________________
श्री रामभद्र मुनि प्रणीत प्रबुद्ध रौहिणेय-नाटकप्रबन्धः
ભાવાનુવાદ જેના સદ્-ઉપદેશના કિરણને પામી ઘણા માનવો લક્ષ્મી મોક્ષની દિવ્ય પ્રાપ્ત કરતા વેગે હમેશાં અહો !; ને જે ખીલવતો ત્રણે ભુવનના સત્પાને સૂર્ય-શો તે શ્રીવીર-જિનેશનો વિજય તો આ વિશ્વમાં નિત્ય હો ! (૧)
(મંગલ-ગાન-નાદ) સૂત્રધાર ઃ જે સત્પરુષોનાં શુભ ચરિતો કવિઓએ અદ્ભુત ગાયાં
તે જગમાં સર્વત્ર સુહાગી વ્યાપે તેમ ગવાયે પણ; તે વર્ણવતા કવિરાજો પણ વિશ્વ વિષે વિખ્યાત બન્યા તે સચ્ચરિતો રંગમંચને ધન્ય બનાવો !, કવિઓ પણ (૨)
(પ્રેક્ષકો ભણી નિહાળીને પુલકિત થતો-સ્વગત-બોલે છે)
અહો હો ! આ સભા આજે આટલી બધી પ્રસન્ન શાથી દેખાતી હશે ? મને જોઈને હશે ? બનવાજોગ છે. સરસ ના પ્રસ્તુત થતું હોય તો રસિક પ્રેક્ષકો હરખાય જ. (આપણે ત્યાં) હર્ષ જન્માવનારા આઠ પદાર્થો તો જાણીતા છે :
પૂનમના ચંદ્રતણાં કિરણો ઉત્સવ ઋતુરાજ વસંત તણો
મનભાવન મિત્ર તણો સંગમ
શીતલ ગોશીર્ષતણું ચંદન મલયાચલનો મધુરો વાયુ કોયલનું મદભીનું ગાયું
નવપાટલ-પુષ્મતણી સુરભિ રસીલી લલનાનો સંગ વળી (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org