SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૪] [૫૩ (વાણી શ્રવણમાં અનાયાસે જ લયલીન બનેલા રૌહિણેયને એકાએક કાંટો નીકળી ગયાનું ભાન થતાં, ભારે આત્મગ્લાનિ સાથે તે ઊઠે મારા નિત્ત્વ ચરિત્રથી કુળ બધું મેલું કર્યું મારું મેં વિશ્વે વ્યાપ્ત પિતાતણા સુયશને મેં તો કલંકી કર્યો કાં કે અન્તિમ વાત તાત જ તણી સ્વીકારવા છતાં તેનો ભંગ કર્યો અને જિનતણી વાણી સુણી મેં અરે ! (2) હશે. જે થવાનું હતું તે થઈ ગયું. પણ હવે મહાવીરની વાણી વધારે સાંભળવી પડે, તે કરતાં ઝટ અહીંથી દૂર જતો રહું તો સારું. (આમ વિચારી, હાથ વતી કાન ઢાંકીને દોડતો નગરમાં પેસી જાય છે. ત્યાં તેના દૃષ્ટિપથ પર એક દશ્ય અથડાતાં તે ચોકી ઊઠે છે) ઓ, આ તો અભયકુમાર ! આ ભગ્ન ગૃહમાં કીનાશ સાથે શું વિમર્શ કરતા હશે ? લાગે છે કે આજે કાંઇ અવનવું બનવાનું. આ બન્ને જે રીતે મંત્રણા કરે છે તે જોતાં આજે મારું ધાર્યું કાર્ય પાર પડવું કઠિન છે. આજે તો વળી એવું પણ સાંભળવા મળ્યું છે કે નગરના લોકોએ રાવ કરતાં, રોષે ભરાયેલા રાજાએ અભયકુમારને આદેશ કર્યો છે કે ગમે તે ઉપાયે પણ ચોરને પકડો. અભયકુમારે પણ તે માટે રાજા સમક્ષ પ્રતિજ્ઞા કરી છે. એટલે આજે કાંઈક ઉપાધિ સર્જાવાની તે પાકું. અને તો તો મારે આગમચ જ મારા બચાવનો પ્રબન્ધ કરી લેવો જોઈએ. આ બેની મંત્રણા ચાલે, ત્યાં સુધીમાં હું પણ શાલિગ્રામ જઇને દુર્ગચંડ સાથે જરા વાત કરી આવું. (વેગપૂર્વક જાય છે અને કામ પતાવી પાછો ફરી, લપાતો છૂપાતો જઈ રહ્યો છે.) (અભયકુમાર અને કીનાશ મંત્રણા કરતાં કરતાં આવી રહ્યા છે.) અભયકુમાર પછી તારે ચતુરંગી સેનાને સજ્જ કરીને ગઢ બહાર લઈ જવાની. કિનાશ : પછી ? અભયકુમાર ચોર નગરમાં પેસી ગયાનો અણસાર આવતાં જ (બધાં દ્વાર બંધ કરીને) સેનાને નગર ફરતે ગોઠવી દેવાની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy