SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ નમો નમઃ શ્રીગુરુનેમિસૂરયે ॥ ઇતિહાસ અને ઉપક્રમ ઃ પ્રબુદ્ધરૌહિણેયના પરિપ્રેક્ષ્યમાં (૧) ગુજરાત જ્યારે ગુર્જર રાષ્ટ્ર હતું ત્યારે, ચાપોત્કટ-સોલંકી-વાઘેલાકાલીન મધ્યયુગમાં, જૈન સાધુઓ અને ગૃહસ્થ વિદ્વાનોએ સંસ્કૃત સાહિત્યક્ષેત્રે અદ્ભુત સર્જનાત્મક પ્રદાન કર્યું છે. જૈન ઐતિહાસિક સંદર્ભગ્રન્થો જોવાથી આ સર્જનની વિપુલતા અને વિવિધતાનો અડસટ્ટો મળી રહે છે. મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ની સર્વપ્રથમ ટીકા ‘સંકેત' એક જૈન સાધુ-કવિની રચના છે. પ્રકાંડ નૈયાયિક ગંગેશ ઉપાધ્યાયના મહાન ગ્રન્થ ‘ચિન્તામણિ’માં આવતાં ‘સિંહ-વ્યાઘ્રલક્ષણો'નાં નામ જેમના નામથી પડ્યાં છે તે બે જૈન સાધુ-તાર્કિકો હોવાની અનુશ્રુતિ છે. વાદી દેવસૂરિના રત્નાકરરૂપ તર્ક-ગ્રન્થો હોય કે હેમચન્દ્રાચાર્યનાં પંચવિધ અનુશાસનગ્રન્થો હોય, બધાં આ યુગનાં જૈન સર્જનો છે. અને આવા મહાન સર્જકોના તત્ત્વાવધાનમાં પાંગરેલા, રામચન્દ્ર-ગુણચન્દ્ર, શ્રીપાલ, સિદ્ઘપાલ, વિજ્યપાલ, યશશ્ચન્દ્ર, અને ત્યાર પછીના આ.અમરચન્દ્ર, બાલચન્દ્રસૂરિ, વસ્તુપાલ વગેરેએ રચેલાં (કેટલાંક પ્રાપ્ત, કેટલાંક ઉલ્લેખપ્રાપ્ત) કાવ્ય-નાટક આદિ સાહિત્યનો મૂલ્યવાન ભંડાર જોવા બેસીએ ત્યારે હૃદય આનન્દ અને ગૌરવની અનુભૂતિથી તૃપ્ત થઈ જાય છે. માલવદેશની વિદ્યાના નૂતન વહેણને ગુજરાતમાં ખેંચી આણવાનું અને જીવંત-પ્રવાહિત કરવાનું-રાખવાનું શ્રેય મુખ્યત્વે આ જૈન કવિઓને ફાળે જાય છે, એમ કહીએ તો તે અત્યુક્તિ નથી. અલબત્ત, બિલ્હણ કે સોમેશ્વરદેવ જેવા અનેક અજૈન સર્જકોનું યોગદાન પણ નાનું સૂનું નથી જ; પરંતુ તેમનું પ્રેરણાબળ અને આશ્રયસ્થાન જૈન સાધુઓ તથા શ્રાવક વિદ્વાનો જ હતા તે તો સ્વીકારવું જ રહે. જૈન સાધુ-સર્જકોની આ ઉત્કૃષ્ટ પરંપરામાં ઉદ્ભવેલી એક સશક્ત સર્જકતા તે મુનિ રામભદ્ર. ગુર્જરપતિ સિદ્ધરાજ જયસિંહની રાજ્યસભામાં, શ્વેતામ્બર જૈનોના પરાભવ માટે જ ગુજરાતમાં આવેલા દિગમ્બર જૈન આચાર્ય મહાવાદી કુમુદચન્દ્રને શાસ્ત્રાર્થમાં ભવ્ય પરાજય આપનાર વાદી શ્રીદેવસૂરિના પ્રશિષ્ય તથા આ જ્યપ્રભસૂરિના શિષ્ય એવા આ રામભદ્ર મુનિનો સત્તાસમય વિક્રમનો તેરમો શતક છે. તેમણે અન્ય કેટલી તથા કઈ રચનાઓ કરી છે તેનો ઉલ્લેખ તો અપ્રાપ્ય છે, પરંતુ તેમણે રચેલું, ‘પ્રકરણ’ પ્રકારનું, એક મજાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy