન એ ઉદ્ભવ્યો કે “મહાવીરસ્વામીનું પાત્ર નાટકમાં કેવી રીતે પ્રયોજવું ? સાક્ષાત્ “મહાવીર' તરીકે તો કોઈ પાત્ર મૂકાય નહિ; ધાર્મિક દૃષ્ટિએ પણ અને નાટ્યકલાની રીતે પણ તે અયોગ્ય ગણાય. આ સમસ્યાના ઉકેલ માટે તેમણે તેમના મિત્ર ડૉ. ભાયાણીનો સંપર્ક સાધ્યો. ડૉ. ભાયાણી તેમને લઈને મારી પાસે આવ્યા. અમે સાથે બેસીને આનો ઉકેલ આણી શક્યા એ ક્ષણ મારા માટે અવિસ્મરણીય છે. પરંતુ એ વેળાએ શ્રીગોવર્ધનભાઈમાં. ગુજરાતમાં સંસ્કૃત નાટકો માટેની રંગભૂમિ સર્જવા માટેનો અને પ્રશિષ્ટ નાટકોનું મંચન કરવા માટેનો જે સાત્ત્વિક અભિનિવેશ જોવા મળ્યો તે ખરેખર અનુપમ અનુભવ હતો મારા માટે. તેમણે કહ્યું કે “કેરળ પ્રાન્તમાં આજની તારીખે પણ નિયમિતપણે સંસ્કૃત નાટકો ભજવાય છે. તે પણ આધુનિક રેડિયો-રૂપકોની જેમ નહીં; પ્રાચીન-પ્રણાલિકાગત એટલે કે ભરતનાટ્યશાસ્ત્રના તમામ નીતિ-નિયમોના બંધનમાં રહીને, નાટ્યાનુરૂપ સમગ્ર સાજસજ્જા તથા વેશભૂષા વગેરે પૂર્વક ભજવાય છે, અને હજારોની મેદની તે માણે છે. જો કેરળમાં આજે પણ પુરાણાં નાટકો જીવંત રીતે ભજવી શકાતાં હોય, તો ગુજરાત પાસે પણ પોતાનાં કહી શકાય તેવાં પ્રશિષ્ટ નાટકોનો વિપુલ વારસો છે; નાટ્યાભિનયની પુરાણી પદ્ધતિ પણ છે; તો આજે તે નાટકોની ભજવણી ગુજરાતમાં કેમ ન થઈ શકે ? મારી આ વાત આધુનિકોને હાસ્યાસ્પદ અથવા અશક્ય લાગે છે, પણ આ વાતને વાસ્તવિકતામાં મૂકી આપવા માટે હું કૃતસંકલ્પ છું.” એક પગે તકલીફ, પાકટ ઉંમર, ટાંચા સાધનો, આ બધું હોવા છતાં શ્રીપાંચાલે પોતાનો એ સંકલ્પ ચરિતાર્થ કરી બતાવ્યો, અને આમંત્રિતોની વિશાળ ઉપસ્થિતિમાં IM (અમદાવાદ)ના સરસ મંચ પર, શુદ્ધ સંસ્કૃતમાં અને પરંપરાગત ઢબથી, “પ્રબુધ્ધ રૌહિણેય” નાટક તેમણે તથા તેમના કેળવેલા વૃન્દ શ્રેષ્ઠ રીતે ભજવી બતાવ્યું. શ્રીપાંચાલની ભાવના, ગુજરાતમાં તથા ભારતમાં ઠેર ઠેર આ નાટક ભજવવાની હતી. પરંતુ આર્થિક સહયોગની સદંતર ગેરહાજરી, અને પોતાની વૃદ્ધાવસ્થાને કારણે તેમની તે ભાવના ફલીભૂત ન નીવડી. આમ છતાં, ગુજરાતીઓ ધારે તો આવું કઠિન કે વિકટ કામ-લુપ્ત ધારાને પુનઃ જીવિત કરવાનુંપણ કરી શકે છે, તેનો અહેસાસ તો તેમણે કરાવી જ આપ્યો. Page #29 -------------------------------------------------------------------------- ________________ 28 (૪) આ પછી બરાબર એક દાયકે “પ્રબુદ્ધ રૌહિણેય” સાથેનો વીસરાયેલો અનુબંધ પુનઃ તાજો થાય તેવો પ્રસંગ રચાયો. મારા ધર્મમિત્ર મુનિશ્રી ભુવનચન્દ્રજીનો પત્ર આવ્યો કે “પ્રબુદ્ધ રૌહિણેય'નું ગુજરાતી રૂપાન્તર તમે કરી આપો. આ માટે વસંતભાઈ દેઢિયા તમને મળવા આવશે.” હું મૂંઝાયો. નાટ્યશાસ્ત્ર મેં વાંચ્યું નથી, નાટક સાહિત્યનો મને કોઈ પરિચય નથી, કે “નાટક” એટલે શું તેની મને કદી ગતાગમ નથી પડી. એમાં એક નાટકનું ગુજરાતી રૂપાન્તર કરવું એટલે કેવું વિકટ કામ ? ત્યાં શ્રીદેઢિયા મળ્યા. તેમણે તેમની અપેક્ષા મને સમજાવી. તેમનું કામ પણ એક રીતે શ્રીગોવર્ધન પાંચાલ જેવું હતું. તેમને પણ આ નાટક બહુ ગમી ગયેલું, અને તેને ભજવવાનું તેમને તીવ્ર મન હતું. તેમણે આ નાટકના આધારે એક નૃત્યનાટિકાનું પણ સર્જન કરેલું. તે ભજવેલી પણ ખરી. પણ તેમને સંતોષ નહોતો થતો. તેમને તો મૂળ કૃતિનો સંસ્પર્શ ધરાવતું રૂપાન્તર ખપતું હતું. તે માટે તેમણે મને આગ્રહ કર્યો. મેં કહ્યું : હા ન કહું, પણ પ્રયત્ન અવશ્ય કરીશ. ભુવનચન્દ્રજીને પણ આવો જ જવાબ લખ્યો. ( નાટકોનો કે નાટ્યશાસ્ત્રનો અભ્યાસ કે જાણકારી ન હોવાની વાતને મેં ગૌણ બનાવી. મને થયું કે મારે તો ફક્ત ભાષાન્તર જ કરવાનું છે. આમાં મારી નાટ્યવિષયક સજ્જતા કરતાં વધારે તો અનુવાદકીય ક્ષમતાને જ પડકાર થાય છે. એટલે એ પડકાર ઝીલી લેવામાં કાંઈ ખોટું તો નથી. બહુ બહુ તો અનુવાદ નાપસંદ થશે. તો આપણું શું ઓછું થશે ? બલ્ક કાંઈક અધ્યયન કે સ્વાધ્યાય કર્યાનો આનન્દ તો રહેશે. પછી આવી અનુવાદની સમસ્યા. મારી સામે બે વાતો હતી : એક, આજનાં વિદ્યાલયોમાં ભણાવવા માટેનાં નાટકોના અધ્યાપકીય ભાષાન્તરો; જેમાં તરજુમિયા-લગભગ “મૃત' પ્રકારનાં – ભાષાન્તરો સિવાય કાંઈ હોતું નથી; એ વાંચીએ તો આપણી રહી સહી રસિકતા પણ મરણ પામે. અને બે, વસંતભાઈ દેઢિયાની અપેક્ષા એવા રૂપાન્તરની હતી કે જેના આધારે તેઓ આ નાટકને સમાજ સમક્ષ ભજવી શકે. આ એમની અપેક્ષા યોગ્ય પણ હતી; અને એને સંતોષી શકાતી હોય તો જ ભાષાન્તરનો પ્રયાસ કરવો ઉચિત, અન્યથા કલમને બંધ રાખવી જ હિતાવહ. Page #30 -------------------------------------------------------------------------- ________________ 29 આ બંને વાતો પરત્વે મેં દિવસો સુધી ચિન્તન કર્યા કર્યું. એમ પણ નક્કી કર્યું કે જો આ બે વાતોના પરિપ્રેક્ષ્યમાં કોઈ યોગ્ય પ્રક્રિયા કે પ્રકાર ન જડેન સૂઝે તો આ કામની અશક્તિ દર્શાવવાપૂર્વક ના જણાવી દેવી. ઘણાબધા મનોમન્થન પછી હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો કે નાટ્યમંચન એ મારો વિષય નથી. એટલે, ભજવણી કઈ રીતે કરવી, કે ભજવણી કરી શકાય તે રીતે આ નાટકને ગુજરાતીમાં કાંટછાંટ કરવાપૂર્વક ઢાળવું - એ વાત મારે છોડી જ દેવી જોઈએ. મારે માત્ર કર્તા અને કૃતિને વફાદાર રહીને આનો અનુવાદ કરવો ઘટે. પછી એનું મંચન કેમ કરવું, તે માટે શું કાંટછાંટ કરવી, તે તો રંગભૂમિવિદો પર જ નિર્ભર રહેવા દેવું. જેમ મૂળ કૃતિનું, આધુનિક રંગભૂમિ પર મંચન કરવાના અવસરે, શ્રીગોવર્ધન પાંચાલે સંપાદન-editing કરેલું, તેમ આ અનુવાદ-પરત્વે પણ તે વિષયના જ્ઞાતાઓ તે કરી જ લેશે. બલ્ક તે તેમણે જ અનિવાર્યપણે કરવું રહ્યું. હવે રહ્યો મુદ્દો અનુવાદનો. અનુવાદ બે રીતના થતા હોય છે : ૧. શબ્દશઃ અનુવાદ, ૨. ભાવાત્મક અનુવાદ. શાબ્દિક અનુવાદની ક્લિષ્ટતા તથા નીરસતાથી જેમ હું, તેમ શ્રી દેઢિયા પણ ત્રસ્ત હતા. તેમને પણ તેવા અનુવાદનો ખપ નહોતો, તેમ તેમના વક્તવ્ય પરથી મેં તારવેલું. તેથી ભાવાનુવાદ કરવાનો વિકલ્પ જ શેષ બચ્યો. ઘણાબધાં વર્ષો પહેલાં, ગુજરાતના આજના વયોવૃદ્ધ લોકસેવક શ્રી ચુનીભાઈ વૈદ્ય જ્યારે વડોદરામાં “ભૂમિપુત્ર'ના સંપાદક હતા ત્યારે તેમને મળવાનું બન્યું હતું. તેમના અનુવાદો એટલા બધા સરસ અને સંપૂર્ણ રહેતા કે તે વાંચવાની બહુ બહુ મજા આવતી, અને સાથે કુતૂહલ પણ રહેતું કે આટલા સરસ અનુવાદ થઈ શી રીતે શકે ? મારી આ જિજ્ઞાસાના ઉત્તરમાં તેમણે અનુવાદ-પ્રક્રિયા વિશે ખૂબ વિસ્તારથી મને સમજ આપેલી. આજે તે શબ્દો તો યાદ નથી. પણ તે સમગ્ર કથનનો ભાવ એવો હતો કે અનુવાદકે મૂળ કૃતિગત શબ્દોના અને તેની મારફતે તેના લેખકના-કર્તાના પેટમાંમનમાં પ્રવેશી જવાનું હોય. તે પેસતાં આવડી જાય તો પછી જે અનુવાદ નીપજે તે મહદંશે મૂળ સર્જક તથા સર્જનની પંગતમાં બેસી શકે તેવો હોય. “પ્રબુદ્ધ રૌહિણેયનું અનુવાદકર્મ આરંભતી વેળા મને આ વાતો યાદ આવી અને મેં એ પ્રમાણે મથવાનું નક્કી કર્યું. મેં વિચાર્યું કે રામભદ્ર મુનિના શબ્દ શબ્દનો અનુવાદ આપવાની જરૂર નથી. શબ્દોને જ માત્ર વળગી રહેવાનો કોઈ અર્થ પણ નથી. ૧૩મા શતકનો પરિવેષ જુદો હતો; ૨૧મી સદીનો પરિવેષ Page #31 -------------------------------------------------------------------------- ________________ 30 તેથી તદ્દન જુદો છે. વાત પ્રાચીન જ રહે, ભાવ પણ તે જ રહે, પરંતુ તેને આધુનિક સાહિત્યિક ભાષામાં ઢાળીએ તો તે, ૨૧મી સદીના ભાવકને ૧૩મી શતાબ્દીના પરિવેષમાં લઈ જનાર એક સબળ પ્રયત્નલેખે મૂલ્યાંકન પામી શકે. આથી મેં આ અનુવાદને રૂપાન્તર કે ભાષાન્તરને બદલે ભાવાનુવાદ તરીકે આલેખ્યો છે, અને તે રીતે જ ઓળખાવ્યો પણ છે. તેમાં હું સફળ છું કે નિષ્ફળ, તથા આ અનુવાદ બરાબર છે કે નહિ, તેનો વિવેક તથા મૂલવણી તો તજ્જ્ઞ વિદ્વાનો જ કરી શકે. અનુવાદમાં પરભાષી શબ્દોનો ઉપયોગ પ્રચુર માત્રામાં કર્યો હતો. પરંતુ મુનિશ્રી ભુવનચન્દ્રજી, માવજી સાવલા, વસંત દેઢિયા વગેરેએ તેની પ્રથમ હસ્તપ્રત વાંચી અને તે પ્રત્યે પ્રેમપૂર્વક મારું ધ્યાન દોર્યું. બીજી પણ કેટલીક ઝીણી ઝીણી ક્ષતિઓ તેમણે દર્શાવી. તે બન્ને પ્રકારનાં સૂચનો બદલ તેમનો હું આભારી છું. બીજી હસ્તપ્રત તૈયાર કરતી વેળા પરભાષી શબ્દો મહદંશે ગાળી નાખ્યા છે. અનિવાર્ય હોય તેવા ત્રણ ચાર સ્થળે જ તેવા શબ્દો રાખવા પડ્યા છે, જે ક્ષમ્ય બની શકે તેમ છે. પદ્યોના સમશ્લોકી અનુવાદ જ્યાં શક્ય બન્યા ત્યાં કર્યા છે. અન્યથા અન્યાન્ય છન્દોનો ઉપયોગ કોઈ છોછ વિના કર્યો છે. સમગ્ર નાટકમાં ગેય તત્ત્વ (મૂળમાં) નથી. મને લાગ્યું કે આજે જો આવી પ્રશિષ્ટ કૃતિ પણ ભજવવી જ હોય તો ગેય તત્ત્વ-ગીત વિના તે મોંઘી જ પડે. એટલે દરેક અંકમાં ક્યાંક ગદ્યખંડના, તો કેટલાંક પદ્યોના ભાવાનુવાદમાં “ગીત'રૂપે રૂપાન્તર કરેલ છે. શ્લોકને ગીતમાં ઢાળવા જતાં, મૂળના વિચાર કે પ્રસ્તુતિને માત્ર ઉપકારક બને તે રીતે પણ, કાંઈક નાનું નાનું ઉમેરણ કરવાનું આવશ્યક બન્યું છે. આશા છે કે આટલી છૂટને તજ્જ્ઞો ક્ષમ્ય ગણશે. આ “ગીતો’ને માટે કોઈ તર્જ કે રાગનું બન્ધન નક્કી ન કરતાં, (ગાન) તરીકે જ તે તે સ્થાને નિર્દેશ કર્યો છે. મંચનવેળાએ તેને શાસ્ત્રીય કે સુગમ ગાનપ્રકારમાં ઢાળી શકાય તેમ છે. અમુક શ્લોકોનો, કાં તો તે ત્રુટિત હોવાને કારણે, કાં તો તેમાં માત્ર (અનુવાદ માટે અનાવશ્યક) વર્ણન હોવાને કારણે, ગદ્યાત્મક કે પદ્યાત્મક અનુવાદ કર્યો નથી; મૂળ પાઠ સાથે સરખાવવાથી તે સ્થળો ધ્યાન પર આવી જશે. તો દ્વિતીય અંકમાં રત્નાંગદ–વામનિકાના સંવાદમાં કેટલાક અંશ અશ્લીલ જણાયાથી તેનો અનુવાદ પણ ટાળ્યો છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ 81 મૂળ ખ્યાલ માત્ર અનુવાદનું પ્રકાશન કરવાનો જ હતો. પરંતુ મને લાગ્યું કે “પ્રબુદ્ધ રૌહિણેય' - મૂળ કૃતિ તો વર્ષો અગાઉ (ઈ. ૧૯૧૮)માં પ્રકાશિત થઈ છે, જે આજે તો અલભ્યપ્રાય હોવા ઉપરાંત મોટા ભાગના ભાવકો માટે અજ્ઞાતપ્રાય પણ છે. તેમના અધ્યયન તથા આનન્દ માટે તેમજ તુલના કરી શકે તે માટે પણ, મૂળ નાટક-વાચના આ અનુવાદની સાથે જ છપાવી જોઈએ. મારી આ વાત જૈન સાહિત્ય અકાદમીએ માન્ય રાખી, તેનો સંતોષ છે. મૂળ નાટકનું સંપાદન, ઈ. ૧૯૧૮માં, તે સમયે ઉપલબ્ધ એકમાત્ર હસ્તપ્રતિના આધારે, મુનિશ્રી પુણ્યવિજયજીએ કર્યું છે; અને ભાવનગરની જૈન આત્માનન્દ સભાએ તેનું પ્રકાશન કર્યું છે. તે સંપાદનમાં પણ કેટલેક સ્થળે પાઠો ત્રટિત છે, જેની સૂચના જે તે સ્થળોએ સંપાદકે આપેલી જ છે. આવા બે-ત્રણ સ્થળોએ પાઠપૂર્તિ તેમજ પાઠશુદ્ધિ, મેં મારી મતિ પ્રમાણે સૂઝી તેવી કરી છે. દા.ત. અંક ૨, પૃ. ૨૨માં મોદાયે (?) તથા તેની ટિપ્પણીમાં મોદનવું () પાઠ છે, ત્યાં મેં મોહN – (મૌર્ય ?) આમ નોંધ્યું છે. અંક ૨, પૃ. ૨૮માં પુનઃ રૂગ્નિ તોદન (?) તથા તેની ટિ માં મોદન પાઠ છે, ત્યાં મેં સોહર્તા (મોત ?)(નવ) આમ કર્યું છે. અંક ૨, પૃ. ૩૬ (શ્લોક ૨૦ પછી) તછતિ નિશગતાં (2) રસામૃત નિશાન્તનું ત્યાં મેં તન્દુ સંસ્કૃત નિશા, સાંપ્રત નિશાન્ત, એમ કર્યું તો છે, પરંતુ તે સ્થળે તત્ જીત નિશા, અગતાં સાસ્કૃત નિશાન્તમ્ – એમ હોવું વધુ યોગ્ય લાગે છે. અંક ૫, શ્લોક ૮માં [.... લીના પાઠ છે, ત્યાં [વાદિતીનો] એમ કરેલ છે. અંક ૫, પૃ. ૭૭ પર (મુનવનાનું વિમો) છે, ત્યાં (મુગન્ધિનાનિ વિમોચ્ચે) કર્યું છે. અંક ૬, શ્લોક ૩૨ માં સાત વિશ્વમ તવ [છ7]ક્ત આ પ્રમાણે બ્રેકેટમાં ત્રુટિત પાઠ કલ્પીને ઉમેર્યો છે. અંક ૬, શ્લોક ૪૨ માં અન્તિમ પંક્તિમાં સુતીવ્રવીરવૃતાત્ છે, ત્યાં સુતીવ્રવી(વ)રવ્રતત્ કરેલ છે. વિદ્વાનો આમાં કોઈ ક્ષતિ હોય તો સુધારી લેશે તેવી શ્રદ્ધા છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ 32 (૬) અનુવાદની તક આપવા બદલ મુનિરાજ શ્રીભુવનચન્દ્રજી, માવજીભાઈ સાવલા તથા વસંતભાઈ દેઢિયાનો આભારી છું. આ અનુવાદ-ગ્રન્થનું પ્રકાશન જૈન સાહિત્ય અકાદમી દ્વારા થઈ રહ્યું છે, તે બદલ તેના કાર્યવાહકો શ્રીકીર્તિભાઈ વોરા અને શ્રી જેઠાભાઈ ગાલા વગેરેને ધન્યવાદ આપું છું. પ્રસ્તાવનારૂપે લેખ લખી આપનાર સંસ્કૃતજ્ઞ વિદ્વાન પ્રા. ડૉ. વિજય પંડ્યાનો, તેમજ માવજી સાવલાની ભલામણથી ટૂંકી પણ આવશ્યક નોંધ લખી મોકલનાર નાટ્યવિદ ડૉ. એલ.એલ ચિનિયારાનો આભાર માનું છું. “મૂકવાચન' એ એક એવું કસોટીભર્યું કામ છે કે તેમાં ભલભલા થાપ ખાધા વિના નથી રહેતા. મારી પણ આ જ સ્થિતિ છે. પુસ્તકના મુદ્રિત ફર્મા આ પળે મારી સામે છે. તેમાંથી પસાર થતાં કેટલીબધી નાની નાની ભૂલો રહી ગઈ છે તે નજરમાં આવે છે, ત્યારે થોડોક ખેદ થઈ આવે છે. સુજ્ઞ જનો તે સુધારીને વાંચે તેવી અપેક્ષા. ખાસ તો, પદ્યાનુવાદોના ક્રમાંકોમાં ગરબડ રહી ગઈ છે. ક્યાંક અંક આપવા (લખવા) રહી ગયેલ છે. ક્યાંક આઘાપાછા કે બેવડાય તે રીતે અંક અપાઈ ગયા છે. તે પણ સુધારીને વાંચવા અનુરોધ છે. છન્દોનાં નામ દરેક સ્થળે આપવાં જોઈએ, પણ તેમ નથી થઈ શક્યું. તેથી આ પાનાંઓમાં અલગથી અંકાનુસાર પદ્યોનાં છન્દનામોની નોંધ આપવામાં આવે છે. જિજ્ઞાસુઓને તે ઉપયોગી થશે તેવી આશા. “રુચિરા”ના નામે પ્રયોજાયેલા છન્દનો હિસાબ ગુજરાતી પિંગળ સાથે હોવાનું સ્મરણમાં છે. અહીં વારંવાર તે પ્રયોજ્યો છે, પણ તેના નામમાં કે માત્રામેળના હિસાબમાં કાંઈ ભૂલ રહી હોવાનું કોઈને જણાય તો તે ભૂલ અનુવાદકની છે, તે પણ સ્પષ્ટતા કરવી ઠીક લાગે છે. – શીલચન્દ્રવિજય ફાગણ શુદિ ત્રીજ, સં. ૨૦૫૯ તા. ૬-૩-૨૦૦૩, બેંગલોર Page #34 -------------------------------------------------------------------------- ________________ ભાવાનુવાદમાં આવતાં પદ્યોના છન્દનાં નામો અંક-૧ ૪. હરિગીત ૧૩. ગાન (પ્રભાતિયું) ૧. શાર્દૂલવિક્રીડિત ૫. મન્દાક્રાન્તા ૧૪. શિખરિણી ૨. રુચિરા ૬. શાર્દૂલવિક્રીડિત ૧૫. શાર્દૂલ0 ૩. ગાન ૭. સ્ત્રગ્ધરા ૧૬. સ્ત્રગ્ધરા ૪. વસન્તતિલકા ૮. ઉપજાતિ ૧૭. હરિગીત ૫. હરિગીત ૧૦. ગાન ૧૮, ૧૯, શાર્દૂલ૦ ૬, ૭. અનુરુભ ૧૧. હરિગીત ૨૦. અનુષ્ટ્રભ ૮. દૂહો ૧૨. ગાન ૨૧. ગાન ૯, ૧૦. હરિગીત ૧૩. સ્ત્રગ્ધરા ૨૨. શાર્દૂલ૦ ૧૧. ગાન ૧૪. શાર્દૂલ૦ ૨૩. ઉપજાતિ ૧૨. ઉપજાતિ ૧૫. અનુણુભ ૨૪. શાર્દૂલ0 ૧૩. દૂહો ૧૬, ગાન (અંક નથી) ૨૫. હરિગીત ૧૪. ગાન ૧૭. ઈન્દ્રવજા ૨૬. અનુષ્ટ્રભ ૧૫. હરિગીત ૧૮. આર્યા ૨૭. હરિગીત ૧૬. ગાન ૧૯. અનુષ્ટ્રમ્ ૨૮. ગાન ૧૭. આર્યા ૨૦. હરિગીત ૧૮. ઉપજાતિ અંક-૩ ૧. હરિગીત ૧૯. સ્રગ્ધરા ૧. ગાન ૨. અનુષ્ટ્રભ ૨૦. હરિગીત ૨. ગાન ૩,૪. શાર્દૂલવિક્રીડિત ૨૧. શાર્દૂલવિક્રીડિત ૩. અનુષ્ટ્રભ ૫. ચિરા ૨૨. ઉપજાતિ ૪. આર્યા ૬. શિખરિણી ૨૩. શાર્દૂલ૦ ૫. અનુષ્ટ્રભ ૭. ગાન ૨૪. સચિરા ૬. હરિગીત ૮. શાર્દૂલ0 ૨૫. દૂહો ૭. ચિરા ૯. દૂહો ૨૬. ગાન ૮. ગાન ૧૦. અનુરુભ (૨૮) ૨૭. વસન્તતિલકા ૯. સ્રગ્ધરા ૧૧. હરિગીત અંક-૨ ૧૦. રુચિરા ૧૨. અનુર્ભ ૧. ગાન ૧૧. શાલિની ૧૩. શાલિની ૨, ૩. સ્રગ્ધરા ૧૨. મન્દાક્રાન્તા ૧૪. હરિગીત - અંક-૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ 34 ૧૫. ડોલન-ગાન ૧૭. દૂહો ૧૬. ગાન ૧૬, ૧૭. અનુજ્જુભ ૧૮. શાર્દૂલવિક્રીડિત ૧૭. દૂહો ૧૮. શાર્દૂલ૦ ૧૯. ગાન ૧૮. સ્ત્રગ્ધરા ૧૯. આર્યા ૨૦. શાર્દૂલ૦ ૧૯, અનુણુભ ૨૦. અનુણુભ અંક-૬ ૨૦. શિખરિણી ૨૧. આર્યા ૧. આર્યા ૨૧. રુચિરા ૨૨, ૨૩. અનુણુભ ૨. શિખરિણી (પરંપરિત) ૨૨. ભુજંગપ્રયાત અંક-૫ ૩. ગાન (પ્રભાતિક) ૨૩. અનુષ્ટ્રભ ૧. રુચિરા ૪. વસન્તતિલકા ૨૪. વસન્તતિલકા ૨. અનુષ્ટ્રભ ૫. અનુષ્ટ્રભ ૨૫. શાર્દૂલ0 ૩. ગાન ૬. હરિગીત ૨૬. અનુષ્ટ્રભ ૪. શાર્દૂલવિક્રીડિત ૭. વસન્તતિલકા ૨૭, ૨૮. શાર્દૂલ0 ૫,૬. ગાન ૮. ઇન્દ્રવજા ૨૯. અનુણુભ ૭. પંચચામર ૯. રુચિરા ૩૦. શિખરિણી ૮. શાર્દૂલ૦ (પરંપરિત) ૧૦. ગાન ૩૧,૩૨. અનુણુભ ૯. અનુણુભા ૧૧. રુચિરા ૩૩. શાર્દૂલ૦ (પરંપરિત) ૧૦. રુચિરા ૧૨. વસન્તતિલકા ૩૪. ગાન ૧૧, ૧૨, ૧૩. અનુછુભ ૧૩. શાર્દૂલવિક્રીડિત ૩૫. દૂહો ૧૪. હરિગીત ૧૪. ગાન ૩૬. હરિગીત ૧૫, ૧૬. અનુષ્ટ્રભ ૧૫. હરિગીત ૩૭. શાર્દૂલ૦ ૩૮. પૃથ્વી Page #36 -------------------------------------------------------------------------- ________________ 35 જૈન સાહિત્ય અકાદમીનાં અન્ય પ્રકાશનો 9. Science Discovers External Wisdom (મુનિ શ્રી અમરેન્દ્રવિજયજીના પુસ્તક વિજ્ઞાન અને અધ્યાત્મનો અંગ્રેજી અનુવાદ, અનુવાદક : ડૉ. જે.ડી.લોડાયા) સમણસુરમ્ (જૈનધર્મસાર) ગુજરાતી અનુવાદ. અનુવાદક : મુનિશ્રી ભુવનચન્દ્રજી સિદ્ધસેન શતક : શ્રી સિદ્ધસેન દિવાકરજીની બત્રીસ બત્રીસીઓમાંથી ચૂંટેલા ૧૦૦ શ્લોકોનો અનુવાદ અને વિવેચન. લેખક : મુનિ શ્રી ભુવનચન્દ્રજી નિયતિ દ્વત્રિશિકા : શ્રી સિદ્ધસેન દિવાકરજીની એક બત્રીસીનો અનુવાદ અને વિવરણ. લેખક : મુનિ શ્રી ભુવનચન્દ્રજી : પ્રાપ્તિસ્થાન : જૈન સાહિત્ય અકાદમી નવનિધિ' પ્લોટ નં. ૧૭૪, સેક્ટર નં. ૪ ગાંધીધામ (કચ્છ) ૩૭૦૨૦૧ ફોન : (૦૨૮૩૬) ૨૩૧૯૯૧ અક્ષર ભારતી ૫, રાજગુલાબ શોપિંગ સેન્ટર, વાણિયાવાડ નાકા અંદર, ભુજ-૩૭૦૦૦૧ (કચ્છ) Page #37 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૫૪ ૬૨ ૬૩ ૬૫ ૭૧ ૭૩ ૭૩ પૃષ્ઠ લીટી ૧૨ ૭ ૧૫ ૧૩ ૧૮ . ૧૮ ૨૯ ૨૪ ૬ ૩૧ ૨૪ ૩૨ ૫ ૩૨ ८ ૩૨ ૧૭ ૩૩ ૪ ૩૪ ૧૭ ૩૯ ૪ પૃ. ૩૯માં લીટી ૧૮થી પૃ. ૪૮માં પદ્યોના ક્રમાંકમાં એક આંક ઉમેરી વાંચવો, અર્થાત્ ૧૨ છે ત્યાં ૧૩ · એ પ્રમાણે. ૭૩ ૭૯ ८० ૮૬ ૮૭ ૮૯ } ૬ ૨૪ ૧૯ ૧૬ ૨૨ ૧૫ ૧૨ ૧૪-૧૫ ૨૩ ૨૪ ૧૨ ૧૪ ૨ ૨૭ 36 ભાવાનુવાદ-વિભાગ પૂરતું શુદ્ધિપત્ર એકતાન (યુવાનને ભક્ષતું સૂનું તેં ભલો મારું... (૧૬) (૧૮) (૧૯) (૨૦) (૨૧) કુંકુમનો મારાં ઝરતાં મગતરાસમ હોય તો રાજાજી (જવનિકા ખૂલે છે. ક્ષણે બુદ્ધિથી’’ (૧૮) મંત્રી-નિર્મી વળી રાજા દીસે દમન કરવા તસ્કર તણું વ્યાકુલ ઘણા દીધું તેં ? સ્વામી ના નહિ. કેમ કે હું ચેતી ગયો. આપે યુગલે તે = Page #38 -------------------------------------------------------------------------- ________________ श्री रामभद्र मुनि प्रणीत प्रबुद्ध रौहिणेय-नाटकप्रबन्धः ભાવાનુવાદ જેના સદ્-ઉપદેશના કિરણને પામી ઘણા માનવો લક્ષ્મી મોક્ષની દિવ્ય પ્રાપ્ત કરતા વેગે હમેશાં અહો !; ને જે ખીલવતો ત્રણે ભુવનના સત્પાને સૂર્ય-શો તે શ્રીવીર-જિનેશનો વિજય તો આ વિશ્વમાં નિત્ય હો ! (૧) (મંગલ-ગાન-નાદ) સૂત્રધાર ઃ જે સત્પરુષોનાં શુભ ચરિતો કવિઓએ અદ્ભુત ગાયાં તે જગમાં સર્વત્ર સુહાગી વ્યાપે તેમ ગવાયે પણ; તે વર્ણવતા કવિરાજો પણ વિશ્વ વિષે વિખ્યાત બન્યા તે સચ્ચરિતો રંગમંચને ધન્ય બનાવો !, કવિઓ પણ (૨) (પ્રેક્ષકો ભણી નિહાળીને પુલકિત થતો-સ્વગત-બોલે છે) અહો હો ! આ સભા આજે આટલી બધી પ્રસન્ન શાથી દેખાતી હશે ? મને જોઈને હશે ? બનવાજોગ છે. સરસ ના પ્રસ્તુત થતું હોય તો રસિક પ્રેક્ષકો હરખાય જ. (આપણે ત્યાં) હર્ષ જન્માવનારા આઠ પદાર્થો તો જાણીતા છે : પૂનમના ચંદ્રતણાં કિરણો ઉત્સવ ઋતુરાજ વસંત તણો મનભાવન મિત્ર તણો સંગમ શીતલ ગોશીર્ષતણું ચંદન મલયાચલનો મધુરો વાયુ કોયલનું મદભીનું ગાયું નવપાટલ-પુષ્મતણી સુરભિ રસીલી લલનાનો સંગ વળી (૩) Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨ ] [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) (એમાં આ નવમું “નાટ્ય' ભલે ભળે). ચાલ, સભાની ઇચ્છા તો જાણું. (જાય છે.) (મંચ પર આવીને હર્ષાવેગમાં આમથી તેમ ટહેલે છે. તે જોઈને-) પારિપાર્શ્વક : આર્ય! આજે તો કાંઈ બહુ પ્રસન્ન લાગો છો ! સૂત્રધાર : તારું અવલોકન સાચું છે, ભદ્ર ! પણ કહે તો, તે ચહુઆણકુલ તિલક એવા શ્રીયશોવીર અને શ્રી અજયપાલનાં નામો સાંભળ્યાં છે ક્યારેય? પારિપાર્થક : એ વળી કોણ છે આર્ય !? સૂત્રધાર : વત્સ ! સાંભળ, હું એમનો પરિચય આપું - ચહુઆણ' નામનું એક ગોત્ર છે, જાણે કે ભગવાન વિષ્ણુનું વિશાળ વક્ષ:સ્થળ ! તે વિષે તેમણે ધારણ કરેલા રત્નાહારમાં (બે)મોટા કૌસ્તુભમણિ જડેલા છે. તે મણિ તે જ આ : યશોવીર અને અજયપાલ ! એ બન્નેએ શ્રી જૈન શાસનની ઉન્નતિ માટે કરેલો પુરુષાર્થ ખરેખર અસાધારણ છે એ બન્નેની દાનેશ્વરી તરીકેની ખ્યાતિ તો વળી દશે દિશાઓમાં પથરાઈ ચુકી છે. અને શ્રીપાર્શ્વચન્દ્ર-' કુળના નભમાં સુહાતા જે સૂર્ય-ચન્દ્ર-સમ, ઉજજવલ રૂપવંતા જે રાજવલ્લભ છતાં સહુ લોકકેરાં કલ્યાણ કાજ મથતા સુચરિત્રાવંતા; એ બેય બંધુવરને નવ કો” પિછાણે ? (૪) બંધુ ! આવા વિખ્યાત પુરુષોને પણ તું નથી ઓળખતો ? બહુ કહેવાય ! પારિપાર્શ્વક : પણ આ ક્ષણે તે વાત શા માટે ભલા? સૂત્રધાર : એનુંયે કારણ છે, સાંભળઃ આ બન્ને ભ્રાતાઓએ પ્રથમ તીર્થંકર, યુગાદિદેવ શ્રી આદિનાથ ભગવાનનું ભવ્ય ચૈત્ય નિર્માણ કરાવ્યું WWW.jainelibrary.org Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ રોહિણેય નાટક (ભાવાનુવાદ) ] [ ૩ છે. તેની વર્ષગાંઠને અનુલક્ષીને ચાલી રહેલા ઉત્સવમાં, અવનવા રસોથી છલકતા, કોઈ પ્રબંધનો નાટ્યપ્રયોગ કરી બતાવવાનો સભ્ય જનોએ મને આજે આદેશ કર્યો છે. બોલ, હવે મેં તારી સમક્ષ રચેલી પૂર્વભૂમિકાનો મર્મ સમજાયો? (પારિપાર્શ્વકઃ પરંતુ આ “આદિનાથ ભગવાન વળી કોણ? તેમનો પરિચય તો આપો ! સૂત્રધાર : અવશ્ય આપું. જો,-) (નેપથ્ય) જય જય શ્રી યુગ-આદિ દેવ નતમસ્તક ઈન્દ્રોના મુકુટથી, રત્ન-કિરણ પ્રસરત તેના તેજે જસ ચરણોનું યુગલ અહો ! ઝલકંત આંતર-રિપુનો ધ્વંસ હમેશાં કરવાની જસ ટેવ...જય... ભીષણ ભવસાગર અતિદુર્ગમ, તરવા કારણ નાવ જેના ચિત્ત-કરડે ભરિયા, સગુણના શુભ ભાવ અનુપમ એ સદ્ગુણ-રત્નોથી ટળે મોહ તતખેવ...જય... ભમી ભમીને ભવવનમાં ભય-ભીત થતા સહુ લોક જેના ચરણે શરણ પામવા, આવે થોકના થોક મુક્ત થવા કાજે ને એની, કરતાં નિશદિન સેવ..જય.. પારિપાર્થક : (હર્ષોન્માદમાં) ઓ હો ! કેટલું સરસ ! કેવું અદ્ભુત ! પણ આર્ય! કહો તો ખરા, ક્યો પ્રબંધ ભજવવાનું તમે નક્કી કર્યું છે તે ? સૂત્રધાર : એ પણ કહું : પરવાદીઓને જીતનારા દેવસૂરીશ્વર થયા ને તેમના ગણમાં થયા સૂરિ જયપ્રભ નામના; છે શિષ્ય તસ વિદ્યાનિધાન શમ-પ્રધાન ગુણે-ભર્યા શ્રીરામભદ્ર મુનીન્દ્ર જે કવિવર્યની ખ્યાતિ વર્યા (૫) ચન્દ્ર છે, ગીત છે, ને છે મીઠડી લલના; ભલે WWW.jainelibrary.org Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪] [પ્રબુદ્ધ રોહિણેય નાટક (ભાવાનુવાદ) તેથી અધિક મીઠી તો કવિતા રામભદ્રની (૬) તો સખે ! આવા રામભદ્ર કવિએ સર્જેલું, કાને પડતાં જ રસિક જનોનાં મન જીતી લે તેવી સરસ ઉક્તિઓથી છલકાતું, રસિક સુજ્ઞોને સ્નેહસિક્ત વિવિધ રસો, મનભાવન રીતે પીરસતું, પ્રબુદ્ધ રોહિણેય' નામનું “પ્રકરણ' છે; આજે આપણે તે પ્રકરણ ભજવવાનું છે. પારિપાર્થક : આર્ય ! તમારી વાત તો બહુ ઉત્તમ છે. પરંતુ એક ચિંતા મને કોરી રહી છે. તમે કેવા કુશલ નટશ્રેષ્ઠ છો તે સભ્ય જનોને જરાય અજાણ્યું નથી. ગમે તેવી આકસ્મિક સ્થિતિમાં પણ, કોઈ જ પૂર્વસૂચના વિના પણ, તમે ભારે ત્વરાથી રંગ-પ્રસ્તુતિ પર અધિકાર જમાવી શકો છો. ગમે તેવા અટપટા “વસ્તુમાં પણ, તમારી વાસ્તવલક્ષી અભિનય-ક્ષમતાના બળે પ્રાણ પૂરીને, તેનું એવું તો મંચન કરી શકો છો કે મોટા મોટા રસજ્ઞો પણ “સાધુ સાધુ બોલી ઊઠ્યા વિના ન જ રહે. પણ આર્ય ! પેલો, તમારો નિત્યનો વિરોધી કુનટ, ખરેખર તો નટાભાસ, જેને આજ સુધીમાં તમે સેંકડોવાર પરાસ્ત કર્યો છે તે, આ ક્ષણે પણ, તમારા આદરેલા આ નાટ્યાભિનયને રોળી નાખવા. માટે કાંઈક જયંત્ર રચી રહ્યો હોવાના સમાચાર મારી પાસે છે. તે કાંઈ એવું કરવા તાકે છે કે જેના લીધે તમારો નાટ્યપ્રયોગ નિષ્ફળ જાય, તમારી માનહાનિ થાય, અને કદાચ રાજદંડ પણ તમારે શિરે પડે. રાજદંડ ! બાપ રે ! હું તો એની કલ્પનાથીયે કંપી જઉં છું. રાજા, વાયા ને વાંદરા ! ક્યારે કેમ પલટો લે તે કળી ન શકાય; તો આપણું, તમારું અને અમારું શું થશે? આ ચિંતાએ હું જરા ક્ષોભ અનુભવું છું, આર્ય ! સુત્રધાર : વત્સ ! તું ? મારો સહચર થઇને આવી નબળી-કાયર જનને જ શોભે તેવી-વાત ઉચ્ચારે ? ખંખેરી નાખ, ખંખેરી નાખ આવી ચિંતાઓ મન પરથી. જો, એવા નટાભાસ ગમે તેટલા પ્રપંચો Page #42 -------------------------------------------------------------------------- ________________ અંક ૧] સૂત્રધાર સિંહલ [પ ભલે રચ્યા કરે, મને ઊની આંચ નથી આવવાની; એ વાતે હું નિશ્ચિંત છું. વળી, હું પણ એક શિષ્ટ મનુષ્ય છું. ઉગ્ર રાજદંડ આવી પડે તેવી કોઈ પ્રવૃત્તિ ભૂલમાંયે હું ન કરું. અને સાંભળ : પ્રત્યુત્પન્ન - મતિ જેની, સાહસી હોય જે વળી રાજા યે તૃણ-શો તેને; બીજાની ગણના કશી ? (૭) (નેપથ્યમાંથી) આર્ય સૂત્રધાર ! બહુ સાચી વાત કહી તમે. નિર્દોષ સાહસના સ્વામી એવા પરાક્રમી પુરુષનો પરાભવ કરવાનું સામર્થ્ય કોનામાં હોય ? : ઓસ્ટ્, તો બધું નટવૃન્દ પણ આવી ગયું લાગે છે. વત્સ ! ચાલ સ્ફૂર્તિ કર; આપણે પણ સજ્જ થઈને રંગમંચ પર ઉપસ્થિત થઈએ. (બન્ને જાય છે.) (પ્રસ્તાવના પૂર્ણ) અંક ૧ (દશ્ય ૧) (મોટેથી વાતો કરતા સિંહલ અને રવિંજલ પ્રવેશે છે) : રવિંજલ ! એ વાત તો માનવી જ પડે કે એકાએક જ ધનાઢ્ય થવાની ક્ષમતાવાળા માણસની જ સઘળી કામનાઓ ફળીભૂત થાય છે. બીજાં ઉદાહરણ ક્યાં શોધવાં ? આપણા નાયક રૌહિણેયની જ વાત જો ને ! અદ્ભુત સાહસનો ધણી એક અજોડ અદમ્ય વીરોનો મદ ગાળતો પરાક્રમે ય અગમ્ય Page #43 -------------------------------------------------------------------------- ________________ [પ્રબુદ્ધ રોહિણેય નાટક (ભાવાનુવાદ) એ જગને ધમરોળતા રૌહિણેયને જોઈ ડરથી ચંચલ થઈ ગયાં લક્ષ્મી ધીરજ ખોઈ ! (૮) રવિંજલ ? અરે સિંહલ ! આપણા સ્વામીના પિતાએ છેલ્લા શ્વાસ લીધા તે સમયે તું ત્યાં ઉપસ્થિત હતો. અંત સમયે લોહખુર નાયકે એમના દીકરાને શી શી શીખ આપી, એની વાત તો કર ! સિહલ : અરે એમણે તો કેવી વિલક્ષણ શીખામણ આપી ! આપણે તો તેવી વાત કલ્પી પણ ના શકીએ. એમણે કહ્યું કે પુત્રક ! વિવિધ આયુધોના પ્રયોગમાં તું પૂર્ણ નિષ્ણાત છો; ચોરી કરવામાં પણ તું. અઠંગ બની ચુક્યો છો. “પડે તેવા દેવાની કળામાં તારો જોટો નથી; અવસરે પલાયન કરવું પડે તો તેમાંયે તને કોઈ આંબે તેમ નથી. એટલે “તારું શું થશે ?' એ ચિન્તા હવે મને નથી રહી. પરંતુ, જતાં જતાં એક ખાસ સૂચના તને આપવી છે; ધ્યાનથી સાંભળજે : જો તું ખરેખરો મારો દીકરો હો, અને તને તારા બાપ પ્રત્યે પૂરો અનુરાગ હોય તો, દેવ, દાનવ અને માનવોની સભામાં બેસીને ધર્મનો સરસ ઉપદેશ આપનારા પેલા મહાવીર વર્ધમાનની વાણી કદી પણ તારા કાને પડવા દઈશ નહિ. ચોરી એ આપણો પરંપરાગત કળાચાર છે; મહાવીરનું એકાદ વેણ પણ જો કાને પડશે, તો તે આ કુળાચારનો લોપ કરાવ્યા વિના નહિ રહે; માટે એનાથી દૂર રહેજે.” આટલું કહી, આ માટે પાણી મૂકાવી, એમણે દેહ છોડ્યો. રવિંજલ ! કેવી એ પિતાની લાગણી ! કેટલી પુત્રચિન્તા ! રવિંજલ ? અભુત સિંહલ, અદ્ભુત ! પોતાના સંતાનની આ પ્રકારે ચિન્તા કરનારા પિતા જડવા બહુ કઠિન છે. (બન્ને વાતો કરે છે, પણ આંખો તો તેમની ચોમેર ફરતી હોય છે. એકાએક-) પણ સિંહલ! જળહળતાં સ્વર્ણાભરણો અને ઉદુભટ વેષ ધારણ કરેલા આ નગરજનોને જોયા? વસન્તોત્સવમાં ઘેલા થયા લાગે છે. ચાલ, Page #44 -------------------------------------------------------------------------- ________________ અંક ૧] ઝટપટ રૌહિણેયને આ વાત પહોંચાડીએ. (બન્ને ત્વરિત ગતિએ જાય છે.) પડદો (દશ્ય ૨) (યથોચિત વેષ-પરિધાન કરેલો રૌહિણેય પ્રવેશ કરે છે. પીંગળા ટૂંકા વાળ, ચૂંચી આંખો અને બૂચા નાકવાળો શબર તેની સાથે છે.) (પ્રવેશીને) રૌહિણેય : (ચોમેર વિસ્મયભાવે અવલોકતો)અહાહા ! શી શોભા બની છે આ મકરન્દ-વનની ! ભલા, વસન્તઋતુના આગમન સાથે જ આ ઉપવનના તો કાંઈ રૂપ રંગ જ બદલાઈ ગયા છે ! જો તો ખરો - આ મલ્લિકાની વેલના ડોલંત ગુચ્છો ઝગમગે ત્યાં પુષ્પ-ગંધથી દોરવાતા ભ્રમર કંઇ વલયો રચે ઉન્મત્ત પેલી શ્યામળી કોયલ કશા ટહુકા કરે ! પારેવડાં આ શાન્તિદૂતો ઘૂઘૂ ઘૂઘુ કલબલે (૯) અને ભાઈ, સામે તો જો !કામુક જનો આલિંગતા પ્રિય પાત્રને કેવું મધુર ! તો કોઈ રીઝવવા પ્રિયાને ગાય કેવું રસ-પ્રચુર ! પેલા રસીલા નાયકો પ્રેમે અધરરસ પી રહ્યાનિજ વલ્લભાના, ભાવભીની-બંધ-આંખે, જો અહા ! (૧૦) અને આમ જો ! (ગાન) આ કેતકી કેવી છકી ! ત્રણ ભુવનને જીત્યાં યદા દુર્દાત્ત કન્દર્ષે તદા... તેજોધવલ દર્શળો મદમસ્ત કો” ગજરાજના છીનવી લઈ જયથંભ આ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૮ ] [ પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) રોપ્યો અહીં પોતાતણો... એની રખેવાળી કરે આ ભ્રમરગણ ચહુંદિશ ફરે... ના કેતકી આ તો નકી...(૧૧) પણ આ બધું તો સમજયા. પણ આથીયે મોટું કૌતુક તો મને એ વાતે થાય છે કે હું વારંવાર, આ જ ધનિકોને ત્યાંથી વિપુલ પ્રમાણમાં ધન ચોરી જઉં છું, અને છતાં આ લોકોને જાણે તેનો કોઈ ખેદ જ નથી ! કેટલા પ્રસન્ન, હાવ-ભાવ થી સભર, અને પૃથ્વીતલને પ્રકાશમાન બનાવતા હોય તેમ આ લોકો ક્રીડા કરી રહ્યા છે ! પણ ઉફ્...મારે આવી ચિન્તા શા સારુ કરવી પડે ? મારા માટે તો આજે ભારી રૂડો અવસર છે આ ઃ કુબેરથીયે અદકા ધનાઢયો નિર્લજ્જ થૈ ખેલત આ બધા તો ઉન્માદમાં ના પર' ને પિછાણે એમાં જ મારાં વિલસે સુપુણ્યો ! (૧૨) એટલે હવે તો આ ઉન્માદભર્યા વાતાવરણનો લાભ લઇને હાથફેરો કરી લઉં; થોડાં ઘરેણાં, થોડાંક બહુમૂલ્ય વસ્ત્રો અને એકાદ રૂપછટા-છલક્તી નવયૌવના-આટલું મળી જાય તો આજનો ફેરો સફળ ! ‘ચારણ, કવિ, વેશ્યા, વણિક, ચોર, વિપ્ર ને ધૂર્ત; નવી કમાણી ના ૨ળે, તે દિન માને વ્યર્થ' (૧૩) (નેપક્ષે યુગલ-ગાન) વ્હાલાંનું સાંનિધ્ય હશે તો સુખનુ સ્વર્ગ વસન્ત બને Page #46 -------------------------------------------------------------------------- ________________ [૯ અંક ૧] પણ વિછડેલાં હૈયાં માટે મરણતણો પર્યાય બને (૧૪) રૌહિણેય : (ચમકીને જુએ છે, અને મનોમન મલકાતો વિચારે છે) અરે, કેવું સુંદર આ બેલડું આવી રહ્યું છે! લાગે છે કે હવે મારી ઈચ્છા પાર પડશે ખરી. જોઉં તો ખરો, આ બે જણા શું કરે છે તે ? (આમ્રવૃક્ષની આડશમાં તે તથા શબર સંતાઈ જાય છે.) (ત્યાં તો સર્વાગે આભૂષણ-મઢેલી, ખીલતી કળી જેવા લાવણ્ય થકી શોભતી યુવતી, અને તેના હાથમાં હાથ પરોવેલો એક નવયુવાન, બન્ને ગાતાં ગાતાં ઉલ્લાસભેર આવે છે.) યુવાન : પ્રિયે ! મદનવતી ! પળે પળે તારી સ્મૃતિમાં જીવું છું હું... ચાતુર્ય-વૃક્ષની મંજરી તું, લહર ને લાવણ્યની સ્વર્ગીય સુખની ખાણ પણ તું, “કામ”ની ક્રીડા-વની શૃંગાર રસની વાવ અદ્ભુત, અમૃતની પરનાળ તું તું જન્મભૂમિ પ્રીતિની; હું પળ પળે તુજને સ્મરું (૧૫) યુવતી : (ગાન) લલિત મનોહર રંગમઢમાં શ્રેષ્ઠ મુખ-શોભનો ઉત્તમ કોમલ વર્ણભર્યા મિષ્ટ વચનાક્ષરો પ્રિયતમ ! બેઉ એ આપનાં વદને સોહતાં નવ જડે ક્યાંય અન્યત્ર આ સકલ બ્રહ્માંડમાં (૧૬) યુવાન : આહ ! કેવી અપરૂપ વાકપટુતા છે મારી મનમોહનાની ! પણ પ્રિયે ! તને ખબર છે ? “જે ગુણિયલ ગુણપ્રેમી તે અવગુણમાંય સદ્ગુણો પેખે; Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૦] [પ્રબુદ્ધ રોહિણેય નાટક (ભાવાનુવાદ) હો વદન દસ્તુર છતાં શોભા તાંબૂલ અર્પશે તેને (૧૭). -આ તો તું છો, કે તારા ગુણોનું આરોપણ મારામાં કરી રહી છો; બાકી તારાથી ચડિયાતા થવાનું કોનું ગજું છે ? અકૃત્રિમ પ્રેમરસે રસેલી સૌભાગ્ય છાયું તવ અંગ-અંગે નિસ્તેજ દીસે તજ પાસ જયોસ્ના શું વર્ણવું હું તુજ હે સહેલી !? (૧૮) જોયો મેં ચન્દ્રમાને, સુણી અમૃત-કથા, પીધું મીઠેરું મદ્ય તાજાં ખીલેલ પુષ્પો થકી પ્રગટ થતી માણી મીઠી સુગંધ; તોયે હે પ્રાણ ! તારો રસ અધર થકી જે વહેતો સલૂણો તે ચાખે પૂર્વલા આ અનુભવ સઘળા લાગતા સાવ ઊણા (૧૯) રૌહિણેય : (લોલુપ દૃષ્ટિથી યુવતીને નિરખતો-) સાક્ષાત શું શૃંગાર રસ, રતિ, કે હશે આનન્દ-રસ? કે ચન્દ્રનાં કિરણો તણી સરજત, કે જીવતું પુણ્ય બસ ? સૌષ્ઠવ સમગ્ર ભુવનતણું એકત્ર થઈને કે બની ? સમજાય ના કમલાનના આ શા પદાર્થ થકી બની ? (૨૦) વળી, સેંથો સિદૂર-પૂર્યો સરજત ભ્રમણા તારલા-કૃત્તિકાની બાંધતો ને સ્તનોના કલશ-યુગલને હાર, શો સ્વર્ણ-દોરો ! કાને બે કર્ણફૂલો વિલસત અહહો ! ચન્દ્ર ને સૂર્ય જેવાં કંદોરો નાભિદેશે મધુર રણકતો, ઈન્દ્રનું ચાપ જાણે ! (૨૧) .: (દીર્ઘ નિઃશ્વાસપૂર્વક, દયામણા વદને) પ્રિયતમ ! હું એક અભાગણી નારી! મારામાં વર્ણવવા જેવું શું હોઈ શકે ? હા, એવું અવશ્ય બને કે નિત્ય શરણ લેવા યોગ્ય, ગુણોના સમુદ્ર, લાવણ્યના નિધિ એવા તમારો સમાગમ પામીને મારું સૌભાગ્ય જાગ્યું હોય, અને તમે વર્ણવ્યા તેવા ગુણો મારામાં ખીલ્યા પણ હોય. (કમ કે-). યુવતી Page #48 -------------------------------------------------------------------------- ________________ અંક ૧ ] [ ૧૧ કદીક કો' હૈયું ઘડે વિધાતા પ્રેમે રસેલું, કમનીય, વ્હાલા ! હૈયું અનેરું તસ સંગ પામી નિશ્ચ સુખાદ્વૈત લહે સુહાગી (૨૨) પુરુષ : (પ્રત્યુત્તરમાં, પ્રેમના તીવ્ર આવિષ્કાર સાથે તેને પ્રગાઢ આલિંગનમાં બાંધી લે છે.) રૌહિણેય : (વિસ્મય-પુલક્તિ વદને) શબર, શબર ! કેવું અનુપમ યુગલ છે આ ! જાણે પૂર્ણિમા અને ચન્દ્ર ! જાણે વિદ્યુત અને મેઘ ! જાણે રતિ અને અનંગ ! સાચે જ, આ બન્નેનો યોગ અનુપમ જ બન્યો છે. પૃથ્વી પણ આવા યુગલથી જાણે કે શોભી રહી છે ! નિત્યે નૂતન શિલ્પ-ઘાટ ઘડતાં ક્યારેક બ્રહ્મા વડે એવું અદ્ભુત શિલ્પ નિર્મિત થતું કે માત્ર જોયા કરો ! પોતે તો સુગુણો થકી જળહળે એ શિલ્પ હંમેશ, ને બ્રહ્મા-સર્જિત સૃષ્ટિને મધુરતા અર્પે અહો ! શિલ્પ એ (૨૩) યુવતી : (ચોપાસ પથરાયેલી વનશ્રીને નિહાળતાં) પ્રાણેશ ! કામદેવની સેનાના આ નાયક ચૈત્રતણા પવનો વિજય-સવારી લઈને જગ પર ચડી આવ્યા છે વીર જનો ઠેર ઠેર નિરમી છે જાણે શસ્ત્ર અસ્ત્રની શાળાઓ ફૂલ-લચેલાં ઉપવનરૂપે તેઓએ !, પ્રિયતમ ! ચાલો ! (૨૪) આપણે પણ થોડાંક પુષ્પ ચૂંટીએ, અને પછી આ મીઠડા કેલીગૃહમાં જઈને આપણે ચિરકાળથી ઝંખેલી ક્રીડાનો રસાસ્વાદ માણીએ. યુવાન : (મનોમન-). ઋતુ વસન્ત, સ્વર્ગીય વન, મનભાવન એકાન્ત મનગમતી આ પ્રેયસી, કેવો હું પુણ્યવંત ! (૨૫) (પ્રગટ રૂપે-) પ્રિયે ! મદનવતી ! કેટકેટલા સમય પછી આપણો મનોરથ આજે Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) સફળ થશે ! આજે તો મારી પ્રાણેશ્વરી-તું ઇચ્છશે તે જ થશે. ચાલ, આપણે પુષ્પો ચૂંટીએ. તું આમ જા, હું આ દિશામાં જાઉં. આપણે એક હોડ કરીશું? આપણા બેમાંથી કોણ ઓછા સમયમાં વધુ પુષ્પો ચૂંટી લાવશે અને આ કેલીગૃહમાં પ્રથમ પ્રવેશ કરશે. એની હોડ ! બોલ, માન્ય છે ? તો ચાલ, કર પ્રારંભ... (બન્ને સ્પર્ધા નિર્ધારીને ભિન્ન ભિન્ન દિશામાં જાય છે યુવતી ધીમે ધીમે એકતાને બનીને પુષ્પો ચૂંટી રહી છે.) રૌહિણેય : (ગાન) (કોમલ કરકમલો કુસુમ-કળીઓ ચૂંટે મન્દ સમીરે પ્રેર્યો પાલવ, બન્ધનમાંથી છૂટે... સ્તન-પર્વત તવ ઉઘડયા સહસા, પીન, તુંગ ને કામ-સદન-શા લાવણ્યાંકિત તસ જળહળતો–ઘેરાવો કર-મૂળ ભેદતો કામુક જનની દૃષ્ટિ પડે તો આહ હૃદયથી ઊઠે... મેઘભર્યા આકાશ વાદળ, કાંઇક હટતાં આગળ-પાછળ તવ ઉઘડે ચમકત ચાંદની, ચન્દ્ર થયો જિમ ત્યાં તો જળહળ આ છબીલીના સ્તનતટથી તિમ તેજ અનેરાં ફૂટે કોમલ કરકમલો કુસુમ-કળીઓ ચૂંટે) (૨૬) પણ શબર, એક વાત તારા ધ્યાનમાં આવી કે? આ યુવતી કાંઈ આની પરિણીતા નથી લાગતી; આ તો કોઈ શ્રીમંત પરિવારની સ્વૈરિણી સ્ત્રી લાગે છે. આ બેની વાતો પરથી મેં આ નિશ્ચય કર્યો છે. પણ જવા દે એ વાત. એ ગમે તે હોય, મારે શી ચિન્તા ? ઊલટું, આવા વિચારો તો ક્યારેક ધાર્યું કાર્ય કરવામાં બાધારૂપ બની રહે. ચાલ, હું નીકળું અને આને અપહરી જઉં. (યુવતીની દિશામાં ચાર પાંચ ડગલાં જાય છે, અને એકાએક ત્વરાપૂર્વક પાછો ફરે છે. શબરને ઉદ્દેશીને) શબર ! હજી આનો પ્રેમી આટલામાં જ છે. તેના દેખતાં આનું અપહરણ કરીશ તો આ જોગમાયા પોકારો પાડ્યા વિના નહિ રહે, અને તો પછી મારા માટે પલાયન કરવાનું તો ઠીક, પણ જીવતાં રહેવાનું પણ ભારે Page #50 -------------------------------------------------------------------------- ________________ અંક ૧] [ ૧૩ થઈ પડે ! એટલે હજી થોડીક વાર, પેલો જરા વધુ દૂર જાય ત્યાં સુધી, અહીં જ ઊભો છું. (ઊભા ઊભા જ યુવાનની ગતિવિધિ નિહાળ્યા કરે છે. થોડી જ વારમાં-) ઓહ તો પેલો હવે દષ્ટિગોચર નથી રહ્યો. વૃક્ષોની ઘટા આડી આવી જ ગઈ. હવે ભયનું કારણ નથી. શબર ! હું આને અપહરી જઈશ. તું હમણાં આટલામાં જ રહેજે, અને આના જાર પુરુષને કોઈ પણ મિષે અહીં જ રોકી રાખજે. શબર : ભલે. રૌહિણેય : યુવતીની સમીપે જઈને અનુનયપૂર્વક-) સુકન્ય ! તમારો પડ્યો બોલ ઝીલે તેવા, અમારા જેવા સેવકજન પ્રાપ્ત હોય અને છતાં તમે જાતે થઈને આ બધું કરો તે કેટલું બધું અનુચિત ગણાય? યુવતી ? (તેના અણચિંતવ્યા આગમનથી સાશંક બનીને મનોમન) કોણ હશે આ દુષ્ટ ? એનાં રૂપ-રંગ તો જો ! ક્રૂર, બીહામણી, ચંચલી, લાલ લાલ આંખો ! બાપ રે, જોતાં જ છળી મરાય ! પગની પિંડી તો જાણે લંબગોળ પાણા ! અને વાળ ? કેવા કાબરચીતરા ! કેટલી ગુંચોવાળા ! (૨૭). કોણ હશે આ? કોઈ ચોર તો નહિ હોય? પણ સહસ્ર જનોથી ઉભરાતા આ ઉદ્યાનમાં ચોર તો ક્યાંથી આવી શકે? કદાચ એવું બને કે મારા શ્વસુરગૃહનો આ કોઈ સેવક હોય અને તે સંબંધે મને આવું કહેતો હોય, તો તો આ મને ઓળખી ન ગયો હોય તો સારું. (આ વિચાર આવતાં જ, અણસાંભળ્યું કરીને પુનઃ પુષ્પો ચૂંટવામાં લીન બને છે.). રોહિણેય : (જરા રૂક્ષતાથી)અરે, મારી અવગણના કરે છે? સાંભળતી નથી કે શું ? ઉત્તર કેમ નથી આપતી ? યુવતી ? (અવળું મોં રાખીને જ)કોણ છો તું ? રોહિણેય : (જરા કઠોર સ્વરે) અરે, તે હજી મને નથી ઓળખ્યો? સાંભળ, મારી ઓળખાણ આપું : જેણે પરાક્રમ વડે પુર આખું લૂંટયું કીધા દરિદ્ર ધનવાન ઘણાય જેણે Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૪] [પ્રબુદ્ધ રોહિણેય નાટક (ભાવાનુવાદ) જેણે કર્યું કુળ સ્વકીય તથા સમૃદ્ધ તે દસ્ય-નાયક સ્વયં છું હું રૌહિણેય (૨૮) યુવતી : (ડરતાં ડરતાં) સાચેસાચ તું ચોર છો? રૌહિણેય : તને હજી શંકા છે? તો પુનઃ સાંભળી લે : “હું ચોર છું.” (થર થર કંપવા લાગેલી યુવતી વૃક્ષની સોડમાં લપાઈ જાય છે. તેની સમીપ જઈને-) યુવતી ! ચાલ, આગળ થા જોઉં. (યુવતી ચીસ પાડવા જાય છે.) રૌહિણેય : (ફુદ્ધ સ્વરે) પાપિણી ! ચીસ પાડી તો મસ્તક છેદી નાખીશ ! યુવતી : (મહાપ્રયાસે થોડું સાહસ ભેગું કરીને) અરે દુરાચારી ! મારો સ્વામી હમણાં અહીં આવી જશે તો તારી આ ચેષ્ટાનું પરિણામ બહુ માઠું આવશે. રૌહિણેય : કોણ છે વળી તારો સ્વામી ? યુવતી : જે હમણાં અહીં...(અધૂરું વાક્ય છોડે છે) રૌહિણેય : જો, હવેથી હું જ તારો સ્વામી છું, બીજા સ્વામીને ભૂલી જા. અને તારો જીવ તને વ્હાલો હોય તો ઝડપથી હું કહું તેમ ચાલવા માંડ. નહિ તો આ જોયું? (આકાશમાં ખગ વીંઝે છે) કોળાંની જેમ માથું કાપી નાખીશ ! યુવતી : (ધીમું ધીમું રડતી ચાલવા માંડે છે.) રૌહિણેય : સુકન્ય ! જરા ઝડપથી ચાલ ને ! (યુવતી ગણકારતી નથી.) રૌહિણેય : (સ્વગત) આ આમ જ ચાલશે તો અહીં કોક ને કોક આવી ચડશે, અને તો બધો પરિશ્રમ વ્યર્થ થશે. એટલે આને ઉપાડી લઈને ભાગી છૂટવામાં જ લાભ છે. એકવાર ગુફામાં પહોંચી જઉં એટલે શાન્તિ. (યુવતીને પકડે છે, ઉચકીને ખભે નાખે છે, અને બધી દિશાઓમાં દૃષ્ટિક્ષેપ કરતો ઝડપભેર નીકળી જાય છે.) યુવાન : (પુષ્પચંગેરિકા ભરીને ત્વરિત ગતિએ કેલીગૃહમાં પહોંચે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ અંક ૧] [ ૧૫ શબર અંદર અવલોકીને-) સરસ ! હું જીતી ગયો ! હજી મદનવતી આવી નથી, અને હું પહોંચી ગયો ! હવે એ આવે તે પૂર્વે જ શધ્યા સજજ કરી દઉં. (શધ્યા રચે છે. પછી પ્રિયતમાને કૌતુક પમાડવા કાજે નિકટવર્તી વૃક્ષની ઓથે લપાઈને તેની પ્રતીક્ષા કરે છે. તે જ ક્ષણે, અકસ્માત જ તેનું નામ નેત્ર ફરકવા લાગતાં તેનું ચિત્ત શંકા-કુશંકાથી ઉભરાઈ જાય છે. તે ચિંતવે છે-). અરરરર ! માંડ માંડ મનગમતી ઘડી આવી, અને અત્યારે જ આ અપશુકન ? અને, મદનપતીને આટલી બધી વાર કેમ લાગી હશે ? લાવ, જોઉં તો ખરો, તે ક્યાં છે ? (ત્યાંથી નીકળીને ચોમેર શોધ કરે છે.) ઓહ ! તે કેમ ક્યાંય દેખાતી નથી? કે પછી મને આશ્ચર્ય પમાડવા માટે તે ક્યાંક સંતાઈ ગઈ તો નહિ હોય? (પુનઃ છૂપાવાનાં સ્થાનોનું સૂક્ષ્મ નિરીક્ષણ કરે છે.) : યુવાનને જોઈ હરખાતો, મનોમન-)ખરેખર, પેલા વટેમાર્ગનું : યુવાનને જ ! આખ્યાન સાંભળેલું તે આજે પ્રત્યક્ષ અનુભવું છું. મરુમંડલમાં એક વટેમાર્ગ ખૂબ ભૂખ્યો ને તરસ્યો થયો. માર્ગમાં કોઈકે તેને ભોજનનો થાળ પીરસ્યો. પાણી પણ મૂક્યું. તેમાંથી તે અન્નકવલ લઈને મોંમાં મૂકવા જાય ત્યાં જ કોઈક પિશાચે તે ભોજન-જળ છીનવી લીધાં અને ત્યાં ને ત્યાં તે તેનો કોળિયો કરી ગયો ! આ સજ્જન સાથે આજે આવું જ બન્યું છે. કેવું કૌતુક ! આનંદ, આવી ગયો આપણને તો ! (વિલક્ષ વદને) મદના તો ક્યાંય કળાતી નથી ! શું મારાથી ખેદ પામીને ઘરે જતી રહી હશે? કે તેનો પતિ આવીને તેને ઘસડી ગયો હશે ? કે પછી કોઈએ તેને બન્ધનગ્રસ્ત બનાવી હોય ! લાવ, આટલામાં જ કોઈ મનુષ્ય ભેટી જાય તો તેના સમાચાર પૂછું. (સર્વત્ર અવલોકે છે.) (તે જ ક્ષણે શબર તેની પડખેથી નીકળે છે.) : (તેને જોતાં જો કદાચ આને કાંઈ જાણ હોય ! તેની પાસે જઇને અત્યન્ત મન્દ સ્વરે) ભાઈ ! સુન્દર આભૂષણોથી અલંકૃત એક યુવતીને તમે આટલામાં ફરતી જોઈ કે ? યુવાન યુવાન Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૬] શબર યુવાન શબર યુવાન [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) : એવી કોઈ યુવતીને તો નથી દીઠી, પણ એક શસ્ત્રધારી પુરુષને આ ઉદ્યાનમાં આમતેમ ભમતો જોયેલો. સાથે અનુચરો પણ હતા, અને ક્રોધને કારણે તેની આંખો વિકરાળ દીસતી હતી. : (મનમાં જ-) તો એ મદનાનો પતિ જ હોય. (મોટેથી) ભદ્ર! કેટલી વાર થઈ તેને ગયા ને ? : અરે ભાઈ ! જાય ક્યાં ? હજી તો પેલા વૃક્ષની પાછળ કાંઈક મંત્રણા કરતો ઊભો છે. : (સ્વગત) તો તો અવશ્ય મારું અનિષ્ટ કરવાની યોજના જ ઘડાતી હોવી જોઈએ. (મોટેથી) ભદ્ર ! શી મંત્રણા ચાલે છે તે વિષે તમને થોડીઘણી પણ જાણ ખરી ? : (નાટકીય રીતે કાન ઢાંકતાં ઢાંકર્તા-)ના રે ભાઈમને કાંઈ જાણ ન હોય ને મારે વળી શી પંચાત કોઈની ? (ચાલવા માંડે છે.) : નક્કી એણે જ મદનવતીને પકડી પાડી હોવી જોઈએ. અને તો હવે આ જીવનમાં તેનો સમાગમ થવો અશક્ય જ. ચાલ જીવ, કોઈ ઉપાધિ આવે તે પહેલાં હું પણ અહીંથી ભાગું. (જાય છે.) પ્રથમ અંક સમાપ્ત શબર યુવાન Page #54 -------------------------------------------------------------------------- ________________ પર્વતક શબર દ્વિતીય અંક (દશ્ય ૧) (પર્વતક અને શબર, વાતો કરતાં, પ્રવેશે છે.) પર્વતક : પણ એમને એ મળી ક્યાંથી ? : હાં, પછી શું થયું ? : પછી એ દેવાંગના સમી સુન્દરીને રૌહિણેયે પોતાની પત્ની બનાવી વળી ! શબર ઃ વનમાં પુષ્પ ચૂંટતી હતી એ, ત્યાંથી ઉપાડી લાવ્યા. પર્વતક : પણ એ સાવ એકલી તો નહીં જ હોય ને ? શબર : એકલી તો ક્યાંથી હોય ! એક પુરુષ હતો, એના પતિ જેવો. પણ એને તો મેં મારી દક્ષતાથી જ ટાળી દીધેલો ! શબર પર્વતક : (અચરજ અનુભવતાં) ખરેખર, રૌહિણેયનું સાહસ અસીમ જ ગણાય! ભલે તો તમે હવે કઈ બાજુ ઉપડ્યા ? પર્વતક ઃ રાજગૃહી જઈને આજે ધાડ પાડવા યોગ્ય કોઈ સ્થાનની શોધ માટે રૌહિણેયે મને મોકલેલો, ત્યાંથી ચાલ્યો આવું છું. : તો તમે રૌહિણેય પાસે જ જઈ રહ્યા છો. ભલે, તમે જાવ; હું પણ મારા કામે જઈશ. (બન્ને જાય છે.) પડદો (દશ્ય ૨) (રૌહિણેય અને શબર આવે છે.) રૌહિણેય : શું શું જોયું ત્યાં તે ? શબર : એક મોટા શ્રીમંતનો પુત્ર બીજા એક ધનાઢય શ્રેષ્ઠીને ઘેર પરણ્યો છે, તે આજે રાત્રે પુનઃ સ્વગૃહે આવવાનો છે; એટલે આપણે ત્યાં જવાનું છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૮] [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) રોહિણેયઃ (શબર પ્રતિ જોઇને હસી પડતાં-) ઓહો ! તેં તો આજે વિદૂષકનો સ્વાંગ સજયો છે ને કાંઈ ! ભારી જામે છે તો તને આ વેષ ! મેં તો કોઈ વિશિષ્ટ વેષ આજે વિચાર્યો નથી. ત્યાં ગયા પછી અવસરને અનુરૂપ વેષ રચી લઈશ; આજે તો આ કૃત્રિમ સર્પનો ઉપયોગ કરવો છે. (ઊંચે આકાશ પ્રતિ અવલોકીને) (ગાન) વિશ્વને ભક્ષતુ ઘોર અંધારું તો વિષભર્યા-નાગકુળતુલ્ય, તેને પી જતો, વેરતો તેજ તો સૃષ્ટિ પર, ગગનમાં વ્યાપતો વિશ્વજેતા કમલિનીને હવે વિરહની યાતના આપતો વિષ્ણુની જેમ ઉપયો દૂર સાગર વિષે સ્નાન કરવા મિષે સૂર્ય આ સર્વ ગ્રહ-વૃન્દ નેતા (૧) અરે, આટલીવારમાં તો બધે અંધારાં પથરાઈ ગયાં શબર ! આ અન્ધકાર જો સમુદ્ર હોય તો આ સૃષ્ટિ કેવી દીસે એની કલ્પના તું કરી શકે ? જો– પ્રાસાદો વ્હાણ લાગે, ઉપવન સઘળાં કાચબા શો, પહાડો પાણીમાં હાથી જેવા, ગગનતલ-ભર્યા તારલા માછલાં શા ઊડતા વાયરાથી અગણિત ધ્વજ આ સર્પશા શોભતા ને સ્વચ્છંદી બાલિકાઓ જલ-યુવતિસમી દીસતી અન્ધકારે ! (૨) અને હવે આપણે નગરમાં પ્રવેશવાનો સમય થઈ ગયો છે. ચાલ, અંદર પ્રવેશી જઈએ. (બન્ને નગરમાં પ્રવેશે છે.) રૌહિણેયઃ શબર, હજી કેટલું દૂર છે એ શ્રેષ્ઠી-ગૃહ? શબર : (માર્ગ ભણી જોઈને-) આ આવી જ ગયું. જુઓ, આ પ્રવેશદ્વાર | (સંકેત કરતો દ્વારા દર્શાવે છે.). રૌહિણેયઃ અરે પણ આ તો સાવ સૂનું સૂનું લાગે છે. શ્રેષ્ઠીનું ગૃહ હોય તો તો Page #56 -------------------------------------------------------------------------- ________________ અંક ૨] [ ૧૯ કેટલીબધી હલચલ હોય ! શબર : બધાં વિવાહમાં ગયાં હશે નેહવે આવતાં જ હશે. (કોલાહલ : મંગલ વાદ્યોનો ધ્વનિ) રોહિણેયઃ શ્રેષ્ઠીપુત્ર આવી પહોંચ્યો જણાય છે. (વાજિત્રોના મંગલ નાદ અને ધવલમંગલનાં ગાન સાથે શ્રેષ્ઠીપુત્ર અને તેની નવવધૂ પ્રવેશ કરે છે. શ્રેષ્ઠીપુત્રનું અંગે અંગ આભૂષણોથી અલંકૃત છે. ઉત્તમ ચીનાંશુક પહેરેલું છે. મસ્તકે સોનાનો મુકુટ છે. ઉત્તમ અશ્વની પીઠ પર તે બેઠો છે, અને ઉપર મયુરછત્ર ધરવામાં આવ્યું છે. બન્ને પક્ષનાં સ્વજનો તેને વીંટળાયાં છે.) રોહિણેયઃ આ અારૂઢ છે તે વર; તેની પડખે છે તે તેની નવવધૂ, અને આ વરરાજાનાં માતા-પિતા કોણ ? દેખાડ તો ! શબર : આ (વચ્ચોવચ) સ્થૂલકાય શ્રેષ્ઠી દેખાય છે તે આના પિતા છે : સુભદ્ર શેઠ. અને હાથમાં કંકાવટી અને ડાભ-પવિત્રા લઈને તેમની પડખે જ ઊભેલી, સર્વાગે અલંકતા સ્ત્રી દેખાય છે તે આની માતા છે : મનોરમા શેઠાણી. (સંકેતપૂર્વક પરિચય આપે છે.) રૌહિણેય: છોકરાનું નામ શું કહ્યું હતું તે? શબર : મનોરથ. રૌહિણેયઃ (વરને સૂક્ષ્મ દૃષ્ટિથી અપલક નેત્રે જોયા કરે છે ને બોલે છે.) આકારે “કામ” જેવો, વદનની સુષમા ચન્દ્રની કાન્તિ જેવી નેત્રો બે નીલવર્ણા-કમલદલસમાં, શંખ શો કંઠ આનો વાણી ઝાઝેરી મીઠી અમૃતરસ થકી, વાન સોનાસરીખો કેવો અદ્ભુત દીપે વર નિરુપમ આ પર્ણશા ચર્ણવાળો ! (૩) અને જો તો ખરો - એના મુકુટથી નિખરતાં કિરણો નસાડે તિમિરને ને શુક્રતારકસમ ચમકતી માળ મોતીની ગળે વલી રત્ન પણ કરસૂત્રનું નવજાત સૂર્યશું શોભતું તેસ અંગ-વસની ચમક આગળ ચન્દ્ર પણ ઝાંખો પડે (૪) Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૦] [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) શબર, આજે આ મનોરથનું હું અવશ્ય અપહરણ કરીશ. એણે કેટલા અલંકારો પહેર્યા છે તે તો જો, અધધધ ! આને આખો ને આખો ઉપાડી ગયા વિના આ અલંકારો આપણને શી રીતે મળે ? શ્રેષ્ઠી ? (હર્ષોન્મત્ત દષ્ટિથી ચારે દિશાઓમાં જોતાં જોતાં-)ઓ હો હો ! મારા લાડલાનાં ભાગ્ય કેટલાં જાગૃત છે ! સૌ લોકો આ નવ યુગલને પેખવા કાજ કેવી હોડાદોડી અનિમિષપણે આચરે હર્ષ-પ્રેરી ! તો શું જાગ્યો ઉદય સબળો ભાગ્યનો આજ મારાં ? કે આ મારા પ્રિય સુતતણાં ભવ્ય સૌભાગ્ય જાગ્યાં (પ) (રત્નાંગદને ઉદ્દેશીને) અરે રત્નાંગદ! આપણે કેટલે આવ્યાં? ઘર સમીપે પહોંચ્યાં કે નહિ હજી ? રત્નાંગદ : સ્વામી ! પૂઠે મંગલ બોલનાર દ્વિજના શબ્દો-સમા સાથિયાપૂરેલું, શુભ-લક્ષણોસભર, ને ચોકે-વિરાર્જત આ; ક્રીડાના વનશું અનેક ફુલની માળા અને તોરણે રંગીલું, ઘર આપનું નિરખજો-આ આવ્યું, હે શેઠજી ! (૬) શ્રેષ્ઠી : રત્નાંગદ ! આ ગન્ધર્વોને કહે કે નવદંપતીના ગૃહપ્રવેશના મુહૂર્તની વેળાને હજી વાર છે, તો ત્યાં સુધી આપણા ઘર-આંગણે સરસ વર્ધાપનિકાનો ઉત્સવ કરે. (નેપથ્યમાં ગીતગાનનો સ્વર) રત્નાંગદઃ સ્વામી ! આ સમયે આવા ઉત્સવ કરાવીને વિલંબ કરવાનું રહેવા દો; કેમ કે સારા કાર્યમાં સો વિઘ્ન આવે. એકવાર વર-વધૂને ઘરમાં આવી જવા દો, પછી નિરાંતે ઉત્સવ ઉજવીશું. શ્રેષ્ઠી : (જરા અકળાઈને) શું કામ આ ક્ષણે ઉત્સવ ન કરવો ? રત્નાંગદઃ અરે શેઠજી ! હમણાં જ જમણી છીંક થઈ તે તમે સાંભળી કે નહિ? શ્રેષ્ઠી : એહુ, સળેખમ જેવા વિકારો પણ જો આપણા રંગમાં ભંગ પાડવા માંડશે, તો પછી દુષ્ટ મનુષ્યો માટે કોઈ કામ જ નહિ રહે ! જા, જા, જા, આ બધાં વેવલાવેડાં છોડ અને મેં કહ્યું તેનો પ્રબન્ધ કર. Page #58 -------------------------------------------------------------------------- ________________ અંક ૨] [[ ૨૧ (રત્નાંગદ આજ્ઞા-અનુસાર બધું કરાવે છે.) રૌહિણેય : (અચરજ અનુભવતો, શબરને) અરે જો જો ! વાદ્યોના દિવ્ય નાદે થરક થરકતી નાચતી નર્તિકાઓકેરા ઉત્તુંગ બન્ને સ્તન-કલશતણા મારથી હાર તૂટયા ! વેરાતાં મોતી તેનાં ધવલ ચળકતાં આંહી, તેથી અહોહો, દિસંતું આંગણું આ ઉદધિ-તટસમું શ્રેષ્ઠિ-આવાસ કેરું! (૭) તો બીજી બાજુ વળીતાંબૂલના રંગથી ઓઇ લાલ હરિદ્ર-વણે શણગાર્યું ભાલ કસુંબલું ઓઢણું હેરી ગાતું સ્ત્રીવૃન્દ આ મંગલગાન, જો તું (૮) શબર : આ યોગ્ય અવસર છે. હુંય હવે આ વૃન્દમાં ભળી જાઉં અને નાચ-ગાનમાં જોડાઈ જાઉં. તું સજ્જ રહેજે અને લાગ મળતાં જ તારું કામ સાધી લેજે. (શબર દોડીને નાચ-ગાનના તાંડવમાં ભળી જાય છે. થોડી વાર પછી જરા ઊંચા સ્વરે નર્તિકાઓને) એય, દૂર ખસો જરા ! નર્તિકાઓ : શા માટે ભાઈ? શબર : મારે પણ નૃત્ય કરવું છે. રત્નાંગદ : (અજાણ્યાને ટપકી પડેલો જોઈને) એય, કોણ છે તું? શબર : અરે બાપલિયા ! હું તો પરદેશી બ્રાહ્મણનો દીકરો છું. આવા આવા રૂડા પ્રસંગોમાં નૃત્ય કરવાની અમારા કુળમાં પ્રથા છે. આ તમારા ઘેર માંગલિક વાજાં સાંભળ્યાં એટલે દોડતો આવ્યો છું. મને નાચવા દો ને ! રત્નાંગદ : ચાલવા માંડ અહીંથી. તારા આ સ્વરૂપે જ તારો પરિચય આપી દિીધો છે. અહીં તારા જેવાની જરાય આવશ્યકતા નથી. ચાલ ચાલતો થા ! શબર : પણ પ્રભુ ! આ સ્ત્રીઓ તો નાચે છે ! હુંય એમની ભેગો નૃત્ય કરું તો તમને શું કષ્ટ છે? અને મારી સામે તો જુઓ જરા ! હુંય કાઈ ઓછો રૂપાળો નથી હોં ! અરે, આ બધાંની સાથે હુંય Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૨] શ્રેષ્ઠી શબર [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) નાચીશ તો તમારું ગૌરવ વધી જશે એ નિશ્ચિત છે. પણ હાં, મારા લક્ષ્યમાં આવ્યું કે તું મને શા માટે ના પાડે છે ? આ સ્ત્રીઓનાં નાચગાન અને રૂપ પાછળ તું ઘેલો બન્યો છે ને ? હા...પછી મારા જેવા કલાકારને તું હા શેની પાડે ?... (વિલખો પડી ગયેલો રત્નાંગદ મૂંગો ઊભો રહે છે.) : રત્નાંગદ ! ભલે ને આ બાપડોય નાચે આપણા ઉત્સવમાં. શું કામ ના પાડે છે એને ? જો ભાઈ ! ગાયકો, વાદકો, નર્તકો, નટ, વિટ, ભાંડ-આ બધા કલાવતો તો આવા ઉત્સવોથી જ નભે; આવા ઉત્સવો ન હોત તો આ બધાનું પોષણ કોણ કરત? માટે આ પણ ભલે નાચતો; નાચવા દે... : (હર્ષોન્મત્ત બનીને) જય હો ! વણિકશ્રેષ્ઠ સુભદ્ર શેઠનો જય હો ! શું શેઠજીની લાપરીક્ષા ! સ્વામી, બહુ કૃપા કીધી હોં ! હવે હું જીતી ગયો રે હવે હું જીતી ગયો રે... (આમ બોલતો બોલતો કટિપ્રદેશે હાથની થાપી મારતો નાચવા લાગે છે.) (બધાં હસી પડે છે.) રત્નાંગદ : (કૌતુક અને ઉપહાસથી મિશ્રિત સ્વરે-) (ગાન) કેવું વિકટ રૂપ આ વિટનું ! વિફરેલા સર્પોની ફણાસમ, કર્ણ-યુગલ છે ષિટનું... અંગ પિંગળું છે અરધું તસ, નાક વિષમ અતિવાંકું ઊભા દાંતથી વદન વિકૃત ને, મોટું ત્રિપૂરૂં માથું માંજરી આંખો, દાઢીવિહોણું મુખડું છે નટખટનું... ભાલ કાલ-ખપ્પરની તોલે, ઢોલ-સમાણા ઢગરા પેટ લબડતું, નૃત્ય લથડતું, વરવાં કરતો નખરાં ખરે ટાંકણે આવ્યો આ વિટ, લઈને રૂપ કુનટનું...(૧૦) મનોરમા : ભાઈ રત્નાંગદ ! આ નાચકણું તો કોણ જાણે ક્યારે પૂરું થશે ? Page #60 -------------------------------------------------------------------------- ________________ અંક ૨] (રત્નાંગદને કાંઈ યાદ આવી જતાં એક સેવકને બોલાવી તેના કાનમાં કંઇક કહે છે.) : હમણાં જ લઇને આવું છું (જાય છે.) (નેપથ્યમાં) હું નથી આવવાની, તું જા અહીંથી.. શ્રેષ્ઠી : રત્નાંગદ ! આ શેની રાડારાડ છે ? સેવક [૨૩ જો, હું ભવનમાં જઈને બધાંને એકત્રિત કરું છું. તમે લોકો હવે મુહૂર્તની વેળા આવતાં જ ગૃહપ્રવેશ કરજો. (આમ કહીને અંદર જાય છે.) રત્નાંગદ : સ્વામી ! એ તો પેલી વાનિકાને અહીં તેડાવી છે ને, તે આવવાની હા-નાકાની કરે છે. શ્રેષ્ઠી : એને શું કામ તેડાવવી પડી ? રત્નાંગદ : વામનિકા : (ડુંગરાતી ડુંગરાતી) હું નહિ નાચું, નહિ નાચું... રત્નાંગદ સેવક : રત્નાંગદ ! આ લઈ આવ્યો વામનિકાને, હવે તમે સંભાળો એને (તેની સમીપે સરકીને) વામનિકા ! આ તો તારા શેઠજીનો ઉત્સવ છે. એમાં નાચવાની ના પાડે તો કેમ ચાલે ? (ઘસડી જઈ મંચ પર બેસાડે છે.) સ્વામી ! ચુંચા સાથે રાંટાં જ શોભે ને ? આ નવા કલાકાર સાથે આ નૃત્યાંગનાઓનું કામ નહિ, વામનિકા નાચે તો જ જામે ! (સેવક વામનિકાને મનામણાં કરતો તેનો હાથ પકડીને ખેંચી લાવે છે મંચ પર) વામનિકા નાચે જેને નાચવું હોય તે. હું તો નથી જ નાચવાની. આમાં ક્યાંય એકાદેય ગુણીજન દેખાય છે તે હું નાચું ? શબર : (ક્રોધથી, વક્ર દૃષ્ટિથી તેની સામે જોતો-) તો આ અમે ઊભા તે કોણ છીએ ? કોઈ ગુણી જન નથી એમ કહીને અમારું અપમાન કરે છે તું ? વામનિકા (લટકાં સાથે કટાક્ષમાં) ઑ...હો ...! જ્યાં આવા રૂપાળા ને : Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) કુશળ નૃત્યકાર ઉપસ્થિત હોય ત્યાં અમારા જેવાં નાચે તો કેવું ભૂંડું લાગે ? ના ના તમે જ નાચો હોં ભાઈ.... શબર : ઓ તારી ! આ તો કોહવાયેલી કાંજી પોતાને અમૃતના કૂપા સાથે સરખાવવા માંડી ! ખોળનો કુચો ગોળ સાથે સ્પર્ધાએ ચડ્યો ભાઈ! અરે રત્નાંગદ ! આ લીમડાની ડાળ અને પોતાની સામે અંગુલિનિર્દેશ કરતો) આમ્રફળનો મેળ તે ભલો બેસાડવા માંડ્યો! (ખડખડાટ હસે છે, અને ઉલટી દિશામાં જુએ છે.). વાસનિકા : (ક્રોધમાં ધમધમતી) અરે કિરાત ! આરણ્યક ! સુધાળુ! એક તો મારું સ્થાન પડાવી લઈને નાચવા બેઠો છે, ને પાછો મારી હાંસી કરે છે ? જા, જ્યાંથી પાછા આવી જ ન શકાય એવા સ્થાનમાં જઇને તું પડ ! (શબર પ્રત્યે આંગળાં મરડે છે.) શબર : અરે દાસીપુત્રી ! ધૂતારી ! અભાગણી ! શ્રોત્રિય બ્રાહ્મણને પણ તું શાપ આપે છે? આટલું બધું તારું દુઃસાહસ ? તો હવે સાંભળી લે તું પણ ત્યાં જઈને પડજે, જ્યાં મારું પહેલું બાળોતિયું ફેંકેલું! | (વામનકા વિલખી પડી જતાં મૌન ધારે છે.) શબર : (તેને મનાવવા જાય છે) અરેરે ! આટલી અમથી વાતમાં રીસાઈ જવાનું ! હું આવું નહિ કરું-હવેથી, બસ ? ચાલ, હવે આપણે બન્ને સાથે નૃત્ય કરીએ. પછી આપણને ઘણું દ્રવ્ય મળશે, પછી હું તારી સાથે લગ્ન કરીશ, ને પછી તો આપણે બન્નેને આનંદ જ આનંદ ! વામનિકા : (શક્તિ થઈને) અરે દુષ્ટટબ્રાહ્મણ ! હું? તને પરણીશ? અરે જા જા ! બહેડાના ઝાડ સાથે નમણી નાગરવેલ, ગધેડા સાથે ગાય, અને કાગડા સાથે કોયલ શોભે તો તારી સાથે મારો સંગમ થાય ! નફફટ ! દૂર જા મારી સામેથી ! (ઘૂંકે છે.) રત્નાંગદ : (આંખ ફેરવીને) અરે ! તે તો આને સંતાપવા માડી ! ચાલ, જરા વાર દૂર થા, અને આને નૃત્ય કરવા દે; એ એકલી જ ભલે નૃત્ય કરતી. શબર : સારું ભાઈ આ શાન્ત થઈ ગયા, બસ? (મોં ઉપર કપડું ઢાંકીને Page #62 -------------------------------------------------------------------------- ________________ અંક ૨] [ ૨૫ પાછળ બેસી જાય છે.) રત્નાંગદ : વાસનિકા ! હવે નૃત્ય ચાલુ કર, ચાલ ! વાસનિકા : (હોઠ કરડતી) પણ સાજ વિના કેમ નાચું? રત્નાંગદ : (ગાન્ધર્વોને ઉદ્દેશીને-) અરે, આ વાસનિકા નૃત્ય આદરે છે તે નથી જોતાં? ચાલો, વાઘોની સંગત આપો એને ! (ગાન્ધર્વો વગાડવા માંડે છે.). (વાસનિકા હાથના ઉલાળા કરતી નાચવા માંડે છે.) (પાછળથી શબર આવીને વામનકાના મસ્તક પર છત્રાકારે બે હાથ ધરતો, કેડ નચાવતો, મુખ, હાથ તથા દાંત વડે વિકૃત ચાઓ કરે છે.) (કપડાં વડે મોં ઢાંકીને સહુ પ્રેક્ષકો હસે છે.) રોહિણેય : (સ્વગત)શબરે તો ભારે કૌતુક નીપજાવ્યું ! રંગત લાવી દીધી એણે તો ભાઇ. ચાલો ત્યારે, હું પણ હવે મારું કાર્ય પતાવું. (ઊભો થઈને નીકળી જાય છે.) શ્રેષ્ઠી : (હસતાં હસતાં) રત્નાંગદ ! ભારી કૌતુક બન્યું આ તો ! હાસ્ય રસની પરાકાષ્ઠા લાવી દીધી આ લોકોએ ! જો તો ખરો - ખડ ખડ હસતા પ્રેક્ષકો અન્યોન્યથી અથડાય ને એવા વળે બેવડ કે વેણીપુષ્પ પણ ક્ષિતિને અડે ! મોંફાટ હસતાં કે ઈ મુખથી વેરતાં તાંબૂલ તો આનન્દ અભુત અર્પતો કાંઈ હાસ્યરસ જામ્યો અહો ! (૧૧) શબર : (મનોમન) આ રૌહિણેયે આટલો બધો વિલંબ કેમ કર્યો હશે? (એ જ વેળાએ, માથે પુષ્પોનો મૉડ પહેરેલી, ઘાટા સાબુનો ઘુંઘટ તાણેલી, લલાટે કંક-તિલક કરેલી સ્ત્રી મંચ ઉપર આવે છે. તેની કાખમાં, કોઈને દેખાય નહિ એ રીતે, કૃત્રિમ સર્પ પણ સંતાયેલો છે.) શબર : અદ્ભુત ! ખરેખર અદ્ભુત ! આ સ્ત્રીનો વેષ રૌહિણેયે એવો તો રચ્યો છે કે સાક્ષાત્ મનોરમા શેઠાણી જ લાગે ! Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૬] સ્ત્રી [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) : (વરરાજા સમીપે જઈને) વત્સ ! મારા સ્કન્ધ પર ચડી જા તો ! તને ઉચકીને નૃત્ય કરું ને મારા મનના મનોરથને પૂર્ણ કરું. (મનોરથને ઉચકી, સ્કન્ધ બેસાડી, હર્ષોન્માદવશ નૃત્ય આરંભે બીજી સ્ત્રીઃ તો હું પણ મારી લાડકી બહેનને તેડીને વેવાણની સાથે નાચવાનો લ્હાવો કેમ ન લઉં? (એ પણ કન્યાને ઉપાડીને નાચવા લાગે છે.) શ્રેષ્ઠી : ખરું ભાઈ ! પુત્ર ઉપર માતાનો સ્નેહ અનન્ય જ હોય. શેઠાણી ભલે નાચતાં. એમના વર્ષોના ઑરતા ભલે પૂરા કરતાં. અને સ્ત્રીઓને બીજું જોઈએ પણ શું? (ગાન) નાચે શેઠાણી ઘણું હરખી સહુ ઇચ્છાઓ પૂર્ણ થયાની ઊલટ હૃદયની પરખી... સરસ પતિ મળજો' એ પહેલી, ઇચ્છા સ્ત્રીની રહેતી નિત્ય નવાં વસ્ત્રાભરણોની, તૃષ્ણા પછી તે વહેતી... ભોગસુખો પણ નિતનવલાં તે, ઝંખે દિવસે દિવસે લાડકડા બાળકની છેલ્લે, વાંછા તસ મન વિલસે.. આ ઈચ્છાઓ પૂર્ણ થઈ તો, પુત્ર-વિવાહે નારી લાજ તજી સુતને તેડીને, નાચે સુખની મારી...(૧૨) : (હરખ ઉપડયો હોય એમ)આ બેય વેવાણો વરને ને વહૂને સ્કંધે બેસાડીને કેવું સરસ નાચે છે ! વામનિકા ! તુંય મારા સ્કંધ પર બેસી જા, તો હુંય તને લઈને નાચું. ચાલ, આવી જા મારા ખભા પર. (વામનકા નખરાં કરતી તેના ખભે ચડે છે.) : (ગાન્ધર્વોને) અરે એ ગાયકો ! આ સાક્ષાત્ પાર્વતીમાતા અને લક્ષ્મીમાતા જેવાં બે શેઠાણીઓ પોતાનાં સન્તાનોના વિવાહના ઉમંગમાં નાચી રહી છે, અને તમે આમ ધીમું ધીમું શું વગાડો છો? વગાડો જોરથી ! (એ સાથે જ વાજિંત્રો ભારે જોરથી ગાજવા લાગે છે, ને શબરની સાથે તેના ખભે બેઠેલી વામનકા પણ શબર શબર Page #64 -------------------------------------------------------------------------- ________________ અંક ૨] [ ૨૭ નાચવા લાગે છે.) (સ્ત્રીની કાખમાંથી એકાએક નાગ સરકીને પડે છે.) એક સાથે બધાં સાપ...સાપ...ભાગો !...(ભયના માર્યા સહુ નાસભાગ કરી મૂકે છે.) (રૌહિણેય પણ ડરી ગયો હોય તેમ લાગે છે. થોડેક દૂર ગયા પછી થોભે છે, મનોરથને નીચે ઉતારે છે, અને ઓઢણું ફગાવી દે છે.) (એને જોતાં જ મનોરથ ઓળખી જાય છે, ને મોટેથી રડવા માંડે છે.) રૌહિણેય : (તિરસ્કારપૂર્વક) એય, ચૂપ ! રડવાનું બંધ ! જો રડયો તો (છરી દેખાડતો) બેય કાન કાપી નાખીશ ! (મનોરથ શાન્ત થઈ જાય છે.) રૌહિણેય : (સ્વગત) હજી કોઈને જાણ થઈ નથી લાગતી. પણ હવે કોઈનું ધ્યાન આ દિશામાં જાય તે પૂર્વે મારે ગુફા પર પહોંચી જવું જોઈએ. (પાછળ જોતો જોતો, મનોરથને લઈને ભાગે છે.) (સર્વત્ર નિરીક્ષણ કરતો, મનોમન-) રૌહિણેય નીકળી ગયો લાગે છે. અહીં તો બધાં હજી સર્પના ભયમાં જ સ્તબ્ધ છે. એ બધાંને વાસ્તવિકતાનું ભાન થાય તે પહેલાં જ વામનિકાના કાનમાં સંકેત આપીને, મારે ભાગવું જોઈએ. (વામનિકાને એકાએક ખભા પરથી ઊતારીને મોટેથી-) વાસનિકા ! વાસનિકા ! શ્રેષ્ઠીવર્યના સુપુત્રનું કોઈ દસ્યુ અપહરણ કરી ગયો લાગે છે....(આમ બોલતો ભાગી છૂટે છે.) (વાસનિકા ધરતી પર ચડી જાય છે ને મૂછનો ડોળ રચે છે.) શ્રેષ્ઠી : (સાવધાનીના સ્વરે-) અરે ભાઈ ! આ મંચથી બધાં દૂર રહો ! અને રત્નાંગદ ! જો તો પેલો સર્પ ક્યાં લપાયો છે ? કોઈને દંશી જશે તો વળી નાટકમાં ચેટક થશે ભાઈ ! રત્નાંગદ : (દોડતો આવે છે, શું કહ્યું ? સર્પ ? અહીંયા ? ક્યાં છે? કોણે જોયો ? (આમ બોલતો તે ચારે દિશામાં ઝડપથી ફરી વળે છે. એક સ્થળે પડેલા પેલા સર્પને જોઈને) આ રહ્યો એ સર્પ, સ્વામી ! રાબર hal Use Only : Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૮] શ્રેષ્ઠી [ પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) પણ અરે ! આ શું ? આ તો હલતો નથી, સરકતોય નથી ! ભાગતોય નથી કે ફેણ પણ માંડતો નથી ! મરેલો છે કે શું ? (પૂરી સાવધાનીપૂર્વક ધીમે ધીમે પોતાનો હાથ એ સર્પની પાસે લઈ જાય છે, અને હળવેકથી આંગળી અડાડે છે. પછી તરત જ ઉપહાસભરેલા સ્વરે-) અરે સ્વામી ! આ તો કૃત્રિમ સર્પ છે ! સાચો નાગ ન હોય, આ તો ચીરિકા-સર્પ છે ! અરેરે ! આજે જ આવો ઉપહાસ કરવાનું કોને સૂઝયું હશે ? (સર્પને હાથમાં પકડીને બધાંને દેખાડે છે. શ્રેષ્ઠી ત્યાં આવે છે, કૃત્રિમ સર્પને હાથમાં લઈ તપાસતાં) : (સ્વગત) આ તો ચીંદરડી - ચીરિકા છે, ને બધી બાજુથી ઔષધદ્રવ્યો અને રંગો વડે લિસ-લેપેલી છે. કોઈ ચોરનાં જ આ પરાક્રમ ! (મોટેથી) અરે રત્નાંગદ ! આ તો કોઈ નીવડેલા ચોરનું કૃત્ય છે. તું પહેલાં તપાસ કર કે આપણાં મહેમાનો, જાનૈયા અને સ્વજનોનું બધું હેમખેમ છે ને ? કોઈનું કાંઈ ચોરાયું તો નથી ને ? રત્નાનંદ (ત્વરિત ગતિએ બધે ફરી વળે છે. બધાંને પૂછી-તપાસીને પાછો ફરીને) સ્વામી ! કોઈનું કશું જ ચોરાયું કે ખોવાયું નથી. ધરપત ધરજો. શ્રેષ્ઠી : (વિહ્વળતાથી–) પણ રત્નાંગદ ! આપણો મનોરથ કેમ ક્યાંય દેખાતો નથી ? એ ક્યાં છે, જો તો જરા ! રત્નાંગદ : એ તો ત્યાં માતાજી પાસે છે. શ્રેષ્ઠી મનોરમા (અને એ જ ક્ષણે શેઠાણી ત્યાં આવે છે.) મનોરમા (અકળામણ સાથે-) ક્યાં ગયો રત્નાંગદ ? આ તમારાં નાટક પૂરાં જ નહિ થાય શું ? બસ, નાચ્યા જ કરશો ? નવદંપતીના ગૃહપ્રવેશની મંગળ ઘડી વહી રહી છે તેનુંયે ભાન કોઈને નથી ? ઊભો થા હવે, ને મનોરથને સત્વર આગળ બોલાવ, તો ગૃહપ્રવેશની વેળા સાચવી લેવાય. : (ચોંકીને) તો મનોરથ તમારી સમીપે-ભવનમાં નથી ? છ્, અહીં તમારી સમીપમાં બેસાડીને તો હું ભવનમાં ગઈ'તી ! આટલું યે સ્મરણમાં નથી ? Page #66 -------------------------------------------------------------------------- ________________ અંક ૨] [ ૨૯ શ્રેષ્ઠી : (રોષપૂર્વક) કેવો પ્રમાદ છે તમારો ! અરે, હજી હમણાં તો તમે મનોરથને સ્કન્ધ બેસાડીને નૃત્ય કરતાં'તાં, ને એકાએક સર્પ નીકળતાં તમે ભાગ્યાં તે તો મેં મારી આંખે જોયું ! ને પાછો મારો દોષ? મનોરમા : (ઉત્તેજિત સ્વરે) પણ સ્વામી ! હં ભવનમાં ગઈ પછી અહીં આવી જ નથી ! આજે મેં નૃત્ય પણ નથી કર્યું, અને પુત્રને સ્પર્શ સદ્ધાં નથી કર્યો, ઉચકવાની તો વાત જ ક્યાં ? અને વળી તમે કહો છો કે તમે સગી આંખો મને નાચતાં જોઈ ! કાંઈક વિચિત્ર છે એ નિઃશંક. શ્રેષ્ઠી ? તો તો અવશ્ય કોઈકે તમારો વેષ ભજવીને આપણા મનોરથનું અપહરણ કર્યું ! એ વિના બીજું કાંઈ જ સંભવિત નથી લાગતું. વામનિકા : (મૂછી વળતી હોય તેમ હળવેકથી) આ અહીં છે. શ્રેષ્ઠી : (આશાભેર તેની સમીપે જઈને) ક્યાં? ક્યાં છે મનોરથ? બતાવ તો ! વાસનિકા : (હળવેથી)ના...મનોરથ નહીં. એ તો હું ભાંગેલા મન અને કેડવાળી વાગનિકા અહીં છું, એમ મેં કહ્યું. શ્રેષ્ઠી : (હતાશ થતાં) અમારાં મનને શાતા અર્પનારો પુત્ર જ ન રહ્યો તો હવે બીજાં હોય વા ન હોય, અમારે શું ? વાસનિકા : (રડતા સ્વરે) તમારા છોકરાને તો ચોર ઉપાડી ગયો છે ! રત્નાંગદ : (અવજ્ઞાપૂર્વક)ને તને તેની જાણ છે? વામનકા : ના...આ તો પેલો શબર અહીંથી ગયો ને, તે જતાં જતાં આ વાત મને કહેતો ગયો, અને તેણે મને ખભા પરથી એવી તો પછાડી કે મારા તો હાડકાં ભાંગી ગયાં ! ઓ બાપા ! હવે મારું શું થશે ?.... (ધીમું ધીમું રડે છે.) રત્નાંગદ : (ઉત્સુકતાથી) કેટલી વાર થઈ શબરને ભાગી ગયા ને? વામનિકા : હું ભોંય પડી એવી જ બેભાન થઈ ગઈતી. મને કેવી રીતે જાણ હોય ? શ્રેષ્ઠી : મારા દીકરા! મારા લાલ ! મારા કુળદીપક ! તું ક્યાં છો? મને હોંકારો તો આપ પુત્ર !. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૦]. [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) (બોલતાં બોલતાં મૂછિત થઈ ઢળી પડે છે.) મનોરમા : ઓ મારા લાડલા ! તું કેટલો સુકોમળ હતો ! કેવો સુન્દર હતો! તું ક્યાં જતો રહ્યો બેટા ? મને એકવાર તો હોંકારો આપ ! એકવાર તો આ તારી અભાગણી માતાને તારું મુખ દેખાડ ! (આક્રન્દ કરે છે.) રત્નાંગદ : (ઉતાવળે) અરે ! શીધ્ર ચન્દનનો લેપ લાવો ! કેળપત્રના વીંઝણા વડે સ્વામીને પવન નાખો ! સ્કૂર્તિ કરો ! (સેવકો સૂચનાને અનુસરે છે.) શ્રેષ્ઠી ? (ભાનમાં આવતાં જ દીન ભાવે) હા દૈવ ! પુત્રનું અપહરણ થયું અને અમારા સર્વ મનોરથો નષ્ટ થયા ! બેટા...બેટા...તને ક્યાં શોધું ? તને ક્યારે જોવા પામીશ ? મારાં સપુણ્ય-વૃક્ષો ઉપર વળગતી શ્રી-લતાનો તું ડોડો ઊગે હૈયે સદા જે નવલ મનોરથો સિંચતો મેઘ તે તું મારા આ વંશ-વ્યોમે વિહરત રવિ તું, રત્ન સ્વર્ગીય મારું ઓ બેટા ! ક્યાં ગયો તું? મુખડું નિરખવા બાપ-ડો ઝંખતો આ ! (૧૩) (ઊંચા સ્વરે બધાં કલ્પાન્ત આદરે છે.) (પુનઃ-). શ્રેષ્ઠી : ભાંગ્યા સર્વ મનોરથો, ધન વૃથા ભેગું કરેલું બધું દુઃખો શેષ રહ્યાં, સુખો લય ગયાં હંમેશ માટે હવે તારા આ વિરહાગ્નિમાં મમ બળી જાયે દુઃખી પ્રાણ છે ! તે પહેલાં તુજ મીઠડા મુખતણાં તું દર્શ તો આપ ને !...(૧૪) મનોરમા : (આંસુઝરતી આંખે) તું મારે એકનો એક હતો, દીકરા ! તારા વિના હવે હું શી રીતે જીવીશ? રત્નાંગદ : સ્વામી ! તમે લોકો આમ પ્રલાપો અને વિલાપો જ કર્યા કરશો, તો વળી કોઈ નવતર ઉપાધિ આવી પડશે. જરા સ્વસ્થ થઈને વિચારો ને ! શ્રેષ્ઠી : અરે વત્સ ! હવે આનાથી વધીને કઈ મોટી ઉપાધિ આવવાની Page #68 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧ અંક ૨] છે? બાકી તો હવે ઝાઝી વેઠવાની આવશે જ ઉપાધિઓ સૂર્ય આથમતાં વેંત અંધારાં વ્યાપતાં જગે (૧૫) મનોરમા : ના,ના, એવું અવળું ના બોલશો. કુળદેવીના પ્રભાવથી બધાં અમંગળ દૂર થશે જ. જરા શ્રદ્ધા રાખો. શ્રેષ્ઠી : (અસંબદ્ધ પ્રલાપ કરતાં, રત્નાંગદને) ભાઈ મનોરથ ! તું અહીં નિકટ આવ ને ! જરા વાર મારા ઉલ્લંગમાં બેસને ! મનોરમા : (આંસુ સારતાં) નાથ ! આ રત્નાંગદ છે, મનોરથ નથી. તમે આટલા બધા વ્યાકુળ કેમ થયા છો? થોડીક તો સ્વસ્થતા દાખવો ! રત્નાંગદ : (કઠોર સ્વરે) સ્વામી ! આ શું સ્ત્રીજનોચિત વર્તન આદર્યું છે ? ઊભા થાવ ! ચાલો ભવનમાં... શ્રેષ્ઠી : (બોલ્યા વિના ઊભા થાય છે. ક્રોધમાં પગ પછાડતાં ભવન પ્રતિ ચારેક પગલાં માંડે છે, અને પછી ત્યાં જ થંભી જઈને) (ગાન) હૈયું આ પુત્રના વિરહમાં થીજતું સ્તબ્ધ-ગતિહીન આ ચરણ દીસે આંસુ અવિરત ઝરે આંખથી, આંખ પર બાઝતાં પડલ તે કારણે ને... સૃષ્ટિ સઘળી ભમે ગોળ, ના સ્થિર કશું, ભાન ભૂલ્યો દિશાનુંય હું તો દેખતો ઘર ન હું, માર્ગ પણ દેખું ના, આથમ્યું આજ જગ આખું મારે... રત્નાંગદ : (સ્વગત) અહો ! સન્તાનનો વિયોગ સમર્થ જનોને પણ કેવા મૂઢ બનાવી મૂકે છે ! “મૃત્યુ-પળે ને ધનના વિનાશે, પ્રેમોપચારે, પ્રિયના વિયોગે પુત્રાદિને કોઈ ઉપાડી જાય, ના હારતું ધીરજ કોણ ત્યારે? (૧૭) એટલે હવે થોડા આશ્વાસક વચનો કહીને શ્રેષ્ઠીને શાતા પમાડું. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] કેમ કે શ્રેષ્ઠી [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) દુઃખત્રસ્ત જનોને ધન આપ્યું થાય સૌષ્ય ના તેવું આશ્વાસનનાં મીઠાં, વચનો સુખ આપશે જેવું (૧૯) (મોટેથી) સ્વામી ! ન બાળશો હૈયું, શોકની આગમાં વધુ પુત્ર પાછો મળે શીઘ્ર એવો યત્ન કરીશ હું (૨૦) સ્વામી ! મધ્યરાત્રિ પણ પૂર્ણ થવા આવી છે. હવે ઘરે ચાલો. પ્રભાતે બધું જ થશે. (રત્નાંગદના હાથનું અવલંબન લઇને શ્રેષ્ઠી ભવન પ્રતિ આગળ વધે છે. ભવનના પ્રવેશદ્વારે પહોંચતા જ વળી પુત્ર સાંભરી આવે છે અને કરુણ સ્વરે બોલે છે) રત્નાંગદ : (એકાએક કાંઈક લક્ષ્યમાં આવતાં) સ્વામી ! પેલા ફૂટબ્રાહ્મણે વામનિકાને જ પુત્રના અપહરણની વાત કેમ કરી હશે ? આ ક્ષણે મને થાય છે કે એ બ્રાહ્મણવેષધારી નર્તક પેલા ચોરનો જ અનુચર હોવો જોઈએ. હે ભગવાન ! આપણે કોઈ જ એ દુષ્ટને ઓળખી કેમ ન શક્યા ? ધન હો અખૂટ ભલે અહીં, સોનું ઘણેરૂં પણ ભલે અશ્વો ભલે હો વાયુવેગી, સરસ ક્રીડાવન ભલે સઘળું ભલે, પણ ચન્દ્રસમ મમ પુત્ર જો અહીંયા નથી આ ગૃહ નહિ, પણ એ ભયંકર ભૂતિયું સમશાન છે...(૨૧) : (ક્ષણવાર વિચારોમાં ઊંડા ઊતરી જાય છે. પછી પૂર્ણતઃ સભાન બનતાં દૃઢ સ્વરે બોલી ઊઠે છે :) મારા પુત્રનું અપહરણ કરનારા એ દુષ્ટને રાજ્ય દ્વારા બન્ધન અને કારાવાસ હવે નિશ્ચિત માનજો. હવે ઝાઝી વાતોનાં ગાડાં નથી ભરવાં : મારી સમગ્ર સંપત્તિ આપી દઈશ મારા જીવનને પણ હોડમાં મૂકીશ રાજાજીને વિનવીને Page #70 -------------------------------------------------------------------------- ________________ અંક ૨ ] [ ૩૩ ધરતીનો ખૂણેખૂણો શોધાવીશ; જે કરવું પડે તે બધું કરીને પણ હવે તો એવો પ્રબંધ કરીશ કે તે દુષ્ટોને કારાગાર મળે, ને મને મારો પુત્ર પાછો મળે ! (૨૨) (સ્વજનોને ઉદ્દેશીને) તમે કોઈ લેશ પણ ચિન્તા ના કરશો; સહુ પોતપોતાના સ્થાનકે પહોંચી જાવ. (સેવકોને-) અને તમે લોકો આ વાસનિકાને તેના ઘરે પહોંચતી કરો ! અને ભાઈ રત્નાંગદ ! કાલે પ્રભાતે જ મહાજનના સમેલનનો પ્રબંધ કરજે. ચાલો ત્યારે, હવે અમે પણ ભવનમાં જઈને વિશ્રાન્તિ લઈશું. (બધાં જાય છે.) દ્વિતીય અંક સમાપ્ત Page #71 -------------------------------------------------------------------------- ________________ તૃતીય અંક (દશ્ય ૧) (રત્નાંગદ પ્રવેશે છે.) રત્નાંગદ : (પૂર્વદિશા ભણી અવલોકીને) ઓ, તો સૂર્યોદય થઈ ગયો? કેવું મનભર દશ્ય રચાયું છે ! (ગાન) દીઠું રૂડું દશ્ય પ્રભાતે... પૂર્વ દિશામાં સૂર્ય ઉગે તવ, કિરણો જે પથરાતાં અનુપમ-કોમલ-તેજ-ખચિત એ, કેવાં રાતાં રાતાં ! અવની પર આકાશ છવાયું લલિત રતુમડી ભાતે... બિન્દુ હશે સિજૂરતણાં આ, શુકનસમું ટપકતાં ? પુંજ હશે કે કુસુંભ કેરો, અણુ અણુને રંગતા ? લાલી અનુપમ પથરાઈ આ, કેવી સરસ નિશાને... તરુ-કંકેલીનાં શુભ પર્ણો, વિમલ હશે આ ખરતાં ? પરવાળાના અંકુર કે આ ખંડ ખંડ વેરાતા? તિમિર લપાયું એની બીકે કાળું, કાળી રાતે... કુકુમનો છંટકાવ સૃષ્ટિ પર, થતો હશે આ નક્કી ! કે પછી રેતકણો આ ઝરતાં છે શું શોણનદ-થકી ? દશ્ય જોઈ આવાં કંઈ કલ્પન કીધાં માનવજાતે...(૧) (આરતી : ઝાલર, શંખ, નગારાં) જય જય આરતી સૂર્ય દિગંદા રન્નાદે મન પરમાણંદા... વિકસિત કમલ તણો છે થાળ, હિમકણના અક્ષત સુ-રસાળ છે મકરન્દ સુગન્ધિત ચન્દન, “લીલી ધરો” તે ભૃગ-સગુંજન... દધિમંગલ તો હંસ સલૂણા દીવી કેસરપંજ સુવર્ણ નલિની સજ્જ થઈ ગ્રહી થાળ, કરતી આરતી સૂર્યની ભાળ... જય જય આરતી સૂર્ય દિગંદા તિમિર હરી જે જ્યોતિ કરંદા..(૨) Page #72 -------------------------------------------------------------------------- ________________ અંક ૩] [૩૫ ભલે ત્યારે, હુંયે કાલે રાત્રે મળેલા આદેશ પ્રમાણે કામે લાગી જાઉં. નીકળે છે. સામે માર્ગ પર દૃષ્ટિ પડતાં જ પ્રમુદિત બનીને) અરે, આ તો મારો મિત્ર લલિતાંગ આવતો જણાય છે ! (લલિતાંગ પ્રવેશે છે.) લલિતાંગ : (ઉગમાં જ-). ચોર, ધર્મી જનો તેમ, શત્રુઘેર્યા નૃપો અને પરસ્ત્રી-લંપટો મોડું કરે તો હાણ પામશે.” (૩) રત્નાંગદ : (તેની સામે જઈને) અહો હો બધુ ! ઘણા દિવસે દેખાયો ! મદનવતીનું અપહરણ થયું તે પછી કેમ ક્યાંય દેખાતો જ નથી? કે પછી મારાં જ ભાગ્ય પાતળાં છે કે તારા જેવા મિત્રનાં દર્શન નથી મળતાં ? સ્નેહાળ, સત્ત્વશીલ અને મિત્રો માટે પ્રાણાર્પણ પણ કરી જાણે તેવો મિત્ર પુણ્યહીન જનને મળે પણ શેનો ? લલિતાંગ : ભાઈ ! આવું કેમ બોલે છે ? એક વાત નોંધી રાખ : પ્રિય મિત્ર અને પ્રિયતમા – એ બેનું વિસ્મરણ કદાપિ થાય જ નહિ. પરન્તુ, મારી મનોદશા તો તારાથી છાની નથી ને ? ખરું કહું? મારે તો હવે આ જીવવું જ આકરું થઈ પડ્યું છે. જે હારે રિપુથી ને વિરહ પ્રજíત પ્રેમિકાના જે પરવશ જે હંમેશાં જીવવું છે ઝેર જેવું તે સહુનું” (૪) રત્નાંગદ : મિત્ર ! તો મદનવતીને શોધીને પાછી લાવવા માટે કોઈ ઉપાય પણ તે હજી નથી યોજ્યો ? આમ ને આમ તો કેટલા દહાડા કાઢીશ? કાંઈક તો કરવું જોઈએ ને ! લલિતાંગ : ભાઈ ! મારું ચિત્ત જ ભ્રમિત થઈ ગયું છે. શું કરું? મને તો લાગે છે કે “દુર્ભાગ્યને કારણે જે પદાર્થો હાથથી ગયા Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] [[પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) ભાગ્યોદય થયે જાતે મળશે; વ્યર્થ યત્ન સી” (૫) રનાંગદ : મિત્ર ! તારી વાત હું સમજી શકું છું. પણ હવે તું સ્વસ્થ થઈ રહે તો સારું. પ્રભુકૃપા થશે તો થોડા સમયમાં જ મદનવતી પણ મળી આવશે. તને જાણ થઈ? એ ચોરે સુભદ્ર શ્રેષ્ઠીના પુત્રનું પણ કાલે અપહરણ કર્યું. છે. શ્રેષ્ઠી તીવ્ર ક્રોધાકુળ બન્યા છે. ચોરની શોધ કરાવી તેને બન્ધનગ્રસ્ત બનાવીને જ તેઓ શાન્ત થશે. અને જો એમનો પુત્ર મળશે તો તો મદનવતી પણ મળવાની જ. પણ હા, એક વાત મને કહે. તારો અને મદનપતીનો આખો પ્રસંગ ધન સાર્થવાહ તથા તારા પિતા બન્ને જાણે છે ખરા ? લલિતાંગ : મદનવતી ક્રીડાથે ઉદ્યાનમાં ગઈ હતી, અને ત્યાંથી તેને ચોર હરી ગયો, એટલું જ બધાં જાણે છે. મારા અને તેના મિલનની કોઈને જાણ નથી. રત્નાંગદ : બહુ ઉત્તમ થયું છે. હવે ધન સાર્થવાહ અમને પણ ઉપયોગી થઈ પડશે. (નેપથ્યમાં જયનાદ). જય હો ! રાજાધિરાજ શ્રેણિકનો જય હો ! રાજનું ! તમે યુદ્ધે ચઢો ત્યારે તમારા સૈન્યના હાથી-હજારોનો ગળે મદ કંકુવરણો ધૂળમાં તે ધૂળ આકાશે ઉડે તવ ભરબપોરે પણ અહો ! દીસે પ્રખર આ સૂર્ય પણ નિસ્તેજ શિશુ-રવિ શો ભલો !(૬) જય હો ! મહારાજાનો વિજય હો ! રત્નાંગદ : (ચમકીને) અરે ! ભાટ-ચારણોએ રાજાજીનાં ગુણગાન પણ આદરી દીધાં! રાજાજી રાજસભાએ પધારી રહ્યા જણાય છે. તો તો મારે પણ હવે ત્વરા કરવી ઘટે. ભાઈ લલિતાંગ ! તું મને પાછો અવશ્ય મળજે. (બન્ને પોતપોતાની દિશામાં ચાલ્યા જાય છે.) પડદો Page #74 -------------------------------------------------------------------------- ________________ અંક ૩] [ ૩૭ (દશ્ય ૨) (સિહલરાજનું આલંબન લઈને, રાજચિહ્નો ધારણ કરેલો રાજા શ્રેણિક અને સ્તુતિગાન કરનારા સેવકો આદિ પ્રવેશ કરે છે.). સ્તુતિપાઠકોઃ શત્રુ-સૈન્યના ગજરાજોના ગંડસ્થલને ભેદતી તેમાંથી ઉદ્ભવતા મુક્તાફળ સાથે જે અથડાતી તેથી તો તવ અસિની ધારા સ્વામી ! એવી તીણ બની સરજે ભ્રમણા એ અમ મનમાં જયલક્ષ્મીના સદનતણી (૭) વળી, જેના પગરૂપ જલધરને જોઈને જ રિપુ-હંસો ભાગે મગધપતિ શ્રેણિક તે નૃપતિ વિજયી હો બલવંત અતિઅતિ (૮) રાજા : (પ્રમુદિત હૈયે) ચંડપ્રદ્યોત પેલો બહુબહુ બળિયો, તોય જો ! કેવું કીધું? આવેલો એ અમારું અપહરણ કરી ભાગવાની સ્પૃહાથી કેવો એ તો પછીથી પ્રગટ થઈ જતાં મૂઠીઓ વાળી નાઠો એનાથીયે વિખૂટો ભય-થરથરતો જાતના રક્ષણાર્થે ! (૯) સિંહલ : દેવ! એ પ્રસંગમાં તો આપનો પ્રચંડ પ્રતાપ જ ભાગ ભજવી ગયો ગણાય. શત્રુ નૃપોની રાણીઓ નિજ ગાલ ઉપર આલેખતી પત્રવેલડીનાં નવલાં બહુ સરસ સુશોભન હોંશભરી તુજ પ્રતાપનો અગ્નિ ભભૂકે ત્યાં તો, તે સ્ત્રીઓ તેથી નિસાસા નાખે, તે કારણે ગાલે નવતર ભાત થતી ! (૧૦) (નેપથ્યમાં કોલાહલ) રાજા : (ધ્યાનપૂર્વક કાન માંડે છે અને કુન્તલને કહે છે-) અરે ! દ્વારપ્રદેશ પર કોણ આટલો કોલાહલ કરે છે ? જા, તપાસ કર ! કુન્તલ ? જેવી આજ્ઞા. (બહાર જઇ પાછો આવે છે.) Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૮] [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) રાજા : શેનો છે આ કોલાહલ? કુન્તલ : દેવ ! નગરના સર્વ વણિક શ્રેષ્ઠીઓ આપને મળવા આવ્યા છે, તેમનો આ સમૂહ-સ્વર છે. રાજા : ઓહો ! એમ વાત છે? તો શીધ્ર એમને અહીં બોલાવી લે ને ! કુન્તલ : દેવ ! કેટલાને આવવા દઉં ? રાજા : (ભવાં ચઢાવીને) કેટલાને એટલે શું વળી ? કુન્તલ : (ડરતાં ડરતાં) પ્રભુ ! એ લોકો તો ઘણા બધા છે ! સિંહલ : અરે કુન્તલ! આવું પૂછવાનું હોય? બે ત્રણ પ્રતિનિધિને આવવા દેવાના. રાજા : (વિચારમગ્ન બને છે. પછી-) સિંહલ ! મહાજનો અવશ્ય કોઈ મોટી ઉપાધિમાં સપડાયા હશે, તો જ આમ એકત્ર થઈને આવે. કુન્તલ ! બધાયને પ્રવેશ આપ. (કુન્તલ જાય છે.) બન્દી : (સહર્ષ) અહો ! આપણા સ્વામીને પોતાની પ્રજા પ્રત્યે કેવું વાત્સલ્ય છે ! વર્ષે જેવો મેહુલો આમ્ર-કુંજે તેવો વર્ષે કેરડે-બોરડીએ રાખે ના કૈલેશ એ પક્ષપાત એની દૃષ્ટિમાં બધાંયે સમાત ! (૧૧) (ત્યાં તો કુન્તલની પાછળ પાછળ ઉચિત વેષ અને મસ્તકે પાઘ પહેરેલા વણિકજનો, હાથમાં ભેંટણી સાથે આવે છે). કુનાલ : (વિનયપૂર્વક) દેવ ! આ સુભદ્ર શ્રેષ્ઠી છે. પેલા ધન સાર્થવાહ છે. અને આ બધા સુધન તથા અન્ય મહાજનો છે. બધા આપને સવિનય પ્રણામ કરે છે. રાજા : (ઉત્સાહિત થતો) અરે રાંદુલ ! આસનો પાથર બધાને માટે. (બન્ને કાખમાં આસનો લઈને આવે છે.) રાંદુલ : આ રહ્યાં આસનો, બિરાજો બધા. (પંક્તિબદ્ધ આસનો પાથરી Page #76 -------------------------------------------------------------------------- ________________ અંક ૩] [ ૩૯ આપે છે.) (વણિકજનો ક્રમશઃ ભટણાં અર્પી, રાજાને પ્રણામ કરી બેસે છે.) રાજા : (ભાવ-ગદ્દગદ સ્વરે) પુણ્યો મારા પ્રગટ જ થયાં, ઉલ્લલ્યું ભદ્ર આજે લક્ષ્મી આવી મુજ ભવનમાં સગુણો સર્વ લાધ્યા; મારી સામે અમૃત-નયને પૂર્વજો એ નિહાળ્યું હે શ્રેષ્ઠીઓ ! તુમ પદ પડ્યાં તો જ મારી સભામાં (૧૨) શ્રેષ્ઠી : અહો ! રાજાજીની વાણી કેવી શાતાદાયક છે ! બન્દી : (વણિકોને ઉદ્દેશીને) શ્રેષ્ઠીઓ ! (ગાન) પુણ્ય પરગટ થયું, આજ વિધિ રીઝિયો, તૂઠી તુમ ઉપર તો કામધેનુ કલ્પતરુ ઘર ફળ્યું, રત્ન-ચિત્તા મળ્યું, ઓગળ્યું ચપલપણું સંપદાનું થાવ સુપ્રસન્ન ડે શ્રેષ્ઠિગણ ! આજ તો કાજ સઘળું તમારું જ સીઝક્યું કેમ કે આપની ઉપર મગધેશનું પ્રીતિ-છલકત આ હૃદય રીઝર્ષ (૧૨) શ્રેષ્ઠી : દેવ ! આ સ્તુતિપાઠકે કહ્યું તે સાવ સાચું છે. પણ સ્વામી ! ન ઇચ્છા લક્ષ્મીની નહિ નવનવા ભોગ ખપતા દિગન્ત ફેલાતા ધવલ યશનીયે નવ તૃષા ભલે ને લૂંટાયા સકલ વિભવો તો પણ હવે ધરી દેશું રાજન્ ! અમ જીવન ; થાશે બસ પછી ? (૧૩) રાજા : અરે અરે, શ્રેષ્ઠી, આવી અવળવાણી કાં ઉચ્ચારો ભાઈ ? મારા નીતિપ્રધાન શાસન વિષે જે લુંટતો આપને સ્ત્રીઓને વિષયાન્ધ થૈ પજવતો ને પોષતો પાપને એ હોયે મુજ પુત્ર તો પણ ભલે, મારે કશું કામ નાએવા દુષ્ટ અને અનાર્ય જનનું; દંડીશ તેને નકી ! (૧૪) Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૦] શ્રેષ્ઠી રાજા શ્રેષ્ઠી રાજા કહો, શા માટે મહાજને સભામાં આવવું પડયું ? : (દુ:ખભર્યા સ્વરે) દેવ ! શું કહીએ ? હવે કહેવા યોગ્ય કશું જ રહ્યું નથી. છતાં સંક્ષેપમાં કહું તો : [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) લોપાયો ન્યાય, લોકો અશરણ જ બન્યા, પાપના પુંજ જામ્યા વેરાયાં પુણ્ય સૌનાં, સદગુણ વણસ્યાં, ફૂંક્યું દેવાળું ધર્મે; લક્ષ્મી સૂકાઈ, દુઃખો સુવિકસિત થયાં, ભોગનાં સૌખ્ય ડૂબ્યાં કાં કે રાજા અમારા નિજ-ઉદર ભરી ઉંઘતા છે નિરાંતે ! (૧૫) દેવ ! વિશેષ કહેવાનો હવે અર્થ નથી. અમને એવું કોઇ સુરક્ષિત સ્થાન, પર્વત કે કોટ-કિલ્લા જેવું દેખાડો તો ત્યાં અમે અમારા પરિવારો સાથે જઇને રહીએ અને અમારાં જીવનની તો રક્ષા કરીએ. (ઉદ્વેગપૂર્વક) જો તમારા જેવા રાજમાન્ય પ્રજાજનોને પણ મારા રાજ્યમાં આટલી બધી કનડગત થતી હોય તો તે મારા માટે ભારે લજ્જાસ્પદ વાત ગણાય. મારી આ કસાયેલી કાયા, મહાન રાજ્ય, આ વિપુલ ધન વૈભવ અને આ યશ બધું જ આ ક્ષણે, મને વ્યર્થ ભાસવા લાગ્યું છે. પણ શ્રેષ્ઠીવર્યો ! તમે વાતમાં મોણ નાખ્યા વિના, જે કાંઈ નિવેદન કરવા ઇચ્છતા હો તે નિશ્ચિતપણે જણાવો ને ! તો મને પણ કાંઇ સૂઝ પડે. ઃ દેવ ! સાંભળો !...(બોલવા જતાં જ ગળગળા થઈ જાય છે, અને સ્તબ્ધ-ક્ષુબ્ધ ભાવે ઊભા રહે છે.) ઃ (સન્તપ્ત સ્વરે) અરે રે ! મારા પુરુષાતનમાંય આજે ધૂળ પડી ! મારી આ પ્રભુતાને અને મારા સામર્થ્યને ધિક્કાર હજો ! જેના પ્રજાજનોને સાવ રાંકડા સમજીને દુર્જનો કનડતા હોય તેવો રાજા ધિક્કારને જ પાત્ર ગણાય... (પછી અત્યન્ત હેતથી) શ્રેષ્ઠી ! આટલો બધો સન્તાપ શા માટે ? તમારી આ સ્થિતિ અમારા ચિત્તમાં પણ પારાવાર ઉદ્વેગ ઉપજાવે છે. કહો, જે વાત હોય તે નિઃસંકોચપણે કહો, તો આપણે તે માટે ઉચિત પગલાં પણ લઈ શકીએ. Page #78 -------------------------------------------------------------------------- ________________ [૪૧ અંક ૩] કુન્તલ : શ્રેષ્ઠીવર્ય ! રાજાધિરાજનું હ્રદય એટલું તો કોમળ છે કે અન્યોનાં દુઃખોને એ પોતાનાં જ દુ:ખ ગણી લે છે. આ સંસારમાં આવાં હૈયાં કેટલાં ? સાંભળો : રાજા શ્રેષ્ઠી રાજા શ્રેષ્ઠી “શૂરા સહસ્રો સાંપડે ને પંડિતો પણ બહુ મળે ધનના કુબે૨ો પણ જગતમાં આજ તો લાખો મળે, પણ દુ:ખ અન્યનું જોઇને કે સાંભળીને પણ અરે ! દૂભાય જેનું હૃદય તેવા કો'ક કલિયુગમાં જડે !' (૧૬) માટે ક્ષોભ ત્યજી દો, અને મનમાં જે પણ હોય તે રાજાજી સમક્ષ નિવેદન કરો ! : ઃ શ્રેષ્ઠી ! જો તમે સાચી વાત છૂપાવો તો તમને અમારા શપથ છે. દેવ ! શપથ ન આપો. જે બન્યું છે તે અંગે નિવેદન કરવા માટે જ અમે આવ્યા છીએ. આપના નગર-જનો મલયાચલ પર્વત જેવા સભર હતા. ધનસંપત્તિનાં ઉત્તુંગ વૃક્ષો તેમના ઘર-આંગણે વવાયેલાં, અને આપની પ્રસન્ન દૃષ્ટિના મીઠા જળના સિંચનથી તે વૃક્ષો અતિશય ફાલ્યાંફૂલ્યાં પણ હતાં. સર્વત્ર વિવાહ આદિ ઉત્સવો સુવાસિત પુષ્પોની જેમ ખીલી ઊઠેલા; ને ભોગ સુખનાં અનુપમ ફળ પણ પ્રત્યેક મનુષ્ય આસ્વાદી રહેલો. પણ...પણ થોડો સમય થયા, એક ભયાનક ચોર હિમવર્ષાની જેમ વરસતો ત્રાટક્યો છે અને નગરના તમામ નાગરિકોના આંગણે ઊગેલાં સુખનાં આ વૃક્ષોને તેણે બાળીને ભસ્મ કરી નાંખ્યાં છે. : શ્રેષ્ઠી ! એક ચોર, અને સમગ્ર નગરને રંજાડે ? એ શી રીતે ? : સ્વામી ! સાંભળો : પેઠો એક નઠોર ચોર પુરમાં છે ક્રૂરતાનો ભર્યો સ્વચ્છંદે, વિણ રોક-ટોક, સઘળે ઘૂમે, ણે સાંઢ શો ! સ્ત્રીઓને હતો, હરે ધન વળી, પુત્રાદિને યે હરે હંમેશાં, યમરાજ–તુલ્ય વસમો, રાજન્ ! મહાચોર એ (૧૭) દેવ ! એ દુષ્ટ ચોરની શી વાર્તા કરું ? હજી તો ગત રાત્રિની જ . Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૨] રાજા શ્રેષ્ઠી રાજા ધન શ્રેષ્ઠી રાજા સિંહલ રાજા [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) વાત છે. કાલે મારા પુત્રનો વિવાહોત્સવ હતો. મારા ગૃહાંગણમાં જ બધાં નાચ-ગાનમાં એકતાન હતાં. ત્યારે આ ચોરે મારી પત્નીનો વેષ લીધો. બધાંની મધ્યમાં-મંચ ઉપર આવીને તેણે નૃત્ય કર્યું. અને કાલે જ જેનાં લગ્ન થયાં એ મારા એકના એક પુત્રનું અપહરણ એ કરી ગયો ! : (ક્રોધાવેશમાં કાંપતાં કાંપતાં) અરે જુઓ જુઓ ! મારો કોટવાળ કેવો પ્રમાદી થયો છે તે જુઓ જરા ! : દેવ ! બીજી ઘટના પણ સાંભળો આપ ! વસન્ત-પંચમીના પર્વે આ ધન સાર્થવાહની દીકરી ઉદ્યાનમાં ક્રીડા કરી રહી હતી, ત્યારે તેને પણ તે દુરાત્મા અપહરી ગયો છે ! : (ધન સાર્થવાહ સામે જોઇને) સાર્થપતિ ! આ વાત સાચી છે ? હા પ્રભુ ! સાવ સાચી છે. : : દેવ ! બાકી તો કેટલાયનું ધન, કોઈના અશ્વ, તો કોઈનાં સન્તાનોની ઉઠાંતરી અને અપહરણ તો હરહંમેશ, રાત ને દહાડો ચાલ્યા જ કરે છે. કેટલું કહું આપને ? : (વિહ્વળ બનીને) પૃથ્વી આજ અનાથ, તેજ નબળું ને ક્ષત્રિયોનું પડ્યું તૂટી ન્યાયપ્રથા પ્રણાલિગત ને નિઃસત્ત્વ સંધું થયું જાગી દુર્જનતા, અને સુજનતા સાચે ગઈ આથમી મારા શાસનમાં બધાય જનને આપત્તિઓ સાંપડી (૧૮) : (કાલાવાલા કરતો) દેવ ! આવાં દીન વચન ઉચ્ચારીને આપ આટલા બધા દ્રવી જાવ તે કેમ ચાલે ? નગરરક્ષકો તો બાપડા રાત-દિવસ એક કરીને, આખા નગરની, બહારથી ને અંદરથીબધી રીતે રક્ષા કરવાનો પ્રયાસ કર્યા જ કરે છે. છતાં આવું બને તો તેમાં તેમનો શો દોષ ? ઃ (અકળાઈને) અરે ! જો એણે ખરેખર સાવધ રહીને રક્ષાકાર્ય કર્યું હોય તો નગરજનોની આ દશા થાય જ શી રીતે ? (સિંહલ વિલખો પડીને મૌન થઈ જાય છે.) Page #80 -------------------------------------------------------------------------- ________________ અંક ૩] [૪૩ રાજા : (ચિન્તામગ્ન વદને) અરે, એ દુષ્ટ કોટવાળને શીધ્ર અહીં બોલાવો ! કુન્તલ : બોલાવી લાવું, પ્રભુ ! (જાય છે.) રાજા : “તે ન જન્મે તે જ સારું, જન્મતાંવેત કાં મરે પ્રજા પીડાય દુષ્ટોથી જેની દૃષ્ટિ સમક્ષ તો...” (૧૯) (ક્ષણભર વિચારોમાં ખોવાઈ જાય છે. વળી માથું ધૂણાવીને) (ગાન). સહુ જનતાનાં સુખ નષ્ટ થયાં મમ પુરુષાતન પણ નષ્ટ થયું મુજ આણા કીર્તિસહિત વણસી સદ્ગુણ સાથે સુખ સર્વ ગયું; દુઃખો તો દુઃશાસનભેળાં પ્રસર્યા મુજ દેશ વિષે સઘળાં તોયે હું શ્રેણિક રાજા છું ! જીવતો છું ને હજી આ જગમાં !...(૨) ભલે, આવવા દો નગર-કોટવાળને... (નગરાધ્યક્ષ અને કત્તલ પ્રવેશે છે.) કુન્તલ : (સમીપે આવીને) દેવ ! આ નગરાધ્યક્ષ કિનારા ઉપસ્થિત છે. કિનાશ : (નમન કરીને) દેવ ! સેવક ઉપસ્થિત છે. આજ્ઞા કરો ! રાજા : (કુદ્ધ સ્વરે) રે નિર્લજ્જ અને મહાઅધમ ! તું સ્ત્રીસંગમાં રાચતો ઠાલું વેતન ખાઈ હેર કરતો કર્તવ્ય ચૂકી જઈ; પધેલો શઠ ચોર ને કનડતો પેલો સદા માહરા વ્હાલા આ પુર-લોકને અહહ ! શું દા'ડા ફર્યા તાહરા ? (૨૧) કેવું સોહામણું મારું આ નગર ! એમાં આ વણિકો દૂર દૂરના દેશોમાંથી Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૪] [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) આવીને વસ્યા છે. આ લોકો અહીં કેવા સુખી છે તે તો એમનાં ઘર-બાર જોઈએ કે તરત સમજાય. એક એક ઘર જાણે એકેકી વસાહત ! એક એક વસાહત જાણે કે નાનું શું ગામ ! એમાં નિરાંતે કિલ્લોલતા આ સુખી જીવો પર આ કેવી આપત્તિ આવી પડી છે? એકાદો ચોર, આટલા બધા લોકોને સંતાપ્યા જ કરે; અને તમે બધા નગરરક્ષકો જાણે કાંઈ લેવાદેવા જ ન હોય તેમ વર્તી ? (ભયથી ધ્રૂજતો કીનાશ મૌન ઊભો છે.) રાજા : અરે ! હું કહું છું તે સંભળાતું નથી ? કેમ કાંઈ બોલતો નથી? કે પછી તું પણ એ ચોરનો મળતિયો છે ? તો તો તને જ દંડ થવો ઘટે. સેવકો ! પકડી લો આને અને ચડાવી દો વધસ્તંભ પર ! કીનાશ : (બોલવા માટે મથતો) દેવ ! રાત...દહાડો... (આટલું બોલતાં તો જાણે કે જીભ સવાઈ જાય છે ! ટગરટગર જોયા કરે છે.) વણિક જનો : (નમન કરીને) દેવ ! આમાં આનો લેશ પણ દોષ નથી. આ તો પોતાના અનુચરો સાથે રાતભર ઊભો ને ઊભો હોય છે. દ્વારે દ્વારે ને માર્ગે માર્ગે એ નગ્ન ખડ્ઝ હાથમાં લઈને ફર્યા જ કરતો હોય છે. પણ મહારાજ ! આ ચોર જ એવો વિલક્ષણ છે કે જ્યારે ક્યાંથી આવે છે અને ક્યારે પલાયન થઈ જાય છે, તે કોઈના ધ્યાનમાં જ નથી આવતું ! એમાં આનો શો દોષ ? કીનાશ : (કાંઈક કળ વળતાં) દેવ ! પળે પળે જાગૃતિ સાથે સ્વામી ! આ ચોરને કેવળ શોધવામાં સૂવાનું ભૂલ્યો, જમવા ન ઇચ્છું ભોગો તણી વૃત્તિ મરી ગઈ ને (૨૨) અને દેવ ! રાતે ક્યાંક કમાડ કો'ક ખખડે કે હાક કો મારતું કો” પોકાર કરે, વળી કલબલે, આક્રંદ કાં કો” કરે કિલ્લે, ચોક, ગલી વિષે, ત્રિક વિષે, ને રાજમાર્ગો પરે Page #82 -------------------------------------------------------------------------- ________________ અંક ૩] [૪૫ દોડું ત્યાં સઘળે; ન તોય જડતો એ ચોર, પાકો ખરે ! (૨૩) માટે મહારાજ ! હવે તો આ નગરની રક્ષા કરી શકે તેવા, વધુ સમર્થ પુરુષને આ ‘દંડ’ આપ સોંપો; મારું કામ નથી. (ડાંગ ધરે છે.) સિંહલ : (નેપથ્ય ભણી જોઈને હર્ષભેર) ઓહ્ ! મંત્રીશ્વર અભયકુમાર આવી રહ્યા જણાય છે. ચાલો, હવે રાજાજી શાન્ત પડવાના ! (મંત્રીની મુદ્રા ધારણ કરેલા અભયકુમાર પ્રવેશ કરે છે.) ઃ ઉત્સાહપૂર્વક) પધારો મહાઅમાત્ય, પધારો ! (પછી રાજા સામે જોઈને) દેવ ! મહાઅમાત્ય આપને પ્રણામ કરે છે. (ક્રોધાધીન રાજા અણસાંભળ્યું કરે છે.) અભયકુમાર ઃ (રાજાને નમન કરી આસન ગ્રહણ કરે છે, અને રાજાના મુખભાવ વાંચતાં વાંચતાં મનોમન વિચારે છે) આજે મહારાજે મારા પ્રણામનો પ્રતિભાવ કેમ નહિ આપ્યો હોય ? મારી સામું પણ ન જોયું ! નક્કી મહારાજ કોઇના પર ક્રોધે ભરાયા લાગે છે. કોના દિનમાન પલટાયા હશે આજે ? કેમ કે સિંહલ ‘ભયાનક રોષથી ઉભરાતાં ભવાં ! અને શત્રુઓના દર્પને ગાળી નાખે તેવી વિકરાલ મુખમુદ્રા ! આ જેના પર મંડાયાં હશે તેનું આવી બનવાનું ! કાં તો તેને સહસ્ર ફણાવાળો અને રોષે ધમધમતો શેષનાગ ડંખ્યો સમજવો, ને કાં તો તે કાળદેવતાના, કરવત જેવી દાઢ ધરાવતા મોંમાં કોળિયો બન્યો સમજવો !' આ મહાજનો બેઠા છે. નગરરક્ષક પણ ઊભો છે. અવશ્ય કોઇ ગાઢ પ્રયોજન ઉપસ્થિત થયું જણાય છે. એ વિના આ બધા આ સમયે અહીં ન હોય. (સિંહલના કાનમાં) સિંહલ ! આજે પ્રભુ કેમ કોપાયમાન લાગે છે ? આ વણિક શ્રેષ્ઠીઓ અહીં કેમ આવ્યા છે ? અને આ કીનાશ ભયથી કંપતો કેમ ઊભો છે ? (સિંહલ, મંત્રીના કાનમાં બધી વિગત કહે છે.) અભયકુમાર : (માથું ધૂણાવીને) ઓ, સમજ્યો. (ક્ષણવાર વિચાર કરીને ́ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૬ 1 [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) વિનયપૂર્વક) દેવ ! નાખી નહીં દષ્ટિ મધુર શા સારુ સેવક પર તમે ? આજે નમેલી પીઠ મારી થાબડી પણ નહિ તમે ? પ્રેમાર્ટ વેણ તણો ન આજ પ્રસાદ દીધો પણ તમે ? અવિનય થયો છે મમ કશો? કે ભાગ્ય મુજ રૂઠયાં અરે? (૨૩) રાજા : (વક્ર દૃષ્ટિથી અભય સન્મુખ જોઈને) અરે ! ચૂક્યો વિનય ના તું કે નથી તારું અભાગ્ય આ અપકીર્તિભર્યો આજે માત્ર હું છું અભાગિયો ! (૨૪) અભયકુમાર : (રાજાના ચરણોમાં માથું નમાવીને) અરરરર! આજે પ્રભુ આમ અવળું કેમ બોલે છે ? અરે, શું કોઈ, ક્યાંય-ક્યારેય આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું સાહસ કરે છે ? અશક્ય, અશક્ય. રાજા : અરે કુલકલંક ! ત્રાસદાયક ! દૂર જા મારી સામેથી ! (હાથ વતી હડસેલે છે.) (અભયકુમાર વિનયપૂર્વક પુનઃ ચરણસ્પર્શ કરે છે.) રાજા : (તેને ઉવેખીને) અરે ! સત્વરે મારાં ધનુષ-બાણ લાવો ! હવે તો હું જ ઉપડું, અને આ શ્રેષ્ઠીઓને લૂંટનારા એ દુષ્ટ ચોરને મારા હાથે જ હણી નાખું, ત્યારે જ મારા મનને સુખ થશે. (આમ બોલતો રાજા ક્રોધાવેશમાં સિંહાસન પરથી ઊભો થવા જાય છે, તે જોઈને છળી ઉઠેલા વણિક સમુદાયમાં હલચલ મચી જાય છે.) અભયકુમાર : (અનુરોધના સૂરમાં) દેવ ! આ શું માંડ્યું છે આજે? કોના ઉપર આ ક્રોધ ? શા માટે આ ક્રોધ ? શાન્ત થાવ, આસન પર વિરાજો ! (પકડીને સિંહાસન પર બેસાડી દે છે. પછી-) દેવ ! ચોરને સ્વયં નષ્ટ કરવાનો તમારો આટલો બધો આગ્રહ શા માટે? આવું કામ તો મારા જેવો પણ સાધી શકે. રાજા : (તિરસ્કાર સાથે) એમ કે? પણ મને નથી લાગતું કે તું આ કામ WWW.jainelibrary.org Page #84 -------------------------------------------------------------------------- ________________ અંક ૩] [૪૭ કરી શકે. અરે, તારામાં જરા જેટલુંયે સામર્થ્ય હોત એ ચોરને પકડવાનું, તો મારી આ પ્રજાને આવી આપત્તિઓના ભોગ ના બનવું પડ્યું હોત ! વાતોએ વડાં ના થાય, સમજયો ? અભયકુમાર : (પુનઃ પ્રણામ કરીને) દેવ! આ કામ મને જ સોંપો; કૃપા કરો મારા પર ! વણિક જનો સ્વામી ! મંત્રીશ્વરની વાત યોગ્ય છે. આ કાર્ય એમને સોંપાય એ જ ઉચિત છે. અભયકુમાર : દેવ ! યુદ્ધમાં શત્રુને હણે ભલે સૈનિક, પણ માહાભ્ય તો રાજાનું જ ગણાશે. અરુણોદય થતાં જ અન્ધકાર દૂર ભલે થાય, પણ તેનું નિદાન તો સૂર્ય જ ગણાય. માટે બીજા વિચારો ગૌણ કરીને મારી વાતમાં સંમત થાવ. રાજા : (વિચારપૂર્વક હળવા પડતાં) ભલે, તો એમ કરો. પણ તું કેટલા દિવસમાં એ ચોરને બન્ધનગ્રસ્ત કરીશ તેની સ્પષ્ટતા કર ! અભયકુમાર ઃ મહારાજ! જો પાંચ-છ દિવસમાં હું ચોરને પકડીને આપની સમક્ષ પ્રસ્તુત કરું તો જ “હું બુદ્ધિમાન છું' એમ માનજો. રાજા : ભલે મારે વધારે નથી સાંભળવું; નથી કહેવું. તું વિના વિલંબે કાં તો ચોરને લાવ, કાં તારું મસ્તક ઊતારી આપ ! બસ... અભયકુમાર ઃ (અંજલિબદ્ધ) દેવ ! મોટી કૃપા કરી ! વણિકો : (હર્ષભેર) સ્વામી ! હવે ઉપદ્રવ કરનારાઓનું આવી બનવાનું. સુખની વેલડી હવે શીધ્ર વિકસવાની. (નેપથ્યમાં) એમાં શો સદેહ ? કલ્યાણ ઉલ્લસવાનું, નર્તન વિલસશે અવ પ્રીતિનું દોષો બધા વિરમી જવાના, સંપદાઓ વિકસશે; અણકહ્યું સુખ થાશે, ઉપદ્રવ સર્વ સહુના અટકશે અણચિંતવ્યો આ નગરનાં સૌભાગ્ય પણ અવ ઉઘડશે (૨૫) રાજા : અરે, આ તો આપણા સુમુખનો સ્વર ! (ત્યાં તો હરખાતો હરખાતો સુમુખ આવે છે.) Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૮] સુમુખ [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) : (મોટા સ્વરે) દેવ ! વધામણાં...વધામણાં... (ગાન) શ્રી વર્ધમાન જિન આવ્યા... રાજગૃહીનાં પુણ્ય પનોતાં, પ્રભુજીએ પ્રગટાવ્યાં... વન્દન કાજ નમત ઇન્દ્રોના શિર પર કલ્પતરુનાં સોહે પુષ્પ-ગુચ્છ અતિસુરભિત રસ મકરન્દ ઝરતાં એ રસ-બિન્દુથી ઇન્દ્રોએ, પ્રભુ-પદને હવરાવ્યાં.. અલંકાર જે ત્રસ્ય ભુવનના, અઘહર શુભકર સ્વામી વિપ્રભુ તે પુર-પરિસરમાં, સમવસર્યા વિશરામી દેવોના એ દેવ બધાંનાં હૈયાંમાં અતિ ભાવ્યા...(૨૬) : (હર્ષપુલકિત સ્વરે) શું કહ્યું? ભગવાન વર્ધમાનસ્વામી મનોરમ ઉદ્યાનમાં સમોસર્યા છે ? ધન્ય, ધન્ય ! લે, આ વધામણીનું પારિતોષિક ! (અંગ પર પહેરેલાં સઘળાં આભૂષણો ઊતારીને ભેટ આપે છે. પછી કત્તલ ને ઉદ્દેશીને) ભદ્ર! પડહ વગડાવો. નગર શણગારવાનો આદેશ બધે પહોંચાડો. સ્નાનની સામગ્રી એકત્ર કરાવો. પ્રભુની અગ્રપૂજા માટેના પદાર્થો લાવો. (અભય કુમારને ઉદ્દેશીને) અને મંત્રીશ્વર ! તમે જે પ્રતિજ્ઞા લીધી છે તેને પૂર્ણ કરવા માટે હવે સુસજ્જ રહેજો. અને કીનાશ ! તું પણ પુનઃ તારા કામ પર ચઢી જા ! અમે પણ હવે, આઠ મહાપ્રાતિહાર્યો વડે ઓપતા, ચોત્રીશ અતિશય દીપતા, દેવાધિદેવ શ્રી વર્ધમાન સ્વામીના શ્રી ચરણોમાં પહોંચવા માટે સજ્જ થઈશું. રાજા (બધા જાય છે.) તૃતીય અંક સમાપ્ત Page #86 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ અંક (દશ્ય ૧) (વંજુલ અને કપિંજલ વાતો કરતાં કરતાં પ્રવેશે છે.) કપિંજલ ? પછી શું થયું? વંજુલ ? પછી તો મંત્રીશ્વરે પૂરા ત્રણ દિવસ પર્યન્ત એ ચોરને શોધવામાં જ પરિભ્રમણ કર્યા કર્યું. પિંજલ ? ક્યાં ક્યાં ફર્યા? વંજુલ : (અરુચિપૂર્વક)અરે ભાઈ ! કોઈ એક દિશામાં ફર્યા હોય તો તેનું નામ કહેવાય. આમાં કેટલાં સ્થાન ગણાવું? છતાં ઉદ્યાન સઘળાં, પાઠશાળાઓ બધી, ને મદિરો ચોરા તથા વેશ્યાગૃહો, વળી પાનનાં બહુ હટ્ટ તો નાટકઘરો, મદિરાલયો, ત્રિક, ચોક, ધૂતગૃહો તથા એ ચોર કેરી શોધમાં મંત્રીશ વિચર્યા આ બધે ! (૧) કપિલ : તો ચોર પકડાયો કે નહિ ? વંજુલ : ના, નથી પકડાયો હજી તો. કપિંજલ ઃ તો તો અભયકુમારની ભારે વિડંબના થઈ ગણાય ! એક બાજુ સતત થાપ આપ્યા કરતો ચોર, અને બીજી બાજુ ચોરને તાત્કાલિક પકડી લાવવાની રાજાજ્ઞા ! એમાં વળી લોકોની અવર્ણનીય યાતના ! સમજાતું નથી કે હવે શું થશે ? વિંજુલ : મિત્ર ! સમજ નથી પડતી એ વાત સાચી. પણ બુદ્ધિના ભંડાર એવા મહાઅમાત્ય માટે કશું જ અશક્ય નથી, એ વાત પણ એટલી જ સાચી છે. આપણા મંત્રીશ્વર બુદ્ધિની સ્પર્ધામાં તો ઈન્દ્રના મંત્રીને પણ પરાભવ પમાડે તેવા છે. એમની આગળ આ એક મગતરાના શા ભાર ? મને તો લાગે છે કે મંત્રીશ્વર હવે કાંઈક એવી તો માયાજાલ રચશે કે પેલો ચોર સામે ચાલીને એમાં સપડાશે, પારધીની જાળમાં હાથી સપડાય તેમ. ભલે, પણ આ . WWW.jainelibrary.org Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૦] કપિંજલ વંજુલ : રૌહિણેય : સમયે રાજાજી ક્યાં બિરાજે છે તે તો કહે ! રાજાજી તો આ સમયે મનોરમ ઉદ્યાનમાં પધારેલા મહાવીર સ્વામીનું વ્યાખ્યાન સાંભળી રહ્યા હશે. : તો તો તું પણ ત્યાં જ જતો હશે ને ? ભલે, તું ત્યાં પહોંચ. હું તો મંત્રીશ્વરના આદેશ-અનુસાર નગર-કોટવાલ કીનાશના અંગરક્ષક રૂપે તેની સેવામાં જઇશ. [ પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) વળી, (બન્ને જાય છે.) પડદો (દૃશ્ય ૨) (રૌહિણેય ચાલ્યો આવે છે.) પોતાના પ્રાણના ભોગે, પણ જે ધાર્યું ના કરે નકામા ફોતરાં જેવા તુચ્છ તે માણસો ખરે ! (૨) ચોરીની ચતુરાઇ હોય યદિ ને હોયે ઘણું સાહસ હોયે જો પગ સજ્જ, ને ધનતણી લિપ્સા ઘણી હોય જો લોકોને ઠગવાનું કૌશલ અને જો શૌર્ય હો હું-મહીં તો જેથી ધનવૃદ્ધિ ને યશ મળે એવું કરું હું કશું (૩) ઝાઝા નિર્ધન લોકને ફરીફરી લૂંટું, ન તે યોગ્ય છે લૂંટું કાયર-કીર્તિહીન જનને તેમાં ન ઔચિત્ય છે કોઈ રાજમહાલયે યદિ કરું સંપત્તિ કે સ્રીતણી ચોરી, તો સઘળાય ચોર-ગણમાં રાજા ગણાઉં ખરો ! (૪) પણ...રાજભવનમાં પ્રવેશ કરવો સરળ તો નથી ! ત્યાં તો ચોમેર શૂરા રાસુભટોનો અખંડ અને જાગતો ચોકીપહેરો હોય; એને ભેદીને પ્રવેશ કરવો કોઈ રીતે શક્ય નથી. વળી, આવા વિષયમાં Page #88 -------------------------------------------------------------------------- ________________ અંક ૪] [૫૧ રાજા કેટલા કઠોર હોય ? જો હું પકડાઈ જાઉં તો તો મારો વધ જ થાય, એમાં કોઈ શંકા નહિ. એટલે, રાજભવનમાં ચોરી કરવા જવું તે તો કાળોતરા વિષધરને છંછેડવા જેવું બની રહે. ના ના, આવું સાહસ ન જ કરાય. પણ ના! આવા નિર્માલ્ય વિચાર મને ન શોભે, ન પાલવે. કેમ પકડાવાનો ભય છોડીને નગરકોટ ઓળંગ્યો મેં જાગૃત રક્ષકગણની તીખી દષ્ટિ પણ ચૂકાવી મેં અને હવે જો રાજભવનમાં જાતાં ભય મુજને લાગે પિતા લોહખુર સ્વર્ગલોકમાં તો કેવા લજવાશે રે ! (૫) ઠીક છે. અત્યારે તો નગરમાં જાઉં. પછી જેવો સમય તેવી વાત. (આગળ વધે છે. ચાલતાં ચાલતાં તેની દૃષ્ટિ સામેની શુદ્ધ-ઉઘાડી ધરતી પર પડે છે, અને તે વિસ્મિત બની જાય છે.) (તેને થાય હશે શું દેવોનો રસમધુર આ વૈભવ અહો !? હશે કે ઊર્જાનો સમુદિત થતો પુંજ રવિની ? સદેહે લક્ષ્મી આ શિવસુખતણી કે અવતરી ? મને જે દેખાતું પુનિત-મધુરું તે કિડ્યું હશે ? (૬) (ધારી ધારીને જોતાં) અરે, આ તો મહાવીર-વર્ધમાનનું સમવસરણ છે ! (એકાએક કશુંક સાંભરી આવ્યું હોય તેમ) ઓહ, મારા પિતાએ આની વાણી સાંભળવાનો મને નિષેધ કર્યો છે. અને આ તો અત્યારે દેવ-દાનવ-માનવોની મધ્યમાં બેસીને ધર્મકથા જ કરી રહ્યો છે ! હવે શું કરવું? આ જ માર્ગે નગરમાં જઉં તો આનાં વચન કાને પડયાં વિના નહિ રહે; ને તો પિતાની અન્તિમ આજ્ઞાનું ઉલ્લંઘન જ થાય ! તો બીજા માર્ગે જવામાં વળી ગમે તે ક્ષણે પકડાઈ જવાનું મોટું સંકટ આવી શકે તેમ છે. અરે રે ! એક તો રાત તોળાઈ રહી છે, એ આ વિઘ્ન આવી પડ્યું છે ! શું કરું હું? (ક્ષણભર વિચારમગ્ન બને છે. બીજી ક્ષણે) હા હા, એ જ યોગ્ય છે. બે આંગળી વતી કર્ણવિવરો બંધ કરી દઉં અને આ જ માર્ગે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ] [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) આગળ નીકળી જઉં. (એ પ્રમાણે કરતો ઝડપથી આગળ ભાગે છે. થોડુંક દોડ્યો ત્યાં જ ખોડંગાતા પગ સાથે થંભી જાય છે :) અરે તારી ભલી થાય ! અત્યારે જ કાંટો ક્યાં વાગ્યો ? ભલે. પણ હમણાં કાંઇ કરવું નથી. એકવાર નગરમાં પ્રવેશ કરી લઉં, પછી શાન્તિથી કાંટો કાઢીશ. (આગળ ચાલે છે. પણ થોડા ડગ ભર્યા ત્યાં તો ભાંગી ગયેલા કાંટાની પીડાને કારણે ઊભા રહેવું પડે છે.) અરે રે ! હવે તો એક ડગલુંય માંડવું શક્ય નથી લાગતું. બન્ને હાથ તો કાનને ઢાંકવામાં રોકાયેલા છે, ને કાંટો કાઢવાનો અન્ય કોઈ ઉપાય પણ નથી. ભારે થઈ! (ક્ષણેક વાર વિચાર કરે છે, પછી) પણ હા, એક ઉપાય થઈ શકે. દાંત વડે કાંટો ખેંચી કાટું, તો બધું સચવાઈ જાય. (ત્યાં જ એમ ને એમ જ ધરતી પર બેસી પડે છે ને પગ મોં પાસે લઈ જઈ દાંત વડે કાંટો કાઢવા મથે છે. પણ કાંઈ વળતું નથી, એટલે ઊંચું જોતો હતાશ સ્વરે) આ તો દાંતથી પણ ખેંચી નથી શકાતો ! ખરેખર, આજ તો ભયાનક વિડમ્બના સરજાઈ ! આમ જાઉં તો વાઘ છે, અને આમ ઉભરાતી નદી ! કાંટો કાઢવો શી રીતે ? અને એની પીડા તો હવે પળવાર પણ સહન થઈ શકે તેમ નથી. ભલે, હવે જે થવું હોય તે ભલે થાય, પણ આ કાંટો કાઢ્યા વિના તો નહીં જ ચાલે. (કર્ણપટ ઉપરથી હાથ લઈ લે છે, અને કષ્ટાતા વદને બેઠો બેઠો જ કાંટાને પગમાંથી ખેંચી કાઢે છે.) (તે જ ક્ષણે નેપથ્યમાં ગુંજતો ધ્વનિ તેના કર્ણોમાં પ્રવેશે છે.). (માલકૌંસરાગેણ ગીત) જગતમાં અનુપમ સુર અવતાર... લાખો વર્ષો સુખમાં વહેતાં જાણે કે પળવાર !... ના પરસેવો દેવોને, તે- થાકે પણ ન લગાર... કરમાયે તસ ફૂલમાળ ના, નીરોગી તનુ સાર... ચરણ ન ફરસે ધરતીને તસ, આંખ ન કરે પલકાર.... વસ્ત્રો મલિન ન થાય કદાપિ, નહિ દુર્ગન્ધ પ્રસાર... મનવાંછિત સહુ સિદ્ધ થતાં તસ, મન ચિતવતાં-વાર... જગતમાં અનુપમ સુર અવતાર..(૭) Page #90 -------------------------------------------------------------------------- ________________ અંક ૪] [૫૩ (વાણી શ્રવણમાં અનાયાસે જ લયલીન બનેલા રૌહિણેયને એકાએક કાંટો નીકળી ગયાનું ભાન થતાં, ભારે આત્મગ્લાનિ સાથે તે ઊઠે મારા નિત્ત્વ ચરિત્રથી કુળ બધું મેલું કર્યું મારું મેં વિશ્વે વ્યાપ્ત પિતાતણા સુયશને મેં તો કલંકી કર્યો કાં કે અન્તિમ વાત તાત જ તણી સ્વીકારવા છતાં તેનો ભંગ કર્યો અને જિનતણી વાણી સુણી મેં અરે ! (2) હશે. જે થવાનું હતું તે થઈ ગયું. પણ હવે મહાવીરની વાણી વધારે સાંભળવી પડે, તે કરતાં ઝટ અહીંથી દૂર જતો રહું તો સારું. (આમ વિચારી, હાથ વતી કાન ઢાંકીને દોડતો નગરમાં પેસી જાય છે. ત્યાં તેના દૃષ્ટિપથ પર એક દશ્ય અથડાતાં તે ચોકી ઊઠે છે) ઓ, આ તો અભયકુમાર ! આ ભગ્ન ગૃહમાં કીનાશ સાથે શું વિમર્શ કરતા હશે ? લાગે છે કે આજે કાંઇ અવનવું બનવાનું. આ બન્ને જે રીતે મંત્રણા કરે છે તે જોતાં આજે મારું ધાર્યું કાર્ય પાર પડવું કઠિન છે. આજે તો વળી એવું પણ સાંભળવા મળ્યું છે કે નગરના લોકોએ રાવ કરતાં, રોષે ભરાયેલા રાજાએ અભયકુમારને આદેશ કર્યો છે કે ગમે તે ઉપાયે પણ ચોરને પકડો. અભયકુમારે પણ તે માટે રાજા સમક્ષ પ્રતિજ્ઞા કરી છે. એટલે આજે કાંઈક ઉપાધિ સર્જાવાની તે પાકું. અને તો તો મારે આગમચ જ મારા બચાવનો પ્રબન્ધ કરી લેવો જોઈએ. આ બેની મંત્રણા ચાલે, ત્યાં સુધીમાં હું પણ શાલિગ્રામ જઇને દુર્ગચંડ સાથે જરા વાત કરી આવું. (વેગપૂર્વક જાય છે અને કામ પતાવી પાછો ફરી, લપાતો છૂપાતો જઈ રહ્યો છે.) (અભયકુમાર અને કીનાશ મંત્રણા કરતાં કરતાં આવી રહ્યા છે.) અભયકુમાર પછી તારે ચતુરંગી સેનાને સજ્જ કરીને ગઢ બહાર લઈ જવાની. કિનાશ : પછી ? અભયકુમાર ચોર નગરમાં પેસી ગયાનો અણસાર આવતાં જ (બધાં દ્વાર બંધ કરીને) સેનાને નગર ફરતે ગોઠવી દેવાની. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૪] કીનાશ • જી, પછી શું કરવાનું ? અભયકુમાર : પછી શું ? પછી અંદર પેઠેલા ચોરને તારા સૈનિકો ભીંસમાં લેશે, એટલે એ ભાગવાનો પ્રયાસ કરશે ને વિદ્યુદ્વેગે છલાંગ મારીને ગઢ ઠેકશે. ઠેકશે એવો જ એ જઇ પડશે સીધો આપણી સેનામાં. કીનાશ : (માથું ધૂણાવીને) ઓહો ! શી મંત્રીશ્વરની સૂક્ષ્મ દૃષ્ટિ છે ! હાં, પછી શું કરવું ? અભયકુમાર : બસ, પછી તો એને તારા અનુચરો પકડી લેશે અને બન્ધનમાં નાખીને મહારાજ સમક્ષ રજૂ કરશે. [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) કીનાશ ૐ (હર્ષભર્યા સ્વરે) આજે એ ચોર અવશ્ય આપની જાળમાં ફસાવાનો, મંત્રીશ્વર ! અદ્ભુત છે આપનું બુદ્ધિકૌશલ્ય ! લાગે છે કે બુદ્ધિમાન મનુષ્યોની વાતો અનોખી જ હોય ! વળી, કીનાશ “સત્તા નીતિમઢી, લક્ષ્મી- દાનધર્મ-અલંકૃતા સદ્ગુદ્ધિયુક્ત વીરત્વ, ત્રણે દુર્લભ વિશ્વમાં” (૧૦) અને મંત્રીશ્વર ! આ બધું આપના વિના અન્ય કોનામાં સંભવે ? અભયકુમાર : (સ્હેજ હસીને) ભાઇ કોટવાલ ! “કાર્યસિદ્ધિ ધન વિણ લહે શત્રુ હણે વિણ શસ્ત્ર બુદ્ધિમાન નરનો અહો ! મહિમા અકલ અજસ' (૯) હું મેરુપર્વતને ગળું, ને ઇન્દ્રને પણ સ્વર્ગથી કાઢું, ઉદધિને શોખું, સૂરજ-ચન્દ્ર-જ્યોત મિટાવું હું લાવી દઉં મુજ બુદ્ધિબળથી શેષનાગ તણો મણિ તો આ મગરતરાસમ નકામા ચોરના છે ભાર શા ? (૧૧) તો જો ! મારી સૂચના પ્રમાણે બધું વિના વિલંબે ગોઠવજે. હવે હું પણ મહારાજની સેવામાં પહોંચીશ. (જાય છે.) : આ ચોર કાંઈ સરળતાથી પકડાવાનો નથી. એને પકડવા જતાં ચિત્ જીવનું જોખમ પણ આવી શકે. એટલે મારે તો ચોરને Page #92 -------------------------------------------------------------------------- ________________ અંક ૪] [૫૫ પણ પકડવાનો છે અને જીવને પણ બચાવવાનો છે ! આ તો “આમ્રવાટિકા પણ સાચવવાની અને સાથે સાથે પિતાનું શ્રાદ્ધ પણ કરવાનું, એવી વાત થઈ. ભલે. અરે, કોણ છે આટલામાં? (વ્યાઘમુખ આદિ પાંચ-છ સેવકો દોડી આવે છે.) સેવકો : આ રહ્યા અમે, આજ્ઞા આપો પ્રભુ ! કિનાશ : અરે ભાઈ ! તમારામાં ક્વચ ધારણ કરેલા કોણ કોણ છે? કેટલા હશે ? વ્યાઘમુખ : પ્રભુ ! તમે આજ્ઞા કરો ને ! તમે ગમે તે કામ ગમે તેને ચીંધો, થઈ જશે. (કીનાશ વ્યાઘમુખના કાનમાં કાંઈક કહે છે.) વ્યાઘમુખ : જેવી આશા. કિનાશ : પણ આ કાર્ય કરવા જતાં કોઈવાર જીવનું જોખમ પણ આવી પડે. તે ક્ષણે ડરી જશો તો નહિ ચાલે, સમજ્યા? વ્યાઘમુખ : (ગર્વપૂર્વક) એ શું બોલ્યા પ્રભુ? આજે જો ચોરને ઝાલી લાવીએ આપની કને સ્વામી ! સમજજો તો જ અમને સેવકો ખરા(૧૨) કિનાશ : (પશ્ચિમ દિશા ભણી નિહાળતાં) અરે, સૂર્ય તો અસ્ત પામી ગયો લાગે છે ! અંધારાના હુમલાથી ડરીને ભાગ્યો જાણે સૂર્ય અસ્તાચલે આ ! અંધારાનાં શ્યામ-ગંભીર ઓળાં વ્યાપે કેવા વાયુવેગે ધરામાં ! (૧૩) અને આ પૂર્વ દિશાના ભાલે તિલક શો ચન્દ્રમાં પણ કાંઈ ઉગી ગયો છે ને ! કેવો સોહે છે એ ! દૈવી દડો શું આ હશે ? પાસો હશે રતિ-પ્રીતિનો? કે મદ્યપાત્ર અનંગનું? કે ભૂમિનો દર્પણ હશે? Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) અથવા અમૃતના વૃક્ષનું આ પુષ્પ શ્રેષ્ઠ ખીલ્યું હશે ? ના,ના,ન,ના,ના, નભ તણો વરમુકુટ દીસે ચન્દ્ર આ ! (૧૪) અને પશે તો જુઓ ! ચન્દ્ર ઊગ્યો, કમલ ખીલ્યું, તેની પરાગરજ સ્વૈરવિહારી હંસ ઉપર વિખરાઈ, ને તેનો વાન કેસરિયો બન્યો; એને જોઈને ભોળી પેલી સારસી ચફ ચફનો ઉન્મત્ત આલાપ છેડી બેઠી છેઆ જ મારો પ્રિયતમ છે એમ સમજીને જ તો ! (૧૫) (વાઘમુખને ઉદ્દેશીને) જાવ, સેનાને સુસજ્જ કરો અને ગઢની અંદર તથા બહાર-બન્ને બાજુ બધી દિશાઓમાં ગોઠવી દો. એક દિશાનો રક્ષાપ્રબંધ હું જાતે સંભાળીશ. બીજી બધી દિશાઓનો પ્રબંધ તમે લોકો સંભાળી લ્યો. પણ બધા અત્યન્ત સભાન-સજાગ રહેજો ! (બધા તે પ્રમાણે ગોઠવાઈ જાય છે.) કિનાશ : (કાંઈક સાંભરી આવતાં) અરે પિંગલ! પેલો ચાંડાલ કર્કટાક્ષ ક્યાં હશે ? જા, એને કહે કે આજે રાત્રે કોઈ નાગરિક ઘરની બહાર ન નીકળે તેવો પ્રબંધ તત્કાળ કરે; રાત્રિનો પ્રથમ પ્રહર પૂરો થયા પછી માર્ગ પર નીકળે, તેને ચોર સમજીને પકડી જ લેવાનો છે, તેમ પણ સૂચવી દેજે તેને. (પિંગલ ઝડપથી જઈ, કામ પતાવી, પાછો આવે છે.) – – – (ડિડિમ-ઘોષ સંભળાય છે.) “સાંભળજો હો રાજગૃહીના સર્વે નગરજનો ! આજે રાત્રે કોઇએ પણ ઘરની બહાર નીકળવાનું નથી. રાત્રિના પ્રથમ પ્રહર પછી આજે જે કોઈ પણ મનુષ્ય માર્ગ પર ફરતા દેખાશે, તેમને ચોર Page #94 -------------------------------------------------------------------------- ________________ અંક ૪] [૫૭ ગણીને રાજદંડ પ્રાપ્ત થશે.” કિનાશ : (આકાશ પ્રતિ જોતો) તો મધ્ય રાત્રિ થઈ ગઈ. મધ્યાકાશે ચડયો ચન્દ્ર કલંક ઓપતો અહા ! જાણે ભ્રમર-સંયોગી સ્વર્ગ-ગંગાનું પદ્મ એ ! (૧૬) હવે પેલો ચોર નીકળવો જોઈએ. (સતર્ક થઈ જાય છે.) કર્કટાક્ષ : (હળવેથી) કોઈ આવતું લાગે છે. ચોર હશે ? કે અન્ય કોઈ ? કાંઈ કળાતું નથી. કીનાશ : તું સંતાતો લપાતો જા, અને એ ક્યાં જાય છે તે જોતો રહે. (કર્કટાક્ષ જાય છે.) કિનાશ : પિંગલ! આપણા સુભટોને સચેત કર. " (પિંગલ તેમ કરે છે.) (સામેથી, ચોરને ઉચિત વસ્ત્ર પહેરેલો રૌહિણેય ચાલ્યો આવે છે.) રૌહિણેય ઃ (ઉગમાં) ચોર હું, ચોરીનો ધંધો કરું તેનો ન જ છે રંજ છે એટલો કે મેં “વીર' નાં વેણ સાંભળ્યાં ! (૧૭) (માર્ગો સર્વથા નિર્જન અને શૂન્ય હોવાનું ધ્યાન પર આવતાં જ હરખાઈ ઊઠે છે.) અહાહા ! બહુ રૂડું થયું આજે તો. માર્ગો નિતાન્ત નિર્જન છે ! સૂતાં છે ભર-ઉંઘમાં પુરજનો, ચોપાસ છે શૂન્યતા હેલોમાં પણ નૃત્ય-ગીત-મુજરા પી ગયા દીસતા માર્ગો આ જનહીન છે, નગરના ને રક્ષકો ક્યાંય ના લોકોનું બધું ધૈર્ય શીઘ હણતો હું માત્ર હું જાગતો ! (૧૮) . Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] [ પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) વળી, અત્યારે સૂતેલા, લોકોના શ્વાસ-સારિખો ધીમો સહુનો જીવનદાતા પ્રસરે છે વાયુ; બીજું ના કોઈ...(૧૯) પરંતુ, લોકો જાગે કે ન જાગે તેનું શું કામ છે મને? વાયુવેગે દોડતો હું ઈન્દ્રથીય ઝલાઉ ના..(૨૦) ચાલ ત્યારે, હું યે આ અવસરનો લાભ લઈ લઉં; રાજભવનમાં ઘૂસીને કાંઈક ઉઠાવી લાવું. (રાજમહાલય પ્રતિ આગળ વધે છે.) (એકાએક નેપથ્યમાંથી પડકારનો શબ્દ) અરે એય, કોણ છે તું? ઊભો રહે ! પરિચય આપ તારો ! રૌહિણેય ઃ (શકિત હૈયે) ઓહઆ કોઈ રક્ષક હજી પણ જાગતો લાગે છે! એ મને જોઈ ગયો છે. લાવ, થોડીક વાર માટે આ દેવીના મંદિરમાં સંતાઈ જાઉં. (ચંડિકાના મંદિરમાં જતો રહે છે.) (રક્ષક ડાંગ પછાડતો પકડવા જાય છે.) રક્ષક : પિંગલ, પિંગલ! તમે બધા ઘોરવા માંડયા કે શું? અરે આ પેલો ચોર ભાગે ! પિંગલ : (અન્ય રક્ષકો સાથે તેની સમીપે જઈને) ક્યાં છે? ક્યાં છે? ઝટ દેખાડ ! કર્કટાક્ષ : (હાથ લાંબો કરીને દેખાડતો) આ પેલો જાય ! પિંગલ : અરે, આપણા દેખતા દેખતામાં જ અલોપ થઈ ગયો આ તો ! કોઈ એનું પગેરું શોધો તો ! કર્કટાક્ષ : (થોડાં ડગલાં ચાલીને અવલોકન કરતાં) આ રહ્યાં તેનાં પગલાં ! દેવીમદિરના દ્વાર પાસે અટકે છે. For Privats & Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ અંક ૪] [પ૯ - (બધા એક સાથે મન્દિરના દ્વારને ઘેરી વળે છે.) રૌહિણેય ઃ (સ્વગત) ભારે થઈ ! આ રક્ષકો તો અહીં આવી લાગ્યા ! કર્કટાક્ષ : (ડાંગ ઉલાળતો-પછાડતો) એય, અંદર કોણ સંતાયો છે? બહાર નીકળ તો ! - (રૌહિણેય એક ખૂણામાં લપાઈ જાય છે.) પિંગલ : (બધા રક્ષકોને) ઉતાવળા થઈને કોઈ અંદર ન જતા. ક્યાંક પેલો મારી દેશે તો ઉપાધિ થશે. (પછી રૌહિણેયને ઉદ્દેશીને મોટેથી) એય, કોણ છો તું ? બહાર નીકળ ને ! (રૌહિણેય શાન્તિથી સાંભળ્યા કરે છે.) કર્કટાક્ષ : એય, બહાર નીકળે છે કે નહિ? નહિ નીકળે તો હવે આ ડાંગથી માથું ફોડી નાખીશ ! (ત્રણ ચાર વાર દ્વાર-કપાટ પર ડાંગ પછાડે છે.) રૌહિણેય : (સ્વગત) શું કરવું હવે? પુરુષાતનની પાકી પરીક્ષા છે આજે. જો જરાક ઢીલો પડીશ તો પકડાવાનું નિશ્ચિત છે. અને દીનતા પ્રદર્શિત કરવાથીયે કાંઈ છૂટી જવાશે તો નહીં જ. આ ક્ષણે બે જ વિકલ્પ ઊગે છે : કાં તો સામી છાતીએ લડી લેવું, ને કાં આ બધાને બીવડાવીને ભાગી નીકળવું. પિંગલ : અરે એય, જો જીવ વહાલો હોય તો હજીયે બહાર આવીને શરણે થઈ જા, તો બચી જઈશ ! નહિ તો બધા એક સાથે બાણ ફેંકીને તને એવો તો વીંધી નાખશું કે અત્યારે જ યમશરણ થઈ જઈશ! રૌહિણેય : (સ્વગત) શી વીરતા છે આમની! કેટલીયે વાર મારા હાથે હાર્યા છે આ બધા ! અને આજે મારા પ્રાણ બચાવવાનું પ્રલોભન દર્શાવીને મારા પર ઉપકાર કરવા તત્પર થયા છે ! અભુત ! “ઉપકૃત અપકાર કરે જ્યારે, દૂભાય ચિત્તડું ત્યારે પણ ઉપકાર કરે જવ અપકૃત, તવ જીવતું મરણ લાગે !” (૨૧) અને ખરી રીતે તો આ કાયરો સાથે લડવું એ પણ મારા ગૌરવને Page #97 -------------------------------------------------------------------------- ________________ ૬૦] પિંગલ પિંગલ [ પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) આમને તો છુરી દેખાડી, ભડકાવી મારીને હણનારી વાત ગણાય. નાસી છૂટવું એજ યોગ્ય. : અરે ! આ દુષ્ટને ‘ભાઇ બાપા’ કરવાથી એ માને તેવો નથી; આ તો ડાંગનો જ ગ્રાહક લાગે છે. મારો બધા મળીને એને ! (બહાર રહ્યા રહ્યા જ બધા અસ્રો ઉગામે છે.) રૌહિણેય (મોટેથી ત્રાડ પાડતો ધસી આવીને) આ રહ્યો હું ! તમારામાં સામર્થ્ય હોય તો આવો મને પકડવા ! (છુરી ખેંચીને ચારે કોર ફેરવતો-વીંઝતો રક્ષક-સમૂહની વચ્ચેથી જ ભાગી છૂટે છે.) (રક્ષકો ભયભીત બનીને આમ તેમ ભાગે છે.) : અરે અરે ! આપણે અહીં ઊભા છીએ ને આ દુષ્ટ આમ નાસી જશે ? દોડો બધા ! પકડો એને. જઇ જઇને જશે ક્યાં ? (દોડે છે. બધા તેની પાછળ દોડે છે.) રૌહિણેય : (પાછું વાળીને જુએ છે. બધાને પીછો કરતાં જોઈ મનોમન) તો આ બધા મારી પાછળ પડ્યા છે ! ભલે. એમને જરા પાસે આવવા દઉં, ને એમને હાથવેંતમાં લાગું ત્યારે જ વીજળીક ત્વરાથી કૂદકો લગાવીને ગઢને ઠેકી જઇશ. ભલે આવે બાપડા ! (એ પ્રમાણે જ કરે છે.) વ્યાઘ્રમુખ : (સહચરો સાથે દોટ મૂકે છે ને ગઢ બહારના સૈનિકોને સચેત કરે છે) અરે સૈનિકો ! આ માણસને પકડી લો ! ઝટ કરો ! આ જ ચોર લાગે છે. (બધા મળીને ૌહિણેયને પકડી લે છે અને બન્ધનમાં મૂકી દે છે.) કીનાશ : પણ સાંભળો ! એને જીવતો જ ઝાલવાનો છે. એ મરી ન જાય તે જોજો. શસ્રપ્રહાર ન કરશો એના પર. વ્યાઘ્રમુખ : પ્રભુ ! એ પ્રમાણે જ કર્યું છે. એને પકડીને બાંધી જ દીધો છે. કીનાશ : (હર્ષોન્મત્ત બનતો) હાશ ! આજે મહાઅમાત્યે ગોઠવેલું છટકું પૂર્ણતઃ સફળ થયું. મારાં પુણ્ય પણ આજે ફળ્યાં (વ્યાઘ્રમુખ પ્રતિ જોઇને) રાત્રિ સમાપ્ત થવાને હજી કેટલી વાર છે ? Page #98 -------------------------------------------------------------------------- ________________ અંક ૪] [ ૬૧ વ્યાઘમુખ ઃ (આકાશ સામું જોઈને). કાંસાના કાટ-ખાધેલા થાળ શો ચન્દ્રમા થયો તારલા સઘળા દીસે ચીમળાયેલ ફૂલ શા...(૨૨) વાગે ચોઘડિયાં મીઠાં મહેલોમાં પૂર્વ ને દિશા દીસે રતુમડી, તેથી દેવ ! રાત્રિ ગઈ વહી....(૨૩) કિનાશ : જો, ધ્યાન દઈને સાંભળી લે ! પ્રભાત થાય ત્યાં સુધી આનું પૂરું ધ્યાન રાખજો; છટકી ન જાય પાછો ! હમણાં હું થોડી ઉંઘ ખેંચી કાઢું. પછી ઊઠી, પ્રાતઃકર્મ પતાવીને આને રાજાજી સમક્ષ લઈ જશું. બધા જાય છે.) ચતુર્થ અંક સમાપ્ત Page #99 -------------------------------------------------------------------------- ________________ પંચમ અંક (દશ્ય ૧) (કલકંઠ પ્રવેશે છે) કલકંઠ : (ઊંચે અવલોકીને) તો, રાત્રિ વીતી ગઈ ! સૂર્યોદય પણ થઈ ગયો. કેવું સોહામણું લાગે છે ! અંધારાના ઊકરડાને કિરણરૂપી ચરણે વીંખતો તારક-કીટકને કાંઈ હણતો, કલગી ઉષાની ધરતો ઉલાળતો જળહળતાં પીંછાં કિરણોનાં, કુંકુમવરણો નીકળ્યો પૂર્વ દિશાના ઘરથી “સૂર્ય' નામનો આ કૂકડો ! (૧) (પછી જરા નિર્વેદ સાથે) કેવી વિટમણા છે આ ! રાજસેવામાં જ રાચ્યા પચ્યા રહેતા મારા સ્વામી અભયકુમારને, રાત્રિ-દિવસ પ્રતીક્ષામાં ઝૂરતી પ્રિયતમ પત્નીને મરવાનો પણ અવકાશ નથી! કોઈએ સાચું જ કહ્યું છે : “અન્ય-આસક્તનો સ્નેહ, દાસત્વ, યાચના તથા કૃપણોની પ્રશંસા, આ ચાર છે વિષ કારમાં...(૨) અરે રે ! અન્તિમ રાત્રિ પણ વહી ગઈ. હજીયે જો ચોર નહિ પકડાયો હોય રાજાજી દ્વારા મંત્રીશ્વરની શી દશા થશે, તેની કલ્પના પણ થથરાવી મૂકે છે ! (નેપથ્યમાં ગાન-સ્વર) હવે તો અ-ભય તમે પુર-લોકો ! રાત-દિવસ ભમજો સ્વચ્છજે, કોઈ ન નડતર-રોકો રાત્રિના સમ ધર્મક્રિયાઓ, કરજો મૂકી શકો દુષ્ટ ચોર પકડાઈ ગયો છે, ભયને નહિ અવ મોકો... (૩) કલકંઠ : ઓહ, આ તો પિંગલનો સ્વર ! આજે કાંઈ બહુ પ્રસન્ન લાગે છે ! (સામેથી પિંગલ આવે છે.) Page #100 -------------------------------------------------------------------------- ________________ અંક ૫] [ ૬૩ ક્લકંઠ : (આતુરતાથી પિંગલની સમીપે જઈને) પિંગલ ! ખરેખર ચોર પકડાઈ ગયો ? પિંગલ : (ઉન્માદભર્યા સ્વરે) હા, હા, પકડાઈ જ ગયો! નિ:સંદેહપણે ચોર પકડાઈ ગયો, ભાઈ ! કલકંઠ ઃ તો તું આ પ્રભાતના પ્રહરમાં ક્યાં ઉપડયો ? પિંગલ : નગરરક્ષકનો આદેશ થયો કે મહારાજ આ સમયે ક્યાં હશે તે જોઈ આવ, એટલે ત્યાં જઉં છું. મહારાજ ક્યાં હશે તે વિષે તું કાંઈ જાણે છે ? લકંઠ : મહારાજ તો રાજસભામાં આવી ગયા છે, વારુ ! પિંગલ ઃ તો હું જાઉં ને નગરરક્ષકને જાણ કરું. ક્લકંઠ : મને પણ મંત્રીશ્વરે ચોર વિષે ભાળ કાઢવા જ મોકલ્યો છે. હું પણ સત્વર પહોંચું, અને મંત્રીશ્વરને ચોર પકડાયાની જાણ કરું. (બન્ને જાય છે.) પડદો (દશ્ય ૨) (જવનિકા) ખૂલે છે. સભામાં રાજા, સિંહલ, કુન્તલ તથા બંદીજનો દૃષ્ટિગોચર થાય છે.) બંદી : મોટાં પાન દિશા બધી, હિમકણો રૂપે છવાયા ગ્રહો ભૃગો દિગ્ગજ વ્યાસ ગોળ ફરતા, પુષ્પાર્ક ગંગા ગણો ચાંદો સૂરજ બહુ હંસ ઉજળા, છે કેસરા મેરુ તો સોહે પદ્મ જિહાં લગે ક્ષિતિનું આ; સામ્રાજય તારું તપો ! (૪) રાજા : (ચિન્તામગ્ન વદને અને ખિન્ન સ્વરે) “શત્રુઓથી પરાજેય જસ શૌર્ય ના ભોગ અન્યાયનો ન્યાય જસ હોય ના જાસ યશપુંજથી ભૂમિ ધવલિત થતી જીવવું ગ્લાધ્ય જગમાંહ્ય તેનું અતિ” (૫) સિંહલ : દેવ! આપ આ શું બોલો છો? આપની કીર્તિ પણ દિદિગન્તવ્યાપી Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬૪] ચારણ : [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) જ છે ને ! સ્વર્ગ-સમાણો તું છે રાજન્ ! ભારી યશ-ઐશ્વર્યનું ભાજન સ્વર્ગે મંગલ, શુક્ર વગેરે નક્ષત્રો, ગ્રહ, તારા છે રે મોદભર્યા મંગલનો તુંયે-વાસ, અને વસ્ત્રો કવિઓએ દાનધર્મયુત ક્ષત્રિયવૃન્દો-થી સોહે તું જિમ સુર-દો..(૯) વળી, સહસ્રમલ્લ સૈનિકો-મિષે તવ પ્રતાપ આ તું-કીર્તિને પ્રસારતો સમગ્ર વિશ્વમાં અહા ! સુમેરુ છે સુવર્ણનો પરનું કીર્તિ તાહરી શુચિસ્વ અર્પતી સુમેરુને સદાય ઢાંકતી ! (૭) રાજા : (સહસા કાંઈ સાંભરી આવ્યું હોય તેમ) અરે ! બહુ મોટો બુદ્ધિશાલી ગણાતો અભયકુમાર હજી પેલા ચોરને પકડી નથી શક્યો ને ? એનું નામ ભલે અભય હોય, પણ એનાં કામ જોતાં એ ભયભીત જ લાગે ! પણ રાજ-આજ્ઞાનું પાલન કરવાનું સ્વીકાર્યા પછી એ ડરી જઈને કે સુખાળવી વૃત્તિ રાખીને ઘરમાં શાન્તિથી બેસી રહે, એ મને પાલવે તેમ નથી. બોલાવી લાવો કોઈ એ મૂર્ખ મંત્રીને! કુન્તલ ઃ જેવી આજ્ઞા. (બોલાવવા જાય છે.) (તે જ સમયે (નેપથ્યમાં) ડિડિમનાદ અને જનસમૂહનો તાર સ્વર શ્રવણગોચર થાય છે.) રાજા : શેનો છે તુમુલ સ્વર? સિંહલ : (માર્ગ પર અવલોકતાં) દેવ ! આ તો કીનાશ છે. કોઈ ચોર જેવા વિકરાલ મનુષ્યને બાંધીને અહીં લાવી રહ્યો લાગે છે. એને નિહાળવા એકત્ર થયેલા જનસમૂહનો આ કોલાહલ છે. પણ દેવ ! લોકોના આ કોલાહલમાં કકળાટ નહિ, પણ આનંદની કિલકારી સંભળાય છે. (થોડી પળોમાં જ હરખાતો હરખાતો કીનાશ, બન્ધનગ્રસ્ત રૌહિણેયને લઈને, નગ્ન ખડ્રગ સાથે તેની ચોકી કરતાં બે સૈનિકો . Page #102 -------------------------------------------------------------------------- ________________ અંક ૫] [ ૬૫ સાથે, રાજસભામાં આવી પહોંચે છે.) (રાજાને પ્રણામ કરીને કીનાશ આસન પર બેસે છે.) રાજા : કીનાશ ! આ ચોરની જેમ કોને બાંધી લાવ્યો છે ? કીનાશ : દેવ ! નગરજનોને વળગેલા અસાધ્ય વ્યાધિ જેવો આ પેલો ચોર છે. ગઈકાલે જ તેને પકડી લીધો છે. રાજા : ઓહુ, જેણે મારા પ્રજાજનોના નિર્ભયતા, ધન અને સુખ હણીને તેમને ભયવિહ્વળ, નિર્ધન અને શોકસત્તત બનાવ્યા એ જ આ ચોર કે ? કીનાશ : (નમીને) હા પ્રભુ ! એ જ. રાજા : પણ એ પકડાયો કેવી રીતે ? કિનાશ : દેવ ! મહાઅમાત્યે રચેલી માયાજાળમાં ફસાયો ! સિંહલ : (હસીને) દેવ! મંત્રીશ્વર વિના કોનું સામર્થ્ય છે કે આવા ભયાનક ચોરને પરાસ્ત કરે ? દેખાયે નહિ, ના તપે, પણ બધી આપત્તિઓને દહે એવી આગ; મંત્રો ના, નહિ યંત્ર-તંત્ર-વિધિ ના, ના ચૂર્ણ કે ઔષધોયોજે, તો પણ સિદ્ધ-તુલ્ય; ખેલે ના કંઈ યુદ્ધ, શસ્ત્ર પણ ના, કે સૈન્યનો સાથ ના તોયે જે રિપને હણે; મંત્રીનું અણચિંતવ્યું અતિતણું માહાત્મ એ જાણજો ! (2) રાજા : મંત્રીને આટલો બધો વિલંબ કેમ થયો હશે, વાર? (તે જ ક્ષણો કુન્તલ અને તેની પાછળ પાછળ અભયકુમાર પ્રવેશે કુલ : દેવ ! મંત્રીશ્વર આપને પ્રણામ કરે છે. (અભયકુમાર રાજાને નમીને બેસે છે.) રાજા : મંત્રીશ્વર ! તમે ખરેખર પ્રતિજ્ઞા પાળી બતાવી ! ધન્ય છે તમારા બુદ્ધિકૌશલ્યને ! Page #103 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ] [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) પ્રચંડ શત્રુઓનો , થાય છે ક્ષય બુદ્ધિથી હિમ ઠંડો છતાં શું એ વૃક્ષોને નવ બાળતો ?” (૯) અભયકુમાર : દેવ ખરી વાત તો એ છે કે મનુષ્ય ક્યારેક કોઈ પગલું એવું ભરી બેસતો હોય છે કે જેને લીધે તે પોતાની જાતે જ પોતાને ઘોર સંકટમાં પટકી દે છે. જુઓ ને “પતંગિયાને દીવામાં પડવાને પ્રેરતું ના કોઈ કે તેને પકડીને તેમાં નાખતું પણ ના કોઈ પણ તે તો પોતાની મેળે દીપશિખામાં જળહળતી ભાળે તેવું પડતું કૂદી, ભસ્મ બને તે પ્રકૃતિ થકી. (૧૦) કીનાશ : દેવ! ચોર પકડાયો છે. હવે તેનું શું કરવું તે વિષે આદેશ આપો ! રાજા : રક્ષા શિષ્ટોની, દુષ્ટોને દંડ, છે રાજધર્મ એ; તેથી આ ચોરને આપો, સત્વરે મૃત્યુદંડ તો ! (૧૦) કીનાશ : જેવી આશા ! (પાછળ ફરીને) પિંગલ ! દ્વાર પર કર્કટાક્ષ ઊભો હશે, એને શીધ્ર બોલાવ તો ! (પિંગલ ચાંડાલને બોલાવી લાવે છે.) કર્કટાક્ષ : પ્રભુ ! આ રહ્યો, આજ્ઞા કરો ! કિનાશ : કર્કટાક્ષ ! એક ગર્દભ લાવ તો ! કર્કટાક્ષ : હમણાં લાવ્યો ! (જાય છે.) અભયકુમાર (રૌહિણેયને સૂક્ષ્મ દષ્ટિએ નિરખે છે.) જંઘા સમર્થ છે આની હાથ મલ્લ સમા તથા આંખો બે પિંગળી તીખી વાળ જાણે કે દોરડાં ! (૧૧) કરાલ દેહથી કેવી નીતરે ક્રૂરતા અહા ! Page #104 -------------------------------------------------------------------------- ________________ અંક ૫] [ ૬૭. ક્રોધે ધમધમે ચિત્ત ચડેલાં છે વળી ભવાં (૧૨) ચોરનાં લક્ષણો સર્વે સ્પષ્ટ આમાં કળાય છે તેથી આ ચોર છે નિશે. નથી સામાન્ય માનવી...(૧૩) (ચાંડાલ ગર્દભ સાથે ઉપસ્થિત થાય છે.) કિનાશ : અરે કર્કટાક્ષ ! આ દુષ્ટ ચોરને શૂળીને ઉચિત વેષ પહેરાવો, પછી ગર્દભ પર બેસાડીને નગરના રાજમાર્ગો પર તેની વધયાત્રા ફેરવો, અને પછી તેને શૂળી પર ચડાવી દો ! ચાંડાલ : જેવો આદેશ. (વેષ પહેરાવી, ચોરને ગર્દભારોહણ કરાવે છે.) કીનાશ : (એ બધું જોઇને) સરસ ! કર્કટાક્ષે બધું ત્વરાથી કરી વાળ્યું ! કાળી મષીથી વદન લીંપ્યું, ભસ્મ દેહે ચોપડી ને વાળનો ભારો બનાવ્યો, બોદું ઢોલ સુસજ્જ આ માળા કરેણતણી ગળે પહેરી ગધેડે પણ ચડયો આ ચોર જાણે યમ-વધૂને પરણવા ચાલ્યો અહો ! (૧૪) (એકાએક અભયકુમારના મુખભાવ પલટાય છે.) અભયકુમાર : દેવ! આ શું વગર વિચાર્યું માંડ્યું છે આપે? આ જ આપણો ન્યાય કે ? અનીતિનું આવું અંધેર, અને એ પણ આપણે ત્યાં ? ના ના, આ બધું કોઈ રીતે ઉચિત નથી થતું. રાજા : મંત્રી ! દુષ્ટોને દંડ આપવો અને શિષ્ટોનું રક્ષણ કરવું એ તો આપણો રાજધર્મ છે. એનું પાલન આપણે કરી રહ્યા છીએ. આમાં અન્યાય ક્યાં આવ્યો ? અંધેર શાનું? અભયકુમાર દેવ ! ચોરેલી વસ્તુ સાથે જે ઝલાયો નહિ હોય તે દંડવાપાત્ર છે કે ના ? સ્વયં આપ વિચારી લ્યો ! (૧૫) Page #105 -------------------------------------------------------------------------- ________________ ૬૮] [પ્રબુદ્ધ રોહિણેય નાટક (ભાવાનુવાદ) રાજા : (સસ્મિત વદને) મંત્રી ! આ વિષયમાં તો તમે જ વધુ વિચારી શકો, અને શું કરવું તે કહી શકો. અભયકુમાર : દેવ રાજનીતિ એવી છે કે કાં તો ચોર મુદ્દામાલ સાથે પકડાયો હોય તો, અને કાં તો ચોર પોતે જ અપરાધનો સ્વીકાર કરી લે, તો જ તે દંડને પાત્ર ગણાય, નહિ તો નહિ. રાજા : તો આની પાસેથી મુદ્દામાલ તો કાંઈ મળ્યો જ નથી. હવે શું કરવું? અભયકુમાર તો આને પાછો સભામાં લાવો, અને એની જ પડપૂછ કરો. અરે ચાંડાલ! ચોરને ગર્દભ પરથી ઉતારીને પાછો સભામાં લાવ! | (ચાંડાલ તે પ્રમાણે કરે છે.) રાજા : (રોહિણેયને સંબોધીને) એય, તું કોણ છો ? ક્યાંનો છો ? જાતે કેવો છો ? શાનો વ્યવસાય કરે છે? રાજગૃહીમાં શા માટે આવ્યો હતો ? રૌહિણેય : (મનમાં) “અણીનો ચૂક્યો સો વરસ જીવે એ ન્યાયે હવે હું પણ ઉગરી જવાનો. હવે મને કોઈ મારી ન શકે. મેં પહેલેથી કરી રાખેલા પ્રબંધ અનુસાર જ વાત ચલાવું. (મોટેથી) દેવ ! શાલિગ્રામનો નિવાસી હું દુર્ગચંડ નામનો કૃષક છું. કામ હોવાથી અહીં આવેલો. રાજા : પછી ? રૌહિણેય : આ નગરમાં મારું કોઈ સ્વજન નથી, ને પાછા વળતાં મોડું થયું એટલે ચંડિકાના મદિરમાં સૂઈ રહ્યો હતો, ત્યાં નગરના રક્ષકોએ મને ચોર સમજીને ઘેરી લીધો. હું તો ગામડિયો માણસ; રક્ષકોના પડકારા સાંભળીને મને લાગ્યું કે મારો જીવ જોખમમાં છે; અને મારી વાત એ લોકોના ગળે ઉતારવાનું કે મને ગામડિયાને ન ફાવે, એટલે હું તો મૂઠીઓ વાળીને ભાગ્યો, ને કૂદકો મારીને કોટ ઠેકી ગયો. અભયકુમાર (સ્વગત) ભારે ચતુર નીકળ્યો આ ચોર તો ! રાજા : ભાઈ ! તારી વાત તો રસપ્રદ છે. હાં, પછી શું થયું? Page #106 -------------------------------------------------------------------------- ________________ અંક ૫] [ ૬૯ રૌહિણેય : પ્રભુ ! અંદરના રક્ષકોથી તો કેમે કેમે જાત બચાવી, પણ બહારના રક્ષકોએ મને ન છોડ્યો. જાળમાં માછલું ફસાય તેમ હું તેમના હાથમાં સપડાઈ જ ગયો. રાજા : (ઉત્તેજિત થઇને) પછી ? રૌહિણેય ? પછી શું થાય ? મને નિરપરાધીને, પણ ચોર ગણી અહીં બાંધી આપ્યો આ બધાએ, આપો ન્યાય હવે મને (૧૬) રાજા : (અભયકુમારના કાનમાં) મંત્રી ! આ કહે છે કે હું શાલિગ્રામનો રહીશ છું. તેની આ વાતની સત્યતાની ભાળ મેળવવા માટે તાત્કાલિક કોઈ શીવ્ર ગતિવાળા અનુચરને શાલિગ્રામ મોકલો ને ભાળ કઢાવો. અભયકુમાર: સારું. અરે, મારા સેવકોમાંથી કોઈ અહીં છે કે ? (એક સેવક આવે છે.). શીઘગતિ ઃ આજ્ઞા સ્વામી ! (અભયકુમાર તેના કાનમાં કાંઈક સૂચવે છે.) શીઘગતિ : અરે આ આવ્યો સ્વામી ! (જાય છે.) રૌહિણેય : (વગત)મારી વાતની ખરાઈ કરવા માટે આને શાલિગ્રામ મોકલ્યો જણાય છે. પણ ત્યાં તો મેં પહેલેથી જ બધો પ્રબંધ કરી લીધેલો છે, એટલે હવે મારે ડરવાનું કોઈ કારણ નથી. રાજા : એય, અસત્ય બોલીને તું બચી જઇશ એમ માને છે? બચવું હોય તો જે હોય તે સાચેસાચું કહી દે ! રોહિણેય : દેવ ! આપને જો મારા પ્રાણોનો ખપ હોય તો અવશ્ય લઈ લો. બાકી હું અસત્ય બોલતો જ નથી. મેં જે કહ્યું છે તે સત્ય જ કહ્યું છે. આપ વૃથા શ્રમ ઉઠાવો છો મારે નિમિત્તે. કીનાશ : અરે ! હજીયે જો તું સત્ય બોલી જા, તો મહારાજને વિનંતિ કરી તને જીવતદાન અપાવું ! Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૦] [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) રોહિણેય : અરે કોટવાલ ! આ શું બોલ્યા ? એક વાત સાંભળી લ્યો : મારા ઉપર “ચોર'નું કલંક તો લાગી જ ગયું છે. હવે તો તમે મને છોડી મૂકો તોય મારે તો મરવું જ રહ્યું ! ક્લેક સાથે જીવતાં રહેવું એ કરતાં મૃત્યુ શું ખોટું ? ‘વિણ કારણ નિજ કુળ તણા, જે બનતાં જ કલંક તેનું જીવ્યું કલંક પર, શગ જેવું નિઃશંક” (૧૭) પિંગલ : (ઉપહાસ કરતો) ખરો સત્યવાદી ભાઈ, તું ખરો સત્યવાદી ! બહુ ઊંચી વાત કરી તે તો ! મંત્રી : કેવો ઘેરો છે આનો નિર્વેદ ? લાગે છે કે આ કલંકને કારણે આ બાપડો આત્મહત્યા જ કરવાનો હવે ! (બધા હસી પડે છે.). (રૌહિણેય વિલખો પડે છે, ને ઓઠ કરડતો મૌન બેસી રહે છે.) અભયકુમારઃ (નેપથ્ય પ્રતિ દૃષ્ટિક્ષેપ કરીને) ઓહો ! આ શીધ્રગતિ આવી પણ ગયો ! ભારે ઝડપ આની ! . (શીધ્રગતિ મંત્રીશ્વર પાસે જઈ કાનમાં કંઈક કહે છે.) અભયકુમાર : સમજાઈ ગયું. હવે તું જા. (શીધ્રગતિ જાય છે.) રાજા : મંત્રી ! એણે શું કહ્યું ભાઈ ? અભયકુમારઃ (કાનમાં) દેવ! એણે શાલિગ્રામ જઈને ત્યાંના લોકોને આના વિષે પૂછ્યું, તો બધાએ કહ્યું કે અમારા ગામમાં દુર્ગચંડ રહે છે; પણ આ સમયે તો તે પરગામ ગયેલો છે. રાજા : (મસ્તક ધૂણાવતો) અદૂભૂત આયોજન ! ચોર પણ આવી પૂર્વયોજના કરી રાખે તે તો આજે જ જાણ્યું. ભલે પણ મંત્રી ! આપણો બહુ વિચાર કરવા જેવો નથી. આ ચોર છે તેમાં તો શંકા જ નથી. સ્વયં વિધાતા પણ આ નિર્ણયને મિથ્યા ઠરાવી શકે તેમ નથી. અભયકુમાર:દેવ હવે આપને ઉચિત લાગે તે આજ્ઞા આપો. પરંતુ એક વાત નિશ્ચિત માનજો કે નીતિનું ઉલ્લંઘન થાય તેવી આજ્ઞા ઉચિત નહિ ગણાય. Page #108 -------------------------------------------------------------------------- ________________ અંક ૫] [૭૧ રાજા : પણ તો આને મુક્ત કરી દેવાનું પણ મને યોગ્ય નથી લાગતું. એકવાર જો આ છૂટી જશે, તો તો હનુમાને લંકાની કરેલી તેવી દશા આ આપણા નગરની કરશે, તેમાં મને સદેહ નથી. એટલે કોઈ એવો ઉપાય યોજો, કે જેથી આનું સત્ય સ્વરૂપ પ્રગટ થાય, આનો નિગ્રહ થાય, અને પ્રજાને શાન્તિ થાય. અભયકુમાર દેવ ! વિકટ કાર્ય છે આ. પણ આપે હવે આ વિષયે લેશ પણ ઉચાટ ન સેવવો. હું સમુચિત પ્રયાસ કરીશ, ને આનાં મૂળ શોધી કાઢીશ. રાજા : પણ મંત્રી ! આને મૃત્યુદંડની ભીતિ બતાવી તો પણ આ વિચલિત ન થયો, તો બીજી કઈ રીતે આનું મૂળ જાણવા મળશે ? અભયકુમારઃ દેવ ! આમ નિરાશ કેમ થાવ ? જુઓ “મંત્રોથી, ધનથી ઘણાં, નવ થતું જે કાર્ય સામર્થ્યથી શસ્ત્રોથી, અથવા લડાઈ કરતાં કે ઉગ્ર સત્તા થકી કિંવા સાગરપાર દૂર જઈનેયે કાર્ય જે થાય ના તે કો” બુદ્ધિનિધાન એક ક્ષણમાં સાધી શકે બુદ્ધિથી” રાજા : તો કોટવાલ ! આને લોહશૃંખલા પહેરાવી દો ! કિનાશ : પિંગલ ! બેડી લાવ ! (પિંગલ જઈને બેડી લઈ આવે છે.) (કીનાશ તે લઈને રૌહિણેયના પગમાં નાખી દે છે.) રાજા : (હાથનાં બધૂનો છોડાવીને) આનું ધ્યાન રાખજો ! કિનાશ : (તોછડાઈપૂર્વક રૌહિણેયને) એય, ચાલ! આગળ થા! (પગે પડેલી બેડીઓ સાથે રૌહિણેય હળવે હળવે ચાલવા માંડે છે.) અભયકુમાર (વિસ્મયપૂર્વક) | (ગાન) કેવો મીઠો આ બેડી-રવ ! ચોર-ચરણથી પ્રગટે છે અવ... હરખાયેલી નારીઓના કર્ણોમાં અમૃતનું Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] રાજા [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) સિંચન કરતો બેડી–૨વ આ, ગાતો ગીત સ્વહિતનું તાલ અને લય સહ પડતાં પગ જોઇને સહુ જનની આંખો નાચે, ઉભરે પ્રીતિ કૌતુકરાગી મનની બાળક નાનાં ટોળે વળતાં મનના ભયને ટાળી પકડાયો આ ચોર ભયાનક તેથી પાડે તાળી વસમું આવું કોઈનું બન્ધન બીજાને આનન્દ-નિબન્ધન (૧૯) (નેપથ્ય સ્વર : વૈતાલિક) તીખા આપ-પ્રતાપથી સકલ આ પૃથ્વી વિષે વ્યાપતા વિશ્વે વિસ્તરતા બધા તિમિરના સામર્થ્યને કાપતા તેજોમૂર્તિ અખંડ મંડલ અહો ! આ સૂર્યનું દેવ હે ! મધ્યાકાશ વિષે પદાર્પણ કરે; તું-જેમ મધ્યસ્થ એ (૨૦) : તો મંત્રી ! મધ્યાહ્ન વેલા થઈ ગઈ છે. શક્ય સર્વ ઉપાયો પ્રયોજીને આનો પરિચય મેળવજે, ને વિના વિલંબે મને જાણ કરજે. અને કીનાશ ! આજની રાત તો આને જતનપૂર્વક સંભાળી રાખજો . તો હવે તમે બધા સ્વસ્થાને જાવ ! અમે પણ રાજભવનમાં જઇશું હવે. (બધા જાય છે.) પંચમ અંક સમાસ RK Page #110 -------------------------------------------------------------------------- ________________ દ્વારપાલ ષષ્ઠ અંક (દશ્ય ૧) (દ્વારપાલ મંજીરક પ્રવેશે છે.) : (વિચારમગ્ન વદને) જો કે કપટ ઘણુંયે છે નિન્જ, છતાંય તે વિના બીજું વિકટ પ્રયોજનોને સરલ બનાવે ન એવું છે કાંઈ” (૧) અને, ઉકેલે સૌ કોના હૃદયગત ભાવો મતિ વડે ભલે મંત્રી, કિન્તુ અહીં મંત્રી નિર્મી કુટિલ ભ્રમણાજાળ સઘળી કળી લીધી ચોરે અગર ન કળી ? તે અકળ છે વળી રાજા દીસે દમન કરવા તસ્કર તણું વ્યાકુલ ઘણા થશે કે ના થાશે વિકટ અતિ આ કામ સફળે? (૨) પણ ના, હું આ બધી વ્યર્થ ચિન્તાઓ જ કર્યા કરીશ તો મારે કરવાનાં કાર્યો રખડી પડશે. ચાલ, મારે જે કરવાનું છે તે કરવા માંડું. (નીકળી જાય છે. સામે કોઈને જોઈને) ઓહ, આ તો નાટ્યાચાર્ય ભરત છે. કામ પતાવીને પાછા ફરતાં લાગે છે. (ભરત આવે છે.) : (તેની સમીપે સરીને) મિત્ર ! કાલે મંત્રીશ્વરે જે બધું કરવાનું કહેલું તે કરી દીધું છે ? : હા જ તો. ': શું શું કર્યું? : એક સમાન રૂપ-લાવણ્યવાળી ચન્દ્રલેખા આદિ ચાર વારાંગનાઓને પટ્ટરાણી તરીકે શણગારી દીધી. શૃંગારવતીસહિત છએક નર્તકીઓને અસરાના વેષમાં અલંકૃત કરી. બીજાં પણ, ગાયિકાઓ, ગાયકો, વેણુ-વીણા-મૃદંગ આદિ વાદ્યોના Gરપાલ ભરત દ્વારપાલ ભરત Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] [ પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) વાદકો અને એને આનુષંગિક બધું જ, સાક્ષાત્ સ્વર્ગલોકમાં હોય તેવું નિરમી દીધું છે. વિશેષમાં, આ નવું મહાલય પણ મંત્રીશ્વરે જાતે ઊભા રહીને દેવવિમાન જેવું શણગારાયું છે. બોલ, બધું સમુચિત છે ને? અને તું શીદ ઉપડ્યો? : મંત્રીશ્વરે ચન્દ્રહાસ મદિરા લાવવા મોકલ્યો છે મને. : તો ઉપડ, તું તારું કામ પતાવ. હું પણ બાકી રહેલાં કાર્યો સત્વર આટોપીશ. (બન્ને જાય છે.) દ્વારપાલ ભરત પડદો ભરત (દેશ્ય ૨) (બન્ધનરહિત અવસ્થામાં પલંગ પર સૂતેલો રૌહિણેય દેખાય છે. ઉગ્ર પ્રકારની મદિરાના પાનથી તે પ્રમત્ત અને સુષુપ્ત દશામાં પડ્યો છે. ઉત્તમ એવાં દિવ્ય વસ્ત્રો પરિધાન કર્યા છે. દૈવી શૃંગારો સજ્યા છે.) (ગાન્ધર્વવૃન્દથી પરિવરેલો નાટ્યચાર્ય ભરત અને દ્વારપાલ આવે છે.) .: (હર્ષપૂર્વક) તો મહાલયમાં આવી પહોંચ્યા આપણે. ઓહો ! કેવો સોહામણો લાગે છે આ પ્રાસાદ ! જુઓ તો ખરા ! (ગાન) વિવિધ રયણે મઢ્યો, દંડ કાંચન-ઘડ્યો જળહળે ઊર્ધ્વ ઉન્નત ખડો એ દિવ્ય ધ્વજ ફરહરે, દીર્ઘ તસ ઉપર દંડની તર્જનીસમ વડો એ નોતરે તે વડે, દેવના વૃન્દને સ્નેહભીના હિયે દંડ જાણે ! તેહથી સોહતું, સર્વને મોહતું ભવન આ દેવવિમાન ભાસે ! (૩) Page #112 -------------------------------------------------------------------------- ________________ અંક ૬] પુરુષ [ ૭૫ (વારાંગનાઓને જોઈને પ્રસન્નતા અનુભવતો) અરે, સાક્ષાત્ દેવાંગનાઓ જ અવતરી હોય તેવી શોભો છો તમે તો ! સોનાતણો મુકુટ મસ્તક પે વિરાજે ને વેલડી ભુજતણી વલયે વીંટાણી આ પુષ્પમાળ ઉભર્યા સ્તનભારનમ્રવક્ષ:સ્થળે વિલસતી, વળી દૈવી વસ્રો થોડાં છતાંય બહુમૂલ્ય ધર્યાં શરીરે (૪) સરસ ! ઘણું સરસ ! હવે સાંભળો ! ચન્દ્રલેખા અને પત્રલેખા આની જમણી બાજુએ ગોઠવાય. જ્યોતિપ્રભા અને વિદ્યુત્પ્રભા આની ડાબી બાજુએ ઊભી રહે. શૃંગારવતી અને તેનું વૃન્દ આની સન્મુખ રહીને નૃત્ય કરે. અને અરે ગાન્ધર્વો ! તમારે ગમે તે ક્ષણે સંગીત માટે સજ્જ રહેવાનું છે. આ તસ્કર ભાનમાં આવે ને બેઠો થાય તે સાથે જ તમારે બધાંએ તમને સોંપેલા કાર્યમાં મચી પડવાનું છે. (એક પુરુષ આવે છે.) : મંજીક ! મંત્રીશ્વર બોલાવે છે. (મંજી૨ક તેની સાથે જાય છે.) (ૌહિણેય કાંઇક ભાનમાં આવતાં સળવળે છે, ને પછી એકાએક બેઠો થાય છે.) ઉપસ્થિત સર્વ : (સમૂહ સ્વરમાં આશ્ચર્ય છલકતા ઊંચા સ્વરે) અહો હો ! આજે આપણાં અવર્ણનીય પુણ્યોનો પરિપાક થયો લાગે છે. આપણો આ દેવજન્મ પણ હવે સફળ બની જવાનો, કેમ કે આજે અમે આપને અમારા સ્વામી તરીકે પ્રાપ્ત કરવાને સૌભાગી બન્યાં છીએ : દેવરૂપે ધર્યો જન્મ, આ મહાન વિમાનમાં સ્વામી અમારા છો આપ, અમે સેવક આપના (૫) જય હો ! હજો આનન્દ તુજને, અતુલ તવ મંગલ થજો ! તું શ્લાધ્ય છો સુરલોકમાં, તું શ્રેષ્ઠ, તું સુખસાગરો Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) રૌહિણેય કલ્યાણમય તું, તું પરમ આનંદનું ભાજન વળી કર આશ્રિતોનું ત્રાણ ને રિપુ-દેવગણને દંડ તું (૬) વળી, સ્વામી-વિહીન અમ સૌ સુર-વૃન્દ કેરા આ સ્વર્ગસંપદ અને સુવિમાન કેરા સ્વામી બનો !, પ્રબળ ને નિજ પુણ્ય કેરાં મીઠાં ફળો અનુભવો પ્રભુ ! આપ આજે ! (૭) અને, દેવાંગના આ સઘળી વરાકી દાઝી રહી છે પ્રિયના વિજોગે ઠારો તમે સંગમ-સૌખ્ય આપી આ સર્વને દેવ ! કૃપા કરીને (2) (તત્ક્ષણ ગન્ધર્વવૃન્દ તાલબદ્ધ સંગીત પ્રારંભે છે, તે સાથે જ અપ્સરાવૃન્દ નૃત્ય આદરે છે.) : (ચારે બાજુ અવલોકનપૂર્વક વિસ્ફારિત નેત્રે પ્રાસાદને નીરખતો નીરખતો) અહો ! કેવું રમણીય છે આ દેવવિમાન ! તાજાં પુષ્પો દ્વારા ગુંથ્યા ચંદરવા પર પડતી બહુમૂલા મણિગણની જ્યોતિ ઈન્દ્રધનુ-ભ્રમ ઘડતી મણિમય સ્તંભો ઉપર લટકતી મનહર મોતીમાળા સુમધુર-રૂપ-અલંકૃત-દેવો ભર્યું વિમાન ઓહો આ ! (૯) (નૃત્ય પ્રતિ દૃષ્ટિ જતાં વિસ્મિત વદને) (ગાન) નાચે અતિહિ ઉમંગે ભીની રસ-શૃંગાર સુરંગે છલકે અંગે અંગ ઉમંગે અદ્ભુત પદવિન્યાસ, અનોખી અંગભંગિમા, તીખા નેત્ર-કટાક્ષોની લાખો લહેરોથી શું છલકાતાં ! નર્તન થાતાં આ અંગે સુર-કન્યાઓનાં ચંગે Page #114 -------------------------------------------------------------------------- ________________ અંક ૬] [ ૭૭ બાહુ-વલ્લરી થરહર થરકે, વક્ષસ્થળ ઉછળતાં કંચુકી-બન્ધન છૂટે એવા તીવ્ર-વેગ-છલકતાં નૃત્ય કરે ઉછરંગે સહુ સહિયર કેરા સંગે (૧૦) અને પંચમ સ્વરના સૂક્ષ્મ નાદના ગુંજનથી વીંટળાયું શ્રવણ ગીતિકા કેરું કાને અમૃત બની અફળાયું હાવ-ભાવથી સુલલિત નર્તન નયનોત્સવ-સમ દીસે મન્દ મન્દ ધ્વનિ મૃદંગનો આ સુણી મોરલા હીંસે ભરતનાટ્ય-વર્ણિત ગુણ સવિ આ ઝળકે નાટારંગે સ્વર્ગતણા આ સુખથી છલકત અંગેઅંગ ઉમંગે ! (૧૧) ચન્દ્રલેખા : (પ્રીતિભીના સ્વરે) પુયે જ પ્રાપ્ત થતું રૂપ તમારું જોઈ કામાગ્નિ આજ મુજ દેહ વિષે ભભૂક્યો પ્રાણેશ ! પ્રેમઝરતાં તવ અંગ-સંગે ચાંપી કરી શમન તેનું કૃપા કરીને (૧૨) પત્રલેખા : જાગ્યાં પુણ્ય અમારડાં, જગતની દેવાંગનાઓ થકી ઊંચું ભાગ્ય ખરે અમારું પ્રગટ્યું જે આપ સ્વામી મળ્યા સીધ્યા સર્વ મનોરથો વળી અમે ઐશ્વર્ય પામ્યા ખરું હે પ્રાણેશ્વર ! પ્રાણજીવન ! તમે જીવો ઘણું યે ઘણું ! (૧૩) દેવ ! દેવાંગનાઓના કામદેવ ! આપને અમારી એક જ પ્રાર્થના છે સ્નેહ અને પ્રણયના અમીરસથી ભીનાં ભીનાં વેણ ઉચ્ચારો, અને અમને-અમારા કાનને આપના એ પ્રેમભર્યા શબ્દોનો મીઠો મીઠો સ્પર્શ આપો ! (વિસ્મયથી સ્તબ્ધ રૌહિણેય મૂંગો મૂંગો તાકી રહે છે.) જ્યોતિપ્રભા : (ઉપાલંભના સૂરમાં) સખી ! નિઃસ્નેહી અને રૂક્ષ લોકો જોડે નેહવાર્તા કરવાથી શો લાભ ! એ તો આવળના ફૂલને સુંઘવા જેવું જ બની રહે. આ દેવ જે અહીં ઉત્પન્ન થયા છે ને, તે તો Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭૮ 1 * [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) કોઈ મૌનવ્રતધારી સાધુ જેવા દીસે છે. આવા સાધુચરિત આત્માને, પ્રેમપદારથ શીખવનારાં વચનો સંભળાવીને તમે અકારણ ફૂલેશમાં નાખી રહ્યા છો. આપણે ગમે તેટલાં વલખીએ કે વળગીએ, પણ આ કાંઈ આપણને ચાહે એ મને તો શક્ય નથી લાગતું. રૌહિણેય ઃ (રોમાંચ અનુભવતો અનુનયપૂર્વક) દેવી ! આવું અનુચિત શું બોલતાં હશો ? હું શું વિચારું છું તે કહું? સાંભળો : (ગાન) નામ તમારું બૂઝાયેલા કામ-દહનને જગાવનારું કામણ-ટ્રમણનો મંત્રાક્ષર બની જગતને વશ કરનારે... નામ તમારું જ છે આવું તો સ્વયં યદા તમે જ આવો કામોદ્રક-વિવશ; આ લ્હાવો ઇન્દ્રો પણ જો નહીં ગુમાવે તો અમને એ કેમ ન ભાવે ?...(૧૪) વળી, ઇન્દ્રો ય ગૌરવ અનુભવે સ્ત્રી-દાસ બનવામાં સદા શંકર બની તસ પ્રેમવશ, નેડો ન મૂકે પણ કદા છે વિશ્વવન્દ છતાંય વિષ્ણુ સ્નેહથી સ્ત્રીને નમે એ “સ્ત્રી' મને યદિ ચાહતી, તો કેવું મોટું પુણ્ય એ! (૧૫) વિદ્યુપ્રભા : (પ્રેમનો અભિનય કરતાં) સ્વામી ! દેવાંગનાઓના ચિત્તરૂપી માનસ સરોવરના રાજહંસ ! આપના જેવા નરરત્નનું સાહચર્ય મેળવીને સોહાગણ બનવા કાજે કેટકેટલી દેવકન્યાઓ તલસતી હશે ? પણ અમારાં પૂર્વોપાર્જિત પુણ્ય પ્રબળ કે આજે અમને આપનું સાંનિધ્ય સાંપડ્યું અને આ ક્ષણે આપની સાથે પાકો સ્નેહ પણ બંધાઈ ગયો ! બાકી તો ગમે તેટલું મથીએ તો પણ સ્થિર સ્નેહ તો બંધાય તો જ બંધાય; બધાંના સ્નેહ કાંઈ આવી Page #116 -------------------------------------------------------------------------- ________________ અંક ૬] [ ૭૯ પ્રગાઢ સ્થિરતા પ્રાપ્ત કરવા ભાગ્યશાલી નથી બનતા. અને સ્વામી ! અમારી દશા તો શું વર્ણવવી ? (ગાન). કંપે સાથળ ધડકે હૈયું શિથિલ થયું ઉપવસ્ત્ર ખસૈયું કેશપાશ બન્ધનથી છૂટ્યો નવીબંધ પણ શિથિલ થઈ ગયો રૂંવે રૂંવે મદન છવાયો તવ દર્શનનો મદ છલકાયો કામેચ્છા-પીડિત-દુરવસ્થા સુભગ ! સહેવી શી રીતે આ? (૧૬) (પ્રતિહાર આવે છે.) પ્રતિહાર : (સ્વર્ણયષ્ટિ ઊંચી કરીને રૂક્ષ સ્વરે) અરે, આ શું માંડી બેઠાં છો તમે બધાં? ગન્ધર્વગણ ? (ભયત્રસ્ત બનીને) કેમ ? કેમ? અમે તો સ્વામીને અમારું કલાકૌશલ્ય દર્શાવીએ છીએ ! પ્રતીહાર : પણ સ્વર્ગની આચાર-મર્યાદાનું પાલન નહિ કરાવવાનું? ગન્ધર્વ : શું કરવાનું હોય એમાં? પ્રતીહાર : અરે, આટલું પણ સ્મરણમાં ન રહ્યું તમને? જુઓ, અહીં જે પણ નવા દેવ ઉત્પન્ન થાય તેમણે સર્વપ્રથમ પોતાના પૂર્વજન્મના સુકૃતો અને દુષ્કતોનું વિવરણ કરવું પડે; તે પછી જ તે સ્વર્ગનાં સુખ ભોગવી શકે, તે પહેલાં નહિ. ગન્ધર્વો : (વિનયપૂર્વક) પ્રતીહાર ! આ એકવારની અમારી ક્ષતિ ક્ષમ્ય ગણો. કેમ કે નવા સ્વમી સાંપડ્યાના હર્ષાવેશમાં અમે એવા તો ઉન્માદમાં આવી ગયા કે એમાં ને એમાં અમે આવી ગંભીર ક્ષતિ આચરી બેઠા ! હવે તમે આવ્યા જ છો, તો તમે જ એ દિવ્ય મર્યાદાનું પાલન કરાવી દો ! પ્રતીહાર : (રીહિણેયની સમીપે જઈને) દેવ ! મને દેવોના અધિપતિ ઇન્દ્ર Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૦] રોહિણેય [પ્રબુદ્ધ રોહિણેય નાટક (ભાવાનુવાદ) મહારાજે મોકલ્યો છે. તેમની આજ્ઞા થઈ કે નવા ઉત્પન્ન થયેલ દેવ પાસે સ્વર્ગની મર્યાદાનું પાલન તું કરાવી આવ, એટલે હું આવ્યો છું. મહાભાગ ! હવે કહો કે આપે ગત મનુષ્ય જન્મમાં શાં શાં સુકૃત અને દુષ્કૃત કર્યા હતાં ? આટલી વાત વર્ણવ્યા પછી આપ સુખે સ્વર્ગસુખનું આસ્વાદન કરજો. : (મદ્યનો ઉન્માદ ઓસરી ગયો છે. પૂર્ણ સભાન સ્થિતિમાં વર્તે છે. સ્વગત-) ઓહ ! શું આ સાચું હશે ? હું સાચેસાચ દેવ જન્મ પામ્યો હોઈશ ? સ્વર્ગીય ઉન્માદમાં મત્ત બનેલો આ દેવગણ તો પ્રત્યક્ષ ઉપસ્થિત છે ! કે પછી મંત્રી અભયકુમારનું રચેલું આ કોઈ ષડયંત્ર તો નહિ હોય? આવી અવસ્થામાં મને જકડીને મારો વૃત્તાંત મારા જ મોએ બોલાવવાનું એમણે છટકું ગોઠવ્યું હોય તો ના નહિ કેમકે છેલ્લે છેલ્લે મેં અતિશય મદ્યપાન કરેલું, એટલું તો મને સાંભરે છે. હાં, તે પછી મને બન્ધનમુક્ત બનાવીને પલંગમાં સૂવાડયો હોય ને અહીં લાવ્યા હોય તો તે શક્ય છે. બાકી તો, સ્વર્ગ સુકૃતથી સાંપડે, પુણ્યહીન છું હું અન્તઃપુરમાં કોઈ દિ', અત્ત્વજ આવે શું? (૧૭) પણ તો આમાં તથ્થાતથ્ય શું છે તે જાણવું શી રીતે ? હાં, સાંભર્યું સાંભર્યું. તે દિવસે કાંટો કાઢવા બેઠો ત્યારે મહાવીર સ્વામીનાં થોડાંક વેણ કાને પડી ગયેલાં. એમાં એમણે દેવોનું સ્વરૂપ વર્ણવેલું. તે વર્ણન પ્રમાણે જો આ બધાં હોય તો હું જેવું છે તેવું કહી દઈશ. પણ જો તે વર્ણન કરતાં આમનું સ્વરૂપ ભિન્ન પ્રકારનું જણાશે તો પછી અસત્યનું જ આલંબન લેવું પડે. (ધારી ધારીને દેવોને-દેવાંગનાઓને નીરખે છે, અને તે સાથે જ તેમનાં વાસ્તવિક સ્વરૂપનો બોધ તેને થઈ જાય છે. તે વિચારે છે:) ઓહો ! મહાવીરે દેવોનું સ્વરૂપ જે વર્ણવેલું, તેમાંનું તો આમનામાં કાંઈ જોવા નથી મળતું ! આ બધાં જ પ્રસ્વેદથી કિલન્ન છે, એમની માળાઓ કરમાઈ ગઈ છે, ને વસ્ત્રાભરણો પ્લાન-મલિન ને ચીમળાયેલાં દેખાય છે ! નિઃશંક, આ કોઈ Page #118 -------------------------------------------------------------------------- ________________ અંક ૬ ] [ ૮૧ ષડયંત્ર જ છે. પ્રતીહાર : અરે દેવ ! તમે તો જાણે ગહન ચિન્તામાં મગ્ન થઈ ગયા! પણ આમ મૌન રાખવાનો શો અર્થ? ત્વરા કરો હવે, ને જેવું હોય તેવું પ્રગટ કરી જ દો. આખું સ્વર્ગ તમારો વૃત્તાન્ત સાંભળવા માટે ઉત્સુક બન્યું છે. રોહિણેય ઃ એમ? તો તો સાંભળો મારો વૃત્તાન્ત : (બધાં કાન માંડીને સાંભળે છે.) પાત્રોમાં દાન દીધાં, જિનવર-ભવનો બાંધિયાં ન્યાયદ્રવ્ય કીધી યાત્રા ઘણેરી શિવસુખ-ફળને આપતા તીર્થકરી સેવા પૂજ્યોતણી મેં વિધિસહિત કરી, પૂજના ને જિનોની નિર્માવ્યાં બિંબ ઝાઝાં જિનપ્રવરતણાં, આણ તેઓની પાળી (૧૮) સમૂહ સ્વર : (ઉમળકાભેર, માથું ધૂણાવીને) અહો ! અમારા સ્વામીનું ચરિત્ર સદાચારોથી કેવું મઘમઘતું છે ! પ્રતીહાર : અદૂભુત ! તમારાં સુકત્યોનું વર્ણન સાંભળીને અત્યન્ત પ્રસન્નતા થાય છે. હવે તમારાં દુષ્કૃત્યોની વાત પણ કરો. રૌહિણેય : ભાઈ પ્રતીહાર ! ખરેખર કહું? સદાય જિનભક્તિમાં સાધુ-સંગતિમાં તથા રમતા મેં ભૂલમાં યે દુષ્કૃત્યો આચર્યા નથી. (૧૯) પ્રતીહાર : પણ બન્યું ! ઘણાયે જન્મોના દઢ અશુભ સંસ્કાર મનમાં પડેલા હોય છે, પ્રબળ તસ આવેગ-વશ તે કરી હોયે જે જે મલિન કરણી, તે પ્રિયસખે ! કહી દે ને – ચોરી, જુગટું, વ્યભિચારાદિ સઘળી (૨૦) રૌહિણેય ? અરે ભાઈ! વારંવાર આનું આ શું પૂછતા હશો ? જેવું હતું તેવું બધું મેં પહેલાં જ કહી દીધું છે; ન કહેવા જેવું કાંઈ છે જ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) ભરત નહિ તો ! અને તમે એટલું તો વિચારો કે પંગુ મનુષ્ય કદી પર્વતની ટોચ પર પહોંચી શકે ખરો ? હાથનો ઠુંઠો વળી મહાસાગરને તરી શકે ખરો ? તો પાપાચારી પ્રાણી કદાપિ વર્ગમાં આવું સ્થાન પ્રાપ્ત કરે ખરો કે? અનુપમ રૂપ-છલકતી આ સૌ સુરકન્યાઓથી ઘેર્યું રત્ન-સુવર્ણ-મઢેલું, દૈવી ઉજાસથી ને જળહળતું આવું દેવવિમાન શું પામે દુરાચાર-ઘેલો પ્રાણી ? વિચારજો કે દેવ ! વિવેકી; અધિકું કહેવું ના ગમતું (૨૧) પ્રતીહાર .: (કંટાળીને, ભરતના કાનમાં) મંત્રીશ્વરે શીખવેલા, આને ભોળવવાના તમામ પ્રયાસો વ્યર્થ ગયા ! આ તો કળાતો જ નથી ! ભલે. હવે મંત્રીશ્વરને બધું જણાવવું તો પડશે ! : રાજાજી અને મંત્રીશ્વર, આ વૃત્તાન્ત જાણવા માટે જ, હજી રાજસભામાં જ બેઠા છે. ચાલ, ત્યાં જઈએ. (સભામાં બેઠેલા રાજા અને અભયકુમાર દષ્ટિગોચર થાય છે.) અભયકુમાર : (પ્રતીહારના કાનમાં) પ્રતીહાર ! ચોર પાસેથી કાંઈ વાત કઢાવી શકાઈ કે ? પ્રતીહાર : મંત્રીશ્વર ! શું કહું ? આ કામમાં અમે સાવ નિષ્ફળ ગયા છીએ. વગાડ્યાં નગારાં હજારો છતાંયે ડર્યો જ નહીં, તે ડરે કાંચતાલે?” (૨૨) આ માણસનું હૃદય તો વજનું ઘડેલું હોવું જોઈએ. અને વજ કાંઈ લોહમય સૂચિથી વીંધાય ખરું? અભયકુમાર : (ઉદ્વેગ સાથે) પ્રપંચ રચવામાં હું મને નિષ્ણાત માનતો પણ આ ચોર મારાથી ભારે ચતુર નીકળ્યો ! (૨૩) રાજા : મંત્રી ! ચોર વિષે કાંઈ જાણવા મળ્યું ? Page #120 -------------------------------------------------------------------------- ________________ અંક ૬] [૮૩ રાજા અભયકુમાર : દેવ ! જાણવા જેવું કાંઈ લાગતું નથી આમાં. આ માણસ દંડને પાત્ર નથી લાગતો. કેમ કેકિધા ઉપાય બહુયે કંઈ નાખનોખા તોયે કળાય નહિ સત્ય સ્વરૂપ આનું એ ચોર હોય પણ તોય ન થાય શિક્ષા કાં કે અલંબ જ સદા શુભ રાજનીતિ (૨૪) રાજા : તો શું એને નિર્દોષ ગણીને છોડી જ મૂકવાનો? અભયકુમાર : દેવ ! તેને સભામાં બોલાવો. અભય-વચન આપો, ને પછી યથાતથ કહેવા સમજાવો. પછી છોડી મૂકવાનો ! પ્રતિહાર ! એ ચોરને અહીં લઈ આવ ! અને અહીં ઉપસ્થિત છો તે બધા આઘાપાછા થઈ જાવ, કોઇ અહીં ન રહે. (બધા ચાલ્યા જાય છે.) (રૌહિણેયને લઈને પ્રતિહાર આવે છે.) (રીહિણેય પ્રણામપૂર્વક રાજાના પગ પાસે બેસે છે.) : (પ્રસન્નતાપૂર્વક) અરે ! ભલે તે મારા સમગ્ર નગરને ભરપેટ લૂંટ્યું હોય અને દરિદ્ર બનાવી મૂક્યું હોય, પણ તે તારા સર્વ અપરાધો હું જતા કરું છું, અને તને અભયદાન આપું છું. હવે કહે કે ખરેખર તું કોણ છો ? રૌહિણેય : દેવ જેવું છે તેવું યથાતથ કહી દઉં? રાજા : નિશ્ચિત્ત બનીને કહે. રૌહિણેયઃ લક્ષ્મી-વૈભવ-વૃદ્ધિ-ઉત્સવ વડે જે સર્વદા છાજતું જેણે આ પુર લૂંટિયું સુખભર્યા લોકો વડે રાજતું હું છું વિશ્વપ્રસિદ્ધ લોહખુરનો બેટો મહા-ચોરટો રાજન્ ! આજ ઊભો છું આપ-ચરણે એ રોહિણીયો ખરો (૨૫) રોજ વળી, આ આખાયે નગરને મેં જ છે લૂંટ્ય દેવ છે ! WWW.jainelibrary.org Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૪] [ પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) તેથી બીજા કોઇનેયે ચોરલેખે ન શોધજો ! (૨૬) અભયકુમાર : (રોમાંચ અનુભવતા) ધન્ય છે રૌહિણેય ! ધન્ય છે તારી સરલતાને: મારા બુદ્ધિપ્રપંચમાં ભલભલા ભૂચાટતા થૈ ગયા આવર્તે જિમ સિન્ધના ગરક થાતાં વ્હાણ મોટાં ઘણાં તેમાંથી નહિ કોઇ કોઇ દિ' બચ્યું હે ધીર ! તારા વિના તેં તો બુદ્ધિબળે મનેય થકવ્યો; છો ધન્યવાદાઈ તું..(૨૭) રૌહિણેય : પણ મંત્રીવર્ય ! આમ કેમ બની શક્યું તે સાંભળોઃ મારું આ અવળુંય વાંછિત બધું વિનો વિના સીઝતું બુદ્ધિયે અટવાય આપની અહો ! ના તાગ મારો લહે આનું કારણ માત્ર વીરજિન છે ભંડાર કારુણ્યના મંત્રીવર્ય! પ્રતીતિ આ મુજ હિયે, છો ને કહે ના બધા(૨૮) અભયકુમાર (કાન ઢાંકી દઈને અરુચિપૂર્વક)અરે ભાઈ ! આ કેવી અયુક્ત વાત કરે છે તું? શું તીર્થકરો ચોરી કરતાં શીખવાડે ? મદિરાના ઉન્માદમાં તો નથી ને હજી ? રૌહિણેય : મંત્રીશ્વર ! તમે મારી વાતનો મર્મ ન પકડી શક્યા. સાંભળો, હું જ સમજાવું : નૌકા વડે નદી જેમ, તરવી શક્ય છે મહા પ્રભુના શબ્દ-બળથી, તેમ મેં બુદ્ધિજાળ આ ભેદી મંત્રીશ! આપની (૨૯) અભયકુમાર : (આશ્ચર્ય પામતાં)એ શી રીતે ? રૌહિણેય : સાંભળો. મારા પિતાનું નામ લોહખુર. વૈભારગિરિની ગુફામાં રહે. ચોરીનો જ વ્યવસાય. એમણે મૃત્યુ-સમયે મને પ્રતિજ્ઞા કરાવી કે જો તું મારો પુત્ર હો તો મહાવીર સ્વામીની વાણી કદી સાંભળતો નહિ. બધા : (ઉત્તેજિત સ્વરે) પછી ? રૌહિણેય : મેં તે પ્રતિજ્ઞા કરી. અને તેનું અભંગ પાલન કરતાં રહીને આજ પર્યન્ત રાજગૃહીને લૂંટતો રહ્યો. Page #122 -------------------------------------------------------------------------- ________________ અંક ૬] [૮૫ અભયકુમાર : પછી ? રોહિણેય : બે દિવસ પૂર્વે હું ચોરી કરવા નીકળ્યો, ત્યારે અજાણતામાં જ સમવસરણની સાવ પાસે પહોંચી ગયો. આમ તો ત્યાં ભગવાનની વાણી કર્ણપટ પર અથડાયા વિના ન જ રહે. પરન્તુ હું પેલી પ્રતિજ્ઞાને વીસર્યો નહોતો. વળી, પાછા ફરવાનું પણ શક્ય ન હતું. એટલે મેં બે કાનમાં બે આંગળી ખોસી, ને ત્યાંથી ઝડપભેર ભાગ્યો. અભયકુમાર ? હાં, પછી? રૌહિણેય : દોડવામાં ને દોડવામાં ધ્યાન ન રહ્યું, અને પગમાં બાવળની શૂળ પેસી ગઈ ! એ એવી તો ઊંડી ઊતરી ગઈ કે પછી હું ડગલુંય ભરવા સમર્થ ન રહ્યો. રાજા .: (કૌતુકભર્યા નેત્રે) ઓહ ! અદ્ભુત છે ભાઈ તારી કથા તો ! વાર પછી શું થયું? રૌહિણેય ઃ કંટક-શોધન અનિવાર્ય જણાતાં મારે કર્ણવિવરોમાં ખોસેલી આંગળીઓ બહાર લેવી જ પડી. પણ તે કાંટો કાઢતાં જે ક્ષણો વીતી, તે ક્ષણોમાં અનિચ્છાએ પણ ભગવાનની વાણી મારા કાનમાં પ્રવેશી જ ગઈ! તે સમયે તેઓ દેવોના સ્વરૂપનું વર્ણન કરી રહ્યા હતા. તેમાં તેમણે કહ્યું કે - દેવોને પ્રસ્વેદ ન થાય દેવોને થાક ન લાગે દેવોને રોગ ન આવે દેવોની ફૂલમાળા કરમાય નહિ દેવોના પગતલ ધરતીને સ્પર્શે નહિ દેવોની આંખો અપલક હોય દેવોનાં વસ્ત્રો ચીમળાય નહિ દેવોની કાયામાં દુર્ગધ ન હોય દેવોના મનોરથો સંકલ્પમાત્રમાં પૂર્ણ થાય ઈત્યાદિ. અભયકુમાર : પણ ત્યારે ભગવાનનું વચન સંભળાઈ ગયું તેમાં આજના પ્રસંગને Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ] [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) શી લેવાદેવા? રૌહિણેય : (ઉત્સાહિત થઈને) મંત્રીવર્ય ! શી લેવા દેવા એમ પૂછો છો હજી? હજી સમજ્યા નહિ? લો, હું જ સમજાવું : અરે મંત્રીશ્વર ! તમે મને પકડ્યો. પછી મારી યથાર્થ ઓળખ મારા મુખે જ પામવા માટે તમે દેવલોકનો આભાસ રચ્યો. દેવવિમાન બનાવ્યું. દેવ દેવીઓની સૃષ્ટિ સર્જી. પ્રાયઃ દેવલોકમાં સંભવે તેવી સમગ્ર સ્થિતિનું તમે નિર્માણ કર્યું. હું અવશ્ય આ ઇન્દ્રજાળમાં સપડાઈ જ જાત. પરન્તુ આ ક્ષણોમાં ભગવાનનું અનિચ્છાએ સંભળાઈ ગયેલું પેલું વચન મને સાંભરી. આવ્યું. એ સાથે જ તે વચનમાં થયેલ દેવોના વર્ણન સાથે તમારા નિર્મલા દેવોનાં સ્વરૂપની મેં તુલના કરી. ક્ષણમાત્રમાં સ્પષ્ટ થઈ ગયું કે હું દેવ નથી, આ કોઈ પણ દેવ કે દેવાંગના નથી, અને આ દેવવિમાન પણ નથી. હું ચેતી ગયો મેં તલ્લણ મારા પૂર્વજન્મની કાલ્પનિક વાર્તા રચી કાઢી. એનું સવિસ્તર વર્ણન કર્યું, અને તેમ કરીને મેં મારી જાતને રાજાજીથી અને તેમના વિકરાળ હત્યારાથી ઉગારી લીધી! કહો હવે, હું ફાવી ગયો અને તમે મને કળી ન શક્યા, તેમાં પ્રભુ વીરનું વચન જ કારણરૂપ થયું ગણાય કે નહિ ? અને હવે ખરી વાત કહું ? પિતા કેરા જૂઠા વચનવશ અદ્યાવધિ હું તો ચુક્યો વાણી મીઠી જિનવરતણી, ચોર જ રહ્યો ! ત્યજી મીઠા આંબા રસ છલકતા,મેં મન ધર્યું ખરે, કાંટાઘેર્યા કટુરસભર્યા બાવળ વિષે ! (૩૦) બાકી, “ચોરી સર્વસ્વ છે' એવું, માનનારા પિતાતણા નિંદુ આદેશને; કાં કે, જિનવાણીથી વેગળો રાખ્યો એણે મને ભલો ! (૩૧) અભયકુમાર : (આનન્દભેર) Page #124 -------------------------------------------------------------------------- ________________ અંક ૬ ] [ ૮૭ રાજા જેનું વચન થોડુંયે આવે છે ફળ આટલું તેની સમગ્ર વાણીની સેવના કેટલી ફળે ! (૩૨) રૌહિણેય : (રાજાને નમીને) દેવ હવે કોઈ વિશ્વસનીય સેવકને મારી સાથે મોકલો, તો વૈભારગિરિની ગુફામાં છુપાવેલો ચોરીનો સઘળો માલ તેને સોંપી દઉં, ને પછી હું શ્રીવીરપ્રભુની ચરણસેવામાં જીવન સમર્પિત કરી દઈને મારા જન્મને સફળ બનાવું. : મંત્રી ! આનું નિવાસસ્થાન કેવું હશે તે જોવાનું અમને પણ કુતૂહલ થાય છે. અભયકુમાર : દેવ ! કૃપા કરો ! પધારો ! રાજા : પ્રતીહાર ! મહાવત શંખમુખને કહે કે સેચનક ગજરાજને સજ્જ કરીને શીધ્ર અહીં લાવે. (પ્રતીહાર આજ્ઞાનું પાલન કરે છે.) શંખમુખ : (સેચનક સહિત આવીને) દેવ ! સેચનક સજ્જ છે. પધારો. (રાજા ગજારૂઢ થાય છે.). અભયકુમાર : રૌહિણેય ! આગળ ચાલ. માર્ગ દર્શાવ. (રૌહિણેય સર્વને વૈભારગિરિની ગુફા પ્રતિ લઈ જાય છે.) અભયકુમાર : (થોડી વેળા પછી) વૈભાર પર્વત આવી લાગ્યો, દેવ ! રાજા .: (કૌતુકરાગી દષ્ટિ વડે પર્વતને અવલોકતાં) વૈભારાચલ હાડ આ આનાં બે શિખરો વચાળ ભમતો કેવો દીસે સૂર્ય આ જાણે કર્ણનું ફૂલ-સૂરજમુખી તેને ઝગારા કરે ! રાત્રે પર્વત-ટોચમાં વિલસતાં ઉત્તુંગ વૃક્ષો પરે ચાંદો કાંઈ ઝળુંબતો કપિ-સમો નિશ્ચ હશે દીસતો ! (૩૩). (બધાં મસ્તક ડોલાવતાં રાજાની કાવ્યકલ્પનાને પ્રશંસે છે.) : રૌહિણેય ! પર્વતની ઉપત્યકામાં તો આપણે આવી પહોંચ્યા. રાજા Page #125 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] રૌહિણેય રાજા બધા રાજા રૌહિણેય અભયકુમાર રૌહિણેય [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) તારી ગુફા ક્યાં ? દ્વાર જેવું તો કાંઇ કળાતું નથી ! : દેવ ! આ સામે ચંડિકાનું સ્થાનક છે ત્યાં જ તે દ્વાર છે. આપને ધ્યાન પર નથી આવતું ? : (હાથી પરથી ઊતરીને ચંડિકાના સ્થાનક પાસે જઇને બધું તપાસે છે, પણ કાંઈ સાંધો નથી સૂઝતો. એટલે) અરે, અહીં તો પત્થરોની ભીંત છે, તેમાં તો કીડી પ્રવેશી શકે તેવી ફાટ પણ દેખાતી નથી; તો પ્રવેશદ્વાર તો ક્યાંથી સંભવે ? (રૌહિણેય આગળ જાય છે, ને પત્થરમાં કોરેલા ચંડિકારૂપ કમાડને ખસેડે છે, એ સાથે જ ગુફા ઉઘડી જાય છે.) : (દિગ્મૂઢ બનીને ઊંચા સ્વરે) અહો હો ! કેવું અનુપમ બુદ્ધિકૌશલ્ય ! આપણે તો અનેકવાર અહીં આવીએ છીએ, પણ કોઈને આનો અણસાર સુધ્ધાં આવ્યો નથી ! અદ્ભુત ! : રૌહિણેય ! આ રચના તેં કરી કે તારા પિતાએ ? • દેવ ! મારા પિતાનું નિર્માણ છે આ તો. (બધા જ ઉત્સુકતાપૂર્વક ગુફામાં પ્રવેશ કરે છે.) : (સાંકડા દ્વાર વાટે અંદર પેઠા પછી વિશાળ ગુફાખંડને નિહાળીને વિસ્ફારિત નેત્રે-) કેવું આ ગિરિગણ્વર ! જાણે દૈત્યોનું ઘર ! વસે ધરાતલ ભીતર ! (પણ) અવતર્યું શું પૃથ્વી પર ! (૩૪) : દેવ ! આ સુભદ્ર શ્રેષ્ઠીનો નવપરિણીત દીકરો મનોરથ, જેને હું ઉપાડી લાવેલો; અને આ બેઠી છે તે વસન્તોત્સવ સમયે ઉપવનમાંથી હું ઉઠાવી લાવ્યો'તો તે મદનવતી, ધન સાર્થવાહની દીકરી. અને આ ચોમેર ખડકેલાં પોટલાંનો ગંજ છે, તેમાં મેં લૂંટેલા ધન અને મૂલ્યવાન પદાર્થો છે, પ્રજાજનોના. આ બધું આપ સંભાળી લો. આ ઉપરાંત કાંઈ શેષ રહી જતું હોય તો Page #126 -------------------------------------------------------------------------- ________________ અંક ૬] [ ૮૯ તે પરત્વે દેવ કહે તે પ્રમાણ ! (રાજા અર્થસૂચક દૃષ્ટિથી મંત્રી સામે જુએ છે.) અભયકુમાર : દેવ ! આ વિષયમાં કાંઈ જ વિચારવાનું ન હોય. જે જેનું હોય તે બધું તેને અત્યારે જ સોંપવા માંડો ! રાજા : આ અંગે તમે જે કરવું ઘટે તે કરી શકો છો. અભયકુમાર : પ્રતીહાર! સુભદ્ર શ્રેષ્ઠીને અને પ્રમુખ નગરજનોને શીધ્ર અહીં બોલાવી લાવ. (પ્રતીહાર થોડી જ વારમાં સર્વને લઈ આવે છે.) અભયકુમાર : “સુભદ્ર ! આ તમારો પુત્ર, સંભાળી લો એને. અને ભાઈ ધન સાર્થવાહ ! આ બેઠી તમારી કન્યા, લઈ જાવ એને સ્વગૃહે. (નાગરિકો ભણી ફરીને) અને બધુઓ ! આ બધાં પોટલાંમાં લૂંટાયેલો માલ છે. સૌ ઓળખી ઓળખીને પોતપોતાની વસ્તુઓ લઈ જાય. (બધા લોકો તે પ્રમાણે વર્તે છે.) સુભદ્ર : (પ્રસન્ન વદને રાજાને સંબોધીને). રાજન્ ! અદ્દભુત આપનો, ન્યાયપ્રેમ અપરૂપ લોભરહિત ને નીતિવિદ, નૃપનું આ જ સ્વરૂપ (૩૫). રૌહિણેય : દેવ ! સર્વને પોતાનું બધું પાછું મળી ગયું છે. કોઈનું કાંઈ જ શેષ નથી રહેતું. હવે મને અનુમતિ આપો, તો હું મારું કાર્ય સાધી લઉં. : (હર્ષપુલક્તિ હૈયે) સાહસિકોમાં શ્રેષ્ઠ! સપુરુષ! તમારા માર્ગમાં હજી પણ કોઈ અવરોધક છે એમ તમને લાગે છે? અરે, તમે તો જે ધારેલું તે કરી જ બતાવ્યું છે ! વધુ તો શું કહું? પણ તું પુણ્યવંત, તું ધન્ય, તું ગુણવંત, ઉત્તમ સર્વમાં તું ગ્લાધ્ય, આજ કલંક “ચોર'નું તે નિવાર્યું ક્ષણાર્ધમાં જે ત્રણ ભુવનને પૂજ્ય, જે કલ્યાણ કરતા જગતનું તે વીર જિનના ચરણ-યુગલે તે સમપ્યું અહો ! બધું (૩૬) કહે ભાઈ ! તને જે રુચે તે કહે; તું ઇચ્છીશ તે થઈ જશે. - રાજા . Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૦] [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) રૌહિણેય : દેવ ! આજે જે મેં મેળવ્યું છે તેથી અધિક મનગમતું બીજું શું હોઈ શકે ? જીત્યા શત્રુ બધા, ઉજાળ્યું કુળને સર્વત્ર આ દેશમાં કીધા વિસ્મિત સર્વ શૂર જનને મેં માહરા શૌર્યથી આજે લીન બની ગયું મમ હિયું શ્રીવીર કેરા પદે આનાથી અધિકે શું હોય ગમતું જે યાચું તારી કને ?(૩૭) અભયકુમાર : તો પણ આટલું તો તને હજો જ : પ્રચંડ પુરુષાતને અરિગણો હરાવ્યા બધા ઉપાર્જન કર્યો ઘણો યશ અને પ્રસાર્યો જગે વિરામ પણ કીધલો અશુભ ચૌર્ય-વ્યવસાયથી હવે વ્રત ધરી વરો તુરત મોક્ષ-લક્ષ્મી તમે ! (૩૮) (અને બધા જાય છે) પ્રબુદ્ધ રૌહિણેય પ્રબન્ધ સંપૂર્ણ ષષ્ઠ અક સમાપ્ત (ભાવાનુવાદ સમાપ્ત) અડ Page #128 -------------------------------------------------------------------------- ________________ श्रीरामभद्रमुनिप्रणीतं प्रबुद्ध रौहिणेयम् (मूल वाचना) संपादक : मुनि पुण्यविजयजी (ई. १९१८, सं. १९७४) Page #129 -------------------------------------------------------------------------- ________________ Page #130 -------------------------------------------------------------------------- ________________ ॥ निवेदनम् ॥ अस्य प्रबुद्धरौहिणेयाभिधनाटकस्य कर्तारः श्रीमद्वादिदेवसूरिशिष्य-- श्रीजयप्रभसूरिशिष्याः श्रीमन्तो रामभद्रमुनिवरा इति प्रस्तावनान्तर्गतेन___"वादीन्द्रस्मयसंचयव्ययचणः श्रीदेवसूरिः प्रभु स्तद्गच्छाम्बुधिपार्वणोऽमृतरुचिः सैद्धान्तिकग्रामणीः । श्रीमत्सूरिजयप्रभः शमनिधित्रैविद्यवृन्दारक- । स्तच्छिष्योऽस्ति समस्तनिस्तुषगुणारामः स रामः कविः ॥ सत्यं सन्त्येव शीतांशुसंगीतवनितादयः । धुर्यं किमपि माधुर्यं रामभद्रगिरां पुनः ॥ ततस्तद्विरचितं सकर्णश्रव्यनव्योक्तिसूक्तिमुक्ताञ्चितं विविधस्निग्धरसवैदग्ध्यनिधानं प्रबुद्धरौहिणेयाभिधानं प्रकरणमभिनेष्यामः ।" इत्यनेन पाठेन प्रकटमेव प्रतीयते । सत्तासमयश्चैतेषां विक्रमीयस्त्रयोदशशताब्दीय एव, श्रीमद्वादिदेवसूरिप्रशिष्यत्वात् श्रीमत्पार्श्वचन्द्रपुत्र-श्रीमद्यशोवीरश्रीअजयपालकारितश्रीयुगादिदेवप्रासादान्तरस्य नाटकस्य सामाजिकैरभिनयसमादेशनाच्च । श्रीमतां वादिदेवसूरीणां प्रभावकचरित्रान्तर्गतेन "श्रीभद्रेश्वरसूरीणां गच्छभारं समर्प्य ते । जैनप्रभावनास्थेमनिस्तुषश्रेयसि स्थिताः ॥ रसयुग्मरवौ वर्षे १२२६ श्रावणे मासि संगते । कृष्णपक्षस्य सप्तम्यामपराह्ने गुरोदिने ॥ मर्त्यलोकस्थितं लोकं प्रतिबोध्य पुरन्दरम् । बोधका इव ते जग्मुर्दिवं श्रीदेवसूरयः ॥ - त्रिभिर्विशेषकम् ॥" अनेन पद्यत्रितयेन १२२६ वर्षे दिवंगतत्वं प्रकटमेव । एतेषामेव च सूरिवराणां प्रशिष्यत्वादेतद्ग्रन्थकर्तुस्त्रयोदशताब्दयन्त वित्वं स्पष्टमेव । Page #131 -------------------------------------------------------------------------- ________________ ८४] [प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः श्रीमद्यशोवीरसत्तासमयोऽपि त्रयोदशशताब्दीय एवेति प्राचीनजैनलेखसंग्रहद्वितीयभागान्तर्गतश्रीजालोरदुर्गलेखात्स्पष्टमेवावबुध्यते । स चायम् "ॐ ॥ संवत् १२२१ श्रीजावालिपुरीयकाञ्चनगिरिगढस्योपरि प्रभुश्रीहेमसूरिप्रबोधितश्रीगूर्जरधराधीश्वरपरमार्हतचौलुक्यमहाराजाधिराजश्रीकुमारपालदेवकारिते श्रीपार्श्वनाथसत्कमूलबिम्बसहितश्रीकुवरविहाराभिधाने जैनचैत्ये । सद्विधिप्रवर्तनाय बृहद्गच्छीयवादीन्द्रश्रीदेवाचार्याणां पक्षे आचन्द्रार्कं समर्पिते ॥ सं० १२४२ वर्षे एतद्देशाधिपचाहमानकुलतिलकमहाराजश्रीसमरसिंहदेवादेशेन भां० पासूपुत्र-भां० यशोवीरेण समुद्धृते श्रीमद्राजकुलादेशेन श्रीदेवाचार्यशिष्यैः श्रीपूर्णदेवाचायः । सं० १२५६ वर्षे ज्येष्ठ सु० ११ श्रीपार्श्वनाथदेवे तोरणादीनां प्रतिष्ठाकार्ये कृते । मूलशिखरे च कनकमयध्वजादण्डस्य ध्वजारोपणप्रतिष्ठायां कृतायां । सं. १२६८ वर्षे दीपोत्सवदिने अभिनवनिष्पन्नप्रेक्षामध्यमंडपे श्रीपूर्णदेवसूरिशिष्यैः श्रीरामचन्द्राचार्यैः सुवर्णमयकलशारोपणप्रतिष्ठा कृता । शुभं भवतु ॥ छ ॥" संशोधनसमयेऽस्य नाटकस्यैकमेव पुस्तकं पत्तनस्थवाडीपार्श्वनाथसत्कपुस्तकभाण्डागारात् सुश्रावक - वाडीलाल-हीराचन्ददलालद्वाराऽऽसादितम् । तच्चातीवाशुद्धं पुरातनं क्वचित् क्वचित्पतितपाठम् । तदाधारेणैव संशोधितमिदम् । क्वचित्क्वचिदर्थसंगतावसत्यामप्यादर्शान्तरालाभेन तथैव मुद्रितम् । तच्च धीमद्भिः संशोध्य वाचनीयमित्यभ्यर्थयते - श्रीमच्चतुरविजयचरणोपासकः पुण्यविजयः Page #132 -------------------------------------------------------------------------- ________________ प्रथमोऽङ्कः] [८५ ॥ अर्हम् ॥ ॥ न्यायाम्भोनिधिश्रीमद्विजयानन्दसूरीश्वरेभ्यो नमः ॥ पण्डितप्रकाण्डश्रीमद्रामभद्रमुनिविरचितं प्रबुद्धरौहिणेयम् । यस्योपदेशपदमप्यवगत्य नित्यं मुक्तिश्रियं तनुभृतः सपदि श्रयन्ते । स्वर्भूर्भुव:कमलकोशविकाशनैकप्रद्योतनः स जयताज्जिनवर्धमानः ॥१॥ (नान्द्यन्ते) सूत्रधार : सत्पुंसां चरितानि यानि कविभिावर्णितान्यद्भुतं सौभाग्यस्य पदं भवन्ति भुवने विस्तारमायान्ति च । तव्यावर्णनतस्त्वमी अपि चिरं यान्ति प्रशस्ति क्षिते स्तान्युच्चैश्चरितानि ते च कवयः प्रीणन्तु रङ्गाङ्गणम् ॥२॥ (पुरोऽवलोक्य सप्रमोदं) अहह ! कथं मदर्शनेऽपि हर्षप्रेडोलिनी परिषत् ? यदि वा हर्षप्रकर्षस्य नाट्य एवायमवसरः । यतः - चञ्चच्चन्द्रमरीचयो मधुमदः स्निह्यत्सुहृत्सङ्गमः श्रीखण्डं मलयानिलः पिकवधूसोत्कण्ठकण्ठध्वनिः । उन्मीलनवपाटलीपरिमलः प्रेयस्विनीविभ्रमाः अष्टौ ते खलु हर्षवर्षविधयः, श्लाघ्याः सुराणामपि ॥३॥ भवतु, तावत्सभ्यादेशमनुतिष्ठामि । (इति परिक्रमति ।) Page #133 -------------------------------------------------------------------------- ________________ ए६ ] (प्रविश्य) पारिपार्श्वक : आर्य ! किमद्य प्रमोदमेदुरमना इव लक्ष्यसे ? | सूत्रधारः - श्रीचाहमानासमानलक्ष्मीपतिपृथुलवक्षःस्थलस्थूलकौस्तुभायमान [ प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः निरुपमानगुणगणप्रकर्षौ श्रीजैनशासनसमभ्युन्नतिविहितासपत्नप्रयत्नोत्कर्षौ प्रोद्दामदानवैभवोद्भविष्णुकीर्तिकेतकीप्रबलपरिमलोल्लासवासिताशेषदिगन्तरालौ किं वेत्सि श्रीमद्यशोवीरश्रीअजयपालौ ?, यौ मालतीविचकिलोज्ज्वलपुष्पदन्तौ श्रीपार्श्वचन्द्रकुलपुष्करपुष्पदन्तौ । राजप्रिय सततसर्वजनीनचित्तौ [ पारिपार्श्वकः ]- ततः किम् ? । सूत्रधार: कस्तौ न वेत्ति भुवनाद्भुतवृत्तचित्तौ ? ॥४॥ भक्ति भरनिर्भरप्रणतपुरन्दरपरम्पराशिरः शेखरशिखररत्त्रांशुमञ्जरीजालसंवलितक्रमस्य भावारिविध्वंसनस्फुरत्प्रौढपराक्रमस्य संसारापारपारावारसमुत्तरणतरण्डस्यानणुगुणगणमहामाणिक्यकरण्डस्य भवभ्रान्त्युद्भीतभुवनजननिवहविहितासमानसेवस्य तत्कारित श्रीमद्युगादिदेवस्य चैत्यप्रवृत्तयात्रोत्सवे विविधरसानुविद्धप्रबन्धाभिनयनाय सामाजिकैः समादिष्टोऽस्मि । पारिपार्श्वक : (सप्रमोदम् ) प्रियं नः प्रियं नः । कः पुनरत्र प्रबन्धोऽभिनेय: ? । सूत्रधार : वादीन्द्रस्मयसञ्चयव्ययचणः श्रीदेवसूरिः प्रभुस्तद्गच्छाम्बुधिपार्वणोऽमृतरुचिः सैद्धान्तिकग्रामणीः । श्रीमत्सूरिजयप्रभः शमनिधिस्त्रैविद्यवृन्दारकस्तच्छिष्योऽस्ति समस्तनिस्तुषगुणारामः स रामः कविः ॥५॥ सत्यं सन्त्येव शीतांशुसंगीतवनितादयः । धुर्यं किमपि माधुर्यं रामभद्रगिरां पुनः ॥६॥ ततस्तद्विरचितं सकर्णश्रव्यनव्योक्तिसूक्तिमुक्ताञ्चितं विविध Page #134 -------------------------------------------------------------------------- ________________ प्रथमोऽङ्कः] [८७ स्निग्धरसवैदग्ध्यनिधानं प्रबुद्धरौहिणेयाभिधानं प्रकरणम भिनेष्यामः । पारिपार्श्वकः - (विचिन्त्य) मारिष ! अस्त्येवम्, किन्तु यः किल युष्मत्प्रतिपन्थी शैलूषापसदः सद्यःसमासादितरङ्गरञ्जितसामाजिकसमाजैः समस्तप्रस्तुताभिनेयवस्तुवास्तवाभिनयविद्भिर्भवद्भिर्यः शतशः पुरा पराभूतः स युष्मदारब्धनाट्याभिनयध्वंसाय तत्किमपि कैतवं प्रस्तावयन्नस्ति, यतः प्रातिभवतां भवतां पराभवं राजग्रहं च संभावयामि । आयःशूलिका हि राजानः । [सूत्रधार:-] भाव ! मैवं कातरनरोचितं वचः प्रपञ्चय । न मे एवंविधाः शैलूषकुलकलङ्काः शङ्कामङ्कुरयन्ति । न चाहमुग्रराजग्रहस्य गम्यः । प्रत्युत्पन्नमतेः पुंसः साहसैकसहायिनः । तृणप्रायः क्षितीन्द्रोऽपि किं पुनः प्राकृतः पुमान् ? ॥७॥ (नेपथ्ये) हृदयङ्गममभिहितवानसि । को नाम निरवग्रहसाहसैकव्यवसायस्य पुंसः पराभवसंभावनेऽप्यलंभूष्णुः ? । सूत्रधारः- कथमुपक्रान्तमेव नर्तकैः ?, तदेहि करणीयान्तरमनुतिष्ठावः । (इति निष्क्रान्तौ ।) ॥ प्रस्तावना ॥ (ततः प्रविशति सिंहलो रविञ्जलश्च) सिंहलः - रविञ्जल ! न कदाचिदपि सहसाढ्यंभविष्णुना पुरुषेण विना तानि तानि मनःसमीहितानि सिद्धिमध्यारोहन्ति । तच्चास्माकीनं स्वामिनमामुष्यायणं रौहिणेयमन्तरेण कस्यान्यस्य ? येनात्यद्भुतसाहसैकनिधिना वीरावलेपच्छिदाऽलङ्कर्मीणपराक्रमेण जगतीमुल्लङ्घयमानां मुहुः । Page #135 -------------------------------------------------------------------------- ________________ ८८] [प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः दर्श दर्शमहर्निशं भगवती दुग्धाम्बुधेरात्मजा मन्ये तद्भयभरेयमुररीचक्रे चिराच्चापलम् ॥८॥ रविञ्जल:- कथय तावत्कि किमादिदेशैनं मुर्मूर्षुर्लोहखुरोऽस्य जनकः ? । सिंहल :- इदमादिदेश । वत्स ! निष्णातोऽसि शस्त्रपरिश्रमे, अलङ्कर्मीणोऽसि पश्यतोहरकर्मणि, अनाहतप्रतिभोऽसि प्रत्युत्पन्नमतौ, जितश्रमोऽसि जङ्घालतायां, तत्र [न]काचिन्मे मनसि वैधुर्यावस्था संस्था. पथप्रस्थितस्य । किन्तु निजपितरि प्ररूढप्रौढवात्सल्यातुच्छस्य वत्सस्य विशेषेणादिश्यते । यदि मदीयस्तनयोऽसि तदा यः किल सकलसुरासुरमनुष्यसंकुलायां परिषदि श्रीमहावीराभिधानः सद्धर्ममाचष्टे तदीयमस्मत्कुलाचारपाटच्चरं वचः कर्णाभ्यर्ण संचरिष्णुतां गच्छद्रक्षणीयमिति । रविञ्जल:- अहो ! स्वसंतानतानवापनोददक्षा पितुः शिक्षा । (पुनर्विलोक्य) . सिंहल ! दृष्टास्त्वया सर्वेऽप्यमी वसन्तोत्सवोन्मदिष्णुमनसः प्रभास्वरकार्तस्वराभरणभूषिता विचित्रवासोविशेषोन्मिषल्लक्ष्मीका लोकाः ? । तदेहि त्वरिततरं गत्वा रौहिणेयाय संपादयामः । (इति निष्क्रान्तौ ।) ॥ विष्कम्भकः ॥ (ततः प्रविशति यथानुरूपोचितरचितनेपथ्यो रौहिणेयः कपिल लघुकेशः केकराक्षः चिपटनाशापुटः शबस्श्च ।) रौहिणेयः- (सर्वतोऽवलोक्य सकौतुकं) अहह ! वसन्तावतारव्यतिषङ्गरङ्गत्पर भागस्य सुभगम्भविष्णुमकरन्दोद्यानस्य सौन्दर्यलक्ष्मीः । तथाहि क्वचिन्मल्लीवल्लीतरलमुकुलोद्भासितवना वचित्पुष्पामोदभ्रमदलिकुलाबद्धवलया । क्वचिन्मत्तक्रीडत्परभृतवधूध्वानसुभगा क्वचित्कूजत्पारापतविततलीलासुललिता ॥९॥ : Page #136 -------------------------------------------------------------------------- ________________ प्रथमोऽङ्कः] किं चात्र अन्यच्च क केचिद्वेल्लितवल्लभाभुजलताश्लेषोल्लसन्मन्मथाः केचित्प्रीतिरसप्ररूढपुलकाः कुर्वन्ति गीतध्वनिम् । केचित्कामितनायिकाधरदलं प्रेम्णा पिबन्त्यादरात् किञ्चित्कूणितलोललोचनपुटाः पद्मं द्विरेफा इव ॥१०॥ उत्कृत्तदन्तिदशनद्युतिमत्प्ररोहगन्धाश्रितभ्रमरराजिविराजिमध्यम् । आभाति केतकदलं त्रिजगद्विचिन्त्य ( जित्य ) प्रोत्तम्भितं विजयपत्रमिव स्मरेण ॥ ११ ॥ ( सर्वतोऽवलोक्य शबरं प्रति ) अहो ! महत्कौतुकम्, मया निरन्तरमपहृतधना अपि ध्वस्तसमस्तशोकाः सततविहितबिब्बोका: सफलीकृतजीवलोकाः क्रीडन्त्यमी लोकाः । यदि वा नहि नह्येतत्, यदेते पूर्लोकाः प्रकटविभवापास्तधनदा गतव्रीडाः क्रीडारसमनुसरन्ति प्रियसखाः । [ee मदोन्मादज्ञातस्वपरजनभावव्यतिकरा स्तदेतन्मन्येऽहं मम सुकृतराशेर्विलसितम् ॥१२॥ तदेतन्मध्याद्यदि किमप्यपह्रियते मनस्तोषणं भूषणं रौद्रं दारिद्रास्त्रं वस्त्रं भुवनजनमनःकेकिकादम्बिनी काचिन्नितम्बिनी तदद्यतनं दिनमवन्ध्यं भवति । यतः - वणिग् वेश्या कविर्भट्टस्तस्करः कितवो द्विजः । यत्रापूर्वोऽर्थलाभो न मन्यते तदहर्वृथा ॥१३॥ (नेपथ्ये) (क) वल्लहसंगसुहियाण सुहय ! सुहओ स एस महुमासो । पुण तव्विओअविहुराण नूणं मरणं विसेसेइ ॥ १४ ॥ वल्लभासङ्गसुखितानां सुभग ! सुखदः स एष मधुमासः । पुनस्तद्वियोगविधुराणां नूनं मरणं विशेषयति ॥ Page #137 -------------------------------------------------------------------------- ________________ १००] [प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः रौहिणेयः - (विलोक्य ससंभ्रमं) कथमेतन्मनुजमिथुनमापतति ? । तत्कथं मच्चिन्तितमापत्स्यते? । किमेतौ कुरुतः ? । अतस्तावत्क्षणमेकं सहकारतरुणा तिरोधाय निरूपयामि । (इति सशबरस्तथा करोति ।) (ततः प्रविशति प्रियापितभुजपल्लवः सलीलं नवयौवनः पुरुषः सर्वाङ्गीणाभरणभूषिता यौवनारम्भविशेषोन्मिषितलावण्या च वनिता।) पुरुषः- (वनितां प्रति) प्रिये मदनवति !, वैदग्ध्यद्रुममञ्जरीमिव लसल्लावण्यवीचीमिव स्वःसौख्यैकखनीमिव स्मरनृपक्रीडाखलूरीमिव । शृङ्गाराद्भुतदीर्घिकामिव सुधासारप्रणालीमिव प्रेमोत्पत्तिमहीमिव प्रतिकलं त्वां संस्मरामि प्रिये ! ॥१५॥ वनिता- (क)सव्वुनयाई वनुज्जलाइँ संविहियसुमुहरायाइं । नाह ! तुह च्चिय वयणे सुहंति पत्ताइँ वयणाइं ॥१६॥ पुरुषः- अहो ! वक्तृत्वपरिपक्त्रिमत्वमस्मन्मनश्चकोरचन्द्रिकायाः । यदि वा यः सद्गुणो गुणज्ञः परमप्यगुणं गुणोत्तरं वदति । अतिदन्तुरमपि वदनं ताम्बूलं सुभगयत्येव ॥१७॥ अन्यथाऽन्योऽपि किं कश्चित्स्वगुणैरतिशयमासादयति ? । निष्कृत्रिमप्रेमविसंस्थुलायाः सर्वाङ्गसौभाग्यतरङ्गितायाः । वक्रप्रभामुद्रितचन्द्रिकायाः प्रिये ! किमेकं तव वर्णयामि ? ॥१८॥ दृष्टः पीयूषरश्मिः श्रुतममृतमथ स्वादितं स्वादु सीधु घ्रातः प्रत्यग्रपुष्पप्रकरपरिलसन्मांसलः स्निग्धगन्धः । (क) सर्वोन्नतानि वर्णज्ज्वलानि संविहितसुमुखरागाणि । नाथ ! तव खलु वदने शोभन्ते पत्राणि वचनानि ॥ Page #138 -------------------------------------------------------------------------- ________________ प्रथमोऽङ्कः] [१०१ किन्तूच्चैः काम्यमस्मात्कमलदलचलल्लोचने ! तावकीनो न्मीलद्वन्धूकमुग्धाधरमधुररसानास्ति वस्त्वन्यदत्र ॥१९॥ रौहिणेयः- (वनितामवलोक्य सस्पृह) किं शृङ्गारमयी ? किमु स्मरमयी ? किं हर्षलक्ष्मीमयी ? किं पीयूषमयूखदीधितिमयी ? किं पुण्यवीथीमयी ? । किं वा विष्टपसृष्टिसौष्ठवमयी ? किं रूपसंपन्मयी ? नो जाने विधिनेयमम्बुजमुखी कैश्चिद्दलैर्निर्मिता ॥२०॥ किञ्च मुक्ता सीमन्तिकास्याः शिरसि वितनुते विभ्रमं कृत्तिकाणां हारः श्रृङ्गारयोनेनिधिकलशलसच्छृङ्खलाभः स्तनान्तः । चञ्चच्चन्द्रार्कबिम्बश्रियमनुसरतः कर्णयोः कुण्डले द्वे कूजत्काञ्चीकलापः कलयति जघने शक्रकोदण्डकान्तिम् ॥ वनिता - (क) पिययम ! निसग्गदोहग्गसंसग्गसहाए अलं मे वत्तणकहाए। लावण्णनिहीणं विहियनिरवग्ग[ह?]सोहग्गेणं कहं न वण्णणिज्जगुणभायणं भवामि । तं किं पि घडइ भुवणंमि माणसं पिम्मचंगिमागारं । जस्संसग्गेण इयरं पि नूणं पावेइ परभायं ॥२२॥ पुरुष :- (सस्नेहं सर्वाङ्गमालिङ्गितुमिच्छति ।) रौहिणेयः- (सविस्मयं शबरं प्रति) अहो ! राकाशशाङ्कयोरिव सौदामिनी जलदयोरिव प्रीतिप्रद्युम्नयोरिवानयोरेव संयोगः श्लाघ्यते । भुवनमप्येताभ्यां विभूषितम् । (क) प्रियतम ! निसर्गदौर्भाग्यसंसर्गसहया अलं मे वर्तनकथया । अथवा युष्मादृशानां निरन्तरशरणानां गुणमणिमहोदधीनां लावण्यनिधीनां विहितनिरवग्रहसौभाग्येन कथं न वर्णनीयगुणभाजनं भवामि । तत्किमपि घटयति भुवने मानसं प्रेमचङ्गिमागारम् । यत्संसर्गेण इतरदपि नूनं प्राप्नोति परभागम् ॥ Page #139 -------------------------------------------------------------------------- ________________ १०२] [प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः नित्यं शिल्पिकलाकलापवसतेर्वस्तूनि संतन्वतस्तत्किञ्चिद्भवनाद्भुतैकगुणभृतस्त्वत्र निष्पद्यते । आत्मानं स्वगुणैः प्रकाशयति यद्यस्माच्च विश्वत्रयी सृष्टिः पङ्कजविष्टरस्य नितरां धत्ते ध्रुवं सौष्ठवम् ॥२३॥ वनिता - (सर्वतोऽवलोक्य) (क) पाणनाह !, चित्तानिलेण कामस्स विजयजत्तुम्मुहस्स भुयणम्मि । आउहसालाउ व पयडियाउ पुफियवणालीओ ॥२४॥ तदेहि पुष्पाणि अवच(चि)णिय एदंमि सीदलकदलीहरे चिरयाल फलिदमणोरथमहीरुहफलं कीडारससुहमणुहवाव । पुरुष :- (स्वगतं) ऋतुर्वसन्तः स्वस्तुल्यं घनं निर्विजनं वनम् । पक्ष्मलाक्षी स्मरक्षीबा दृष्टः पुण्यैश्चिरादहम् ॥२५॥ (प्रकाशं) प्रिये मदनवति ! अद्य चिराच्चिन्तितमनोरथोऽनुभवतीरमवततार । ततो यत्किमपि प्राणेश्वरी ममादिशति तदस्तु । किन्तु कः किल प्रथमं प्रचुरप्रसूनान्यादायैतत्कदली-गृहमनुसरति ?। (इति प्रतिज्ञाय पृथक्पृथग्दिशो गमनं नाटयतः ।) वनिता - (पुष्पावचयं नाटयति ।) रौहिणेयः- पुष्पार्थं प्रहिते भुजेऽनिलचलनीलागिकाविस्तृतः सल्लावण्यलसत्प्रभापरिधिभिर्दोर्मूलकूलङ्कषः । ईषन्मेघविमुक्तविस्फुरदुरुज्योत्स्नाभरभ्राजितव्योमाभोगमृगाङ्कमण्डलकलां रोहत्यमुष्याः स्तनः ॥२६॥ (क) प्राणनाथ ! चैत्रानिलेन कामस्य विजययात्रोन्मुखस्य भुवने । आयुधशाला इव प्रकटिताः पुष्पितवनाल्यः ॥ तदेहि पुष्पाणि अवचीय एतस्मिन् शीतलकदलीगृहे चिरकालफलितमनोरथमहीरुहफलं क्रीडारसमनुभवावः । Page #140 -------------------------------------------------------------------------- ________________ प्रथमोऽङ्कः] [१०७ अन्यच्च, अरे शबर ! नेयमस्य करगृहीती, किन्तु महेभ्यकुलोत्पन्ना स्वैरिणी काचिदित्यनुमानतो निश्चीयते । यदि वा किमनया प्रस्तुतप्रयोजनविघ्नकारिण्या मीमांसया ? । भवतु, या काचिद्भवति गत्वैनामपहरामि । (इति तदभिमुखं परिक्रम्य पुनः पश्चादभिमुखं कतिचित्पदानि दत्त्वा शबरं प्रति) यदीमां नेदीयःप्रदेशस्थिते भतर्यपहरिष्ये तन्नूनमियं पूत्करिष्यते । मत्प्राणितस्यापि संदेहः । तदत्रस्थ एव क्षणं मर्षयामि यावदसौ दूरान्तरं व्रजति । (इति ऊर्ध्वस्थ एव तद्गमनमवलोकयति ।) कथं तिरोभूत एवासौ तरुभिस्तदहमेनामपहरामि । त्वं पुनरेनमुपपति केनापि कैतवेन निवार्यागच्छेः । शबरः - (क) एवं किलिस्सं । रौहिणेयः - (तामुपसर्प्य सानुनयमिव) सुतनु ! किमर्थमस्मादृशेऽप्याज्ञाकारिणि जने सति आत्मनैवंविधमनुचितमनुष्ठीयते ? । . (सहसा तमवलोक्य साशङ्कं स्वगतं) (का) को एस दुरायारो ? । जो किल, अदिनिद्दयदुटुरउद्दखुद्दरत्तच्छिछोहदुप्पिच्छो । आबद्धपिडियजुगो अइपिंगलकुडिलघणकेसो ॥२७॥ ता किं मण्णे एस तक्करो ?, अहवा कह नामेह तक्करसंभवो?, जदो अणेगलोगसंकुलमज्झमुज्जाणं । जइ वा ससुरकुलपरिकओ कोऽवि, तप्परिचएण मममेयं पयंपियं । यदि ताउं ममं मा (क) एवं करिष्ये । (का) क एष दुराचारः ? । यः किल, अतिनिर्दयदुष्टरौद्रक्षुद्ररक्ताक्षिक्षोभदुष्प्रेक्षः । आबद्धपिण्डिकायुगोऽतिपिङ्गलकुटिलघनकेशः ।। तत्कि मन्ये एष तस्करः ? । अथवा कथं नामेह तस्करसंभवः ? । यतोऽनेकलोकसंकुलमध्यमुद्यानम् । यदि वा श्वशुरकुलपरिकृतः कोऽपि, तत्परिचयेन मामेतत्प्रजल्पितम् । यदि तावन्मां मा उपलक्षयतु । (ख) कोऽपि(ऽसि) त्वम् ? । Page #141 -------------------------------------------------------------------------- ________________ [ प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः उवलक्खेदु । (इत्यनाकणितकेन पुनः पुष्पाण्युपचिनोति ।) रौहिणेयः- किमिति मामवगणयसि ?, यद्वाक्यं नाकर्णयसि । वनिता (अन्यतो विलोकयन्ती) (ख) कोऽवि ( ऽसि ) तुमं ? | रौहिणेय :- ( सगर्व) आः ! कथं मामपि न जानासि ?, येनाखिलं पुरमिदं स्वपराक्रमेण हृत्वा धनं जनमनीयत निर्धनत्वम् । नीतं समुन्नतिमिह स्वकुलं च येन सोऽहं मलिम्लुचपतिर्ननु रौहिणेयः ॥२८॥ वनिता- (सभयं) (क) कथं सच्चकं य्येव तुमं तक्करो ? 1 रौहिणेयः अद्यापि किं कश्चित्संदेह : ?, तस्करोऽस्मि । वनिता (वेपमाना तरुमूले निलीयते ।) १०४] रौहिणेयः- वनिते ! अग्रतो भव । वनिता ( पूत्कर्तुमिच्छति ।) रौहिणेयः- (सक्रोधं) यदि पापे ! पूत्करिष्यसि ततस्ते शिरः कर्तयिष्ये । वनिता (कथं कथमपि साहसमवष्टभ्य ) (ख) अरे दुरायार ! यदि मम पिययमो एदमि अंतरे आगमिस्सदिता नूणं न सुंदरं संपज्जिस्सदि । रौहिणेयः- कस्ते प्रियः ? | वनिता - (ग) जो इत्थ (इत्यर्धोक्ते तूष्णीमास्ते ।) रौहिणेयः - - - संप्रत्यहमेव भवत्याः स्वामी, किमन्येन ? । तद्यदि प्राणितं प्रीणासि तत्त्वरितमग्रतो भव । नो चेदनयाऽसिधेनुकया शिरः कूष्माण्डपातं पातयिष्यामि । ( इति क्षुरिकामुत्क्षिपति ।) (क) कथं सत्यकमेव त्वं तस्कर: ? । (ख) अरे दुराचार ! यदि मम प्रियतमो एतस्मिन्नन्तरे आगमिष्यति तन्नूनं न सुन्दरं संपत्स्यते । (ग) योऽत्र । Page #142 -------------------------------------------------------------------------- ________________ प्रथमोऽङ्कः] [१०५ वनिता- (मन्दं मन्दं रुदन्ती परिक्रामति ।) रौहिणेयः (सौत्सुक्यं) वनिते ! त्वरिततरं प्रचल । (वनिता सम्यग् गन्तुं नोत्सहते ।) रौहिणेयः (स्वगतं) यावत्कोऽपि क्वापि कस्मादपि स्थानादभ्येति तावदेनामुत्पाट्य तद्गिरिगह्वरं प्रविशामि । (इति तां स्कन्धे निधाय दिशोऽवलोकयस्त्वरिततरं निष्क्रान्तः ।) पुरुषः- (पुष्पाण्यादाय सरभसं कदलीगृहमनुसरति । मध्यमवलोक्य) अहो ! जिग्ये मया, यतः प्रियायाः प्रागेवाहमागतः । तद्यावदसावभ्येति तावज्झटिति शय्यामारचयामि । (इति तथा कृत्वा कौतुकचिकीर्षया प्रत्यासन्नतरुणा तिरो भूत्वा क्षणं प्रच्छन्न एवास्ते । वामाक्षिस्पन्दनमभिनीय साशङ्क) कथमिष्टसंप्रयोगकर्मणि अनिमित्तोपस्थानम् ?, अतिचिरायितं च तया, तत्किमेतत् ? । (इति ससंभ्रममुत्थाय सर्वतोऽवलोकयति ।) कथं न क्वपि दृश्यते ? । यदि वा मम विप्रलम्भनार्थं क्वपि तिरो भूत्वा भविष्यति । (इति तदवलोकनाय सर्वतः परिभ्राम्यति ।) शबर:- (तमवलोक्य सहर्ष स्वगतं) (क) अहो ! सच्चकं यातं पहियअहाणयं । मरुमंडलीतण्हालुपहियस्स वक्कवित्थालिय च्चिय अंजलीपिच्चं पुन अंतला पिसल्लेन पीनं । पुरुषः- (सवैलक्षं) न क्वचिदपीक्ष्यते, तत्कि मां परित्यज्य स्वगृहं गता?, यदि वा भ; नीता ?, अहो ! अस्ति केनापि बन्दीकृता ?, तत्कमप्यभ्यर्णवर्तिनं जनं पृच्छामि तद्गमनशुद्धिम् । (इति दिशोऽवलोकयति ।) (शबरः प्रकटीभवति ।) पुरुषः- (तमवलोक्य) यदि पुनरसौ किमपि कथयति । (इति तमुपसर्ग्य नीचैःस्वर) भद्र ! कपि दृष्टा अभिनवाभरणभूषिता वनं परिभ्रमता (क) अहो ! सत्यकं जातं पथिककथानकम् । मरुमण्डलीतृष्णावत्पथिकस्य वक्त्रविस्तारितमेवाञ्जलिपेयं पुनरन्तरा पिशाचेन पीतम् । Page #143 -------------------------------------------------------------------------- ________________ १०६] शबर: पुरुषः शबर: पुरुषः [प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः भवता वनिता ? । (क) इत्थ न कापि दाव दिष्टा, पलं कलयलसंगधिदशच्छे लोसवशकलालनयने पलिवालपुलिसपलिखित्ते उज्जाणं भमंते दिढे केऽवि एगे पुलिशे । (स्वगतं) नूनं तेन तद्भ; भाव्यम् । (प्रकाशं) भद्र ! कियद्वेला दृष्टस्य ? । (ख) एस य्येव लुक्खंतलिदे संपदं किंपि मंत्रयंते चिट्ठदि । (स्वगतं) निश्चितं मम मारणेच्छया किमपि मन्त्रयते । (प्रकाशं) भद्र ! ज्ञातं त्वया किमप्यालोचयति ? । (स्वगतं) निश्चितं मम मारणेच्छया किमपि मन्त्रयते । (प्रकाशं) भद्र ! ज्ञातं त्वया किमप्यालोचयति ? । (सकपटं कौँ पिधाय) (ग) हगे न कि पि जानाम । (इत्यभिधाय निष्क्रान्तः ।) नूनमनेनैव सा स्वप्रिया गृहीता भविष्यति । प्राणतः पुनर्मम तया संगमो [न] भविष्यति । तदहमप्यस्मादपायस्थानाद् व्रजामि । (इति निष्क्रान्ताः सर्वे ।) ॥ प्रथमोऽङ्कः समाप्तः ॥ पुरुषः शबर: पुरुष:-. (क) अत्र न कापि तावद् दृष्टा । परं करतलसंगृहीतशस्त्रो रोषवशकरालनयनः परिवारपुरुषपरिक्षिप्तः उद्यानं भ्राम्यन् दृष्टः कोऽप्येकः पुरुषः । (ख) एतस्मिन्नेव वृक्षान्तरिते सांप्रतं किमपि मन्त्रयन् तिष्ठति । (ग) वयं ("अहंवयमोर्हगे" सि० ८-४-३०१) न जानीमः । Page #144 -------------------------------------------------------------------------- ________________ द्वितीयोऽङ्कः ] ॥ अथ द्वितीयोऽङ्कः ॥ (ततः प्रविशति पर्वतकः शबरच । ) पर्वतकः- ततस्तत: ? । शबर: (क) ततो लोहिनेयेन सुलसुंदली णं पि लूवलावण्णसंपत्ति किदा नियकलत्तभावं सा । पर्वतक:- क्व प्राप्ता ? | (ख) वणम्मि पुप्फावचयं कुणन्ती गिधीदा । शबर: पर्वतक:- कथमेकाकिन्यासीत् ? । [ १०७ शबर:- (ग) नहि एगागिनी आसि । एगे उवव्वइ । स मए बुद्धिपओगेण पडदे । पर्वतकः- (सचमत्कारं ) अहो ! कुलक्रमायातनिःसीमसाहसनिवासो रौहिणेयः । भवतु, सांप्रतं भवान् क्व प्रस्थितः ? । शबर:- (क) लायगिहमज्झे किं पि हेरिदं (हरिदु) लोहिनेयेन मुक्कलिते हगे । पर्वतक:- व्रज तर्हि त्वं निवेदय रौहिणेयाय । अहमपि प्रयोजनाय (नं) साधयामि । (इति उभावपि निष्क्रान्तौ 1) ॥ विष्कम्भकः ॥ (क) ततो रौहिणेयेन सुरसुन्दरी खल्वपि रूपलावण्यसंपत्तिः कृता निजकलत्रभाव सा । (ख) वने पुष्पावचयं कुर्वती गृहीता । (ग) नह्येकाकिन्यासीत् । एक उपपतिः स मया बुद्धिप्रयोगेण प्रतिहतः । (क) राजगृहमध्ये किमपि हर्तुं रौहिणेयेन प्रेषितोऽहम् । Page #145 -------------------------------------------------------------------------- ________________ १०८] [ रौहिणेयः - ] किं किमीक्षितं भवता ? शबर:- (क) अज्ज एगे महद्धियशेट्ठपुत्ते एगंमि धणड्डूगेहंमि वीवाहिदे लत्तीए सगिहं गमिस्सति, तदो तत्थ गन्तव्वं । रौहिणेयः- ( विलोक्य सस्मितं ) अहो ! निजरूपानुरूपं विदूषकरूपं प्रतिपन्नवानसि । अहं तु तत्रैव गतः सचीरिकासर्पं यथासमयोचितं नेपथ्यमाधास्ये । (ऊर्ध्वमवलोक्य) [ प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः शबर: (क) (ततः प्रविशति रौहिणेयः शबरच ।) (ख) (ग) शूचीभेद्यतमिश्रकुण्डलिकुलं विश्वाशनव्याकुलं नीत्वा भासमशेषविश्वविजयी भ्रान्त्वा च विश्वं वियत् । नूनं श्रीप इवाधुना विधुरयन्नम्भोजिनीं सर्वतः कर्तुं स्नानमितो जगाम चरमाम्भोधिं ग्रहग्रामणीः ॥ १ ॥ विस्तृतं च सर्वतस्तमस्तोमवीचीभिः । तथाहि रौहिणेयः - अरे ! कियद्दूरेऽद्यापि तद्गृहम् ? | शबर: आरामैः कमठायितं गुरुगृहैः पोतायितं मेदुरक्ष्माभृद्धिर्जलकुञ्जरायितमुडुव्यूहेन मत्स्यायितम् । वातोद्धूतसमुद्धरध्वजपटैः सर्पायितं स्वैरिणीश्रेणीभिर्जलमानुषीयितमहो ! नैशान्धकाराम्बुधौ ॥२॥ सांप्रतं समयः परपुरप्रवेशस्य, तदेहि पुरं प्रविशावः । ( इत्युभौ पुरप्रवेशं नाटयतः 1) ( विलोक्य) (ख) समागदा [संप] दं, पवेसं पिच्छ । (एवं दृष्टिसंज्ञया दर्शयति 1 ) रौहिणेयः- यदि तदेतन्महर्द्धिकगृहं तत्कथं न कोऽपि क्वापि दृश्यते ? | (ग) सयलेऽवि लोए वीवाहंमि गदे संपदं समागमिस्सदि । अद्यैको महद्धिक श्रेष्ठपुत्रः एकस्मिन् धनाढ्यगेहे विवाहितो रात्रौ स्वगृहं गमिष्यति, ततस्तत्र गन्तव्यम् । समागतौ सांप्रतं, प्रवेशं पश्य । सकलोऽपि लोको विवाहे गतः सांप्रतं समागमिष्यति । Page #146 -------------------------------------------------------------------------- ________________ द्वितीयोऽङ्कः ] रौहिणेयः - कथं समागत एव श्रेष्ठिसुत: ? । (ततः प्रविशति तूर्यरवापूरितदिगन्तरालः पतिपत्नीजनसन्मङ्गलोपगीयमानः सर्वाङ्गीणाभरणभूषितः सदशाव्यङ्गवस्त्रावृतः शिरःशिखरोपशोभितोऽश्वाधिरूढो ध्रियमाणमयूरातपत्रः सवधूको वर उभयस्वजनवर्गश्च ।) रौहिणेयः- अयं तावद्वरः, इयं चास्य वधूः । कौ पुनरस्य पितरौ ? | शबर:- (क) अयं थूलपलंबशलीले सुभद्दाभिहाणे जनगे । इयं च सव्वंगीनप्पसाहनप्पसाधिदा कुंकुमच्छविदभालष्टा मनोलमा मादा । (इति दृष्टिसंज्ञया दर्शयति ।) रौहिणेयः- किमभिधानः सुतः ? । (ख) मनोलथो नाम । शबर: रौहिणेयः - ( वरं विलोक्य) किञ्च (नेपथ्ये कलकलस्तूर्यमङ्गलध्वनिश्च) (क) (ख) [ १०८ आकारः स्मरसोदरः शशभृता वक्त्रप्रभा स्पर्धते नीलाम्भोजविजिष्णुनी च नयने कण्ठोऽस्य कम्बुच्छविः । वाच: स्निग्ध[सुधा ] स्मयव्ययकृतः पादौ प्रवालप्रभौ वर्णः स्वर्णसवर्णविभ्रमकरः किं वर्ण्यतेऽयं वरः ? ॥३॥ मौलौ यस्य प्रशस्यस्तिरयति तिमिरं शेखरः स्वर्णभाभिः कण्ठे मुक्ताकलापः किरति दितिगुरोर्मण्डलज्योतिरुच्चैः । प्रातस्त्यादित्यलक्ष्मी क्षिपति मणिरुचा हस्तसूत्रं च हस्ते देहे वस्त्रं क्षिणोति प्रसृमरमहसा कौमुदीं कान्तकान्तिम् ॥४॥ अयं स्थूलप्रलम्बशरीरः सुभद्राभिधानो जनकः । इयं च सर्वाङ्गीणप्रसाधनप्रसाधिता कुङ्कुमाक्षविदर्भालष्टा (कुङ्कुमलिप्त भालस्थला) मनोरमा माता। मनोरथो नाम । Page #147 -------------------------------------------------------------------------- ________________ ११०] [प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः नूनं तदेनं प्राणात्ययेऽप्यपहरिष्ये । यतः प्रभूतप्रसाधनाढ्यम्भविष्णुः । न शक्यन्ते चास्यापहारं विना अलङ्कारा आकलयितुम् । श्रेष्ठी- (सर्वतोऽवलोक्य सरोमाञ्चं) अहो ! मदङ्गजस्य भाग्यसौभाग्या भ्युदयः । यदि वापश्यन्त्येते यदखिलजना मत्सुतं सद्वधूकं बद्धस्पर्धं प्रकटकुतुकस्फारचक्षुर्विलासाः । तत्कि भाग्याभ्युदयपदवीं सोऽहमद्याधिरूढः ? किं वा पुत्रः प्रसभसुभगम्भावुकाभङ्गभाग्यः ? ॥५॥ (रत्नाङ्गदं प्रति) अरे रत्नाङ्गद ! समागताः कि वयं द्वारि ? । रत्नाङ्गदः- देव ! पृष्ठब्राह्मणपुण्यवाक्यमिव यद्दत्ताद्भुतस्वस्तिकं चञ्चल्लक्षणशास्त्रनिर्मितमिव स्फूर्जच्चतुष्काञ्चितम् । लीलोद्यानमिव प्रभूतसुमनोमालाविलासोज्ज्वलं पश्य स्वस्य निशान्तमेतदसमश्रीविभ्रमभ्राजितम् ॥६॥ रत्नाङ्गद ! समादिशास्मदाज्ञयैतान् गन्धर्वकान्, यावत्प्रवेशमुहूर्तमभ्येति तावत्कुरुतास्मदृहद्वारि वर्धापनकोत्सवम् । (नेपथ्ये गीतध्वनिः ।) रत्नाङ्गदः - स्वामिन् ! न युज्यते विलम्बः कर्तुम्, यतो बह्वपायानि श्रेयांसि । ततो गृहमध्य एव कारयिष्यामो वर्धापनकोत्सवम् । श्रेष्ठी- (साक्षेप) किमर्थम् ? । रत्नाङ्गदः- किं न श्रुतं भवद्भिर्दक्षिणस्यां दिशि क्षुतम् ? । श्रेष्ठी- श्लेष्मविकारा अपि यद्यस्मदारम्भाणां भङ्गमाधास्यन्ति तत्कथं दुर्जनानपाकरिष्यामः ? तत्कारय यथादिष्टम् । (रत्नाङ्गदस्तथा कारयति ।) रौहिणेयः- (शबरं प्रति साश्चर्य) पश्याहो ! पश्य । Page #148 -------------------------------------------------------------------------- ________________ द्वितीयोऽङ्कः ] अन्यच्च शबर: स्फूर्जत्तूर्यनिनादनृत्यदखिलस्फाराङ्गवाराङ्गनावर्गस्वर्गमहेभकुम्भयुगलापीनस्तनास्फालनैः । त्रुट्यन्मौक्तिकमालिकामलगलन्मुक्ताकदम्बोज्ज्वलां धत्तेऽम्भोधितटोपमानघटनामेतद्गृहप्राङ्गणम् ॥७॥ ताम्बूलरागरुचिरस्फुरदोष्ठबिम्बां (घ) कालेयकस्तबकपूर्णललाटपट्टाः । कौसुम्भवस्त्ररुचिरं जितदिग्विभागा वनिता: - (क) किं ति ? | गायन्ति जात्यवनिताः कलमङ्गलानि ॥८॥ (क) एसे समये, तदो एदाणं मज्झे गच्छिय अहं नच्चेमि । तए उण सचिंतिदमणुट्ठिदव्वं । ( इति तन्मध्ये प्रविश्य साक्षेपं नृत्यद्वनिताः प्रति) भोदीओ अवक्कमध | शबर: (ख) हगे नच्चिस्सामो । रत्नाङ्गदः- (विलोक्य) अरे ! कस्त्वम् ? | शबर:- (ग) अन्नदेसुप्पन्नबंभनकपुत्ते हगे देवउललायसहावीवाहाइसु नच्चेमो | तदो एदं तुम्ह मोहलयं ( ? ) सुणिय समागदे नच्चितुं । रत्नाङ्गदः- नाद्याप्यवसरस्तावकीननृत्यस्य । ज्ञातमेव सर्वं त्वद्रूपदर्शनेन । (घ) एदाओ इत्थिकाओ नच्चन्ति । किं हगे न नच्चिस्सामो (क) एष समय:, तत एतासां मध्ये गत्वाऽहं नृत्यामि । त्वया पुनः स्वचिन्तितमनुष्ठातव्यम् । भवत्योऽपक्रामत | शबर: (क) किमिति ? (ख) वयं नर्तिष्यामः । (ग) [ 777 अन्यदेशोत्पन्नब्राह्मणकपुत्रा वयं देवकुलराजसभाविवाहादिषु नृत्यामः । तत एतद्युष्माकं मोहनकं (?) (मौखर्य ? ) श्रुत्वा समागता नर्तितुम् । एताः स्त्रियो नृत्यन्ति । किं वयं न नर्तिष्याम एतासां मध्ये रूपलावण्यसंपन्ना: ? 1 अथवा ज्ञातम्, त्वमेतासां स्त्रीणां चक्रकविपुलस्तनतलैः प्रतिबद्धो न गुणेषु पक्षपातं वहसि । Page #149 -------------------------------------------------------------------------- ________________ ११२] श्रेष्ठी शबर: [ प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः दाणं मज्झे रूवलावण्णसंपन्ने ? | अहवा नायं, तुमं एदाणं इत्थिगाणं चक्कलविउलथणयलेहि पलिबद्धे न गुणेसु पक्खवायं वहसि । मनोरमा (रत्नाङ्गदः सवैलक्षं तूष्णीमास्ते ।) रत्नाङ्गद ! नृत्यत्वसावपि वराकोऽस्मिन्नुत्सवे । यतःगाथकनर्तकनटविटभण्डकलावेदवाद्यचतुराणाम् । अर्थः कथमभविष्यल्लोके यद्युत्सवा न स्युः ॥९॥ 1 (सहर्षमिव) (क) जयदु जयदु समग्गनेगमवग्गचूलामणी सुभद्दसेट्ठी । अहो ! सामिणो सयलकलाकलावकोसल्लं । सामि ! दा महापसादो किदो । जिदं जिदमम्हेहिं । ( इति कटीतटं वादयन्नृत्यति ।) रत्नाङ्गदः- (सकौतुकं सोपहासं च) ( सर्वे हसन्ति ।) कर्णौ सर्पफणोपमौ पिठरिकाधः पीतवर्णा तनुर्नक्रं वक्रमुदग्रदन्मुखमतिस्थूलं त्रिकोणं शिरः । मार्जाराक्षिसदृक्षमक्षियुगलं द्वित्राश्च कूर्चे कचा भालं कालकरीरकर्परनिभं रूपं तदस्याद्भुतम् ॥१०॥ (ख) वत्स रयणंगय ! अहं गिहे गन्तूण सव्वे पउणेमि । तुभेहि पुण गिहप्पवेसमुहुत्तं सिग्धं साधिदव्वं । (इत्यभिधाय निष्क्रान्ता ।) (रत्नाङ्गदो विमृश्य पुरुषस्य कर्णे एवमेव ।) एष शीघ्रमागच्छामि । (इत्यभिधाय निष्क्रान्तः ।) पुरुषः (क) जयतु जयतु समग्रनैगमवर्गचूडामणिः सुभद्रश्रेष्ठी । अहो ! स्वामिनः सकलकलाकलापकौशलम् । स्वामिन् ! तावन्महाप्रसादः कृतः । जितं जितमस्माभिः । (ख) वत्स रत्नाङ्गद ! अहं गृहे गत्वा सर्वान् प्रगुणयामि । युष्माभिः पुनर्गृहप्रवेशमुहूर्तं शीघ्रं साधयितव्यम् । Page #150 -------------------------------------------------------------------------- ________________ द्वितीयोऽङ्कः] [११३ (नेपथ्ये) (क) अहं नागमिस्सं । गच्छ तुमं । श्रेष्ठी- रत्नाङ्गद ! कोऽयम् ? । रत्नाङ्गदः- स्वामिन् ! वामनिकाऽत्रानीयते । श्रेष्ठी- किमर्थम् ? । रत्नाङ्गदः- नृजलमृते पुरीषस्य नान्यद् द्वितीयम् । अस्य नर्तकस्य वामनिकैव संयुज्यते । (ततः प्रविशति पुरुषेण सानुनयं बाह्वोः समाकृष्यमाणा वामनिका ।) वामनिका- (सरोष) (ख) अहं न नच्चिस्सं न नच्चिस्सं । पुरुषः- रत्नाङ्गद ! एषा समानीता ।। रत्नाङ्गदः- (सकौतुकं तामुपसर्म्य) वामनिके ! एष त्वदीयोत्सवस्तत्कि न नृत्यते ? । (इति तां बलात्कारेण रङ्गमध्ये प्रवेश्य स्वस्थान मुपसर्पति ।) वामनिका- (ग) नच्चदु जो को वि नच्चदि । अहं उण न नच्चिस्सं । जदो न इत्थ सगुणमणुस्साण मग्गो । शबर:- (सक्रोधवक्रदष्ट्या विलोक्य सेय॑)* [वामनिका-] (घ) जत्थ एदारिसा स(सु)रूवा नच्चकलाकुसला तत्थ किमम्हारिसाणं नच्चिदुं जुत्तं ? । (क) अहं नागमिष्यामि । गच्छ त्वम् । (ख) अहं न नतिष्यामि न नर्तिष्यामि । (ग) नृत्यतु यः कोऽपि नृत्यति । अहं पुनर्न नतिष्यामि । यतो नात्र सगुणमनुष्याणां मार्गः । * अत्र कियांश्चित्पाठस्त्रुटितः । (घ) यत्रतादशाः सुरूपा नृत्यकलाकुशलास्तत्र किमस्मादृशां नर्तितुं युक्तम् ? । Page #151 -------------------------------------------------------------------------- ________________ ११४] [प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः शबर:- (ख) अहो ! कुहितकंजिणीए पीयूष (पेऊस)कुण्डेण समं सोहग्गसमसीसी । अहो ! खलकुट्टीए गुलेण सद्धिं पालिप्पद्धी। (रत्नाङ्गदं प्रति) लयणंगय ! पिचुमन्दकन्दलीए रसालरसस्स य केलिशे तुमए संयोगे किते ? ([इति]निभृतं हसन्नन्यतोऽव लोकयति।) वामनिका- (सरोष) (ग) अरे अडयणीतगंधय ! आभवं पभूदाविरू(भू) ददोगच्चसमसीसीसंट्ठिदच्छुदाअंधय ! इक्कं दाव मम ठाणे नच्चेसि अन्नं पुण ममं पि उवहसेसि ? ता तुम तथा गच्छाहि जधा न पुणे दीसेसि । (इति तत्संमुखं कराङ्गुलीर्मोटयति ।) (घ) आ दासी(ए)धीदे ! पुरिसपवंचणेक्कचिट्ठोवटुंभपुढे ! निसग्गदोहग्गदुढे ! सोत्तियबंभनकपुत्तं ममं अधक्षिप(अधिखिव) सि ? ता तुमं तधि गच्छ जधि मम पढम कोवीणवच्छं गदं । . (पुनरुपहसन्) भविस्सकुट्टिणि ! उच्चिट्ठवट्टिणि ! वत्त[से] एदेणं घरट्टमोट्टेणं थवणट्टेणं तुमं गव्विदा । ता अम्हाणं तुज्झ व्व नयलथूलयणं (?) एतं कडीयलं पिच्छ । (इति पाश्चात्यप्रदेशं दर्शयति ।) (वामनिका सवैलक्षमधोमुखीभूय तूष्णीमास्ते ।) शबर: (ख) अहो ! कथितकाञ्जिकायाः पीयूषकुण्डेन समं सौभाग्यसमशीर्षी । अहो ! खलकुट्टया गुडेन सार्धं प्रतिस्पर्धा । रत्नाङ्गद ! पिचुमन्दकन्दल्या रसालरसस्य च कीदृशस्त्वया संयोगः कृतः ? ।। अरे अटजनीस्तनन्धय ! आभवं प्रभूताविर्भूतदौर्गत्यसमशीर्षासंस्थितक्षुधान्धक! एकं तावन्मम स्थाने नृत्यसि अन्यत्पुनर्मामपि उपहससि तत्त्वं तथा गच्छ यथा न पुनर्दृश्यसे । (घ) आ: दास्याःपुत्रि ! पुरुषप्रवञ्चनैकचेष्टोपष्टम्भपुष्टे ! निसर्गदौर्भाग्यदुष्टे ! सौत्रिक(श्रोत्रिय)ब्राह्मणकपुत्रं मामथ (अधि)क्षिपसि तत्त्वं तत्र गच्छ यत्र मम प्रथमं कौपीनवस्त्रं गतं । भविष्यत्कुट्टिनि ! उच्छिष्टवर्तिनि ! वर्तसे एतेन घटीस्थूलेन स्तनावर्तेन त्वं गर्विता । तदस्माकं तवेव..... एतत्कटीतलं पश्य । Page #152 -------------------------------------------------------------------------- ________________ द्वितीयोऽङ्कः] [११५ शबर:- (पुनः सानुनयमिव) (क) कधं तुमं मए एगेणावि लुसिता ? ता न पुनो कलिस्सं । आगच्छ दो वि समगं नच्चम्ह । पच्छा पभूदे अत्थलाभे तुमए अद्धंगगयाए विलसिस्सामि । वामनिका- (सविचिकित्सं) (ख) हा हा दुट्ट ! कुडयकडुय ! कूडबडुय ! ममं भज्जं वंछेसि ? अरे ! बहेडगस्स नागवल्लीए इव खरखीरीए इव कायकोइलाए इव केरिसाए तुज्झ मज्झ संगमो जोग्गो ? । ता निष्फट्ट ! निफिड सिग्धं दिट्ठिपहाओ । (इति थूत्करोति ।) रत्नाङ्गदः- (अक्षिसंकोचं कुर्वन् सरोषमिव) अरे ! एषा वराकी तावत्त्वया उच्चाटितुमारब्धा । तत्क्षणं दूरीभूय तिष्ठ यथेयं यथेष्टं नृत्यति । शबरः (ग) लयनंगय ! एशे तुशिनीए चिट्ठह । (इति वस्त्रं प्रक्षिप्य मुखे समीपप्रदेशमनुसरति ।) रत्नाङ्गदः- वामनिके ! यथारुचितं नृत्यताम् । वामनिका- (वक्रोष्ठिकां कृत्वा) (घ)ता कथं तूरं विणा नच्चिस्सं ? । रत्नाङ्गदः- (गन्धर्वकान्प्रति) अरे ! किं न पश्यत यूयं नृत्तप्रवृत्तां वामनिकां? यत्तूर्यं न वादयत । तद्वाद्यतां तूर्यम् । (गन्धर्वकास्तथा कुर्वन्ति ।) (वामनिका हस्तावुत्क्षिप्य नृत्यति ।) (शबरस्तत्पश्चाद्भूत्वा तन्मस्तकोपरि च्छत्राकारी करौ कृत्वा मुखं दन्तांश्च वक्रीकुर्वन् कटीं नर्तयति ।) (क) कथं त्वं मया एकेनापि रुषिता ? तत्र पुनः करिष्ये । आगच्छ द्वावपि समं नृत्यावः । पश्चात्प्रभूतेऽर्थलाभे त्वया अर्धाङ्गगतया विलसिष्यामि । (ख) हा हा दुष्ट ! कुटजकटुक ! कूटबटुक ! मां भार्यां वाञ्छसि ?। अरे ! बिभीतकस्य नागवल्लयेव खरक्षीरिकयेव काककोकिलयेव कीदृश्या तव मम संगमो योग्यः ? । तनिर्लज्ज ! निर्धेश्य शीघ्रं दृष्टिपथात् । (ग) रत्नाङ्गद ! एष तूष्णीकस्तिष्ठानि । (घ) तावत्कथं तूरं विना नतिष्यामि ? । : Page #153 -------------------------------------------------------------------------- ________________ ११६] [प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः (वस्त्रैर्वक्त्राणि पिधाय सर्वे हसन्ति ।) रौहिणेयः- (स्वगतं) अहो ! शबरस्य कपटपटिमा । तदहं सांप्रतं स्वचिन्तित मनुतिष्ठामि । (इति निष्क्रान्तः ।) श्रेष्ठी - (विहस्य) रत्नाङ्गद ! अहो ! हास्यरसस्य परमप्रकर्ष : । तथाहि हास्यावेशवशान्नराः कतिपये गात्रैर्घटन्ते मिथः केऽप्यानेडकपुष्पपूजितभुवः संधूनयन्ते शिरः । केषाञ्चिन्मुखतः तपत्यविरतं ताम्बूलपूरः पर स्तद्व्याक्षिप्तसमस्तवीक्षकजनो हास्यो रसः कोऽप्यहो ! शबर:- (स्वगतं) (क) किमज्ज वि चिरायति लोहिनेए ? । (ततः प्रविशति कुसुममुकुटोपशोभिता घट्टांशुककृतनीरङ्गिकानना कुङ्कमस्तबकाञ्चितललाट युवतिः कक्षान्तरेऽलक्षश्चीरिकासर्पश्च) शबर:- (पुनः स्वगत) (ख) सुसरिच्छं मनोलमानेवच्छं लोहिनेयेन गिधीदं । युवतिः (वरमुपसृत्य) (ग) एहि पुत्तय ! तुमए नवपरिणीदे खंधगइंमि इमम्मि सोहलए (मोहलए ?) नच्चिय चिरचिंतियमणोरथे पूरेमि । (इति मनोरथं नाट्येन स्कन्धे निधाय सहर्षमिव नृत्यति वधूः ।) अनुचरी- (घ) अहं पि नियभइणीयं खंधे ठविय वेवाहिणीए समं किं न नच्चेमि ? | (इति साऽपि तथा करोति ।) श्रेष्ठी अहो ! जनन्या अपत्यस्नेहः, ततो नृत्यतु वराकी । पूरयतु सुचिरसूत्रितमनोरथमालिकाः । यतस्तदेव स्त्रीणां प्रार्थनीयम् । (क) किमद्यापि चिरायते रौहिणेयः ? । (ख) सुसदृशं मनोरमानेपथ्यं रौहिणेयेन गृहीतम् । (ग) एहि पुत्रक ! त्वयि नवपरिणीते स्कन्धगतेऽस्मिन् मोहनके (मौखर्ये) नर्तित्वा चिरचिन्तितमनोरथान् पूरयामि । (घ) अहमपि निजभगिनिकां स्कन्धे स्थापयित्वा विवाहिन्या समं किं न नृत्यामि? । Page #154 -------------------------------------------------------------------------- ________________ शबर: द्वितीयोऽङ्कः] [११७ आदौ सद्भर्तृवाञ्छा तदनु रुचितराः कल्पसंकल्पनास्तास्तद्भोगाभोगलिप्सा प्रतिदिवसमतोऽपत्यभावाभिलाषः । इत्थं संपूर्णकामा अतनुसुतनुजोद्वाहहर्षातिरेका नृत्यन्ति स्कन्धदेशोपरि विधृतसुतास्तारतारं तरुण्यः ॥१२॥ शबर:- (सहर्षमिव) (क) एदाओ दो वि वेवाहिणीओ वधूवरं खंधेहि ठविय सहरिसं नच्चन्तीओ सोहंति । ता वामनिगे ! तुमए खंधठिदाए अम्हे वि नच्चिस्सामो । आलुहसु मम खंधदेसं । (वामनिका नाट्येन तत्स्कन्धदेशमध्यारोहति ।) (गन्धर्वकान् प्रति) (ख) अले ! गोलीलच्छीओ विव एदाओ सिद्धिणीओ ससुयविवाहेसु नच्चंति । ता तुब्भे निद्दयं तुलानि वाएध । (इत्युच्चस्तूर्यनिनादेन तन्मध्यस्थः शबरो नृत्यति तत्स्कन्धस्थिता च वामनिका 1) (चीरिकासर्पो युवतिकक्षान्तरादधः पतति ।) सर्वेऽपि- (सर्पमवलोक्य) सर्पः सर्पः । (इति सभयमन्यान्यदिक्षु व्रजन्ति ।) (रौहिणेयः सभयमिव कियद्भूमिं गत्वा स्त्रीवेषमुत्सारयति ।) (वरस्तन्मुखमवलोक्योपलक्ष्य च रोदिति ।) रौहिणेयः- (साधिक्षेपं) अरे ! तिष्ठ । मा रोदीः । यदि रोदिषि तदाऽनया क्षुरिकया कर्णौ कर्तयिष्यामि । (इति क्षुरिकां दर्शयति ।) ___ (वरः सभयं तूष्णीमास्ते ।) रौहिणेयः- यावन्न कोऽपि मामवलोकयति तावत्त्वरिततरं गिरिगह्वरं विशामि । (इति पश्चादभिमुखमवलोकयन् निष्क्रान्तः ।) (क) एते द्वे अपि विवाहिन्यौ वधूवरं स्कन्धे स्थापयित्वा सहर्ष नृत्यन्त्यौ शोभेते तद्वामनिके। त्वयि स्कन्धगतायां वयमपि नतिष्यामः । आरोह मम स्कन्धदेशं । (ख) अरे ! गौरीलक्ष्म्याविव एते सिद्धिन्यौ स्वसुतविवाहेषु नृत्यतस्तद्यूयं निर्दयं तूराणि वादयत । Page #155 -------------------------------------------------------------------------- ________________ ११८] [प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः शबर:- (सर्वतोऽवलोक्य) (क) निग्गदे लोहिणेए । तओ एए जाव भुयगभयभिंभला चिट्ठन्ति ता वामनियाए वरारोहं (वरावहारं) शंशिऊण पलाएमो । (इति तां स्कन्धात्परित्यज्य सहसा भूमौ, प्रकाशं) वामनिगे ! शिट्ठिपुत्ते तक्कलेणावहलिदे । (इत्यभिधाय निष्क्रान्तः) (वामनिका भूपातपीडया मूर्छामभिनयति ।) श्रेष्ठी- (ससंभ्रम) अपसरतापसरतास्मदपायस्थानात् । अरे रत्नाङ्गद ! विलोकय कपि विषधरम् । अन्यथा दक्ष्यति कमपि । रत्नाङ्गदः- (सहसोपसृत्य) क्व आस्ते ?, व दृष्टः ? । (इति सर्वतोऽवलोकयन् सर्पाकारां तां चीरिकामवलोक्य)* [श्रेष्ठी-] (स्वगतं) कथमियमौषधैः सर्वतः प्रलिप्ता ?, तन्नूनं केनचिच्चौरेण द्रव्यजिघृक्षया चीरिकासर्पश्चके । (प्रकाशं) रत्नाङ्गद ! निश्चितं कस्यचिद्दश्योश्चेष्टितमदः । तदवलोकय सर्वमप्यागन्तुकं स्वकं च लोकम् । मा कस्यापि वस्त्रादि विभूषणं वा गतं भविष्यति । रत्नाङ्गदः- (सर्वजनमालोक्यापृच्छय च श्रेष्ठिनं प्रति) स्वामिन् ! यथास्थित्याऽऽस्ते लोकः । श्रेष्ठी- (साशङ्कं विलोक्य) रत्नाङ्गद ! कथं [न]क्वापि विलोक्यते मनोरथः ?। तदवलोकय क्वापि । रत्नाङ्गदः- आस्ते मातुः पार्वे । (प्रविश्य पटाक्षेपेण) मनोरमा- (साक्षेप) (ख) रयणंगय ! अहो ! कोउगं तुम्हाणं । कधं न जाणध तुब्भे गिहप्पवेसलग्गं ?, जमित्थोवविट्ठा ज्जेव एवं (क) निर्गतो रौहिणेयः । तत एते यावद्भुजगभयविह्वलास्तिष्ठन्ति तावद् वामनिकायै वरापहारं शंसित्वा पलायामहे । वामनिके ! श्रेष्ठिपुत्रस्तस्करेणापहृतः । (ख) रत्नाङ्गद ! अहो ! कौतुकं युष्माकम् । कथं न जानीथ यूयं गृहप्रवेशलग्नं, यदोपविष्टा एवैवं विलम्बध्वे । ततः समानयत श्रेष्ठं पुत्रकम् । साध्यते गृहप्रवेशलग्नम् । * अत्र कियांश्चित्पाठस्त्रुटितः । Page #156 -------------------------------------------------------------------------- ________________ द्वितीयोऽङ्कः] [११८ विलंबध । तदो समाणेध शिष्टं पुत्तयं । साहिज्जइ गिहप्पवेसलग्गं । श्रेष्ठी- (ससंभ्रमं) कथं नास्ति त्वत्पार्वे सुतः ? । मणोरमा- (क) इधयं य्येव तुम्ह पासे मिलीय अहं गिहं गदा ।। श्रेष्ठी- (सरोष) अहो ! भवत्याः प्रमादपारवश्यम् । सांप्रतमेव त्वं सुतं स्कन्धमारोप्य नृत्यन्ती भुजगभयानष्टा । मनोरमा- (सातङ्क) (ख) नाध ! नाहमज्ज नच्चिदा । न वा करेण पम्हट्ठो पुत्तओ । दट्ठी (ट्ठा) ता (?), किं नेदं ? । श्रेष्ठी- निश्चितं तर्हि केनापि त्वत्कपटव्यपदेशेन सुतोऽपजते । वामनिका- (चेतनामास्थाय मन्दस्वर) (ग) एत्थ चिट्ठदि । श्रेष्ठी- (सप्रत्याशं सर्वैः सह तामुपसृत्य) कथमत्र मनोरथोऽस्ति ? । वामनिका- (मन्दस्वर)(घ) नहि मणोरहो, किंतु गयमणोरहा संभग्गकडियडा मंदभाइणी वामणिया । श्रेष्ठी- (सविषादं) यदि नास्मन्मनोनन्दनो नन्दनस्तत्किमन्येन ? । वामनिका- (सबाष्पं) (च) पुत्तओ तक्करेणावहरिदो । रत्नाङ्गदः- (साक्षेप) कथं जानासि ? | वामनिका- (छ) शबरेण निग्गच्छंतेणेदं संसिय अहं खंधादो तथा खोणीए खित्ता जधा सव्वंगेहि भग्गा । ता हं निब्भग्गिणी कहं भविस्सं ?। (इति मन्दं मन्दं रोदिति ।) रत्नाङ्गदः- (सौत्सुक्यं) कियद्वेला गतस्य ? । (क) अत्रैव युष्मत्पार्वे मिलित्वा अहं गृहं गता । (ख) नाथ ! नाहमद्य नृत्ता । न वा करेण प्रमृष्टः पुत्रकः । दृष्टा तावत्, किमिदम् ?। (ग) अत्र तिष्ठति । (घ) नहि मनोरथः, किन्तु गतमनोरथा, संभग्नकटितटा मन्दभागिनी वामनिका । (च) पुत्रकस्तस्करेणापहृतः । (छ) शबरेण निर्गच्छतेदं शंसित्वाऽहं स्कन्धात्तथा क्षोण्यां क्षिप्ता यथा सर्वाङ्गैर्भग्ना। तदहं निर्भाग्या कथं भविष्यामि ? । Page #157 -------------------------------------------------------------------------- ________________ १२०] [ प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः वामनिका- (ग) अहं पीडाए मुच्छिदा तदो न जाणामि ।। श्रेष्ठी- हा वत्स ! हा विनयमण्डन ! हा कुलीन !* तिलक[हा कुलतिलक] ! क्वगतोऽसि । देहि मे प्रतिवचनम् । (इति सहसा मूर्च्छति ।) मनोरमा- (घ) हां वत्स ! हा सिरीसकुसुमसोमाल ! हा नियसरीर सुंदेरिमसमुज्जासियसपरसुंदेर ! कधि गदो ? । देहि मे नियवयणं । दुदंसणं मंदभाइणीए । (इत्युच्चैःस्वरं रोदिति ।) रत्नाङ्गदः- (ससंभ्रमं) अरे ! शीघ्रं चन्दनैरभिषिञ्चत । कदलीपत्रैर्वीजयत । (सर्वेऽपि यथादिष्टमनुतिष्ठन्ति ।) श्रेष्ठी- (चेतनामास्थाय सदैन्यं) हा विधे ! भग्नोऽस्मन्मनोरथः पुत्रापहार महादम्भोलिदण्डघातेन । हा वत्स ! क्व पुनस्त्वामवलोकयिष्ये ? | मत्पुण्यद्रुमनव्यपल्लवलसलक्ष्मीलताकुड्मल ! प्रत्यग्रप्रभवन्मनोरथवनव्यासेचनाम्भोधर ! ।। वंशव्योमविकाशनाम्बरमणे ! गेहैकचिन्तामणे ! हा वत्स! कगतोऽसि? दर्शय निजं वनं वराकस्य मे ॥१३॥ __ (इत्युच्चैःस्वरं सर्वे रुदन्ति । पुनः) श्रेष्ठी- (सदैन्यं) भग्नाः सर्वमनोरथा धनकथा जज्ञे वृथा सर्वथा शश्वदुःखमसंख्यमुन्नतिमगात्सौख्यानि दूरं ययुः । शोभाचारुमुखेन्दुदर्शनसुधाधाराभिरासिञ्च मां यावनैव भवद्वियोगदहने प्राणाः प्रयान्ति क्षणात् ॥१४॥ (ग) अहं पीडया मूछिता ततो न जानामि । (घ) हा वत्स ! हा शिरीषकुसुमसुकुमार ! हा निजशरीरसौन्दर्यसमुज्जासितस्वपरसौन्दर्य ! कुत्र गतः ? । देहि मे निजवचनम् । दुर्दर्शनं मन्दभागिन्यां । ★ अत्र कियाँश्चित्पाठस्त्रुटितः । Page #158 -------------------------------------------------------------------------- ________________ द्वितीयोऽङ्कः ] [ १२१ मनोरमा - ( साश्रु) (क) पुत्तय ! एक्को च्चिय तुमं मे, ता कधं तुमं विणा पाणे धारइस्सं ? | रत्नाङ्गदः - स्वामिन् ! प्रलापपरवशमानसानां भविष्यति कोऽप्युपद्रवः । श्रेष्ठी- किमतोऽप्युपद्रवः कोऽपि ? | यदि वा - उच्चैरतः परं मे भूयांस उपद्रवा भविष्यन्ति । अस्तंगतेंऽशुमालिनि सुखेन भूर्व्याप्यते तमसा ॥ १५ ॥ (क) पडिहदममंगलं भयवदीणं कुलदेवदाणं पसादेण । मनोरमा - श्रेष्ठी ( सवैकल्यं रत्नाङ्गदं प्रति) वत्स मनोरथ ! त्वमप्यत्रागच्छ । क्षणमात्मपितुरुत्सङ्गमुपविश । मनोरमा - ( सात्रं) (ख) नाध ! न एस पुत्तओ, ता किमेवं सोयपरवशत्तमणुचिट्ठध | संठवध अत्ताणं । रत्नाङ्गदः - [श्रेष्ठी] - ( साक्षेपं) कथमबलाजनोचितं कर्म ? | (कोपं धैर्यमालम्ब्य च गृहाभिमुखं कतिचित् पदानि दत्त्वा ) आश्चित्तं नयनैकशोकपिहितं कम्पोत्क्रमौ सत्क्रमौ बाष्पाम्भःकणिकानिपातनिबिडे जाते जडे लोचने । चक्रारूढमिवाखिलं क्षितितलं नष्टो विभागो दिशां कः संपश्यति वेश्मवर्त्म ? तदहो ! अस्तं समस्तं जगत् ॥१६॥ रत्नाङ्गदः- (स्वगतं) अहो ! महतामपि दुःसहः खल्वपत्यवियोगः । यतः प्राणप्रवासे धनविप्रणाशे प्रेमप्रयोगे प्रियविप्रयोगे । पुत्रापहारापदि च स्थिरोऽपि को नाम धैर्यं न जहाति जन्तुः ? ॥१७॥ किञ्च (क) पुत्रक ! एक एव त्वं मे, तत्कथं त्वां विना प्राणान् धारयिष्ये ? | (क) प्रतिहतममङ्गलं भगवतीनां कुलदेवतानां प्रसादेन । (ख) नाथ ! नैष पुत्रकः, तत्किमेवं शोकपरवशत्वमनुतिष्ठथ । संस्थापयतात्मानम् । Page #159 -------------------------------------------------------------------------- ________________ १२२] श्रेष्ठी [प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः निर्विघ्नं परितः परप्रसृमरप्रौढिप्रियम्भावुका ... तव्यमलाभवत्यपमला तत्पुण्यमेव स्फुटम् । तस्यां संततसंततिर्भवति यत्क्रीडत्सुपुत्रात्मका सा पुण्योपरि मञ्जरी विजयते भूम्ना हृदामोदिनी ॥१८॥ ततः केनापि वाक्यावष्टम्मेन धैर्यमुत्पादयाम्यस्य । यतःन तथाद्भुतसंपत्तिः सुखाय संपद्यते मनुष्याणाम् । आपन्नानां हि यथा दत्तं धैर्यात्मकं वाक्यम् ॥१९॥ (प्रकाश) स्वामिन् ! शोकानलक्लान्तं स्वान्तं मास्म वृथा कृथाः । तथा तथा यतिष्येऽहं यथा पुत्रः समेष्यति ॥२०॥ तद्गच्छति निशम्यतां(?)(निशा?) सांप्रतं निशान्तम् । (रत्नाङ्गददत्तहस्तावलम्बः स्वगृहं प्रति परिक्रामति । गृहमवलोक्य पुनः पुत्रस्मरणमभिनीय च) यद्यस्त्यत्र धनं व्ययेऽप्यनिधनं सौख्याञ्जनं काञ्चनं तुङ्गाङ्गास्तुरगा मरुत्प्रसरगाः क्रीडावनं पावनम् । एकश्चन्न मृणालकोमलतनुर्निस्तन्द्रचन्द्राननः पुत्रस्तन्मम गेहमेतदखिलं भाति श्मशानोपमम् ॥२१॥ (विमृश्य) स्वामिन् ! यथा वामनिकाग्रे स कूटपटुबटुः सुतापहारमुदाहृतवान्, तथा जाने तेन तस्करानुचरेण भाव्यम् । पश्यताहो ! स पापः केनापि नोपलक्षितः ।। (क्षणं विमृश्य सावष्टम्भं) रत्नाङ्गद ! मत्पुत्रापहारमाचरता तेन राजग्रहः प्रागेवात्मनः समानिन्ये । ततः किं बह्वीभिर्वाचोयुक्तिभिः?। दत्त्वात्मीयमगारसारमसमं कृत्वा पणं प्राणितं संशोध्य क्षितिमण्डलं प्रतिकलं मापालमाराध्य च । तैस्तैर्दुर्घटकूटकोटिघटनैस्तं घट्टयिष्ये तथाऽलप्स्यं पुत्रमयं च यास्यति यथा राजग्रहं तस्करः ॥२२॥ रत्नाङ्गदः श्रेष्ठी Page #160 -------------------------------------------------------------------------- ________________ तृतीयोऽङ्कः] [ १२३ (स्वजनान् प्रति) भवद्भिर्न काचिच्चिन्ता कार्या । तद् व्रजथ यूयं स्वस्थानम् । (पुरुषान् प्रति) अरे ! नयतैनां वामनिकामुत्पाट्य गृहम् । रत्नाङ्गद ! प्रातस्त्वया महाजनमेलापकः कार्य : । वयमपि स्वगृहं प्रविशामः । (इति निष्क्रान्ताः सर्वे ।) ॥ द्वितीयोऽङ्कः समाप्तः ॥ ॥ अथ तृतीयोऽङ्कः ॥ (ततः प्रविशति रत्नाङ्गदः ।) रत्नाङ्गदः- (पूर्वाशासम्मुखमवलोक्य) कथमयमुदयाचलचूलामालम्बते भगवान् गभस्तिमाली ? । तथाहिकिं सिन्दूरलवाः पतन्ति वियतः ? किं वा कुसुम्भोत्कराः ? किं किङ्केलितरोर्दलानि ? सरलाः किं वा प्रवालाङ्कराः । किं वा शोणसरोजरेणुकणिकाः ? किं कुङ्कमाम्भश्छटाः ? प्राचीमञ्चति भास्वति प्रतिदिशं स्निह्यन्त्यहो ! रश्मयः ॥१॥ स्थाले स्मेरसरोरुहे हिमकणान् शुभ्रानिधायाक्षतांस्तद्रेणुं मलयोद्भवं मधुकरान् दूर्वाप्रवालावलीः । हंसी सद्दधिकेसरोत्करमपि प्रेङ्खच्छिखा दीपिकाः सज्जाऽभून्नलिनी वे रचयितुं प्रातस्त्यमारात्रिकम् ॥२॥ भवतु तावद्, यथादिष्टमनुतिष्ठामि । (इति परिक्रामति । पुरो विलोक्य सहर्ष) कथमयमस्मन्मित्रं ललिताङ्गः परापतति ? । (ततः प्रविशति ललिताङ्गः ।) ललिताङ्गः- (सखेदं) For Private &Personal Use Only . Page #161 -------------------------------------------------------------------------- ________________ १२४] किन्तु दस्यूनां धार्मिकाणां च वैरिणां प्राप्तवैरिणाम् । परस्त्रीपार्श्वगानां च विस्तरः स्वार्थघातकः ॥३॥ रत्नाङ्गदः- (तमुपसृत्य ) अये ! स्निग्धबान्धव ! चिराद् दृष्टोऽसि । किमिति मदनवत्या अपहारदिनादर्वाक् क्वापि नावलोक्यसे ? | यदि वा दुर्लभं खल्वस्मादृशैर्भवादृशामहर्निशं दर्शनम् । यतःतिल इव बहलस्नेहं वारिधिरिव निस्समानसत्त्वाढ्यम् । मित्रोदयभृन्नभ इव नापुण्यैः प्राप्यते मित्रम् ॥४॥ ललिताङ्गः- सखे ! किमिदमभिदधासि ? | [ प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः नालीकविस्मृतमुखं सह ( द ) लङ्कारं लसत्कलाकेलि । विस्मृतिपथं कथंचन किमेति मित्रं कलत्रं च ? ॥५॥ वैरिपराभूतानां वल्लभविरहाग्निदग्धदेहानाम् । धिग् जीवितं नराणां नित्यपराधीनमनसां च ॥६॥ रत्नाङ्गदः- सखे ! किमित्यद्यापि न सूत्रितं तस्या मदनवत्याः प्रत्यानयने किमप्यौपयिकं ? यत्त्वमेवमद्यापि दौर्मनस्यमावहसि । ललिताङ्गः- सखे ! ये पदार्थाः कराद् भ्रष्टा विपरीते विधातरि । ते स्वयं सानुकूले स्युर्यत्नः क्लेशाय केवलम् ॥७॥ रत्नाङ्गदः - मित्र ! न किञ्चिद्विधेयं विरहवैधुर्यम्, भविष्यति कियद्दिनैर्मदनवत्या: संगमः । यतः, सुभद्रश्रेष्ठिसुतापहारेणैव परिपाकमानीतं पाटच्चरदुराचारतरुफलम्, तत्कथय एनमर्थं धनसार्थपतिस्त्व (स्त)त्तातो वेत्ति न वा ? । ललिताङ्गः-मद्व्यतिकरं न जानाति । एतज्जानाति, यथा क्रीडन्ती उद्यानतश्चौरेणा पजह्रे । रत्नाङ्गदः- भविष्यत्यस्मत्सहायी तर्हि सार्थपतिः (नेपथ्ये) Page #162 -------------------------------------------------------------------------- ________________ तृतीयोऽङ्कः ] माद्यद्दुर्घरगन्धसिन्धुरशिरः सिन्दूरेणूत्कर प्रोत्सर्पद्धनरश्मिरञ्जिततनुर्मध्यन्दिनेऽप्यर्यमा । त्वत्सैन्ये जगतीजयाय चलिते श्रीश्रेणिकक्ष्मापते ! कर्णाटीतिलकप्रभामभिभवन्प्राभातिकस्तर्यते ॥८॥ रत्नाङ्गदः- कथमयं बन्दीवृन्दैरुत्कीर्त्यमानो मगधेश्वरः स्वास्थानमलंकृतवान् ? | तर्हि शीघ्रं यथादिष्टमनुतिष्ठामि । त्वमपि पुनदृक्पथातिथीभूयाः । ( इत्युभावपि निष्क्रान्तौ 1) ॥ विष्कम्भकः ॥ (ततः प्रविशति सिंहासनोपविष्टो राजचिह्नालंकृतो राजा सिंहलराजसाधारबन्दीप्रभृतिकञ्च परिवारः । ) बन्दी - अपि च राजा शौण्डीयजितगर्जितर्जितजगत्प्रत्यर्थिपृथ्वीपतिप्रोद्दामद्विपकुम्भभेदनमिलन्मुक्ताढ्यधारोद्धरः । चित्राविष्कृतपुष्करोत्करधरस्त्वन्मण्डलाग्रः प्रभो ! दत्ते नः कपिशीर्षरम्यविजय श्रीवासवेश्मभ्रमम् ॥९॥ यदीयधाराधरदर्शनेऽपि दिशः श्रयन्ते युधि कान्दिशीका प्रत्यर्थिपृथ्वीपतिराजहंसाः । जीयादसौ श्रेणिकभूपतीन्द्रः ॥१०॥ [ १२५ (सप्रमोदं) पश्याहो ! तस्य शस्यप्रबलबलयुतस्यापि कीदृक्चरित्रं चण्डप्रद्योतनाम्नः प्रतिनृपतिभुजागर्वसर्वङ्कषस्य । प्रागेत्यास्मज्जिघृक्षानिचुलितहृदयो यः स पश्चात्प्रनष्टस्त्यक्त्वा सैन्याशरण्यं गलपथलुलितप्राणितः कान्दिशीकः ॥ Page #163 -------------------------------------------------------------------------- ________________ १२६] सिंहल:- देव ! तत्रार्थे प्राभवप्रतापप्राकाम्यं प्रगल्भते । युष्मत्प्रतापदहनेन विलापितासु राजा 1 कुन्तल:सिंहल : [ प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः कुन्तल:- आदेश: प्रमाणम् । (इत्यभिधाय निष्क्रम्य प्रविशति ।) राजा- अरे ! ज्ञातः किंनिमित्तोऽयं कलकल: ? । कुन्तल:- देव ! समस्तपुरवणिजो गृहीतोपायना देवपादान् दिदृक्षव: प्रतीहारवसुन्धरायां रुद्धाः सन्ति । राजा राजा त्वरितं प्रवेशय । कुन्तलः- देव ! के के कियन्तः प्रवेश्यन्ताम् ? | राजा ( सभ्रूक्षेपं) अरे ! कियन्तः किम् ? | 'बन्दी सत्पत्रवल्लिषु विरोधिवधूमुखानि । निःश्वासधूमनिचयैः प्रतिबिम्बलग्नै गण्डेषु नव्यकृतपत्रलतानि भान्ति ॥ १२ ॥ [(नेपथ्ये कलकल:)] ( ससंभ्रमं क्षणं कर्णं दत्त्वा सिंहलं (कुन्तलं) प्रति) अरे ! द्वारि कः कलकलायते ?, गत्वा जानीहि । (सभयं) देव ! बहवः सन्ति । ( साक्षेपं) कुन्तल ! किमत्र प्रष्टव्यम् ?, ये केचन द्वित्रा वा बहवः सन्ति ते प्रवेश्यन्ताम् । ( विमृश्य सिंहलं प्रति ) निश्चितं केनापि पराभूता भविष्यन्त्यतः सर्वेऽपि प्रविशन्तु वराकाः । (कुन्तलो निष्क्रान्तः 1) ( सहर्ष) अहो ! देवस्य निरतिशयः कोऽपि [ प्रजा ] स्वनुरागः । यतः वर्षत्याम्रेषु यथा तथैव कुवलीस्नुहीकरीरेषु । धाराधरस्य पश्यत साम्यगुणः कश्चिदतिविश्वः ॥ १३ ॥ Page #164 -------------------------------------------------------------------------- ________________ राजा राजा तृतीयोऽङ्क] [१२७ (ततः प्रविशन्ति सिंहल (कुन्तल) निदिश्यमानमार्गाः कृतोष्णीका विहितयथोचितनेपथ्याः करकमलोल्लसदसमोपायना वणिजः ।) कुन्तलः- (सविनयं) देव ! अयं सुभद्रश्रेष्ठी, अयं तु धनसार्थवाहः, एते च सुधनादयो देवपादान् प्रणमन्ति । (ससंभ्रमं) अरे राङ्गुल ! आसनान्युपनय । (प्रविश्योभयकक्षकृतासनः) रावलः- (क) एदाई आसणाई (इति यथाक्रममासनान्युपनयति ।) (वणिजो ढौकितोपायना राजानां प्रणम्य यथाक्रममुपविशन्ति ।) (वणिजां प्रति सप्रश्रयं) तैस्तैः पुण्यैः समुदितमितः श्रीविलासैः प्रविष्टं सत्कल्याणैर्विलसितमहो ! सद्गुणैः सन्निकृष्टम् । स्निग्धप्रीतिप्रभृतहृदयैः पूर्वजैश्चाद्य दृष्टं यन्मत्पर्षत्क्षितितलमलञ्चक्रिरे श्रेष्ठिमुख्याः ॥१४॥ श्रेष्ठी- अहो ! देवस्य सर्वजनीनः कोऽपि वाक्यविन्यासः । बन्दी- (वणिजः प्रति) तत्पुण्यं प्रकटं स्थितं स भवतामद्य प्रसन्नो विधिः सा गौः कामदुघाऽनघा गृहमगात्तुष्टः स कल्पद्रुमः । चिन्तारत्नमहर्निशं करगतं स्थैर्यं गतास्ताः श्रियो दृष्टा यूयममन्दसंम[दाजुषा देवेन यच्चक्षुषा ॥१५॥ श्रेष्ठी- देव ! एवमेतत्, यथा बन्दिराजो व्याजहार । वाञ्छाम उल्बणतमां न स्मां न भोगान् शीतांशुरश्मिरुचिरं न चिरं यशश्च । व्यालुप्तसर्वविभवा अपि धारयाम चेज्जीवितं किमियता नरनाथ! नाप्तम् ? ॥१६॥ (क) एतानि आसनानि । Page #165 -------------------------------------------------------------------------- ________________ १२८] राजा श्रेष्ठी [ प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः (सप्रश्रयं) अहह श्रेष्ठिन् ! किमिदमभिदधासि ?, राज्येऽस्मिन्मम नीतिधाम्नि भवतां वित्तानि मुष्णाति यः स्त्रीणां विप्लवमातनोति मदनेनान्धम्भविष्णुर्भृशम् । दौर्जन्यं जनयत्यपहृतनयो मात्सर्यचर्याचणः पुत्रेणापि न कार्यमार्यचरितप्रध्वंसिना तेन मे ॥१७॥ तद्विज्ञप्यतां किमागमनप्रयोजनम् ? । (सदुःखं) देव ! किं विज्ञपयामि ?, न्यायेनापसृतं जनैविधुरितं पापोत्करेणोच्छृतं पुण्यैः प्रव्रजितं गुणैर्विगलितं धर्मेण दूरे स्थितम् । दुःखैरुल्लसितं श्रिया मुकुलितं भोगैः प्रसुप्तं यतो निश्चिन्तैः प्रतिवासरं नृपति[ भिर्बोभुज्य सोषुप्यते ॥१८॥ तस्माद्देव ! किं बहुनोक्तेन ?, तत्किञ्चिद्दर्शयास्माकं प्रौढं दुर्गनगादिकम् । यत्राशेषजनोपेताः पालयामः स्वजीवितम् ॥१९॥ (सोद्वेगं) यदि भवतामप्युच्चैः पीडा व्रीडाकरी समजनिष्ट । तर्हि किमनेन वपुषा राज्येन धनेन यशसा च ? ॥२०॥ तत्किमन्याभिर्वाचोयुक्तिभिः, विज्ञप्यतां यथावस्थितम् । देव ! श्रूयताम् । (इत्य|क्ते समन्युस्तम्भं मौनमालम्बते ।) (सदुःखं) अहह ! धिगहो ! ममैतत्पौरुषमखिलं बलं प्रभुत्वं च । रङ्कस्येव जनोऽयं परैः पराभूयते यस्य ॥२१॥ (पुनः सप्रश्रयं) श्रेष्ठिन् ! किमत्र मन्युस्तम्भसंरम्भेणास्मन्मनसि संतापावापः संपाद्यते ?, कथ्यतां यथावस्थितं येन तदौचित्यमाचरामः । राजा श्रेष्ठी राजा Page #166 -------------------------------------------------------------------------- ________________ राजा तृतीयोऽङ्कः] [१२८ कुन्तल:- श्रेष्ठिन् ! परदुःखसंक्रान्तिदर्पणः कोऽपि देवस्य मानसोत्साहः । कतिपये चैवंरूपाः पुमांसः? । यतःशूराः सन्ति सहस्रशः प्रतिपदं विद्याविदोऽनेकशः स्मेरश्रीपतयो निरस्तधनदास्तेऽपि क्षितौ लक्षशः । किन्त्वाकर्ण्य निरीक्ष्य चान्यमनुजं दुःखादितं यन्मनस्ताद्रूप्यं प्रतिपद्यते कलियुगे ते पञ्चषाः पौ( पूरुषाः ॥२२॥ तद्विज्ञप्यतां निर्विवादं लब्धजयवादानां देवपादानां पुरः । श्रेष्ठिन् ! यदि न सत्यमावेदयसि तदस्माकं शपथैः प्राप्तोऽसि । श्रेष्ठी देव ! निःसंख्यद्रविणोच्चवृक्षनिचयै रोचिष्णुरुच्चैर्मुहुः सानन्दैस्तव दृष्टिदानसलिलैराढ्यम्भविष्णुर्भृशम् । उद्वाहादिमहःप्रसूनसुभगो भोगप्ररोहत्फलो दग्धश्चौरहिमेन पौरमलयो निन्द्यां दशां लम्भितः ॥२३॥ राजा कथमैकागारिकः कश्चिद्भवद्विभूतिमुपद्रवति ? । श्रेष्ठी- एकः कश्चिदकान्दिशीकहृदयः क्रूरः समीरोमिवत् सर्वत्रास्खलितः स्वके गृह इव स्वैरं पुरे बम्भ्रमन् । वामाक्षीविणानि निष्कनिचयान् सल्लक्षणानङ्गजा नश्रान्तं समवर्तिवद्वयपहरत्यागःकरस्तस्करः ॥२४॥ राजा कि मानुषानप्यपहरति ? । देव ! तस्करापसदस्य किमेकं विज्ञपयामि ? । स तस्करोऽद्य रात्रौ मत्पुत्रपाणिपीडनोत्सवे प्रवृद्धरसानुबन्धे मदृहिणीकपटनेपथ्येन नवपरिणीतसुतमपहृतवान् । राजा- (सक्रोध) पश्यताहो ! तस्य दाण्डपाशिकस्य पुररक्षालस्यम् । श्रेष्ठी- देव ! अन्यच्च मधुपर्वणि धनसार्थवाहदुहिता क्रीडन्ती वनादपहता । राजा- (धनं प्रति) सार्थपते ! कथं भवदुहिता चौरेणापहृता ? । श्रेष्ठी Page #167 -------------------------------------------------------------------------- ________________ १३०] धन: श्रेष्ठी राजा - राजा - सिंहल :- (सानुनयं) देव ! किमेवमेतैर्वाक्यैरिष्टतातिर्देवस्वान्तं नितान्तं दुःखोपद्रुतं करोति । यतोऽनेकशः पुरारक्षैरहर्निशं सबाह्याभ्यन्तरं पुरं रक्ष्यते । राजा [ प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः अथ किम् ? | किञ्च देव ! केषांचिद्धनानि, केषाञ्चिदश्वाः, केषांचिद्वनिताः, केषाञ्चिदपत्या..... ( नि । एवं ) सर्वमप्यहर्निशमपह्रियते । तत्कियद्विज्ञप्यते ? । - निर्नाथं क्षितिमण्डलं मुकुलितं क्षात्रं महः पौर्वजी न्यायप्रौढिरपह्नुता तदखिलं सत्त्वं गतं दूरतः । दौर्जन्यं तदतः परं प्रकटितं सौजन्यमस्तं यतो जज्ञे मय्यनुशासति प्रतिपथं दूरापदामास्पदम् ॥२५॥ (विचिन्त्य) अरे ! शीघ्रमाकारय तं दुरात्मानमारक्षकम् । कुन्तल:- एष शीघ्रमाकारयामि । ( इति निष्क्रान्तः । ) राजा (सेयं) अरे! यद्यसौ पुरप्रयत्नपारतन्त्र्यं नावहति तत्कथमीदृगवस्थां प्राप्नुवन्ति पौराः ? । ( सिंहलः सवैलक्ष्यं तूष्णीमास्ते ।) अजननिर्वरं तस्य जातस्याजननिर्वरम् । प्राणप्रिया प्रजा यस्य पश्यतः पीड्यते परैः ॥२६॥ ( पुन: क्षणं विमृश्य सशिरःकम्पं ) निर्नष्टं सह पौरसौख्यनिवहैर्मत्पौरुषं निष्ठिता सत्कीर्तिः : सममाज्ञयाथ विगताः सर्वे गुणाः शर्मणा । कौलीनेन समं परं प्रसरिताः सर्वत्र दुर्नीतयः शश्वद्दुःखभरेण सार्धमधुना सोऽहं पुनः प्राणिमि ॥२७॥ भवतु तावत्, आगच्छतु पुराध्यक्षः । (ततः प्रविशति कीनाशः कुन्तलश्च ।) Page #168 -------------------------------------------------------------------------- ________________ तृतीयोऽङ्क] [१३१ कुन्तल:- (उपसृत्य) देव ! अयं कीनाशः पुराध्यक्षः । कीनाश:- (प्रणम्य) एषोऽस्मि, प्रयच्छत कृत्यादेशम् । राजा- (सक्रोधं साक्षेपं च) रे रे ! निस्त्रप ! रक्षकाधम ! मम प्राणप्रिया पू:प्रजा प्रेतेशप्रतिमेन सेयमनिशं स्तेनेन निष्पीड्यते । त्वं त्वादाय मदीयवेतनधनं प्रायोऽङ्गनासंगत स्त्यक्त्वा नागररक्षणव्यतिकरं निद्रायसे रे ! सुखम् ॥२८॥ किञ्च- स्फूर्जनिष्कलनिष्कलगृह.... ग्रामाभिरामं पुरं नित्यं निष्प्रतिरूपरूपमनुजद्वन्द्वैकलीलास्पदम् । नानादेशकसौख्यवाञ्छकवणिक्छ्रेणीनिवासाद्भुतं यत्तस्याप्यहितेन निन्दितदशा स्तेनेन तेने कथम् ? ॥२९॥ (कीनाशः सभयं तूष्णीमाते ।) अरे आरक्षक ! ध्रुवं किमिति किमपि न ब्रूषे ? । यदि वा ज्ञातम्, चौरारक्षकयोः समवाये सति स्तेयसंभवः । तद्भवानेव दण्डाहः । तदरे ! एनमेव कुरुत कुरुत पौरस्त्यं शूलाप्रोतम् । कीनाश:- देव ! 'रात्रिन्दिवं' (इत्य/क्ते सभयवाक्स्तम्भं राज्ञो मुखमीक्षते ।) वणिजः- (प्रणम्य) देव ! सर्वथात्रार्थे नायमपराध्यति । यतः सर्वत्राकृष्ट करालकरवालकरनप्रकरपरिकरितः प्रतिद्वारं प्रतिपथं प्रतिकच्छप्रतिरोधकप्रवेशनिष्काशं समग्रामपि यामिनी जाग्रदूर्व एवास्ते । परं परमानिलजङ्घालताजयी कश्चित्परास्कन्दी दृशामप्यगोचरचारः । कीनाशः- (किञ्चिद्धैर्यमालम्ब्य सविनयं) देव ! रात्रिन्दिवं न शयनं न च वल्लवाञ्छा भोगाभिलाषुककला सकला प्रनष्टा । वैरीव वैरिणदृशा ह्यनिशं प्रकामं संपश्यतः प्रतिकलं मम तस्करं तम् ॥३०॥ राजा सपश्चत. Page #169 -------------------------------------------------------------------------- ________________ १३२] [प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः किञ्च- रात्रौ यत्र कपाटसम्पुटखटत्कारोऽपि हक्काध्वनिः पूत्कारप्रसरः परः कलकलो हाहेति चाक्रन्दितम् । प्राकारे विशिखामुखे नृपपथे शृङ्गाटके चत्वरेऽगच्छं तत्र न तस्करं परमहं पश्यामि पश्यन्नपि ॥ तस्माद्देव ! यः कश्चिदलम्भूष्णुः पुरारक्षायां समर्प्यतां तस्मै स्वकां दाण्डपाशिकताम् । (इति डङ्गामुपनयति ।) सिंहल:- (नेपथ्याभिमुखमालोक्य सहर्ष) कथमयमभयकुमारः सचिवाग्रणी: समेति ? । विध्यातं तर्हि देवकोपानलेन । (ततः प्रविशति मुद्रालङ्कतकरोऽभयकुमारः ।) सिंहल:-. (ससंभ्रमं) इत इतो महामात्यः । (पुनर्नृपं प्रति) देव ! सचिवपुङ्गवः प्रणमति । (राजा सक्रोधमनाकर्णितकेनास्ते ।) अभयकुमार:- (नृपं प्रणम्य यथास्थानसुपविशति । राजानमवलोक्य स्वगतं) कथमद्य महाराजो मां न संभावयत्यालापप्रदानेन ?, आलोकमात्रेणापि न प्रसादपात्रीकुरुते । तन्नूनमन्तः क्वापि कलितकोपाटोप इव संलक्ष्यते। तथाहिदृष्टः कः स्फुटरोषभीषणफणाटोपेन शेषाहिना ? कालस्य क्रकचोपमप्रविलसदंष्ट्रे मुखे कोऽविशत् ? । अन्तर्विस्फुरदुग्रकोपघटितभ्रूक्षेपभीष्माकृतिईप्तारिस्मयसंचयव्ययकरो यस्मै चुकोप प्रभुः ॥३२॥ तथा चायं वणिग्जनः, अयं च पुरारक्षः, तन्नियतं भाव्यं केनापि हेतुना । (प्रकाशं सिंहलं प्रति अपवार्य) सिंहल ! किमेवं देवः कोपावेशवशंगतः ? । किमर्थे चामी वणिजः समाहूताः ? । किमयं कीनाशः सभय एवास्ते ? । (सिंहलो मन्त्रिणः कर्णे एवमेव ।) अभयः- (सशिरःकम्पं) आः ! ज्ञातम् । (पुनः क्षणं विमृश्य नृपं प्रति Page #170 -------------------------------------------------------------------------- ________________ राजा अभयः तृतीयोऽङ्कः] [१33 सविनयं) देव ! किं दूरादपि न प्रसादविकसन्नेत्राञ्चलप्रीणनं ? किं वाऽद्याद्भुतभूतिकृन्नतिमति पृष्ठौ न दत्तः करः ? । किं न प्रीतितरङ्गभङ्गसुलभालापैः प्रसादः प्रभो ! ? तत्कि दुर्विनयः वचित्कृत उताभाग्यैर्ममाद्योगतम् ? ॥३३॥ (सेय॑मभयमवलोक्य) अरे ! न ते दुर्विनयः कोऽपि नाभाग्यैः कैश्चिदुद्गतम् । दुष्कीर्तिकलुषः किन्तु सोऽहमेकोऽस्म्यभाग्यभूः ॥३४॥ (राज्ञः पादयोः शिरो निधाय सविनयं) अहह ! किमेवं देवपादाः समादिशन्ति विक्रुष्टवाक्यैः ? । किं कदाचित् क्वापि कश्चिदाज्ञातिक्रम करोति ? । राजा- अरे कुलकलङ्क ! सकलभुवनातङ्क ! त्वरितमपसरास्मदृष्टिमार्गतः । (इति पाणिना प्रणिहन्ति ।) (अभयः सविनयं पुनः पादौ स्पृशति ।) (तमवगणय्य) अरे ! आनयत कोदण्डशरधी । येनामी मामकीनाः प्रचुरपरिलसर्पवाणिज्यवर्या व्यारोहत्प्रौढसंपदयपहृतधनदश्रीगृहश्रीविलासाः । हारं हारं हिरण्यं निखिलमपि कृता नैगमा रोरकल्पा हत्वा तं स्तेनमद्य स्वयमनिशमनःसौस्थ्यमुच्चैविधास्ये ॥३५॥ (इति सकोपावेशं सिंहासनादुत्थानं नाटयति ।) (वणिजः सभयं पलायितुमिच्छन्ति ।) (सानुनयं) देव ! किमेतत् ? । कस्योपरि किंनिमित्तोऽयमाक्षेपः? । तदासनमलंक्रियताम् । (इति सिंहासनमुपवेशयति । पुनर्नृपं प्रति) देव ! यद्येवं देवस्य दस्युनिग्रहकर्मणि महानाग्रहस्तदहमप्येनमर्थमाधास्ये । राजा अभय: Page #171 -------------------------------------------------------------------------- ________________ १३४] [प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः राजा- (साधिक्षेप) अरे ! यदि भवतोऽपि किमपि सामर्थ्यमस्मिन्नर्थे स्यात्तत्किमीदृगवस्थामाप्नुवन्ति पौराः । तदलमनया संकथया । अभयः- (प्रणम्य) देव ! क्रियतामस्मिन्नर्थे प्रसादः । वणिजः- स्वामिन् ! भवत्वेवम् । मन्यतामस्मिन्नर्थे निजमपत्यममात्यपुङ्गवः । अभयः- देव ! यदि वैरिणं पदातिनिहन्ति न प्राभवः प्रभावः किम् ? । अरुणेनापि हि निहते तमसि रवेः किं न महिमा स्यात्?॥३६॥ तदस्तु यन्मया विज्ञप्तम् । राजा- (विमृश्य सोपशमं) भवत्वेवम् । किन्तु कियद्भिर्दिनैस्तं परास्कन्दिनमास्कन्दयिष्यसि ? । अभयः- तदहं बुद्धिमान् स्वामिन् ! तदहं भावतायिनि । दिवसैः पञ्चषैरेव चेगृहामि मलिम्लुचम् ॥३७॥ राजा- किमादिष्टेन बहुना ? शीघ्रं तस्करः समर्पणीयः, नो चेदात्मीयं शिरः । अभयः- (शिरस्यञ्जलिं निधाय) देव ! महाप्रसादः । वणिजः- (सरोमाञ्चं) स्वामिन् ! निश्चितमतः परं प्रस्थितमेवोपद्रवैः । प्रकटितं कल्याणवल्लीभिः । (नेपथ्ये) अत्रार्थे कः सन्देहः ?, कल्याणं परमुल्ललास ननृतुस्ताः सर्वतः प्रीतयो जग्मुर्ध्वंसमशेषदोषनिवहाः पुष्टिं ययुः संपदः । जज्ञे सौख्यमसंख्यमत्र जगति स्फीताः क्षणादीतयो नेशुः कैश्चिदतः परं पुरि परैर्भाग्यैः समुज्जृम्भितम् ॥३८॥ कथमयं सुमुखो व्याहरति ? । (ततः प्रविशति हर्षोत्कर्षितमुखः सुमुखः ।) राजा Page #172 -------------------------------------------------------------------------- ________________ चतुर्थोऽङ्कः ] सुमुख:- ( सहर्षमुच्चैःस्वरं) वर्धसे देव ! वर्धसे, वन्दारुत्रिदशेन्द्रमौलिविलसन्मन्दारपुष्पोत्करप्रोन्मीलन्मकरन्दबिन्दुनिवहस्त्रातांहिपङ्केरुहः । त्रैलोक्यं समलंकरिष्णुरशुभं जिष्णुर्जिनग्रामणीः श्रीवीरः समवासरत्पुरबहिर्देवाधिदेवः प्रभुः ॥ ३९ ॥ राजा (सहर्षं) कथं वर्धमानस्वामी भगवान् मनोरमोद्यानभुवमलंकृतवान्? | तगृहाणैतत्पारितोषिकम् । ( इति तस्मै सर्वाङ्गीणाभरण[जात]मुपनयति । कुन्तलं प्रति) कार्यतां पटहप्रदानेन समस्तपुरशोभाः, प्रगुण्यतामगण्या स्नानविधिः आनीयन्तामग्रपूजोपचारसामग्यः । (अभयं प्रति) अमात्य ! सांप्रतप्रतिपन्नेऽर्थे प्रयत्नपरेण भाव्यम् । (वणिजः प्रति) व्रजत यूयं स्वस्वावसथेषु, अस्मिन्नर्थे न काचिच्चिन्ता विधेया । आरक्षक ! त्वमपि स्वनियोगमनुतिष्ठ । वयमपि श्रीवर्धमानस्वामिनं देवाधिदेवमष्टमहाप्रातिहार्य चतुर्विंशत्य (श्चतुस्त्रिंशद) तिशयपरिकलितमाराधयितुं समीहितं साधयामः । ( इति निष्क्रान्ताः सर्वे 1) ॥ तृतीयोऽङ्कः समाप्तः ॥ , ॥ अथ चतुर्थोऽङ्कः ॥ (ततः प्रविशति वञ्जुलः कपिञ्जलश्च) [ १३५ कपिञ्जलः- ततस्तत: ? । वञ्जुल:- तदनन्तरं महामात्यः सर्वतस्तं दिनत्रयं यावदवलोकयामास । कपिञ्जल:- कुत्र कुत्रावलोकित: ? । वञ्जुल: (सनिर्वेदं) यद्यकस्मिन् कस्मिंश्चित्स्थानेऽवलोकितो भवति तत्कथ्यते । . - Page #173 -------------------------------------------------------------------------- ________________ १३६] [प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः बाह्योद्यानमहीषु दैशिकमहाशालास्वथो देवताप्रासादेषु कथाप्रथास्वपि तथा वेश्याङ्गनावेश्मसु । ताम्बूलापणजाङ्गलापणफलद्यूतप्रसन्नापण प्रेक्षास्थानचतुष्पथेषु सततं संवीक्षितस्तस्करः ॥१॥ कपिञ्जल:- लब्धो न वा ? । वञ्जुलः- न लब्धः । कपिञ्जल:- तर्हि विषममापतितमभयस्य । यत: दुरास्कन्दः परास्कन्दी राजाज्ञाऽतिबलीयसी । लोकोऽप्यस्तोकशोकस्तन्न जाने किं भविष्यति ? ॥२॥ वञ्जल:- सखे ! अस्त्येतत्परं प्रत्युत्पन्नमतेर्महामात्यस्य न किमप्यगोचरम् । अपास्य यः स्वशेमुष्या सत्रा सुत्राममंत्रिणा । विश्वोपायनिधेस्तस्य कियद्दस्युपशुग्रहः ?॥३॥ तनिश्चितं तत्किमपि कापटिकं कर्माचरयिष्यति । यस्मिन् वर्यो गज इव स्वयमेवापतिष्यति सः । भवतु तावत्, कथय सांप्रतं देवः वास्ते ? | कपिञ्जल:- मनोरमोद्याने श्रीमन्महावीरव्याख्यामृतमाकर्णयन्नास्ते । वञ्जुल:- व्रज त्वं तर्हि मनोरमोद्यानम् । अहमपि अमात्येन पुराध्यक्षकीनाशरक्षणायादिष्टोऽस्मि । (इत्युभावपि निष्क्रान्तौ ।) ॥ विष्कम्भकः ॥ (ततः प्रविशति रौहिणेयः ।) रौहिणेयः पणीकृत्य निजप्राणान् ये न कुर्युः स्वचिन्तितम् । निस्सारैरतितुच्छेस्तैः पुरुषैः किं तुषैरिव ? ॥४॥ Page #174 -------------------------------------------------------------------------- ________________ चतुर्थोऽङ्कः ] किञ्च चातुर्यं यदि चौर्यकर्मणि यदि स्वस्याद्भुतं साहसं जङ्घालत्वमनर्गलं यदि यदि द्रव्याभिकाङ्क्षा परम् । यद्युच्चैर्जनवञ्चनाचतुरता यद्युल्बणो विक्रमस्तत्किञ्चित्क्रियते यतो भुवि भवेद्धृद्धिः प्रसिद्धिश्च सा ॥५॥ किं तैर्निस्वजनैर्धनैरपि मुहुर्त्रीडाकरैर्लुण्टितैर्येभ्यो न प्रचुराः श्रियो न गणना वीरेषु कीर्तिर्न च । यद्येकस्य चिरादपि क्षितिपते रामां रमां वा हरे चौर्यावार्यमहामलिम्लुचचमूचक्रे तदास्म्यग्रणीः ॥६॥ किन्तु दुस्संचाराणि राजद्वाराणि । यतः सर्वतोऽप्यतिविकटकङ्कटसंटङ्कितपटिष्ठभटसङ्कटेषु न शक्यते प्रवेशः कर्तुम् । नृपतिस्त्वतीवोग्रदण्डप्रचण्डः । यदि कथमपि मामवाप्नोति तन्निश्चितं प्राणितेनापि न जहाति तत्किमनेन प्रचण्डाहितुण्डकण्डूयनकल्पेन नरेन्द्रद्रव्यापहारेण ?, य ग्रहभयं प्राकारमुल्लङ्घय च द्वारारक्षकजागरूकपुरुषान् जित्वा स्वगत्या क्षणात् । नाद्यास्माद्यदि भूपतेर्भुवनतः प्राज्यं हिरण्यं हरे तन्मे लोहखुरः पिता परमतः स्वर्गस्थितो लज्जते ॥७॥ भवतु तावत्, पुरो गच्छामि (इति परिक्रामति । नेपथ्याभिमुखमवलोक्य सविस्मयं ) ................................................... [ १3७ किमेष स्वर्गाणां सहजसुभगो वैभवभरः ? किमु ध्वान्तारातेः स्फुरदुरुमहः पिण्डितमद: ? । किमु प्राप्ता सेयं भुवि शिवसुखस्यैव कमला ? किमेतन्महृष्टेः शुचि रुचि चिरं गोचरमगात् ? ॥८ ॥ (पुनः सम्यगवलोक्य) कथमदः श्रीवर्धमानस्वामिनः समवसरणम् ? ( क्षणं स्मरणमभिनीय) अहो ! अस्य वाक्यमाकर्णयन्निवारितोऽस्मि स्वपित्रा । अयं सकलसुरासुरमनुजसंकुलायां परिषदि सद्धर्ममाचक्षाण Page #175 -------------------------------------------------------------------------- ________________ १३८ । [प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः आस्ते । तत्कथङ्कारं पुरि प्रवेशः कार्य : ? कथं वा स्वपितुर्वचनं पालनीयम् ?, मार्गान्तरानुसरणं च ? संप्रति प्रत्यूहः प्रयोजनानाम् । यतः स्तोकं दिनमवसीयते, ततः किमिदानीमनुसतव्यम् ? | (पुनर्विचिन्त्य) आः ! ज्ञातम्, अस्ति कराङ्गुलीभ्यां नीरन्ध्र कर्णरन्ध्रपिधानं प्रधानमौपयिकम् । (इति तथा कृत्वा द्रुततरं परिक्रामति । कियद्भर्मि गत्वा कण्टकभङ्गमभिनीय च) कथमत्यौत्सुक्यगमनात्कण्टकेन क्षितः पादः । भवतु, पुरं गत्वा कण्टकमपनेष्ये। (इति महता कष्टेन कानिचित्पदानि दत्त्वा) अहह ! क्रमात् क्रममपि न शक्नोमि गन्तुम् । नापरः कश्चिदुपायोऽस्ति कण्टकापनयने । (क्षणं विमृश्य) अस्त्येकः कण्टकापनयनोपायः । यदि दन्तैराकृष्यते तदा निःसरति । (इति तथास्थित एव भूमावुपविश्य पादसंमुखं मुखमाधाय दन्तैः कण्टकमाकर्षति । सवैलक्ष्यं मुखमुदञ्च्य सनिर्वेद) कथं दन्तैरप्याकृष्टो न निःसरति कण्टकः । आः ! समागतः सोऽयं विषमो व्याघ्रदुस्तटीन्यायः । कथमुद्धरिष्ये कण्टकम् ? यदि वा भवतु यत्किमपि भवति । न शक्नोमि क्षणमपि कण्टकपीडामधिसोढुम् । (इति कर्णात्करमाकृष्य पीडामभिनयन्नाटयेनोपविष्ट एव कण्टकमपनयति ।) (नेपथ्ये) निःस्वेदाङ्गाः श्रमविरहिता नीरजोऽम्लानमाल्या अस्पृष्टोीवलयचलना निर्निमेषाक्षिरम्याः । शाश्वद्गोगेऽप्यमलवसना विस्त्रगन्धप्रमुक्ता श्चिन्तामात्रोपजनितमनोवाञ्छितार्थाः सुराः स्युः ॥९॥ रौहिणेयः- (ससंभ्रममुत्थाय सनिर्वेदम्) धिग्मामीदृशकुत्सितैकचरितम्लानीकृतस्वान्वयं शश्वद्विष्टपसंचरिष्णुजनक लोकेन्दुयाम्यात्मजम् । अङ्गीकृत्य तथा स्ववतृवचनं तद्भङ्गतः पाप्मना येनैवं हहहा ! मया बहुतरं जैनं वचः शुश्रुवे ॥१०॥ Page #176 -------------------------------------------------------------------------- ________________ चतुर्थोऽङ्क] [१3८ तद्यावत्पुनः शृणोमि तावदितस्त्वरिततरमपसर्पामि (इति पुनः कर्णी पिधाय त्वरिततरं पुरप्रवेशं नाटयति । पुरोऽवलोक्य साशङ्क) कथमयमभयकुमारः कीनाशेन समं किमप्यस्मिन् शून्यायतने मंत्रयति? । क्रूरग्रहाविवेतावषडक्षीणं यथाभिमन्त्रयतः । तन्मन्ये नहि कुशलं मच्चिन्तितकार्यसंसिद्धेः ॥११॥ श्रूयते चैतत् । यथा, पौरेरुद्वेजितेन राज्ञाऽऽदिष्टोऽस्ति अभयश्चौरनिग्रहे। प्रतिज्ञातमस्ति चानेन । तद्यद्यनागतमेवायतिचिन्ता विधीयते तत्समीचीनं भवति तद्यावदेतावत्र स्तस्तावदहं शालिग्रामे गत्वा दुर्गचण्डं संकेतयामि । (इति निष्क्रान्तः ।) (यथासमीहितं कार्यमाधाय ततः प्रविशति यथानिर्दिष्टोऽभयकुमारः कीनाशश्च ।) अभयकुमार:- ततश्चतुरङ्गामपि चमूं प्रगुणीकृत्य मोक्तव्या त्वया पुराबहिः । कीनाश:- ततस्ततः ? । अभयः- यदान्तर्विशेत्तस्करस्तदा चदुर्दिक्षु पत्तनं बहिर्वेष्टयः । कीनाश:- ततः किं विधेयम् ? । अभयः- ततोऽन्तःप्रविष्टस्त्वत्पुंभिस्त्रासितो विधुदुत्क्षिप्तकिरणेन वप्रमुल्लङ्घयन् स्वयमेव पतिष्यति कुरङ्ग इव वागुरायां बहिःसैन्ये । कीनाश:- (सशिरःकम्पं) अहह ! दीर्घदर्शित्वममात्यस्य । ततस्ततः ? । अभयः- ततः प्रतिभूभ्यामिव निवपादाभ्यामानीतो ग्राह्यः स दस्युपांशुर्नस्ते पदातिभिः(?) । कीनाश:- (सहर्ष) निश्चितं धृत एव भवद्धटितदुर्घटकूटघट्टितः स दस्युपशुः । अहो ! महबुद्धिकौशलममात्यस्य । यदि वा किमत्रोच्यते ?, कार्यसिद्धिविनार्थेन विनास्त्रैविषतां वधः । अचिन्त्यमहिमा कोऽपि प्रपञ्चो धीमतामहो ! ॥१२॥ . Page #177 -------------------------------------------------------------------------- ________________ १४०] अपि च अभय: [ प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः प्रभुत्वं न्यायसंपन्नं सदा दानाद्भुताः श्रियः । शौर्यं सद्बुद्धिसंयुक्तं दुर्लभं त्रयमप्यदः ॥ १३॥ तच्च महामात्यं हिरुक् कस्यान्यस्य ? । (किञ्चिद्विहस्य) अहो ! दाण्डपाशिकप्रकाण्ड ! स्वः शैलं सकलं ग्रसे विघटये तं वज्रिणं स्वर्गतः पाथोधि परिशोषये रविशशिज्योतिः परं संहरे । पातालाद्भुजगाधिपस्फुटफणारत्नावलीरानये मद्बुद्धेः कियदेतदद्भुतमहो ! चौराधमस्य ग्रहः ? ॥१४॥ तत्त्वयाऽस्मिन्नर्थे प्रयत्नपरेण भाव्यम् । वयमपि श्रीश्रेणिकेन्द्रक्रमाम्भोजसपर्याविधिमाधास्यामः । ( इति निष्क्रान्तः ।) कीनाश:- दुःखग्राह्यः खलु मलिम्लुचः । तथा तद्ग्रहे कदाचित्प्राणितस्यापि संदेहः । यदि वा रक्षणीया निजाः प्राणा ग्राह्यश्च स मलिम्लुचः । यद्वदाम्रवणं सेव्यं कार्यं च पितृतर्पणम् ॥१५॥ भवतु, कोऽत्र भोः ! अस्मत्परिजनेषु ? ( प्रविश्य व्याघ्रमुखप्रमुखाः पञ्चषा:) पुरुषा:- समादिशत कृत्यादेशम् । एते वयं तिष्ठामः । कीनाश:- अरे ! भवतां कति कतीह कवचमुद्वहमाना: ? । व्याघ्रमुख :- देव ! सर्वेऽपि समादिष्टेऽर्थे समर्था एवास्महे । ( कीनाशो व्याघ्रमुखस्य कर्णे एवमेव ।) व्याघ्रमुख:- आदेशः प्रमाणम् । कीनाश:- एतमर्थं कुर्वद्भिर्भवद्भिर्न काचित्प्राणप्रतिभीः कार्या । व्याघ्रमुख:- (साहङ्कारं ) देव ! किमिदमादिश्यते ? Page #178 -------------------------------------------------------------------------- ________________ चतुर्थोऽङ्क] [१४१ यद्यपास्तभयातङ्कास्तं बद्ध्वाद्य मलिम्लुचम् । अर्पयामस्तव स्वामिन् ! तन्नूनं त्वत्पदातयः ॥१६॥ कीनाश:- (पश्चिमाशासंमुखमवलोक्य) भीत इवार्को भूत्या आदाय वसु स्वमस्तगिरिमगमत् । क्षयसमयक्षुभितोदधिसमतमसा पूर्यते च मही ॥१७॥ (पूर्वाशामवलोक्य सविस्मयं) अये ! कथमयं प्राचीपुरन्ध्या रोचनाचन्द्रक इव जगन्मनोरोचनश्चन्द्रोऽप्युद्ययौ । तथाहिस्वर्लक्ष्याः किमु कन्दुकः ? किसु रतिप्रीत्योः परोऽष्टापदः ? किं वा पञ्चशरस्य सीधुचषकं ? किं वात्मदर्शो भुवः ? । किं पीयूषमहीरुहस्य कुसुमं ? नायं न चासौ न वा ऽप्येतन्नैव न चैतदभ्रमुकुटः किन्त्वेष शीतद्युतिः ॥१८॥ किञ्च परागरेणूत्करपिञ्जराङ्गं हंसं समीक्ष्य स्मितकैरवस्थम् । मदीयभायमिति प्रहृष्टा चन्द्रोदये नृत्यति चक्रवाकी ॥१९॥ (व्याघ्रमुखं प्रति) स्थाप्यतां सज्जीकृत्य सेनां चतुर्दिक्षु प्राकारस्य बाह्याभ्यन्तरम् । तन्मध्ये एकस्यां दिशि वयं स्थास्यामः । अन्यासु भवद्भिरप्रमत्तैः स्थेयम् । (सर्वेऽपि यथास्थित्या तिष्ठन्ति ।) कीनाश:- (विमृश्य) अरे पिङ्गल ! समादिशास्मदाज्ञया श्वपाकं कर्कटाक्षम् । यथाऽद्य रात्रौ संचरन् रक्षणीयो नागरिकलोकः । प्राक्प्रहरादूर्ध्वं तस्करः शीघ्रं ज्ञाप्यः । (पिङ्गलो निष्क्रम्य यथादिष्टमाधाय च प्रविशति ।) (नेपथ्ये उच्चैःस्वरम्) (क) भो भो लायगिहलोया ! सव्वे वि सुनेध । जे के वि (क) भोः भोः राजगृहलोकाः ! सर्वेऽपि शृणुत । यः कोऽपि युष्माकमद्य रजन्यां प्रथमप्रहरादूर्ध्वं भ्रमिष्यति तस्य तस्करदण्डं राजा करिष्यति । Page #179 -------------------------------------------------------------------------- ________________ १४२] - [प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः तुज्झाणं अज्ज लयनीए पढमपहलाउ उप्पि भमिस्सदि तस्स तक्कलदंडं लाया कलिस्सदि । कीनाश:- (ऊर्ध्वमवलोक्य) अये ! जातो निशीथः, मध्येऽन्तरिक्षमायातः कलङ्कालंकृतः शशी । स्वर्धन्यां षट्पदालीढं पुण्डरीकमिवाबभौ ॥२०॥ समय इदानीं तस्करागमनस्य । (प्रविश्य) [कर्कटाक्षः-] (नीचैःस्वरं) (ख) एसे समागच्छदि के वि । तक्कले आदु अवले के वि त्ति न याणीयदि । कीनाश:- अरे ! क व्रजतीति प्रच्छन्नीभूय निरूपय । (कर्कटाक्षो निष्क्रान्तः ।) कीनाश:- पिङ्गल ! सावधानीकुरु युद्धधीरान् वीरान् । (पिङ्गलस्तथा करोति ।) (ततः प्रविशति चौर्यचर्योचितनेपथ्यो रौहिणेयः ।) रौहिणेयः- (सनिर्वेद) अपरित्यक्तचौर्यस्य न क्षुण्णं मम किञ्चन । जैनं यच्च श्रुतं वाक्यं केवलं मां दुनोति तत् ॥२१॥ (पुनः सर्वतोऽवलोक्य सहर्ष) अहह ! पौरप्रचाररहितं परितः पुरम् । तथाहिसुप्तो निस्सहनिद्रया परिजनः सर्वत्र घोरायते प्रासादेषु विराममापुरखिलाः प्रेक्षाक्षणा दक्षिणाः । रथ्या नागरिकप्रचाररहिता नारक्षकः कोऽपि त ज्जाग]कमपाकृताखिलजगद्धैर्यं हि चौर्यं मम ॥२२॥ (ख) एष समागच्छति कोऽपि । तस्कर उतापरः कोऽपि इति न ज्ञायते । Page #180 -------------------------------------------------------------------------- ________________ चतुर्थोऽङ्क] [१४३ किञ्च- प्राणास्तित्वविधायी कामं निद्राणनिखिलनगरस्य । श्वास इव मन्दमन्दं केवलमनिलः परिस्फुरति ॥२३॥ यदि वा- यदि जागति ततः किं लोकः ? शेते ततः किमत्रार्थे ? । शक्रस्याप्यहमुच्चैः पवन इवागम्यगतिमहिमा ॥२४॥ तदेतद्राजवेश्म प्रविश्य किमप्यपहरामि (इति तदभिमुखं परिक्रामति ।) (नेपथ्ये) (क) अले ! को तुमं । चिट्ठ इह, निवेदेहि अत्ताणयं । रौहिणेयः- (साशङ्क) कथं जागर्त्यद्यापि याम(मि)कः ? । नूनं दृष्टोऽहमनेन तत् क्षणं चण्डिकायतनमनुसरामि । (इति तत्प्रवेशं नाटयति ।) (प्रविश्य पटाक्षेपेण डङ्गाहस्तः) पुरुषः- (क) अले पिंगला ! कथं निद्दायते चिट्ठए ? । एशे तल्लको पलायदि । पिङ्गलः- (कियत्पुंभिः सह सहसा तमुपसर्प) अरे क्वास्ते क्वास्ते ? । कर्कटाक्षः- (हस्तसंज्ञया दर्शयन्) (ख) एशे गच्छदि । पिङ्गल:- अरे पश्यतामपि वपि गतः ? । तदवलोकय तत्पदपद्धतिम् । कर्कटाक्षः- (कियद्भूमिं गत्वाऽवलोक्य च) (ग) अले ! एसा तक्कलपदपद्धई __कच्चाइणीमंदिलं पविट्ठा । (सर्वेऽपि सहसा दुर्गद्वारमनुसरन्ति ।) (प्रावरच (क) अरे ! कस्त्वं । तिष्ठ इह, निवेदयात्मानम् । (क) अरे पिङ्गल ? कथं निद्राणस्तिष्ठति ! एष तस्करः पलायते । (ख) एष गच्छति । (ग) अरे ! एषा तस्करपदपद्धतिः कात्यायनीमन्दिरं प्रविष्टा । Page #181 -------------------------------------------------------------------------- ________________ १४४] रौहिणेयः - (स्वगतं ) कथमागता आरक्षकपुरुषाः ? । कर्कटाक्षः - (डङ्गामुत्पाट्य ) (घ) अले ! मज्झे को तुमं ? | ( रौहिणेयः कोणैकदेशे निलीयते) पिङ्गल: [ प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः (पुरुषान् प्रति) अरे ! अत्यौत्सुक्यतो मध्ये न केनापि प्रवेष्टव्यम् । ( रौहिणेयं प्रति) अरे ! मध्ये कस्त्वम् ? | ( रौहिणेयस्तूष्णीमास्ते ।) कर्कटाक्ष:- (क) अले ! दाले निक्कलेसु । जइ न निक्कलिस्ससि तओ एदाए डंगाए तुमं हणिस्सामि । (इति डङ्गया त्रिचतुः कपाटं घट्टयति ।) रौहिणेयः - ( पुनः स्वगतं ) अहो ! किमतः [ परं ] कार्यम् ? निश्चितं तावद्दैन्यकरणेन पौरुषमेव हार्यते । न वा दैन्यतः किमपि परित्राणम् । तदत्र सुयुद्धं वा सुपलायितं वा न्याय्यम् । पिङ्गलः- अरे ! यदि प्राणितं प्रीणासि तत्प्रकटयात्मानं, येन प्राणत्राणं कुर्मः । नो चेन्निशातसायकैरनेकशस्त्वां निर्भिद्य श्राद्धदेवतातिथिं प्रेषयिष्यामः। रौहिणेयः- (पुनः स्वगतं ) अहो ! शतश: पराजितेभ्य एतेभ्यो दैन्यतः प्राणपरित्राणोपकारः कीदृक् सौहित्यमावहति ? यतः - प्रत्यपकुर्वन् पूर्वं दुनोति चेतः कृतोपकारोऽपि । यत्सुविहितापकारादुपकारः साधिको मृत्युः ॥ २५ ॥ तथैभिः पदातिपांशुभिः सह युद्धमपि न युक्तिमञ्चति । तत्क्षुरिकामाकृष्य सांप्रतं पलायनमेव श्रेयः । पिङ्गलः- अरे ! अन्यजातेः कश्चिदयं न योग्यः सामस्य, किन्तु दण्डस्य, तन्मार्यतामयम् । ( इति सर्वेऽपि शस्त्राण्युत्क्षिपन्ति ।) [ रोहिणेयः - ] ( प्रकाशं साक्षेपं) यदि भवतां पौरुषमस्ति तत्संमुखैर्भाव्यम् । एष (घ) अरे ! मध्ये कस्त्वम् ? | (क) अरे ! कस्त्वं । तिष्ठ इह, निवेदयात्मानम् । Page #182 -------------------------------------------------------------------------- ________________ चतुर्थोऽङ्कः] [१४५ समागच्छामि । (इति क्षुरिकामाकृष्य तन्मध्येन पलायते ।) (सर्वेऽपि सभयमितस्ततः प्रसर्पन्ति ।) पिङ्गल:- रे रे ! कथं पश्यतामपि नश्यति ? । अरे व्याघ्रमुखिप्रमुखाः ! चौरोऽभ्येति तद् गृह्यतां गृह्यतामिति । ____ (सर्वेऽपि तमनुगच्छन्ति ।) रौहिणेयः- (पश्चादभिमुखमवलोक्य स्वगतं) कथं मत्पृष्ठिलग्ना एवागच्छन्त्येते?। तद्यावन्ममाभ्यर्णवर्तिनो भवन्ति तावद्विादुत्क्षिप्तकरणेन प्राकार मुल्लङ्घयामि । (इति तथा करोति ।) व्याघ्रमुख:- (पुरुषैः सह सहसोपसृत्य बहिः सैनिकान् प्रति) रे रे ! झटित्येनं बध्यतां बध्यतां गृह्यतां गृह्यताम् । __ (सर्वोऽपि तं गृहीत्वा बध्नन्ति ।) कीनाश:- अरे ! जीवग्राहं ग्राह्यः । रक्षणीयः सर्वथा शस्त्रघातः । व्याघ्रमुख:- देव ! एष संयम्य धृतोऽस्ति । . कीनाशः- (सहर्ष) अहो ! कौलीनानलप्लुष्टेनापि महामात्यप्रयुक्तप्रपञ्च पय:सिक्तेन चौरग्रहफलैः फलितं पुनर्मत्पुण्यद्रुमेण। (व्याघ्रमुखं प्रति) अरे ! कियती त्रियामा ? । व्याघ्रमुखः- (ऊर्ध्वमवलोक्य) किंचित्कश्मलकांस्यभाजनतुलां धत्ते यथाऽयं शशी ज्योतिश्चक्रमुपाश्नुते दिवि यथा शुष्यत्प्रसूनप्रभाम् । प्रासादेषु यथा घनः प्रसरति प्रातस्त्यतूर्यध्वनिः पूर्वाशाऽपि यथाञ्चते च विभया मन्ये निशा तत्कृशा ॥२५॥ कीनाश:- अरे ! प्रत्यूषं यावत्प्रयत्नतो रक्षणीयः । प्रातर्देवाय दर्शयिष्यामः । __ वयं पुनः क्षणं निद्रासुखमनुभवामः । (इति निष्क्रान्ताः सर्वे ।) ॥ चतुर्थोऽङ्क समाप्तः ॥ Page #183 -------------------------------------------------------------------------- ________________ १४६] [प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः ॥ अथ पञ्चमोऽङ्कः ॥ (ततः प्रविशति कलकण्ठः । कलकण्ठः-(ऊर्ध्वमवलोक्य) कथं विभाता विभावरी ? । अहो ! पूर्वाशामासादयति सहस्रांशुः । तथाहिपादैर्ध्वान्तावकरनिकरं विक्षिपन् धिष्ण्यकीटान् निघ्नन् सन्ध्यारुणरुचिलसच्चारुचूडां दधानः । सिन्दूराभः स्फुरितकिरणप्रौढपिच्छानुदञ्चन् प्राचीनीडाद्विचरति नभोऽहर्पतिस्ताम्रचूडः ॥१॥ (पुनः सनिर्वेद) अहो ! मत्प्रभोर्महामात्यश्रीअभयकुमारस्य पारवश्यवशीकृताशयस्य न प्राप्नुवन्त्यवकाशं चेतसि प्रेयस्योऽपि । अन्यासक्ते जने स्नेहः पारवश्यमथार्थिता । अदातुश्च प्रियालापः कालकूटचतुष्टयी ॥२॥ तद् यदद्य रात्रावपि नासस्तस्करस्तन्न जाने राजा मन्त्रिणः किमप्याधास्यति ? । (नेपथ्ये) लोकास्तिष्ठत निष्ठिताखिलभया रात्रिन्दिवं भ्राम्यत स्वैरं स्वैरमथो पुरे रचयत स्वां धर्मकर्मस्थितिम् । जीवग्राहमहो ! मलिम्लुचपशुः पूर्लोकशोकप्रद स्तैस्तैर्दुर्घटकूटकोटिघटनैरेषोऽद्य बद्ध्वा धृतः ॥३॥ कलकण्ठ:-कथमयं पिङ्गलः सहर्ष व्याहरति ? ।। (ततः प्रविशति पिङ्गलः ।) कलकण्ठः-(तमुपसृत्य ससंभ्रमं) पिङ्गल ! कथं धृतः प्रतिरोधकः ? | पिङ्गलः- (सोल्लास) अत्रार्थेऽपि किं संदेहः ? । धृतः । कलकण्ठः-सांप्रतं तर्हि भवान् व प्रस्थितः ? । पिङ्गल:- पुरारक्षेण देवः क्व तिष्ठति ? इति निरूपणाय प्रेषितोऽस्मि । कलकण्ठः Page #184 -------------------------------------------------------------------------- ________________ पञ्चमोऽङ्क] [१४७ तत्कथय देवः क्वस्ते ? । कलकण्ठः- एष आस्थानोपविष्टोऽस्ति । पिङ्गलः- तर्हि पुरारक्षाय निवेदयामि । कलकण्ठः-अहमपि तस्करव्यतिकरजिज्ञासया सचिवेनादिष्टोऽस्मि । तत्त्वरितं गत्वा सचिवाय विज्ञपयामि । _ (इत्युभावपि निष्क्रान्तौ ।) ॥ विष्कम्भकः ॥ (ततः प्रविशत्यास्थानोपविष्टो राजा सिंहलकुन्तलबन्दिप्रभृतिकश्च परिवारः ।) बन्दी- काष्ठादीर्घदलाकुलं ग्रहगणावश्यायलेशाञ्चितं दिक्कुम्भिभ्रमरावलीवलयितं गङ्गापरागाद्भुतम् । आसीनांशुहिमांशुहंसमिथुनं स्वःशैलकिञ्जल्कभृद् यावत्क्ष्मासरसीरुहं विजयते त्वं देव ! तावज्जय ॥४॥ राजा- (विचिन्त्य सनिर्वेद) येषां शौर्यलता हता न महता दुर्वैरिदावाग्निना न्यायप्रांशुगिरिन च प्रणिहतो दुर्नीतिदम्भोलिना । यैरात्मीययशोभिरिन्दुधवलैर्धात्री पवित्रीकृता मास्ते प्रमदास्पदं त्रिजगतः श्लाध्यास्त एवानिशम् ॥५॥ सिंहल:- देव ! किमिदमादिश्यते ? । कथं भवतामपि न कीर्तनीया कीर्तिः। कश्चित्- (सहर्ष) समुद्भूमिसुतावासः कविराजविराजितः । सदानक्षत्रमालाढ्यः स्वस्तुल्यस्त्वं क्षितिश्वर ! ॥६॥ अपि च- भीमभ्राम्यद्भटेन्द्रोड्डमरसमरभूरङ्गसङ्गप्रभूत प्रोद्भूतोग्रप्रतापप्रसरवशलसत्त्वद्यशोऽन्तर्गतश्रीः । Page #185 -------------------------------------------------------------------------- ________________ १४८] राजा [ प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः उन्माद्यन्मित्रवामावदनकुमुदिनीचन्द्र विश्वम्भरेन्द्र ! स्वर्णाद्रिर्भात्यदभ्राभ्रककृतभवनान्तःस्फुरद्वीपकल्पः ॥ ( क्षणं स्मरणमभिनीय) अरे ! विशुद्धबुद्धिनदीष्णोऽप्यभयो नाद्याप्यलम्भूष्णुस्तस्करनिग्रहकर्मणि । यदि वा अभिधानतोऽभयः, पुनः कर्मणा सोऽपि सभयः । तन्न राजाज्ञामङ्गीकृत्य भयेन सुखलिप्सया वा स्थातुं शक्यते । तदरे ! समाकारय तं सचिवापसदम् । कुन्तल:- आदेश: प्रमाणम् (इति निष्क्रान्त: 1) (नेपथ्ये डिण्डिमध्वनिः कलकलश्च) राजा अरे ! किंनिमित्तोऽयं डिण्डिमध्वनिः कलकलश्च ? सिंहल :- ( नेपथ्याभिमुखमवलोक्य) देव ! यथाऽयं प्रमोदोत्फुल्लमुखः कीनाशः परापतति, यथा चायं पौरेः परितः परीतस्तस्कर इव कश्चिदभ्येति, तथा जाने प्रमोदजन्माऽयं तुमुलः । (ततः प्रविशति हर्षोत्कर्षप्रेङ्खोलितगात्रः कीनाशः करालकरवालकरपुरुषविधृत उभयभुजबद्धो रौहिणेयश्च ।) (कीनाशः सहर्षं राजानं प्रणम्योपविशति ।) राजा ( रौहिणेयं विलोक्य) पुरारक्ष ! कोऽयं तस्कर इव बद्ध: ? । कीनाशः- देव ! सोऽयं नागरिकरोग इवाद्य रात्रौ गृहीतस्तस्करः । राजा अरे ! येनामी मम निर्भया भयजुषः शश्वद्धना निर्धनाः सौस्थ्योल्लासवशाद्विकाशवदना [दारिदीना ] ननाः । हारं हारमहर्निशं धनचयानित्थं जनाश्चक्रिरे सोऽयं किं पशुवन्नियम्य विधृतः प्रागस्करस्तस्करः ? ॥८॥ कीनाश:- (प्रणम्य ) अथ किम् ? । राजा अरे ! कथं कथं दध्रे ? | Page #186 -------------------------------------------------------------------------- ________________ राजा पञ्चमोऽङ्कः] [१४८ कीनाशः- देव ! महामात्यप्रयुक्तयुक्तिमाहात्म्येन । सिंहल:- (विहस्य) देव ! भावतायतं त्यक्त्वा कस्यान्यस्येदृशी मन्त्रशक्तिः?। निस्तापच्छन्नमूर्तिर्व्यसनघनवनप्लोषणे वन्यवह्निनिमन्त्रो यन्त्रतन्त्रौषधिविधिविमुखोऽस्ताञ्जनोऽदृश्यसिद्धः । नियुद्धः शस्त्रबाह्यः श्रमगतिरहितः सैन्यशून्योऽरिघातोऽमात्यस्याचिन्त्यशक्तिर्जगति विजयते कोऽपि बुद्धिप्रपञ्चः ॥९॥ किमद्यापि चिरयत्यमात्यः ? । (ततः प्रविशति कुन्तलेनादिश्यमानमार्गोऽभयकुमारः ।) [कुन्तलः-] देव ! सचिवः प्रणमति । (अभयकुमारो राजानं प्रणम्योपविशति ।) राजा- अमात्य ! यद्भवता प्रतिज्ञातं तन्निहितं स्वबुद्धिकौशलबलेन । प्रचण्डापि सतां बुद्धिर्वैरिणो नयति क्षयम् । शीतलोऽपि हिमः किं न भस्मसात्कुरुते तरून् ? ॥१०॥ अभयकुमार:- देव ! तत्किञ्चित्कुरुते प्राणी कार्यं स्वानुमतं यतः । स्वयमेव पतत्युच्चैर्दुस्तरे व्यसनाम्बधौ ॥११॥ दशा कर्षस्यान्तः क्षिपति किमु कश्चित्प्रसभतः ? किमुच्चैस्तत्पाते शलभहतकं प्रेरयति च ? । परं निष्कच्छेदोज्ज्वलचलशिखामोहितमतिः स्वयं झम्पापाताज्झटिति भजते भस्मपदवीम् ॥१२॥ कीनाश:- देव ! समादिश्यतां तस्करनिग्रहव्यतिकरे । राजा- यथा न्याय्यं सतां त्राणमसतां निग्रहस्तथा । तस्मान्निग्राह्य एवासौ प्राणितव्यापहारतः ॥१३॥ कीनाशः- [आदेशः] प्रमाणम् । (इत्यभिधाय) पिङ्गल ! एष द्वार एवास्ते कर्कटाक्षस्तं त्वरितमाकारय । किञ्च Page #187 -------------------------------------------------------------------------- ________________ १५० ] (पिङ्गलो निष्क्रम्य सश्वपाकः प्रविशति ।) कर्कटाक्ष : - (प्रणम्य ) (क) भष्टा ! एदे चिट्ठम्ह । कीनाश:- अरे कर्कटाक्ष ! रासभमानय । कर्कटाक्ष:- (ख) एदे लासभं समानेमो । ( इति निष्क्रान्तः 1) अभयकुमार:- (रौहिणेयमवलोक्य) [ प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः आबद्धोरुयुगो युगायतभुजः पिङ्गस्फुरल्लोचनो रूक्षाग्रोदुषितातिकर्कशकचः क्रूरः करालाकृतिः । वक्रभ्रुकुटिसंपुटप्रकटितान्तः क्रोधबोधोद्धुरः संपूर्णाखिलचौरलक्षणधर चौरोऽयमन्यो नहि ॥१४॥ कीनाश:- अरे ! दुराचारं चौरमेतं कृतवध्यनेपथ्यं पुरपथेषु भ्रमयित्वा शूलाप्रोतं कुरु । श्वपाकः- (क) एवं कलेमो । (तथा कृत्वा तस्करमुत्पाट्य गर्दभमारोपयति ।) कीनाश:- ( तमालोक्य) अहो ! सुरेखवध्यवेषं कारितवानेनं कर्कटाक्षः । चूर्णेनाप्रपदीनभूषिततनुः कृष्णाम्बुलिप्ताननः प्रेङ्खत्केशभरः कुकाहलरवाहूतप्रजावेष्टितः । आरूढः खरमेष रक्तकुसुमस्त्रक्छोभितोरः स्थितिर्जातस्तत्खलु कालरात्रिवनिताभिष्वङ्गरङ्गोत्सुकः ॥१५॥ अभयकुमारः- देव ! किमेतदपर्यालोचितं कर्म ? केयं न्यायबाह्यता ? । केयं दुर्नीतिनिष्ठा ? । केयमयुक्तिप्रतिष्ठा ? | राजा- अमात्य ! दुष्टनिग्रहः शिष्टपालनं च राज्ञां धर्मः । ततस्तदनुवादं विदधतामस्माकं कीदृशी न्यायबाह्यता ? । अभयकुमार:- अलोप्त्रहस्तचौरोऽपि दण्डमर्हति वा न वा ? । इति स्वबुद्धिनैपुण्याद्देव ! सम्यग् विभाव्यताम् ॥१६॥ (क) भर्त्तः ! एते तिष्ठामः । (ख) एते रासभं समानयामः । (क) एवं कुर्मः । Page #188 -------------------------------------------------------------------------- ________________ राजा पञ्चमोऽङ्कः] [ १५१ राजा- (ईषद्विहस्य) अमात्य ! भवानेवात्रार्थे नदीष्णः, तद्विचार्यतां यथावस्थितम् । [अभयकुमार:-] देव ! ईदृशी राजनीतिः, यदि चौर: सलोजहस्तः प्राप्यतेऽथवा स्वयमात्मानमाविष्करोति ततो दण्डार्हो नान्यथेति । राजा- लोखं तावन्नास्ति, ततः किं विधेयम् ? । अभयकुमार:- तर्हि गर्दभादुत्तार्यायमेवापृच्छयताम् । अरे श्वपाक ! उत्तारयैनं रासभात् । (श्वपाकस्तथा करोति ।) (रौहिणेयं प्रति) अरे ! कस्त्वम् ?, कुत्रत्यः ?, कीदृक्षः ?, किमाजीविकः ?, किमर्थमत्रागतोऽसि ? ।। रौहिणेयः- (स्वगत) निश्चितं यत्तात्कालिकमेव प्राणप्रहाणं न संजज्ञे तन्नूनं दैवस्याप्यगम्यः । तनिवेदयामि पूर्वसूत्रितम् (प्रकाशं) देव ! . शालिग्रामवास्तव्यो दुर्गचण्डाभिधः कौटुम्बिकः कृषिजीवी प्रयोजनवशेनेहायातः । ततस्ततः ?। रौहिणेयः- ततः स्वजनाभावाच्चण्डिकायतने शयित आक्षिप्तो रक्षोभिरिवारक्षक पुरुषैः । प्राणभयाद्ग्रामेयकत्वाच्च तथाविधं प्रत्युत्तरमजानन् प्राकारमलङ्घयमहम् । अभयकुमार:- (स्वगतं) [अहो !]कूटैकपाटवं पाटच्चरस्य । राजा- अहो ! महाविस्मयकारी कथारसः । ततस्ततः ? । रौहिणेयः- ततः कथं कथमपि मध्यारक्षविनिर्यातो बाह्यारक्षेषु कैवर्तहस्तस्रस्तो जाले जलचर इवापतम् । राजा- (ससंभ्रमं) ततस्ततः ? । रौहिणेयः- ततो निरपराधोऽपि बद्ध्वा चौर इवाधुना । अहमेभिरिहानीतो नीतिसारं विचारय ॥१७॥ राजा जाल जलप Page #189 -------------------------------------------------------------------------- ________________ राजा १५२ ] [प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः राजा- (अपवार्य) अमात्य ! शालिग्रामवास्तव्योऽहमिति यदसौ ब्रवीति इतिस्वरूपनिरूपणाय प्रेष्यतां तत्र जाचिकं कमपि पौरुषम् । अभयकुमार:-आदेशः प्रमाणम् । कोऽत्र भोः ! अस्मत्परिजनेषु ? । (प्रविश्य) शीघ्रगतिः- (क) एसोऽहमादिसदु सामी । __(अभयः शीघ्रगतेः कर्णे एवमेव ।) शीघ्रगतिः- (ख) एस सिग्घमागमिस्सामि (इति निष्क्रान्तः ।) रौहिणेयः- (स्वगत) निश्चितं मच्छुद्धिजिज्ञासया प्रेषितः शालिग्राममसौ । ग्रामिकस्त्वग्रेऽपि संकेतं ग्राहितोऽस्ति, अतोऽत्रार्थे न काचित्प्रतिभीः । अरे ! शठोत्तरैर्न किमपि प्राणत्राणम् । ततो यदि जीवितमीहसे तत्सत्यमावेदय । रौहिणेयः- देव ! यद्यवश्यं देवस्य मत्प्राणितेन प्रयोजनं तद् गृह्णातु । यत्तु मया विज्ञप्तं तन्नान्यथा । तत्किमेवं मुधा पुनः पुनः प्रश्नेनात्मान मायासयति देवः ? । कीनाशः- अरे ! यदि सत्यमावेदयसि तदेकवारं जीवन्तं मोचयामि । रौहिणेयः- पुराध्यक्ष ! किमेवमभिदधासिं?। निनिमित्तकौलीनकल्मष-कलङ्कि तोऽतः परं स्वयमेव मृत्युं स्पृहयालुरहम् । किं चातः परं मम जीवितव्येन ? । निष्कारणकौलीनाग्निप्लुष्टा यन्न मृत्युमञ्चन्ति । शङ्के कौलीनोपरि चूला चिरजीवितं तेषाम् ॥१८॥ पिङ्गलः- (सोपहासं) साधु ! भो यथावस्थितवादिन् ! साधु त्वम् । अमात्यः- कस्येदृशी विरागता ?, नूनमनेन निष्कारणकौलीनकल्मषदूषणेन प्राणितमपि त्यक्ष्यसि । (क) एषोऽहमादिशतु स्वामी । (ख) एष शीघ्रमागमिष्यामि । Page #190 -------------------------------------------------------------------------- ________________ पञ्चमोऽङ्कः] [१५३ (सर्वे हसन्ति ।) (रौहिणेयः सेय॑वैलक्ष्यं तूष्णीमास्ते ।) अभयकुमार:- (नेपथ्याभिमुखवलोक्य) कथं समागत एव शीघ्रगतिः?, अहो ! शीघ्रगामित्वमस्य । (ततः प्रविशति शीघ्रगतिः ।) (शीघ्रगतिरमात्यमुपसृत्य अमात्यस्य कर्णे एवमेव ।) अभयकुमार:- हुं ज्ञातम् । व्रज त्वम् । (शीघ्रगतिनिष्क्रान्तः ।) राजा- अमात्य ! किं कथितवानयम् ? । अभयकुमार:- (अपवार्य) देव ! शीघ्रगतिपृष्टैामीणैरित्युक्तम्, विद्यतेऽत्र ग्राम वास्तव्यो दुर्गचण्डः । परं ग्रामान्तरं गतोऽस्ति । राजा- (सशिरःकम्प) अहो ! केषांचिच्चौराणामप्यायतिचिन्तनम् । अमात्य ! किमत्र प्रभूतविचारविस्तरेण ? । तावदयं तस्करः । अमुमर्थं ब्रह्मापि न विघटयति । अभयकुमार:-देव ! यद्देवपादाः समादिशन्ति तत्तदेव । न शक्या नीतिरुल्लङ्घ यितुम्। राजा- तर्हि एवं मोक्तुमपि न पार्यते । तथा च यदि कथमप्ययं करात्प्रच्युतस्तनिश्चितं हनूमानिवाधास्यति समस्तपुरे लङ्कोपप्लवम् । तद्यदि केनाप्युपायेन ज्ञात्वा निगृह्यते तत्प्रजासौख्यं भवति । अभयकुमार:-देव ! यद् दुष्प्रापं तदाप्तम् । सांप्रतं च यथा यथा ज्ञास्यते तथा तथा यतिष्ये । तदत्रार्थे न काचिच्चिन्ता विधेया देवेन । राजा- अमात्य ! यः किल संदर्शितप्राणभयेनापि न ज्ञातः स कथमन्यैरुपायैर्ज्ञातुं शक्यते ? । अभयकुमार:- देव ! किमिदमादिश्यते ?, नो मंत्रैर्न घनैर्धनैर्न च वपुःशक्त्या न शस्त्रैः शितैः न क्रोधोद्भुततुण्डताण्डवबलै संख्यसंख्यैरपि । Page #191 -------------------------------------------------------------------------- ________________ १५४1 [प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः नाम्भोधिप्लवनेन न प्रभुतया कर्तुं क्षमो यन्नर स्तन्निस्सीमनदीष्णबुद्धिविभवः कार्यं करोति क्षणात् ॥१९॥ राजा- पुरारक्ष ! एनं निबिडनिगडजडितं कुरु । कीनाश:- पिङ्गल ! निगडान्यानय । (पिङ्गलो निष्क्रम्य निगडानि गृहीत्वा प्रविशति ।) (कीनाशो निगडान्यादाय नाट्येन रौहिणेयपादयोः क्षिपति ।) राजा- (भुजबन्धनान्(नि) विमोच्य) सुगुसगुप्तो धार्य : । कीनाशः- (रौहिणेयं प्रति साधिक्षेप) अरे ! अग्रतो भव । (रौहिणेयो निगडजडितपादो मन्दं मन्दं परिक्रामति ।) अभयकुमार:- (सविस्मितं) हर्षस्मेरपुराङ्गनाश्रुतिपुटे कुर्वन् सुधासेचनं हेलोल्लासितकौतुकस्मितदृशां पुंसां मनो मोदयन् । यच्छनिष्कलहस्ततालतुमुलोत्तालार्भकानां मुदं व्युत्तस्थौ बहलश्चलच्चलनयोहञ्जीरहेषारवः ॥२०॥ (नेपथ्ये) दुर्वारप्रसरत्प्रतापनिकरैः पृथ्वीपुरं पूरयन् निःशेषामपि विश्वविस्तृतपरच्छायां शनैः संहरन् । शश्चद्भास्वदखण्डमण्डलधरः स्वामिन्ननन्तोदयो लोकस्यैष भवानिवाम्बरमणिर्मध्यस्थभावं ययौ ॥२१॥ अमात्य ! सांप्रतं मध्याह्नसंध्या [समयः । .....] शयं ज्ञात्वा एनमागस्कारिणं केनाप्युपायेन शीघ्रमस्माकं विज्ञाप्यम् । पुरारक्ष ! महाप्रयत्नेन रक्षणीयोऽयमद्यतनी यामिनीम् । तवजत यूयं निजावसथम् । वयमप्यवश्यकृत्यमाधास्यामः । (इति निष्क्रान्ताः सर्वे ।) ॥ पञ्चमोऽङ्कः समाप्तः ॥ राजा Page #192 -------------------------------------------------------------------------- ________________ तथा षष्ठोऽङ्कः] [१५५ ॥ अथ षष्ठोऽङ्कः ॥ (ततः प्रविशति मञ्जीरकप्रतीहारः ।) प्रतीहार:- (विमृश्य) यद्यप्यतिनिन्द्यमदस्तथापि दुःसाध्यवस्तुसंसिद्ध्यै । त्यक्त्वा कैतवमेकं नूनं नान्यत्किमप्यस्ति ॥१॥ बुद्धिः श्रीअभयस्य विश्वहृदयाभिप्रायसंदर्शिनी दस्युः साचिवगूढकैतवगतेदुर्लक्षचेताः पुनः । राजा दुर्गहचौरनिग्रहमहाग्राहोग्रचित्तस्थितिमूढः कार्यविधिस्ततः कथमहो ! सिद्धि समारोक्ष्यति ?॥२॥ यदि वा केयं मम स्वनियोगाभिघाताभिधायिनी परव्यापारचिन्ता?। ततः स्वनियोगमनुतिष्ठामि । (इति परिकामति । पुरोऽवलोक्य) किमयं नाट्याचार्यो भरतः परापतति ? । (ततः प्रविशति भरतः ।) प्रतीहार:- (तमुपसृत्य) सखे ! कथय, शस्तनेऽहनि यदादिष्टममात्येन तन्निखिलमप्यनुष्ठितं भवता ? | भरत:- अथ किम् ? । प्रतीहार:- किं किम् ? । भरतः वारवेश्याङ्गनानां समानलावण्यादिसंपदोपेताः प्रगुणिताश्चन्द्रलेखाद्याश्चतस्रोऽग्रमहिष्यः । तथा शृङ्गारवतीप्रमुखाः पञ्चषा नर्तक्यः । अन्यदपि गायनीवैणिकवैणविकमार्दङ्गिकं सर्वं दिव्यमिव प्रगुणितमास्ते । तथा चायमभिनवः प्रासादस्त्रिदशविमानमिवामात्येन सज्जितोऽस्ति। सांप्रतं भवांश्च क्व प्रस्थितः ? । प्रतीहार:- सचिवेन चन्द्रहासासुराया: समादिष्टोऽस्मि । भरतः- तद् व्रज त्वं स्वप्रयोजनं कुरु । अहमप्यमात्यादिष्टमनुतिष्ठामि । (इत्युभावपि निष्कान्तौ ।) ॥ विष्कम्भकः ॥ Page #193 -------------------------------------------------------------------------- ________________ भरत: १५६] [ प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः (ततः प्रविशति व्यपनीतनिगड: कादम्बरीसंवृतचैतन्यः प्रशस्यदेवदूष्यः प्रसाधितप्रसाधनः शय्यातलमधिशयितो रौहिणेयः सर्वगन्धर्ववर्गपरिवृतो भरतः प्रतीहारश्च ।) (सहर्ष) प्रविष्टा एव प्रासादमध्यम् । अहो ! चारिमा प्रासादस्य। चञ्चच्चामीकरार्चिनिचयनिचुलितानन्तरत्रासपत्नस्फूर्जद्दण्डप्रणद्धध्वजपटविकटोद्वेलदग्राङ्गुलीभिः । स्नेहेनेव प्रकामं त्रिदशविसरमाकारयन्निःसमश्रीः रम्यं हयं तदेतत्कलयति सकलां सद्विमानैकलीलाम् ॥३॥ (वारविलासिनीरवलोक्य च सानन्द) अहो ! सुसदृशीं स्वर्नायिकाभूमिका गृहीतवत्यो भवत्यः । विस्पष्टहाटककिरीटविटङ्कि शीर्ष दोर्वल्लरी वलयिता वलयावलीभिः । हारस्त्रगुद्धरपयोधरभारहारि वक्षस्तनुः प्रतनुदैवतवस्त्रचित्रा ॥४॥ चन्द्रलेखे ! पत्रलेखासहितया भवत्या तस्करस्य दक्षिणाङ्गे स्थेयम्। ज्योतिप्रभे ! विद्युत्प्रभासहितया भवत्या तस्करस्य वामाङ्गे स्थेयम् । शृङ्गारवति ! त्वया समादिष्टनर्तकीभिः सह तस्य पुरो नृत्यं विधेयम्। (गन्धर्वकान् प्रति) अरे ! भवद्भिः संगीतकाय प्रगुणैर्भाव्यम् । यस्मिन्नवसरे लब्धचैतन्योऽयमुत्तिष्ठते ततः सर्वैरपि स्वस्वनियोगः कार्य : । (प्रविश्य) पुरुषः- मञ्जीरक ! सचिवः समाकारयति । (मञ्जीरकः पुरुषेण सह निष्कान्तः ।) (रौहिणेयः किञ्चिच्चेतनामास्थाय सहसोत्थानं नाटयति ।) सर्वेऽपि- (ससंभ्रममुच्चेःस्वर) अहो ! अद्यास्माकमनिर्वचनीया काचित्पुण्य परिणतिः । सफलीजातश्चाद्य त्रिदशावासः । यतस्त्व Page #194 -------------------------------------------------------------------------- ________________ षष्ठोऽङ्कः] [१५७ मस्माभिनिःस्वामिकैः स्वामी प्राप्तः । अस्मिन्महाविमाने त्वमुत्पन्नस्त्रिदशोऽधुना । अस्माकं स्वामी भूतोऽसि त्वदीयाः किङ्करा वयम् ॥५॥ जय त्वं नन्द त्वं त्वमिह भज मङ्गल्यमतुलं त्वमेकः स्वःश्लाघ्यस्त्वमुदयपदं त्वं सुखनिधिः । त्वमेकः कल्याणी त्वमसि परमानन्दपदवी जितांस्त्रायस्व त्वं त्वमजितसुरान् दण्डय विभो ! ॥६॥ अपि च- स्वामिन् ! निःस्वामिभावोल्लसदसममनोदुःखदावानलोग्र ज्वालाव्यालोलमालामुकुलितमनसां नित्यमस्माकमुच्चैः । अस्याश्च स्वर्गलक्ष्याः प्रवरतरविमानस्य चास्य प्रभुत्वं व्याधाय प्राच्यपुण्योपचयतरुफलं स्वैरमास्वादयस्व ॥७॥ तथा च सज्जीवस्मरचारुचापकुटिलभूक्षेपवक्रेक्षणैः स्निग्धाविष्कृतहृद्यभावजनितप्रीतिप्रकर्षोद्गमाः । एताः स्वामिवियोगदग्धहृदयाः स्नेहोल्लसन्मन्मथाः पुण्यप्राप्यनिजाङ्गसङ्गवशतः संप्रीणयः स्वःस्त्रियः ॥८॥ (गन्धर्वकः समहस्तकानन्तरं संगीतकमारभते ।) रौहिणेयः- (सर्वतः प्रासादमवलोक्य सविस्मयं) अहो ! त्रिदशविमानस्य रामणीयकगुणः । प्राग्रप्रत्यग्रपुष्पप्रकरविरचितोल्लोचमुद्गच्छदच्छज्योत्स्नाभिः सन्मणीनामुडुपथविहितस्वर्गिचापप्रपञ्चम् । मुक्ताहाराभिरामप्रचुरतरमणिस्तम्भविभ्राजमानं रूपप्राशस्त्यशौण्डत्रिदशभृतमहो ! सद्विमानं तदेतत् ॥१॥ (पुनर्तृत्तमवलोक्य साश्चर्य) Page #195 -------------------------------------------------------------------------- ________________ १५८] शृङ्गारस्मरमन्थराङ्गनततिश्चारीभिरत्यद्भुता निर्यत्कान्तकटाक्षलक्षलहरीव्याक्षिप्तरङ्गाङ्गणाः । [ प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः उद्वेल्लद्भुजवल्लिकम्पनघना पीनस्तनास्कन्दनैस्तुद्यत्कञ्चकसंधिबन्धनमहो ! नृत्यन्ति देवाङ्गनाः ॥१०॥ अपि च- न्यञ्चत्पञ्चमकाकलीकवचिताः श्रोत्रामृतं गीतयो भावोल्लासविलासिलास्यललितं नेत्रोत्सवः स्वर्गिणाम् । नृत्यं नर्तितष्टबर्हिणकुलो मन्दो मृदङ्गध्वनिः स्पष्टीभूतसमस्त भारतगुणः प्रेक्षाक्षणः कोऽप्यहो ! ॥ ११ ॥ चन्द्रलेखा (सप्रश्रयं) (क) पुन्निक्कलब्भतुहरूवनिरूवणाहि उम्मत्तनित्तुलमहानिलसंपलित्तं । अंगं नियंगसुहसंगसुहारसेणं पाणेस ! पीणय विहित्तु मइ प्पसादं ॥१२॥ पत्रलेखा - (क) तं पुन्नं परिपागमागदमहो ! नीसेससग्गंगणासोहग्गाहिगमे विसेसयपदं संपाविदं संपदं । अच्वत्थं चिरचितिदेहि फलिदं पत्तं पहुंत्तं परं जं जादो तुम मंजु [मंजु] लमहो ! अम्हाण पाणप्पिओ ॥ १३ ॥ ता माणिणीमीणज्झय ! परप्पणयसिणिद्धवयणेहिं सिणेहसणाहहिययाओ संभासेसु अम्हे । (रौहिणेयो विस्मितमनास्तूष्णीमास्ते ।) (क) पुण्यैकलभ्यत्वद्रूपनिरूपणादुन्मत्तनिस्तुलमहानिलसंप्रदीप्तम् । अङ्ग निजाङ्गशुभसङ्गसुधारसेन प्राणेश ! प्रीणय विधाय मयि प्रसादम् ॥ (क) तत्पुण्यं परिपाकमागतमहो ! निश्शेषस्वर्गाङ्गना सौभाग्याधिगमे विशेषकपदं संप्राप्तं सांप्रतम् । अत्यर्थं चिरचिन्तितैः फलितं प्राप्तं प्रभुत्वं परं यज्जातस्त्वं मञ्जुमञ्जुलमहो ! अस्माकं प्राणप्रियः ॥ तन्मानिनीमीनध्वज ! परप्रणयस्निग्धवचनैः स्नेहसनाथहृदयः संभाषयास्मान् । Page #196 -------------------------------------------------------------------------- ________________ षष्ठोऽङ्क] [१५८ ज्योतिप्रभा-(सोपालम्भमिव) (क) भइणिए ! निन्नेहेहिं सद्धि नेहनिद्धवयण विन्नासो सुक्ककवोलचुंबणमिव कं परभागं पउणेदि ? । जदो एस वाचंजमो इव मोणव्वयधारी । तुम्हे उण सिणेहसारेहि वयणवियारेहि निरत्थयं संतम्मेह । रौहिणेयः- (सरोमाञ्चं सानुनयं च) देवि ! भुवनमनश्चकोरचन्द्रिके ! किमेवमनुचितमभिदधासि ? । यन्नामापि हि संमदैकभवनं मूर्छन्मनोजन्मनो जीवातुर्जगतां च कार्मणविधौ मुख्यं च बीजाक्षरम् । किं च प्रेमविसंस्थुलाः परिलसत्काण्डीरमारोत्कटा यद्येताः स्वयमाश्रयन्ति तदहो ! इन्द्रोऽपि किं नेच्छति ? ॥ अपि च- शश्वद्दास्यमपास्य गौरवगुणं धत्ते बिडौजा अपि श्रीकण्ठोऽपि वशंवदस्त्यजति न प्रेमोन्मनाः संगमम् । विष्णुविष्टपवन्दितोऽपि नमति स्नेहैकचाटुस्मिते ! यासां ताः सुकृतोद्गमेन महता स्निह्यन्ति कस्याप्यहो ! ॥ विद्युत्प्राभ- (सप्रणयमिव)(ख) नीसेससग्गसीमन्तिणीमाणसरायहंस ! तुम्हारिस सुमणुसरयणेहि सणाहाओ विबुहवहूओ किं न सोहग्गपडायमवहरंति?। किंतु पुव्वोवज्जियपुनपावणिज्जं अम्हारिसीणं तुम्हारिसेहि संजणियसग्गिक्कसोहग्गेहि सणाहत्तणं अचिरवालिओ य सिणेहसंबंधो जादो । (क) भगिनिके ! निःस्नेहैः सार्धं स्नेहस्निग्धवचनविन्यासो शुष्ककपोलचुम्बनमिव कं परभागं प्रगुणयति ? ! यत एष वाचंयम इव मौनव्रतधारी । यूयं पुनः स्नेहसारैः वचनविचारैर्निरर्थकं संताम्यथ । निःशेषस्वर्गसीमन्तिनीमानसराजहंस । युष्मादृशसुमनुष्यरत्नैः सनाथाः विबुधवध्वः किं न सौभाग्यपताकामपहरन्ति ? । किन्तु पूर्वोपार्जितपुण्यप्रापणीयं अस्मादृशीनां युष्मादृशैः संजनितस्वगैकसौभाग्यैः सनाथत्वमचिरपालितश्च स्नेहसंबन्धो जातः। सर्वाङ्गानुस्थितोऽपि खलु सम्यक्परमौषधीभी रसितोऽपि । सततं रसेव स्नेहः विरलस्य स्थिरत्वमुपैति ॥ Page #197 -------------------------------------------------------------------------- ________________ [ प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः सव्वंगणुचिट्ठो वि हु सम्मं परमोसहीहि रसिओ वि । सययं रस व्व नेहो विरलस्स थिरत्तणमुवेइ ॥ १६ ॥ अम्हाणं च पुणो १६०] कंपोऊरेसु णिच्चं पसरदि हियए निब्भरो सासपूरो कामं कंचीकलावो खसदि विलुलए बंधणा केसपासो । ढिल्लं जादं वरिल्लं विलसदि सयले रोमराई सरीरे जादा दे दंसणादो सुहय ! समहियं कामदुत्था अवस्था ॥ (प्रविश्य पटाक्षेपेण) प्रतीहारः- (स्वर्णदण्डमुत्पाट्य साक्षेपमिव) अरे ! अप्रस्तावे किमारब्धमदः ? । गन्धर्वका:-(सभयमिव ) प्रतीहार ! दर्शयितुमारब्धं स्वस्वामिनः स्वकं कलाकौशलम् । [ प्रतीहार:- ] किन्तु कार्यतां स्वर्लोकाचारम् । गन्धर्वकाः कीदृक्षस्त्रिविष्टपाचार: ? । प्रतीहार:- अरे ! किमेतदपि विस्मृतं भवता ? । यतः यः किलात्र त्रिदशः समुत्पद्यते स प्राक्तने स्वे सुकृतदुष्कृते प्रथममाख्याति, ततः स्वर्भोगाननुभवितुमर्हति । गन्धर्वका :- (सविनयमिव ) प्रतीहार ! प्रसीदास्माकमेकवारं विस्मृतम् । यतः सर्वमदः स्वस्वामिलाभोत्कर्षितचेतसां तत्कार्यतां त्रिदिवाचारम् । प्रतीहार:- ( रौहिणेयमुपसृत्य ) अहो ! प्रेषितोऽस्म्यहमद्य संक्रन्दनेन । यथा कारय नव्योत्पन्नं स्वर्गौकसं स्व:स्थित (ति)म् । तत्कथ्यतां मनुजजन्मोपार्जिते स्वशुभाशुभे । ततः स्वर्गिभोगान् भुङ्क्ष्व । रौहिणेयः- (मदपरिणतौ सम्यक्चेतनामास्थाय स्वगतं ) अहो ! किमदः सत्यम् ?, अस्माकं च पुनः कम्प ऊर्वोर्नित्यं प्रसरति हृदये निर्भर: श्वासपूर: कामं काञ्चीकलापः स्खलति विलोलति बन्धनात्केशपाशः । शिथिलं जातं.... [ उपरितनं] विलसति सकले रोमराजी शरीरे जाता ते दर्शनात्सुभग ! समधिकं कामदुःस्थावस्था ॥ Page #198 -------------------------------------------------------------------------- ________________ षष्ठोऽङ्कः] [१६१ तत्कि सत्यमेवाहं सुरः संपन्नः ? । यतः सर्वोऽपि दिव्यद्धिवधितप्रमोदोन्मदिष्णुः स्वर्गिवर्गो ममाभ्यर्णचरः । यदि वा नूनमदः किमपि कापटिकं मद्भवजिज्ञासयाऽभयेन चक्रे । अहं तु शुण्डाशौण्डताण्डवविडम्बितमना ईदृगवस्थां प्राप्यापनीतनिगडोऽत्र शायितः । अन्यथाक स्वर्गः पुण्यलभ्योऽसौ ? वाहं निष्पुण्यकाग्रणीः ? । अन्तःपुरप्रदेशं किं कदाचिल्लभतेऽन्त्यजः ? ॥१८॥ तत्कथं ज्ञेयमदः ? । यदि वा ज्ञातम् । यदि कण्टकोद्धारकालकलितं भगवद्वचः संवादिष्यते तत्सत्यं निवेदयिष्ये । नो चेदन्यथोत्तरं करिष्ये । (इति तान् वीक्ष्य) अहो ! भगवर्णितस्वर्गिस्वरूपबाह्या एते । यतः स्वेदस्विनगात्राः क्षितितलस्पृशः म्लानमाल्या लङ्कारास्तन्निश्चितमदः कैतवम् । प्रतीहार:- अहो ! किमिति चिन्ताञ्चितचेता मौनमालम्बसे ? । प्रथय यथावस्थितम् । उन्मनाः सर्वोऽपि स्वर्लोकस्त्ववृत्ताकर्णने । रौहिणेयः- श्रूयतामस्मवृत्तान्तः । (सर्वेऽपि ससंभ्रममिवाकर्णयन्ति ।) रौहिणेयः- दत्तं पात्रेषु दानं नयनिचितधनैश्चक्रिरे शैलकल्पा न्युच्चैश्चैत्यानि चित्राः शिवसुखफलदाः कल्पितास्तीर्थयात्राः। चक्रे सेवा गुरूणामनुपमविधिना ताः सपर्या जिनानां बिम्बानि स्थापितानि प्रतिकलममलं ध्यातमर्हद्वचश्च ॥१९॥ सर्वेऽपि- (ससंभ्रममिव सशिरःकम्पं) अहो ! अस्मत्प्रभोः सत्कृत्यपवित्रं चरित्रम् । प्रतीहारः- ज्ञातमदस्तावत्त्वदीयं सर्वमवदातम् । सांप्रतं दुश्चरितं प्रथय । रौहिणेयः- प्रतीहार ! अर्हदहिरतेनोच्चैः साधुसंसर्गशालिना । दुश्चरित्रं मया क्वापि कदाचिदपि नो कृतम् ॥२०॥ Page #199 -------------------------------------------------------------------------- ________________ वागटना १६२] [प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः प्रतीहार:- भवाभ्यासोन्मीलत्कलुषपटलच्छन्नमनसां स्वभावेनैकेन व्रजति हि नृणां जन्मनि ततः । . परस्त्रीसङ्गान्यद्रविणहरणद्यूतकरण प्रभृत्याचीर्णं यत्कुचरितमपि स्वं कथय तत् ॥२१॥ रौहिणेयः- किमत्रार्थे प्रष्टव्यम् ? । आत्मनैव प्रकटितोऽयमर्थ : । यतः किं कदाचिदारोहति पर्वतशिरः पङ्गः ?, किं वा कुणिनिःसपत्नरत्नाकर तर्तुमलम्भूष्णुः ?, किं वा पापप्रसक्तः प्राणी स्वः प्राप्नोति ? । अपि च पीनोत्तुङ्गघनस्तनस्मयचयस्फाराङ्गवाराङ्गनास्फीतं हाटककोटिकुट्टिमतटं स्वर्वैभवोद्भासितम् ? । यद्येवंविधचेष्टितैः कथमपि प्राणी भवेत्कुत्सितः स्तरिक रम्यविमानमेतदसमं प्राप्नोत्यदश्चिन्त्यताम् ॥२२॥ प्रतीहार:- (सनिर्वेदमपवार्य भरतं प्रति) सचिवसंचितप्रपञ्चैर्मयैवं तर्कितोऽपि न लक्षितोऽस्याभिप्रायः । तन्मन्त्रिणो यथावस्थितं विज्ञप्यते । एष आस्थानोपविष्टेन राज्ञा महामात्यस्तस्कव्यतिकरं जिज्ञासमान आस्ते । (ततः प्रविशति यथानिर्दिष्टो राजा अभयश्च ।) अभयः- (अपवार्य) प्रतीहार ! ज्ञातः किं कश्चिच्चौराभिप्राय: ? । प्रतीहार:- मन्त्रिमण्डलप्रकाण्ड ! निःस्वाननानि यत्पृष्ठे स्फोटितानि सहस्रशः । वित्रस्यति स किं वापि कांस्यतालैः क्रमेलकः ? ॥२३॥ वज्रसारहृदयस्यास्य न किञ्चित्त्वदुपायसितायःसूचिभिभिद्यते । अभय:- प्रपञ्चचतुरोऽप्युच्चैरहमेतेन वञ्चितः । वञ्च्यन्ते वञ्चनादक्षैर्दक्षा अपि कदाचन ॥२४॥ राजा- अमात्य ! ज्ञात: केनाप्युपायेन स्तेनः ? । अभयः- देव ! किमत्रार्थे ज्ञेयम् ? । नायं दण्डाह : । यतः भरत: Page #200 -------------------------------------------------------------------------- ________________ राजा षष्ठोऽङ्कः] [१६३ एवंविधैरपि कृतैर्विविधैरुपायै न ज्ञायते य इह बुद्धिमतां वरेण्यैः । मोक्तव्य एव नियतं स मलिम्लुचोऽपि शक्या न लवितुमहो ! खलु राजनीतिः ॥२५॥ राजा- तर्हि कथं मोक्तव्य एव ? | [अभयः-] देव ! अभयप्रदानेन यथावस्थितमापृच्छ्य मुच्यताम् । राजा- प्रतीहार ! तर्हि तस्करमस्मदन्तिकमानय । शेषपरिजनस्तु गच्छतु । (परिजनो निष्क्रान्तः ।) (प्रतीहारस्तथा करोति ।) (रौहिणेयो राजानं प्रणम्य राजपादान्तिकमुपविशति ।) (सप्रसादं) अरे ! यद्यप्युल्बणपारिपन्थिकतया हृत्वा हिरण्यं मुहुर्नीतं निर्धनतामिदं मम पुरं स्वःपू:सदृग्वैभवम् । सर्वं विष्टपचौरकुञ्जर ! तथाऽप्येतन्मया मर्षितं प्राणानामभयं च ते कथय तत्सत्यं भवांस्तस्करः ? ॥२६॥ रौहिणेयः- देव ! यथावस्थितं विज्ञपयामि ? । राजा- निःशङ्कं विज्ञपय । रौहिणेयः- युष्माकं नरनाथ ! येन नगरं लक्ष्मीविलासोल्लस लीलालास्यनिवेशपेशलजनं प्रौढप्रवृद्धयुत्सवम् । चक्रे रोरनिशान्तसोदरशिलालुण्टाकचेष्टाचणः सोऽहं लोहखुरात्मजः स्मितयशःश्रीरौहिणेयाभिधः ॥२७॥ किञ्च- निश्शेषमेतन्मुषितं पत्तनं भवतां मया । नान्वेषणीयः कोऽप्यन्यस्तस्करः पृथिवीपते ! ॥२८॥ अभयः- (सरोमाञ्चं) साधु भोः ! साहसैकनिधे ! साधु । Page #201 -------------------------------------------------------------------------- ________________ १६४] [प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः वात्यावर्तित[वारािवारिधिमहावर्तातिगूढोल्लसन्मबुद्ध्यारचितप्रपञ्चपतितः कः कः क्षयं नो ययौ ? । काण्डीरप्रतिवीरविक्रमकथाकन्थाप्रथापावकं त्यक्त्वैकं त्वमसंख्यसाहसवशप्रौढाभिमानोन्नतम् ॥२९॥ रौहिणेयः- सचिवशार्दूल ! एतन्मेऽखिलचेष्टितं यदगमनिर्वाहकोटिं परां पण्डाताण्डवशौण्ड ! यच्च भवतो बुद्धिर्न निष्ठां ययौ । शौण्डीरस्मरवीरदुर्धरशरप्रध्वंसचञ्चुर्जग द्वन्द्यो वीरजिनः कृपैकवसतिस्तत्तत्र हेतुः परः ॥३०॥ अभयः- (सजुगुप्सं कर्णौ पिधाय) असांप्रतमसांप्रतमभिहितवानसि । यतः किं कदाचित्तीर्थङ्करा अपि चौर्यनिष्ठां नयन्ति ? । रौहिणेयः- सामवायिक ! सत्यमदः, किन्त्वन्यः परमार्थोऽस्ति । भगवद्वचसैकेन दुर्लक्या लङ्घिता मया । सद्बुद्धे ! ते महद्बुद्धिस्तरण्डेनेव निम्नगाः ॥३१॥ अभयः- (साश्चर्य) कथं लङ्घिता मगुद्धिः ? । रौहिणेयः- श्रूयताम् । वैभारगिरिनिवासिना स्वपित्रा चौर्योपसंहृतसमस्तपरद्रव्येण लोहखुराख्येण मुमूर्षुणाऽहं निवारितः । यदि वा मत्पुत्रोऽसि तदा श्रीमहावीरवचः क्षणमपि न श्रोतव्यम् । सर्वेऽपि- (ससंभ्रमं) ततस्ततः ? ।। रौहिणेयः- ततः स्वपितुर्वचः प्राणितमिव परिपालयता निरन्तरं मुषितं भवत्पुरं चिरम् । अभयः- ततस्ततः ? । रौहिणेयः- अन्यदा समवसरणं निकषाऽगमम् । ततस्तद्वाक्यमशुश्रूषुरत्यन्त प्रयोजनतया निबिडमङ्गलीभ्यां कौँ पिधायाहं त्वरिततरं प्रस्थितः । अभयः- ततस्ततः ? । Page #202 -------------------------------------------------------------------------- ________________ षष्ठोऽङ्क] [१६५ रौहिणेयः- ततस्त्वरागमनाद्भग्नोंऽहितले कण्टकः । येन न शक्नोमि क्रमात्कममपि गन्तुम् । राजा- (सकौतुकं) अहो ! अनिर्वचनीयः कोऽपि कथारसः । ततस्ततः?। रौहिणेयः- ततः कण्टकाकर्षणायाकृष्टाङ्गुलिना श्रुतो भगवानमरस्वरूपं व्यावर्णयन् यथा मया। ("निःस्वेदाङ्गाः श्रमविरहिताः" (अङ्क ४, श्लो. ९) इति पूर्वोक्तं देवस्वरूपं कथयति ।) अभय:- अहो ! यदि भवताकर्णितं जैनं वचः ततः किमायातमत्र ? | रौहिणेयः- (सोत्साह) अमात्य ! इदमायातमत्र, दृष्ट्वा त्वन्मतिसंभवैककपटस्वर्गीकसां तीर्थकव्याख्यानाद्विपरीतमहिनयने न्यासादिकं चेष्टितम् । ज्ञातं विश्वमदस्तव.....[च्छल कृतं कूटं यथायं नहि स्वर्गः स्वर्गवधूवृता न च सुरा एते न चाहं सुरः ॥३२॥ तत्त्वत्प्रेषितदण्डधारिपुरुषापृष्टेन सर्वं मया प्रत्युत्पन्नधियाऽखिलं स्वचरितं संकल्पितं जल्पितम् । पृथ्वीपालकरालकौणपपतरात्मा च संरक्षितस्तत्सर्वं जिनवर्धमानवचनांशस्यैकविस्फूर्जितम् ॥३३॥ (युग्मम्) अन्यच्च इयत्कालं कूटस्वपितृवचनग्रस्तमनसा __मयाऽपास्तं जैनं वचनमनिशं चौर्यरतिना । हहापास्याभ्राणि प्रवररसपूर्णानि तदहो ! कृता काकेनेव प्रकटकटुनिम्बे रसिकता ॥३४।। किञ्च- चौर्यनिष्ठापटिष्ठस्य धिगादेशं पितुर्मम । वञ्चितोऽस्मि चिरं येन भगवद्वचनामृतात् ॥३५॥ अभयः- (सानन्दं) Page #203 -------------------------------------------------------------------------- ________________ १६६ राजा राजा [प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः उपदेशैकलेशोऽपि यदीयः फलतीदृशम् । तस्योपदेशः सामस्त्यात्सेवितः किं करिष्यति ? ॥३६॥ रौहिणेयः- (राजानं प्रणम्य) देव ! कमपि प्रेषय पूरुषम् । यथा वैभारगिरिगह्वरन्यस्तं लोप्नं समर्प्य तत्र भ्रमयतः श्रीवर्धमानस्वामिनः क्रमाम्भोजसपर्यया स्वजन्म सफलतां नयामि । अमात्य ! अस्माकं महत्कौतुकम् । यतः कीदृगस्य स्थानकम् ?, यस्मिन्निवसता सतानेनास्माकीनं पुरं मुषितम् । अभयः- देव ! क्रियतां प्रसादः । प्रतीहार ! समादिशास्मदाज्ञया शङ्खमुखं हस्तिपकम् । यथा सेचनकं हस्तिनं प्रगुणीकृत्य त्वरितमत्रानय । (प्रतीहारस्तथा करोति ।) शङ्खमुखः- (प्रगुणितसेचनकः प्रविश्य) देव ! एष सेचनकः कुञ्जरः प्रगुणितः।। (राजा सेचनकं कुञ्जरमारोहति ।) अभयः- रौहिणेय ! पुरो भव । (रौहिणेयः पुरोभूय वैभाराभिमुखं परिक्रामति ।) अभयः- देव ! प्राप्ता एव वैभारभूधरम् । राजा- (पर्वतमालोक्य सकौतुकं) अमात्य ! वैभाराद्रिरयं स यस्य विलसत्प्रोत्तुङ्गशृङ्गान्तरे भ्राम्यन्नह्निविरोचनः प्रतिदिनं कर्णावतंसायते । शर्वर्यां पुनरुन्नतांहिपशिरः शाखाशिखास्कन्दितः शश्वद्यत्र निशीथिनीपरिवृढो वल्गन् प्लवङ्गायते ॥३७॥ सर्वेऽपि- (सशिरःकम्प) अहो ! अश्रुतचरः कोऽपि देवस्योत्पाद्यार्थप्रौढि माढ्यम्भविष्णुः कवित्वातिशयः । रौहिणेय ! प्राप्तास्तावन्नीरन्ध्रवीरुधिरुद्धस्त[नितं] नितम्बम् । परं न दृश्यते तगिरिगह्वरद्वारम् । राजा Page #204 -------------------------------------------------------------------------- ________________ षष्ठोऽङ्कः ] [ १६७ राजा रोहिणेयः- देव ! किं न पश्यथ चण्डिकायतनमध्ये गिरिगह्वरद्वारम् ? । ( सकौतुकं हस्तिस्कन्धादुत्तीर्य चण्डिकायतनमवलोक्य च ) अहो ! सर्वतः टङ्कच्छिन्नपाषाणभित्तिषु कीटिकाप्रवेशमात्रमपि न लक्ष्यते, किं पुनर्विवरद्वारम् ? । (रौहिणेयः पुरः प्रसर्प्य उत्कीर्णकात्यायनीरूपं कपाटं विघटयति ।) सर्वेऽपि - (सविस्मयमुच्चैः स्वरं ) अहो ! महान् बुद्धिप्रयोगः कस्यापि । यतो वयमनेकशोऽत्रायाताः परं केनापि न लक्षितमेतद्विवरद्वारम् । रौहिणेय ! पैत्रिको भावः ?, [ताव ] को वाऽयं प्रपञ्चः ? । रौहिणेयः- देव ! मत्पित्रायं कारितः । राजा (सर्वेऽपि ससंभ्रमं विवरप्रवेशं नाटयन्ति ।) (कन्दरां सर्वतोऽवलोक्य सविस्मयं ) स्फूर्जद्रत्नासपत्नद्युतिविजितम....दर्शनेऽप्यङ्गभाजां अभय: मन्ये पातालमूलाद्दितिजगृहमिदं भूमिपीठेऽवतीर्णम् ॥ रोहिणेयः- देव ! अयं सुभद्रश्रेष्ठिसुतो नव्यपरिणीतोऽपहृतः । इयं च मधुमहोत्सवापहृता धनसार्थवाहदुहिता मदनवती । एते च हिरण्यनिचयाः । अतः परं विश्वम्भरापरमेश्वरः प्रमाणम् । (राजा अमात्यमुखमवलोकयति ।) अभय: राजा अभय: अभय: सुभद्र: देव ! न किञ्चिद्विचारार्हमत्रार्थे । समर्प्यतां यद्यस्य तत्तस्य । अत्रार्थे भवानेव प्रमाणम् । प्रतीहार ! समाकारय सुभद्रश्रेष्ठिमुख्यं नागरिकलोकम् । ( प्रतीहारो निष्क्रम्य सनागरः प्रविशति ।) (सुभद्रं प्रति) श्रेष्ठिन् ! अङ्गीक्रियतां स्वपुत्रः । ( धनं प्रति) सार्थपते ! गृह्यतां स्वदुहिता । ( शेषपौरान् प्रति) अहो ! अङ्गीकुरुध्वं समुपलक्ष्य स्वं स्वं वसुजातम् । (सर्वेऽप्युपलक्ष्योपलक्ष्य स्ववस्तून्यङ्गीकुर्वन्ति ।) ( सप्रमोदं राजानं प्रति) Page #205 -------------------------------------------------------------------------- ________________ राजा १६८] [प्रबुद्ध रौहिणेय नाटक प्रबन्धः अहो ! ते न्यायचारित्वमद्भुतं भूपतेऽथवा । नीतिज्ञानामलोभानां भूभुजां नापरा स्थितिः ॥३९॥ रौहिणेयः- देव ! सर्वैरात्तं स्वं वसुजातम् । सांप्रतं मामनुजानीहि येन स्वचिन्तितमनुतिष्ठामि । (सहर्षोल्लास) पुरुषावतंस ! साहसिकशिरोमणे ! अथापि किं कश्चिद्भवदभिप्रेतेऽर्थे प्रतिबन्धकः ? । इदं प्राप्तमेव भवता स्वचिन्तितम् । किञ्चत्वं धन्यः सुकृती त्वमद्भुतगुणस्त्वं विश्वविश्वोत्तमस्त्वं श्लाघ्योऽखिलकल्मषं च भवता प्रक्षालितं चौर्यजम् । पुण्यैः सर्वजनीनतापरिगतौ यौ भूर्भुवःस्वोऽचितौ यस्तौ वीरजिनेश्वरस्य चरणी लीनः शरण्यौ भवान् ॥४०॥ तत्कथय किमन्यत्ते प्रियमुपकरोमि ? । रौहिणेयः- देव ! किमतः परमपि प्रियतरमस्ति किमपि मे ? । दत्तोऽहिर्द्विषतां शिरस्यपतुलं नीतं प्रकाशं कुलं भूम्ना शौर्यगुणेन विस्मयपदं नीताः प्रवीराः क्षितौ । लीनं वीरजिनेन्द्रपादकमले चेतश्चिरं हंसवत्तत्किञ्चित्प्रियमस्त्यतः परमहो ! यत्प्रार्थये पार्थिव ! ॥४१॥ तथापीदमस्तुक्षितिप्रथितपौरुषक्षतविपक्षपक्षस्थिति स्थिरस्थितयशोर्जुनीविहितविश्वविश्वम्भर ! । परद्रविणचौर्यतः कृतविराम ! भद्रप्रभाप्रभास्वर ! शिवश्रियं श्रय सुतीव्रची( वीरव्रतात् ।४२॥ (इति निष्क्रान्ताः सर्वे ।) ॥ षष्ठोऽङ्कः समाप्तः ॥ अभयः ॥ ग्रन्थाग्रं. ९६१॥ ॥ समाप्तमदः प्रबुद्धरौहिणेयाभिधानं नाटकम् ॥ Page #206 -------------------------------------------------------------------------- ________________ लीper प्रजुद्धरौडिरोयम्॥ अनुवne वियतनयन्तर For Private & Personal uson