SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ 29 આ બંને વાતો પરત્વે મેં દિવસો સુધી ચિન્તન કર્યા કર્યું. એમ પણ નક્કી કર્યું કે જો આ બે વાતોના પરિપ્રેક્ષ્યમાં કોઈ યોગ્ય પ્રક્રિયા કે પ્રકાર ન જડેન સૂઝે તો આ કામની અશક્તિ દર્શાવવાપૂર્વક ના જણાવી દેવી. ઘણાબધા મનોમન્થન પછી હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો કે નાટ્યમંચન એ મારો વિષય નથી. એટલે, ભજવણી કઈ રીતે કરવી, કે ભજવણી કરી શકાય તે રીતે આ નાટકને ગુજરાતીમાં કાંટછાંટ કરવાપૂર્વક ઢાળવું - એ વાત મારે છોડી જ દેવી જોઈએ. મારે માત્ર કર્તા અને કૃતિને વફાદાર રહીને આનો અનુવાદ કરવો ઘટે. પછી એનું મંચન કેમ કરવું, તે માટે શું કાંટછાંટ કરવી, તે તો રંગભૂમિવિદો પર જ નિર્ભર રહેવા દેવું. જેમ મૂળ કૃતિનું, આધુનિક રંગભૂમિ પર મંચન કરવાના અવસરે, શ્રીગોવર્ધન પાંચાલે સંપાદન-editing કરેલું, તેમ આ અનુવાદ-પરત્વે પણ તે વિષયના જ્ઞાતાઓ તે કરી જ લેશે. બલ્ક તે તેમણે જ અનિવાર્યપણે કરવું રહ્યું. હવે રહ્યો મુદ્દો અનુવાદનો. અનુવાદ બે રીતના થતા હોય છે : ૧. શબ્દશઃ અનુવાદ, ૨. ભાવાત્મક અનુવાદ. શાબ્દિક અનુવાદની ક્લિષ્ટતા તથા નીરસતાથી જેમ હું, તેમ શ્રી દેઢિયા પણ ત્રસ્ત હતા. તેમને પણ તેવા અનુવાદનો ખપ નહોતો, તેમ તેમના વક્તવ્ય પરથી મેં તારવેલું. તેથી ભાવાનુવાદ કરવાનો વિકલ્પ જ શેષ બચ્યો. ઘણાબધાં વર્ષો પહેલાં, ગુજરાતના આજના વયોવૃદ્ધ લોકસેવક શ્રી ચુનીભાઈ વૈદ્ય જ્યારે વડોદરામાં “ભૂમિપુત્ર'ના સંપાદક હતા ત્યારે તેમને મળવાનું બન્યું હતું. તેમના અનુવાદો એટલા બધા સરસ અને સંપૂર્ણ રહેતા કે તે વાંચવાની બહુ બહુ મજા આવતી, અને સાથે કુતૂહલ પણ રહેતું કે આટલા સરસ અનુવાદ થઈ શી રીતે શકે ? મારી આ જિજ્ઞાસાના ઉત્તરમાં તેમણે અનુવાદ-પ્રક્રિયા વિશે ખૂબ વિસ્તારથી મને સમજ આપેલી. આજે તે શબ્દો તો યાદ નથી. પણ તે સમગ્ર કથનનો ભાવ એવો હતો કે અનુવાદકે મૂળ કૃતિગત શબ્દોના અને તેની મારફતે તેના લેખકના-કર્તાના પેટમાંમનમાં પ્રવેશી જવાનું હોય. તે પેસતાં આવડી જાય તો પછી જે અનુવાદ નીપજે તે મહદંશે મૂળ સર્જક તથા સર્જનની પંગતમાં બેસી શકે તેવો હોય. “પ્રબુદ્ધ રૌહિણેયનું અનુવાદકર્મ આરંભતી વેળા મને આ વાતો યાદ આવી અને મેં એ પ્રમાણે મથવાનું નક્કી કર્યું. મેં વિચાર્યું કે રામભદ્ર મુનિના શબ્દ શબ્દનો અનુવાદ આપવાની જરૂર નથી. શબ્દોને જ માત્ર વળગી રહેવાનો કોઈ અર્થ પણ નથી. ૧૩મા શતકનો પરિવેષ જુદો હતો; ૨૧મી સદીનો પરિવેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy