SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ 30 તેથી તદ્દન જુદો છે. વાત પ્રાચીન જ રહે, ભાવ પણ તે જ રહે, પરંતુ તેને આધુનિક સાહિત્યિક ભાષામાં ઢાળીએ તો તે, ૨૧મી સદીના ભાવકને ૧૩મી શતાબ્દીના પરિવેષમાં લઈ જનાર એક સબળ પ્રયત્નલેખે મૂલ્યાંકન પામી શકે. આથી મેં આ અનુવાદને રૂપાન્તર કે ભાષાન્તરને બદલે ભાવાનુવાદ તરીકે આલેખ્યો છે, અને તે રીતે જ ઓળખાવ્યો પણ છે. તેમાં હું સફળ છું કે નિષ્ફળ, તથા આ અનુવાદ બરાબર છે કે નહિ, તેનો વિવેક તથા મૂલવણી તો તજ્જ્ઞ વિદ્વાનો જ કરી શકે. અનુવાદમાં પરભાષી શબ્દોનો ઉપયોગ પ્રચુર માત્રામાં કર્યો હતો. પરંતુ મુનિશ્રી ભુવનચન્દ્રજી, માવજી સાવલા, વસંત દેઢિયા વગેરેએ તેની પ્રથમ હસ્તપ્રત વાંચી અને તે પ્રત્યે પ્રેમપૂર્વક મારું ધ્યાન દોર્યું. બીજી પણ કેટલીક ઝીણી ઝીણી ક્ષતિઓ તેમણે દર્શાવી. તે બન્ને પ્રકારનાં સૂચનો બદલ તેમનો હું આભારી છું. બીજી હસ્તપ્રત તૈયાર કરતી વેળા પરભાષી શબ્દો મહદંશે ગાળી નાખ્યા છે. અનિવાર્ય હોય તેવા ત્રણ ચાર સ્થળે જ તેવા શબ્દો રાખવા પડ્યા છે, જે ક્ષમ્ય બની શકે તેમ છે. પદ્યોના સમશ્લોકી અનુવાદ જ્યાં શક્ય બન્યા ત્યાં કર્યા છે. અન્યથા અન્યાન્ય છન્દોનો ઉપયોગ કોઈ છોછ વિના કર્યો છે. સમગ્ર નાટકમાં ગેય તત્ત્વ (મૂળમાં) નથી. મને લાગ્યું કે આજે જો આવી પ્રશિષ્ટ કૃતિ પણ ભજવવી જ હોય તો ગેય તત્ત્વ-ગીત વિના તે મોંઘી જ પડે. એટલે દરેક અંકમાં ક્યાંક ગદ્યખંડના, તો કેટલાંક પદ્યોના ભાવાનુવાદમાં “ગીત'રૂપે રૂપાન્તર કરેલ છે. શ્લોકને ગીતમાં ઢાળવા જતાં, મૂળના વિચાર કે પ્રસ્તુતિને માત્ર ઉપકારક બને તે રીતે પણ, કાંઈક નાનું નાનું ઉમેરણ કરવાનું આવશ્યક બન્યું છે. આશા છે કે આટલી છૂટને તજ્જ્ઞો ક્ષમ્ય ગણશે. આ “ગીતો’ને માટે કોઈ તર્જ કે રાગનું બન્ધન નક્કી ન કરતાં, (ગાન) તરીકે જ તે તે સ્થાને નિર્દેશ કર્યો છે. મંચનવેળાએ તેને શાસ્ત્રીય કે સુગમ ગાનપ્રકારમાં ઢાળી શકાય તેમ છે. અમુક શ્લોકોનો, કાં તો તે ત્રુટિત હોવાને કારણે, કાં તો તેમાં માત્ર (અનુવાદ માટે અનાવશ્યક) વર્ણન હોવાને કારણે, ગદ્યાત્મક કે પદ્યાત્મક અનુવાદ કર્યો નથી; મૂળ પાઠ સાથે સરખાવવાથી તે સ્થળો ધ્યાન પર આવી જશે. તો દ્વિતીય અંકમાં રત્નાંગદ–વામનિકાના સંવાદમાં કેટલાક અંશ અશ્લીલ જણાયાથી તેનો અનુવાદ પણ ટાળ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy